Page #1
--------------------------------------------------------------------------
________________
પુરતક ૧થી૪
A1111
iii
ર'
TIT
e
(
7
-
I
III
.
\ll/
‘કીનિ , મું'. २४८७-८८
આગમાં
२०२७-२८
૨૧-૨૨
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
॥श्री वर्षमानस्वामिने नमः ॥ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી માણિયસાગર સુરીશ્વરજી ભગવંતની મંગળ પ્રેરણાથી ધ્યાનસ્થ સવ. પૂ. આગમોદ્વારક આચાર્યશ્રી આનંદસાગરસુરીશ્વરજી ભગવંતના તાવિક વ્યાખ્યાનાદિ સાહિત્ય પીરસતું શ્રી આગદ્ધારક ગ્રંથમાળાનું પ્રાણવાન પ્રકાશન.
कत्थ अम्हारिसा पाणी, दूसमादोसदूसिया । हा! अणाहा ! कह हुंता, जई ण हुँतो जिणाममो १ ॥
प्रकाशित जिनानां य-मत सर्वनयाश्रितम् ।। चित्ते परिणन' चेदं, येषां तेभ्यो नमोनमः २ ॥
गीतार्थाय जगज्जन्तु-परमानदद।यिने । गुरवे भगवद्धर्म-देशकाय नमोनमः ॥
Irt-PACी-42161-1-1-Me- मां પક પૂ. શ્રી. આગમહારક આચાર્યદેવની સ્તુતિ કર सिबद्वौ भागे. परवा MARATHI स्थाया जैनागमाचा निरवधि प्रसरासाठी केले सुयत्ना। पक्ष पन श्रिता ये हिततनुममता आखरीकालमेंभी, ऐसे श्रीसागरानंद मुनिपति जिन्हें
MOST GAIN ACCLOMATION
सम्यक् तत्वोपदेष्टारं, शास्त्रेदम्पर्यबोधकम् । कान्तं दान्तं सदा शान्तं, गच्छेशं प्रणमाम्यहम् ॥
卐 जिनाज्ञा परमो धर्मः॥
Page #4
--------------------------------------------------------------------------
________________
" I થી બાર ના
પક પરમપાણી
ગમ-જ્યોત
* * * કોઈ એમ
માને છે, નવા
(છ વર્ષ) પરમ પૂજય સાગરિકના વાણી લખ્યાતા,
ભાવનગર, બાગબારા ૫ પા શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ
(સાગર મહારા) ના તાધિ વ્યાખ્યાનો થપૂર્વસ आगमामृत हि कमव्याधिनिवारकम्
- જે. વિવિધ સમાજના ના કાકા અને
ભજન
મારા સમ, ટ
તે ભાગમા
ર૪૭૮ વિ. સં. ૨૦૨૭-૨૮
છે. .
છા
*
મજા :-
+ swet
(પોસ્ટેજ બાં). (સ્થાયી રાહ ન હોય તેમના માટે)
. Sિ : રાજા જિન માગમ એપે છે
. એનામાં ન પડે એ Toscandinavanomareools
Page #5
--------------------------------------------------------------------------
________________
A S પુસ્તક પ્રસ્થાન રમણલાલ જયંtણાઈ સાંભળી અમિત કાર્યાલય કાર્યવાહક
વ્યવસ્થાપક : શ્રી ગોગા૨૩થમાળા
કીર્તિકુમાર કુલચંદ પટના કાપડ બજાર
કર દિલીપ નોવેલ્ટી સ્ટાર
મુ. મહેસાણા (ઉ. ગુ.)
જs-ji
જ આગષત પ્રતિવર્ષ આ સુદ પૂર્ષિT
માં ચાર કે લેગા) પુસ્તક રૂપે - પ્રકટ થાય # કથા
.
ર્ષક લવાજમ ચિજના બી
| | સાધુ-સાધ્વીજી મ. અને જ્ઞાન ભંડાર
તથા તવરૂચિ ગૃહસ્થાને ભેટ અપાય છે. વિાય કષની એજના શરૂ કરી , જેમા દીક ઓછામાં ઓછા ૧૦૧ લેવાય છે.
જ છંટક ભેટ યોજનામાં પાંચ કે તેથી વધુ ગમે તે રકમ સ્વીકારાય છે.
જ પુસ્તક
૧લું પુસ્તકતયા ટાઈટલ
આ પેજ વન નું જનાર છાપનાર કહે છે કે wદાફાચંદ શાહ કે શ્રી ભાનુભાઈ મ .
દાણાપીઠ-ભાવનગર :
Page #6
--------------------------------------------------------------------------
________________
Wassai
જેઓએ ૭૫ વર્ષની વૃદ્ધયે કોઈપણ જાતના ટેકા વિના રોગગ્રસ્ત દશામાં પણ છેલ્લા ૧૫ દિવસ અર્ધપદ્માસને કાઉસગ્ગ મુદ્રા એ રહી પૂવકાલીન અનશન સમાધિ મરણની ઝાંખી કરાવી.
descesses
રેરક કે કે
ન્દ્રક--ther," કમ્પોનન્ટની
RSા મકાન, નાક કે -
કરો
Žeeeeeeeeeeeeee
HERE ARE
છે. કારણ
Besseressere
આગમસમ્રાટું આગમજ્યોતિર્ધર બહુશ્રુત સૂરિપુરંદર
ગીતાર્થ સાર્વભૌમ ધ્યાનસ્થ સ્વર્ગત
પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ descensourcesereses
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રકાશન સંબંધી
oooooooooo
અમારું પરમ સૌભાગ્ય છે કે મારામાવતાર, આગમપારદા, સમર્થ આગમવ્યાખ્યાકાર, ભાગમહારક, ધ્યાનસ્થ સ્વ. આ. શ્રી આનંદ સાગરસૂરીશ્વરજી ભગવંતના પદુર શાસ્ત્ર પર્યબોધ વાત્સલસિંધુ ૫ ગચ્છાધિપતિ આ. શ્રી માણિકથસાગરસૂરીશ્વરજીનો મંગળ નિશ્રામાં વિ. ) ૨૧૦ માં પૂ. આગમહારશ્રીના વિયાવત સ કર્મગ્રંથાતિવિચારચાર વિદ્વદર્ય પૂ ગણિવર્ય શ્રી સુર્યોદયસાગરજી મ.ની હાર્દિકે પ્રેરણાથી આગમ દ્વારકશ્રીના સાહિત્યને જિજ્ઞાસુ તરવરુચિ મહાનુભાવોના હાથમાં રજુ કરવા માટે પૂ આગમહારથીના પુનિત સંભારણારૂપે ગ્રંથમાલાની સ્થાપના થયેલી
૧૭ વર્ષના ગાળામાં પૂ. ગચ્છાધિપતિજીની મંગળ માથી જ જેટલા નાના-મોટા ગ્રંથ તથા પૂ. આગમહારાજશ્રીના નવલર્જિત થત સાહિત્યને પ્રગટ કરવાને અણમેલ લહાવે મળે. . . : આમ છતાં અત્યંત હર્ષની વાત એ છે કે આહારકશી ભાગમસંબંધી ઝીણવટભર્યા તરિક વ્યાખ્યાને હજારોની સંખ્યામાં અનેક સ્થળે આપેલ, જેનાં પ્રકાશનને લાભ અનેક સંસ્થાઓ તથા ધર્મ પ્રેમી વ્યક્તિઓએ લીધે છે. છતાં હજી સેંકડોની સંખ્યામાં અપ્રકાશિત વ્યાખ્યાને જંગી સંગ્રહ અનેક જગ્યાએ છે.
આવા અપ્રકાશિત ૫૦૦ વ્યાખ્યાનેને સંગ્રહ વિ. સં. ર૨૧માં પૂ. ગચ્છાધિપતિશ્રીનાં ચાતુર્માસ દરમ્યાન અમને મળ્યો જેને સુવ્યવસ્થિતપણે પ્રકાશિત કરવાની ભાવના જાગતાં પૂ. ગચ્છાધિપતિશ્રીના આદેશથી પૂ. શાસન સુભટ તપસ્વી ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મ.ના શિષ્યરન મુનિ શ્રી અભયરાગરજી મ. ગણ તથા પૂ આગમહારથીનાં શિષ્યરત્ન તથા અમારી કંપમાળાની પ્રેરક પૂ. ગણી શ્રી સૂર્યોદયસાગરજી મથીએ સંપાદન સંબંધી બધી જવાબદારી ઉઠાવી અને કૃતાર્થ કર્યા છે.. :
આ સંગ્રહ : આગમત 'ના નામથી પ્રકટ કરવાનો નિર્ણય
Page #9
--------------------------------------------------------------------------
________________
વિ. સં. ૨૦૨રનાં કા. વ. ના મંગળ દિને પૂ. ગચ્છાધિપતિશ્રી હસ્તક ગણું પદવીના મહેસવ પ્રસંગે થયેલ.
તદનુસાર પાંચ વર્ષમાં પાંચ પુસ્તક પ્રકાશિત કરી શમણુસંધની સેવામાં રજુ કર્યા છે. આ છ પુસ્તક પણ દેવગુરુ કૃપાએ બમણુસંધની સેવામાં આનંદપૂર્વક રજુ કરીએ છીએ. ' અમારા આ પુનિતકાર્યમાં પૂ. ગચ્છાધિપતિશ્રીની અસીમ કરુણા અને મંગળ આશિષને વધુને વધુ આભારી છીએ. તે વિના આ કાર્ય પાંગરી શકે તેમ હતું નહીં અને એ પણ નહિ
? આ ઉપરાંત પણ અનેક પૂજ્ય મુનિ ભગવંત-સાધ્વી ભાગવતે તથા ઉદારચરિત ગૃહસ્થોને હાકિ ધર્મપ્રેમપૂર્ણ સહકાર અળ્યો છે તે ધાના અમે ચિર અણી છીએ. . .
. . * તેમાં પણ ખાસ કરીને પૂ. આ. શ્રી હેમસાગરસુરીશ્વરજી મ., પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. પૂ. ગણીશ્રી લબ્ધિસાગરજી મ., પૂ. ગણી કંચનામરજી મ, ૫. ગણિીની યોજાગરજી મ. તથા આર્થિક આ કામ માટે પ્રેરણા આપનાર ચતુર્વિધ સંઘના ધમરને ભયમાં સહકારની ખૂબ ખૂબ નતમસ્તક અનુમેહના કરીએ છીએ. આ કામ : “બાગમત”નું કલાત્મક સુંદર છાપકામ કરી આપવા માટે આદિતી પુસ્તક અને ટાઈટલ એ, સુખ પ્રસ્તાવના શાનવકા આદિનું શ્રેમ કરનાર છે. શ્રી ગિરધરલાલ ફૂલચંદ શાહ ( સાધના મુદ્રણાલય, દાણાપીઠના અધિપતિ) ભાવનગર તથા ત્રીજાથા પુસ્તકનું છાપકામ કરી આપનાર ભાનુભાઈ અમરચંદ મહેતા (બહાદુર સિંહજી પ્રિન્ટીંગ પ્રેસના અધિપતિ) પાલીતાણાના હાર્દિક ધર્મનેહભર્યા સહકારની ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. આ : : આગમનત અને ડિઝાઈન, બ્લેક કાગળની ખરીદી આદિ ઉપરાંત પૂ. મહારાજશ્રીની સચનાનુષાર રાત-દિવસ નિસ્વાર્થભાવે મુક સેવા આપનાર ધર્મપ્રેમી મોઇશ્રી બાબુલાલ કેશવલાલ શાહ ચાણમાવાળા (૧નગરશેઠ માકટ, રતનપોળ, અમદાવાદના ધર્મપ્રેમનું ખૂબ ખૂબ હાર્દિક અનુમાન કરીએ છીએ.
વવી આગમત”નું વ્યવસ્થા તંત્ર (સરનામાની સેકસ નધિ
*
,
Page #10
--------------------------------------------------------------------------
________________
રાખવી, દરેકને બરાબર પિસ્ટથી મોકલવા આદિ) જાળવવામાં પૂર સમય–શ્રમ અને બુદ્ધિનો ખંતપૂર્વક સાપન કસ્નાર, આગમત કાર્યાલય મહેસાણાના સંચાલક કીર્તિકુમાર કુવાદ પટવા, (દિલીપ નોવેટી સ્ટોરવાળા), તથા સેવંતીલાલ શાંતિલાલ શાહ બરવાળાના ધર્મપ્રેમનું ખૂબ ખૂબ હાર્દિક અભિવાદન કરીએ છીએ
માગમતનું પ્રકાશન છેલ્લા ત્રણ વર્ષથી કામયસર એટલે કે નાનપંચમી આસો સુદ પુનમે પ્રાપ્ત કરવા માટે સામણ કરવા જઈ રાખવથા થઈ છે
આ વર્ષે પણ ચૂંટણી અને પરીક્ષાનો અચાનક મના દબાણથી પ્રેસવાળાની મરજી સમયસર કરી આપવાની છત સંજોગવશાત પણ વર્ષે પણ ધાર્યા કરતાં વધુ રહી મહીનાને વિલંબ થયો છે તે બદલ શરમ-સમચના અનુભવ ાથે હાદિરમાં માને છીએ. એ પણ દેષ આદિથી રહી ગયેલ ક્ષતિઓ બદલ હાદિક મિયાખ્યુત માંગી આગમભક્તિના મળેલ અણમોલ લહાવા બદલ અમારી જાતને ધન્ય માની વિરમીએ છીએ.
:
: :
:
:
વિ. ૨૨૮ માગશર વ. ૮ કાપડ બજાર મુ. કપડવંજ ( જિ. ખેડા )
નિવેદક રમણલાલ જેચંદભાઈ
કાર્યવાહક આગમ દ્ધારક ગ્રંથમાળા .
ન
Page #11
--------------------------------------------------------------------------
________________
કહેવા જોણું ,
પરમ તારક સહિતકર શ્રી વીતરાગ પરમાત્માના શાસન ગગનના અદિતીય તેજવી સર્કસમા, સમર્થવાદી વિજેતા, આગમોની વાચના આદિ દ્વારા શમણુસંધમાં આગમિક જ્ઞાનની અપૂર્વ ભરતી લાવનાર આગમવારકનાં સાહજિક ઉપનામથી ઓળખાતા સવ.નામધન્ય પૂ. આચાર્યદેવ શ્રી આનંદસાગરમરીશ્વર ભગવંતનાં માર્મિક ગોટ તારિક વ્યાખ્યાનનાં સંકલન ૨૫ “આગમત”નું છ પુસ્તક ચતુર્વિધ શ્રી સંપની સમક્ષ ઉપસ્થિત કરતાં અત્યંત હર્ષ થાય છે. : જગતના ભાવની ઓળખાણ ગુરૂગમથી મેળવાતી તાવિ દષ્ટિ. વિના યથાર્થ રીતે થતી નથી; તેમજ તે વિના વર-વેરાગ્યની પ્રાપ્તિ
* * તેથી રે મુમક્ષ આરાધ પુણ્યાત્માએ આરાધનાને સફળ બનાવવા તાત્વિકદષ્ટિનાં ઘડતર માટે સમુચિત પ્રયત્ન કરવો જોઈએ.
ચાર અનુગમાં સર્વશ્રેષ્ઠ અને બાકીનાં ત્રણે અનુગના પીવાન ૨૫ શ્રી ચરણારણાનુગ પ્રાપ્તિ માટે તત્વદષ્ટિને સૌથી વધુ પ્રાધાન્ય જ્ઞાનીઓએ આપ્યું છે.
તેની કેળવણી માટે ગીતાર્થ ભગવંતનાં ચરણોમાં બેસી તાત્વિક પદાર્થોનું અધ્યયન કરવું જરૂરી છે.
વિસમી સદીના પૂર્વાર્ધમાં કાળબળે આગમિક ગ્રંથના અધ્યયનાદિની વિરલતા થવાથી શ્રમણસંધની પ્રતિભાસિક નિસ્તેજનાને દૂર કરવા જે મહાપુરુષે પ્રભુશાસનની નિષ્ઠા અને સુદઢ આત્મવિશ્વાસભર્યા સતપુરૂષાર્થથી આખું જીવન આગમના ગહન ચિંતનમાં પરોવી આગમેના તારિક વિવેચને અને ઊંઠા ચિંતનભય વ્યાખ્યાન હજારની સંખ્યામાં આપ્યા, અને આગમે. તાત્વિકગ્ર વગેરેની વ્યવસ્થિત વાચનાદિ દ્વારા આંગમિક અધ્યયનાદિને બહેળા પ્રમાણમાં ફેલાવો કર્યો.
તે પૂજય આગમોહારકશ્રીના ગુજરાતી વ્યાખ્યાને પુસ્તકાકારે ઘણા પ્રકાશિત થયા છે, છતાં ગચ્છાધિપતિ દ્વારા વિ. સં. ૨૦૨૧ના કપડવંજના
Page #12
--------------------------------------------------------------------------
________________
ચાતુર્માસમાં મળી આવેલ અપ્રકાશિત છ વ્યાખ્યાનના સંગ્રહને તત્વરૂચિ પુણવાનના હિતાર્થ મિદ પ્રકાશન કરવાના સાથી “અગિમા ત્રિમાસિકની એજના વિચારાઈ. બે વર્ષ સુધી ત્રિમાલિક રૂપે વર્ષમાં ચાર અંકે પ્રાપ્ત કરવાના પ્રયત્ન પછી જામનગરથી મારે અંકે સળંગ પુસ્તકાકારે બાંધીને વર્ષમાં એકવાર જ શમણ બની સેવામાં રજુ કરવું વધુ ઉચિત લાગવાથી, છેલ્લા ત્રણ વર્ષથી તે રીતે તત્વની સેવામાં આગમિક રહસ્યથી તરળ આ પ્રકાશન ઉપસ્થિત થાય છે. હું
આનું સંપાદન એટલે મીણના દાંત લેતાના ચણ ચાવવા જેવું છે. કેમકે–ગુરુકુળવાસની સંપૂર્ણ મર્યાદાથી મેળવાતી આર્થિક તના મુર્મને પકડવાની આવડતને અભાવ, ક્ષયપણમની વિચિત્રતા, વ્યાખ્યાન વસ્મતે ઝડપથી ઉતારેલ અને પેન્સીલથી લખાયેલું અયવસ્થિત રીતે લખાયેલ લખાણો સમાયેગ્ય રીતે સુસંબદ્ધ કરવાનું કપરું કામ આખું
જીવન પૂર્વભવની શ્રુતજ્ઞાનની પ્રકૃષ્ટ આરાઘના બળે જિનવાણીના ચિંતનરમમાં ચમત કરી સાજણા એ કેવી વિનિક રહસ્યથી અરજી કોસા ધરા જેવા ગંભીર કણિકાઓના કર્મને પ્રવાહી અસકિત, પ્રણવ ધારાશાસ્ત્રીએ પણ શરમાવે તેવી કામ કરી ના..આખર ભંડારવાળી અટપટી વાક્યરચના અદિ અનેકાનેક મુવીના લીધે મારી શક્તિની સીમાઓથી ઉપરનું આગમના સમબુદ્ધિગમ્ય અનેક માર્મિક નિકથી ભરપૂર તાત્વિક વ્યાખ્યાનના સંકલનનું આ સંપાદનકાર્ય હેવા છતાં આ દેવગુરુની અચિંત્ય કૃપા, પૂ. ગચ્છાધિપતિ આચાર્ય. વિની કરૂણાભરી મંગળ આશિષ, મારા જીવનના ઘડતરમાં આખું
વન નીચાવી દેનાર પરમ તારક ગુરુદેવશ્રીની અગોધ કરૂણા તથા વડલના મંગળ હાદિક સચને તથા અનેક ધર્મ સનેહીઓના આગમ બહુમાનભર્યા વિવિધ સહકાર આદિના બળે જ ભગીરથ આ સંપાદનના કાર્યમાં યત્રિત સળતા મળી છે.
આ સંપાદનમાં જેટલું સારું છે, તે બધું ઉપર જણાવેલ મહાનુભાની નિષ્કારણ કરૂણાનું ફળ છે. જે કંઈ ખામીઓ છે, તે મારા પ્રયત્નની ખામી, રાસાવધાની: જેને દૂર કરવા સતત પ્રયત્ન છતાં છાસ્થતાના કારણે થવા પામી છે, તેને આભારી છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
સુજ્ઞ વિવેકી આગમવની જિજ્ઞાસાવાળી પુણ્યશાળી મહાનુભા હિસ-શીર જાયેઆમાંથી સારું જે છે તેને સ્વીકાર કરી શ્રુત ભક્તિના હાદિ ઉલ્લામૂર્વકનાં મારા ભાવને સફળ કરે એને જે કઈ ખલનાશુટિઓ રહી જવા પામી હેય તેનું સચન. મારા જીવનમાં અજાણતાં પણ કૃતજ્ઞાનની આશાતનાને ભાર ન વધી જાય, તે અંગે ભાવદયાનું વહાણ લગાવી હાદિક વાત્સલ્યને પરિચય આપે, તેવી નમ્ર પ્રાર્થના છે.
શસ્તુત સંપાન કાર્યમાં ખાસ કરીને હાદિક મમ દાખવી છે રીતે અપૂર્વ સહકાર આપનારા નીચેના મહાપુરુષ છે.
શાબ પ્રભાવક પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. ' ' (ાએ ૫ આગમહારક આચાર્યદેવના પ્રકાશિત વ્યાખ્યાતેવો સંગ્રહ આપવા સાથે પ્રસંગે-ગે વિવિધ હાર્દિક સૂચનાઓ કરી પૂ. આગમોહારી પ્રતિ હાદિક પ્રેમ સચવ્યું છે.) " : પૂ. બાગમહારથીના પરમ વિનય શ્રી શિહચકારાધન-તીહાર બી વર્ધમાન તપ પ્રચારક-આગમોના પ્રૌઢ વ્યાખ્યાતા તામરિ સ્વ. પૂ. શશી ચંદ્રસાગરસૂરિશ્વરજીના પવિતેય શાંતમૂર્તિ. વ્યાખ્યાન વાચસ્પતિ શાસન પાવ પૂ. મા. શ્રી દેવેનસાગરસૂરીશ્વરજી મ. " (જેઓએ શ્રી ચંદ્રસાગરિધાનમંતિર-
ઉનથી પૂઆગમે. શ્રીના વ્યાખ્યાનેને અણમોલ સંગ્રહ તેમજ ૫ આગમહારક આચાર્યદેવશ્રી પાસેથી પ્રસંગે પ્રસંગે મેળવેલા તાત્ત્વિક ખુલાસાઓ-પ્રશ્નોત્તર વગેરેને અણમેલ સંગ્રહ આપેલ છે. તેમજ આગમતને પગભર રાખવા દર
માસામાં શ્રી સંઘને ઉપદેશ કરી આર્થિક સહયોગ દ્વારા પ્રકાશનને વેગવંત બનાવ્યું છે.)
આગમહારશ્રીના સર્વ પ્રથમ શિષ્ય પૂ. શ્રી વિજયસાગરજી મ. ના શિષ્યરત્ન પ્રૌઢ પુણ્યપ્રતાપી શાસન પ્રભાવ ૫. ગણી શ્રી લબ્ધિમાગરજી મ. " એ (જેએએ આર્થિક સહયોગ માટે સંપૂર્ણ કાળજી રાખી અને સંપૂર્ણ રીતે નિશ્ચિંત બનાવેલ)
Page #14
--------------------------------------------------------------------------
________________
પૂ. આગમ દ્વારકશ્રીની નિશ્રામાં રહી અનેક આગમિક પદાર્થોની જાણકારી મેળવવા સાથે પાલીતાણા–સુરતના આગમમંદિરની ભવ્યતાના સજક પૂ. આગમ દ્વારકશ્રીના ઉપસંપદા પ્રાપ્ત અંતેવાસી પૂ ધર્મ સ્નેહી ગણું શ્રી કંચનસાગરજી મ.
(જેઓએ મારી પ્રવૃત્તિઓમાં બિન આવડતથી રહી જતી ક્ષતિઓ તરફ હાર્દિકે વાત્સલ્યપૂર્વક ધ્યાન ખેંચી અણમોલ સેનેરી સૂચને કરી મારી પ્રવૃત્તિને બહુમૂલ્ય બનાવી છે.)
પૂ. કર્મગ્રંથાદિ વિચાર ચતુર ધર્મરનહી ગણે શ્રીસૂર્યોદયસાગરજી મ.
જેઓએ આગમતના સંપાદનની સઘળી જવાબદારી ઉઠાવી વ્યવસ્થિત રીતે અદા કરવાની સાથે અનેક બાબતોમાં મારી બિનઆવડતને પણ ચૂસવને રહન કરી સલુકાઇથી દૂર કરવાની જહેમત લેનાર, મારા સઘળી પ્રતિના પ્રાણભૂત હેઈ સાથે સાથે હોઈએ ત્યારે દિવરમ નેકવાર મીઠા–મધુરા શબ્દોથી... દૂર હોઈએ ત્યારે દર અઠવાહીએ ને શી રણ ટપાલથી હાર્દિક નિખાલસ સૂચને કરી મારા જીવનમાં વલસા, ર્યપદ્ધતિની સુંદરતા, વ્યવહારદક્ષતા આદિની પ્રતિષ્ઠા કરનાર)
પરમ પૂજ્ય ગુણગરિક સેવાભાવી સહથી ધર્મનેહી મુનિરાજ શ્રી ગુણસાગરજી મ.
જેઓએ ખુબ જ મમતાભરી હુંફ આપી પૂ. આગમ દ્વારકશ્રીના અનેક મહત્ત્વના લખાણો મોકલી સામગ્રીની સમૃદ્ધતા કરવામાં અમૂલ્ય ફાળો આપે છે.
ધર્મસ્નેહી મુનિશ્રી અશોકસાગરજી મ. મુનિશ્રી નિરૂપમસાગરજી ભ, મુનિશ્રી રવીન્દ્રસાગરજી મ., બાલમુનિશ્રી હેમચંદ્રસાગરજી મ.
જેઓએ ગુરૂઆશા મુજબ વિવિધ કાર્યો (પ્રેસ કોપી કરવી, નકલ કરવી, અનુક્રમણિકા બનાવવી આદિ કાર્યો) માં ખૂબ મનાયેગપૂર્વક સહયોગ આપ્યો છે.
આદિ-આદિ અનેક મહાનુભાવોનાં પવિત્ર યાગ દાનથી આ કાર્ય સુંદર રૂપે રજુ થયું છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
છેવટે આ સંપાદનમાં શક્ય જાગૃતિ રાખવા છતાં ભતિમંદતા કે ક્ષપશમની વિચિત્રતાથી રહી ગયેલ ક્ષતિઓ બદલ ચતુર્વિધ શ્રી સંધ સમક્ષ હાદિક મિશાદુષ્કત માંગુ છું.
તથા આવા અત્યંત ગંભીર તાવિક ચિંતનપૂર્ણ આગમિક પદાર્થોની ગંભીર વિચારણાના પદાર્થોવાળા માર્મિક વ્યાખ્યાનનું વાંચન, મનન, ગુરૂગમથી યોગ્ય જ્ઞાનીનાં ચરણોમાં બેસી કરીને મુમુક્ષુ છે મૃત ભક્તિની કેળવણી કરી કર્મનાં બંધનથી મુક્ત થાઓ એ મંગલ અભિલાષા.
વીર નિ. સં. ૨૪૯૭ વિ. સં. ૨૦૧૭ આસો સુદ-૮ મંગળવાર જૈન ઉપાશ્રય ઉંઝા (ઉ. ગુ.)
શ્રીશ્રમણ સંસેવક શાસન શુભટ તપસ્વી
ગુરુદેવશ્રી ઉપાધ્યાય શ્રી ધર્મસાગર ચરણપાસક મુનિ અભયસાગર
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રી આગમજત–વા
પુસ્તક ૧ થી ૪ નું
8 વિ ષય દર્શન
3 વર્ષ-૬ પુસ્તક-૧
પાનું
દિવ્ય વારસાના અધિકારી જેની પવિત્ર ફરજ પા. ૧ થી ૫
વિષય પાનું વિષય ૧ મહાપુરૂષોની સંસારી ઉપર અસર || ૩ પ્રભુ મહાવીરની વિશેષતા ૧ પાપ કરવા છતાં પાપને ધિક્કારવું
૪ ભગવાનને અનુપમ વારસો એ ભાવના સાથી ઉત્પન્ન થઈ છે ? ૨ મહાપુરુષોની ઉપદેશધારાને પ્રભાવ
૪ મળેલ વારસાની જવાબદારી નિભા૨ વાણી અને વર્તન એક નથી તેને
વવામાં સાચું જૈનત્વ છે. મહાપુરુષ માનવો નકામો છે. | ૫ ભગવાનના વારસદારોને ૨ ભગવાનશ્રી મહાવીરની કેરતા | ધર્મ શો? કેમ ?
થાર પુરુષાર્થમાં સાથે કોણ? પા. ૬ થી ૮ સાર્વજળીનું રહસ્ય, આગ,શ્રીને મનનીય નિબંધ.
આગમ રહસ્ય
પા. ૯ થી ૮૮ પાનું વિષય વિષય
: પાનું વિષય ૧૦ દુષમકાળથી મેઘાદિની હાનિ જણ | ૧૧ યુગલિઓની અને અધિપતિની
વનાર વાક્ય નિયામક નથી. | માંગણું પાછળની મદશા ૧૦ કાળ પ્રભાવે હાકાર આદિ નીતિની ૧૨ નાભિ મહારાજાની મુશ્કેલી હદનું ઉલંધન
૧૨ યુગલિઓની રાજાની માંગણીને ઉકેલ
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૨ પાનું વિષય | પાનું વિષય ૧૨ ચક્રવર્તીપણાને અને શાસ્ત્રપદ્ધતિને ૨૦ રાજ્યાભિષેની અઢી ક્રિયા.
