________________
ભક્તિ .
પ્રn૦ શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ કોને કહેવાય?
ઉત્તર દેવ વીતરાગ, ગુરુ બ્રહ્મચારી અને ધર્મ દયામય હોય તે જ શુદ્ધ છે. જેઓ પુણ્યથી પ્રાપ્ત થનાર મનુષ્યભવ પામીને રાગીને પણ દેવ, ઘરબારીને પણ ગુરુ અને હિંસાને પણ ધર્મ તરીકે સ્વીકારે છે, તેઓ દષ્ટિગ રૂપી દુરાગ્રહને વશ પડી મનુષ્યભવને કેડીના મૂલ્ય ગુમાવી દે છે.
પ્રશ્ન સત્ય દેવનું લક્ષણ અને તેમની પૂજાની રીત શું?
ઉત્તર સર્વ આન્તરિક શત્રુઓ ઉપર વિજય મેળવનાર, સર્વશ, ત્રિલોકથી પૂજિત અને સત્ય અર્થનાપ્રતિપાદક જે કંઈ હોય, તે સત્ય દેવ યાને ઈશ્વર છે. વિષ્ણુ, બ્રહ્મા, મહાદેવ, શંકર, જિન, કેવળી, અહંત કે તીર્થકર એ સર્વ એમનાં જ નામ છે. એવા પરમાત્મા અને પરમેશ્વરની પૂજા તેમના નામસ્મરણથી તેમની પ્રતિમાના દર્શનથી, તેમનાં ચરિત્રો અને ગુણેના સ્મરણ