Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
(પ્રભા), ગીર (વાણી-સરસ્વતી), રથી (રથવાળા-રથને હાથમાં લઈને ગંગાનદી તરી ગયા હતા એ. ભાગીરથી (ગંગાનદી).
વળી સ્ત્રીઓએ પ્રશ્ન કર્યો :
પ્રિય ! સાગરની પુત્રી કોણ ? કહો વળી મેઘ હોય કેવા ? ચરણપ્રતિષેધાર્થી પંચાક્ષરથી બન્યા શબ્દ છે કયા ? સર સુંદર કયું કે'વું ? ધનેશ નર કયો કો' આ જગમાંહિ ? એ પાંચે પ્રશ્નોનો એક શબ્દમાં ઉત્તર ધો સ્વામી.
એ સમસ્યા સાંભળી ક્ષણવાર મનન કરી સમજી જઈ કુમારે એનો ઉત્તર આપ્યો-પદ્માકર. (૧) પદ્મા=લક્ષ્મી, એ સાગર (સમુદ્ર)માંથી નીકળી છે માટે એની પુત્રી કહેવાય છે. (૨) પદ્માકર. પદ્મા એટલે લક્ષ્મી અર્થાત્ દ્રવ્ય-એના આકર (ખાણ) રૂપ. મેઘ દ્રવ્યની ખાણ છેસર્વ સંપત્તિ મેઘ (-વૃષ્ટિ) ઉપર આધાર રાખે છે. (૩) પદ્માકર = પ+મા+કર. આમાં પાંચ અક્ષરો છે એ ચરણને પ્રતિષેધ કરનારા છે. (૪) પદ્માકર = પદ્મ + આકર = કમળ પુષ્પોના સમૂહવાળું. પુષ્કળ કમળો હોય એવું સરોવર સુંદર કહેવાય. (૫) પદ્માકર = પદ્મ + આકર. ‘પદ્મ' એ એક મોટી સંખ્યા છે. એટલે એક પદ્મ દ્રવ્યવાળો હોય એ આ પૃથ્વી પર ધનેશ્વર એટલે કુબેર કહેવાય.
કુમારે સમસ્યા પૂરી એટલે એની ઉત્કૃષ્ટ બુદ્ધિની પ્રશંસા એની સ્ત્રીઓએ કરી.
પછી કુમારે સમસ્યા પૂછી
:
નીપજાવે કો ધાન્યને ? ગમનહેતુ કયો હોય ? નિર્ભય ગૃહ કયું મત્સ્યનું ? હિમાગમે શું જોય ?
એનો ઉત્તર એની સ્ત્રીઓએ બરાબર વિચાર કરીને આપ્યો :કંપનદ. (૧) ‘કં' એટલે જળ ધાન્યને નીપજાવે છે. (૨) પદ એટલે ચરણ જવા આવવામાં હેતુ એટલે સહાયક છે. (૩) મત્સ્યોનું નિર્ભય અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૧૧