Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
તો આÁકકુમાર બમણો ઉત્સાહમાં આવ્યો; કારણ કે પોતાને ઉત્કંઠા. તો હતી જ ત્યાં વળી મયૂરે પણ સંલાપ કર્યો. તેથી તેણે સંભ્રમ સહિત શ્રેણિકરાજાના સચિવને કાનમાં કહ્યું- હે મંત્રીશ્વર ! તમે મને કહ્યા સિવાય જશો નહીં. શ્રેણિકરાજાના મંત્રીએ આÁકકુમારનું કહેવું કબુલ રાખ્યું; કારણ કે સુંદર કાર્યમાં કોણ સહાય ન આપે ? પછી રાજાની સારી રીતે આગતા સ્વાગતા પામેલો એ સચિવ પ્રતિહારે બતાવેલા આવાસને વિષે જઈ રહ્યો; કારણ કે જેમના સ્વામી સામર્થ્યવાનું હોય છે એવા સ્વામીના સેવકો પણ સારો સત્કાર પામે જ છે.
એકદા (થોડા દિવસો ગયા પછી) આકરાજાએ એને મુક્તાફલાદિક આપીને પોતાના માણસ સાથે એને દેશ મોકલ્યો. એ વખતે આદ્રકકુમારે પણ શ્રેણિકરાજાના મંત્રીને કહ્યું-અરે ભાઈ ! તમે મારીવતી અભયકુમારને એટલું કહેજો કે-હે બુદ્ધિધન ! દશરથ જેવી રીતે ઈન્દ્રની સાથે, તેવી રીતે આÁકકુમાર દૂર રહેલા એવા પણ તમોની સાથે મૈત્રી કરવા ઈચ્છે છે.” એ પ્રમાણે સંદેશો કહીને જાણે ભવિષ્યમાં ગુરુ થનારા અભયકુમારનો પહેલાંથી જ સત્કાર કરવાનું હોય નહીં એમ એને મુક્તાફળ પ્રમુખ આપીને એણે વિસર્જન કર્યો. પછી એ બંનેએ રાજગૃહનગરે જઈને આર્દિકરાજાએ આપેલી સર્વ વસ્તુ શ્રેણિક મહીપતિને અર્પણ કરી. પેલા સચિવે પણ આદ્રકકુમારે આપેલી શ્રેષ્ઠ ભેટની વસ્તુઓ અભયકુમારને આપીને તેનો સંદેશો કહ્યો.
એ સાંભળી જિનશાસનનો જાણ એવો અભયકુમાર વિચારવા લાગ્યો. આ આÁકપુત્રે નિશ્ચયે પૂર્વ જન્મને વિષે સંયમ પાળ્યું હશે; પણ પોતાનું સાધુપણું વિરાધ્યાથી એ, માસક્ષપક ચંડકૌશિક જ્યોતિષ્કને વિષે ઉત્પન્ન થયો હતો તેમ કેવળ અનાર્યોને વિષે ઉત્પન્ન થયો છે. આ ભાગ્યભાજન આÁકને હવે સિદ્ધિ નિશ્ચયે હાથને વિષે જ છે; કારણ કે અભવિ કે દુરભવિ જન કદિ પણ મારી મિત્રાચારી ઈચ્છતો નથી. વળી નિશ્ચયે સમાન શીલ-ધર્મ-ચેષ્ટિત અને–વયવાળા પ્રાણીઓને જ સદા
૧. મહિનાના ઉપવાસ કરનાર.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૦૦