________________
(ર૭૧) આ ઉ–બાજુની ભીતિ રહિત તથા ઉપરનું ઢાંકણ હોય કે નહીં, તેવા સ્થાનમાં રહેતા, તથા ફરી ભગવાનના ગુણ કહે છે, રાગ દ્વેષ દૂર થવાથી શુદ્ધ આત્મા દ્રવ્ય વાળા અથવા કર્મ ગ્રંથિ દૂર થવાથી દ્રવ્ય સંયમ છે, તે દ્રવ વાળા દ્રવિક (સંયમી) છે, તેમ મકાનમાં ઠંડી સહેતાં કદાચ ઘણું સખત ઠંડી પડે, તે તે ઢાંકેલા મકાનથી બહાર નીકળી કે વાર રાત્રીમાં બે ઘડી સુધી ત્યાં રહી ઠંડી સહન કરી પાછા તેજ મકાનમાં આવીને સમતાથી ખાચરના દષ્ટાંતથી સહેવાને શક્તિવાન થતા.
ખચ્ચરનું દ્રષ્ટાંત. (સિંધ દેશમાં ખચ્ચરે શક્તિવાળાં છતાં લુચ્ચાઈથી બે સહન કરતાં નહોતાં, તેમને સીધાં કરવા તેને માલીક વધારેમાં વધારે બેજો નાંખતા, પછી વધારે થાકે ત્યારે બેજે ઓછ કરતા, તેથી ખચર ખુશ થઈને દેડતું, તેજ પ્રથાણે ભગવાન મહાવીર પિતાના શરીર રૂપ ખચ્ચર ઉપર વધારેમાં વધારે ઠંડી સહન કરતા, જેથી સામાન્ય ઠંડી સહેલથી સહન થતી.) આ ઉદેશાને સમાપ્ત કરવા કહે છે, કે આ વિધિ વિગેરે પૂર્વ માફક જાણવું એવું સુધર્માસ્વામી કહે છે.
બીજો ઉદેશે સમાપ્ત થશે.