ભગવાનને જ ખ્યાલ | ૨૦ ભગવાનના રાજપણમાં દિવિતા. ૧૩ રાજા શબ્દની ઉત્પત્તિ કરનાર ભગ | ૨૦ યુગલિયેનું આવવું અને વિનય વાન ઋષભદેવ
સ્વભાવને પ્રભાવ. ૧૪ પ્રભુ ઋષભદેવના રાજાપણની | ૨૧ શિનું પિષણ એ રાજ્ય ધર્મ અનોખી રીત
થયો. ૧૪ રાજાની પ્રજા કે પ્રજાને રાજા | ર૧ તીર્થકર ભગવાનને રાજ્યદ્ધિ ૧૫ યુગલિકને લાગેલી દુષ્ટ દમનની | હેવી જ જોઈએ. જરૂર
|| ૨૧ શિષ્ટના પોષણમાં રાજ્યદ્ધિની ૧૫ શિષ્ટપાલન એ રાજાનું કૃત્ય ન હોય સફળતા. ૧૫ આર્થિક નાશના રક્ષણ માટે | ૨૨ છત્રાદિ માત્રથી રાજ્ય નહિ તેમ રાજાની જરૂર
રાજા પણ નહિ. ૧૬ રાજ્યપ્રધાન અને રાજ્યારોહણની | ૨૨ રાજ્યઋદ્ધિ અંગે ઈન્દ્રની પ્રવૃત્તિ ભિન્નતા.
- કેમ ? ૧૬ છોકરાને નાગના ભયથી બચાવ. | રર સમ્યગદર્શનાદિથી નિર્જરા કે વાની ઘટના.
પુણ્યબંધ? ૧૭ કુલકરોની રીતિથી જુદી રીતિ કેમ?| ર૩ પુણ્યાનુબંધી પુણ્યવાળાના નર૧૭ અભિષેકની વાત કેણે પ્રગટ કરી? | ભવની મનોહરતા. ને તેને હેતુ.
૨૩ તીર્થકર ભગવાન આદિ નીચ ૧૮ અભિષેકની સામગ્રીનો અભાવ
કુલે કેમ ન આવે ? ૧૮ અભિષેકને માટે જળ કેમ લાવવું ? | ગર્ભપહરણ એ આશ્ચર્ય કેમ? ૧૮ જળ લાવનાર યુગલિયાઓની પ્રચંડ સંખ્યા.
૨૪ ભગવાનના વિવાહમાં પુણ્યને જ
પ્રતાપ. ૧૯ ભગવાનના રાજ્યાભિષેક માટે
ઇન્દ્રના આસનનું કંપવું. | ૨૪ સંયમાદિવાળાને દશાંગ પુણ્ય. ૧૯ અવધિજ્ઞાનમાં લબ્ધિ અને ઉપ. ૨૫ કેવળજ્ઞાન થયા પછી પણ પુષ્યને યોગનો ભેદ.
વિશિષ્ટ પ્રભાવ. ૧૯ ભગવાનને રાજ્યાભિષેક ઇન્દ્ર કેમ! ૨૫ ભીખમપંથીઓની ભયંકર કરે છે ?
અજ્ઞાનતા ૧૯ સેયં શબ્દ દેખીને કલ્યાણક ભાન | ૨૫ બચાવ કરવામાં શું છેલ્લી બે નારને સમજ.
ક્રિયા?
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૩
પાનું વિષય પાનું
વિષય ૨૬ ભીખમપંથીની દશા સંસાર-મેચક. ૩૧ અયોધ્યા આદિ રાજધાનીનું પ્રમાણ વાદી જેવી
૩૧ વિનીતા રાજધાનીની અનોખી ૨૬ મારનાર પાપને રોકનાર તથા | મહત્તા
નિર્જરા કરાવનાર કેમ નહિ ? | સર ભગવાને કરેલાં એક રાજ્યનાં સે ૨૬ શું ગુણવાળાને મારવાથી વધારે રાજ્ય લાભ નહિ ?
૩૨ વિનીતા નિવેશ અને સે રાજ્યની ૨૬ ભીખમજીના હિસાબે તેમના | વ્યવસ્થા વચ્ચેનું અંતરું પૂને મારનાર મહાભાગ્યવાન [૩ર સે ભાગ કરવાનું કારણ ગણાય
૩૩ એક રાજ્યના સ રાજ્ય કરવામાં ૨૭ પૂજ્યની હિંસામાં પણ સોમલની
કાલમહિમા માફક સત્કાર્યની સહાય જ
| ૩૩ સે રાજ્ય કરી સે પુત્રને આપ્યાં ગણાય ને ? ૨૦ સહાયની ધારણાએ મારનાર મહોર | તે પ્રજાહિત કેમ ? દય પામે ખરો ?
૩૪ વિનીતાને સ્વાભાવિક વૃદ્ધિ નહતી
કેમ ? ૨૮ પુણ્યાનુબંધી પુણ્યથી સ્વ–પર | ઉભયને સુખ
૩૪ ભગવાન ઋષભદેવજીનું પ્રથમ રાજા
તરીકે માન ૨૮ ઇન્દ્ર મની ભક્તિ તરીકે વિની.
૩૪ વિનીતાના નિવેશમાં જુગલિયાને તાની સ્થાપના
હિસ્સો ૨૯ રાજધાનીની મહત્તા
૫ વિનિતા એવા નામનું કારણ. ૨૯ વેપારીઓનું વસવાટ
૩૫ વિનિતાને નિવેશ ભક્તિ મ ૨૯ રાજધાનીમાં બુદ્ધિજીવી વર્ગની
ગણાય ? મહત્તા
| ૩૫ મૂળ વિષય સાથે સંબંધ. ૨૮ સત્તા-સન્માનની ઈર્ષ્યાની વિચિત્રતા
૩૬ કાયિકદમનની જરૂર અને તેને ૩૦ દરેક રાજાને બચાવમાં સલાહ
અંગે રાજાપણું. કારો ને સાધનવાળા
૩૭ કાયિકદમનને અંગે અશ્વ, ૩૦ રાજાનું જે ગૃહ તે રાજગુનગર
| a૮ ગાય-બળદના સંગ્રહની જરૂર. બન્યું ૩૦ મુખ્ય રાજાને પણ મંત્રી અને ૩૯ હાથીના સંગ્રહની જરૂર શી? સૈન્યની જરૂર
૩૯ ઉદ્યોગને ઉપદેશ અનર્થદંડ ગણાય ૩૧ રાજધામ તે રાજધાની અને તેને તે ઉદ્યોગની પ્રવૃત્તિ સારી કેમ વિસ્તાર
ગણી ?
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૪
પાનું છે. વિષય પાનું વિષય ૪૧ શિક્ષાને અંગે પણ ઉદ્યોગની | ૨ સત્ય સનાતનવાદીઓએ સ્વીકારેલ જરૂર.
જાતિભેદને ક્રમ અને હેતુઓ. કર પ્રજાનું નૈતિક પિષણ જરૂરી. ૬૩ નીતિની જરૂરીયાત અને તેથી ૪૨ વિવાહ ધર્માદિનું નિરુપણ અન- જાતિભેદ ર્થદંડ કેમ નહિ?
૬૪ આદિમાં બ્રાહ્મણ જાતિની ઉત્પત્તિ ૪૩ દુષ્ટસમૂહના દમન માટે હાથીની
કેમ નહિ ? જરૂર.
૬૫ ક્ષત્રિયની પ્રથમ ઉત્પત્તિનું રહસ્ય ૪૪ સંગ્રહમાં હાથીની જરૂર અને તેનું | ૬૬ જાતિપ્રથાની હિતકારીતા - સ્થાન.
૬૬ અનીતિથી બચાવ ક્યારે ? ૪૫ સામૂહિક ગુન્હેગારોને શિક્ષા માટે ૬૭ પ્રદેશ અને વિપાક બે જાતના હાથીનો ઉપગ.
- ઉદયની વ્યવસ્થા ૪૬ ગુન્હેગારોની ટોળી કેમ?
૬૮ કર્મો તપસ્યાથી પણ ક્ષીણ થાય ૪૭ ગુનહેગારની વ્યવસ્થિત ટોળીને.
૬૯ પ્રદેશાધ્ય રોકવાની જરૂર પણ પહોંચી વળવા હાથીની |
૬૯ નીતિ પ્રવર્તનની મહત્તા જરૂર કેમ ?
૭૦ જાતિભેદન શાસ્ત્રીય ક્રમ ૪૮ રાજ્યાભિષેકને અંગે જ મનની ૭૧ અન્ય દર્શનીઓની માન્યતા અલગ
જાતિને વહેંચવાની જરૂર. ૪“મનુષ્યની એક જાતિ હતી? એને ૭૨ કાયિક શિક્ષાના આધારે જાતિની
ઉત્પત્તિ રહસ્ય.. ૫૦ રુષ્ટિ એટલે શું ? અને એનું
૭ર જાતિભેદ કરવાની ફરજ પડી છતાં
પહેલી કઈ જાતિ થઈ? સર્જન શક્ય શી રીતે ? ૫૧ સૃષ્ટિ શબ્દની વ્યુત્પત્તિને વિચાર
_| ૭૪ વર્ગ વ્યવસ્થા અને કાયિક દમન
કેમ? પર તૈયાયિકાના સૃષ્ટિવાદની તારવણી. | ૭૫ ક્ષત્રિય વર્ણ આદિમાં કેમ? ૫૪ શ્રી ઋષભદેવપ્રભુનું સૃષ્ટિનું પણું | ૭૬ રાજાને આશ્રય કે રાજ્યનો આશ્રય છે જ.
૭૮ શિક્ષકવર્ગનું મહત્વ ૫૪ ભિન્ન આકૃતિથી જાતિ ભેદ એ ! ૭૯ શિક્ષણાયને પ્રાયશ્ચિત સુધારે કે
સિહતિનું અપવાદ સાથ નિરૂપણ શિક્ષા સુધારે? ૫૫ જન્મની જાતિ કે કર્મની જાતિ | ૮૦ ગુહા રોકવા શિક્ષાની જરૂર ૬૦ આમાં જાતિભેદને ક્રમ | ૮૦ શિક્ષકવર્ગના વિભાગોને ક્રમ અને ૬૧ જાતિવાદના ભેદે અને તેને કેમ વિભાગની સંખ્યા
૮૪ ક્ષત્રિયોનું આધિપત્ય કે બ્રાહ્મણનું ? ૮૬ ઉમ્રજાતિના ક્ષત્રિયોની સ્થાપના.
Page #20
--------------------------------------------------------------------------
________________
nenorocneranga 3 વર્ષ-૬ પુસ્તક-૨ છે.
પાનું વિષય
પાનું વિષય ૧ ધર્મજ ખરે પુરુષાર્થ છે | ૭ ચંદરવા પંઠિયાના આલેખ સંબંધી ૬ ઉજમણું અંગે મહત્વની વાત | પૂ. આગમ દ્વારશ્રીની સિંહ ગર્જના
- | ૮ જેનેની ઈશ્વરની માન્યતા
Dr. છે પૂ. આગમોદ્ધારકશ્રીના વ્યાખ્યાનોનો સંગ્રહ
वचनाराधनया खलु વ્યાખ્યાને ૮ થી ૧૪ સુધી (પૃષ્ઠ ૨ થી ૫૬)
મેક્ષમાર્ગરૂપ રત્નત્રયીનું રહસ્ય (જ્ઞાન–વારિત્રાળ મોક્ષમા )
goooooooooooooo છે. પુસ્તક-૩ ?
મોક્ષમાર્ગરૂપ રત્નત્રયીનું રહસ્ય પૃ. ૧ થી ૮ પાનું વિષય
પાનું વિષય ૧ મોક્ષની સાધ્યતાનો નિશ્ચય ૪ સ્વલિંગ એટલે ? ૨ દેવકાદિની આનુષંગિકતા ૫ સ્વલિંગની ઉપાદેયતાનું મહત્ત્વ ૨ સમ્યગ્દષ્ટિને જ ધર્મ કે
૬ દ્રવ્યલિંગની અનિયતતા ક્યાં ? સમ્યગ્દષ્ટિને ધર્મ જ ?
૭ અન્ય લિંગ સિદ્ધિ આદિનું રહસ્ય ૩ સમ્યગ્દર્શનાદિ ભાવલિંગ ૩ દ્રવ્યલિંગની ભજનાનું રહસ્ય
૭ ભાવલિંગની મહત્તા ૪ દ્રવ્યત્યાગની મેક્ષકારણતા, _ { ૮ સ્યાદ્વાદ દષ્ટિનું રહસ્ય
Page #21
--------------------------------------------------------------------------
________________
on
દીવાદાંડીનાં અજવાળાં
પૃષ્ઠ ૧૦ થી ૮૦
ધર્મ એટલે શું? પૃષ્ઠ ૧૦ થી ૧૮ પાનું વિષય
પાનું વિષય ૧૦ શ્રોતાઓ શું સાંભળવાને ઈચ્છે છે ? ૧૪ જીવ પોતે જ સ્વતંત્ર છે ૧૧ ધર્મ જ માત્ર એક આલંબન ૧૫ રસના ઇન્દ્રિયનું તેફાન ૧૧ આર્ય અને અનાર્થની વ્યાખ્યા | ૧૫ મળેલી સ્વતંત્રતાનો સદુપયોગ કરે ૧૨ જૈનની માન્યતા કેવી હોય? | ૧૬ ભયંકર શત્રુઓ ૧૨ દવા લાગુ ક્યારે પડે ? ૧૬ શું જેને પરમેશ્વરને નથી માનતા? ૧૩ બાળક ગુન્હેગાર કયારે ગણાય ? ૧૭ પરમેશ્વર ફક્ત માર્ગદર્શક ૧૩ ઈશ્વર ઉપર આરોપ
૧૭ ચાંલ્લાની જોખમદારી ૧૪ કર્મ સત્તાની પ્રબળતા
૧૮ ધર્મની પણ પરીક્ષા કરો. ૧૪ સ્વર્ગ કે નર્કમાં કોણ મેકલે છે? | 9000 છે ગ્રંથના આરંભે મંગલાચરણ શા માટે ? મેં
મૃ. ૧૯-૨૬ પાનું વિષય
| પાનું વિષય ૧૮ મંગલાચરણની આવશ્યકતા | | ૨૨ ઈષ્ટ અને અધિકૃત દેવતા ૨૨ કૃતજ્ઞતા
1 ર૩ આદિ-મધ્ય અને અંતિમ મંગલા૨૨ ગુણકીર્તન
ચરણના ફલ Jaarvencionanong છે જીવ માત્રને શું ગમે છે?
પૃ. ૨૭–૩૬ પાનું વિષય | પાનું વિષય ૨૭ ઇષ્ટનું બહુમાન શાથી ? ૨૯ ધર્મને મહિમા ૨૮ ધર્મ ઈષ્ટ જ છે, એમ કેમ ગણો | ૨૯ એક
| ૨૦ એક દિવસના પણ સંયમનું મહત્વ ૨૮ ચક્રવર્તિ નરકે જ જાય, એ વાતને |
૩૧ ચારિત્રમાં કઈ બુદ્ધિ રહેવી જોઈએ?
૩૨ દેવાયુબંધને હેતુ શો ? પરમાર્થ
૩૨ અજ્ઞાને કરેલ પાપ પણ દુર્ગતિમાં ૨૮ તેનું કારણ?
શાથી નાંખે છે?
Page #22
--------------------------------------------------------------------------
________________
१७
poncnonenononerenonerangnerovnorong ક્રિયાએ કર્મ-પરિણામે બંધ"નું અદ્દભુત રહસ્ય
પૃ. ૩૭–૧૮ પાનું વિષય પનું વિષય ૩૭ જીવતા પહેલાં કેમ ? પર કિયાએ કર્મ પરિણામે બંધ ૩૮ એ જીવે પાંગળો છે ૫૩ વાદિપ્રતિવાદીને સંબંધ ૩૮ અચિત્ત સચિત્ત
૫૩ એકજ માર્ગ નકામે છે ૩૯ છવભક્ષક પાપી જ છે.
૫૪ છેલો નિર્ણય ૪૦ સમ્યક્ત્વને મર્મ
૫૬ શુભ ક્રિયા અને અશુભ પરિણામ ૪૦ ઉત્કૃષ્ઠ શ્રાવક
પ૬ શ્રી પાર્શ્વનાથ ભગવાન અને કમઠ ૪૧ ઉત્કૃષ્ટપણું માગ્યું ન મળે ૫૭ ભભ કમઠ નો ૪૧ બધો ભાર કર્મ ઉપર જ છે ૫૭ અપ્રિતમ સહનશીલતા ૪૨ વિચાર માત્રથી અંધાપો ટળતો નથી ૫૮ પ્રચંડ વરસાદ વરસ્ય! ૪૦ જગત રસ્થલ દષ્ટિવાળું છે! | ૫૮ આ ક્ષમા લકત્તર દષ્ટિએ નથી ૪૩ લૌકિક દૃષ્ટિનો આધાર શું ? | ૫૯ ક્રિયા અને કર્મ અયોગ્ય છતાં ૪૪ લાખ મળે તે લખપતિ ખરા કે સમ્યક્ત્વની પ્રાપ્તિ ૪૫ ક્રોડપતિ વ્યક્તિ કેમ ? તિજોરી | ૬૦ ધમને હાથે અધમ કામ થાય છે? કેમ નહીં?
૬૧ ધમી પાપ કરે તો? * તિજોરી લક્ષાધિપતિ કેમ નથી? | ૬૧ બેમાં વધારે મૂખે કાણ? ૪૬ માલીકી હક કેવી રીતે મળે? | ૬૨ કમઠનું ઉદાહરણ વિચારો! ૪૬ ફલનું કારણ કાણ?
૬૨ તમે રાજી થાઓ ૪૭ પુણ્ય પ્રકૃતિની જડ શું ?
૬૩ એ ભયજનક ઉપસર્ગો ૪૭ લખેશ્રીપણાની જડ શું ?
૬૪ તે ધર્મતત્વને સમજેલા છે. ૪૮ આ તફાવત કેમ ?
૬૪ દાવાનળમાં કમળ ઉગ્યું ૪૯ અજબ અસમાનતા
૬૫ ક્રિયાએ કર્મ પરિણામે બંધ ૫૦ એ તે થઈ ગયું તે થઈ ગયું | ૬૫ ક્રિયા અને પરિણામ ૫૦ અનુકૂળ સંયોગ જ કારણભૂત છે. ૬૬ ફાસુક અને અચિત્ત ૫૦ કરીને ભય કેમ લાગે છે? | ૭ અપલ-દુલ ઔષધિ ૫૧ પુણ્યને ઉદય હોવો જ જોઈએ. | ૬૭ સચિત્ત કોણ ખાઈ શકે ?
Page #23
--------------------------------------------------------------------------
________________
- ૧૮
| શ્રાવકુળની મહત્તા શી?
પૃષ્ઠ ૬૯ થી ૮૦ પાનું વિષય
| પાનું વિષય ૬૮ સાધક કેશુ થાય?
૭૧ હીરાને ઝવેરી જ ઓળખી શકે ૭૦ ચાર બાબતે વિચારો
૭૧ બધા શું કહે છે? ૭૦ હીરે શબ્દ તે બધા બેલે ? ' હર છવના સ્વરૂપને જાણ્યું નથી
B ooooooooooooog
પુસ્તક ચોથું મોક્ષમાર્ગ રૂપ રત્નત્રયીનું રહસ્ય પૃ. ૧-૯ ,
હૈયાનો ઝંકાર
* પૃ. ૧૦–૧૯ પૂ. આગાદ્વારકશ્રીની સુંદર પદ્ય રચનાઓ પૃ. ૧૧-૧૫
(સંસ્કૃત પૃ. ૧૦થી૧૨ ગુજરાતી પૃ ૧૨-૧૯) પાનું વિષય | | પાનું વિષય ૧૨ શ્રી આદીશ્વરપ્રભુ સ્તવન ૧૪ સાધારણ જિન સ્તવન ૧૩ શ્રી અજિતનાથપ્રભુ સ્તવન - ૧૫ શ્રી સિદ્ધાચલ સ્તવન ૧૩ શ્રી સંભવનાથપ્રભુ સ્તવન | ૧૫ સુભાષિત
સુંદર મનનીય સુભાષિત પૃ. ૧૬-૧૯ ગુરૂચરણમાંથી મળેલું પૃ. ૨૦-૩૨ (તાત્વિક પ્રશ્નોત્તર ગ્રંથના પથીક૭ પ્રશ્નો) સંપાદકીય નોંધ
પૃ. ૩૨ તત્વજ્ઞાનભર્યા ગહન–શાસીય-ધાર્મિક પ્રશ્નોત્તર (પ્રશ્ન ૯૨ થી ૧૧૮)
- મૃ. ૩૩-૪૨ મનનીય પ્રશ્નોત્તરે (પ્રશ્ન ૧ થી ૧૯) પૃ. ૪૩–૫૧ આગમ જ્યોતના સ્થાયી ફંડની રોજનામાં
ભાગ લેનારની નામાવલિ પૃ. પર-પ૩ આગમતમાં છુટક લાભ લેનાર ગૃહસ્થની નામાવલિ પૃ. ૫૪-૫૫ હાર્દિક ક્ષમાપના
પૃ. ૫૬
Page #24
--------------------------------------------------------------------------
________________
છે.
0
વિરનિ સં. છે
જ વર્ષ : ૬ ૨૪૭
दुस्समारए વિ. સં. ૨૦૨૦ ૬ ગિળવારંપરી ર પુસ્તક૧ માગમ સં. ર છે સુપાતરાં દારૂ છે મહા | દિવ્ય વારસાના અધિકારી
જેનેની પવિત્ર ફરજ . darasaranamalovaara મહાપુરૂષોની સંસારી ઉપર અસર:
જગતમાં અનેક મહાપુરૂ થયા છે. અનેક માનવરનેએ વિશ્વની વિશાળ ભૂમિને શોભાવી છે, અને તેને સૌદર્યવતી બનાવી છે. અનેક મહાત્માઓના ભિન્નભિન્ન યુક્તિવાદે સંસારમાં પ્રવતેલા છે અને તેમના અનેક અનુયાયીઓ એ વાદેને ભિન્નભિન્ન રીતિએ અપનાવી રહ્યા છે. જગતને પ્રાચીનમાં પ્રાચીન ઈતિહાસ લઈશું અને તેના પૃષ્ટો ફેરવવા માંડીશું તે માલમ પડશે કે એવા મહાપુરૂ ન પાક્યા હતા અને તેમણે સંસારને સત્યજ્ઞાન, નીતિ અને ધર્મના સોનેરી પાઠો ન આપ્યા હતા તે આજે જગતની આપણે જે દશા જોઈએ છીએ તે આપણા જેવામાં આવી ન હોત.
પાપ કરવા છતાં પાપને ધિક્કારવું એ ભાવના સાથી ઉત્પન્ન થઇ છે?
જગત આજે સંપૂર્ણ રીતિએ સુધરી ગયું છે એમ કહેવાને આપણે દા કરતા નથી. અલબત્ત આજે પણ આ સંસાર મેહમાયા
Page #25
--------------------------------------------------------------------------
________________
આગમત લાલચ લેભ ઈત્યાદિ અનેક દુર્ગામાં ફસાયેલું આપણે જોઈએ છીએ. પરંતુ તે છતાં જગતમાં જન્મીને પિતાની પ્રતિભાને પ્રસરાવી ગયેલા મહાપુરૂષની પ્રતિભાનું એ પરિણામ તે અવશ્ય આવ્યું છે કે–જગત અધર્મને તિરસ્કારતું બન્યું છે. જો કે તે અધર્મ આદર છે, પાપ કરે છે અનાચાર ચલાવે છે એ સઘળું છે, પરંતુ તે છતાં એ જ પાપને અનુસરનારો માણસ પાપ આદર્યા પછી પોતાના કાર્યને માટે પહતાય છે, અને પોતે જે કાર્ય કરી ચુક્યો છે, અથવા કરે છે તે ખોટું છે એમ તે માને છે. મહાપુરૂષોની ઉપદેશધારાને પ્રભાવ:
પ્રિય પાઠક! જગતની આ મને દશા કઈ વસ્તુને આભારી છે? તેને તને વાસ્તવિક ખ્યાલ છે? સંસારવાસીઓ પૈકી કઈકની એ મને દશા કાબુમાં આવી તે પણ મહાપુરૂષને જ આભારી છે. સંસારમાં જન્મ ધારણ કરીને જે રત્નએ આ રીતે જગતને શોભાવ્યું છે, તેના જેટલા ગુણગાન કરીએ તેટલા ઓછા છે, પરંતુ તે સાથે જ એવો પ્રશ્ન પણ આપણા હૃદયમાં સહેલાઈથી ઊભું થાય છે કેજગતમાં થયેલા અસંખ્ય મહાપુરૂષમાંથી કયા નરકેશરીની સેવા વધારે ઈષ્ટ છે? કોનું જીવન વધારે કલ્યાણકારી છે અને કોણે સંસાર તાપમાં દગ્ધ થયેલા અનંત આત્માને શાંતિની મીઠી છાયા આપી છે? વાણી અને વર્તન એક નથી તેને મહાપુરૂષ માનવો નકામે છે :
મહાપુરૂષના જીવનની કિંમત માત્ર તેમના કથન ઉપરથી જ થવા પામતી નથી, પરંતુ તેમનું કથન અને તેમનું વર્તન એ બંને ઉપર તેમના જીવનને આધાર રહેલા હોય છે. જેનું જીવન વાણી અને વચનમાં એકતાનતા અનુભવે છે તે જ સાચો મહાપુરુષ છે. આવા મહાપુરૂષની શ્રેણિમાં ભગવાન શ્રી મહાવીરદેવનું સ્થાન લેકેર છે. ભગવાનશ્રી મહાવીરની લોકોત્તરતા કેમ?
ત્યારે હવે પ્રશ્ન એ થશે કે–ભગવાન મહાવીરદેવનું સ્થાન આપણે કેત્તર શા માટે માનીએ છીએ? શું આપણે જે ધર્મ
Page #26
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું માનીએ છીએ તેના એ પ્રવર્તક હતા માટે આપણે રાગવશ થઈને જ ભગવાનનું સ્થાન લેકાર છે, એમ માનીએ છીએ કે એ માન્યતામાં કોઈ બીજું કારણ પણ રહેલું છે?
જે આપણે માત્ર એટલા જ કારણથી જૈન તીર્થાધિપતિને કોત્તર સ્થાન આપીશું તે આપણી પ્રવૃત્તિ રાગમય છે એવું જ જગત માનશે. ત્યારે હવે એ શેાધી કાઢવાનું બાકી રહે છે કેભગવાન મહાવીરદેવનું સ્થાન લકત્તર કેમ છે? આ પ્રશ્નને ઉત્તર જરા ગંભીર રીતે વિચારીએ તે સર્વથા સરળ છે.
જગતના બીજા મહાપુરૂએ જગતની સેવા તે અવશ્ય કરેલી છે, પરંતુ એ સેવા અને તેને પરિણામે આવેલું એ સુખ એ ક્ષણિક સુખ છે. જગતના મિથ્યા પદાર્થો વડે માનવામાં આવેલું એ સુખ તે સુખ નથી પણ દુખ છે, અને જ્યાં એ માની લીધેલું સુખ પુરૂં થાય છે કે તરત જ દુઃખને આવિર્ભાવ થવા પામે છે. ભગવાન શ્રી મહાવીરદેવે દર્શાવેલું સુખ એ અનંત અને અખંડ સુખ છે. અને તેથી જ શ્રી મહાવીર ભગવાનનું સ્થાન જગતના બીજા મહાપુરૂષોમાં લોકોત્તર છે. પ્રભુ મહાવીરની વિશેષતા:
પ્રભુ મહાવીરને માર્ગ જગતને સાચાં સુખ આપે છે, અર્થાત્ શાશ્વત સુખ આપે છે. પિતે કેમ સુખ પામવું? એ વાત જગતના સઘળા મહાપુરૂષોએ કહી છે, જ્યારે જગતના જીવને શાશ્વત સુખી કેમ બનાવવો? એ ઘટના શ્રી મહાવીરદેવે ઉચ્ચારી છે અને એ મહાન તીર્થપતિ એટલા શબ્દોના ઉચ્ચાર સાથે જ અટક્યા નથી, પરંતુ એ શબ્દને પિતાના જીવનમાં ઉતારી તે માર્ગની મહત્તા અને સર્વ—પ્રિયતાને સિદ્ધ કરી છે.
વધુમાં ભગવાને જગતના કલ્યાણ માટે અનેક ઉપસર્ગો સહન કર્યા. ઈતિહાસને પાનેથી ન ભુંસાય એવું આકરૂં દેહદમન કર્યું અને શરીરને અનેક પ્રકારે કષ્ટ આપીને એણે છેવટે સાચી શાંતિને માગ શોધી કાઢ્યો! કે જે માગે આજે હજારે જને ગતિ કરી રહ્યા છે, અને એ લકત્તર માર્ગનું સુખ અનુભવી રહ્યા છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
આગમત
ભગવાનને અનુપમ વાસે:
આજનું જૈન શાસન એ ભગવાન શ્રી મહાવીરદેવે જૈન સંઘને આપેલ વારસે છે. જગતમાં ઐહિક પદાર્થોને વારસે ઘણા માબાપ પિતાના સંતાનને આપે છે, અને જુદા જુદા ધર્મગુરૂઓ પિતાના ચેલાઓ માટે પણ જબરા ધનભંડાર મુકી જાય છે. પરંતુ એ વારસો શાંતિ આપનાર ન નીવડતાં કલહ આપનાર નીવડે છે. જ્યારે ભગવાને આપેલ ધર્મવૃત્તિને વારસો એ મહાન, એ સુંદર અને એ શાંત છે કે જે આપણને અનંત શાંતિ આપવાને શક્તિમાન છે.
