Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 292
________________ નથી, દેવોના વૃન્દ એની સમીપે બેઠાને બેઠા જ રહે છે. ૧૨૧-૮. ઐન્દ્ર વ્યાકરણ. પ્રભુને નિશાળે મોકલવામાં આવ્યા ત્યારે ત્યાં, પ્રભુમાં તો સર્વ વિદ્યાઓ વિદ્યમાન છે-એમ એના વિદ્યાગુરૂને બતાવવા માટે, ઈન્દ્ર સ્વર્ગથકી બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હતા; અને ગુરૂના દેખતાં કેટલાક પ્રશ્ન પ્રભુને પૂછયા હતા. એ પ્રશ્નોના ઉત્તર ગુરૂ પોતે પણ ન આપી શકયો અને પ્રભુએ તો સર્વ શંકાઓનું સઘ સમાધાન કર્યું. (પછી ઈન્દ્ર પોતાનું રૂપ પ્રકટ કર્યું હતું). એ વખતે જે પ્રશ્નોત્તરી થઈ હતી તેનો એક ગ્રંથ થયો, જેને “ઈન્દ્ર' ના નામ પરથી ઐન્દ્ર વ્યાકરણ કહેવામાં આવ્યું. ૧૨૧-૧૪. ગ્રીષ્મઋતુમાં જળાશયોમાં જળ વૃદ્ધિ પામે છે એમ. વાવ, કુવા વગેરેમાં ઉન્હાળામાં જળ ઉંચા આવે છે એ સુપ્રસિદ્ધ ૧૨૧–૧૮. જઘન્ય પદ. સૌથી ઉતરતું-સંસારી તરીકેનું પદ. કહેવાની મતલબ એ છે કે આપનો જન્મ થયો ત્યારથી, અને સંસારમાં હતા તે વખતે પણ, દેવતાઓ આપની સેવામાં હાજર ને હાજર હતા. (સંસાર ત્યજી સાધુ થયા એ એ કરતાં ચઢતું પદ. અને હવે કેવળજ્ઞાનના ધણી થયા છે એ એથી પણ ઉંચું-ઉત્કૃષ્ટ પદ). ૧૨૧-૧૩. સંગમક દેવ. આ સંગમક દેવે શ્રીવીરને અનેક પ્રાણાંત ઉપસર્ગો કર્યા હતા. ૧૨૨-૬. સર્વ કોઈની ભાષાને અનુસરતી વાણી. પ્રભુ દેશના આપે એ સૌ કોઈ–દેવ મનુષ્ય અને તિર્યંચ સુદ્ધાં પોતપોતાની ભાષામાં સમજી જાય એવી ભાષા પ્રભુની હોય. આ પણ પ્રભુનો એક અતિશય' અર્થાત ઐશ્વર્ય છે. ૧૨૨-૬. યોજન પર્યન્ત પ્રસરતી વાણી. એક યોજન સુધીમાં સંભળાય એવી વાણી પ્રભુની હોય. આ પણ એક “અતિશય.” ૧૨૩-૧૩. રાજા ગાયોનાં ટોળાં...ઈત્યાદિ. પૂર્વે એમ બનતું કે એક રાજાને બીજા પડોશના રાજાની સાથે શત્રુતા હોય તો એ રાજાના ગામની ગાયો સીમમાં ચરવા ગઈ હોય ત્યાંથી એને સ્થાને ન જવા દેતાં, રાજસેવકો મોકલી રૂંધીને-અટકાવીને વાળી લઈ જતા. એને “ધણ' અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી) ૨૭૭

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322