Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 302
________________ પૂર્ણપણે, સૌએ સો ટકા પળાતો ધર્મ ચાર પગે ઉભેલો કલ્પ્યો છે. ત્રેતાયુગમાં એથી ઓછો, પોણોસો ટકા પળાતો, એટલે ત્રણ પગે ઉભેલો કલ્યો છે. એજ પ્રમાણે ‘દ્વાપર' માં બે પગે ઉભેલો કસ્યો છે. અને વર્તમાન ‘કલિયુગ' માં એક પગે ઉભેલો કલ્પ્યો છે, કારણ કે બહુ જ જુજ પાળવામાં આવે છે. , ૧૪૬-૨૨. કુતીર્થિઓ. કુગુરૂના અનુયાયીઓ; અધર્મીઓ. ૧૪૭-૨૬. અમૃતમય કળા નથી ઉત્પન્ન કરતો નથી લાવતો ? ? અમી ૧૪૮-૨. વિરૂપ. અયોગ્ય, અઘટિત. ૧૪૮-૧૦. એકાદશ અંગ. આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અંતકૃતદશાંગ, અનુત્તરોપપાતિક, પ્રશ્નવ્યાકરણ, અને વિપાક-એમ શાસ્ત્રના અગ્યાર અંગ કે સૂત્રો કહ્યા છે. ૧૪૮–૧૭. ઉત્ક્રુટિક. અહિં ‘ઉત્કટિક' વાંચવું. ઉત્કટિક=ઉભડક. વીરાસન. યોગી લોકો ધ્યાનનિમગ્ન અવસ્થાને વિષે શરીરને અમુક અમુક સ્થિતિમાં રાખે છે, બેસે છે એ સ્થિતિ posture ને ‘આસન' કહે છે. ( મા=બેસવું. એ ઉપરથી). એવાં ઘણી જાતનાં આસન છે. એમાંનું એક ‘વીરાસન' છે. પ્રભુની પ્રતિમાનું જે પ્રમાણેનું આસન દેવાલયમાં હોય છે તે ‘વીરાસન,' કે પર્યંકાસન કહેવાય છે બીજા આસનો ‘ભદ્રાસન,' ‘પદ્માસન' વગેરે છે. ૧૪૮-૨૫. અસ્થિ અને ચર્મ...ઈત્યાદિ. માત્ર હાડ અને ચામડી બાકી રહે ત્યાં સુધી તપશ્ચર્યા કરી કરીને શરીર ગાળી નાખવું. ૧૪૮-૨૭. અનશન. મૃત્યુ નજીક આવ્યું જાણી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો તે. (અન્ + અશન). ૧૪૯–૧૨. સિંહની પેઠે અને વળી કવચધારીની પેઠે. સિંહ જેટલું બળ, અને વળી શરીરે બખ઼ર-એમ બેવડા બળથી,' ૧૪૯-૧૬. વિદેહ. મહાવિદેહ ક્ષેત્ર. ૧૪૯-૧૭. પંચપરમેષ્ઠી. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી) ૨૮૭

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322