Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
વૃથા પગાર આપવો પડે. પણ તને શી બાબત આપવો.
૧૮૭-૧૬. બપોર પછીની છાયાની પેઠે. આપણી બપોર પછીની છાયા લાંબી લાંબી થતી જાય છે અને આગળને આગળ જ ચાલ્યા કરે છે એથી પકડાતી નથી, તેમ એ ચોર પણ પકડાતો નથી. ૧૮૯-૪. આરક્ષક. પોલીસના માણસો.
૧૮૯-૫. અપુણ્યરાશિ. જેની પાસે પૂર્વભવની પુણ્યરૂપી કમાણી કાંઈ ન હોય એવા; પુણ્યહીન.
૧૯૧-૩. વરને શ્લોકાદિ ઉત્તમ કાવ્યો પૂછવામાં આવે છે. અત્યારે ગુજરાતમાં આ રિવાજ પ્રચલિત છે.
૧૯૧–૧૫. સુરસ્વરૂપ પ્રતિપાદન કરનારી. દેવતાને ઓળખાવનારી. ૧૯૨-૧૧. ઈતર. (ઉચ્ચફળવાળા સિવાયના) બીજા; નિકૃષ્ટ
ફળવાળા.
૧૯૪-૨૩. વિષમેષુ. વિષમ-અસહ્ય ઈષુ-બાણ જેનાં છે એવો. ૧૯૪-૧૬. વિરતિને યોગ્ય થાઉં. વ્રત-દીક્ષા લેવાની યોગ્યતા મારામાં આવે ત્યારે.
૧૯૫-૧૭. નિષ્ક્રમણોત્સવ. નિષ્ક્રમણ-સંસારમાંથી નીકળી જવું એ વખતે અર્થાત્ દીક્ષા લેતી વખતે કરવામાં આવતો ઉત્સવ. ૧૯૬-૧. દ્રવ્યથી કૃશ. અત્યન્ત તપશ્ચર્યાને લીધે શરીરે કૃશ
દુર્બળ.
‘ભાવ' થી કૃશ. જેની સર્વ ઈચ્છાઓ-તૃષ્ણા આદિ કૃશ એટલે પાતળી પડી ગઈ છે, ઘટી ગઈ છે એવો.
૧૯૬-૩. ઉચ્ચ સંલેખના. મરણ સમયે મોક્ષની આરાધના કરવી તે; મોક્ષ પ્રાપ્ત કરવાની કરણિ કરવી તે.
૧૯૬-૩. પાદપોપગમન કરી. પડી ગયેલાં વૃક્ષ આદિ જેમ એક જ સ્થિતિમાં પડ્યા રહે છે તેમ પડ્યા રહી. (પાદપ-વૃક્ષ આદિની જેમ ઉપગમન કરી).
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૯૫