Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સર્ગ ચોથો
૧૫૪–૧. દંતવીણા વગાડવી. અતિશય ઠંડીને લીધે દાંત ધ્રુજે અને નીચેના દાંત ઉપલાની સાથે અથડાય તેથી વીણાની જેવો અવાજ થાય એને “દંતવીણા વગાડવી' કહે છે.
૧૫૪-૩. પરિરંભ. આશ્લેષ. શીતાપનોદ=શીત-થંડીને દૂર કરવી તે; હુંફ.
૧૫૫-૬. કાયોત્સર્ગ. કાયાની સર્વ ચેષ્ટાઓ રૂંધી, ઉભા રહી. ધ્યાન ધરવું. કર્મ ખપાવવાં. કર્મનો ક્ષેપ કરવો, કર્મનો ક્ષય કરવો.
૧૫૫–૧૬. પુર. (૧) નગર, (૨) શરીર.
૧૫૫–૧૬. જીવ કર્મપ્રકૃતિસહિત ઈત્યાદિ. પોતાની સમગ્ર ૧૫૮ પ્રકૃતિ સહિત આઠે કર્મ જીવની સાથે લાગેલા જ છે માટે જ્યાં જ્યાં એ જીવ સંચાર કરે ત્યાં ત્યાં કર્મપ્રકૃતિ સાથે જ હોય સાથે જ સંચાર કરે.
૧૫૫-૨૧. પ્રચ્છદપટ, ઓઢવાનું વસ્ત્ર. આપ્તજન. સમ્બન્ધી જન. મલીમસ. (૧) કૃષ્ણવર્ણા, શ્યામ. (૨) દુષ્ટ.
૧૫૭-૧૩. એક બાજુએ સિંહ ને બીજી બાજુએ નદી. આ “વ્યાવ્રતટી ન્યાય” કહેવાય.
૧૫૮-૨૫. દિવ્ય. શાસ્ત્રમાં અપરાધીની પરીક્ષા કરવા માટે અમુક શિક્ષાઓ (ordeals) કહેલી છે તે “દિવ્ય' કહેવાય છે. આવા “દિવ્ય વખતે પંચમ લોકપાળ એટલે રાજા હમેશાં સાક્ષી રહે છે–રાજાની હાજરી એવે વખતે હોય છે. સોમ, યમ, વરૂણ અને કુબેર એ ચાર લોકપાળ તો કહેવાય છે. રાજાને પાંચમો લોકપાળ (લોકોનું પાલન કરનાર) ગણાવ્યો.
૧૫૯-૨૧. સૌ પોતપોતાને અદ્વિતીય માને છે. અહિં “માણસા બીજો જ થઈ જાય છે–બદલાઈ જાય છે.” એમ જોઈએ. ૧૬૦-૧૯. રસયુકત. (૧) કરૂણા, હાસ્ય વગેરે રસયુક્ત-રસિક
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૦.