Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સ્થળ “નદ' એટલે સમુદ્ર છે. (૪) હિમાગમે એટલે શિયાળામાં કંપશીત (ઠંડી)ને લીધે ધ્રુજવાનું છે. પછી કુમારની સ્ત્રીઓએ વધારે વિષમ સમસ્યા પૂછી :
સમર્ણાર્થી કયો શબ્દ કો' કંઠતણું શું નામ ? પત્રવાચિ પદ શું ? કરે કોણ કણવર્ધન કામ ? ૧ એક નરનાથવિશેષ કયો ? કયો કો' શબ્દ મધૂર ? નૃપજયહેતુ કોણ ? શો બુમ્ન–અર્થ લાહો ઊર ? ૨ વિષ્ણુ-રોગ-ને તાત-નુંએક અવ્યયનું નામ નીકળે આ સમસ્યા થકી;
અંતિમ “લ” તણું ઠામ. ૩ ક્ષણમાત્ર વિચાર કરી કુમારે આનો ઉત્તર આપ્યો : અગદજનકબતä. (૧) “અલ’ શબ્દ: સંસ્કૃતમાં સમર્થ અર્થમાં વપરાય છે. (૨) ગલ કંઠ (ગળું) (૩) દલ દળ એટલે પત્ર કે પાંદડું. (૪) જળ ધાન્યનીપજાવે છે. (૫) એક રાજા નળરાજા. (૬) “કલ' શબ્દનો અર્થ મધુર થાય છે. (૭) બળ=સૈન્ય. (૮) બુઘ્ન એ તળ એટલે તળીઆનું નામ છે. વળી “અગદ જનકબતલ'માં “અ” એ “વિષ્ણુનું નામ છે; “ગદ' એ “રોગ’નું નામ છે; “જનક' એટલે “પિતા” થાય છે; “બત' એ એક (સંસ્કૃત) અવ્યય છે; અને છેલ્લો અક્ષર “લ' છે.
કુમારે આમ સમસ્યા પૂરી એટલે એની સ્ત્રીઓ બોલી- અહો ! આપનો મતિવૈભવ બૃહસ્પતિને પણ જીતી લે એવો છે; આપની આ બુદ્ધિ ઉત્કૃષ્ટ-સર્વ કરતાં ચઢે એવી છે-અલૌકિક છે; તેથી જ આપ અમારી વિષમ સમસ્યા સમજી શક્યા છો. હવે, હે સ્વામિનાથ ! આપ કંઈ વિશેષ વિષમ હોય એવું પૂછો.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૧૨