Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
શ્રી નાભિરાયસુત આદિજિનેશદેવ. પતિની આવી ઉત્તમ પાદપૂર્તિ સાંભળી હર્ષ પામી પ્રિયાઓએ કહ્યુંહે નાથ ! હવે આપ પૂછો.
એટલે કુમારે પૂછ્યું“જન સરવે શું ઈચ્છે, સજ્જિત ચાપે સુભટ શું આરોપે ? શાનો “ગૃહ' પર્યાયી, સત્ત્વવાન શું પરને નવ સોંપે ?”
આ “ચલબિંદુક સમસ્યા સમજાવો.” એટલે રાજકુમારીઓએ પણ ક્ષણવાર વિચાર કરીને કહ્યું- હે આર્યપુત્ર ! સમજાયું. આપના પ્રશ્નનો ઉત્તર “શરણગ” એ ચાર અક્ષરના શબ્દમાં આવી જાય છે, વળી પ્રિયાઓનો પૂછવાનો વારો આવ્યો એટલે એમણે પૂછ્યું :
અંકુરો ઉપજે શાથી ? દેવનું વળી ભોજ્ય શું ? નારી પતિવ્રતા કેવા સ્વામીને કહો ઈચ્છતી ? ધ્યાવે તથા મુનીન્દ્રો શું સદા તન્મય મન કરી ? નાથ ! ધો એહ ચારેનો, એક શબ્દ જ ઉત્તર. ૪
એ સાંભળીને કુમારે તરત જ ઉત્તર આપ્યો-અમૃત. વળી પણ. તેણે પ્રશ્ન કર્યો :
“રવિ કો' શું વિસ્તારે પ્રાતઃ સઘળે પ્રકાશને કરતી ? જિનપતિમુખઅંભોજે કોણ રહે ભવિજનમન ઉપદિશતી ? નદી ગંગા-ઉલ્લંઘી પાર ગયા એ કહો કૃષ્ણ કેવા ? ચૈત્યરક્ષણે કોને અષ્ટાપદ પર સગરપુત્ર લાવ્યા ?” આ “વ્યસ્તસમસ્ત' સમસ્યાનો તેની સ્ત્રીઓએ ઉત્તર આપ્યો-ભા
૧. સર્વે શું ઈચ્છે ? આ એટલે સુખ. તૈયાર કરેલા ચાપ-ધનુષ્ય પર શું આરોપે ? શર બાણ. વળી ગૃહ શબ્દ શાનો પર્યાયી છે ? શRUT નો (RUT શબ્દનો અર્થ “ગૃહ” પણ થાય છે.) સત્ત્વવાન પુરુષ સામાને શું ન સોંપે ? શરVIRI એટલે શરણે આવેલ (પ્રાણી).
૨. અમૃત (૧) જળ (૨) અમૃત ભોજન (૩) અમર (૪) મોક્ષ. ૧૧૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)