Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
આઠ આઠ વિજયો છે. એક આઠમાં એક “પુષ્કળાવતી' નામનો વિજય છે એમાં અત્યારે (વર્તમાન) શ્રીસીમંધરજિન વિચરે છે. બીજા આઠમાં એક “વત્સ’ નામનો વિજય છે એમાં વર્તમાનકાળે શ્રી બાહજિન વિચરે છે. ત્રીજા આઠમાં એક “નલિનાવતી' નામનો વિજય છે તેમાં શ્રી સુબાહુજિન અત્યારે વિચરે છે. ચોથા આઠમાં એક “વપ્ર' નામે છે એમાં હાલ શ્રી યુગંધરજિન વિચરે છે.
૬૯-૧. સંતતિ હોય એને ધન્યવાદ આપનારો મહા કવિ કાલીદાસનો નીચેનો સુંદર આકર્ષક શ્લોક ખાસ મનન કરવા લાયક છે -
आलक्ष्यन्तमुकुलाननिमित्तहासैरव्यत्त्कवर्णरमणीयवचःप्रवृत्तीन् । अंकाश्रयप्रणयिनस्तनयान्वहन्तो
धन्यास्तदंगरजसा मलिनीभवन्ति ॥ શંકુન્તલા નાટક, અંક ૩ ૧૭.
૬૯-૧૫. ભિન્ન ભિન્ન પ્રકારના રસ...ઈત્યાદિ. બજારપક્ષે રસ ઘી, તેલ, દૂધ આદિ રસ પ્રવાહી પદાર્થોનું સૂત્ર સૂતર; અર્થ દ્રવ્ય. અન્ત:કરણપક્ષે રસ લાગણી, ભાવ Sentiments; સૂત્ર=નિયમો, શાસ્ત્રના વાક્યો precepts; અર્થ શબ્દ કે વાક્યનો અર્થ meaning.
૬૯-૧૬. અનેક જાતિઓ. નગરપક્ષે બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ ચાર જાતિ-વર્ણ. તર્કશાસ્ત્રપક્ષે અમુક વર્ગના પદાર્થોનો વિશિષ્ટગુણ, જેથી એ વર્ગ બીજા વર્ગથી ભિન્ન ઓળખી શકાય જેમકે ગોત્ર, અશ્વત્વ આદિથી નો, મ આદિ ઓળખાય.
૭૦-૧. ખડગલતા ખારા ને ઉષ્ણજણથી સિંચાતી છતાં.... ઈત્યાદિ. લતા એટલે કોઈપણ વેલા ઉપર ખારું કે ઉષ્ણ જળ સિંચાયા છતાં ફળ આપે એમ કહેવું એ વિરોધ. પણ અહિં લતા એ એ રાજાની ખડગલતા-ખડગ-તલવાર છે. અને એ જળ એ શત્રુઓની સ્ત્રીઓનાં, પતિનો પરાજય થવાથી, નિસરેલાં અશ્રુજળ છે-જે ખારાં ને ઉષ્ણ હોય. સ્વાદિષ્ટ ને શીત ફળ-એ ચેદી રાજાએ શત્રુ પર મેળવેલા વિજયરૂપ ફળ. આમ વિરોધ શમાવવો.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૬૪