Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
જુઓ : રિહર્તો ન હૈ યેદ્રાણાને સેવતાં ગુરુમ્
दैवज्ञं च विशेषेण फलेन फलमादिशेत् ॥ ૩૩-૧૨. દોહદ. ગર્ભ ધારણ કર્યા પછી સ્ત્રીને થતી વિવિધ ઈચ્છા.
૩૫-૨૧. કેન્દ્રસ્થાન. ગ્રહોનાં બાર સ્થાન કહ્યાં છે તેમાં પહેલું, ચોથે, સાતમું ને દશમું આટલા “કેન્દ્રસ્થાન' છે. મુખસ્થાનને વિષે= લગ્નને વિષે-સ્થિર લગ્ન. ગુરૂ બૃહસ્પતિ
૩૮-૧૦. કુન્દ પુષ્પ. આ પુષ્પ ઉજ્જવળતા માટે પ્રસિદ્ધ છે; જેવી રીતે ગાયનું દૂધ, દાડમ, ચંદ્રમાના કિરણો વગેરે “નિર્મળતા' ને માટે પ્રસિદ્ધ છે. (જુઓ. ૨૦–૩)
૩૮-૧૯. ઉત્પત્તિકી બુદ્ધિ. કોઈના પ્રશ્ન કે શંકાનો એકદમ તુરત ખુલાસો સુઝી આવવો તે Presence of Mind. ઉત્પત્તિકી, કાર્મણિકી, વૈનયિકી અને પારિણામિકી–એમ ચાર પ્રકારની બુદ્ધિ કહેવાય છે.
૩૮-૫. સમિતિ. જુઓ પૃષ્ટ ૭ ની ફુટનોટ ૩. ૩૮-૨૫. પાદ. (૧) કિરણ (૨) ચરણ.
૩૯-૨. પ્રજ્ઞાવિશાળા...વગેરે. આ ત્રણે ઉપમિતભવપ્રપંચકથાના પાત્રો છે. જેવી રીતે પ્રજ્ઞા (સમજણ) પુરૂષને આગમ પાસે લઈ જાય, (આગમ એટલે શાસ્ત્રનો પરિચય કરાવે).
૪૦-૨. શિવનો પિતા..કારણ કે શિવ કોનો પુત્ર છે તે કોઈ જાણતું નથી.
૪૦-૫. માતૃપૂત્રક, આ એક મહેણું છે. ફલાણી બાઈનો આ દીકરો છે એમ કહેવાતું નથી. બાપનું જ નામ લેવાય. એ ફલાણા ફલાણા ગૃહસ્થનો પુત્ર છે એમ કહેવું ઉચિત છે.
૪૨-૧૬. પુત્રીને શિખામણ દીધી. આની સાથે સરખાવો શકુન્તલાને સાસરે મોકલતાં કણ્વઋષિએ શિખામણ આપી હતી એ –
शुश्रूषस्व गुरून्कुरु प्रियसखीवृत्तिं सप्रनीजने भर्तृर्विप्रकृतापि रोषणतया मा स्म प्रतीपं गमः।
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૫૭