Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
भूयिष्टं भव दक्षिणा परिजने भाग्येष्वनुत्सेकिनी गान्त्येवं गृहिणीपदं युवतयो वामाः कुलस्याधयः ॥
શકુન્તલા નાટક અંક ૪-૧૭. ૪૩–૯. ગુણ. (૧) સગુણ, (૨) દોરી.
૪૩–૧૭. શિવવાસ. મોક્ષ મુનિ. કવિજનો મોક્ષને મુક્તિનગરી, મુક્તિવધુ, શિવવધુ-એવાં એવાં અલંકારિક નામો આપે છે.
૪૩-૨૧. માર્કંડઋષિ. એ એક મોટા ઋષિ થઈ ગયા. એમણે એક પુરાણ રચ્યું છે જે એમના નામથી “માર્કડેય પુરાણ” કહેવાય છે.
૪૩-૨૬. શું અહિં ગોળ વહેંચાય છે ? પૂછનાર બાળક એટલે એને ગોળ કે એવી મિષ્ટ વસ્તુ વહાલી હોય એટલે એ જ યાદ આવે.
૪૪-૨૩. કળા. (૧) સામર્થ્ય, હિકમત; (૨) ચંદ્રમાની કળા digit “કળા' નો એક ત્રીજો અર્થ પણ થાય છે તે માટે જુઓ પૃષ્ટ ૫ ની નોટ ૮.
૪૫–૨૯. રાજાએ અભયને પુત્રની જેમ...ઈત્યાદિ. દુષ્યન્ત રાજાને પણ પોતાના પુત્ર અરિદમનને ઓળખ્યા સિવાય પણ જોતાંવેત थाय छ । किं नु खलु बालऽ स्मिन्नौरसे इव पुत्रे स्निह्यति मे मनः ॥ શકુન્તલા નાટક અંક ૭ મો.
૪૬-૧૭. ભદ્રહસ્તિ. અમુક જાતિના હસ્તિઓ “ભદ્રહસ્તિ' કહેવાય છે. એ હતિ જે રાજ્યમાં હોય એ રાજ્ય સદા કુશળ રહેતું કહેવાય
૪૬-૨૦. કમલિની પશ્રને જન્મ આપે. કમલિની-તળાવડી કમળને ઉત્પન્ન કરે તેમ.
૨૫૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)