Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 288
________________ શાસ્ત્રકારોએ બાર સૂર્ય કહ્યા છે. એ બારે એકસાથે જગતના લય વખતે જ પ્રકાશતા કહેવાય છે. ૧૦૩-૧૫. ચરણ...નેત્ર...ઈત્યાદિ. દેવનાં આ ખાસ લક્ષણો છે. એનાથી એઓ ઓળખાઈ આવે છે કે એઓ દેવતા છે, મનુષ્ય નથી. દમયન્તીને સ્વયંવરમાં વરવા માટે જે વરૂણ આદિ દેવો નળનું રૂપ ધારણ કરીને આવેલા હતા એમને દમયન્તીએ એ જ લક્ષણોથી ઓળખી કાઢ્યા હતા. જુઓ નળાખ્યાન: साऽपशद्विबुधान् सर्वानस्वेदान् स्तब्धलोचनान् । ܀ ܀ ܀ भूमिष्टो नैषधश्वेव निमेषेण च सूचितः ॥ ૧૦૪-૧૩. પૂર્વ તરફનો વાયુ...ઈત્યાદિ. બીજાં કારણોની સાથે પૂર્વના વાયુનો સદ્ભાવ હોય ત્યારે જ મેઘવૃષ્ટિ થાય છે. ૧૦૪. જ્યાં જ્યાં પ્રસંગ ઉપસ્થિત થયો છે ત્યાં ત્યાં ઋતુઆદિનાં વર્ણનોરૂપ વિષયો, જે કાવ્યનાં અલંકાર ગણાય છે તે આ કાવ્યકાર આપવા ચૂકયા નથી. અહિં જેમ વર્ષાઋતુનું તેમ અન્યત્ર શિશિરઋતુનું, અને ગ્રીષ્મઋતુનું-એમ તાદૃશ વર્ણન આપ્યા છે. સ્ત્રી-પુરૂષોના સુંદર સ્વરૂપ પણ ઉત્તમ ચિત્રકારની પીછીથી ચીતર્યા છે. ૧૦૫–૧૪. મલિન મેઘ. કૃષ્ણવર્ણા-કાળા મેઘ; (કારણ કે પાણીથી ભરેલા). ૧૦૫-૧૬. હંસ પક્ષીઓ...ચાલી નીકળ્યાં. કારણકે વર્ષાઋતુ એમને પ્રતિકૂળ છે. (વર્ષાઋતુમાં હંસ સંતાઈ જાય છે અને મયૂરોનું બળ વધે છે. શરદમાં એથી ઊલટું બને છે). ૧૦૬-૭. વને વને કલ્પદ્રુમ હોય ? સરખાવોઃशैले शैले न माणिक्यं मौक्तिकं न गजे गजे । સાધવો નહિ સર્વત્ર ધનં ન વને વને ! સુભાષિત. ૧૦૬-૭. તિથિએ તિથિએ...ઈત્યાદિ. હંમેશા પુનમે હોય ? ૧૦૮-૧૪. સૂર્ય ચંદ્રનાં દર્શન કરાવ્યાં. શાસ્ત્રકારોએ (શુદ્ધિ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી) ૨૭૩

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322