ભગવાને જે દિવ્ય સંપદાને વારસો જૈન જગતને આપે છે તેની જૈન સંઘે યથાપ્રકારે રક્ષા કરી છે, એ વારસાને ઉપભે છે, અને તેને શણગાર્યો પણ છે. હવે એ વારસાને માટે આપણે કેવી લાયકાત ધરાવીએ છીએ? તે દર્શાવવાની હજી આપણે માથે ફરજ રહેલી છે અને એ ફરજની પૂર્ણતા તે જ આજના આપણા ધર્મ કાર્યો છે.
મળેલ વારસાની જવાબદારી નિભાવવામાં સાચું જૈનત્વ છે:
આજના યુગના સુધારકો આવા પરમ પવિત્ર જીવનના ધારક ભગવાન શ્રી મહાવીરદેવને પણ સમાજ સુધારક માને છે, અને તેમણે સમાજ સેવા કરી હતી એવું કહે છે. આ તેમનું કથન સર્વથા અનુચિત છે.
ભગવાનશ્રી મહાવીરદેવે સમાજસેવા કરી નથી પરંતુ સંસારવાસીઓને તેમણે પરમહિને માર્ગ દર્શાવ્યો છે.
ભગવાને મુક્ત શબ્દોમાં જણાવી દીધું છે કે–સમાજની અભિવૃદ્ધિ એટલે પાપપંકમાં પગલાં માંડવા!
આ રીતે તેમણે જગતને કલ્યાણ અને નિર્વાણને માર્ગ દર્શાવ્યું હતું. અને એ મહાન મહાત્માને માન અને દેવેએ પણ તેવા જ ભાવપૂર્વક સત્કાર્યા હતા. ભગવાન મહાવીર મહારાજના કાળધર્મ પ્રસંગે અઢાર ગણરાજાઓ એકઠા થયા હતા અને તેમણે તે દેવાધિ. દેવ પરત્વેની પિતાની પુનિત વફાદારી વ્યક્ત કરી હતી.
Page #28
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
વળી અપાપા નગરીનું નામ પાવાપુરી પાડવામાં ભગવંતનું મહાન વ્યક્તિત્વ જ જવાબદાર છે. આજે જે સ્થળ પાવાપુરીના નામથી ઓળખાય છે તે જ નગર પહેલાં અપાપા નગરીના નામથી ઓળખાતું હતું, પરંતુ દેએ ભગવાન શ્રી કાળધર્મ પામ્યા, તેના મારકમાં એ નગરનું નામ પાવાપુરી રાખ્યું હતું કે જે સ્થાન આજે ભગવંતના સુપુત્ર માટે એક મહાન યાત્રાનું ધામ છે.
ભગવાનના જીવનના અનેક મહાન પ્રસંગ છે, તેમાં ખાસ નેહવાલાયક એક અવસર એ છે કે–ભગવાન જ્યારે કાળધમ પામવાની તૈયારીમાં હતા, ત્યારે સ્વર્ગમાંથી દેવ-દેવીઓ આ સંસાર પર ઉતરી આવ્યા હતા અને તેમણે ભગવાનના દર્શન કરીને પોતાના જીવનને કૃતકૃત્ય માન્યું હતું.
આ રીતે એક દિવ્ય જીવન ભેગવી મોક્ષને પંથે વળી અને પિતાના આત્માનું કલ્યાણ કરી ભગવંતે પિતાના કિંમતી જીવનની સમાપ્તિ કરી. ભગવાનના વારસદારને ધર્મ શે!
જગતના આવા મહાપુરૂષનું શાસન આપણે મેળવી શક્યા છીએ એ આપણાં સદ્ભાગ્ય છે. અને એ સદ્ભાગ્યને શોભાવવાની તૈયારી કરવી એ આપણે ધર્મ છે. લકત્તર મહાપુરૂષે જગતમાં અવતરે છે તે કાંઈ તેમના એકલાના કલ્યાણ માટે જ અવતરતા નથી, કિવા તેમનું પોતાના પરિવારનું જ ભલું કરવું, એવી તેમની દષ્ટિ પણ હોતી નથી, પરંતુ સમસ્ત સંસારના જીનું શાશ્વત કલ્યાણ કરવાની જ તેમની દષ્ટિ હોય છે. જગતના બંધનમાંથી મુક્ત થઈને તેઓ સંસારને શાંતિ કરનારો ઉપદેશ આપે છે, અને તેમાં જ તેમની મહત્તા રહેલી છે. એવી મહત્તાના ધારક અને જગતના તારક શ્રી મહાવીરદેવનું શાસન પામેલાઓએ દિવ્ય વારસાને શોભાવવાને યત્ન કરવાની પ્રતિજ્ઞા કરે, એ ઈચ્છવા જોગ છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
છે ચાર પુરુષાર્થમાં સાધ્ય કેણી છે
चतुर्वर्गेऽग्रणीर्मोक्षः ।
નું રહસ્ય
દરેક આત્મા હવભાવથી જ અનંતજ્ઞાનદર્શનાદિવાળે તેવા છતાં પણ તે જ્ઞાનાદિકનું આવરણ કરનાર કર્મોના ક્ષપશમ આદિથી થતી શુદ્ધિની તરતમાતાની અપેક્ષાએ દરેક આત્માનું વર્તમાનકાળનું કવરૂપ ભિન્ન-ભિન્નરૂપે દેખાય છે, તેમાં સૂક્ષમદષ્ટિથી વિચાર કરીએ તે જે કે તે આત્માઓના અનંતા ભેદે થાય, પણ શુદ્ધિ, પરિણામ અને જ્ઞાનાદિના તારતમ્યની અપેક્ષાએ વિચાર ન કરીએ પણ ધ્યેયની અપેક્ષાએ જે વિચાર કરવામાં આવે તે ધર્મ, અર્થ, કામ અને મેક્ષ આ ચાર શ્ચયવાળા જગતના સઘળા છ જણાય છે.
એટલા જ માટે આ ચાર ભેદને વર્ગ કહેવામાં આવે છે કે તેમાં સર્વ જીવોનું વર્ગીકરણ છે. એટલે એ ચારે શ્રેષ્ઠ છે એમ માનવું ગ્ય નથી પણ જગતભરમાં એ ચાર સિવાયનું કોઈ પણ કયેય નથી એટલું જ માત્ર ફલિતાર્થ થાય છે.
તત્વથી બાઘસુખ અને તેના સાધને તે કામ અને અર્થ તરીકે ગણાયા છે. અને તાત્વિક અત્યંતર એવું આત્મીય સુખ અને તેના સાધને માટે પ્રયત્ન અને સિદ્ધિ તે ધર્મ અને મોક્ષ તરીકે ગણાયા છે.
એ ઉપરથી સ્પષ્ટ સાબિત થશે કે આત્માની સિદ્ધિને અનુલક્ષીને ચાલનારાઓ બાહાસુખ અને તેના સાધનની અસારતા અને વિપાક કટુકતા ગણીને હેય તરીકે જ ગણે. અને ધર્મની ઉપાદેયતા પણ માત્ર આત્મીયસુખની સિદ્ધિના કારણે પુરતી જ સમજે.
તેથી કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રસૂરિજીએ “તુર્વજળી
:” એમ કહી ચારે વર્ગમાં પરમાર્થ દષ્ટિએ મોક્ષની જ ઉપાદેયતા જણાવી છે તે સ્પષ્ટ રીતે સમજાશે.
આ રીતે ધર્મની ઉપાદેયતા જે ગણવામાં આવી છે તે પણ
Page #30
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું વાસ્તવિક રીતે સ્વતંત્રપણે નથી, પણ માત્ર તે મોક્ષના કારણ તરીકે જ ઉપાદેય છે અને તેથી જ શાસકાર યોજaહ્ય ર” એમ જણાવી સ્પષ્ટપણે ધર્મ જેનું અપર નામ ગ છે તેની ઉપદેયતા મેક્ષના કારણ તરીકે જણાવે છે. એટલે ખુદ ધર્મની ઉપાદેયતા પણ સ્વતંત્રપણે નથી પરંતુ મોક્ષના કારણપણાને અંગે જ છે
એટલે કે આત્મીયસુખના કારણે પણ આત્મીયસુખની સાધ્ય દશાને અંગે જ ઉપાદેય થાય છે, પણ સ્વતંત્રપણે ઉપાદેય થતા નથી, તે પછી આત્માના સ્વરૂપને બાધ કરનાર કર્મની જ છરથી જકડનાર અને ચતુર્ગતિના ચક્કરમાં ચૂરનાર એવા બાહ્ય સુખ અને તેના સાધને તે ઉપાદેય તરીકે ગણાય જ શી રીતે?
જે બહાસુખે અને તેના સાથને કોઈ પણ અંશે શાસ્ત્રકારે ઉપાદેય તરીકે ગણતા હતા તે “સવારો મેTગો વેરમ” કહી પાંચ પ્રકારના વિષયના ઉપભેગો રૂ૫ બાહાસુખને જવાનું જણાવત નહિ તેમજ તે બાઘસુખને કરનારા વિષયના સાધન તરીકે રહેલા ગ્રહણ કરવા અને ધારણ કરવા લાયક પદાર્થોને પણ ત્યાગ કરવા માટે “સવાય રિમો વેરમ” અર્થાત્ સચિત્ત, અચિત્ત કે મિશ્ર એવા ગ્રહણ કરવા લાયક કે ધારણ કરવા લાયક પદાર્થોનું ગ્રહણ અને મમત્વરૂપ પરિગ્રહથી વિરમવાનું કહેત નહિ .
જે અર્થ અને કામને જૈન શાસ્ત્રકારની અપેક્ષાએ હેય તરીકે ન માનતાં, ઉપાદેય તરીકે માનવામાં આવે તો તે જૈનશાસ્ત્ર પરસ્પર વિરૂદ્ધ અર્થને કથન કરનારૂં થાય, પણ જેનશાસનની એ ખુબી છે, કે તેમાં પરસ્પર વિરૂદ્ધ અર્થનું કથન હેતું નથી, અને તેથી ૫ આ. ભગવાન હેમચંદ્રસૂરિજીએ શાસનની સ્તુતિ કરતાં હેતુ તરીકે જણાવ્યું છે કે “પૂર્વાપરાર્થે વિરોfસ : ' એટલે આગળપાછળના પદાર્થોમાં વિરોધ રહિતપણું હોવાથી ભગવાન જિનેશ્વરનું શાસન પ્રમાણભૂત છે.
એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગ પાડવામાં આવ્યા છે તે માત્ર વર્ગીકરણના હીસાબે છે, પણ ઉપાદેયતાના હીસાબે નથી.
Page #31
--------------------------------------------------------------------------
________________
આગમત - આ ઉપરથી ત્રિવસંસાધનમંતરે' ઈત્યાદિ વાળે માત્ર ધર્મની ઉપાદેયતા અને એ પણ સ્વીકારી છે, એટલું જ સિદ્ધ કરવા પુરતા ઉપયોગી છે. કેમકે એમ ન માનીએ તે “ન તં વિના ય મવતો ર્જાનો” એટલે ધર્મ વગર અર્થ અને કામ થતા નથી એમ જણાવી ધમની ઉપાદેયતા અર્થ અને કામના સાધન તરીકે જે જણાવવામાં આવી છે, તે કોઈ પણ પ્રકારે જૈનદષ્ટિને કે અધ્યાત્મ વાદને અનુકુળ થઈ શકે તેમ નહિ.
કદાચિત બાહ્યદષ્ટિવાળાને માર્ગ પ્રવેશ માટે પ્રાથમિક દષ્ટિએ અર્થ અને કામના સાધન તરીકે પણ ધર્મનું ઝરવાલાયકપણું હોય તે પણ ઉપદેશકોએ તે અર્થ અને કામના વિષયને સાધ્ય તરીકે ગણાવાય જ નહિ, અર્થાત્ અર્થ અને કામના વિષયને સમગ્ર અધિકાર મુખ્યતાએ તે હેય જ હોય, છતાં કંઈક જગેએ અનુવાદ કરવાલાયક ગણાય છે તે જુદી વાત છે, પણ વિધેય કે ઉપાદેય તે તે બે ગણાય જ નહિ.
અર્થાત્ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારને પુરુષાર્થ કહે કે વર્ગ કહે પણ તેનો મતલબ એટલીજ કે જે આ ચાર વતના ધ્યેયથી જ જગતમાં પ્રવત વાવાળા હોય છે, પણ તેટલા માત્રથી મોક્ષ કે ધર્મની માફક અર્થ અને કામની ઉપાદેયતા ગણાવાની તે ભૂલ થવી જોઈએ જ નહિ.
જેવી રીતે સાધ્ય પદાર્થની અપેક્ષાએ છના ચાર વર્ગો કરવામાં આવ્યા છે તેવી રીતે પ્રવૃત્તિ અને તેના ફળની અપેક્ષાએ જીવ માત્રના છ વર્ગો કરવામાં આવેલા છે. તેમાં પણ ઉત્તમોત્તમપણું અને ઉત્તમપણું જ માત્ર સાધ્ય તરીકે ગણાયપણ અધમાધમ, અધમ, વિમધ્યમ અને મધ્યમપણું તે આદરવાલાયક કે સાધ્ય તરીકે ગણવાલાયક નથી, અર્થાત એ છે ભેદ પણ અર્થકામ ધર્મ અને મોક્ષની માફક કેવળ વર્ગીકરણરૂપે જ છે.
* શ્રી તત્વાર્થ સૂત્ર ભાષ્યની સંબંધકારિકા(૪ થી ૬)માં આનું વર્ણન છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
Ron H
in
this
Division Che
w
8િ 66 6 .
પરમ પૂજ્ય આગમસમ્રાટું આગમવાયનાદાતા ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આગમ દ્વારકશ્રીને આગમસંબંધી કે તલસ્પર્શી બાબતના સંકલનવાળે મહાનિબંધ
(વર્ષ ૫ : પુસ્તક-૧ પૃ. ૮૦ પછી ચાલુ) [પરમ પૂજ્ય, આગમના તલસ્પર્શી જ્ઞાતા, આગમોની તલસ્પર્શી પ્રૌઢ પ્રતિભાપૂર્ણ વ્યાખ્યા કરવામાં અજોડ, પ્રવર દેશનાશક્તિ સંપન્ન, આગમહારક ધ્યાનસ્થ સ્વર્ગત પૂ આ શ્રી આનંદસાગરસૂરીશ્વરજીએ આખા જીવન દરમ્યાન વિશિષ્ટ રીતે કરેલ આગમ સંબંધી ઊંડા ચિંતનબળે તારવેલ અનેક સૂમ તાત્તિવક આગમિક પદાર્થોને બાળજીને પણ બંધ થાય તે શુભ આશયથી ઘણા જિજ્ઞાસુઓના આગ્રહથી “આગમ રહી” નામે મોટો નિબંધ વિ. સં. ૧૯૯૦ના માગશર સુદ ૧૫ તા. ૧-૧૨-૩૩ શુક્રવારથી શ્રી સિદ્ધચક્ર (વર્ષ-૨, અંક-૫)માં અગ્રલેખ રૂપે લખે શરૂ કરેલ જે વર્ષો સુધી ચાલ્યું, તેમાં ઘણા મહતવના આગમિક પદાર્થો, અદ્ભુત આગમિક તર્કો, વિશિષ્ટ શાસ્ત્રીય દલીલે અને અદ્ભુત માર્મિક બાબતે આવતી હતી. જેનાથી ઘણા મુમુક્ષુ-જિજ્ઞાસુ બાળજીના તાત્વિક જ્ઞાનમાં વધારો થયે આગમ ચેતના માધ્યમથી તન્વરૂચિનું પોષણ કરવા પ્રયત્નશીલ પુણ્યવાનના હિતાર્થે આગમ તને પ્રારંભ જ (પ્રથમ વર્ષના પ્રથમ પુસ્તકથી જ) આ નિબંધ દ્વારા કરેલ, જે આજ સુધી દર વર્ષના પ્રથમ પુસ્તકમાં નિયમિત ચાલુ છે.
સુજ્ઞ વિવેકી વાચકેએ ગ્ય ગુરૂગમ મેળવી આ નિબંધને સમજવા પ્રયત્ન કરો]
Page #33
--------------------------------------------------------------------------
________________
આ
ગ....મ ૨હસ્ય
દુષમા કાલથી મેધાદિની હાનિ જણાવનાર વાકય નિયામક નથી,
દુષમકાળમાં પણ પ્રસંગે પ્રસંગે શ્રુતકેવલી સરખા શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજ, પ્રકરણના પ્રવાહને વહેવડાવવામાં અનુપમ શક્તિ ધરાવનાર ભગવાન હરિભદ્રસૂરિજી, અઢારે દેશમાં સજીવ માત્રની શુદ્ધ દયા પ્રવર્તાવનાર પરમહંત મહારાજા કુમારપાળને પ્રતિબોધ કરનાર વ્યાકરણાદિ ચતુર્વેદના વિધાતા કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી, છેવટે અઢારમી સદીમાં જૈનશાસનની જય પતાકાને ફરકાવનાર તથા સ્વપર મતના નવ્ય અને પ્રાચીન સર્વ સિદ્ધાંતના જ્ઞાતા અદ્વિતીય વિદ્વાન ન્યાયાચાર્ય શ્રીમાન યશવિજયજી ઉપાધ્યાય વિગેરે મહાપુરૂષે શાસનની શેભાને વધારનારા થઈ ગયા એ ઇતિહાસ સિદ્ધ જ હકીકત છે.
તેથી દુષમકાલને લીધે મેધાદિની હાનિ જે શાસ્ત્રકારોએ જણાવી છે, તે માત્ર બહુલતા એ તેમ હોવાને લીધે સંગતિપ્રદર્શક વાક્ય તરીકે છે. પણ તે નિયમપ્રદર્શક વાક્ય તરીકે નથી.
આ સર્વ હકીકત જણાવવાનું કારણ એટલું જ છે કે અવસપિણી કાલને પ્રભાવ રૂ૫-રસાદિની હાનિ ઉપર જ પડે છે, અને આ જ વાત જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં પણ અવસર્પિણીના અધિ. કારમાં રૂપ, રસ ગંધાદિની હાનિ જણાવવા દ્વારા સ્પષ્ટ કરેલી છે.
કાળ પ્રભાવે હાકાર આદિ નીતિની હદનું ઉલ્લંઘન
આવે પુદ્ગલે ઉપર અવસર્પિણીને પ્રભાવ પડતો હોવાથી જે ક૯ વૃક્ષો પ્રથમ યુગલિયાઓને જીવન નિર્વાહની સર્વ સામગ્રી યથેચ્છ રીતે પૂરી પાડતા હતા, અને ધરાએલાને જેમ ફાંફાં મારવાનાં હેય
Page #34
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
૧૧ નહિ તેમ તે ભગવાન ઋષભદેવજીથી પહેલાંના કાળના જુગલિયાઓને પિતાને સંપૂર્ણ વસ્તુ મળતી હોવાથી બીજાની વસ્તુ લેવા તરફ નજર જતી જ ન હતી. અવસર્પિણી કાલના પ્રભાવે કલ્પવૃક્ષને પ્રભાવ ઘટવાથી યુગલિયાઓને પોતાના જીવનનિર્વાહની વસ્તુઓ પણ પૂર્ણ પણે મળતી બંધ થઈ અને તેથી દરિદ્ર મનુષ્ય જેમ પાપ કરવા તરફ દોરાય તેવી રીતે તે યુગલિયાઓ જીવનનિર્વાહના સાધનની ન્યૂનતા થવાથી એક બીજાની વસ્તુને પડાવી લેવામાં જ પુરુષાર્થ ગણવા લાગ્યા અને તે અન્યાયી પ્રયાસ-પુરૂષાર્થ એટલી હદ સુધી વધી ગયું કે મહારાજા નાભિકુલકર તરફથી પ્રવર્તતી હાકાર, માકાર અને ધિક્કારની નીતિ કઈ પણ પ્રકારે અસરકારક થઈ નહિ. યુગલિયાઓની ને અધિપતિની માંગણી પાછળની મદશા :
સામાન્ય રીતે જેમ જગતમાં અનીતિને પ્રવર્તાવનારો પ્રથમ રાજી થાય છે, પણ શેરમાં માર પડ્યાની માફક અનીતિ કરનારાની ઉપર પણ જ્યારે બીજે સવાઈ અનીતિ કરનારે થાય છે, ત્યારે પ્રથમ તે અનીતિ કરનારને અનીતિનું વિષમ પણું માન્યા વગર અને જાહેર કર્યા વગર ચાલતું નથી. તેવી રીતે યુગલિયાઓમાં પણ અનીતિનું સામ્રાજ્ય એટલું બધું વધી ગયું કે તેમાં નાભિ મહારાજની હાકાર, માકાર અને ધિક્કારની નીતિને પ્રભાવ ન ચાલ્યું અને તે યુગ લિયામાં એવા વિચારને જન્મ મળે કે હવે આપણે વાચિક શિક્ષાથી અનીતિને દૂર કરીએ તેવા રહ્યા નથી, માટે આપણી ઉપર એ કઈ નિયંતા થવું જોઈએ કે જે કાયિક શિક્ષા દ્વારા પણ આપણુમાં પ્રવર્તતી અનીતિને જડમૂળથી ઉખેડી નાખે.
આ વિચાર થવાથી તે યુગલિયાએ પિતાને શિર રાજસત્તા સ્થપાવવા તૈયાર થયા.
વર્તમાન ઇતિહાસને જાણનારાઓ પણ સમજે છે કે આયલેન્ડને ઇંગ્લેન્ડ સમશેર કે સતામણીથી કજે કરેલું નથી. પણ આયર્લેન્ડ પિતે જ પિતાની પરસ્પરની અંધાધુધી દૂર નહોતું કરી શકયું, ત્યારે જ ઈંગ્લેન્ડના શહેનશાહના શરણે જઈ શહેનશાહતને એક ભાગ બન્યું. એવી રીતે યુગલિયાએ પણ પોતાના અંદર અંદરના અનીતિના અતિક્રમણને દૂર ન કરી શક્યા અને વાચિક નીતિના પ્રવર્તનથી
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૨
આગમત કબજે ન રહી શક્યા અને તેથી જ તેઓને પિતાને શિર કેઈક કાયિક શિક્ષણ કરનાર અર્થાત્ રાજા ધરાવવાની જરૂર પડી. નાભિ મહારાજાની મુશ્કેલી:
આ સ્થાને એક વાત ધ્યાનમાં રાખવાની છે કે –
ભગવાન ઋષભદેવજીની પહેલાં પણ તેઓશ્રીના પિતા મહારાજા નાભિજી હાકાર વિગેરેની નીતિ પ્રવર્તાવવા દ્વારા રાજા નહિ થયા છતાં પણ પ્રજાના શાસક હતા અને તેથી જ તે યુગલિયાઓએ મહારાજા નાભિ કુલકરની પાસે તેવા કાયિક શિક્ષણ કરનારા યાને અધિપતિ એવા રાજાની માંગણી કરી.
આ માંગણી યુગલિયાઓએ નાભિ મહારાજાની પાસે કરેલી છતાં નાભિ મહારાજા યુગલિયાપણુમાં જન્મેલા હેઈ થતા અપરાધની સર્વ રીતિઓ અને તેને માટે યથાયેગ્યપણે કરવા જોઈતા સર્વ કાયિક દંડેને તેઓ જાણી શક્યા ન હોય અને તેથી કાયિક શિક્ષા કરવા માટે યુગલિયાઓએ અધિપતિની માગણી તેને ના પહોંચી વળે તે સ્વાભાવિક જ છે. યુગલિયાઓની રાજાની માંગણીને ઉકેલ:
પણ તે યુગલિયાઓની માંગણીને પહોંચી વળવાની મુશ્કેલી નાભિ કુલકર મહારાજાને વધારે વખત પડી શકે તેમ નહતી. કેમકે પહેલા ભવના ચક્રવતી પણુના અનુભવવાળા અને ગર્ભથી મતિ શ્રુતજ્ઞાનની સાથે સંપૂર્ણ લેકનાડીના અવધિજ્ઞાનને ધરાવવા સાથે જાતિસ્મરણને ધારણ કરનારા ભગવાન ઋષભદેવજી જે પિતાના પુત્ર તરીકે હતા તેમનું યથાસ્થિત સ્વરૂપ છે કે કુલકર નાભિ મહારાજાના ખ્યાલમાં ન હતું, છતાં એટલું તે નાભિમહારાજાને નિશ્ચિત હતું કે આ ઋષભદેવ અન્ય સર્વ મનુષ્ય કરતાં બુદ્ધિમાં જબરદસ્ત છે. થકવતી પણાને અને શાસપદ્ધતિને ભગવાનને જ ખ્યાલ :
ધ્યાન રાખવાની જરૂર છે કેવર્તમાન વીશીમાં થએલા તીર્થકરોમાં પૂર્વભવના કેઈ પણ ચક્રવર્તી પણાવાળા હોય તે તે ફક્ત ભગવાન ઋષભદેવજી જ છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૩
પુસ્તક ૧-લું જે કે અજિતનાથજી ભગવાન વિગેરે તેવીસ તીર્થંકર પૂર્વભવમાં રાજારૂપે હતા, પણ ચક્રવતી પણાનું સૌભાગ્ય તે પૂર્વભવમાં ફક્ત ભગવાન ઋષભદેવજીને જ હતું અને તે ચક્રવતી પણાનું સંપૂર્ણ
સ્મરણ ભગવાન ઋષભદેવજીને મૂળથી જાતિસ્મરણ હોવાને લીધે સંપૂર્ણ પણે હતું, એમ કહેવાની વધારે જરૂર નથી.
વળી એ પણ વાત ધ્યાનમાં રાખવાની છે કે અજિતનાથજી ભગવાન વિગેરે ત્રેવીસે તીર્થકરો પૂર્વભવમાં માત્ર આચારાંગાદિ અગિયાર અંગેને જ ધારણ કરનારા હતા, ત્યારે ભગવાન ઋષભદેવજી પહેલાના ભવમાં ચૌદ પૂર્વને ધારણ કરનારા હતા. એટલે જાતિસ્મરણને લીધે પહેલા ભવનું ચક્રવર્તી પણાનું અસાધારણપણે રાજનીતિનું જ્ઞાન અને અદ્વિતીય એવું શાસ્ત્રીયજ્ઞાન ભગવાન ઋષભદેવજી મૂળથી જ ધારણ કરનારા હતા.
તેથી મહારાજા નાભિજી પિતાને લાગતી મુશ્કેલીને રસ્તે ચળકતા તારા તરીકે ઝળકતા ઋષભદેવજી કાઢી શકશે એમ ધાર તેમાં કઈ પણ પ્રકારે અતિશયોક્તિ કે અયોગ્યતા તે કહેવાય જ નહિ. તે મુશ્કેલીને અંત લાવવા માટે નાભિ મહારાજે સંકેચ કે શરમને અવકાશ ન આપતાં ભગવાન ઋષભદેવજીને જ રાજા તરીકે થાપવાનું યુગલિયાઓને ખુલ્લા દિલથી જણાવી દીધું. રાજા શબ્દની ઉત્પત્તિ કરનાર ભગવાન ઋષભદેવ:
એ વાત પણ સાચી જ છે કે ભગવાન ઋષભદેવજીના ગુણોનું ઘણું વધારે જ્ઞાન મહારાજા નાભિ કુલકરને હતું. છતાં સૂર્યને ઉદય દૂરવાળાને પણ ધ્યાન બહાર ન હોય તેવી રીતે તે ઋષભદેવજી મહારાજને પ્રભાવ યુગલીઆઓની પણ ધ્યાન બહાર નહોતે અને તેથી યુગલિયાઓએ પ્રથમ વાચિક નીતિ ઉલ્લંઘન કરનારને કાયિક દંડની નીતિથી વશ કરનાર કોઈ અધિપતિની માંગણી ભગવાન ઋષભદેવજી પાસે કરી અને તે માગણને અંગે ભગવાન ઋષભદેવજીએ તે અધિપતિ રાજા હોય તે જ બની શકે એમ કહી રાજા શબદનો પ્રથમ આવિર્ભાવ ભગવાન ઋષભદેવજીએ કર્યો. અને વિનય ગુણના દરિયા એવા ભગવાન ઋષભદેવજીએ તેવા કાયિક દંડથી નીતિને પ્રવર્તાવનાર (અનીતિને રોકનાર) રાજાની માંગણી કરવા માટે
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૪
આગમત યુગલિયાઓને નાભિ મહારાજ પાસે મોકલ્યા. પણ નાભિ મહારાજે તે માંગણથી આવી પડેલી મુશ્કેલીને ઋષભદેવજીને જ તમે રાજા તરીકે થાપે એમ જણાવી અંત આણ્ય. પ્રભુ ઋષભદેવના રાજાપણાની અને ખી રીત:
આ રીતે યુગલિયાઓએ સ્વયં રાજાની માંગણી નાભિકુળકર મહારાજા પાસે કરી અને તેઓએ પ્રભુ ઋષભદેવને રાજા તરીકે સ્વીકારી એવી વાત રજુ કરીને યુગલિઆએને સ્વેચ્છાથી રાજાના અનુશાસનમાં રહેવાની વાત જણાવી.
