Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
અને કાન્તિના નિધાનરૂપ પુત્રને જન્મ આપ્યો. ચલ્લણાની કુક્ષિથી જન્મ પામેલા એ ત્રણ કુમારો પિતાને સુખરૂપ થઈ પડ્યા; અને કલહ-કપટનો સર્વથા ત્યાગ કરીને નગરમાં ફરતા છતાં, શ્રી ત્રિકુટ પર્વતની ભૂમિ પરના ઊંચા ગૃહોની પેઠે વિરાજવા લાગ્યા.
તેજોમય ભામંડળ સમાન શોભતા શ્રેણિકનરેશ્ચર જેવા પિતાને પ્રમોદરૂપી સંપત્તિને આપનાર-તથા એમને અને એમની પર્વત સમાન ઉચ્ચ પ્રતિજ્ઞાઓને સફળ કરનાર-અને સર્વ દૂષણોનો વૈરિ-દાક્ષિણ્યવા– નિર્ભય અભયકુમાર, પોતાના અશોકચંદ્ર પ્રમુખ ભાઈઓની સાથે રહીને લક્ષ્મણ-ભરત-અને શત્રુઘ્નથી સંયુકત રામચંદ્ર જ હોય નહીં એવો શોભવા લાગ્યો.
શ્રી અભયકુમાર મંત્રીશ્વર જીવનચરિત્રનો
બીજ સર્ગ સમાપ્તા
૯૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)