Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
विरोधिसत्वोज्झितपूर्वमत्सरम्
܀܀
૨૭૬
तपोवनं तज्च वभूव पावनम् ॥
કુમારસંભવ કાવ્ય સર્ગ ૫ શ્લોક ૧૭.
૧૧૮-૧૦. ત્રીજા પ્રાકારને વિષે સર્વ વાહનો રહ્યાં વળી. અહિં “વળી ત્રીજા પ્રાકાર-ગઢ ને વિષે સર્વ વાહનો રહ્યાં.” એમ વાંચવું. ૧૧૮-૧૨. અભિયોગી. (સભામાં આવેલાઓની સેવામાં આવેલાં) ‘સેવકો' અર્થાત્ વાહનો.
૧૧૯-૫. ગુણશીલ ચૈત્ય. શ્રેણિકરાજાના ઉદ્યાનમાં આવેલું એ નામનું-ચૈત્ય-જિનમંદિર.
૧૨૦-૩. સેચનક હસ્તી. આ ‘સેચનક' નામના હસ્તીની ઉત્પત્તિ વગેરે માટે જુઓ આ ચરિત્રનો બીજો ભાગ.
૧૨૦-૧૯. છત્ર...નો ત્યાગ કર્યો. દેવગુરૂ ‘સન્મુખ ગમન' કરતાં આ વસ્તુઓનો ત્યાગ કરવો, એ ‘અભિગમન' કેમ કરવું-કેમ પાળવું-કેમ સાચવવું-એમ સજાવતાં છેવટે એ વિધિ જ ‘અભિગમન સાચવવાં' કહેવાય છે. જુઓ આ ચારિત્રનો બીજો ભાગ.
૧૨૦-૨૦. એકસાટી ઉત્તરાસંગ. એક પડો ખેસ રાખવો. આ પણ એક ‘અભિગમન સાચવવા'નું છે.
૧૨૧-૪. મેરૂપર્વતને ‘ચલિત' કરીને સુરપતિને ‘નિશ્વળ’ કર્યો હતો. મેરૂને ધણધણાવીને ઈન્દ્રના મનનો સંદેહ ભાંગ્યો હતો. વાત એમ છે કે પ્રભુના જન્મોત્સવ વખતે ઈન્દ્રને સંદેહ થયો હતો કે જે પુષ્કળ જળ દેવો તરફથી અભિષેક અર્થે એકઠું કરવામાં આવ્યું હતું તેનો એક સામટો અભિષેક પ્રભુ સહન કરી શકશે કે નહિ. પ્રભુને જન્મતાંની સાથે જ ‘અવધિજ્ઞાન' તો હોય છે એટલે ઈન્દ્રનો એ સંદેહ જાણી ગયા, અને પોતામાં કેટલી શક્તિ છે એ બતાવવા એમણે ફક્ત પોતાના એક અંગુઠાના જોરે મેરૂને કમ્પાયમાન કર્યો હતો.
૧૨૧-૧૭. જનવર્ગથી જનક્ષેત્રની પેઠે. મનુષ્ય લોક જેમ મનુષ્યોથી ભરપૂર છે, શૂન્ય નથી, એમ આપના ચરણકમળ શૂન્ય રહેતા અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)