________________
માને કયા
૧૫૫.
લાગે છે. બુદ્ધિને એથી કાંઈક અધિક વિકાસ થાય, ત્યારે એને જ ભણવું, એ કર્તવ્ય રૂપ લાગે છે અને રમવું, એ અકર્તવ્ય ભાસે છે. એ જ રીતિએ જેમ જેમ બુદ્ધિનો. વિકાસ થતું જાય છે, તેમ તેમ કર્તવ્યાક્તવ્યને નિર્ણય કરતે જાય છે. અમુક અવસ્થાએ આવ્યા પછી ભણવું પણ કર્તવ્ય રૂપ ભાસતું નથી, કિન્તુ પરણવું એ કર્તવ્ય ભાસે છે. પરણ્યા બાદ ધન કમાવું, મિત્રો બનાવવા, વિષયવિલાસાદિ જોગવવા, એ વગેરે કર્તવ્યરૂપ ભાસતું જાય છે, કે જે કર્તવ્યને બુદ્ધિના મંદ વિકાસ વખતે બાલ્યાવસ્થામાં ખ્યાલ પણ નહોતે. તેમ બુદ્ધિના પૂર્ણ વિકાસ વખતે. કયી કયી વસ્તુઓ તંત્ર અને કયી કયી વસ્તુઓ અક્તવ્ય ભાસે છે, તે સમજવા માટે અતત્વજ્ઞાનીઓનાં વચને સિવાય બીજુ કેઈ અવલંબન નથી.
બુદ્ધિના ભિન્ન ભિન્ન વિકાસ વખતે ભિન્ન ભિન્ન કર્તવ્ય ભાસે છે, તેથી તેમાંનું એક પણ કર્તવ્ય હંમેશ " માટે નક્કી કરી લેવું એ જેમ નિરર્થક છે, તેમ બુદ્ધિની તરમતાએ થતે કર્તવ્યોને નિશ્ચય પણ હંમેશ માટે એક જ રૂપે સ્વીકારી લે અગર તેને સ્વીકાર કરાવવા આગ્રહ સેવ, એ પણ તેટલું જ નિરર્થક છે. તે જ કર્તવ્યને સદાને માટે એકસરખી રીતિએ આચરવા લાયક કે પરિહાર કરવા લાયક કહી શકાય. કે જે અનન્તજ્ઞાનથી. નિશ્ચિત થયેલ હોય. એ જ કારણે અનન્ત દયાના નિધાન. પરોપકારી પરમષિએ અનન્તજ્ઞાનીઓની દ્રષ્ટિથી નિયત