Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
૨૪૪-૪. દરાંક. દર્દુર=દેડકો.
૨૪૪-૧૨. ગુરૂકર્મી. ભારેકર્મી, અનેક કર્મના ભારવાળો. સરખાવોઃ લઘુકર્મી (બહુ ઓછાં કર્મ ભોગવવાનાં રહેલાં હોય અર્થાત્ જેને કર્મનો ભાર ઘટી ગયો હોય એવો જીવ).
૨૪૫-૧૮. કપિલા બ્રાહ્મણી. એ શ્રેણિકના રાજ્યમાં એક બ્રાહ્મણની-દાસી હતી, જેને શ્રેણિકના ગમે તેટલા આગ્રહપૂર્વકનાં વચનો છતાં પોતાને હાથે દાન દેવું ગમ્યું નહોતું.
૨૪૫-૨૦. સોમનાથ મરવાનો યે નથી...ઈત્યાદિ. કોઈ બ્રાહ્મણ ગુરૂની અને એના સોમનાથ નામના શિષ્યની આ વાત છે. જેમાં બે જણને પરસ્પર વાદ થયો હતો. અહિં શ્રીવીરપ્રભુ શ્રેણિકને આ દૃષ્ટાન્ત આપીને એમ કહેવા ઇચ્છે છે કે-એ કસાઈ અને એ દાસી તારૂં કહ્યું માનવાના નથી, અને તારી નરકગતિ ટળવાની નથી. ૨૪૫-૨૨. સંજીવની. મરેલાને જીવતાં કરનારી કહેવાતી ઔષધી
વિશેષ.
૨૪૭–૧૩. હાર અને ગોળા. મોતીનો હાર અને દડા આ હાર વિષે અતિ ચમત્કારી હકીકત છે તે આ ચરિત્રના બીજા ભાગમાં વિસ્તારપૂર્વક વર્ણવી છે.
૨૪૯-૯. ઉત્પત્તિકી આદિ બુદ્ધિઓ. જુઓ પૃષ્ટ ૩૮. પં. ૧૯ ઉપરનું ટિપ્પણ.
૨૪૯-૧૫. બીભત્સ (વસ્તુઓ). જોતાં ઘૃણા-ઉદ્વેગ થાય એવી ૨૫૦-૧૦. કાળ મહાકાળ આદિ દુર્ગતિ સાતમી નરકમાં કાળ મહાકાળ, રોરૂ અને મહારોરૂ નામના ચાર નરકાવાસ કહ્યા છે તે. ૨૫૦-૧૩. અપ્રતિષ્ઠાન. સાતમી નરકનો છેલ્લો પ્રતર. ૨૫૦–૧૨. એક પણ શરણ લીધા વિના. જુઓ પૃષ્ટ ૩૨ ની ફૂટનોટ ૧.
પંચત્વ પામ્યો. મૃત્યુ પામ્યો. (જે પાંચ તત્વો એકત્ર થઈને આ દેહ બનેલો તે પાંચે છૂટા પડી જઈ પોત પોતામાં ભળી જાય-એ મૃત્યુ). ૨૫૧-૧૪. વિષ્ણુએ રાહુનું શીષ છેધુ હતું. એવી કથા છે કે
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
303