Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ખેદ પામ્યો. લાલચોળ નેત્ર કરી લલાટને વિષે ભ્રકુટી ચઢાવી, હોઠ ફફડાવતો એ કોપ કરીને કોટવાળને કહેવા લાગ્યો (કારણ કે શીતળતા જ કેવળ સિદ્ધિ આપનારી નથી).
રાજાએ કહ્યું-અરે ! તું કંઈ તારું અહીં લેણું મૂકી ગયો છે; અથવા કોઈને અન્તરાળે તેં તે કંઈ મને તારો જામીન કર્યો છે, અથવા તું કંઈ મારો પિત્રાઈ થઈને આવ્યો છે, અથવા કંઈ ભાણેજ કે જમાઈ છો જેથી આ પ્રમાણે વૃથા મારો પગાર ખાય છે ? કારણ કે તારી ઉપેક્ષાને લીધે રાજાના માણસો નિ:પુત્રનું (વાંઝીયાનું) ઘર લુંટે તેમ, ચોરલોકો નગરને લુંટે છે. તેં તે અમને શું નિઃસત્ત્વ ધાર્યા કે તું અમારો કંઈ ભય જ રાખતો નથી ? અપરાધ માલમ પડશે તો કોપને લીધે
અમે તને શિક્ષા કરશું.” એ સાંભળીને કોટવાળે નમીને રાજાને કહ્યુંહે નરપતિ ! સર્વ ચોરોને વિષે અગ્રેસર એવો પેલો રૌહિણેય ચોર છે એ નજરે પડે છે છતાં પણ, આ પૃથ્વી પરના ઈન્દ્ર-કેસરિસિંહની પેઠે એ પકડાતો નથી. વીજળીના ઝબકારાની જેમ કુદકા મારીને તે શાળા-ઘર કે બજારને ઉલ્લંઘીને જતો રહેછે અને તેથી જ તે આપણી પોતાની બપોર પછીની છાયાની પેઠે પકડી શકાતો નથી. માટે કૃપા કરી આ મારું કોટવાળપણું આપ પાછું લો; મારે એ જોઈતું નથી. જેનાથી એ સચવાય તેને એ આપો.”
પછી રાજાએ ભ્રકુટીના ઉલ્લાસથી સંજ્ઞા કરેલા અભય-મંત્રીશ્વરે કોટવાળને કહ્યું-તમે ખેદ ન કરો; હમણાં જઈને હસ્તિ-અશ્વ આદિ સૈન્યને સજ્જ કરીને નગર બહાર લાવો. પછી જ્યારે એ ચોરને નગરને વિષે પ્રવેશ કરતાં તમે જુઓ ત્યારે, અજાના લોભને લીધે હાથી અંદર ગયા પછી યંત્રમંદિરને ઘેરી લેવામાં આવે છે તેમ, તમે આદરથકી નગરની આસપાસ ફરી વળજો. તેથી કટકને જોઈને ત્રાસ પામેલો એવો એ, જળના મોજાના વેગથકી ઉછાળેલો મત્સ્ય ક્ષણમાત્રમાં સમુદ્રના તટ પર જ પડે છે તેમ, તરત જ નગરની બહાર પડશે. એટલે તમે પછી જાળને વિષે મૃગને પકડવામાં આવે છે તેમ એને પકડી લેજો.” એ સાંભળી “બહુ સારું” એમ કહી એમનું વચન અંગીકાર કરી કોટવાળ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૮૭