Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
જેવું જ હતું કે એ મહીભૂત થકી ઉત્પન્ન થયેલી કીર્તિરૂપી નદી સકળ પૃથ્વી પર ફેલાઈ જઈને પછી મહીભૂતના મસ્તક પર પણ આરૂઢ થઈ હતી. કામદેવને જેમ રતિ તેમ એ રાજાને લાવણ્ય-રૂપ આદિથી સકળા લોકને વ્યામોહ પમાડનારી આર્દિકા નામે પત્ની હતી. કુલટા સ્ત્રીઓએ નિરંતર નિર્દયપણે કદર્થના પમાડેલું એવું જે-શીલ-તે પોતાના રક્ષણને માટે એ-ક્ષત્રિયાણીને શરણે ગયું હતું. શાલીનતારૂપી સ્ત્રી પોતાનો સર્વ વૈભવ વારાંગનાઓએ હરી લીધાને લીધે જાણે એની ફરિયાદ કરવાને માટે જ હોય નહીં એમ એ આદ્રકાની પાસે ગઈ હતી.
એ દંપતીને પવિત્ર ગુણોએ ભરેલો અને ઉત્તમ દશાવાળ વસ્ત્રની પેઠે પરગુહ્યનો ગોપક-આÁક નામે પુત્ર થયો. બાળક છતાં પણ મોટા માણસ જેવી બુદ્ધિ ધરાવનારો, સર્વ માંગલિક ચિન્હોથી ભરપૂર શરીરવાળો અને વળી કાર્તિકેયની જેમ અપ્રતિહત શક્તિવાળો એ કુમાર સૌ કોઈને અત્યંત આનંદ ઉપજાવે એવો હતો. એ શુરવીર હતો છતાં એની વાણી. ઉપતાપ આપનારી નહોતી, એની મૂર્તિ દુર્દર્શ નહોતી; એ કોઈને પીડા કરતો નહીં અને સર્વ કોઈનો નાથ (રક્ષક) હતો. આ આÁકરાજાને અને શ્રેણિકભૂપતિને, રાવણને અને શિવને હતી તેવી, પરસ્પર મૈત્રી હતી.
એકદા શ્રેણિક મહીપાળે જાણે પોતાનો મૂર્તિમાન સ્નેહ જ હોય નહીં એવું ભેટયું લઈને એક મંત્રીને આદ્નકરાજા પાસે મોકલ્યો. એ મંત્રીએ પણ ત્યાં જઈ સભાને વિષે વિરાજેલા રાજાને બહુ આદર સહિત પ્રણામ કરીને કુષ્ણલવણ નિમ્નપત્ર અને કંબળ પ્રમુખ વસ્તુઓ ભેટ કરી. એ ચીજો જોઈને આÁકરાજા ચિત્તને વિષે અતિ હર્ષ પામ્યો; કારણ કે જે દેશમાં જે વસ્તુ મળતી નથી તે દેશમાં તે વસ્તુ નિશ્ચયે. મૂલ્યવાન ગણાય છે. પછી નરપતિએ એ સચિવને પૂછ્યું-મારો બાધવા શ્રેણિકનારેશ્વર અને તેનો સર્વ પરિવાર કુશળ તો છે ? સચિવે કહ્યું- હે સ્વામિન ! કમલ (લા) ને ઉલ્લાસ કરાવવાવાળા, પ્રતાપરૂપી
૧. શરમાળપણું ૨. દશા (૧) વસ્ત્રના છેડા. (૨) રથીતિ. ૩. (૧) કમળ પુષ્પ (૨) કમળા-લક્ષ્મી. ૧૯૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)