Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 293
________________ વાળી જવું કહેતા. (વાળી જનાર રાજા બળવાન ગણાતો, અને સામાવાળો એમાં પોતાનું અપમાન-અપકીર્તિ થઈ સમજતો. ગાયો જેવા નિર્દોષ અને વળી પવિત્ર પ્રાણીને માટે રાજાઓ પોતાનું શીર પણ આપવા તૈયાર થતા). ૧૨૫-૨૨. રસકૂપિકાનો પ્રયોગ. અહિં “રસકૂપિકાને વિષે પ્રવેશ’ એમ જોઈએ. રસકૂપિકા જેના સ્પર્શથી લોહ આદિ હલકી ધાતુઓ સુવર્ણ' થઈ જતી કહેવાય છે એવા રસની કુઈ. ૧૨૫-૨૨. રોહણાચળની ભૂમિનું ખોદવું. રોહણગિરિ નામનો પર્વત છે એમાંથી રત્નો મળી આવે છે. ૧૨૫-૨૨. નિમિત્ત-આદેશ. કોઈનું શુભ થવાનું છે કે અશુભ થવાનું છે એ પોતાના જ્ઞાનબળથી કહેવું. (નિમિત્તિકએવું જ્ઞાન ધરાવનાર.) ૧૨૫-૪. ઋદ્ધિવાન પુરૂષ ગામથકી નગરમાં...વગેરે. (ગામડામાં) માણસ પાસે પૈસો થાય એટલે ગામડું મૂકી શહેરમાં રહેવા આવે છે એમ. ૧૨૫-મનુષ્ય ભવનાં દુ:ખ. બુદ્ધદેવ પણ સંસારમાં સર્વત્ર કલેશ. જ જુએ છે - “Birth is sorrow, old age is sorrow, disease is sorrow, union with one whom we do not love is sorrow, separation from one whom we do love is sorrow; in short, our five bouds with the things of the earth are sorrow." ૧૨૬-૨૧. તલથકી શ્યામ મરી...વગેરે. તલ પણ કાળા અને મરી પણ કાળા. કહેવાનો ભાવાર્થ એવો છે કે સર્વત્ર સરખું જ છે, સ્વર્ગમાંએ એકાન્ત સુખ નથી. આપણામાં અત્યારે કહેવત છે કે “કોણ કાળું ને કોણ ગોરું ?' ૧૨૭-૨. અત્યદશા. કનિષ્ટ દશા. ૧૨૭–૩. અહિં. આ પૃથ્વી પર. ૧૨૭–૧૦. માળાની ગ્લાનિ...ઈત્યાદિ. માળા કરમાઈ જાય છે...વગેરે ગણાવ્યાં એ સ્વર્ગના દેવોને ચ્યવન એટલે મૃત્યુ સમયના ચિન્હો છે. ૨૭૮ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322