આ ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે સત્તા જમાવવાના કોડ પૂરા કરવા જેમ બીજા રાજાઓ રાજગાદી ગ્રહણ કરે છે અને પિતાને રાજા તરીકે થાપવાની પ્રજાજને પર ફરજ પાડે છે, તેવી રીતે ભગવાન ઋષભદેવજીના વિષયમાં બન્યું નથી. રાજાની પ્રજા કે પ્રજાને રાજા :
વર્તમાન યુગમાં ગીધડાઓની માફક ફેલી ખાવામાં કુશળતા ધરાવનારા રાજ તરફથી એવી કબુલાત તે જાહેર કરવામાં આવે
જે પ્રજા રાજાને રાજા તરીકે કબુલ કરવાને તૈયાર ન હોય તે પ્રજા ઉપર તે રાજાએ રાજ્ય કરવું તે એક ઈશ્વરી અપરાધ હેવા સાથે સદાની અશાંતિને સમુદ્ર મથવા જેવું જ ગણાય પણ આવી ડાહી વાત કરનારા પણ માત્ર આ ડાહી વાતેનો ઉપગ બીજા રાજા અને બીજી પ્રજાને ભારે ઉશ્કેરણીમાં કારણ ઉભું કરવા માટે જ કરે છે.
પિતાને ન્યાયી સુધરેલ ગણાવનાર કોઈ પણ રાજ્યની સરકારે પિતાના તાબાના લેકએ રાજા તરીકે મંજુર કરવા ના પાડી હોય તે તેના ઉપરથી પિતાની સત્તાની ધુંસરી ખસેડી દેવા તૈયાર થએલી નથી. એટલું જ નહિ પણ તેવે વખતે તેવા સંકલ જનસમુદાયને બળવાર અને બેવફા તરીકે જાહેર કરી માર્શલ–લેના અમલ કરવા સુધી પણ પાછી પાની કરવાની કોઈ પણ સરકારે પ્રવૃત્તિ કરી નથી, અર્થાત્ કહેવું જોઈએ કે–“પ્રજાજનને ગમે તેવા જ રાજાએ
Page #38
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું તે પ્રજા ઉપર રાજ્ય કરવું જોઈએ.” એ કથન માત્ર એપવાળું જ જોડવામાં આવેલું છે.
યુગલિકને લાગેલી દુષ્ટ-દમનની જરૂરઃ
પણ અહીં ભગવાન ઋષભદેવજી મહારાજના પ્રસંગને અંગે તે એ હકીકત કરતાં પણ ઘણું જ અદ્દભુત વાત એ છે કે-યુગલિયા ઓએ પિતે જાતે જ પોતામાં જે કોઈ દુષ્ટ હોય તેને શિક્ષા યાને દંડને પાત્ર બનાવવા માટે રાજાની માંગણી કરી. શિષ્ટપાલન એ રાજાનું કૃત્ય ન હોય:
જો કે સામાન્ય રીતે લોકોક્તિને અનુસાર દુષ્ટનું શિક્ષણ અને શિષ્યનું પાલન એ બે કાર્ય રાજાના ગણવામાં છે. પણ વાસ્તવિક રીતિએ વિચાર કરતાં જણાશે કે શિને પાલન કરવાની ફરજ એ માત્ર બેટી શોભા લેવા રૂપજ છે. કેમકે શિષ્ટો પોતાના ઉત્તમ હવભાવથી પિતાનું પાલન કરનારા હોય છે. પણ શિષ્યોને પોતાના સ્વભાવમાં વર્તતા છતાં દુષ્ટો તરફથી જે ઉપદ્રવ થાય તે જ ઉપદ્રવ માત્ર શિણોની પ્રવૃત્તિને બાધાકારક થઈ શિણોના પાલનને મુશ્કેલ બનાવી દે છે, અર્થાત કહેવું જોઈએ કે શિણોનું પાલન એ રાજ્ય ધર્મ છે, એમ કહેવું તે માત્ર રાજાને ફગટની શોભા દેવા જેવું છે, પણ વાસ્તવિક રીતે રાજાનું કાર્ય દુષ્ટોને દમન કરવા પૂરતું જ હોય છે. આર્થિક નાશના રક્ષણ માટે રાજાની જરૂર ?
તેથી જ પૂ. આ. ભગવાન હરિભદ્રસૂરિજી મ. અણકજી નામના પ્રકરણમાં સ્પષ્ટ શબ્દથી જણાવે છે કે
मिथो वै कालदोषेन, नायकाभावतो जनाः विनश्यंत्यधिकं तस्मात्, तत्प्रदानं गुणावहम् ॥ १ ।। અર્થાત્ અવસર્પિણીકાલના પ્રભાવને લીધે મનુષ્યના અંતઃકરણમાં દુછવાસનાઓને પ્રાદુર્ભાવ અધિકાધિક થતે ગયે અને તેથી તે તે દુષ્ટ વાસનાઓની અધિકતાવાળા મનુષ્ય પોતાના ઉપર રાજ્ય સત્તા ન હોય તો પિતે નીતિના ઝપાટાથી નાશ પામે અને અન્ય સજજનેને દુર્નતિના ભેગ બનાવી તેને પણ નાશ કરે.
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૬
આગમત રાજ્યપ્રધાન અને રાજ્યારોહણની ભિન્નતા :
આ હકીકત ભગવાન ઋષભદેવજીના રાજ્યારોહને અંગે સીધી કહેવામાં આવેલી નથી, પણ ભગવાન ઋષભદેવજીએ સંસારની અસારતા દેખી જે વખતે પરમ પવિત્ર વૈરાગ્ય પ્રવાહના મેજાઓ ઝીલવા માંડ્યાં, તે વખતે ભરતાદિક સે પુત્રોને શા માટે રાજ્યાભિષેક કરી રાજા બનાવી રાજ્યની વહેંચણી કરી આપી? આવી શંકા કરનારે જવું સાથે નરલhiત એટલું જ માત્ર શીખી રાખેલું હતું અને તેના પ્રભાવે રાજ્ય એ મહાન દુર્ગતિનું કારણ છે, અને તેવી દુર્ગતિના કારણરૂપ રાજ્ય વૈરાગ્યથી વાસિત થએલે મહાપુરૂષ જ્યારે પોતે છોડી દે છે, ત્યારે તે મહાદુર્ગતિના કારણરૂપ રાજ્ય પર બીજાને આરૂઢ કરે તે વૈરાગ્યવાસિત કઈ પણ મહારાજાને લાયક ન હોય, તે પછી વિશ્વવત્સલ એવા વિશ્વપ્રભુને તે લાયક હાયજ કેમ?
આવી રીતની શંકાને સમાધાનને અંગે નીતિકારનું જે બીજું પદ રાગ ઘાર્થિ : એવું છે તેને અનુસરીને વિચારતાં એમ જણાય છે કે રાજ્યગાદી ઉપર આરૂઢ થવું કે આરૂઢ કરવા તે પાપરૂપ છતાં તે રાજ્યગાદી શૂન્ય રાખવાથી રાજ્યને નાયક કેઈ ન રહેતાં લેકો અધિકાધિક વિલાસને પંથે ઉતરી જાય, માટે તે અધિકાધિક વિનાશને રસ્તે રોકવારૂપ પરોપકારની સિદ્ધિને માટે જ વૈરાગ્ય વાસિત મહાત્માઓ પણ પુત્રાદિકને રાજ્યસન ઉપર બેસાડી અભિષેક કરી રાજ્ય અર્પણ કરે છે, તે બરાબર ગુણને જ દેનારું ગણાય છે.
છોકરાને નાગના ભયથી બચાવવાની ઘટના :
જે કાર્યમાં અધિક ફાયદે હોય અને અલ્પ દેષ હોય તે તે કાય તેના અધિકારીને કરવાની ફરજ પડે છે, જેમ ખાઈની અંદર રમતા છોકરા તરફ કાળો નાગ ડંસવાને આવતું હોય તે કાંઠે ઉભેલી તે છોકરાની માતા તે છોકરાને બાવડું પકડીને એકદમ ઉંચે ખેંચી લે છે તે છોકરાને ખેંચતી વખતે તેને હાથ ઉતરી જશે કે તેનું શરીર છેલાશે, એ વિગેરે દુખ ચક્કસ છતાં પણ સર્વથા જીવિત નાશ કરનાર એવા નાગથી રક્ષણ કરવાનું કાર્ય કરવાનું હોવાથી
Page #40
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું માતા તે છોકસને એકદમ ખેંચી લે તેમાં કોઈ પણ પ્રકારે તે અયોગ્ય કરે છે એમ કહેવાય નહિ. કેમકે અધિક દષની રક્ષાને માટે ન્યૂનદેષની આપત્તિ પણ અધિકારીઓને વહોરવી પડે છે.
તેવી રીતે અહીં પણ ભગવાન ઋષભદેવજીને અનીતિના પ્રચારથી યુગલિયાનો થતો નાશ દેખીને તેમની વિનંતિથી અને નાભિ મહારાજાની આજ્ઞાથી રાજ્યસન ઉપર બેસી રાજા થવાની જરૂર પડી.
આ વાત તે ધ્યાન બહાર જવી ન જોઈએ કે રાજ્યનીતિ પ્રવર્યા પછી તે કોઈને કોઈ રાજ્યસન ઉપર બેસે અને પરમાર્થને દાવે નહિ તે સ્વાર્થને અંગે પણ દુષ્ટનું દમન કરવા તૈયાર થાય પણ અહિં તે ભગવાન શ્રી ઋષભદેવજી જે રાજા ન થાય તે દુષ્ટોનું દમન જ અશક્ય છે, માટે તેઓશ્રીને જ રાજા થવું જરૂરી જ હતું. કુલકરની રીતિથી જુદી રીતિ કેમ?
સામાન્ય રીતે જ્યાં સુધી દુષ્ટતાને પ્રચાર નહેતે થયે ત્યાં સુધી તે કુલકરાની હાકાર, માકાર અને ધિક્કારની નીતિથી દુષ્ટોનું દમન રીતસર કેઈ કાળ સુધી ચાલ્યા કર્યું, પણ તે હાકાર આદિના દમનથી દુષ્ટનું દમન ન થવા લાગ્યું, ત્યારે જ યુગલિયાઓને રાજા નીમવાની અને ભગવાન ઋષભદેવજીને રાજા થવાની જરૂર પડી, એટલે કે કુલકરની નીતિઓને પ્રભાવ પણ દુષ્ટના દમનને અંગે જ હતે અને ભગવાન ઋષભદેવજીનું રાજ્યારૂઢ થવું, તે પણ માત્ર દુષ્ટના દમનને અંગે જ થયું છે. હવે તે દુષ્ટના દમનને જ રાજાનું મુખ્ય કાર્ય માની ભગવાન ઋષભદેવજીના રાજ્યારેહણને વિચાર કરીએ. અભિષેકની વાત કેણે પ્રગટ કરી? ને તેને હેતુ :
એક વાત ધ્યાનમાં રાખવાની છે કે ભગવાન ઋષભદેવજીએ દુષ્ટના દમન માટે જ્યારે રાજ્યારૂઢ થવાને સ્વીકાર કર્યો ત્યારે તેજ ભગવાને રાજ્યારૂઢ થવાની રીતિ પણ યુગલિયા આગળ પ્રદર્શિત કરી.
રાજ્યારોહણને માટે ભ, ઋષભદેવજી બીજ કાંઈ પિતાના શ્રીમુખથી ન કહે તે સ્વાભાવિક છે અને તેથી તેમને માત્ર રાજ્યા.
Page #41
--------------------------------------------------------------------------
________________
આગમત રૂઢ થવાના ચિહ્ન તરીકે અભિષેક કરવાની સૂચના કરી અર્થાત જેને રાજા તરીકે થાપ હોય તેને સર્વ પ્રજાજને મળીને અભિષેક કરવું જોઈએ. અભિષેકની સામગ્રીને અભાવ:
ધ્યાન રાખવાની જરૂર છે કે આ વખતે ધાતુનાં ભાજને કે કલશ વિગેરેને કોઈપણ વ્યવહાર પ્રવતેલે હતો નહિ. એટલે એક તરફ યુગલિયાઓએ પોતાને માથે રાજા થવાની કરેલી માંગણીના ઉત્તરમાં રાજાપણાને અભિષેક કરે જોઈએ એ મળેલે ઉત્તર પણ ઘણે જ મૂંઝાવનાર થઈ ગયે. કેમકે નથી તે કળશ વિગેરે રાજ્યાભિષેકની સામગ્રી, અને નથી તે કોઈ દિવસ રાજ્યાભિષેકનું દશન. ૫૦૦ ધનુષ જેવી મોટી કાયાના શરીરને અભિષેક કરે અને કળશ વિગેરે જોઈતી સામગ્રીઓને સવને પણ ખ્યાલ નથી. અભિષેકને માટે જળ કેમ લાવવું ?
મુંઝવણમાં આવી પડે મનુષ્ય પણ પિતાના કર્તવ્યને ફરજ સમજી પોતાની શક્તિ પ્રમાણે કર્તવ્ય કરવા તૈયાર થાય તે સ્વાભાવિકજ છે, તેથી તે યુગલિયાએ પણ પિતાની માંગણીના ઉત્તર તરીકે અભિષેક કરવાની ક્રિયાને ફરજ સમજી જળાશય તરફ દેડ્યા, સર્વ યુગલિયાઓ જલાશય ઉપર ગયા. જલાશય ભરપૂર ભરેલું છે. પણ તે જલાશયમાંથી અભિષેકને સ્થાને જલ લાવવું શી રીતે? એ પ્રશ્ન તેઓને ઘણી જ મુંઝવણું કરનારે થયે. જલાશય આગળ કે જલાશયમાં બીજું કાંઈપણ તેવું પાણીને લેવાનું સાધન નથી. છતાં તે યુગલિયાઓ હિંમત હાર્યા નહિ અને તે જ જલાશયમાં ઉગેલી કમલિનીઓનાં પાંદડાંમાં પાણી લઈ ભગવાન ઋષભદેવજીને રાજ્યાભિષેક કરવા તૈયાર થયા. જલ લાવનાર યુગલીયાઓની પ્રચંડ સંખ્યા
તે યુગલિયાઓને સમુદાય એટલે બધા જબરદસ્ત કે જેના સંખ્યાબળે કમલિનીના પાંદડે પણ આવેલું પાણી ભગવાન ઋષભદેવજીની ૫૦૦ ધનુષ્યની કાયાને પણ અભિષેક કરી શકે. પ્રચંડ સંખ્યાબળને ધારણ કરનાર યુગલિયાને તે સમુદાય જલાશયથી નલિનીના પાંદડાંથી પાણી લઈને આવે છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું ભગવાનના રાજ્યાભિષેક માટે ઈન્દ્રના આસનનું કંપવું
તે જ વખતે પીપલના પાનની માફક, કપટીને ધ્યાનની માફક, દુર્જનના નેહની માફક, નારીએ સાંભળેલા ગુદાની માફક એકાએક ઈન્દ્રનું આસન ચલાયમાન થયું. અવધિજ્ઞાનમાં લબ્ધિ અને ઉપયોગને ભેદ
જે કે ઈન્દ્ર મહારાજના અવધિજ્ઞાનને વિષય તિર્યગ્ન લેકમાં અસંખ્યાતા દ્વીપ સમુદ્રને છે. તે પણ તે અવધિજ્ઞાન ક્રમિક ઉપ
ગના સ્વભાવવાળું હોઈને તેમજ પોતાના ઉપગથી જ પિતાના રેય પદાર્થોને જણાવવાવાળું હોવાથી અર્થાત કેવળજ્ઞાનની પેઠે લબ્ધિ અને ઉપગની સમાનતાનો અભાવ હોવાથી કેટલીક વખત માત્ર લબ્ધિરૂપે તે અવધિજ્ઞાન વતે, પણ ઉપગરૂપે ન હોય ત્યારે તે જ્ઞાનથી જાણવા લાયક પદાર્થોને બંધ થઈ શકે નહિ.
માટે તે અવધિજ્ઞાનાદિક છાઘસ્થિક જ્ઞાનમાં લબ્ધિ અને ઉપગ એમ બે પ્રકાર માનવા પડે છે. અને અવધિજ્ઞાનાદિન લબ્ધિકાળ કાંઈક અધિક ૬૬ સાગરોપમ માન્યા છતાં પણ ઉપગ કાળ માત્ર અંતમુહૂર્તને જ મનાય છે. અને તેથી ઈન્દ્ર મહારાજાને અવધિજ્ઞાનની લબ્ધિ છતાં પણ તે અવધિજ્ઞાનને ઉપગ જંબૂઢીપમાં મેલવાનું કાર્ય આસનના ચલાયમાનપણને લીધે થયું. ભગવાનને રાજ્યાભિષેક ઇન્દ્ર કેમ કરે છે?
અવધિજ્ઞાનના ઉપયોગથી ઈન્દ્ર મહારાજને ભગવાન ઋષભદેવજીની રાજ્યાભિષેક ક્રિયાની જાણ થઈ અને તેથી તે ઈન્દ્ર મહારાજને વિચાર આવ્યો કે અતીત, અનાગત કે વર્તમાન એ ત્રણે કાળના ઈન્દ્રોનું કર્તવ્ય છે કે પ્રથમ જિનેશ્વરના રાજ્યારોહણને અંગે સકળ સામગ્રી સાથે રાજ્યાભિષેકની ક્રિયા કરે, અને તેથી મારૂં પણ એ કર્તવ્ય છે કે હું ભગવાન ઋષભદેવજીના રાજ્યાભિષેકની ક્રિયા કરું, સેવં શબ્દ દેખીને કલ્યાણક માનનારને સમજ :
કેટલાક શાસના તત્વને નહિ જાણનારા તેમજ ગ૭ કદાહના કારાવાસમાં કેદી બનેલા લોકો માત્ર સેય એટલું પદ દેખીને કલ્યાણકની
Page #43
--------------------------------------------------------------------------
________________
૨ ૦.
આગમત કલ્પના કરવા તરફ દેરાય છે. તેઓએ આ રાજ્યાભિષેક વખતે ઇંદ્ર મહારાજે ઉચ્ચારણ કરેલા સેયં શબ્દનું તથા અભયકુમાર અને તેને પૂર્વ સંગતિક દેવતા વગેરેએ ઉચ્ચારણ કરેલા સેલું શબ્દ ઉપર દ્રષ્ટિ કરવી, કે જેથી માત્ર તેય શબ્દ દેખીને કંઈ પણ સ્વગછીય કે પરગથ્વીય આચાર્યોએ નહિ કરેલા એવા કલ્યાણક અર્થ કરવા તરફ ખોટી રીતે દેરાવાનું થાય નહિ. રાજ્યાભિષેકની અંદી ક્રિયા:
એવી રીતે વિચાર કરીને ઇંદ્ર મહારાજા રાજ્યાભિષેકની સકળ સામગ્રી સાથે ભગવાન ઋષભદેવજીની પાસે હાજર થયા અને ભગવાન ઋષભદેવજીને સુવર્ણ કળશાદિકથી અભિષેક કરી, તેમને મુકુટ, કુંડલાદિ અલંકાર અને છત્ર ચામર આદિ રાજચિહ્નોથી અલંકૃત કર્યા.
ભગવાનના રાજપણામાં દૈવિકતા :
આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે ભગવાન ઋષભદેવજીને રાજ્યાભિષેકમાં પૂરેપૂરી અને દૈવિક ક્રિયાને પણ સંબંધ છે. અર્થાત્ ભગવાન તીર્થકરોમાં આદ્ય તીર્થકર ભગવાનને રાજ્યાભિષેક એ કેવળ દૈવિક પ્રભાવ છે. યુગલીયાઓનું આવવું અને વિનય સ્વભાવને પ્રભાવ:
જલાશય ઉપર ગયેલે યુગલિયાને સમુદાય નલિનીના પાંદડે પણ અભિષેકને લાયકનું જલ લઈ ભગવાન ઋષભદેવજી પાસે હાજર થયે, પણ ભગવાન ઋષભદેવજીને વસ્ત્રાભરણથી શણગારાએલા અને છત્ર આદિ રાજ્ય ચિહ્નોથી મંડિત થયેલા જોઈ આશ્ચર્યમાં ડૂબી ગયા અને પિતે અભિષેકને માટે જે જલ લાવેલા છે તે જલનું શું કરવું? તેને વિચારમાં પડ્યા. છતાં સે શાણે એક મત કહેવાય છે. તેની માફક તે મેટા સંખ્યાબળને ધારણ કરવાવાળા યુગલિયાએ સર્વે એકમત થયા હોય તેમ ભગવાનના ચરણકમળ ઉપર તે સર્વે એ પાણી ઢાળ્યું અને તેને અભિષેક તરીકે ગણી પિતાને કૃતાર્થ માનવા લાગ્યા.
Page #44
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું શિષ્યનું પિષણ એ રાજ્યધર્મ :
આવી યુગલિયાઓની સ્વાભાવિક વિનયવાળી વૃત્તિ, અને તે પણ ભગવાન ઋષભદેવજીને અંગે થયેલી જોઈ ઇંદ્ર મહારાજા અત્યંત પ્રસન્ન થયા અને તેથી શિષ્ટાન || જૈવ એ રાજનીતિના કહેવાતા બીજા નિયમને જાણે શિષ્ટાંનાં પોષનું જૈવ એમ ગણીને તે સફળ કરવા જ હોય નહિ, તેમ તે યુગલિયાઓની સર્વ પ્રકારે અનુકૂળતા કરી દેવી તેવી રીતે ઇંદ્ર મહારાજે વિચાર કર્યો અને તે જ વિચારને અંગે વિનીતા નગરીને નિવેશને સંબંધ પ્રાપ્ત થયા. તીર્થકર ભગવાનને રાજ્યઋદ્ધિ હોવી જ જોઈએ:
ઈદ્રમહારાજાએ કેવળ ભગવાન ઋષભદેવજીને રાજ્યાભિષેક કર્યો એટલું જ નહિ, પણ શ્રી પર્યુષણ કલપસૂત્રમાં ભગવાન ભદ્રબાહુસ્વામીજી જેમ તીર્થંકરાનું રાજન્ય વિગેરે કુલેમાં આવવું જણાવીને પણ રાજ્યશ્રીને કરવા અને પાળવાવાળાં તે કુલ તેવાં જ જોઈએ, તેમજ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિજીના કરેલા વીતરાગસ્તાત્ર પ્રમાણે દરેક તીર્થંકર નરેન્દ્રશ્રી એટલે રાજલક્ષમીને અનુભવવાવાળા હેવા જ જોઈએ એ નિયમને અનુસરીને રાજ્યાભિષેકની સાથે રાજ્યઋદ્ધિની જરૂરીયાત ઈદ્ર મહારાજે ગણું હોય તે સ્વાભાવિક જ છે. શિષ્ટના પિષણમાં રાજઋદ્ધિની સફળતા
દુષ્ટનું શિક્ષણ કરવા માટે ઉપયોગી ગણાતી રાજ્યઋદ્ધિ પણ સપુરુષનું પિષણ કરવા સિવાય સાર્થક ન બની શકે, કેમકે દુષ્ટોના શિક્ષણને માટે ઋદ્ધિની આવશ્યકતા ન હોય એમ કદાચ માની શકાય.
જો કે તેમ સર્વથા માની શકાય તેમ તે નથી જ, કારણકે દુષ્ટોને ખેળવા માટે મનુષ્ય જોઈએ. દુષ્ટોના દુષપણાને નિશ્ચય કરવા માટે પણ મનુષ્ય જોઈએ. દુષ્ટને શિક્ષણ કરનારા પણ મનુ જોઈએ, તેમજ અત્યંત દુષ્ટોને દીર્ઘકાળ સુધી અપરાધ નહિ કરવાની હાલતમાં રાખવા અને કરેલા અપરાધની શિક્ષા જે જે થાય તેની સંભાળ રાખનારા પણ મનુષ્ય જોઈએ, છતાં એ દુષ્ટોના દમનમાં તેટલી ઋદ્ધિની જરૂર ન હોય એમ ગણીએ તે પણ શિષ્ટોન પિષણમાં સદ્ધિની ઘણુ જ જરૂરીયાત રહે.
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૨
આગમત છત્રાદિ માત્રથી રાજ્ય નહિ તેમ રાજા પણ નહિ
વાસ્તવિક રીતે તે રાજા શબ્દ સામાન્ય રીતે છત્રાદિકરૂપી રાજ્યચિહ્નોની સામાન્ય અદ્ધિને અંગે સંગત થતો નથી, પણ રાજ્યને લાયકની મહાઋદ્ધિના અર્થમાં જ સંગત થાય છે. કેમકે નાટકમાં રાજાને વેષ ભજવનારા નાટકીઆએ પણ છત્રાદિક ચિહ્નો તે ધારણ કરે જ છે. અને તેથી જો છત્રાદિક ચિહ્નોથી રાજા કહેવામાં આવે તો સાચા રાજા અને નાટકીઆ રાજામાં કોઈપણ ફરક રહે નહિ. રાજ્યઋદ્ધિ અંગે ઇન્દ્રની પ્રવૃત્તિ કેમ?
વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે તીર્થંકર મહારાજાઓ એટલા બધા પ્રબળ પુણ્યવાળા હોય છે કે જેના પ્રભાવે ઇંદ્ર મહારાજ સરખા પણ તીર્થકર મહારાજની ગર્ભથી આરંભીને સર્વ અવસ્થાઓમાં તેઓની ઉત્તમતા જગતમાં જે રીતે જાહેર થાય, તેવી રીતે સર્વ પ્રકારે ઉદ્યમો કરે છે.
ધ્યાન રાખવાની જરૂર છે કે જેમ જગતમાં લાભાંતરાયના ક્ષપશમવાળા મનુષ્યને દાન આપવાની કે વસ્તુ દેવાની બુદ્ધિ થાય છે, તેવી જ રીતે પૂર્વભવમાં વીસસ્થાનકની કે એકાદિન્યૂન સ્થાનકની આરાધના કરવા દ્વારા ઉપાર્જન કરેલા તીર્થંકર નામકર્મના પ્રભાવે ઇંદ્ર અને બીજા દેવતાઓને ભગવાન તીર્થંકર મહારાજની દરેક પ્રકારે દરેક અવસ્થામાં ભક્તિ કરવાનું મન થાય છે. જેથી કે તેઓ નિર્જરાના પંથે તેમજ પુણ્યાનુબંધી પુણ્યના પંથે ધપી શકે છે. સમ્યગદર્શનાદિથી નિર્જરા કે પુણ્યબંધ? .
સમ્યક્ત્વ, દેશવિરતિ અને સંયમથી જે કે કર્મની નિજ રા થાય છે અને તેથી તે નિરાનું કારણ મનાય છે અને તેની પ્રાપ્તિ પણ કર્મની અત્યંત નિજા થવાથી જ બને છે. તે પણ તે સમ્યક્ત્વાદિને ધારણ કરનારા જ નિજરા યેગ્ય અધ્યવસાયેના અભાવે પુણ્યાનુબંધી પુણ્ય પણ બાંધે છે. અને તે પુણ્યના ઉદયથી તે સમ્યક્ત્વાદિને ધારણ કરનારા મહાનુભાવે ઉચ્ચ અને ઉચ્ચતર દેવલેકમાં જાય છે, એટલું જ નહિ પણ તે સમ્યક્ત્વાદિને ધારણ કરનારા મહાનુભાવે જે દેવપણુમાં એક પણ સામાન્ય શબ્દ કહે,
Page #46
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
૨૩. તેટલામાં તેના પુણ્ય પ્રભાવે ઘણા દેવતાઓ સેવામાં હાજર થાય છે. અને ઘણા દેવતાઓ તેઓને વિનંતિ કરે છે કે “આપનું વચન અમને ઘણું જ પ્રિય લાગે છે અને તેથી આ૫ વારંવાર બેલે” તેવા દેવપણામાં જાય છે પણ આવી સ્થિતિ સમ્યક્ત્વાદિ દ્વારા જેઓએ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું હોય, તેઓની જ હોય છે. પુણ્યાનુબંધી પુષ્પવાળાના નરભવની મહરતા
પુણ્યાનુબંધી પુણ્યને બધિનારા સમ્યકત્વાદિને ધારણ કરનારા જી એકલા દેવના ભવમાં જ સમ્યક્ત્વાદિના ફળરૂપ પુણ્યાનુબંધી પુણ્ય ભોગવે છે એટલું જ નહિ, પણ શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે આ જાતિ એટલે દેવ ભવમાંથી થવીને ઉત્તમ મનુષ્ય ભવમાં આવવું પણ પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે ઉત્તમ સ્વરૂપે હોય છે." તીર્થકર ભગવાન આદિ નીચ કુલે કેમ ન આવે? ને તેથી જ તે સમ્યકત્વ વિગેરેને ધારણ કરનાર તીર્થકર મહા રાજ જેવા જીનું મનુષ્ય ભવમાં આવવું થતાં પણ અંતકુલ, પ્રાંતકુલ, તુચ્છકુલ, દરિદ્રકુલ, કૃપણુકુલ, ભિક્ષાચરકુલ જેવા તુચ્છ કુલમાં આવવું થતું નથી. છતાં કદાચ કોઈક તેવા મિથ્યાત્વાદિ દશામાં બાંધેલા નીચગેત્ર કે અંતરાયાદિ કર્મોને લીધે આવવું થાય, તે પણ ઈન્દ્ર કે બીજા દેવે તે સમ્યક્ત્વાદિ દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય કરવાવાળા જીનું ગર્ભાવસ્થામાં પણ પરાવર્તન કરી નાંખે છે.
