Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
આ પ્રમાણે ગાઢ વિલાપ કરતા જોઈને તેમને, બુદ્ધિમાન્ અભયે વૈરાગ્યપૂર્ણ મધુર વચનોએ કરીને સમજાવ્યાઃ અથવા અભય જેવો રાજપુત્ર કયા વિષયમાં અપૂર્ણ હોય ? તેણે કહ્યું-વનહસ્તિના કર્ણની પેઠે અસ્થિર સ્વભાવવાળા આ સર્વ લોકને વિષે, જેઓ સારાસારના વિવેકવાળા છે તેઓ કદાપિ શોક કરતા નથી; કારણ કે એ (શોક) ક્રોધની પેઠે પુરુષાર્થનો શત્રુ છે. અગ્નિનો ઉપાય જળ છે; વ્યાધિનો ઉપાય ચિકિત્સા છે; શત્રુનો ઉપાય શસ્ત્રાદિ છે; વિષનો ઉપાય મંત્ર છેએમ સર્વ કોઈ વસ્તુઓનો ઉપાય છે; પરંતુ આ નિરંકુશ એવા મૃત્યુનો ઉપાય નથી. જન્મની સાથે મૃત્યુ પણ છે; તરૂણાવસ્થાની સાથે વૃદ્ધાવસ્થા પણ લાગેલી જ છે; ઉદયની સાથે અસ્ત પણ હોય છે; અને પુત્રાદિનો યોગ એજ વિયોગનું કારણ પણ છે (યોગ ન થયો હોત તો વિયોગ થાત જ કોનો ?). શરીર નિરંતર અનેક રોગોથી યુક્ત છે; દારિદ્રના ભયને લીધે, લક્ષ્મી પણ દુ:ખદાયક છે; સ્નિગ્ધ એવા પણ મિત્રો ક્ષણમાં શત્રુરૂપ થાય છે; માટે જેમને નિરંતર શત્રુઓનું દુ:ખ છે એવી આ સર્વ વસ્તુઓને ધિક્કાર છે !
વળી વીરજનના મુકુટ જેવા તમે બંને સાધારણ માણસની પેઠે અતિશોક કરશો તો પછી ધૈર્યગુણ કોનો આશ્રય કરીને રહેશે ? કારણ કે દુ:ખને વિષે સહનશીલતા એજ ખરું ધૈર્ય છે. વાયુ નથી વાતો ત્યાં સુધી રૂના ઢગલામાં અને પર્વતમાં કંઈ ભેદ જણાતો નથી; દુ:ખ આવી પડે ત્યારે જ પુરુષોનું સત્ત્તાસત્ત્વ જણાઈ આવે છે. અન્ય જનોએ પણ શોક કરવો જોઈતો નથી; તો આપના જેવાઓની તો વાત જ શી ? કારણ કે વિવેકરૂપી આભૂષણથી અલંકૃત એવા પંડિતજનોને તો ઓક્ (તથાસ્તુ) એ જ ખરું છે. તમારા પુત્રો સુરંગમાં ક્યાંથી ગયા; શત્રુને તેમની તેજ વખતે ક્યાંથી ખબર પડી; અને તેમનો એક સાથે ક્યાંથી નાશ થયો ? અથવા તો આ ભવિતવ્યતા અન્યથા થતી નથી. મરવાનો જ જેમણે નિશ્ચય કરેલો હતો એવા તમારા સુધીર પુત્રોનો શોક કરવો જ ન જોઈએ. કારણ કે સ્વામિના કાર્યને વિષે જેઓ પોતાના જીવિતને અર્પણ કરે તેઓને શું સેવક ગણવા ?
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૮૫