Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 312
________________ ૧૯૯–૧૪. ઉત્પત્તિની બુદ્ધિ. બુદ્ધિનો એક પ્રકાર છે. Presence of mind. ટહુકાર (મયૂરના); શબ્દો (રાજાના). ૨૦૦-૨૨. માસક્ષપક ચંડકૌશિક, મહિનાના ઉપવાસ કરનાર ચંડકૌશિક નાગ. એવી કથા છે કે એ નાગ લોકોને બહુ હેરાન કરતો હતો, પણ પાછળથી શ્રી વીરના પ્રતિબોધતી વૈરાગ્ય પામી માસક્ષમણ કરી મૃત્યુ બાદ જ્યોતિષ્ક દેવતા થયો હતો. (જો એણે વ્રત વિરાણું ન હોય તો એ એ કરતાં ચઢીયાતો વૈમાનિક દેવ થયો હોત.) ૨૦૦-૨૬. સિદ્ધિ હાથને વિષે જ છે. સિદ્ધિ-મોક્ષ નજીક જ છે–એ આÁક “ભવિ' જીવ છે. ૨૦૧૧. અદ્ધભાગ અદ્ધભાગોની સાથે...ઈત્યાદિ. અડધા અડધાઓની સાથે અને પાવલી પાવલીઓની સાથે જ ભળે છે. ૨૦૩-૧૩. કુમુદિની. કુમુદપુષ્પો. ચન્દ્રમાં અને આ જાતિનાં કમળોને અત્યન્ત રાગ છે. ચંદ્રોદય થયે એ કમળો પ્રફુલ્લિત થાય. છે. ૨૦૪-૨૪. ચકોર (જેમ ચન્દ્રમાના દર્શન ઈચ્છે છે). ચંદ્રમાના જ કિરણોનું પાન કરીને રહેવું કહેવાતું પક્ષીવિશેષ. ચંદ્રચકોરની પ્રીતિ સુપ્રસિદ્ધ છે. ૨૦૬૮. ધર્મને અર્થે કપટ કરવું સુંદર છે ! કોણ જાણે કયી અપેક્ષાએ ગ્રન્થકર્તાએ આ વાત કહી હશે-એ કંઈ સમજાતું નથી. શિષ્યપરંપરા વધારવાના મોહમાં ફસેલા અત્યારના સાધુનામધારી મહાત્માઓ અને એમને સહાય કરનારા ઉપાસક શ્રાવકો રખે આ વાક્યના બળપર એમની દલીલોનો પાયો ચણતા ! ધર્મને નામે અને ધર્મને માટે કહીને વર્તમાનમાં કોઈ કોઈ અયોગ્ય કાર્યો થતાં જોવામાં આવે છે એ કાર્યો તો સર્વથા વર્ય જ સમજવાં. એને આ વાક્યનું “જોર' મળી શકે નહિ. ૨૦૬-૨૧. દર્શન. જ્ઞાન, દર્શન અને ચારિત્ર-એ ત્રિકમાનું એક. ૨૦૬-૧૯. ઉન્નત ગુણસ્થાન. ઉંચુ ગુણસ્થાન. જુઓ પૃષ્ટ ૨૯ પં. ૧૫નું ટિપ્પણ. ચઢતે ચઢતે ગુણસ્થાને અવનતિનો અવકર્ષ થતો જાય છે અને ઉન્નતિનો ઉત્કર્ષ થતો જાય છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી) ૨૯૭

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322