________________
સર્ગ ત્રીજો
૯૭–૨૦. ગંગાના પુલિન પ્રદેશ જેવી શય્યા. પુલિન પ્રદેશ એટલે રેતીવાળો કિનારો=Sand banks એમાં પગ મૂકતાં જેમ અંદર ઉતરી જાય તેમ, શય્યા પણ એવી નરમ કે શરીર અંદર પેસી જાય.
૯૯–૧૮. સુધર્મા. એ ઈન્દ્રની સભાનું નામ છે.
૯૯-૨૭. મેરૂની સન્મુખ કુલાચલો શોભે તેમ. આઠ કુલાચલોકુલપર્વતો કહ્યા છે:-પગ્નોત્તર, નીલવાન, સુહસ્તી, અંજનગિરિ, કુમુદ, પશાલ, વતંસ અને રોચન કે રોહણાગિરિ. જુઓ લોકપ્રકાશ સર્ગ ૧૮.૯૧. ધ્યાનમાં રાખવું કે આ આઠે મેરૂની સન્મુખ, મેરૂની અકેક વિદિશાએ બળે આવેલા છે. સાત વર્ષધર પર્વતો કહેવાય છે. એ જુદા. જુઓ પૃષ્ટ ૪, ટીકા ૨.
૧૦૦-૧૮. મેરૂપર્વતની ભૂમિની પેઠે. મેરૂપર્વતને ચાર વન છે તેમાં એક “નન્દન' વન છે. બીજા ત્રણ “ભદ્રશાળ,” “સૌમનસ' અને પાંડુ” છે.
૧૦૧-૫. અશોક વૃક્ષની જેમ દોહદ...ઈત્યાદિ. જુઓ પૃષ્ટ ૩૩ ની ફુટનોટ.
૧૦૧-૧૧. વૈભારગિરિ. રાજગૃહીની સમીપે આવેલો પર્વત.
૧૦૧-૨૭. તક્ષકનાગ. આ એક જાતના મહા ભયંકર નાગા છે. એના મસ્તકેથી “મણિ' લઈ લેવા જેવો મુશ્કેલ દોહદ. એવા હોટા ભયંકર નાગને મસ્તકે મણિ હોય છે અને એ, એઓ રાત્રીને સમયે ભક્ષ શોધવા નીકળે છે ત્યારે ચોદિશ પ્રકાશ પાડે છે એમ કહેવાય છે.
૯૮-૭. મેઘવૃષ્ટિથી કદમ્બ વૃક્ષ...ઈત્યાદિ. મેઘની ગર્જના થાય ત્યારે કદમ્બવૃક્ષને અંકુરો ફુટે છે એમ કહેવાય છે.
૧૦૩–૧૪. બાર બાર સૂર્યોપર વિજય...ઈત્યાદિ. એના દેહની કાન્તિ બાર સૂર્યોની એકત્ર કાન્તિ-તેજ-થી પણ અધિક હતી. હિન્દુ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૭૨