Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સર્ગ પાંચમો) ૧૯૭-૫. નિમાળાથી યુક્ત. અહિં “નિમાળાથી ભરપૂર' વાંચવું.
૧૯૭-૧૪. નિન્દા મૂર્ખ જનોની...ઈત્યાદિ. અહિં “કુટ્ટન મુંઢાઓને વિષેજ હતું” એમ વાંચવું. મુંઢા એટલે વૃક્ષના ઢીમચાં એઓને જ કુટવા-કાપવા પડતા. (લોકોને વિષે છેદન, બન્ધન, કુટ્ટન કે નિપીડન-એમાંનું કંઈ પણ દુઃખ ન્હોતું.).
૧૯૭-૨૧. મહાપતિઓ નાસી જતા હતા. અહિં “મહીભૂતો પણ નષ્ટ થતા હતા” એમ વાંચવું. મહીભૂત (૧) રાજા, (૨) પર્વત. નષ્ટ થતા હતા (૧) નાશી જતા હતા, (૨) નાશ પામતા હતા.
૧૯૮-૧૬. રાવણને અને શિવને હતી તેવી મૈત્રી. જૈન માન્યતા અનુસાર રાવણ દઢ શ્રદ્ધાવાન સમકિતી શ્રાવક હતો. એવાને શિવની સાથે મૈત્રી કે પરિચય હોવાની વાત આ કાવ્યગ્રંથના કર્તા શા માટે અને કયા જૈનગ્રંથમાંથી લાવ્યા હશે?
૧૯૮-૨૧. કૃષ્ણલવણ, નિમ્નપત્ર આ બે વસ્તુને એના સ્કુટ અર્થમાં લઈએ તો તે કંઈ નવાઈની વસ્તુ તરીકે દૂર દેશાવર ભેટ મોકલવા જેવી કહેવાય નહિં. માટે એ બે કોઈ નવાઈની અમૂલ્ય વસ્તુઓ હોવી જોઈએ.
૧૯૮-૨૬. ચક્ર. (૧) ચક્રવાક પક્ષી (જેને, સૂર્ય હોય ત્યારે સંયોગરૂપ આનન્દ થાય); (૨) માંડળિક રાજાઓનું મંડળ.
૧૯૯–૧. વૃત. (૧) અન્ધકાર, (૨) વિરોધીઓ.
૧૯૮-૧૨. કાર્તિકેયની જેમ અપ્રતિહત શક્તિવાળો. શક્તિ (૧) સામર્થ્ય (૨) કાર્તિકેયનું એ નામનું શસ્ત્ર. અપ્રતિહત=જેને કોઈ હઠાવી ન શકે એવું. જુઓ:
માસી રૂવ પ્રતિદત: ક નામ રાજા” શ્રીમદ્ બાણભટ્ટની કાદમ્બરી પૃષ્ટ ૧. ૧૯૯-૧૧. શાશ્વતી. કાયમની, હમેશને માટે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૯૬