________________
(૧૨) પછી ઉત્પન્ન થયેલી તીવ્ર વેદનાથી મારી આંખો ગઈ; એવી વાણી બેલને રાજાએ મારવાની આજ્ઞા કરી, તેથી રાજાની આજ્ઞા તીક્ષણ થઈ; અને પૂર્વે ન મારવાનું વચન આપવાથી શીતળ આજ્ઞા કરવી પડી; પણ જ્યારે મુહર્ત પછી વેદના દૂર થતાં સારી આંખોવાળે થતાં તેજ રાજાએ ખુશ થઈ વૈદ્યની પૂજા કરી. એ પ્રમાણે આચાર્યની આજ્ઞા પણ તીક્ષણ છે. એટલે, શિષ્યની ભૂલ દેખતાં કડવાં વચનની આજ્ઞા કરે, પણ શિષ્યનું અંતરંગ તપાસી તેનાં કાર્યથી પ્રસન્ન થાય; એટલે, પરિણામે શિષ્યને હિતકર હોવાથી ત આજ્ઞા શીતળ છે. આવું સમજાવ્યા છતાં પણ ક્રોધથી શિષ્ય શાંત ન થાય તે, બીજાઓના રક્ષણ માટે સડેલા પાનની માફક તેને દૂર કરશે.
, શુરૂની આજ્ઞા શિષ્ય માને છે, ગચ્છમાંજ રહેવા દઈને દુર્વચનથી તેને તિરસ્કાર કરી પરીક્ષા કરવી. જે, તેમ કરતાં ન કેપે, તે તે શુદ્ધ છે એમ જાને તેને આણશણની આજ્ઞા આપે, તથા તેને આર્તધ્યાન વિગેરે ન થાય માટે, તેની ખબર રાખી ગુરૂ પ્રસાદ કરે.
પ્ર–આ પ્રમાણે છે, અને કેટલે કાળ, અને કેવી રીતે આત્માને સંલેખે? તેથી, હદયમાં વિચારીને કહે છે – निफाईया य सीसा सउणी जह अंडगं पयत्तेणं । पारस संवच्छरियं सो संलेहं अह करेइ ॥२७०॥