Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ગણાય. કેમકે એ બંને શુભ, માંગલ્યકારિ ગણાય છે. સ્વાતિ નક્ષત્રમાં તો મેઘજળના બિન્દુઓનાં સમુદ્રની છીપમાં મોતી બંધાય છે. વીત્યાં सागरशुक्ति संपुटगतं तज्जायते मौक्तिकम्।
૮૧-૨૧. સમુદ્રમન્થન સમયે...ઈત્યાદિ. વાત એમ છે કે એકવાર દેવોને અમૃતનો ખપ પડ્યો, પણ તે, સમુદ્રનું મન્થન કરે તો જ ઉપર તરી આવે એમ હતું. એટલે શ્રીકૃષ્ણ મન્દરાચળનો રવાયો કરી, અને વાસુકિનાગનું દોરડું કરી પોતે જ સમુદ્ર વલોવી અમૃત કાઢ્યું. પણ એ સમયે ત્યાં દૈત્યો પણ હાજર હતા એઓ એ (અમૃત) ઉપાડી ગયા હતા.
૮૩–૧૨. કમલિની=પદ્મિની. આ શબ્દ અહિં “કમળોની તલાવડી ના અર્થમાં છે. “કમળનો સમૂહ” એવો પણ એનો અર્થ થાય છે.
૮૩-૨૬. વાડવાનિવાળા સમુદ્રને વિષે લબ્ધિ હોય નહિં. વાડવાગ્નિ=સમુદ્ર તળે કલ્પેલો અગ્નિ. સમુદ્રમાં નદીઓના પાણી આવે પણ અંદર રહેલા અગ્નિથી શોષાઈ જાય એટલે “લબ્ધિ' એટલે લાભવધારો થાય જ નહિં.
૮૪–૧. ગાન્ધર્વ વિવાહ. આઠ જાતિના વિવાહ હિન્દુ શાસ્ત્રકારોએ ગણાવ્યા છે. બ્રાહ્મ, દૈવ, આર્ષ, પ્રાજાપત્ય, આસુર, ગાન્ધર્વ, રાક્ષસી અને પૈશાચ. એમાં ગાધર્વ વિવાહ કન્યા અને યુવકના પરસ્પરના પ્રેમ કે મનોવૃત્તિથી જ થાય છે. રૂછયાચો સંયો: ન્યાયાશ વરસ્થ ઘા (મનુસ્મૃતિ ૩. ૩૨.) એમાં કંઈ વિધિ-વિધાન હોતું નથી તેમ બાધવજનોના અનુમતિ પણ લેવાતી નથી. તેથપિ વીન્યવતી પ્રવૃતિઃ |
૮૪-૬. સુલતાનો વિલાપ અને રૂદન. સુલસા જેવી ધર્મિષ્ટ અને ભાવિની બળવત્તા સમજનારી પ્રથમ પંકિતની શ્રાવિકાને રૂદન કે વિલાપ હોય નહિં. પરંતુ અકથ્ય સંતાપજનક હૃયજ્વાળાને બહાર વિલાપ રૂપે માર્ગ ન મળે તો હદય શતધા ફાટી જાય. જુઓ ઉત્તરરામ ચરિત્ર અંક ત્રીજો:
पुरोत्पीडे तडागस्य परीवाहः प्रतिक्रिया।
शोकक्षोभे च हृदयं प्रलापैरेव धार्यते ॥ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૬૯