________________
(૨૩ર) (રસ) માં વ્યવસ્થા કરતે પાપમના અસંખ્ય ભાગ હીન ઉત્તરેતર સ્થિતિબંધ કરતે કરણકમલથી પણ પહેલાં અંત મુહર્તમાં વિશુદ્ધ માન બનીને ત્રણ કરણ કરે છે, તે પ્રત્યેકઅતર્મુહુર્તના છે. તે કહે છે-(૧) યથા પ્રવૃત્ત (૨) અપૂર્વ (8) અનિવૃત્તિકરણ છે-અથવા ચેથી ઉપશાંતથી થાય છે. તેમાં યથા પ્રવૃત્ત કરણમાં દરેક સમયે અનંત ગુણ વૃદ્ધિ વાળી વિશુદ્ધિને અનુભવે છે. તેમાં સ્થિતિ ઘાત, રસઘાત, ગુણ શ્રેણિ, ગુણ સંકમણ આમાંથી કઈ પણ હેતું નથી તેજ પ્રમાણે બીજા અપૂર્વકરણમાં છે. તેને પરમાર્થ કહે છે કે તેમાં અપૂર્વ અપૂર્વ ક્રિયાને મેળવે છે. તેથી અપૂર્વ કરણ છે. તેમાં પ્રથમ સમયે જ સ્થિતિ ઘાત રસ ઘાત ગુણશ્રેણિ ગુણ સંક્રમ અને અન્ય સ્થિતિ બંધ એ પાંચ પણ અધિકાર સાથે પૂર્વે ન હતા, અને હવે છે, તેથી અપૂર્વ કરણ છે. તે પ્રમાણે અનિવૃત્તિકરણમાં અન્ય અન્યને પરિણામે ઉદ્યઘતા નથી. માટે તે અનિવૃત્તિ કરણ છે. એને સાર આ છે કે પહેલે સમયે જે વેએ આ કરણ ફર તે બધામાં તુલ્ય પરિણામ છે. એ પ્રમાણે બીજા સમયમાં પણ જાણવું. અહીંયા પણ પૂર્વે જ બતાવેલા સ્થિતિઘાત વિગેરે પાંચે પણ અધિકાર સાથે વર્તે છે. તેથી જ આ ત્રણ કરણ વડે ઉપર બતાવેલા મવડે અનંતાનુબંધીના કષાને ઉપશમાવે છે.