આ વસ્તુને બારીક દષ્ટિથી સમજનાર મનુષ્ય ભગવાન મહાવીર મહારાજના ગર્ભ પરાવર્તનને અગ્ય કે અસંભવિત માની શકે જ નહિ. ગર્ભપહરણ એ આશ્ચર્ય કેમ?
ભગવાન મહાવીર મહારાજનું થયેલું ગર્ભ પરાવર્તન આશ્ચર્ય તરીકે ગણાય છે, પણ તે માત્ર અહંતુ આદિ ઉત્તમ પુરૂષોની અપેક્ષાએ જ છે. અર્થાત્ તેવા પુરૂષનું ગર્ભનું પરાવર્તન થવું તે તે પુણ્યાનુબંધી પુણ્યના ભેરથી જ હોય છે. પણ તેવા ઉત્તમ પુરૂષને મિથ્યાત્વ દશામાં બાંધેલા નીચ શેત્રાદિ કર્મો રહે અને
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૪
આગમજ્યેાત
તેવા કર્મોના ઉદયથી અંત કુલાર્દિકમાં આવવું પડે અને તેથી જ ઈંદ્રાદિકાને તે ગભની પરાવૃત્તિ કરવાની ફરજ પડે એ આશ્ચય છે, અન્યથા કોઈપણુ પુણ્યશાળીની જીંદગીમાં કોઈપણ વખત કાઈ તેવા પાપના ઉદયે અશુભ દશા હેાય, પણ તે અશુભ દશા ભાગવાઇ જતાં દેવાકિ દ્વારા શુભ દશા થાય તેમાં કોઇપણ જાતનું આશ્ચય નથી.
ભગવાનના વિવાહમાં પુણ્યના જ પ્રતાપ :
આવી રીતે તીથકર મહારાજાએાને પુણ્યાનુખ શ્રી પુણ્યના પ્રમળ ઉદય હૈાવાથી તેમની ગભ દશાથી માંડીને સવ દશામાં ઇંદ્ર મહારાજ વગેરે સવ સાધના મેળવી આપે છે.
આ ઉપરથી ઈંદ્ર મહારાજે ભગવાન ઋષભદેવજીના વિવાહ કાયમાં કરેલી પ્રવૃત્તિ તે તીર્થકર મહારાજાએાના પુણ્યાનુખ ધી પુણ્યના ઉયની પ્રમળતાને લીધે જ છે એમ સ્પષ્ટ સમજાશે.
તેવી જ રીતે ભગવાન ઋષભદેવજીના તીવ્ર પુણ્યાનુબંધી પુણ્યના પ્રતાપે રાજ્યગાદી ઉપર રાજા થવાના અભિષેક કરે અને તેની સાથે જ રાજાને લાયકની સર્વ ઋદ્ધિ-સમૃદ્ધિ મેળવી દે તેમાં આશ્ચય નથી.
સંયમાદ્દિવાળાને દશાંગ પુણ્ય :
શાકારો પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે સયમ આદિ ધને આરાધન કરનારા મનુષ્ય જ્યારે મનુષ્યપણામાં આવે ત્યારે તેને દશાંગ પુણ્ય એટલે મિત્ર, જ્ઞાતિ વગેરે ધર્મોના દશ સાધના સંપૂર્ણ હાય.
અહીં એમ કહેવુ એ બિનજરૂરી નથી કે ધર્મના પ્રતાપે જેવી રીતે આત્માની નિર્જરા દ્વારા શુદ્ધતા થાય છે. અર્થાત પાપકમા ક્ષય થાય છે તેવી જ રીતે તે ધમ દ્વારા કાયાદિ ચાખેની પવિત્રતા થવાથી પુણ્યમ ધ પણ અનગલ જ થાય છે. અને તેવા અનગલ બાંધેલા પુણ્યના ઉદયે મેક્ષની પ્રાપ્તિ થતાં સુધી તે પુણ્યાનુબંધી પુણ્યવાળા જીવને અવ્યાહતપણે સુખના બધા સાધનાની પ્રાપ્તિ સ્વાભાવિક રીતે થઈ રહે છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૫
પુસ્તક ૧-લું કેવળજ્ઞાન થયા પછી પણ પુષ્યને વિશિષ્ટ પ્રભાવ:
આ વાત ધ્યાનમાં લેતાં સ્પષ્ટ સમજાશે કે–તીર્થકર મહારાજાઓ વીતરાગપાછું મેળવી સર્વજ્ઞદશાને પામે છે. ત્યારે પણ દેવતાઓ ભગવાન તીર્થકરને પ્રકૃષ્ટ શાતા વેદનીયના ઉદયમાં સાધનરૂપ અશેક વૃક્ષાદિ હંમેશાં હાજર રાખે છે એકલા દેવતાઓ તીર્થકર મહારાજના શાતવેદનીયના સાધને હાજર રાખે છે. એટલું જ નહિ પણ તે તીર્થંકર મહારાજના પ્રબળ પુણ્યાનુંધી પુણ્યના પ્રતાપે કુદરત પણ લોકોને તીર્થંકર મહારાજના મહિમાને દાખવવા ઘણું જ અનુકૂળતા કરી આપે છે. તેથી તીર્થંકર મહારાજ જ્યાં જયાં વિચર ત્યાં ત્યાં મરકી–ઉપદ્રવ વગેરે ન હોય, તીડ આદિની ઈતિએ પણ ન હોય, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ પણ ન હોય, પિતાના દેશના લશ્કરને કે પરદેશના લશ્કરને પણ ભય ન હોય. ભીખમ-પંથીઓની ભયંકર અજ્ઞાનતા
આ સ્થાને જેઓ બચાવવાથી બચેલા પ્રાણીઓનું જિંદગીભરનું પાપ બચાવનારને લાગે છે, એમ માની બચાવવાને નિષેધ કરે છે, તેઓએ આવા તીર્થકર નામકર્મને બંધાવનારા અરિહંતાદિકના આરાધનરૂપી વીસસ્થાનકને ખરેખર શાપ આપ જોઈએ, અને ક્ષાપશમિકભાવે થએલા આરાધનના ફળ તરીકે આ અતિશય માનવા જોઈએ જ નહિ. પણ સૂત્રકારોએ તે આ ઉપર જણાવેલા મારી વિગેરે ઉપદ્રવ ન હોય, તેને તીર્થકર મહારાજના અતિશય તરીકે જણાવેલા છે. બચાવ કરવામાં શું છેલ્લી બે કિયા?
શાઓમાં હણનારને પ્રાણાતિપાતિકી અને હણવાના પ્રયત્નવાળાને પારિતા પાનિકી ક્રિયાની વાત સ્થાને સ્થાને જણાવી છે, પરંતુ કેઈ પણ શાસ્ત્રકારે કોઈ પણ સ્થાને કોઈ પણ જીવને બચાવવામાં પારિતાપનિકી કે પ્રાણાતિપાતિકી ક્રિયા થાય એમ માનેલું નથી, અને તેથી શાસ્ત્રના હિસાબે મરકી વિગેરે ઉપદ્રવના અભાવને અતિશય તરીકે મનાય તેમાં આશ્ચર્ય નથી.
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૬
આગમત ભીખમપંથીની દશા સંસાર-મથકવાદી જેવી
એમાં આશ્ચર્ય તે તેઓને જ લાગે કે જેઓ સંસાર મેચક મતવાળાઓની પેઠે ખોટી માન્યતા ધરાવતા હોય, સંસારચક મતવાળાએ જેમ દુઃખી પ્રાણુઓને મારવાથી તેને દુઃખથી છોડાવ્યું ગણીને પરોપકાર માને છે, તેવી રીતે ભીખમ પંથના હિસાબે પણ મરનાર અઢાર સ્થાનકથી છૂટે છે, એમ ધારે તે તે ખરેખર પરેકારી જ ગણાય. કેમકે ભીખમજીના હિસાબે બચાવનાર મનુષ્ય બચેલા પ્રાણના ભવિષ્યમાં કરાતા અઢારે પાપસ્થાનકને હેતુ હોય તે પછી મારનાર મનુષ્ય તે મરનાર પ્રાણીના ભવિષ્યમાં થનારા અઢારે પાપસ્થાનકને રોકનાર કેમ ન ગણાય? મારનાર પાપને રોકનાર તથા નિર્જરી કરાવનાર કેમ નહિ?
ભીખમજીના હિસાબે અઢાર પાપસ્થાનકેને રોકવા માટે, તેમજ અકામનિર્જરા દ્વારા પણ તે મરનારા પ્રાણીનો કર્મને ક્ષય થાય અને તેથી તે જલદી તરનારે થાય એમ ધારી તારવાની ઈચ્છાએ પણ મારવા તૈયાર થાય છે તેમાં આશ્ચર્ય જેવું નથી. શું ગુણવાળાને મારવાથી વધારે લાભ નહિ?
વળી ભીખમજીના હિસાબે જેમ જેમ વધારે ગુણવાન હોય તેમ તેમ તેને વધારે દુઃખ દેવું તે ઉચિત ગણાય કેમકે ગુણહીન મનુષ્ય કોઈ પણ પ્રકારનું દુઃખ આવે ત્યારે અશુભ પરિણામથી કર્મબંધ પણ કરે, છતાં કદાચ નિજા કરે તે પણ તે અકામ નિજારા જ હોય પણ ગુણવાળા મનુષ્યને તે દુઃખ આવતાં સકામ નિર્જરા જ હોય અને જેમ જેમ દુઃખ વધારે આવે તેમ તે ગુણવાન મનુષ્યને અધિક સકામ નિજા પ્રાપ્ત થાય, માટે તેવી રીતે ગુણવાનને અધિક સકામ નિર્જરા થાય છે એમ ધારી ભીખમજીના મતે તે મનુષ્ય ગુણ વાનેને હેરાન કરવા યાવત્ મારવા માટે જ સતત પ્રવૃત્તિ કરવી જોઈએ. ભીખમજીના હિસાબે તેમના પૂજને મારનાર મહાભાગ્યવાન ગણાય
તે જ હિસાબે ભીખમજીના પંથમાં જે પૂજ્ય તરીકે હેય તે તેમના મને સૌથી વધુ ગુણવાળા હોય અને તેથી તેઓને જે દુઃખ
Page #50
--------------------------------------------------------------------------
________________
૨૭
પુસ્તક જ-લું આવશે તે તે ઘણી નિર્જર કરશે, એમ ધારી કોઈ મનુષ્ય તેના પૂજ્યને તાડના-તજના કરે, કુતરા કરડાવે, ધકકા મારે વિગેરે કરે તે તે પૂજ્યના કમને જલદી ક્ષય કરનાર થાય અને પૂજ્યની ઉપર મેટો ઉપકાર કરનારે થાય, એમ મનાવવું જોઈએ.
વળી જેમ બચાવવાની સુંદર બુદ્ધિએ બચાવેલે જીવ પાપ કરે, એવો વિચાર નહિ છતાં પણ તે લાભ બચેલાએ કરેલા પાપની અનુમતિને નામે તણાઈ જાય છે, તેવી રીતે પૂજ્યની ઉપર થતા નિર્જરાના અંગે પૂજ્યને કરવામાં આવેલા તાડના-તજ તેના પાપ પણ સમાઈ જશે. પૂજ્યની હિંસામાં પણ સેમલની માફક સત્કાર્યની સહાય જ ગણાય કે?
તે ભીખમજીના હિસાબે તે ભગવાન નેમનાથજીની મહારાજની વખતે ગજસુકુમાલમુનિને જે સમિલે ઉપદ્રવ કર્યો તે ઘણે જ સારે ગણ જોઈએ.
કેમ કે તે મિલના ઉપદ્રવના પ્રતાપે જ ગજસુકુમાલ મુનિ કેવળજ્ઞાન પામ્યા અને મોક્ષ મેળવી શકયા. અર્થાત ભીખમજીના પંથના હિસાબે ગજસુકમાલ મુનિને કેવળજ્ઞાન અને મોક્ષ દેનારો તે મિલ જ હતા.
વળી શાસ્ત્રકાર ગણધર ભગવાને એ પણ સ્પષ્ટ શબ્દોથી અંત ગડ દશાંગસૂત્રમાં જણાવેલું છે કે ભગવાન નેમનાથજી મહારાજે શ્રીમુખે ભાખ્યું છે કે કૃષ્ણ? તે ગજસુકુમાલમુનિના ઘાત કરનાર તે તે ગજસુકુમાલમુનિને કેવળજ્ઞાન અને મોક્ષ મેળવવામાં સહાય. કારી કૃત્ય કર્યું છે. અર્થાત ભીખમજીના હિસાબે તે તેના પૂજ્યના મારનારાને યાવત્ મારી નાંખનારને તેના પૂજ્ય ઘણું જ નિજ કરશે એવી ધારણા ન હોય તે પણ મારતાં અને મારી નાખતાં ઘણે જ લાભ થાય. સહાયની ધારણાએ મારનાર મહોદય પામે ખરે?
જ્યારે સોમિલ સરખાને ઉપસર્ગ કરતી વખતે કેવળજ્ઞાન કે મેક્ષ આ ઉપસર્ગથી થશે, એવી ધારણા નહિ હતી, છતાં પણ તે
Page #51
--------------------------------------------------------------------------
________________
૨૮
આગમત ઉપસર્ગ કરતાં ગજસુકુમાલજીને થએલા કેવળ અને મોક્ષમાં સહાય કરનારો ગણ્યો, તે પછી જેઓ કદાચ એમ ધારણા રાખે કે પૂજ્યને કૂતરાં કરડાવવાથી લાકડીએ મારવાથી કે મારી નાંખવાથી પૂજ્યની અઢળક નિર્જર કરશે, અને એવી ધારણું રાખીને પૂજ્યને કૂતરો કરડાવવા વગેરેનું કાર્ય કઈ કરે તે તેવું કાર્ય કરનાર ભીખમજીના હિસાબે પૂજ્યની અઢળક થતી નિજરામાં પૂરેપૂરે સહાય કરનારા બને. આ ઉપર જણાવેલી હકીકત સમજનારે કોઈપણ મનુષ્ય ભયંકર ભીખમજીના ભીખમ પંથમાં ભૂલેચૂકે પણ જઈ શકે નહિ. પુણ્યાનુબંધી પુણ્યથી સ્વ-પર ઉભયને સુખ:
આ સર્વ હકીકત ધ્યાનમાં લેતાં વાચકવૃંદ સહેજે સમજી શકશે કે પૂર્વભવે બાંધેલા પુણ્યાનુબંધી પુણ્યના પ્રચંડ પ્રતાપે જ તીર્થંકર મહારાજા ગર્ભથી આરંભીને નિર્વાણ સુધીની દશામાં ઇંદ્રાદિક દેવે દ્વારા કે કુદરત દ્વારા હવ–પર અને ઉભયને સુખ કરનારા જ થાય છે. તેવી રીતે સુખ કરનારા જ હોવાથી ભગવાન તીર્થંકરની ભક્તિરૂપે ઈંદ્રાદિક દેવેએ ભગવાન ઋષભદેવજીને રાજ્યાભિષેક કર્યો, તે તેમની સર્વ અનુકૂળતા માટે જાણવું.
શત્રુંજય માહાસ્ય વગેરેમાં જેનું સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં આવ્યું છે, તેવી બોર જન લાંબી અને નવ જન પહેલી અને ગગનચુંબી ભવનોએ ભૂષિત, અદ્ધિ-સમૃદ્ધિના અખૂટ ખજાનાવાળી વિનીતા નામની નગરી વસાવવાને માટે વૈશ્રમણને વાસવ આદેશ કરે તે યોગ્ય જણાય છે. ઈન્દ્ર મની ભક્તિ તરીકે વિનીતાની સ્થાપના :
ભગવાન ઋષભદેવજીની તીર્થકરપણાને અંગે ઈન્દ્ર મહારાજ તરફથી કરાતી અનેક જાતની ભક્તિમાં કુબેરભંડારી દ્વારા અનેક ગગનચુંબી ભુવનેથી ભૂષિત એવી વિનીતાનગરી રચાવવામાં આવે તેમાં કોઈ પણ જાતનું આશ્ચર્ય નથી.
જો કે આ વિનીતાનગરી રચવાને અંગે ઈન્દ્રને, ભંડારીને કે કેઈને પણ કાંઈ વિચાર કરવાની જરૂર હોય નહિ, કારણ કે સામાન્ય રીતે નિયમ છે કે રાજાનું જે સ્થાન થાય તેને રાજધાની કહેવી પડે.
Page #52
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું રાજધાનીની મહત્તા :
તે રાજાના સ્થાનને લીધે અત્યંત જાહોજલાલી ભેગવે તેમાં આશ્ચર્ય નથી. પૂર્વકાલના ઈતિહાસ અને જૈન શાસ્ત્રના અભ્યાસીએથી એ વાત અજાણ નથી કે દરેક મોટા રાજાએ પિતાને તાબે રહેલા રાજાઓને સન્માન, સેવા, સલાહ કે એવી બીજી કોઈપણ નીતિએ પિતા-પિતાની રાજધાનીમાં જ રાખતા હતા. અને તેથી જ વાસુદેવ અને ચક્રવતી ઓની રાજધાનીઓમાં હજારે દેશના રાજાએ ધામ કરીને રહેલા, એમ ઈતિહાસ અને શાસ્ત્રી સાક્ષી પુરે છે. વેપારીઓનું વસવાટ :
જ્યારે એવી રીતે હજારો દેશના રાજાએ પિતે નિયમિતપણે તે વાસુદેવ કે ચકવતીના સ્થાનમાં રહેતા હોય ત્યારે તે રાજાઓને ત્યાં રહેતી વખતે તે તે સુખનાં સાધને મેળવવા પડે તેથી તે તે ચીજોના વેપારીઓ વિવિધ રીતે વસવાટ કરી નગરીની શોભા વધારતા. રાજધાનીમાં બુદ્ધિજીવી વર્ગની મહત્તા :
વળી અનેક રાજાઓના સંબંધને લીધે તેમજ મુખ્ય રાજાઓના વિચાર પૂર્વક કે વિચાર વગર નીકળેલા જે વચને તે જ હુકમ અગર આજ્ઞારૂપે ગણાતું હેઈ તે મુખ્ય રાજાના વચનને ફાયદો પણ મેળવી શકાય. કદાચિત તેના વચનથી નુકશાન પણ થવાને સંભવ હોય તેથી લાભ શી રીતે મળે? અને નુકશાનથી બચવાના રરતાઓની જાણકારી માટે સલાહકારની જરૂર હંમેશાં રહે. તે રીતે બુદ્ધિમાન વગ પણ રાજધાનીમાં જરૂરી જાણ. સત્તા-સન્માનની ઈષ્યની વિચિત્રતા:
વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે જગતમાં દરિદ્રતા ઈર્ષ્યાનું બીજ બની શકતી નથી, ધન સંપત્તિ તે ઈર્ષ્યાનું બીજ બને છે. તેમ છતાં તે ઘણીવાર લૌકિક રીતે ઉદ્યોગને ગતિ પણ આપી ઉન્નતિનું સાધન વ્યવહારમાં ગણાય છે. તે રીતે કુટુંબની ઈર્ષ્યા કથંચિત અલ્પ કુટુંબવાળાને કે અ૯૫ પરિવારવાળાને અન્ય કુટુંબ કે અન્ય મનુષ્યનો સંગ્રહ કરવાની ફરજ પાડી કથંચિત્ તે ઈર્ષારને મળતાવડે કરી ઉન્નતિના કરનાર તરીકે બતાવી મેલે છે. પણ
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૦.
આગમત સત્તાની અગર માન-સન્માનની ઈર્ષ્યા એ એવી અધમ વસ્તુ છે કે જેને પ્રતાપે અન્યની દુર્બલતા કે અપમાનની ચાહનાને તેના સાધનેને કુંગા થવા પામે છે. દરેક રાજાને બચાવમાં સલાહકારોને સાધનવાળા:
આ વસ્તુને વિચારતાં સત્યના પ્રલેભનના ચક્રાવે ચઢેલા અનેક રાજાઓ જ્યાં નિવાસ કરીને રહેલા હોય અને મોટા રાજા તરફથી વધારે ને વધારે માન મેળવવાની દેહધામમાં પડેલા હોય તેવાઓના સમાગમમાં રહેવાવાળા રાજાએ પોતાના સાચા અને નિમકહલાલ સલાહકારોને કઈ દિવસ પણ સાથે રાખ્યા સિવાય રહી શકે જ નહિ. અને દરેક રાજાઓને તેવા સલાહકાર રાખવા પડે ત્યારે તે સલાહકારોને પણ પોતાના કુટુંબ સાથે ત્યાં રહેવું પડે.
આટલું બન્યા પછી પણ તે તાબેદાર રાજાઓને આકસ્મિક હુમલાથી પિતાના કુટુંબના સલાહકારકોને તથા પિતાને બચાવ કરવા માટે લશ્કર રાખવાની જરૂર પડે.
આ બધી હકીકત વિચારતાં મુખ્ય રાજાનું સ્થાન જેને લોકો રાજધાની કહે તે કઈ પણ કથાને હોય તે પણ મોટા રૂપમાં ફેરવાય તેમાં આશ્ચર્ય જ નથી. રાજાનું જે ગૃહ તે રાજગૃહનગર બન્યું:
આ વાત સમજવાથી મહારાજા પ્રસેનજિત કે જેઓ શ્રેણિક મહારાજના પિતા હતા, તેમની વખતે માત્ર રાજાને શહેર બહાર રહેવાથી એટલે નગરની બહાર રાજગૃહ કરવાથી તે રાજગૃહ મટીને રાજગૃહી નગરી કેમ થઈ ગઈ તે સહેજે સમજાશે.
મુખ્ય રાજાને પણ મંત્રી અને સૈન્યની જરૂરઃ
વળી તે તાબેદાર રાજાઓને ઉપરી મોટે રાજા પણ તે સર્વ તાબેદાર રાજાઓની વિચાર અને બળની શક્તિને પહોંચી વળે તેટલું વિચાર અને બળનું સામર્થ્ય ન ધરાવે એમ તે કઈ દિવસ પણ ઉપરી તરીકે ટકી શકે નહિ અને તેથી તે મુખ્ય રાજાને પણ તેવા અને તેટલી સંખ્યાવાળા સલાહકારક રાખવા જ પડે અને બળની સંખ્યામાં પણ તેટલે વધારે જરૂર કરવો જ પડે.
Page #54
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું રાજધામ તે રાજધાની અને તેને વિસ્તાર:
આ રીતે જ્યારે સત્તા, સલાહ અને બળ એ ત્રણેનું કેન્દ્ર રાજાનું ધામ બને ત્યારે જીવનનિર્વાહ તથા સુખ સંપત્તિના સાધને પણ દેશદેશના ખુણે ખાંચરેથી પણ ત્યાં આવે તેમાં કોઈ પણ જાતનું આશ્ચર્ય નથી.
ઈંગ્લાંડ જેવા મુખ્યતાએ માત્ર લેતું અને કેલસા જ ધરાવનારા દેશે પણ રાજસત્તાની શક્તિથી જ લંડન જેવા સર્વદેશીય પ્રજાજનોના સ્થાન થનારાં શહેરે ધરાવી શકે છે, તે પછી જે રાજાઓ સમૃદ્ધિ સંપૂર્ણ સ્થાનમાં પિતાનું ધામ કરે તે સ્થાને વર્તમાનકાલના લેકની કલ્પનામાં પણ ન આવે તેવા મોટાં શહેરા વસી જાય તેમાં આશ્ચર્ય જ શું ? અધ્યા આદિ રાજધાનીનું પ્રમાણ:
આ બધી વસ્તુસ્થિતિ જેનાર મનુષ્ય અયોધ્યા, રાજગૃહી દ્વારિકા વિગેરે નગરીઓની લંબાઈ બાર જોજનની અને પહેળાઈ નવ જેજનની શાસ્ત્રકારોએ વર્ણવી છે તે વાસ્તવિક જ છે, પણ અતિશયોક્તિ ભરેલું નથી એમ સહેજે સમજી શકાશે.
વર્તમાનમાં પણ મુંબઈ, મદ્રાસ, કલકત્તા જેવાં સરકારના પ્રતિનિધિ તરીકે આવનારા ગર્વનરાના ધામે થવાથી કેવા દરેક જુગે વૃદ્ધિ પામે છે. એ વિચારનાર ભારતીય મનુષ્ય પ્રથમકાલની રાજ ધાનીઓના પ્રમાણમાં કોઈ પણ પ્રકારે અતિશયોક્તિને સ્થાન આપી શકે નહિં. વિનિતા રાજધાનીની અનેખી મહત્તા:
પણ ભગવાન ઋષભદેવજીની વિનીતા રાજધાનીને અંગે તેવા પ્રપંચે, બળાત્કારો અને તેવાં સાધને સવાભાવિક રીતે ન હોવાથી ઉપર જણાવેલી રીતીએ રાજધાનીને મોટા રૂપમાં આવવાને સંભવ ન હતા.
વળી એ પણ વાત ધ્યાનમાં રાખવાની છે કે ભગવાન ઋષભદેવજીને એકલાને જ આદ્ય રાજા તરીકે અભિષેક તે વખતે થએલે હતું અને તેથી ખંડીયા રાજાઓને, તેના સલાહકારોના નિવાસને અને તેમના બચાવ માટે રહેતા સિન્યના નિવાસ સાથે તે સર્વને
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૨
આગમત જીવનનિર્વાહનાં સાધને કે સુખ સામગ્રીનાં સાધનો પૂરા પાડનારા વર્ગને ફાળે તે નગરીની વિશાળતામાં આવે તે ન હતો. પરંતુ સવાભાવિક રીતે ઉત્કૃષ્ટ પુણ્યભવશાલીની છત્ર છાયામાં સહુને રહેવા મળે તે હેતુથી બાર જન લાંબી નવ જજન પહોળી રાજધાની ઇન્દ્રમાં લાગતી એ અંગત જણાય છે.
ભગવાને કરેલાં એક રાજ્યનાં સે રા:
જે કે ભગવાન ઋષભદેવજીએ જ દીક્ષિત થવા પહેલાં સે ભાગમાં આખા પિતાના મુલકને વહેંચી સો દેશ બનાવ્યા અને તે દરેક દેશનું રાજ્ય પિતાને સે પુત્ર હોવાથી એક એક પુત્રને આપેલું હતું અને તેથી ભગવાને દીક્ષા ગ્રહણ કરી ત્યારે સે રાયે જુદાં જુદાં થયેલાં હતાં. શાસ્ત્રકારે પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે વૃત્ત રજનનg fમfસરિતા અર્થાત્ સો પુત્રને સે દેશના રાજ્યની ગાદીઓ ઉપર અભિષિક્ત કરીને પછી ભગવાન ઋષભદેવજીએ દીક્ષા લીધી છે, પણ તે સે દેશના રાજ્યની ગાદીએ સો પુત્રના રાજ્યાભિષેકનો વખત વિનીતા નગરીના નિવેશની સાથે સંબંધ ધરાવતો નથી. વિનીતા નિવેશ અને તે રાજ્યની વ્યવસ્થા વચ્ચેનું અંતર :
યાદ રાખવું કે ચોરાસી લાખ ચોરાસી લાખે ગુણવાથી જે સંખ્યા આવે તેટલા વર્ષનું એક પૂર્વ ગણાય છે. અને તેવાં લાખ પૂર્વેને આંતરે વિનીતાના નિવેશને અને તે સે દેશની રાજગાદીએની વચ્ચે છે, માટે તે સે રાજાઓનું થવું વિનીતાના વિસ્તારમાં ઉપયેગી નથી. સે ભાગ કરવાનું કારણ:
તત્વથી કહીએ તે ભગવાન જિનેશ્વર મહારાજે દીક્ષા લેતી વખતે એવો વિચાર કરે છે જોઈએ કે આ સે પુત્રોમાંથી કોઈપણ પુત્ર ઈંદ્રાદિકની સેવાનું ધામ બન્યું નથી અને બને તેમ પણ નથી, તે પછી દેવતાઈ મદદ સિવાય એકલા પુરૂષપરાક્રમથી આખા દેશનું રાજ્ય એક મનુષ્યથી કરી શકાય તેમ છે જ નહિ. માટે જુદા જુદા પુત્રોને જુદા જુદા દેશો સાચવવા ઍપવા એ જ
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૬
પુસ્તક ૧-લું યોગ્ય છે એમ ધારી દીક્ષા લેતી વખતે રાજ્ય છોડવા પહેલાં સૌએ પત્રને જદા જુદા દેશના જુદાં જુદાં રાજ્ય કરી પોતાના હાથે રાજ્યાભિષેક સર્વને કર્યો. એક રાજ્યના સે રાજ્ય કરવામાં કાલમહિમા :
વળી એ વાત પણ ધ્યાન બહાર જવી ન જોઈએ કે ભગવાન ઋષભદેવજીની વખતે જ્યારે વિનીતાનગરીને નિવેશ થયે તે વખત લેકમાં જે લેભ અને માયા તથા કાધ અને માન પ્રવતેલાં હતા તે ઘણાજ થોડાં હતાં. પણ હવે તે વખત પછી અવસર્પિણી કે જે રૂપ, રસ, ગંધ અને આયુષ્યની હાનિ કરનાર છે, અને તે અપેક્ષાએ વાસ્તવિક અવસર્પિણી નામ ધરાવી શકે પણ લેભ અને માયા વગેરે દેશેને માટે તે આ કાલ અવસર્પિણી નથી, પણ ખરેખર ઉત્સર્પિણ જ છે, અને તેથી વિનીતા નિવેશના લાખે પૂર્વ પછી લેભ અને માયા વગેરે દેશેની કેટલી બધી અને કેવી વૃદ્ધિ થયેલી હોય તેની કલ્પના વાચકો સર્વથા ન કરી શકે એમ ન માની શકાય; તે તેવી લેભ અને માયાદિકની વૃદ્ધિના પ્રસંગમાં દેવતાઈ મદદ સિવાય એક મનુષ્ય આખા દેશનું રાજ્ય કરે તે અસંભવિત ગણાય તેમાં નવાઈ જેવું નથી. અને તેથી જ ભગવાન ઋષભદેવજીને સે પુત્રને સે રાજ્ય સેપી રાજ્યાભિષેકે કરવા પડ્યા તે ગ્ય જ થયું છે. સે રાજ્ય કરી સો પુત્રને આપ્યાં તે પ્રજાહિત કેમ?
