________________
સુખ અધિક કે દુઃખ?
"कस्यैकांतं सुखमुपनतं, दुःखमेकान्ततो वा । नीचैर्गच्छत्युपरि च दशा, चक्रनेमिक्रमेण ॥"
એકલું સુખ કે એકલું દુઃખ (આ જગતમાં કેને પ્રાપ્ત થયું છે? મનુષ્યની દશા ચક્રની ધારા પ્રમાણે નીચે અને ઊંચે ફરતી જ રહે છે. -કવિ કાલિદાસ
જગતને વ્યવહાર કેવળ સુખમય નથી, કિન્તુ હમેશાં સુખદુઃખ-મિશ્રિત જ છે, તે સંસારમાં સુખ વધારે કે દુઃખ વધારે, એ પ્રશ્ન હમેશ માટે ઊભો જ રહે છે. કેટલાકની એવી માન્યતા છે કે-“આ જગતમાં જે સુખ કરતાં દુઃખ અધિક હેત તે, સવેએ નહિ તે પણ ઘણુઓએ તે આત્મહત્યા કરી જ હોત. પરંતુ કોઈ પણ પ્રાણને જીવવાથી કંટાળેલા જોવામાં આવતું નથી, તેથી તેને દુખ કરતાં સુખ જ વધારે ભોગવવાનું મળતું હોવું જ જોઈએ, એવું સ્પષ્ટ અનુમાન થાય છે.
કઈ કઈ પ્રસંગે કઈ માણસ સંસારથી કંટાળી આત્મહત્યા કરે છે, પરંતુ તે અપવાદ રૂપ છે અને લેક