Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સર્ગ બીજી | ૪૮-૨૨. ચાર વિધાઓ. (૧) આન્વીક્ષિકી, (૨) ત્રયી, (૩) વાર્તા અને (૪) દંડનીતિ; જો કે સાધારણતઃ તો વિદ્યાઓ ચૌદ ગણાય છે. પણ આપણે આપણાં (૧) દ્રવ્યાનુયોગ, (૨) ચરણકરણાનુયોગ, (૩) ગણિતાનુયોગ અને (૪) કથાનુયોગ છે એ જ ચાર વિદ્યા લઈએ.
૪૮-૮. ગુલ્ફ. ઘુંટી.
૪૮-૧૪. કેશના ગુચ્છને ધારણ કરનારું ઉર:સ્થળ, વિષ્ણુને ઉર:સ્થળ પર એટલે છાતીએ વાળનો ગુચ્છ હતો, જે “શ્રીવત્સ” કહેવાય છે. આ અભયને પણ એવો જ ગુચ્છ છે એમ કહીને કવિ એને પૂર્ણ ભાગ્યશાળી લેખે છે.
૪૮–૧૭. જાનુપર્યન્ત દીર્ઘ બાહુ. જાનુ એટલે ગોઠણ સુધી પહોંચતા હાથ હોવા એ મહાપુરૂષનું એક લક્ષણ છે.
૪૮-૨૩. બિમ્બફળ સદશ ઓષ્ટ. બિમ્બફળ=એક જાતના વૃક્ષનું ફળ. એ જ્યારે પરિપકવ હોય છે ત્યારે એનો વર્ણ લાલ થાય છે. સાધારણતઃ સ્ત્રીઓના ઓષ્ટને એની ઉપમા અપાય છે.
૪૯-૬. કીર્તિની યષ્ટિ. કીર્તિરૂપી છડી Mace.
૪૯–૧૪. વિમર્શ. વિચાર. પ્રકર્ષ. બુદ્ધિનો ઉત્કર્ષ. બુધ્ધિ એટલે સરસ્વતી તો કુમારિકા હોવાથી એને સંતતિ હોય નહિં, અને આ બંને એનાં નિકટનાં-સંતતિ જેવાં જ; માટે એમને એના ભ્રાતૃસુત-ભત્રીજા કલવ્યા હશે.
૪૯-૨૩. જળભર્યા ભાદ્રપદના મેઘના જેવો ગંભીર સ્વર. સરખાવો-અમદે નર્નામૃતમે સ્તનતમીરમાંલત્નઃ યુકતોન્વેષ ભારતનિષા (ઉત્તરરામ ચરિત્ર અંક).
૪૯-૨૧. મંત્રશક્તિ. રાજાની ત્રણ પ્રકારની શક્તિ કહેવાય છે? (૧) પ્રભુત્વ શક્તિ (પોતાના પ્રભુત્વ-સર્વ શ્રેષ્ઠ પદવીરૂપી શક્તિ). (૨) મંત્રશક્તિ, મંત્રણાશક્તિ (સાચી સલાહરૂપ, સુવિચારપૂર્વક કાર્ય કરવારૂપ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૫૯