________________
૨૩૪
ધર્મ-શ્રદ્ધા
પિતાના વિચારોને માલિક છે અને તેટલા જ માટે પિતાની દરેક અવસ્થા માટે પોતાની પાસે જ ચાવી રાખે છે અને. પિતાની ઈચ્છા મુજબ પિતાની અંદર પરાવર્તન અગર તો નવી સ્થિતિ ઉત્પન કરવાની શક્તિ ધરાવે છે.
નબળી અને હલકામાં હલકી અવસ્થામાં પણ મનુષ્ય. પોતાને માલિક જ છે, પણ તેવી અવસ્થામાં તે મૂર્ણ માલિક બની જાય છે. પરંતુ જ્યારે તે પોતાના વર્તનના. મૂળ પાયા ઉપર પ્રયત્નપૂર્વક વિચાર કરે છે, ત્યારે તે શાણે માલિક બની જાય છે અને પોતાની શક્તિને સાચે માગે વાપરે છે.
શોધ કરવાથી અને ખાણ દવાથી જ સોનું અને હીરા પ્રાપ્ત થાય છે, તેવી જ રીતિએ આત્મા રૂપી ખાણને ઊંડી ખેદવાથી જ સત્યની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય પિતાની જાત ઉપર કાબુ રાખે, પોતાના વિચારોના પરિવર્તનની અસર પિતા ઉપર, બીજા ઉપર અને પિતાના જીવન તથા સંગે ઉપર તપાસે, તેમજ ધીરજ અને ખંતપૂર્વક કાર્ય-કારણભાવનો વિચાર કરે તથા તે જ્ઞાનની પ્રાપ્તિ માટે પોતાના દૈનિક અનુભવને ઉપગ કરે, તે જરૂર તે માણસ ખાત્રી કરી. શકે છે કે તે પોતે જ પોતાના વર્તનને બનાવનાર છે તથા પોતાના જીવનને અને ભાગ્યને રચનાર છે. જે શોધ કરે તે મેળવે છે અને જે ધક્કો મારે છે તે દરવાજાને ઉઘાડી. શકે છે.” એ ન્યાયે ધીરજ અને ખંતથી મનુષ્ય જ્ઞાનરૂપ. મંદિરના દરવાજામાં પ્રવેશ કરી શકે છે.