આ બધી વાત વાચકોના સમજવામાં જ્યારે આવશે ત્યારે જ તેઓ શાસ્ત્રકારોએ એ પુત્રને સે દેશની રાજગાદી ઉપર બેસાડી ભગવાને જે રાજ્યાભિષેક કર્યો છે તે પ્રજાના હિતને માટે છે. શાસ્ત્રકાર મહારાજાએ શિલ્પ અને કમને ઉપદેશ તથા પુરૂષેની બેંતેર કલાઓ અને સ્ત્રીઓના ચોસઠ ગુણેનું નિરૂપણ ભગવાન ઋષભદેવજીએ જે કર્યું છે, તે જેમ પ્રજાના હિતને માટે છે તેવી જ રીતે સો દેશના રાજ્ય ઉપર સો પુત્રને અભિષેક કર્યો, તે પણ પ્રજાજનના હિતને માટે કર્યું છે એમ સ્પષ્ટપણે તિવિવિ vયાદિથયg એમ કહી જણાવે છે, અર્થાત્ ભગવાન ઋષભદેવજીની દીક્ષા થઈ તે વખતે એક દેશના સે દેશે થયા અને એક રાજ્યના સે રાજ થયાં.
Page #57
--------------------------------------------------------------------------
________________
- ૨૪
આગમત વિનીતાને સ્વાભાવિક વૃદ્ધિ નહતી કેમ?
પણ વિનીતા નગરીના નિવેશની વખતે તે સમગ્ર દેશ અવિ ભક્તરૂપે હાઈ એકરૂપે જ હતા અને તેથી ભગવાન ઋષભદેવજીને રાજ્યાભિષેક આખા દેશના એક જ સ્વામી તરીકે સ્થાપીને કરવામાં આવેલ હતું. આવી રીતે વિનીતા નગરીનું રાજ્ય પેટભેદ અને પ્રતિસ્પધી રાજાઓ વિનાનું હોઈ તેને ગાઢ વસતિના સ્થાનરૂપ અને જાહોજલાલીના ધામરૂપ બનવાનો સંભવ ઘણું જ ઓછો હતે.
ભગવાન ઋષભદેવજીનું પ્રથમ રાજા તરીકે માન:
એક બાજુ આવી રીતે વધવાને સંભવ ઘણે ઓ છે હતું, ત્યારે બીજી બાજુએ ભગવાન ઋષભદેવજી મહારાજ સર્વથી પહેલા રાજા થએલા હાઈ લેકોની તેમની તરફ મહારાજા તરીકેની ભક્તિ ઘણી જ ઉભરાઈ ગએલી હતી. અને તેથી જ ભગવાન ઋષભદેવજીનું જેવું માન પ્રથમ તીર્થકર તરીકે શામાં ગણાએલું છે, તેવી જ રીતે પ્રથમ રાજા તરીકેનું સ્થાન પણ શાસ્ત્રકારોએ ભગવાન ઋષભદેવજીનું જ ગણેલું છે, કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી ભગવાન ઋષભદેવજીની હતુતિ કરતાં જેવી રીતે તેમના આદ્ય તીર્થકર૫ણુને અને પ્રથમ સાધુ દશાને પણ વખાણે છે તેવી જ રીતે ભગવાન ઋષભદેવજીની આઘ રાજા તરીકેની દશાને પણ વખાણે છે.
જો કે અજિતનાથજી ભગવાન વિગેરે કેટલાક બીજા તીર્થકર પણ રાજ્યના માલિક થઈ રાજા તરીકે થયેલા છે. પણ છતાં તેઓની રાજ્યસ્થિતિ તરીકે સ્તવન શાસકાર કરતા નથી, પણ ભગવાન ઋષભદેવજીની તે પ્રથમ તીર્થંકરપાદિની સ્તુતિ કરે તેવી જ રીતે તેમના પ્રથમ ભૂપાલપણાની સ્તુતિ પણ શાસ્ત્રકારો કરે છે.
વિનીતાના નિવેશમાં જુગલિયાને હિસ્સ:
ઉપર જણાવ્યા પ્રમાણે વિનીતા નગરીના નિવેશમાં મુખ્ય કારણ ભગવાન ઋષભદેવજીની ભક્તિ હોવા છતાં પણ તે વિનીતાના નિવે શમાં તે વખતના જુગલીયાઓની સ્થિતિ પણ એક મુખ્ય કારણ તરીકે ગણી શકાય તેમ છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૫
પુસ્તક ૧-લું વિનીતા એવા નામનું કારણ:
ભગવાન ઋષભદેવજીના રાજ્યાભિષેકની વાત શરૂ કરી તે વખતે આપણે જોઈ ગયા છીએ કે તે વખતના જુગલીયાએ ભગવાનના રાજ્યાભિષેકને માટે સરોવરમાંથી પાણી લઈને આવે છે. તેટલા વખતમાં તે ભગવાન ઋષભદેવજીને રાજ્યાભિષેક ઇંદ્રાદિક મહા રાજાઓ મળી સંપૂર્ણપણે કરી નાંખે છે. પણ ભાગ્યશાળીઓને શિખવણુ વગર પણ સદ્દબુદ્ધિ સુઝે તેમ આ જુગલિઆઓને પણ પિતાએ લાવેલા પાને ન તે ફેંકી દેવાનો વિચાર થયે, યા ન પીવા આદિના કાર્યમાં લઈ જવાને વિચાર થયે, પરંતુ સર્વે યુગલિયાએ એકી સાથે ભગવાનના ચરણ કમલમાં તે પાણી દ્વારા અભિષેક કરવાના વિચારમાં આવ્યા, આવી રીતે તે યુગલિયાઓની સવાભાવિક વિનય યુક્ત દશા દેખીને ઈન્દ્ર મહારાજને ભક્તિ અને જીત પ્રમાણે નગરી વસાવવાના વિચારમાં દઢતા થઈ, જીગલિયાઓના વિનીતપણને અંગે વિનીતા નામ સ્થાપવાનું મન થયું, અને તેથી જ કુબેર ભંડારીને નગરી વસાવવાને મુખ્યતાએ તીર્થકરની ભક્તિને અંગે આદેશ કરતાં પ્રથમથી જ તે નગરીને વિનીતા એ નામ નિર્દેશ કર્યો. વિનીતાને નિવેશ ભક્તિ કેમ ગણાય? “
વસ્તુતાએ તે તે જગલિયાને વિનય પણ ભગવાનને અંગે જ હતે અને ભગવાનના વિનયને અંગે જ તેઓ વિનીત ગણાયા હતા અને તે વિનીતપણાને અંગે તે નગરીનું નામ વિનીતા સ્થાપવાને નિર્દેશ થયે, છતાં તે ઇંદ્રાદિકાએ કરેલી ભક્તિ ભગવાન ઋષભદેવજીના પુણ્યાનું બંધી પુણ્યના પ્રભાવની જ હતી. મૂળ વિષય સાથે સંબંધ:
આ બધી વિચારણા આપણે શા માટે કરીએ છીએ? મૂળ વિષય પર આપણું લક્ષ્ય કાયમ ટકે, તેથી મૂળ વસ્તુ સાથે જરા સંબંધ વિચારી લઈએ.
ભગવાન જિનેશ્વરાની નાનાદિક પૂજા કરતાં જે તેના અનુપકૃત પરહિતરતપણું આદિ ગુણે ધ્યાનમાં લેવાય અને તે ગુણેની અપેક્ષાએ
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૬
આગમત ભગવાન જિનેશ્વરોનું સનાનાદિક પૂજન કરાય તે જ તે ભાવસ્તવના કારણભૂત એવું દ્રવ્યતવરૂપ પૂજન ગણાય, એ હકીકત વાચકોના ધ્યાનમાં બરોબર લાવવા માટે ભગવાન જિનેશ્વરના પરોપકારને અંગે યુગની આદિમાં વ્યવહારમય જગતને બનાવનારા ભગવાન શ્રી ઋષભદેવજી મહારાજનું પરોપકારીપણું વિચારતાં ભગવાન ઋષભદેવજીએ લેકોના રક્ષણ અને કલ્યાણને માટે સ્વીકાર કરેલે રાજ્યા. ભિષેકને વિચાર આગળ આવી ગયેલ છે. હવે તે રાજ્યાભિષેક થયા પછી દુષ્ટોના દમનને માટે કઈ રાજ્યવ્યવસ્થા કરી? અને શિષ્ટોના પાલન પોષણને માટે ભગવાન જિનેશ્વરદેવે શી વ્યવસ્થા કરી? એને વિચાર હવે કરાય છે. કાયિકદમનની જરૂર અને તેને અંગે રાજાપણું :
ભગવાન શ્રી ઋષભદેવજીને રાજ્યની લગામ હાથમાં લેતાં જાનવરને સંગ્રહ કરવાની જરૂર જણાઈ. વાચકે આટલી વાત તે સમજી શક્યા જ છે કે ભગવાન શ્રી ઋષભદેવજીનું રાજ્યારોહણ વિષયના વિલાસ વગેરે માટે નહોતું પણ સામાન્યજીથી દમન ન પામે તેવા દુષ્ટ જીને દમવા માટે જ હતું.
વળી તે દુશે એવા હતા કે જેઓ વચનના દમનમાર્ગને ઓળંગી ગયેલા હતા. જે દુષ્ટો દમનના વાચિકમાર્ગને ઓળંગી ગયા હોય તેવાઓને સજજને પિતાની મેળે જ સીધા કરી લે એવો માનસિક દમનમાર્ગ તે હેય જ નહિ, પણ મધ્યમવર્ગમાં ઉપયોગી ગણાતે વાચિકદમનમાર્ગ પણ તેઓને હોય નહિ અને લેક તરફથી તેવાઓ માટે કદાચ તે વાચિકદમનમાર્ગ લેવામાં આવે તે પણ તે નિરર્થક જ છે.
આ વાત ધ્યાનમાં લઈશું તે સ્પષ્ટ માલમ પડશે કે કાયિકદંડની તીવશિક્ષાને પાત્ર બનેલા લેકેને માટે પણ શાસ્ત્રકાર કે ન્યાય કરનારાઓ અધમ શબ્દને ઉચાર નકામો ગણે છે. આવી રીતે માનસિક દમનમાર્ગ જે ઉત્તમ પુરૂષને માટે લાયક અને વાચિકદમનમાગ' જે મધ્યમ પુરૂષને લાયકને છે, તે બંને દમનમાર્ગોને ઓળંગી ગયેલા એટલે સંકલ્પને કાબુમાં ન રાખે અને હાકાર આદિ વાચિકદમનમાગને જેઓ ઓળંગી ગયા હતા તેવાએને માટે કાયિક દમનમાર્ગ શરૂ કરે જ પડે.
Page #60
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
૩૭ આ વસ્તુ વિચારતાં કુલકરપણું અને રાજાપણું ક્યાં જુદું પડે છે? તે સહેજે સમજાશે. ટૂંકમાં કહીએ તે કાયિક દમનમાર્ગને અખત્યાર એ જ રાજાપણું છે. - જો કે રાજ શબ્દને તથા તેના મૂળરૂપ રાજધાતને અર્થ શેભવું એ થાય છે, પણ તે અર્થ તે માત્ર તે કાયિક દમનમાર્ગની લાયકાતવાળાને તે માર્ગના અખત્યાર વખતે કરાતી શણગારક્રિયાને અંગે છે. પણ વાસ્તવિક રાજપણાની સ્થિતિ કાયિક દમનમાર્ગને અંગે જ છે, અને તેથી જ ભગવાન ઋષભદેવજી કરતાં પ્રથમના શ્રી નાભિકુલકર વગેરે વાચિકદમનમાર્ગને અધિકાર ચલાવવાવાળા હેવાથી રાજા ન કહેવાયા અને તેથી આ અવસર્પિણના પ્રથમ રાજા તરીકે ભગવાન ઋષભદેવજી મહારાજ ગણાયા. કાયિક દમનને અંગે અો:
ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જેમ વાચિક દમનથી ડરવાવાળા મનુષ્ય વાચિક દમનના કારણોથી દૂર રહેવા પ્રયત્ન કરે છે, છતાં કદાચ તેવા વાચિકદંડને લાયકનું કાર્ય થઈ જાય તે પણ તેની ઈચ્છા વાચિક દંડથી બચવા માટે જ રહે છે. તે પછી કાયિક દંડના પ્રસંગમાં આવી પડેલે મનુષ્ય તે કાયિકદંડથી બચવા માગે તે અસ્વાભાવિક નથી.
વિશેષ એ છે કે વાચિક દમનમાર્ગના પ્રસંગમાં આવી પડે મનુષ્ય વાચિક દમનથી ખસવા માગે ત્યારે માત્ર તે વાચિક દમનમાર્ગને અખત્યાર કરનારાઓથી દૂર ખસે અને તે વાચિક દમનવાળા મનુષ્ય તે વાચિક દંડના પાત્રને વચનદંડને અમલ કરવા બાળવા જતા નથી પણ કાયિકદંડ કરવાવાળાને તો પ્રથમ તે કાયિકદંડને પાત્ર બનેલાને ખેળ પડે છે. અને તેવા કાયિક દમનને પાત્ર બનેલાને ખેલવાવાળાઓને કેઈ તેવા સાધનની અવશ્ય જરૂર રહે છે જેથી તે ગુન્હેગારને ખેળી શકે. એટલું જ નહિ, પણ કાયિક દમનને પાત્ર બનેલે મનુષ્ય કાયિક દમનથી ડરીને તે પકડનારથી નાશી છુટે એ તદ્દન સંભવિત હોવાથી ગુન્હેગાર નાશી જાય તે પણ તે ગુન્હેગારને પકડી શકે તેવું સાધન તે કાયિક દમનને લાયક બનેલાને પકડવા માટે જોઈએ તે આવશ્યક છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
આગમત આ બધી વાત વિચારતાં ભગવાન ઋષભદેવજીએ રાજ્યસંગ્રહ કરતાં પહેલા નંબરે અશ્વને કેમ સંગ્રહ કર્યો તે સહેજે સમજાશે. ભગવાન શ્રી ઋષભદેવજીએ પ્રથમ અશ્વને સંગ્રહ કર્યો એ વાત આવશ્યકમાં નાસા જાવો થી એ ગાથાથી જણાવેલ ત્રણ સંગ્રહમાં અશ્વને પ્રથમ લીધેલ હોવાથી સ્પષ્ટ થાય છે
આ વાત સમજવાથી એ પણ સ્પષ્ટ થાય છે કે ચતુરંગ સેનામાં પ્રથમ નંબર અસવાર એટલે ઘેડે સ્વારને આવે છે તે વ્યાજબી જ છે. ભગવાનના સંગ્રહને અંગે ઘડાઓને પ્રથમ સંગ્રહ જણાવ્યું પણ ઘેડેસ્વારોનો સંગ્રહ કેમ નથી જણાવ્યું? એવી શંકાને સ્થાન ન આપવું. કારણ કે પ્રથમ તે પોતે જ ઘડાઓ દ્વારા ગુન્હેગારની શેધ કરે અને ગુન્હેગારોની અટપટી જાલ થાય ત્યારે જ બીજા મનુષ્યને ઘેડેસ્વાર કરી રાખવા અને મોકલવા પડે.
ક૯૫ના માર્ગમાં નહિ ફસાયેલ કેટલાક કઠિન કમીએ એવી માન્યતાવાળા છે કે કઈ પણ આશ્રવનું કાર્ય સમજુ મનુષ્ય પ્રથમ પૈસાથી કરાવવું. તેમ ન બને તે નકરો પાસે કરાવવું અને કંઈ છુટકે ન હોય તે જ પિતાને હાથે કરવું, એવી માન્યતાવાળાને પ્રથમ તે પિતાની ભક્તાણીને રસેઈ કરતી પાણી ભરતી બંધ કરવી. અને સુધારાના સડાને પહેલે નંબરે દાખલ થઈ લેજથી જમવાની શેઠવણ કરવા ઉપદેશ કરે.
શાસકારો તે આનયનપ્રયોગ નામના અતિચારને પ્રસંગે સ્વયં કરવામાં વિશેષ ગુણ જણાવે છે અને પરની પ્રવૃત્તિમાં અધિક કર્મબંધ જણાવે છે. છતાં કઠિન કમીઓને આ ભગવાનની ગુહે. ગારાને પકડવાની પ્રવૃત્તિ અનિષ્ટ લાગતી હોય તે તેઓ એ ઘડા કરતાં ઘેડે સવારેને સંગ્રહ પહેલે માન. પણ ભગવાન ઋષભદેવજી મહારાજે સ્વહસ્તે જ કુંભારની કારીગરી પ્રથમ દેખાડી છે. તેનું શાસ્ત્રીય કે શાસ્ત્રાનુસારી સમાધાન અંતઃકરણમાં ધારણ કરવું ગાય બળદના સંગ્રહની જરૂર:
ભગવાને અશ્વ સંગ્રહ કરી ગુન્હેગારોની ખેળ કરવાનું કે કરાવવાનું સુગમ કર્યું. છતાં એકી સાથે અનેક ગુન્હેગારોને દૂરથી કેમ લાવવા? એ વિચારને અંગે તથા એ જ ગુહેગારોના ખોરાક
Page #62
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું વગેરેની નિષ્પતિ તેમના દ્વારા કરાવવા માટે બળદની સારી સંખ્યા સંગ્રહવી તે અનિવાર્ય જ છે.
જો કે હવયં લેકે કૃષિકર્મ કરે અને તેને માટે તેઓને બળદે જોઈએ અને ગાયે પણ જોઈએ. પરંતુ અહિં માત્ર રાજ્યસંગ્રહને અંગે અધિકાર હોવાથી ઉપર પ્રમાણે અશ્વના ઉપગની માફક ગાય-બળદને ઉપગ જણાવેલ છે.
વળી એ પણ જરૂરી જ છે કે ગુન્હેગારોને ગુન્હાના કાર્યથી રોકવા હોય તે તેઓને કઈ ધાધે લગાડવા એ એક ગુન્હાઓને બંધ કરવાને અને ઓછા કરવાને રસ્તે છે. એને એમ કહેવું દુનિયાદારીના વ્યવહારથી દૂર છે. એમ તે કહી શકાય જ નહિં તેથી પણુ ગાય અને બળદને સંગ્રહ કરવાની જરૂર ભગવાનને હોય તે તે પણ અસ્વાભાવિક નથી. હાથીના સંગ્રહની જરૂર શી?
કાયિકદંડથી દમી શકાય એવા નારોલા કે નાસતા ગુનેગારોમાં એકને ખેળવા માટે અશ્વની જરૂર જેમ હતી અને ઘણા ગુનેગારોને કે ઘવાયેલા અથવા અશક્ત એક કે અનેક ગુનેગારોને લાવવા માટે તેમજ ગુન્હેગારે ગુન્હેગારની દશામાંથી ઉદ્યોગની દશામાં લાવવાથી ગુન્હો કરતા રોકાઈ જાય તે માટે પણ ગાય બળદના સંગ્રહની જરૂર ગણાય. પણ સામા થતા ગુન્હેગારોની શિક્ષા માટે તે હાથીની જ જરૂર રહે.
ઉદ્યોગનો ઉપદેશ અનર્થદંડ ગણાય તે ઉદ્યોગની પ્રવૃત્તિ સારી કેમ ગણી? - જેન શાસ્ત્રને જાણનાર મનુષ્ય શ્રાવકના બારવ્રતના સવરૂપને જાણનાર હોય અને તેથી કઈ ખેડૂત આળસુ હોય અને તેને જે એમ ઉપદેશ દેવામાં આવે કે તારી જમીનને ખેડ, તારા બળદને કેળવ ઈત્યાદિ તે તે દેવાતે ઉપદેશ અનર્થદંડ છે. તે પછી બીજાને ઉદ્યોગ ચડાવવા માટે ગાય બળદ વગેરેને સંગ્રહ કરે તે અનર્થદંડ કેમ નહિ ગણ? આવી શંકા સહેજે થાય. પણ એ શંકા કરવી અહીં વ્યાજબી નથી.
Page #63
--------------------------------------------------------------------------
________________
ક
આગમત
કારણ કે અનર્થદંડ તરીકે તે ઉપદેશ તે જ જગ્યા પર ગણાય કે જ્યાં ઉપદેશ દેનારની ઉપદેશ જેને દેવાય છે તેને અંગે કાંઈ પણ જવાબદારી ન હોય. પણ જ્યાં ઉપદેશ દેનારની ઉપદેશ જેને દેવાય છે તેને અંગે જવાબદારી હોય ત્યાં એવા ઉપદેશને અનર્થદંડ તરીકે ગણાય નહિ
આ કારણથી શ્રાવકની પ્રથમ અણુવ્રતમાં પાઠ આદિમાં પ્રમાદી પુત્ર વગેરે તથા દાસી-દાસ વગેરેને માટે સાપેક્ષ વધ અને બંધ આદિની જે કર્તવ્યદિશા ઇવનિત કરી છે, તે વ્યાજબી લાગે છે.
સામાન્ય ગૃહસ્થને જેમ પિતાના પુત્રાદિ અને દાસાદિ માટે શિક્ષણ કે ઉદ્યોગની પ્રવૃત્તિ અનર્થદંડરૂપ નથી. તેમ રાજ્યાભિષેકથી રાજ્યગાદી ઉપર આરૂઢ થયેલ ભગવાન ઋષભદેવજીને પોતાના શરણે આવેલી પ્રજાના રક્ષણને માટે તેવા ઉદ્યોગના વિચાર કરવા પડે, અને તેની સગવડ કરવી પડે, તે છે કે સાવધરૂપ હોય છતાં પણ અનર્થદંડ તરીકે તે કહી શકાય નહિ.
આ વાત એ ઉપરથી પણ સમજાશે કે હલ-હથીયાર આદિ આપવારૂપ હિંસાપ્રદાનના વિષયમાં પણ શાસ્ત્રકારે જ્યાં દાક્ષિણ્યતા વગેરેને સંબંધ ન હેાય ત્યાં હલ-હથીયારનું આપવું તે અનર્થદંડ છે, એમ જણાવે છે. આ બધી વાત વિચારનારો મનુષ્ય સ્વપ્નને પણ એમ નહિ ધારી શકે કે ભગવાન ઋષભદેવજી મહારાજે ઉદ્યોગના કરેલા વિચારો કે ઉદ્યમ અનર્થદંડરૂપ છે. અને આ વાત સમજ. નાર મનુષ્ય જ ગાય અને બળદને સંગ્રહ અને તે દ્વારા ઉદ્યોગની ચિંતા અને પ્રવૃત્તિ તે શું? પણ ખુદ કર્મ અને શિલ્પને ઉપદેશ અને પ્રવૃત્તિ ભગવાને પ્રજાના હિતને માટે કરાવી, એમ જે શાસ્ત્રકારે સ્થાને સ્થાને જણાવે છે, તે વ્યાજબી જ છે એમ માનશે.
આ બધી હકીક્ત વિચારતાં સ્પષ્ટ થશે કે દક્ષિણ દિશાના લેકાર્ધનું આધિપત્ય ધરાવવા સાથે રક્ષા કરવામાં કટિબદ્ધ એવા ઈન્દ્ર મહારાજને ભગવાન ઋષભદેવજીને રાજ્યાભિષેક કરવાની જે જરૂર પડી, તે પણ આ કારણને લીધે જ હતી. ભગવાન શ્રી ઋષભદેવજીને પણ રાજ્યગાદીને અંગે પ્રજાના રક્ષણની ફરજ બજાવવાની હતી. એ વાત જ્યારે બરાબર રીતિએ લક્ષ્યમાં લઈએ તે જરૂર સમજાશે કે પ્રજાના રક્ષણની ફરજ ત્યારે જ અદા કરી શકાય
Page #64
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
૪૧. કે જ્યારે પ્રજાનું જરૂરી પિષણ પુરું પાડવામાં આવે, અર્થાત્ રક્ષાની ફરજ બજાવવા તૈયાર થયેલે મનુષ્ય જે પિષણની ફરજને સમજે નહિ તે કહેવું જોઈએ કે મનુષ્ય જેમ કમએકકલને હાય અને પિતાના બાળકને વસ અને આભૂષણેથી શણગારે, પણ ખાનપાનને બંદોબસ્ત ન કરે અને જે લોકોમાં હાંસીને પાત્ર થાય, તેમ અહી પણ રક્ષણની ફરજ ઉપાડનારને શિર તેના ઉદ્યોગની ફરજ આજીવિકાના નિર્વાહના સાધનને અંગે આવી પડે છે, અને તેવી રીતે રાજગાદીના આરોહથી રક્ષણ અને રક્ષણને અંગે જ પષણ અને પોષણને અંગે ઉદ્યોગ બતાવવાની ફરજ ભગવાનને આવી પડે તે અનિવાર્ય જ છે. શિક્ષાને અંગે પણ ઉદ્યોગની જરૂર :
વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે તે વખતના યુમિકેએ ભગવાન શ્રી ઋષભદેવજીને રાજા તરીકે જે પસંદ કર્યા છે, તેનું કારણ બીજું કંઈ નહોતું, પણ માત્ર હાકાર આદિ નીતિની મર્યાદાને પણ ઉલ્લંઘન કરીને જેઓ ગુન્હાઓ કરતા હતા અને ગુન્હાની ક્ષમા આપ્યા છતાં વારંવાર ગુન્હા કરવામાં જેઓ ટેવાઈ ગએલા હતા, તેઓના દમનને માટે એટલે શિક્ષાને માટે જ આવી રીતે યુશ્મિએના બચાવને માટે ગુન્હેગારોને સજા કરવાની ફરજ ભગવાન શ્રી ઋષભદેવજીને શિર આવેલી હતી. તેને દમન, પિષણ અને ઉદ્યોગ આદિની જરૂર છે.
બીજી બાજુ એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે ગુન્હાઓની ઉત્પત્તિ જો કે તૃષ્ણ અને આશક્તિને લીધે થાય છે, પણ તે સંખ્યા ઘણી ઓછી છે, પણ મોટી ગુન્હાઓની સંખ્યા તે નિરૂદ્યોગપણને આભારી છે.
વર્તમાનમાં પણ દેખીયે છીએ કે બેકારી વધે છે ત્યારે ગુન્હાઓની સંખ્યા ક૯પી ન શકાય તેવી રીતે કુદકે ભુસકે વધે છે, અને તેથી દરેક રાજ્યો પિતાની આબાદીને હિસાબ બેકારીના ઘટાડા ઉપર જ રાખે છે અને જે પિતાના રાજ્યમાંથી બેકારી જેટલી ટાળે એટલે તે રાજ્યને ઉદય કર્યો છે, એમ ગણાય છે. તેથી જ પ્રજા અને અધિકારીઓ પોતાના રાજ્યમાંથી બેકારી ટાળવાને ઉદ્યમ ખંત ધરીને કરે છે. અને તે બેકારી જેટલે અંશે ટળે છે કે ટળી
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૨
આગમત શકે છે તેટલા પુરતે રાજ્યને ઉદય થયેલ ગણે છે અને તેથી વર્તમાન પત્રમાં દરેક રાજ્યો તિપિતાના રાજ્યના બેકારીના આંકડા આપે છે. પ્રજાનું નૈતિક પિષણ જરૂરી :
આ બધી હકીકત સમજનારો મનુષ્ય સારી પેઠે સમજી શકશે કે ભગવાન શ્રી ઋષભદેવજીએ રક્ષણનું કાર્ય ઉપાડતાં પિષણનું કાર્ય જરૂર ઉપાડવું જ પડે. આ વાત એથી પણ સહેજે સમજાશે કે અત્યારની યુદ્ધની તૈયારીઓ અને ૧૯૧૪નું ભયંકર યુદ્ધ પ્રગટાવવાનું જે કોઈ કારણ મુખ્ય હોય તે માત્ર વ્યાપાર અને રોજગારની સગવડ છે. જાપાનનું ચીન ઉપર આક્રમણ પણ મુખ્યત્વે વ્યાપારને અને પિતાની પ્રજાને ગેઠવવાને આભારી છે, તે સહેતુકપણે સમજી શકાશે, તે પછી ભગવાનને પ્રજાનું રક્ષણ કરવાને અંગે ઉદ્યોગનું જરૂરી પણું સમજાશે, જ્યારે પોષણ માટે અને ગુન્હેગારોની સંખ્યા ઓછી કરવા માટે ગાય અને બળદ વગેરેની જરૂર પડે તે તેને સંગ્રહ કરે જ પડે.
