Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 274
________________ સર્ગ બીજી | ૪૮-૨૨. ચાર વિધાઓ. (૧) આન્વીક્ષિકી, (૨) ત્રયી, (૩) વાર્તા અને (૪) દંડનીતિ; જો કે સાધારણતઃ તો વિદ્યાઓ ચૌદ ગણાય છે. પણ આપણે આપણાં (૧) દ્રવ્યાનુયોગ, (૨) ચરણકરણાનુયોગ, (૩) ગણિતાનુયોગ અને (૪) કથાનુયોગ છે એ જ ચાર વિદ્યા લઈએ. ૪૮-૮. ગુલ્ફ. ઘુંટી. ૪૮-૧૪. કેશના ગુચ્છને ધારણ કરનારું ઉર:સ્થળ, વિષ્ણુને ઉર:સ્થળ પર એટલે છાતીએ વાળનો ગુચ્છ હતો, જે “શ્રીવત્સ” કહેવાય છે. આ અભયને પણ એવો જ ગુચ્છ છે એમ કહીને કવિ એને પૂર્ણ ભાગ્યશાળી લેખે છે. ૪૮–૧૭. જાનુપર્યન્ત દીર્ઘ બાહુ. જાનુ એટલે ગોઠણ સુધી પહોંચતા હાથ હોવા એ મહાપુરૂષનું એક લક્ષણ છે. ૪૮-૨૩. બિમ્બફળ સદશ ઓષ્ટ. બિમ્બફળ=એક જાતના વૃક્ષનું ફળ. એ જ્યારે પરિપકવ હોય છે ત્યારે એનો વર્ણ લાલ થાય છે. સાધારણતઃ સ્ત્રીઓના ઓષ્ટને એની ઉપમા અપાય છે. ૪૯-૬. કીર્તિની યષ્ટિ. કીર્તિરૂપી છડી Mace. ૪૯–૧૪. વિમર્શ. વિચાર. પ્રકર્ષ. બુદ્ધિનો ઉત્કર્ષ. બુધ્ધિ એટલે સરસ્વતી તો કુમારિકા હોવાથી એને સંતતિ હોય નહિં, અને આ બંને એનાં નિકટનાં-સંતતિ જેવાં જ; માટે એમને એના ભ્રાતૃસુત-ભત્રીજા કલવ્યા હશે. ૪૯-૨૩. જળભર્યા ભાદ્રપદના મેઘના જેવો ગંભીર સ્વર. સરખાવો-અમદે નર્નામૃતમે સ્તનતમીરમાંલત્નઃ યુકતોન્વેષ ભારતનિષા (ઉત્તરરામ ચરિત્ર અંક). ૪૯-૨૧. મંત્રશક્તિ. રાજાની ત્રણ પ્રકારની શક્તિ કહેવાય છે? (૧) પ્રભુત્વ શક્તિ (પોતાના પ્રભુત્વ-સર્વ શ્રેષ્ઠ પદવીરૂપી શક્તિ). (૨) મંત્રશક્તિ, મંત્રણાશક્તિ (સાચી સલાહરૂપ, સુવિચારપૂર્વક કાર્ય કરવારૂપ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી) ૨૫૯

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322