Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
રહ્યા છેબાહ. આ બાજુ
૧૫૦-૧૫. દ્વાદશાવર્ત વન્દન. જેમાં બાર “આવર્ત આવે છે એવું વન્દન. બે વખત “વાંદણા' બોલીને વંદન કરીએ છીએ એમાં અકેક “વાંદણા' માં ત્રણ ને ત્રણ છ “આવર્ત આવે છે એટલે બે વાંદણા” માં બાર “આવર્ત' આવ્યાં.
વંદનના ત્રણ પ્રકાર કહ્યા છેઃ- (૧) બે હાથ જોડીને, (૨) બે ખમાસમણા દઈને, (૩) બે વાંદણા બોલીને. આ ત્રીજું-તે દ્વાદશાવર્તી વંદન. જુઓ. “ગુરૂવંદનભાષ્ય' ની ગાથા પહેલી.
૧૫૦-૧૭. સંયમ તથા શરીરની નિરાબાધતા. શરીર બાધારહિત-સ્વસ્થ છે કે ? સંયમ પણ નિબંધિતપણે પળાય છે કે ?
૧૫૦-૨૦. માધ્યાબ્દિક જિનપૂજન. ત્રણ વખત પૂજન-અર્ચન કરવાનું કહ્યું છે:-પ્રાત:કાળે મધ્યાન્હ અને સંધ્યાકાળે.
૧૫૦-૨૧. અન્નપાનથી...પ્રતિલાભી. મુનિઓને અન્નપાન વહોરાવી.
૧૫૨-૯. પટ્ટરાણી સુસેનાંગજા. અહિં “સુસેનાંગજા વગેરે પત્નીઓ' એમ વાંચવું. શ્રેણિક રાજાની બ્લેન સુસેનાની અંગજાપુત્રીને અભયકુમાર પરણ્યો હતો. (ફઈની પુત્રીને પરણવાનો નિષેધ નહિ હોય.)
૧૫૨-૧૦. પરસ્પર શત્રુભાવરહિત...ઈત્યાદિ. ધર્મ, અર્થ અને કામને, પરસ્પર-માંહોમાંહે વિરોધ ન આવે એવી રીતે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૮૯