ધ્યાન રાખવાની જરૂર છે કે શાસ્ત્રકાર ગાય અને બળદને સંગ્રહ બીજે નંબરે રાખી અને સંગ્રહ પ્રથમ નંબરે રાખે છે. એનું કારણ એ જ જણાય છે કે પિષણ કરવા વિગેરેની જવાબદારી બચાવના સાધનથી બીજે નંબરે છે, અર્થાત્ જેઓ રક્ષણ કરવામાં કે ગુન્હાઓ અને ગુન્હેગારને ખોળીને સજા કરવામાં અધિકારી થયા ન હોય, તેઓ જે પિષણની વાત કરે કે તેમાં પ્રવૃત્તિ કરે તે તે કઈપણ પ્રકાર એગ્ય છે, એમ ન ગણાય. વિવાહધર્માદિનું નિરૂપણ અનર્થદંડ કેમ નહિ?
આ હકીકત સમજાશે તે અન્ય મનુષ્યને જે વાત અનર્થદંડરૂપ છે, તે જ અધિકારીને લાયક છે, એમ કહેવાય એટલું જ નહિ પણ તેવા અધિકારીઓએ તેવી રીતે રક્ષણ અને પિષણની ફરજ બજાવતાં પુણ્યને ઉદય ભગવાય છે એમ કહેવું પડે અને તેથી જ ભગવાન હરિભદ્રસૂરિજી સ્પષ્ટપણે જણાવે છે કે ભગવાન શ્રી ઋષભદેવજીએ જે વિવાહધર્મ પ્રવર્તાવ્યું અને શિલ્પાદિનું નિરૂપણ કર્યું તે ભગવાનને ઉત્તમ પુણ્યપરિપાક છે. એટલે જે વસ્તુ બીજાને અનર્થ દંડરૂપે હતી તે જ વસ્તુ ભગવાન શ્રી ઋષભદેવજીને પ્રબલ પુણ્યના પરિપાકરૂપ છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
૪૩ જો કે પુણ્યના પરિપાકરૂપ એવી ઈષ્ટ સ્પર્શાદિક વસ્તુઓ ભવિષ્યમાં દુઃખના દરીયા ઉભા કરે એવી પરિણામે વિરસ હોય છે. પણ ભગવાન જિનેશ્વરને આત્મા સ્વાભાવિક રીતે સમ્યકત્વયુક્ત ત્રણ જ્ઞાનવાળે ગર્ભદશાથી હેઈને તેમાં રાચવાનાચવાવાળો ન હોય અને તેથી તે આત્મા કેવલ પૂર્વકાલીન પુને માત્ર અનુભવ જ કરે અને નવા કર્મો કે જે દુઃખના દરીયા ઉભા કરે તેવાં ન બાંધે તેમાં આશ્ચર્ય જ નથી.
આ જ કારણથી ભગવાન જિનેશ્વરો જે કે રાજ્યકુલમાં જ જન્મે છે, રાજ્ય ઋદ્ધિનો અનુભવ કરે છે અને ચારે ગતિમાં રખડાવનારાં કાર્યો કરે છે, છતાં કોઈ પણ કાળે કોઈ શ્રી તીર્થંકર મહારાજ પણે અવતરેલે જીવ તે જ ભવમાં મોક્ષ મેળવ્યા સિવાય રહ્યો નથી. તેનું કારણ માત્ર તે આત્માઓની જ્ઞાનદર્શન સહિત અવસ્થાને લીધે તત્વબુદ્ધિના ધામ તરીકે તે વસ્તુને ન ગણવી તે જ છે.
વસ્તુતાએ ભગવાન શ્રી ઋષભદેવજીએ પ્રજાના રક્ષણ અને પિષણ માટે કરેલા પ્રયત્ન પ્રબલ પુણ્યના ઉદયથી જ છે અને તેમની તે અવસ્થાને લાયક જ છે.
હવે સંગ્રહમાં ઘોડા અને ગાય બળદની માફક હાથીની શી જરૂર છે. તેને પરહિતમાં કેટલા અને કે સંબંધ છે તે વિચારીએ. દુષ્ટસમૂહના દમન માટે હાથીની જરૂર : - ભગવાન શ્રી ઋષભદેવજીએ રાજ્યને અંગે કરેલ હાથીના સંગ્રહની જરૂરીયાતોનો વિચાર કરતા પહેલાં ધ્યાન રાખવાની જરૂર છે કે જેમ વર્તમાન દેશી રાજ્યમાં હાથીઓનો સંગ્રહ માત્ર રાજ્ય સ્થાનની શોભા માટે હોય છે, અથવા સરઘસ કે દશેરાની સવારી કાર્યોમાં જ માત્ર તેની ઉપયોગિતા ગણાય છે. તેમ ભગવાન શ્રી ઋષભદેવજીના રાજ્યત્વકાલમાં હાથીઓને તે ઉપયોગ ઘણે ઓછો જ થતું હતું.
જે કે ભગવાન ઋષભદેવજીએ કુંભકારનું શિલ્પ શિખવ્યું, તે વખતે પિતે હાથી ઉપર બેઠેલા હાઈ હાથીના કુંભસ્થળને જ ઉપયોગ પ્રથમ ભાજન બનાવવાના કામમાં કર્યો છે, તે પણ શાસ્ત્રકારોએ અશ્વ અને ગાય બળદની માફક હાથીને પણ સંગ્રહ માનેલો
Page #67
--------------------------------------------------------------------------
________________
४४
આગમત
હેવાથી તે હાથીઓને ઉપયોગ રાજ્યકારભારને અંગે ઉપગી હવે જોઈએ એ સમજવું ઘણું સહેલું છે. પણ તે હાથીને ઉપગ રાજ્યકારભારમાં કેવી રીતે હે જોઈએ એ હકીકત વિચારવાની જરૂર રહે છે.
જો કે આ વસ્તુ ચરિતાનુવાદની અને તેમાં વળી કલ્પનાની કેટિને જ કોટે વળગેલી છે એટલે તેમાં અત્યર્થક અનર્થક કે અધિકાઈક વગેરે કોઈપણ ક્ષતિ હોય તે તે અસંભવિત તે ન જ ગણાય, પણ ગ્ય વિચારણાને અંગે યેગ્ય વિવેચનની જરૂર ધારીને જ કંઈક વિચાર કરે તે અપ્રસ્તુત તે નથી જ. સંગ્રહમાં હાથીની જરૂર અને તેનું સ્થાન:
જગતમાં સામાન્ય રીતે મનુષ્ય જે કે સુખ અને દુઃખને સ્વયં વેદે છે અને સુખ-દુઃખના વેદનમાં કેઈની ભાગીદારી હોતી નથી, તેમ ચાલતી પણ નથી. ભાગીદારીના વિષયમાં સ્થાવર અને જંગમ એવાં સુખનાં સાધને આવી શકે છે, પણ ફલરૂપ સુખ-દુઃખનું વેદના કોઈપણ દિવસ ભાગીદારીનું સ્થાન બનતું નથી.
છતાં મનુષ્ય પિતાના સુખના વેદનને જ્યારે બીજા આગળ જાહેર કરે છે અથવા બીજે મનુષ્ય તેના સુખના વેદનને તેની સાધન સંપત્તિથી જોઈ જાણી શકે છે, અને તેથી તે મનુષ્યની તે બાબતમાં અનુમોદના કરે છે, ત્યારે તે સુખને વેદનારના આત્માની લાગણી કઈ ગુણી થઈ જાય છે, અર્થાત્ કૈલાઘાના જેરમાં સુખવેદનનું શતગણુપણું કે સહયગણાપણું થઈ જાય છે.
તેવી રીતે દુઃખના કારણથી કોઈ મનુષ્ય દુઃખને વેદત હોય તે પણ તેના તે દુઃખના વેદનને અન્ય મનુષ્ય સમજી શકે અને તેને દુઃખના વેદનને દુષ્કર કે દુહ તરીકે જણાવે અથવા તે પિતે પિતાને થતું દુઃખવેદન અન્યની આગળ વર્ણન કરે અને બીજે મનુષ્ય તે તેના દુષ્કર કે દુરસહને ભાગીદાર ભલે ન બને પણ શ્રવણ કરે એટલા માત્રથી તે દુખને વેદનારાની દુખમાળા ઘણી સહેલી અને સુગમ થઈ જાય છે.
આ જગતની સામાન્ય વાત જણાવવાની અહીં એટલા માટે જરૂર છે. મનુષ્ય જગતના સ્વભાવને અંગે જ સુખદુઃખની
Page #68
--------------------------------------------------------------------------
________________
૪૫
પુસ્તક ૧-લું દશામાં અન્યની સહકાર અને સહચાર સિવાય ભાગ્યે જ પ્રવર્તાવાવાળા હોય છે. સામૂહિક ગુન્હેગારોને શિક્ષા માટે હાથીને ઉપગ :
સામાન્ય રીતે કોઈના ઢેર આદિની ચેરી કરી કાયિકદમનને લાયક બનનારાની આ સ્થિતિ હોય છે. તે પછી જેઓ સમુદાયની સ્વતંત્ર માલિકી કે સામુદાયિક માલિકીવાળી વસ્તુઓ જમીન પર વિગેરે હોય અને તેની ચોરી કરવાની ધારણા રાખે તે મનુષ્ય સમુદાયરૂપે હોય તે કોઈપણ પ્રકારે અસ્વાભાવિક તે કહી શકાય જ નહિ. જેમ સામુદાયિક ચેરી કે તેવા ગુન્હા કરનાર સમુદાયરૂપે થવું કે રહેવું પડે છે તેમ તેઓને શિક્ષિત કરવા કે પકડવા માટે જેઓને પ્રયત્ન કરવા પડે છે, તેઓને પણ તેવી જ તૈયારી રાખવી પડે છે કે તે સમુદાયે એકઠા થયેલા ગુન્હેગારોને રક્ષકના વાહન જે અશ્વ બળદ આદિ હોય તેને જેમ સહેજે રોકી શકે રંજાડી શકે કે મારી નાખી પણ શકે, તેમ રક્ષકે તેવા સામુદાયિક અને સમુદાયના સામા થતા ગુન્હેગારો માટે તેવા વાહનનો ઉપયોગ કરે જ પડે છે. જે વાહનને સમુદાયરૂપે થયેલ ગુન્હેગાર હોય તે પણ રોકી રંજાડી શકે નહિ તેમ મારી નાખી શકે નહિ એવું વાહન જગતની પહેલી સ્વાભાવિક મેળવી શકાય એવી સ્થિતિને અંગે વિચારીએ તે હાથી સિવાય ભાગ્યે જ મળશે.
આ વાતને બરાબર વિચારવાથી ભગવાન શ્રી ઋષભદેવજીની હાથીના સંગ્રહની શી જરૂર હતી? તે સમજાશે અને સાથે દરેક રાજાઓ લડાઈને અને પોતાના બળનું તેલ કરતાં હાથીની સંખ્યા પ્રથમ નંબરે કેમ મેલે છે? તે પણ સમજાશે.
એ વાત તે કોઈથી નાકબૂલ થાય તેમ જ નથી કે જ્યાં સુધી આ જગતમાં છલ અને કલથી રાક્ષસી રીતિએ લડાઈઓ લડાતી હાઈ દૈવીયુદ્ધો થતા હતા ત્યાં સુધી બળની પરિસીમાં હાથીની સંખ્યા અને તેની કળામાં રહેલી હતી. આપણે સાંભળીએ કે મહારાજા ઉદયને માળવાધિપતિ ચંડપ્રદ્યોતને હરાવ્યું તે હાથીના પરાભવથી જ. પરમાહંત મહારાજા કુમારપાલે પિતાના બનેવી શાકંભરીના શાસકને પણ શાસનમાં લીધે તે પણ ગજશિક્ષાના પ્રભાવે જ.
આવી આવી અનેક ઐતિહાસિક વાતોને જાણવા અને માનવાવાળો મનુષ્ય જયપતાકા ગ્રહણ કરવામાં હાથીની કેટલી ઉપયોગિતા છે?
Page #69
--------------------------------------------------------------------------
________________
આગમત અથવા હતી? તે સહેજે સમજશે અને તે સમજવાથી જ ભગવાન શ્રી ઋષભદેવજીને દુષ્ટ દમન માટે સ્વીકારેલી રાજ્યગાદીને અંગે હાથીઓના સંગ્રહની કેટલી જરૂર હશે? તે સહેજે સમજાશે. ગુન્હેગારની ટેળી કેમ ?
બીજી એક વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે સજજને અને સપુરૂષ નિષ્પાપ હોવાને લીધે ભયની અંદર એકદમ દાખલ થતા નથી. પણ જેઓ કોઈ જાતની ગુન્હેગારીમાં સંડેવાય છે કે તરત તે ગુન્હ કરનારના હૃદયમાં હચમચાટ શરૂ થઈ જાય છે અને તેથી તેઓ એકલ-દોકલ કે સાધનથી રહિત હોય ત્યારે માત્ર તે છુપાવવાના પ્રયત્ન કરે છે, પણ તે ગુન્હેગાર બનેલાની સંખ્યા જ્યારે વધે છે ત્યારે તેઓ બધા ઉપરની સત્તાની શિક્ષાથી બચવા માગતા હોવાને લીધે એકરૂપ થઈ જાય છે અને તેઓની ટેળી જામે છે.
ધ્યાન રાખવું જરૂરી છે કે સમાન ઋદ્ધિવાળા અને સમાન સુખવાળાને પરસ્પર જેટલી અને જેવી મિત્રાચારી થવાને પ્રસંગ આવે અને તે પ્રસંગ જળવાય તેના કરતાં સમાન વ્યસનવાળા અથવા સમાન દુઃખવાળાને જેવી મિત્રાચારીને પ્રસંગ આવે છે, તે ચઢીયાત હોય છે અને પહેલી તકે મિત્રાચારીને પ્રસંગ જળવાય છે.
આ હકીકત હોવાથી ભગવાન શ્રી ઋષભદેવજી મહારાજની વખતે પણ નીતિને ઉલંઘી અન્યાયને રસ્તે જનાર જાનવરની ઘટનામાં જ ઘટાડી શકાય એવા જ એાછા જ હતા કે નહેતા એમ તે કહી શકાય જ નહિ.
જગતના કાયદાની રીતિને સમજનાર મનુષ્ય સારી પેઠે સમજી શકે છે કે જગતમાં જે કોઈ પણ ગુન્હાને અંગે શિક્ષાને પ્રબંધ થાય છે. તે કેઇ એક જ મનુષ્ય કે માત્ર કંઈક જ વખતે કરેલા ગુન્હાને અંગે હેત નથી, પણ જ્યારે તેવી રીતે અનેકાનેક વખત ગુન્હાઓ કરે અથવા અનેક જણ કરે ત્યારે તે ગુન્હાઓની શિક્ષા કરવાને પ્રસંગ આવે છે. તે પછી એમ ચોક્કસ માનવું જ પડશે કે ભગવાન શ્રી કષભદેવજી મહારાજની રાજા તરીકેની નિમણુંક કરવા પહેલાં ઘણે સ્થાને અને ઘણું સમુદાયે નીતિનું ઉલ્લંઘન
Page #70
--------------------------------------------------------------------------
________________
४७
પુસ્તક ૧-લું કરવા માંડેલું હોવાથી યુગલીઆઓને પણ સજા કરવા માટે રાજા કરવાની પ્રાર્થના નાભિકુલકરને કરવી પડી હતી.
આવી સ્થિતિમાં જે એકત્ર થયેલા મિત્રાચારીને ધારણ કરનાર બનેલા ગુન્હેગારોને પણ પહોંચી વળવાની શક્તિ ધરાવવામાં ન આવે તે રાજ્યસન ઉપર બેસવું શભાકારક ન નીવડતાં ભકારક નીવડે. માટે ટેળે મળેલા તથા વ્યવસ્થિત થયેલા અને સામને કરવા પણ તૈયાર થયેલા સમુદાયને શિક્ષા દેવાનું સામર્થ્ય હાથી દ્વારા જ બની શકે. ગુન્હેગારોની વ્યવસ્થિત ટેળીન પણ પહોંચી વળવા હાથીની જરૂર કેમ ?
એ તે દેખીતું જ છે કે એકલા-કલા ગુન્હેગારે હેય સમૂહ વગરના ગુન્હેગાર હોય, સાધન વિનાના ગુન્હેગારો હોય તે તેવાએને શિક્ષિત કરવા માટે તેવા મેટા સાધનની જરૂર નથી. અર્થાત્ ઘણા ઘોડેસ્વાર ઘણાં સામાન્ય મનુષ્ય અને ગાડીગાડાથી તેઓની ધરપકડ કરી શકાય છે અને શિક્ષિત પણ કરી શકાય છે, પણ જ્યારે ગુન્હેગારો ઘણા એકઠા થાય, વ્યવસ્થિત થઈ જાય અને કમાડ, કિલા આદિની વ્યવસ્થા કરીને લડાઈ રૂપે સામને કરવા તૈયાર થાય, ત્યારે તેઓને કબજે કરવા હાથીના ઉપયોગની લડાઈરૂપે ખાસ જરૂર પડે.
જે કે નીતિકારને ગુન્હેગારોની માફક જાનમાલ વેડફાઈ જાય તેની બેદરકારી ન હોય. સમૃદ્ધિ અને ઋદ્ધિને નુકસાન થાય તે નજર બહાર ન હય, ગુન્હેગાર કે તેની જોડમાં જોડાયેલા એક પણ જીવના એકપણ રૂધિરના બિંદુની કિંમત ઘણી જ હોય.
આ કારણથી અનીતિએ કરેલા ગંદા પ્રચારની અધમવૃત્તિની, ઘાતકીપણાની વિશ્વાસઘાતની વગેરે અનેક ગુન્હાહિત વૃત્તિઓ શત્રુની જાહેર રીતે હોય છે, છતાં શરણે આવે કે રાજ્ય છેડી દે પછી તેને બદલે કેઈપણ પ્રકારે લેવાતું જ નથી. અર્થાત્ ગુન્હેગારે તરફથી નિરપેક્ષતા અને નિર્દયતા કેળવવામાં બાકી ન રહે, તે પણ રક્ષણકારોની પદ્ધતિ મુખ્યતાએ રક્ષણ કરવાની જ હોય અને તેનાં ઘાતકી કાર્યોને બદલે લેવાની પ્રવૃત્તિ હોતી નથી.
Page #71
--------------------------------------------------------------------------
________________
४८
આગમત આ હકીકત ધ્યાનમાં લેતાં સ્પષ્ટ સમજાશે કે અનેક ગુન્હેગારો એકઠા થાય, એકકો કરે અને સામને કરે તે તેઓએ રક્ષણ માટે કરેલ પિળ કે નગરદ્વાર કે કિલ્લા આદીને તેડી નાંખી તે ગુહે ગારોના સામટા સમુદાયને પણ પકડવા માટે હાથીની જ જરૂર રહે. કિલ્લાના દ્વારા તેડી પાડવાનું જે સામર્થ્ય હાથમાં છે, તે સામર્થ્ય બીજામાં નથી એ ચોકખું જ છે, વળી જનસમુદાય વિરોધી થયે હોય અને કદાચ તે વિરોધી જનસમુદાય પાસે અશ્વ અને બળદ જેવાં સાધને સારી સંખ્યામાં હોય તે પણ હાથી ઉપર ચઢેલ અને ચઢીને લડનારો જે કાર્ય અને બચાવ કરી શકે છે તે કંઈ અજાણ્યું નથી.
આ સ્થળે વાચકવૃંદે એક વાત ધ્યાનમાં રાખવી કે આ સંગ્રહની વાત ધનુષ્ય આદિની ઉપયોગિતા શરૂ થવા પહેલાની છે. એટલે બાણ ધનુષ્ય આદિને જ્યાં સુધી ઉપગ શરૂ થયે નહેાતે ત્યાં સુધી ગુન્હેગારને સંતોષવાને જ ઉપાય હતો. અને તેને દ્વારાદિકને બંધ કરવાનો જ રસ્તો હતો, અને તે વખતે હાથીના સંગ્રહની જરૂર રહે અને તેથી અશ્વ અને ગાયની માફક હાથીને સંગ્રહ થાય તે સવાભાવિક જ છે. રાજ્યાભિષેકને અંગે જ મનુષ્યોની જાતિને વહેંચવાની જરૂર:
આ વાત તે સર્વ કેને એકી અવાજે કબુલ જ છે કે અસલમાં મનુષ્યજાતિ એકરૂપે અર્થાત અવિભક્તરૂપે જ હતી એવી કબુલાત નિહેતુક નથી પણ સહેતુક જ છે.
કારણ કે બ્રાહ્મણ આદિ કોઈ પણ વર્ણની નિશાની જન્મથી કોઈ પણ હોતી નથી. અર્થાત્ મનુષ્ય માત્ર જન્મથી એકસરખો જન્મે છે. જન્મતી વખતે મનુષ્યના શરીરે કોઈ પણ જાતિની વિશિષ્ટતાનું ચિહ્ન હેતું નથી. અશ્વ, ધાન, ગભ, ગાય, બળદ, ભેંસ વગેરે જાનવરની જાતિમાં જેમ પરસ્પર જન્મથી વિશિષ્ટતા આકાર અને સ્વભાવ આદિને અંગે સ્પષ્ટપણે હોય છે, તેવી રીતે મનુષ્ય જાતિની જન્મ વખતે કઈ પણ જાતની આકાર અને સ્વભાવ અ.દિની વિશિષ્ટતા હોતી જ નથી. અને આ કારણથી સેંકડો બ્રાહ્મણ આદિ જાતિના ઉત્તમ બાળકે અધમ જાતિમાં અને અધમ જાતિનાં બાળકો ઉત્તમ જાતિમાં પિષાય છે–પિવાય છે અને કેટલાંક દેશી રાજ
Page #72
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું તે ગોલા, ઘાંચી, મોચી, કાછીયા અને કેળાના સંતાનેને પણ ગાદી ખાલી ન પડી જાય અથવા બીજાના કબજામાં ન જાય એ મુદ્દાને મનમાં ધરીને રાણું સાહેબના પુત્ર તરીકે વસાવી દે છે.
આ હકીકત પણ એ જ જણાવવા પૂરતી છે કે મનુષ્ય જાતિમાં તેવો જન્મથી કંઈ પણ ફરક નથી કે જે જાનવર અને પંખી જાતિમાં જન્મથી જ સ્પષ્ટ ફરક રહે છે. આ વાત સમજનારા મનુષ્ય કબુલ કર્યા વિના રહી શકશે નહિ કે મનુષ્યમાં જન્મથી જાતિને કોઈ પણ ફરક નથી. અસલથી મનુષ્યની એક જાતિ છે
પરંતુ આ ઉપરથી એમ નથી સમજવાનું કે પાછળથી પણ મનુષ્યજાતિમાં સંસ્કારોથી કે સંસકારોવાળા અને સંસ્કાર વિનાના માતાપિતાથી ઉત્પન્ન થવાને લીધે ફરક પડતો નથી. “મનુની એક જાતિ હતી” એનું રહસ્ય
જગતમાં અનુભવથી એક પ્રકારનું પણ જલ આશ્રયભેદે ભેદવાળું થાય છે. એક જાતનાં વૃક્ષો પણ જુદા જુદા વૃક્ષોના સંગે એક જ જાતનાં જાનવરો પણ જુદી જુદી રીતે સંગ પામતાં જુદા જુદા રૂપે થાય છે, તેમ મનુષ્ય જાતિમાં સંસ્કાર યુક્ત અને સંસ્કારહીન માતા પિતાના કારણથી થના પુત્ર જુદા જુદા રૂપમાં જાહેર થાય તેમાં નવાઈ નથી.
પણ આપણે જે અત્યારે વિચાર કરીએ છીએ તે એવા વખતને માટે કે જેમાં અસિ, મવી કે કૃષિ એ ત્રણમાંથી કઈ પણ જાતનાં કર્મો નહાતાં અર્થાત હોતાં જે વખતે ઘેર પાપો, તેમજ હોતાં જે વખતે ધમધરી મહાપુરૂષ, અને હેતે ધર્મના નિર્મળ ધારાને પ્રવાહ, અર્થાત્ ધર્મકર્મથી હીન અવસ્થાવાળા મનુષ્ય જે વખતે સર્વત્ર જગતમાં હતા, તે કાલને ઉદ્દેશીને “મનુષ્યની એક જ જાતિ હતી” આ વાત થાય છે.
આવી રીતે પ્રથમથી મનુષ્યની એક જ જાતિ હતી એમ સર્વને કબુલ છતાં જાતિની વહેંચણ કરવામાં કેટલાક જાતને નામે લોકોને જન્મથી મરણ સુધી તે શું પણ મરી ગયેલા મનુષ્યને નામે સેજ બારમ, માસીયું, શ્રાદ્ધ આદિ અનેક કાવતરાંથી જીવતા રહેલાના જાનને પણ જોખમમાં મેલનારા તરીકે જાણીતી થયેલી બ્રાહ્મણ જાતિ
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૦
આગમત પિતાની પ્રથમ ઉત્પન્ન થયેલી જાતિ તરીકે બતાવે છે. એટલું જ નહિ પણ સર્વથા અસંભવિત રીતે રહેલી વસ્તુને વદતાં પણ સંકેચ ન કરતાં જણાવે છે કે બ્રહ્માના મુખથી અમે બ્રાહ્મણે થયા છીએ.
નિથી તે બ્રાહ્મણ બ્રાહ્મણને તે શું પરંતુ સર્વ મનુષ્યની ઉત્પત્તિ પ્રત્યક્ષ સિદ્ધ અને યુક્તિથી પણ સંગત છે. છતાં પાડાને ગર્ભવાળા કરવાની જેઓને ટેવ પડી છે, એવા બ્રાહ્મણે પોતાની ઉત્પત્તિ બ્રહ્માના મુખથી મનાવે છે. મુખથી થુંકની માફક ઉચ્છિષ્ટતા ગણવી અને તેથી તે જાતિએ વધારે નાનાદિ કરવાની પદ્ધતિ પિતાના સિદ્ધાંતને પિષણ પમાડવાના ઈરાદે કરી હોય તે તે વાત જુદી છે. પણ તેઓનું જે બ્રહ્માના મુખથી બ્રાહ્મણ, ભુજાથી ક્ષત્રિય, ઉદરથી વૈશ્ય અને પગથી શૂદ્ર ઉત્પન્ન થયા, એવુ જે કથન છે, તે તે કાળજા વિનાના જ કંઈ માની શકે, પણ અક્કલવાળે તે કઈ પણ મનુષ્ય માની શકે જ નહિ
હવે કદાચ એમ કહેવામાં આવે કે બ્રહ્માના મુખથી બ્રાહ્મણ ઉત્પન્ન થયા વગેરે જે ઉત્પત્તિ વિષયનું કથન છે, તે સાક્ષાત્ શરીરની કે જાતિની ઉત્પત્તિ માટે નથી, પણ અલંકારિક રીતિએ બ્રાહ્મણાદિ જાતિનાં જુદાં જુદાં કાર્યોને અંગે છે. આવા કથનમાં જે કે પાડા ગર્ભવાળા કરવા જે અસંભવ અને વિરોધ નહિ દેખાય, પણ વિચારક પુરૂષે તે જાતિની ઉત્પત્તિની આલંકારિકતા પણ માની શકે તેમ નથી.
એ હકીકત સ્પષ્ટ ત્યારે જ માલમ પડશે કે આપણે મનુષ્ય જાતિમાં અસલથી એકતા હતી તેમાં ભેદ થવાનું શું શું કારણ ઉત્પન્ન થયું? અને તેમાં ક્યા કયા કારણે કેમ કેમ થયાં અને કેમ કેમ થઈ શકે? અને એને આધારે જાતિભેદને ઈતિહાસ વાસ્તવિક કે હાય એ વગેરેની સયુક્તિક તપાસ કરવાની જરૂર છે. સૃષ્ટિ એટલે શું? અને તેનું સર્જન શક્ય શી રીતે?
ધ્યાન રાખવું જરૂરી છે કે લેક જગત એટલે મુખ્યતાએ પૃથ્વીને સષ્ટિ કહે છે. પણ કાવ્ય, કેશ, ન્યાય કે વ્યાકરણને જાણ નારા પંડિતે પૃથ્વીના પર્યાયમાં સૃષ્ટિને સ્થાન આપતા નથી. એટલું જ નહિ પણ સામાન્ય રીતિએ કાવ્યાદિની વાત આલંકારિક રીતિને
Page #74
--------------------------------------------------------------------------
________________
૫૧
પુસ્તક ૧-લું મુખ્યતાઓ અનુસરનારા હોઈ તેને છોડી દઈએ તે વ્યાકરણ વગેરે શાસ્ત્રોના કરનારા સૃષ્ટિ શબ્દને ઘણે ભાગે ક્રિયાના રૂપમાં જ વાપરે છે દ્રવ્યની એટલે કે પૃથ્વી જલ વાયુ અને વનસ્પતિ એ બધાં દ્રની સ્થિતિ માટે જે વિશ્વ, જગત, ભુવન વગેરે શબ્દોને પ્રચાર છે, તેના એક અંશે પણ સૃષ્ટિ શબ્દ મુખ્યતાથી વપરાતું નથી. છતાં કોઈ સ્થાને કદાચ પદ્ધતિને અંગે જગતને માટે સૃષ્ટિ શબ્દ વાપર્યો પણ હોય, તે પણ તેને અંગે કંઇક વિચારની જરૂર છે.
