________________
ભક્તિ
હોય છે, તેથી તેમને પિતાને ધર્મ, દ્રવ્ય સેવન વિના સિદ્ધ થઈ શકતા નથી.
પ્રશ્ન નિઈવ પ્રતિમા શું લાભ કરે?
ઉત્તર૦ નિર્જીવ પ્રતિમા પણ અવશ્ય લાભ કરે જેવા આકારનું દર્શન થાય છે, તેવા આકાર સંબંધી ધમનું મનમાં ચિન્તવન થાય છે. સંપૂર્ણ અવયવાળી પુતળી જેવાથી તેવા પ્રકારને મેહ ઉત્પન્ન થાય છે. કેકશાસ્ત્રાદિમાં નિરૂપણ કરેલા કામાસની આકૃતિઓથી કામી પુરુષને કામવિકારાદિનો અનુભવ થાય છે. જેમાં શાસ્ત્રાદિમાં જણાવેલાં ચોગાસનેને જેવાથી યોગાભ્યાસીઓને. ચોગાભ્યાસમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે. ખગોળ તથા ભૂગાળાદિના નકશાઓથી સમગ્ર લેક અને શહેરે વગેરેની રચનાઓ સ્પષ્ટ રીતે સમજાય છે. શાસ્ત્રના અક્ષરોને જોવાથી વિદ્વાન પુરુષોને નવા નવા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તે રીતે સ્વઈષ્ટ દેવની પ્રતિમાના દર્શનથી દર્શન કરનારને તેમના પ્રસિદ્ધ ગુણે સ્મૃતિ પથમાં આવીને ખડા થાય છે.
લૌકિક શાસ્ત્રો અને લોકવ્યવહારમાં પણ પ્રતિમા અને આકારનું મહત્વ જમ્બર મનાયેલું છે. પતિના વિયેગમાં સતી સ્ત્રીઓ પતિના નિર્જીવ ચિત્રનું દર્શન કરી સંતોષ અને આનંદને અનુભવ કરે છે, એ વાત સતી સ્ત્રીઓના દષ્ટાંતેથી સુપ્રસિદ્ધ છે. સતી સીતાજી શ્રી રામચંદ્રજીના વિચાગમાં તેમની મુદ્રિકાનું આલિંગન.