Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ત્યાં જળનો દુષ્કાળ, એટલે લોકો મલિન જેવાં રહે એમને “જળથી ન્હાઈ ધોઈ પવિત્ર થવાનું કહેવા સિવાય બીજો શો ઉપદેશ આપવાનો હોય ?
૭૧-૨૦. તેલીની જેવાં મલિન વસ્ત્ર. આ, ઢેઢક સાધુઓને અપેક્ષીને તો નહિં કહ્યું હોય?
૭૧-૨૨. નગ્ન રહી સંતાતા ફરનારા...વગેરે. આ, વળી દિગમ્બરી સાધુઓને અપેક્ષીને કહ્યું હોય એમ નથી લાગતું ?
૭૧-૨૩. શરીરે ભસ્મ અને મસ્તકે જટા...ઈત્યાદિ. આ. વાત પણ અન્ય મતના જોગીઓને અપેક્ષીને જ કરી જણાય છે.
૭૧-૨૪. સ્ત્રીઓની જેવું કટિવસ્ત્ર પહેરી...ઈત્યાદિ. આ. વાત પણ કૃષ્ણ ગોવાળીઆ'ને લક્ષીને કેમ ન કરી હોય ?
૭૩–૧૨. વિરૂપ. કદ્રપ.
૭૩–૧૮. ચંદ્રમા ભગ્ન થઈ ગયો છે. ભન=મનભંગ, નિરાશ.
બહુલપક્ષ (૧) બહોળોપક્ષ, સમ્બન્ધીવર્ગ; (૨) કૃષ્ણપક્ષ, અંધારીયું.
૭૩-૨૨. કોઈ બે લોકની સ્ત્રીઓ ઉપર. સ્વર્ગલોક, મૃત્યુલોક ને પાતાળલોક-એ ત્રણમાંના હરકોઈ બે લોક.
૭૩-૨૫. ઉદરપર ત્રણ રેખા...ઈત્યાદિ. સ્ત્રીઓને ઉદર પર ત્રિવળિ હોય, ત્રણ રેખા પડેલી દેખાય એ પણ એક સૌન્દર્ય ગણાય છે. જુઓ:- મધ્યેન ની વેલિવિત્નનમથ્યા વનિત્રયં વારુ વમાર વાત્રા | કુમારસંભવ ૧. ૩૯.
૭૩-૨૬. અતિકૃશ એવું ઉદર. અહિં “અતિકૃશ'ને બદલે કુશ' જોઈએ.
૭૩-૨૭. સ્થૂળતાથી કંઈ મળતું નથી....ઈત્યાદિ. સ્થૂળતા (૧) જાડાપણું, (૨) જાડી બુદ્ધિ, મૌખ્યું.
મધ્યસ્થતા. અથવા મધ્યમતા (૧) સાધારણત્વ, (૨) નિષ્પક્ષપાત. ૭૪-૨. કદલીવૃક્ષ. અહિં “કદલીથંભ' જોઈએ.
૭૪–૧. એના નિરન્તર ફળદાયી...ઇત્યાદિ. એના ઉરૂ અમુક બાબતમાં કદલીખંભ કરતાં ચઢી જાય છે માટે (સમાનતા નથી તેથી)
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૬૬