Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 269
________________ निवातपद्मस्तिमितेन चक्षुषा नृपस्य कान्तं पिबतः सुताननम् । महोदधेः पूर इवेन्दुदर्शनात् गुरुः प्रहर्षः प्रबभूव नात्मनि ॥ રઘુવંશ સર્ગ ૩. શ્લોક ૧૭. ૧૨-૫. ચંદ્રમાના ઉદયથી સાગર...ઈત્યાદિ. આવો વિચાર પૂર્વના કવિઓએ બહુવાર દર્શાવ્યો છે તે પરથી એમ ચોક્કસ થાય છે કે પૂર્વે પણ ‘ચંદ્રમાના ઉદય પર ભરતીનો આધાર છે' એ વાત પ્રસિદ્ધ અને લોકમાન્ય હતી. ૧૨-૯. કર્મબન્ધ આદિ. અમુક કાર્ય કરવાથી, કર્મનો બંધ થશે-કર્મ બંધાશે. ઈત્યાદિ. ૧૨-૧૯. આદીશ્વરના ચરણને યુગળીઆ પ્રક્ષાલન કરે. શ્રી વીરવિજય આચાર્ય પણ નવ અંગપૂજાના દુહામાં લાવ્યા છે કેઃજળ ભરી સંપુટપત્રમાં, યુગલિક નર પૂત્યંત; ઋષભચરણ અંગુઠડો, દાયક ભવજળ અંત. ૧૩-૧. કૌસ્તુભ મણિ. સમુદ્રમંથનથી ચૌદ રત્નો નીકળ્યા કહેવાય છે એ ચૌદમાં આ કૌસ્તુભમણિ પણ એક છે. એને વિષ્ણુએ પોતાના હૃદયપર ધારણ કર્યું હતું. જુઓ રઘુવંશ સર્ગ. ૬. શ્લોક ૪૯. सकौस्तुभे पयतीव कृष्णम् । ૧૩-૫. પટહ વજડાવવો. ઢોલ પીટાવવો. અમારિ ઘોષણા. જીવની બીલકુલ હિંસા ન કરવી એવી ઉદ્ઘોષણા, એવો સાદ પડાવવો. ૧૪-૧૨. પિતાની પત્ની. અર્થાત્ પોતાની માતા. ૧૪-૧૫. વિદૂર પર્વતની ભૂમિ...ઈત્યાદિ. આવો જ વિચાર કવિકુલભૂષણ કાલીદાસે પણ જણાવ્યો છે. વિભૂમિનુંવમેયશબા-યુનિન્નયા રત્નશનાવેવ | કુમારસંભવ, ૧-૨૪. ૧૪-૨૩. ભંભાસાર. બૌદ્ધલોકોના ઈતિહાસમાં અશોકરાજાના પુત્રનું, આને મળતું આવતું ‘બિમ્બિસાર’ એવું નામ છે. લગભગ એકજ સમયે અને દેશમાં થઈ ગયેલા એવા ઐતિહાસિક પુરૂષો, નામના સાદૃશ્યથી, જૂદી જૂદી વ્યક્તિ નહિ પણ એક જ વ્યક્તિ હોય એવું અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧) ૨૫૪

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322