Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સર્ગ બીજે
શ્રેણિકરાજા કુમારના પ્રત્યેક અંગે દષ્ટિ ફેરવતો મનથી ચિત્રાઈ, આલેખાઈ જતો, યોગીજન યોગ વડે પરમાત્માનું રૂપ દષ્ટિગોચર કરે તેમ, તેનું રૂપ નિહાળવા લાગ્યો :- અહો ! આના ચરણતલ રક્ત, મૃદુ, સ્નિગ્ધ અને અવક છે; તથા ચંદ્રમા-વ-આદિત્ય-શંખ-અંકુશપદ્મ-અશ્વ-દર્પણ અને હસ્તિના ચિન્હોથી યુક્ત છે; આના રક્ત, તેજસ્વી, ગોળ, ઊંચા અને વિશાળ નખ જાણે દિશાઓના દર્પણ હોય નહીં એવા છે; ચરણ કાચબાની સમાન ઉન્નત, સ્નિગ્ધ, માંસલ, શ્લિષ્ટ, એક સરખા અને કમળ જેવા (કોમળ) છે; ગુલ્ફ ઉત્તમ મણિની સમાન નાના છે; જાનુ ગૂઢ છે અને જંઘા સરલ છે; આના મૃદુ અને વિશાળ ઉરૂ કદળી સ્તંભ જેવા ગૌરવર્ણા છે. કટિભાગ વિશાળ સુવર્ણના ફલક સમાન છે; નાભિ દક્ષિણ આવર્તવાળી અને ગંભીર કૂપની સદશ જ છે; ઉદર મૃગપતિ સિંહના જેવું છે; સત્વ સર્વ પ્રાણીઓને આશ્ચર્ય પમાડનારું છે.
આનું ઉર સ્થળ પ્રતોળી એટલે પોળના દ્વાર જેવું વિસ્તીર્ણ અને શ્રી કૃષ્ણવાસુદેવના ઉર:સ્થળની પેઠે કેશના ગુચ્છને ધારણ કરનારું છે; આનું પૃષ્ટ વિશાલ છે, તે રાજ્યની ચિંતાથી ખિન્ન થયેલા એવા મને જાણે પૃષ્ટપટ્ટ (સહાયક) જેવું લાગે છે; આના બાહુ સરલ અને જાનુપર્યન્ત દીર્ઘ છે તે જાણે પૃથ્વીને અને આકાશ (સ્વર્ગ) ને ગ્રહણ કરવાને ઈચ્છતા હોય નહીં ! આના હસ્ત કઠિન છે, તથા કમળોના મર્દનથી જ હોય નહીં એમ રક્તવર્ણા અને ઉત્તમ રેખાવાળા છે. આના સ્કંધ સામ્રાજ્યની અને મંત્રીપણાની ધુરાને વહન કરવાને વૃષભના સ્કંધ જેવા (બલિષ્ટ) છે. આના કંઠ ઉપર કંબૂની પેઠે ત્રણ રેખાઓ છે તેથી કંઠના ચાર વિભાગ જણાય છે તે જાણે ચાર વિદ્યાઓને સુખે કરીને રહેવાને માટે જ હોય નહીં! બિંબફળ સમાન કાન્તિવાળા આના ઓઠ જાણે નગરજનોનો સાક્ષાત અનુરાગ હોય નહીં (એવા શોભે છે) ! આના શ્વેત અને દેઢ એવા બત્રીશે દાંત જાણે પુરુષના (બત્રીશે)
૧. પુંઠું. ૨. શંખ.
૪૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧) .