Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
निस्संकिय निक्कंखिय निव्वितिगिच्छा अमूढदिट्ठीअ । अवबुहथिरीकरणे वच्छलप्पभावणे अट्ठ ॥ (અતિચારની આઠ ગાથામાંની ત્રીજી).
૨૨૯-૨૬. મયૂરના છત્ર. અહિં મયૂરછત્ર' એમ વાંચવું. એ એક જાતના પુષ્પના છોડવા થાય છે.
૨૩૦–૧૩. માળ પરથી પડેલાને પ્રહાર કરવો. પડ્યા પર પાટુ મારવું.
૨૩૦-૧૨. ચૈત્યપરિપાટી. સર્વ ચૈત્યો-જિનમંદિરોએ દર્શન કરવા જવું.
૨૩૦-૨૫. પ્રત્યાખ્યાન/પચ્ચકખાણ. ત્યાગ, વિરમવું, ના કહેવી. Rejection, Denial જેમકે, મારે અસત્ય બોલવાના “પચ્ચકખાણ' છે મેં અસત્ય ભાષણ કરવું ત્યર્યું છે. મારે આજે ચારે આહારના પચ્ચકખાણ છે હું આજે સર્વ પ્રકારના આહારથી વિરમું છું-સર્વ પ્રકારનો આહાર ત્યનું છું.
૨૩૧-૧૨. સ્થાળ કચોળાં. થાળી વાટકા. જમવાના થાળી વાટકા પણ શેઠને નહિં રહ્યા હોય ! અહો ! કેવી દરિદ્રતા !
૨૩૧-૨૬. મયૂરછત્ર અને સાંકળી. રાજા જેના પર રીઝતા તેને રાજકુમારના ચિન્હ તરીકે આ પ્રમાણે છત્ર, કંઠી, મશાલ, છડી, વાહન વગેરે આપતા એ વાત સુપ્રસિદ્ધ છે.
૨૩૩-૮. સાત ક્ષેત્ર. જિનપ્રતિમા, જિનાલય, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ સાત.
૨૩૪-૪. કાળશૌકરિક. એ નામનો એક કસાઈ હતો, જે હમેશાં પાંચસો પાડાનો વધ કરતો કહેવાય છે.
૨૩૪-૨૭. કર્દમ. કચરો, ગારો.
૨૩૫-૧. બંધ અને પાત...ઈત્યાદિ. ગુણ એટલે અનાજ, કરિયાણા વગેરેથી ભરેલા કોથળાઓને જ બાંધવા પડતા (બંધ); અને એમની થપી કરેલી હોય એ જ વખતે પડી જતી (પાત).
૨૩૫-૩. કર્મગ્રંથ. જેમાં કર્મનું સ્વરૂપ વર્ણવેલું છે એ ગ્રંથ. એમાં
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૩૦૧