Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 284
________________ ગણાય. કેમકે એ બંને શુભ, માંગલ્યકારિ ગણાય છે. સ્વાતિ નક્ષત્રમાં તો મેઘજળના બિન્દુઓનાં સમુદ્રની છીપમાં મોતી બંધાય છે. વીત્યાં सागरशुक्ति संपुटगतं तज्जायते मौक्तिकम्। ૮૧-૨૧. સમુદ્રમન્થન સમયે...ઈત્યાદિ. વાત એમ છે કે એકવાર દેવોને અમૃતનો ખપ પડ્યો, પણ તે, સમુદ્રનું મન્થન કરે તો જ ઉપર તરી આવે એમ હતું. એટલે શ્રીકૃષ્ણ મન્દરાચળનો રવાયો કરી, અને વાસુકિનાગનું દોરડું કરી પોતે જ સમુદ્ર વલોવી અમૃત કાઢ્યું. પણ એ સમયે ત્યાં દૈત્યો પણ હાજર હતા એઓ એ (અમૃત) ઉપાડી ગયા હતા. ૮૩–૧૨. કમલિની=પદ્મિની. આ શબ્દ અહિં “કમળોની તલાવડી ના અર્થમાં છે. “કમળનો સમૂહ” એવો પણ એનો અર્થ થાય છે. ૮૩-૨૬. વાડવાનિવાળા સમુદ્રને વિષે લબ્ધિ હોય નહિં. વાડવાગ્નિ=સમુદ્ર તળે કલ્પેલો અગ્નિ. સમુદ્રમાં નદીઓના પાણી આવે પણ અંદર રહેલા અગ્નિથી શોષાઈ જાય એટલે “લબ્ધિ' એટલે લાભવધારો થાય જ નહિં. ૮૪–૧. ગાન્ધર્વ વિવાહ. આઠ જાતિના વિવાહ હિન્દુ શાસ્ત્રકારોએ ગણાવ્યા છે. બ્રાહ્મ, દૈવ, આર્ષ, પ્રાજાપત્ય, આસુર, ગાન્ધર્વ, રાક્ષસી અને પૈશાચ. એમાં ગાધર્વ વિવાહ કન્યા અને યુવકના પરસ્પરના પ્રેમ કે મનોવૃત્તિથી જ થાય છે. રૂછયાચો સંયો: ન્યાયાશ વરસ્થ ઘા (મનુસ્મૃતિ ૩. ૩૨.) એમાં કંઈ વિધિ-વિધાન હોતું નથી તેમ બાધવજનોના અનુમતિ પણ લેવાતી નથી. તેથપિ વીન્યવતી પ્રવૃતિઃ | ૮૪-૬. સુલતાનો વિલાપ અને રૂદન. સુલસા જેવી ધર્મિષ્ટ અને ભાવિની બળવત્તા સમજનારી પ્રથમ પંકિતની શ્રાવિકાને રૂદન કે વિલાપ હોય નહિં. પરંતુ અકથ્ય સંતાપજનક હૃયજ્વાળાને બહાર વિલાપ રૂપે માર્ગ ન મળે તો હદય શતધા ફાટી જાય. જુઓ ઉત્તરરામ ચરિત્ર અંક ત્રીજો: पुरोत्पीडे तडागस्य परीवाहः प्रतिक्रिया। शोकक्षोभे च हृदयं प्रलापैरेव धार्यते ॥ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી) ૨૬૯

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322