Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 287
________________ સર્ગ ત્રીજો ૯૭–૨૦. ગંગાના પુલિન પ્રદેશ જેવી શય્યા. પુલિન પ્રદેશ એટલે રેતીવાળો કિનારો=Sand banks એમાં પગ મૂકતાં જેમ અંદર ઉતરી જાય તેમ, શય્યા પણ એવી નરમ કે શરીર અંદર પેસી જાય. ૯૯–૧૮. સુધર્મા. એ ઈન્દ્રની સભાનું નામ છે. ૯૯-૨૭. મેરૂની સન્મુખ કુલાચલો શોભે તેમ. આઠ કુલાચલોકુલપર્વતો કહ્યા છે:-પગ્નોત્તર, નીલવાન, સુહસ્તી, અંજનગિરિ, કુમુદ, પશાલ, વતંસ અને રોચન કે રોહણાગિરિ. જુઓ લોકપ્રકાશ સર્ગ ૧૮.૯૧. ધ્યાનમાં રાખવું કે આ આઠે મેરૂની સન્મુખ, મેરૂની અકેક વિદિશાએ બળે આવેલા છે. સાત વર્ષધર પર્વતો કહેવાય છે. એ જુદા. જુઓ પૃષ્ટ ૪, ટીકા ૨. ૧૦૦-૧૮. મેરૂપર્વતની ભૂમિની પેઠે. મેરૂપર્વતને ચાર વન છે તેમાં એક “નન્દન' વન છે. બીજા ત્રણ “ભદ્રશાળ,” “સૌમનસ' અને પાંડુ” છે. ૧૦૧-૫. અશોક વૃક્ષની જેમ દોહદ...ઈત્યાદિ. જુઓ પૃષ્ટ ૩૩ ની ફુટનોટ. ૧૦૧-૧૧. વૈભારગિરિ. રાજગૃહીની સમીપે આવેલો પર્વત. ૧૦૧-૨૭. તક્ષકનાગ. આ એક જાતના મહા ભયંકર નાગા છે. એના મસ્તકેથી “મણિ' લઈ લેવા જેવો મુશ્કેલ દોહદ. એવા હોટા ભયંકર નાગને મસ્તકે મણિ હોય છે અને એ, એઓ રાત્રીને સમયે ભક્ષ શોધવા નીકળે છે ત્યારે ચોદિશ પ્રકાશ પાડે છે એમ કહેવાય છે. ૯૮-૭. મેઘવૃષ્ટિથી કદમ્બ વૃક્ષ...ઈત્યાદિ. મેઘની ગર્જના થાય ત્યારે કદમ્બવૃક્ષને અંકુરો ફુટે છે એમ કહેવાય છે. ૧૦૩–૧૪. બાર બાર સૂર્યોપર વિજય...ઈત્યાદિ. એના દેહની કાન્તિ બાર સૂર્યોની એકત્ર કાન્તિ-તેજ-થી પણ અધિક હતી. હિન્દુ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧) ૨૭૨

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322