________________
રહ્યાદિ
પર
દૂધનું દહીં થાય છે, પણ ગોરસ રૂપે કાયમ રહે છે, દૂધ રૂપે નાશ, દહીં રૂપે ઉત્પત્તિ અને ગોરસ રૂપે -અવસ્થિતિ. એ રીતે દરેક પદાર્થો મૂળ કાયમ રહે છે, પરંતુ તેમાં અનેકાનેક પરિવર્તન થયા કરે છે. પૂર્વપરિણામને નાશ અને નવીન પરિણામની ઉત્પત્તિ વારંવાર થવા છતાં મૂળ વસ્તુ નાશ પામતી નથી. એ મૂળ વસ્તુને દ્રવ્ય કહેવામાં આવે છે અને તેના પરિવર્તનને પર્યાય કહેવામાં આવે છે. વસ્તુ માત્ર દ્રવ્યપર્યાય ઉભયાત્મક છે, એમ માનવું તે સ્યાદ્વાદ-દર્શનનું બીજ છે.
દરેક દર્શનકારે શબ્દથી સ્યાદ્વાદને નહિ માનવા છતાં અર્થથી સ્યાદ્વાદની અપ્રતિહત આજ્ઞાને સ્વીકારે જ છે. જેમકે –
સાંખ્યમતવાળા સત્વ, રજ, અને તમસ-એ ત્રણ -પરસ્પર વિરુદ્ધ ધર્મોને પણ એક જ પ્રકૃતિમાં રહેલા માને છે.
નૈયાયિક અને મૈશેષિકે એક જ પૃથ્વીને પરમાણુ રૂપે નિત્ય અને ઘટપટાદિ સ્કંધ રૂપે અનિત્ય માને છે. દ્રવ્યત્વ–પૃથ્વીત્વ વગેરે ધર્મોને સામાન્ય રૂપે સ્વીકારે છે, તેમ ગુણક્રિયાદિથી તથા જલ–અગ્નિ-વાયુ વગેરેથી ભિન્ન -હેવાથી વિશેષ રૂપે પણ સ્વીકારે છે.
બૌદ્ધો અનેક વર્ણવાળા ચિત્રજ્ઞાનને એક જ જ્ઞાન તરીકે સ્વીકારે છે.