________________
(૨૦) પ્રકારે જ્ઞાનથી જ પાર પહોંચાય છે, તથા વિષય વ્યવસ્થિતિનું સમાધાન જ્ઞાન પૂર્વક થાય છે, તથા બધા દુખેને નાશ જ્ઞાનથી જ થાય છે, અને જ્ઞાનનું જ અન્વયવ્યતિરેકપણું છે. એટલે જ્ઞાન હોય તે ફળની સિદ્ધિ અને જ્ઞાન ન હોય તે ફળની અસિદ્ધિ છે; માટે દરેક રીતે જ્ઞાનનું પ્રધાનપણું છે, તે બતાવે છે. જ્ઞાનના અભાવે અનર્થ દૂર કરવા માટે તૈયારી કરે તે પણ કરવા જતાં અજ્ઞાનતાથી પતંગીયા માફક અનર્થમાં ઝીપલાઈ જાય છે, અને જ્ઞાનના સદ્ભાવે બધા અને અને અનર્થને સંશને વિચારીને યથા શક્તિ વિદનેને દૂર કરે છે, તેમજ આગમ પણ કહે છે, “પઢમં નાણ તઓ દયા” સૂત્ર છે. આ બધું ક્ષાપશમિક જ્ઞાન આશ્રયી કહ્યું, અને ક્ષાયિકને આશ્રયી પણ તેજ પ્રધાન છે, કારણ કે નમેલા સુર અસુર દેવતાના મુકુટના સમુદાયની વેદિ કામાં જેમના ચરણ યુગલની પીઠ છે, તથા ભવ સમુદ્રના તટે પહોંચ્યા છે.
તથા દીક્ષા લીધી છે, ત્રણ લેકના બંધુ છે તપ ચારિત્ર સારી રીતે આદરવા છતાં પણ જ્યાં સુધી જીવ અજીવ વિગેરે બધા પદાર્થોનું પરિચ્છેદ કરનાર ઘન ઘાતિ કર્મ સમૂહ ક્ષય થવારૂપ કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે ભગવાનને મેક્ષ પ્રાપ્તિ થતી નથી, માટે જ્ઞાનજ યુક્તિએ યુક્ત આ લેક પરલેક ફળની ઇચ્છિત પ્રાપ્તિ કરનાર સિદ્ધ થાય છે,