Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
તને ધન્ય શિષ્યા થઈશ જાણીએ છીએ મારી પ્રભુતા પહદ્ધરી શકતા
હિંસા આદિને વિષે મગ્ન પ્રાણીઓનું તો શું જ થતું હશે ?
માટે હવે તો હું દુઃખરૂપી વનને બાળીને ભસ્મ કરનારું એવું ચારિત્ર જ ગ્રહણ કરું” એમ હર્ષસહિત વિચાર કરીને રાણીએ રાજા પાસે દીક્ષાને માટે રજા માગી; અથવા તો મહંતજનોનું ચિંતવન સંધ ફળીભૂત થાય છે. મારું ઐહિક જીવન આપના પ્રસાદથી જ હતું; હવે મને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે માટે હે પ્રાણનાથ ! હું હવે આવતા. ભવને સાધીશ; કારણ કે સત્સંગ છે તે ઉભય લોકને સાધનારો છે. કૃપા કરીને મને રજા આપો કે જેથી હું સત્ર શ્રી વીર ભગવાન પાસે જઈને મોક્ષસુખ પ્રાપ્ત કરાવનારી એવી દીક્ષા ગ્રહણ કરું; કારણ કે શક્તિ હોય છતાં કયો માણસ પોતાના બંધનને નથી તોડતો ?
રાજાએ કહ્યું-“જેનાં બુદ્ધિરૂપ નેત્ર ઉઘડ્યાં છે એવી હે સ્ત્રી, તને ધન્ય છે. તું પૃથિવીને વિષે પુણ્યનું ભાજન છે; કારણ કે તું શ્રી વીરપ્રભુની શિષ્યા થઈશઃ અથવા તો કલ્પદ્રુમની ચાકરી પણ કોને મળે છે ? અમે “સત્ય શું છે'એ જાણીએ છીએ છતાં પણ પાપાચરણ ત્યજતા. નથી. કાળભોગના નશ્વરપણાને લીધે અમારી પ્રભુતા પણ ક્ષણિક છે. અમે વાડા થકી વૃદ્ધ આખલાની જેમ પાપ થકી આત્માને ઉદ્ધરી શકતા નથી. હે સુંદરિ ! તારા વિઘ્ન દૂર થાઓ અને તું તારું મનવાંછિત સારી રીતે સાધ. એમ કહીને ભૂપતિએ તેણીને રજા આપી. કારણ કે એ વિષ્ણુની પેઠે, દિક્ષા લેવાને ઉત્સુક એવા જનને નિષેધ કરતો નહીં. પછી રાજાએ સુંદર મહોત્સવ આદરાવ્યો અને રાણીએ પ્રણયિજનને પ્રમોદ આપનારું એવું દાન દેવા માંડ્યું. ત્યારપછી નિવૃત્ત થયું છે મન જેનું એવી એ રાણીએ દિક્ષા ગ્રહણ કરી.
હવે વૈભારગિરિની ગુફાને વિષે ન્યાય માર્ગને ઉલ્લંઘીને આચરણ કરનારો કલિકાળનો બધુ લોહખુર નામનો ચોર વસતો હતો. અથવા તો એવા ધિક્કારવા લાયક પાપાત્મા પુરુષોને નિર્જનસ્થળને વિષે પ્રીતિ હોય છે. ભાગ્ય અને બળ-એ બંનેનો પણ એકજ સ્વામી એવો એ. એ બંનેની સંધિ કરાવતો છતાં પણ નગરને વિષે સંધિનો ભેદ કરી ઘરોમાં ખાતર દઈ દ્રવ્યવાન લોકોનાં ઘર ભાંગીને નિત્ય ચોરી કરવા
૧૮૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)