Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
निवातपद्मस्तिमितेन चक्षुषा नृपस्य कान्तं पिबतः सुताननम् । महोदधेः पूर इवेन्दुदर्शनात् गुरुः प्रहर्षः प्रबभूव नात्मनि ॥ રઘુવંશ સર્ગ ૩. શ્લોક ૧૭. ૧૨-૫. ચંદ્રમાના ઉદયથી સાગર...ઈત્યાદિ. આવો વિચાર પૂર્વના કવિઓએ બહુવાર દર્શાવ્યો છે તે પરથી એમ ચોક્કસ થાય છે કે પૂર્વે પણ ‘ચંદ્રમાના ઉદય પર ભરતીનો આધાર છે' એ વાત પ્રસિદ્ધ અને લોકમાન્ય હતી.
૧૨-૯. કર્મબન્ધ આદિ. અમુક કાર્ય કરવાથી, કર્મનો બંધ થશે-કર્મ બંધાશે. ઈત્યાદિ.
૧૨-૧૯. આદીશ્વરના ચરણને યુગળીઆ પ્રક્ષાલન કરે. શ્રી વીરવિજય આચાર્ય પણ નવ અંગપૂજાના દુહામાં લાવ્યા છે કેઃજળ ભરી સંપુટપત્રમાં, યુગલિક નર પૂત્યંત; ઋષભચરણ અંગુઠડો, દાયક ભવજળ અંત.
૧૩-૧. કૌસ્તુભ મણિ. સમુદ્રમંથનથી ચૌદ રત્નો નીકળ્યા કહેવાય છે એ ચૌદમાં આ કૌસ્તુભમણિ પણ એક છે. એને વિષ્ણુએ પોતાના હૃદયપર ધારણ કર્યું હતું. જુઓ રઘુવંશ સર્ગ. ૬. શ્લોક ૪૯. सकौस्तुभे पयतीव कृष्णम् ।
૧૩-૫. પટહ વજડાવવો. ઢોલ પીટાવવો.
અમારિ ઘોષણા. જીવની બીલકુલ હિંસા ન કરવી એવી ઉદ્ઘોષણા, એવો સાદ પડાવવો.
૧૪-૧૨. પિતાની પત્ની. અર્થાત્ પોતાની માતા. ૧૪-૧૫. વિદૂર પર્વતની ભૂમિ...ઈત્યાદિ. આવો જ વિચાર કવિકુલભૂષણ કાલીદાસે પણ જણાવ્યો છે. વિભૂમિનુંવમેયશબા-યુનિન્નયા રત્નશનાવેવ | કુમારસંભવ, ૧-૨૪.
૧૪-૨૩. ભંભાસાર. બૌદ્ધલોકોના ઈતિહાસમાં અશોકરાજાના પુત્રનું, આને મળતું આવતું ‘બિમ્બિસાર’ એવું નામ છે. લગભગ એકજ સમયે અને દેશમાં થઈ ગયેલા એવા ઐતિહાસિક પુરૂષો, નામના સાદૃશ્યથી, જૂદી જૂદી વ્યક્તિ નહિ પણ એક જ વ્યક્તિ હોય એવું અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૫૪