Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
અર્થે) ‘સોળ સંસ્કાર' કરવાના કહ્યા છે. એમાંનો આ એક સંસ્કાર છે. બીજા ષષ્ઠીજાગરણ, નામકરણ, ચૂડાકરણ, ઉપવીત...વગેરે છે.
૧૦૯. મેઘકુમારનો સમસ્યા વિનોદ. હાલની સ્ત્રીઓની વિદ્વત્તા, અરે ! ખરી કેળવણીના અભાવના જમાનામાં તો આપણે આવા વિનોદ આદિ પુસ્તકમાંથી વાંચીને જ સન્તોષ માની બેસી રહેવાનું છે. ક્યો રાજપુત્ર કે કહેવાતો ગૃહસ્થ પણ પોતાની પત્ની સાથે આવું ગોષ્ટીસુખ અનુભવતો હશે ? પૂર્વના આચાર્યોએ રાસ વગેરે કથાનુયોગના ગ્રંથોમાં અનેક અનેક સ્થળોએ નાયકનાયિકાના લગ્નની પ્રથમ રાત્રી વગેરે અવસરોએ આવા આનન્દજનક પ્રસંગો ચીતર્યા છે તે અત્યારની લક્ષાધિપતિઓની સંતતિ સુદ્ધાં વિકટ નિશાના ઘોર સ્વપ્ન જ સમજશે ? હા, લક્ષ્મી ! તારે સરસ્વતીની સાથે કયા ભવનું વેર હશે ! સરસ્વતી ! તારે પણ શું લક્ષ્મીની સપત્ની તરીકે જ જન્મારો કાઢવો છે ?
૧૧૪-૧૨. ગુરૂજન. વડીલ; માતપિતા, (અહિં) જ્યેષ્ટબન્ધુ નન્દિવર્ધન આદિ.
૧૧૪-૧૪. નિ:સંગ. ત્યાગી. પ્રભુતો ત્યાગી હતા પરન્તુ ઈન્દ્રમહારાજાએ વ્યવહારાનુસાર, એક દેવદૂષ્ય, જે એક લક્ષમૂલ્યનું હતું, તે પ્રભુને ખભે મૂક્યું હતું. એ મેળવવાની લાલસામાં એક બ્રાહ્મણ પ્રભુના વિહારમાં એમની પાછળ પાછળ ભમતો હતો. એ વાતની પ્રભુને ખબર પડી એટલે એમાંથી અરધું એ બ્રાહ્મણને આપી દીધું હતું. (બાકીનું અરધું પણ એના ભાગ્યે એને જ મળી ગયું હતું.)
૧૧૪-૧૫. અનન્ત વીર્યવાળા. શ્રી જિનભગવાનનાં ચાર વાનાં અનન્ત હોય છે. (૧) અનન્ત વીર્ય, (૨) અનન્ત જ્ઞાન, (૩) અનન્ત ચારિત્ર અને (૪) અનન્ત દર્શન.
૧૧૪-૧૬. ઉપસર્ગો. તિર્યંચ-અસુર આદિ કૃત કાયક્લેશ.
૧૧૪-૧૬. ઘાતિકર્મ. આઠ પ્રકારનાં કર્મમાં જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય અને અન્તરાય-એ ચાર ‘ઘાતિ' કહેવાય છે કેમકે એ આત્માના જ્ઞાન, દર્શન આદિ ગુણોનો ‘ઘાત' કરનારા છે (કેવળજ્ઞાન થવા દેતા નથી.)
૨૭૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)