Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
વાળી જવું કહેતા. (વાળી જનાર રાજા બળવાન ગણાતો, અને સામાવાળો એમાં પોતાનું અપમાન-અપકીર્તિ થઈ સમજતો. ગાયો જેવા નિર્દોષ અને વળી પવિત્ર પ્રાણીને માટે રાજાઓ પોતાનું શીર પણ આપવા તૈયાર થતા).
૧૨૫-૨૨. રસકૂપિકાનો પ્રયોગ. અહિં “રસકૂપિકાને વિષે પ્રવેશ’ એમ જોઈએ. રસકૂપિકા જેના સ્પર્શથી લોહ આદિ હલકી ધાતુઓ સુવર્ણ' થઈ જતી કહેવાય છે એવા રસની કુઈ.
૧૨૫-૨૨. રોહણાચળની ભૂમિનું ખોદવું. રોહણગિરિ નામનો પર્વત છે એમાંથી રત્નો મળી આવે છે.
૧૨૫-૨૨. નિમિત્ત-આદેશ. કોઈનું શુભ થવાનું છે કે અશુભ થવાનું છે એ પોતાના જ્ઞાનબળથી કહેવું. (નિમિત્તિકએવું જ્ઞાન ધરાવનાર.)
૧૨૫-૪. ઋદ્ધિવાન પુરૂષ ગામથકી નગરમાં...વગેરે. (ગામડામાં) માણસ પાસે પૈસો થાય એટલે ગામડું મૂકી શહેરમાં રહેવા આવે છે એમ.
૧૨૫-મનુષ્ય ભવનાં દુ:ખ. બુદ્ધદેવ પણ સંસારમાં સર્વત્ર કલેશ. જ જુએ છે -
“Birth is sorrow, old age is sorrow, disease is sorrow, union with one whom we do not love is sorrow, separation from one whom we do love is sorrow; in short, our five bouds with the things of the earth are sorrow."
૧૨૬-૨૧. તલથકી શ્યામ મરી...વગેરે. તલ પણ કાળા અને મરી પણ કાળા. કહેવાનો ભાવાર્થ એવો છે કે સર્વત્ર સરખું જ છે, સ્વર્ગમાંએ એકાન્ત સુખ નથી. આપણામાં અત્યારે કહેવત છે કે “કોણ કાળું ને કોણ ગોરું ?'
૧૨૭-૨. અત્યદશા. કનિષ્ટ દશા. ૧૨૭–૩. અહિં. આ પૃથ્વી પર.
૧૨૭–૧૦. માળાની ગ્લાનિ...ઈત્યાદિ. માળા કરમાઈ જાય છે...વગેરે ગણાવ્યાં એ સ્વર્ગના દેવોને ચ્યવન એટલે મૃત્યુ સમયના ચિન્હો છે.
૨૭૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)