ધ્યાન રાખવું જરૂરી છે કે વિશ્વ, જગત ભુવન આદિને કરેલું નહિ માનનારાઓ પણ સૃષ્ટિને કર્તાએ કરેલી જ હોય એ તરીકે માનવામાં આનાકાની કરી શકે નહિ. અને સૃષ્ટિ, સરજયું એમ માન્યા પછી સરજનાર ન માનો, એ તો પિતાની માની હયાતી ન માનવા જેવું જ થાય. સૃષ્ટિ શબ્દની વ્યુત્પત્તિને વિચાર
અર્થાત્ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ જે જણાવે છે કે નામની વ્યુત્પત્તિ નિયમિત છે, એમ ન માનવું અને તેથી સતઃ - મિસ એ સૂત્રમાં જ ધાતુ સાક્ષાત લીધેલો છતાં તે કમ ધાતુમાંથી જે બનાવાતે એ કેસ શબ્દ લીધે છે.
આ વાતને ધ્યાનમાં રાખીને સુષ્ટિ શબ્દની વ્યુત્પત્તિ અનિયમિત ગણીયે અને સુજ ધાતુથી જ સૃષ્ટિ શબદ થાય છે એમ એકાંતે ન માનીયે તે પછી સૃષ્ટિને કર્તા હોય અથવા ન પણ હોય એમ બેલી શકાય પણ સૃજ ધાતુ ઉપરથી જ સૃષ્ટિ શબ્દ બનાવવામાં આવે તે તેને કર્તા હોય કે ન હોય એવો વિચાર જ ન કરી શકાય. અને તેથી સૃષ્ટિ એટલે સજન, તે સજનાર એટલે બનાવનાર વિના બન્યું એમ કહી શકાય જ નહિ.
વસ્તુ સ્થિતિએ સૃષ્ટિ શબ્દથી વિશ્વ, જગત, ભુવન કે લેક એવા દ્રવ્યવાચક શબ્દના અર્થો સૂચિત થાય તેમ કરવાનું જ નથી. પરંતુ જે બનાવ જગતભરમાં નવા નવા રૂપે બને તેનું નામ સૃષ્ટિ કહેવું એ વ્યાજબી છે. અને તે નવીનતાના બનાવટરૂપ સૃષ્ટિ સર્જનહાર સિવાય ન જ બને એ સ્વાભાવિક જ છે.
આ ઉપરથી એટલું જ ખુલ્લું કરવાનું કે આ નવા નવા બનાવરૂપી સૃષ્ટિના સકતૃત્વ કે અકર્તકત્વમાં વિવાદ કરે નકામો છે અને સાક્ષર મનુષ્ય એ વિવાદ કરે પણ નહિ.
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૨
આગમત જગત, ભુવન આદિને જ્યારે સૃષ્ટિ શબ્દથી લેવામાં આવે અને તે જગતરૂપી સૃષ્ટિની સર્તકતા-અકત્તાનો વિચાર કરે, ત્યારે જ જેમ ઉંધું ઘાલીને બેલનારે મનુષ્ય એમ બેલી દે કે કોઈ પણ વસ્ત કર્તા સિવાય હોતી નથી. માટે જગત એ વસ્તુ છે અને તેને કર્તા મા જોઈએ. પણ આવું ઊંધું જોઈને બેલનારે વિચાર ન કર્યો કે પ્રથમ તે સામાન્ય રીતે લેવું હોય અને પદાર્થ પદાર્થના ફરકને સમજ હોય, તે એમ શા માટે નથી વિચારતે કે સર્વ કતો સામાન્ય આચારવાળો છે, તે ઈશ્વર પણ તે જ માનવે.
વળી સર્વ કર્તા માતાપિતાથી જ જમેલ છે, તે ઈશ્વર પણ, માતાપિતાથી જ જમેલો હોવો જોઈએ. શરીરવાળો જોઈએ, સાધનવાળે જઈએ, પ્રજનવાળે જઈએ, રાગદ્વેષવાળે જોઈએ. _વળી તે ઈશ્વર કે? જે ઘણાને દુખી કરનાર છતી શક્તિએ નહિ સુધારનાર, પિતાની રમત ખાતર જગને યાતનાના નરકમાં નાખનાર, બચ્ચા ઉપર મહેર નજર ન કરતાં ગર્ભ, જન્મ આદિનાં દુખોને આપનાર, અન્ને ઉપર વર્ષો થઈ ગયા છતાં સત્તાના વિષયમાં રહેલને નહિ સુધારી શકનાર, હું કર્તા, હું કર્તા એ ઝઘડે ચાલવા દેનાર અર્થાત્ સાચે જગતને કર્તા હિંદુને ઈશ્વર હોય તે મુસલમાન, યહુદી, ક્રશ્ચિયન આદિના ઈશ્વરો જે કર્તા તરીકે હરીફાઈ કરે છે તેને નિકાલ ન લાવે એ શું?
પણ સૃષ્ટિ શબ્દથી વિશ્વને ન લેતાં જ્યારે સર્જન લેવાય ત્યારે તેને કર્તા માન જ જોઈએ, અર્થાત્ ભુવન કે વિશ્વને વિધાતા કેઈ નથી અને અનાદિથી ઈશ્વરવાદીઓએ માનેલા ઈશ્વરની માફક પ્રવર્તે છે પણ સૃષ્ટિને તે જરૂર કર્તા છે, એમ માનવામાં કઈ મનુષ્યને કે જૈનને પણ વધે હઈ શકે નહિ અને હેતે પણ નથી.
તેથી જ શાસ્ત્રકાર શ્રી હરિભદ્રસૂરિજી : ભ્રષ્ટા સર્વનીતિનાં એમ કહી સામાદિ નીતિઓના સર્જનહાર તરીકે ભગવાન શ્રી જિનેશ્વરદેવને ગણાવે છે. સર્જન શબ્દથી બનાવવું લઈને નીતિઓના સર્જનહાર શ્રી યુગાદિદેવ હોય છે. માટે ય: સૃષ્ટા ઈત્યાદિ જણાવ્યું છે. નિયાચિકેના સુષ્ટિવાદની તારવણી
પરંતુ નિયાયિક આદિના હિસાબે જેમ સર્વમાત્રને અંગે કરવાની ઈચ્છાને કારણ તરીકે માની છે. જો કે ઈચ્છા હોય ત્યાં બધે કાર્યો
Page #76
--------------------------------------------------------------------------
________________
૫૩
પુસ્તક ૧-લું થઈ જાય એમ નિયમ નથી પણ જ્યાં કાર્ય થાય ત્યાં જરૂર ઈચ્છારૂપ કારણ હોય છે.
જો કે આવી રીતે પણ તૈયાયિકાદિકોએ માનેલા ઈચ્છાને કારણ ભાવ પાપ, દુઃખ, અધર્મ, દુર્ગતિ આદિ કાર્યોની અપેક્ષાએ લાગુ પડી શકે તેમ નથી, પણ જેમાં ઉદયજન્ય સામગ્રીને પ્રભાવ ન પડતું હોય અથવા વધારે પ્રયત્નથી સાધન ઈચ્છાપૂર્વક મેળવવાં પડતાં હોય તેવા સુખ, શુભ, ધર્મ, સુગતિ આરિરૂપ કાર્યોનાં ઈચ્છા વિના સાધન ન મેળવાય અને તેથી ઈછા વિના ન બને, માટે ઈછા એ એવા કાર્યો માટે અને તેથી કર્યો માટે પણ ઈચ્છાને કારણ તરીકે ગણે.
તેવી રીતે દરેક કાર્ય સમવાયી આદિ કારણે સિવાય થતું નથી, અને તે સમવાયી એટલે ઉપાદાન કે નિમિત્તે એવું કારણ જાણવા સિવાય કોઈ પણ કાર્ય બની શકે નહિ. માટે કાર્યમાત્રને અંગે તે કાર્યના સમવાયી ઉપાદાન કારણની જરૂરીયાત દરેક કાર્યમાં હોય છે એમ માનવું જોઈએ અને તેઓ માને છે પણ ખરા. અને એ અપેક્ષાએ એટલે ઉપાદાન કારણના જ્ઞાનને કારણે માની તે દ્વારા ઉપાદાન જ્ઞાનવાળા સર્વને કારણરૂપ ગણી જે ભગવાનને પણ તેવું જ્ઞાન હોવાથી વિવિધ પરિણામે પરિણમતા ભુવન આદિરૂપ સૃષ્ટિના કર્તા તરીકે ભગવાન સર્વને લેવા હોય તો તેમાં અડચણ નથી. એ વાત ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજીએ પણ જણાવેલી કે
' सर्वभावेषु कर्तृत्व ज्ञातृत्व यदि संमत।। મત ન: સતિ સર્વજ્ઞા, મુ$ા: કાયમતોડ . ”
(શ્રી વીતરાગસ્તોત્ર પ્રકાશ, લેક ૮) અર્થાત ઉપાદાન કારણના જ્ઞાનરૂપ જ્ઞાનની અપેક્ષાએ જે કર્તા પણું લેવું હોય તો એમાં અમને અડચણ નથી. કારણ કે મુક્ત અને કાયાને ધારણ કરનાર બંને જાતના સર્વ જૈન શાસનમાં મનાયેલા છે.
આવી રીતે વિવિધ પ્રકારના સુષ્ટિવાદને અંગે વિવિધ વક્તવ્ય. તાઓ છતાં પ્રસ્તુત અધિકારમાં તે સજન ક્રિયાને જ સૃષ્ટિ માની લઈને ચાલીએ છીએ, તેથી સાફ સાફ કહી શકીએ છીએ કે સૃષ્ટિ કર્યા સિવાય બનતી જ નથી.
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૪
આગમત શ્રી ઋષભદેવપ્રભુનું સૃષ્ટિકર્પણું છે જ :
આ જગ્યા પર પાકવિધાનથી આખી સૃષ્ટિ ભગવાન શ્રી ઋષભદેવજીએ કરી છે અને કેવી રીતે કરી છે? એ આપણે ઉપર જોઈ ગયા. એવી જ રીતે શહેર, કિલ્લા, સરભર, પ્રાસાદ, વાવ આદિની શરૂઆતની સૃષ્ટિ ભગવાન શ્રી ઋષભદેવજીના પક્ષથી કે ભક્તિથી ઈન્દ્ર મહારાજે વિનીતા નગરી બનાવરાવતાં કેવી રીતે કરી છે? તે પણ સામાન્ય રીતે જોઈ.
ઘોડા, બળદ અને હાથીઓને કેમ સંઘરવા ? તેને કેમ ઉછેરવા? તેને કેમ સાચવવા? તેને કેમ વધારવા તેનો ઉપયોગ કયારે કયારે કણે કણે કેમ કરી ? આ બધું અશ્વ આદિના સંગ્રહનું સજન ઉપર જણાવ્યું તે ઉપરથી સમજી શકાય છે.
પણ જેવી રીતે ભગવાન શ્રી ઋષભદેવજીનું પાકક્રિયા, નગર સ્થાપના અને અશ્વાદિ સંગ્રહના સજનને અંગે સૃષ્ટિકારકપણું છે તેવી રીતે બલકે તેનાથી અધિકપણે ભગવાન શ્રી ઋષભદેવજી મનુષ્ય જાતિની વ્યવસ્થારૂપ સજનક્રિયા માટે તે ભગવાન શ્રી ઋષભદેવજી સુષ્ટિકારકપણમાં અદ્વિતીય રૂપે છે તે હવે જોવાનું છે.
તેથી જ આપણે મનુષ્યની જાતિઓ કેટલી? કઈ કઈ ? ક્યારથી? અને કેમ કેમ થઈ? એ વગેરેને વિચાર કરે આવશ્યક ગણે છે. તે વિચાર હવે કરીએ. ભિન્ન આકૃતિથી જાતિભેદ એ સિદ્ધાંતનું અપવાદ સાથે નિરૂપણ:
સામાન્ય રીતે જગતના વ્યવહારમાં પૃથ્વી, પાણી આદિ વસ્તુઓ જુદા જુદા આકાર કે ગુણવાળી હોવાથી તેની જુદી જુદી જાતિ ગણાય છે.
જે કે નૈયાયિક આદિના હિસાબે અન્ય વસ્તુઓની આકૃતિઓથી જુદી આકૃતિ કે રૂપવાળી વસ્તુ હોય તે પણ તેના ઘણાં સ્થાને હોય તે જ તે જુદા જુદા સ્થાનમાં રહેલી આકૃતિને કે તે જુદા રૂપને જાતિ કહી શકાય એમ માને છે, પણ એક અને અનિર્વચનીય એવા પરમેશ્વર આદિમાં પરમેશ્વરપણું આદિ જે ન માને તે અનીશ્વર વાદીની સ્થિતિમાં આવી જાય માટે તે નિયાયિક વગેરેને આખા પદાર્થમાં રહેવાવાળે એક ધર્મ તે વિશિષ્ટ તરીકે માન જ પડે છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
૫૫ એટલે વસ્તુતાએ આકૃતિ અને ગુણ આદિ ભેદથી જાતિની ભિન્નતા પ્રત્યક્ષ ગણાય, પણ આ મનુષ્ય જાતિને અંગે આકૃતિની ભિન્નતાથી ઘડ, ગાગર, ગોળ આદિની માફક જુદી જુદી જાતિ થઈ શકે એમ નથી.
જો કે કેટલાક મનુષ્યમાં શરીરના રંગના ભેદે અને દેશદેશના ભેદે જાતિ માને છે અને મનાવવા તૈયાર થાય છે. પણ આકૃતિના ભેદ સિવાય તેવા ભેદથી જે જાતિને ભેદ માનવામાં આવે તો, પૃથ્વી આદિ ફલઆદિ અને ઘટ-પટ આદિ જાતને કંઈ નિયમ જ ન રહે. એટલું જ નહિ પણ ખુદ મનુષ્યમાં પણ બાળ, યુવાન, વૃદ્ધ, ઠીંગણે, ઊંચે, પહેળો, સાંકડે ઈત્યાદિ બધા ભેદે હેઈને જાતિને પાર ન રહે.
અર્થાત આ બધા કથનનું તવ એ છે કે મનુષ્યમાં કોઈ આકારભેદ, દેશભેદ, ગુણભેદ કે એવો કોઈ બીજે ભેદ જાતિને ભેદ કરનાર નથી, તેથી એમ સામાન્ય રીતે સર્વદશનવાળા અને મતવાળાને કહેવું પડે છે કે મનુષ્યમાં જે જે જાતિભેદે છે તે પાછળથી થયેલા છે. સ્વાભાવિક રીતે મનુષ્યજાતિમાં તે કઈ ભેદ અસલથી નથી.
આવી રીતે સર્વદર્શન અને મતવાળાઓની મનુષ્યજાતિના સંબંધમાં અસલથી ભેદને અભાવ હતો એવી માન્યતા છતાં કે ઈ પણ દર્શનવાળો કે મતવાળો મનુષ્યજાતિમાં જાતિભેદ છે જ નહિ, એમ માનવાવાળો નથી. અર્થાત સર્વદર્શન અને સર્વે મતવાળાએ મનુષ્યમાં જાતિભેદ છે એમ માનવાવાળા છે એ જાતિભેદ માનવાવાળામાં કેટલાક કર્મભેદના પ્રભાવે જાતિભેદ માનનારા છે.
હવે ભગવાન શ્રી કષભદેવજીએ કઈ કઈ જાતને જાતિભેદ કર્યો? અને કેમ કર્યો? તે જોઈએ. જન્મથી જાતિ કે કર્મથી જાતિ?
જેમ ઈતર પદાર્થોમાં આકૃતિ ભેદે જાતિભેદ નથી થયે, એ વાત સિદ્ધ થઈ છે, છતાં મનુષ્યમાં જાતિભેદ થયે છે એ તો વગર વિવાદની જ હકીકત છે પણ તે જાતિભેદ જન્મથી? કે કર્મથી? અથવા બન્નેથી માનીયે? પણ એ વાત તે નકકી થયેલી છે કે જાતિ ભેદની જે સ્થિતિ મનુષ્યમાં દાખલ થઈ છે તે અસલથી તે હતી જ નહિ.
Page #79
--------------------------------------------------------------------------
________________
આગમત અર્થાત સૃષ્ટિને જગત તરીકે માની તેને કર્તા કોઈક પરમેશ્વર છે એમ માનનાર ઈશ્વર કર્તકતાવાદી અથવા જેઓ મનુષ્યની ઉત્પત્તિ કોઈ પણ કાલે મનુષ્ય સિવાય બીજા કોઈ તેવા પદાર્થથી કે કઈ પણ નિ સ્થાન સિવાયના મુખ ભુજા આદિ સ્થાનથી થતી નથી, અને થઈ પણ નથી એવું માનનાર સનાતનવાદીઓએ બેમાંથી કઈ પણ હોય, પણ કૃત્રિમવાદીઓને પોતાની જાતિ માત્રથી ઉત્તમતા જણાવવા માટે બનાવટી અને ન માની શકાય અને ઘટી પણ ન શકે એવી મુખ ભુજા આદિથી ઉત્પત્તિ થવા રૂપ જાતિના ભેદથી જાતિ એટલે જન્મ અને તેની રીતિના ભેદથી જાતિભેદ માન્ય અને એવી રીતે કૃત્રિમતાવાદીઓના વંશજોએ પછી તો એ મુખ ભુજા આદિથી જન્મ પામવા રૂપ બ્રાહ્મણ આદિ ભેદ નથી રહ્યો. છતા તે થયેલા બ્રાહ્મણ આદિને જુદી જુદી જાત તરીકે માની તેમાં જન્મેલાને બ્રાહ્મણ આદિ તરીકે માન્યા.
તેથી જાતિભેદની શરૂઆત કરનારે ઉત્પત્તિની રીતિના જુદાપણારૂપ જાતિના ભેદે જાતિભેદ માને. પછી તે કૃત્રિમ જાતિવાદને અનુસરનારા
એ જાતિ એટલે દુનિયામાં ગણાતી જે જ્ઞાતિરૂપ જાતિ છે તેને આધારે જ જાતિભેદ માન્ય. અર્થાત જે જે મનુષ્ય જે જે જ્ઞાતિમાં જ તે તે મનુષ્ય તે તે જ્ઞાતિ એટલે જાતિને ગણાય એમ માન્યું.
એટલે કહેવું જોઈએ કે કપિતપણે મુખ આદિથી જન્મ પામવાની વાત ઉપજાવી કાઢી અને તેને આધારે જ જગતમાં જાતિવાદ ચલાવ્યું, પણ સનાતનવાદીઓ એવી રીતે બ્રહ્માના મુખ આદિથી બ્રાહ્મણે આદિની જાતિઓ ઉત્પન્ન થઈ અને તે થવું તે ૩૫ જાતિથી અથવા તે કલિપત રીતિએ ગણાયેલ જાતિ એટલે જ્ઞાતિથી જાતિવાદને નહિ માનતાં આદિદેવે રક્ષાકર્મ આદિમાં જોડેલા લેકેની જે ઉત્રાદિજાતિઓ કરી અને તેમાં જે પાછળથી વંશ પરંપરાએ જમ્યા તે આદિમાં કર્મથી જાતિવાળા અને પછી પરંપરાએ જાતિ એટલે જન્મ થવાથી જાતિવાળા એમ જાતિભેદ માને છે, અને તે પાછળથી થયો એમ પણ માને છે, એટલે કૃત્રિમવાદીના મતે જન્મથી આદિ ઉત્પત્તિ અને પછી તેમાંની ઉત્પત્તિથી જાતિ થઈ એ માન્યતા મુખ્ય છે. જ્યારે સનાતનવાદીઓના મતે કર્મ એટલે આ રક્ષણ આદિ ક્રિયા અને તેનાથી જ્ઞાતિભેદ થયે, પછી તે જન્મ પામનાર તે
Page #80
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
પ૭ જાતને ગણાયે, એટલે પ્રથમ કર્મથી જાતિની ઉત્પત્તિ થઈ અને પછી જન્મથી જાતિભેદ ચાલ્યા.
જે કે આ સ્થાને કર્મ એટલે ક્રિયા લઈને તે ક્રિયા એટલે કર્મથી જાતિભેદની શરૂઆત જણાવી છે. પણ જાતિભેદના કારણભૂત કર્મમાં જેમ કોઈ અદષ્ટને સંકેત છે, તેવી રીતે તે તે ક્રિયારૂપ કર્મો કરવાથી થયેલી જાતિમાં ઉપજવું થાય તેમાં પણ અદષ્ટરૂપ કમને સંકેત નથી. એમ કહી શકાય જ નહિ.
જેમ કેઈ સ્ત્રી કે પુરૂષને ક્ષય કે દમ આદિ વારસામાં ઉતરી આવનારા દર અદષ્ટરૂપ કર્મને જેરે થાય છે, તેવી જ રીતે તેવા દરદવાળા માતપિતાના સંગમાંથી ઉત્પન્ન થનારને પણ તેવા અદષ્ટરૂપ કર્મનો સંગ હોય જ છે.
એટલે પ્રથમ જે જાતિભેદ ઉત્પન્ન થયે તે કમરૂપ કિયાથી મુખ્યત્વે હતો અને તેમાં અદષ્ટ ગૌણપણે કારણ હતું, ત્યારે પાછળથી ઉત્પન્ન થનારાઓમાં અદષ્ટરૂપ કર્મ મુખ્ય છે અને તે કર્મ એટલે ક્રિયાની પરંપરારૂપ હોવાથી જાતિભેદના કારણુમાં ગૌણ છે. સુવર્ણની અંદર જેમ કષના ભેદે જાતિભેદ હોય છે, તેમ જે કે લોઢામાં વર્ણના ભેદે હેતે નથી, તે પણ લેઢામાં પણ જાતિભેદ તે હોય છે જ. તેવી રીતે આર્યોની માફક અનાર્યોમાં જાતિ કે કર્મના ભેદે જાતિભેદ માન્યું નથી અને મનાતું નથી.
પ્રથમ તે તેનું કારણ એ છે કે ત્રિલેકનાથ તીર્થકર ભગવાન શ્રી યુગાદિદેવે જે ઉગ્ર-ભગ આદિ જાતિની વ્યવસ્થા કરી તે માત્ર આર્યક્ષેત્ર તરીકે સાડા પચીસ દેશમાં જ કરી અને તેથી તે આર્યદેશમાં જ કર્મ અને જન્મ પરત્વે જાતિ વ્યવસ્થા પ્રવર્તી, પણ અનાર્યક્ષેત્રમાં જે કર્મ પ્રવૃત્તિ અને તેની પરંપરાની પ્રવૃત્તિ શ્રી યુગાદિ. દેવના નિયમનથી થયેલી નથી, પણ યાદૃછિકપણે થયેલી છે જે કે આર્યોના અનુકરણથી અવ્યવસ્થિતપણે થયેલી છે, તેથી તે અનાર્યોમાં જાતિભેદ કર્મથી કે જન્મથી રહેલ નથી.
આવી રીતે સનાતનવાદીઓએ અનાર્યમાં જાતિભેદ આર્યોના જે જન્મથી કે કર્મથી નથી. એ જણાવતાં જે કારણ રજુ કરેલ છે તે માની શકાય એવું છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
આગમજ્યેત
કેમ કે સત્ય સનાતનવાદીએ ભગવાન યુગાદિદેવને જગતના સા ભૌમ એવા પરમેશ્વરના દીકરા કાસદ કે આધિપત્યવાળા માનતા નથી. પરંતુ એક મહાપુરૂષના માત્ર અવતાર તરીકે માને છે અને તેથી તેમની જગત્ વ્યાપક સત્તા ન હેાય અને તેથી તેમને કરેલા જાતિભેદ જે કમ અને જન્મથી હતા તે બધા માત્ર આ ક્ષેત્રમાં સ્થાન કરે, અને અનાય ક્ષેત્રમાં વ્યાપક તરીકે ન રહે અને સ્થાન ન કરે એ સ્વાભાવિક ગણાય. પણ જે કુત્રિમવાદીએ ખેટી રીતિએ જગતને ઠગવા માટે ધાગાપથીએ થઇ મફતીયા હરામીના દુનિયાના માલમલીઢા ખાવામાં ટેવાયેલાએ બ્રહ્માના મુખ આદિથી જ બ્રાહ્મણ આદિ જાતિઓની ઉત્પત્તિ માને છે. તેએ શું અનાર્ડમાં બ્રાહ્મણુ આદિ જેવા જાતિભેદે નહિ હાવાથી બ્રહ્મા સિવાયથી ઉત્પન્ન થયેલા માનશે ?
૧૮
કહેવુ જોઇએ કે એ કૃત્રિમવાદીઓને સાત સાંધતા તેર તૂટે એવા હિસાબ હાવાથી એલવાનું સ્થાન જ નથી.
આમ છતાં પણ જો કે આરક્ષકપણા આદિ કર્મોની વ્યવસ્થાના અભાવથી મૂળકમથી કે અષ્ટકમ`થી અનાર્યોંમાં જાતિભેદ ન હેાય,
તા પશુ તે અનાચેંમાં પણ સર્વથા જાતિભેદ નથી, એમ તે નથી જ. કુતરા, ગધેડા અને પાડા જેવી જાનવરની હલકી જાતિમાં પણ માતાપિતાના કે તેવા અનેક તરેહના સંચાગની વિચિત્રતાને લીધે જાતિભેદ હાય છે. અનાય લાકામાં આય ટાકાની પેઠે ઉગ્ર આદિ કે બ્રાહ્મણ આદિ જાતિએ નથી, એમ ખરૂં, પણ તે અનાર્યુંમાં સત્તા, ઋદ્ધિ, સાહિખી, ચામડીના રંગ, ઉપકારા, અપકારા, ધર્મો, દેશ અને યાવત્ પેાતાના પૂર્વજોની અપેક્ષાએ ઉંચા-નીચાપણુ નથી, એમ તા નથી જ.
જે ક્રિશ્ચીયના હિંદુઓને વટલાવવા માટે જાતિભેદને અન્યાયરૂપે જણાવે છે તે જ ક્રિશ્ચીયના યુરોપીયને કાળા લેાકેાની સાથે, અમેરિકના લાલ ઇંડીયના સાથે, ડચ વગેરે લેાકેા કે સીદ્દી અગર હુન્સીએ સાથે બેઠક લેવામાં ભેદ ન કરવામાં તે શું? પણ ડ્રેસ અને સીવણ સરખામાં ભેદભાવને આગળના આગળ જ રાખે છે, તે કેમ ખસેડતા નથી ? અને તે ખસેડવાના પ્રયાસ મીશન દ્વારા કેમ કરતા નથી ?
Page #82
--------------------------------------------------------------------------
________________
-
પુસ્તક ૧-લું
૫૯. સ્પષ્ટ છે કે એ મીશનરી લેજના એક રાજ્યપલટાની ને પ્રજાપલટાની માત્ર ઉષા છે. અજ્ઞાનીઓને છેતરવાની દિશા છે. અર્થાત્ જાતિમદ જેઓએ પહેલાંની જીંદગીમાં કર્યો હોય, તેઓ ચાહે તે આર્યક્ષેત્રમાં જન્મ પામે કે ચાહે અનાર્યક્ષેત્રમાં જન્મ પામે પણ અદષ્ટરૂપ કર્મથી જાતિભેદના ફળને તે દવાનું જ છે.
ધ્યાન રાખવું કે હલકી ગણાતી ઢેડની જ્ઞાતિમાં પણ તેની અપેક્ષાએ ઉચ્ચ-નીચપણું રહેલું છે, તે પછી અનાર્ય જાતિમાં ઉચ્ચ-નીચપણું નથી, એ માનવું કેવળ ભદ્રિક મનુષ્યને રહેમાવવાનું જ છે.
વળી ધ્યાન રાખવાની જરૂર છે કે જગતમાં ખરાક, બુદ્ધિ, તપ, ઋદ્ધિ આદિની મહત્તા જીરવવી મુશ્કેલ હોય છે, તેથી તે ખેરાક આદિનાં અજીર્ણો થાય છે. અને તે રાક આદિના અજીર્ણના પરિપાકની વખતે તે અજીર્ણ કરનાર ખેરાકને જ છોડવાની દશા ફરજીઆત પણે ઉભી થાય છે. તેવી રીતે ભવિષ્યમાં ચાહે તે આર્ય ક્ષેત્રમાં જન્મ પામનાર હોય કે અનાર્યમાં પણ ત્યારે જાતિની ઉચ્ચતા જે મળી હોય તેનું અજીર્ણ થાય અને અન્ય જાતિવાળાને અનાદર તિરસ્કાર અને દુઃખી કરવા યાવત્ અમાનુષિક વ્યવહાર તે ઈતર તરફ ચલાવવા તૈયાર થાય, ત્યારે કરેલા કામને બદલે આપનારી કદરત તે સહન કરી લે? એમ અક્કલવાળે મનુષ્ય માની શકે ખરા? - વળી જ્યારે એવી જાતિની અજીર્ણતાના ફળ આર્યોને ભેગવવા જ પડે એમ માનવાની ફરજ પડે અને માનીએ, તે પણ કુદરત એ કંઈ અનાર્યતાથી હારી જવાવાળી ચીજ તે નથી જ કે જેથી અનાર્યપણું થાય એટલે જાતિ સંબંધી કરેલી તમાખીને બદલે ન જ આપે અને આગળ આપેલ રાકના અજીણની રીતિએ તેવા તુમાખી ખેર અનાર્યપણુમાં જન્મે તે પણ તેની તુમાખીને બદલે ઈન્સાન કહે કે કુદરત કહે એ આપ્યા વિના ન રહે.
આ ઉપરથી આટલી જ વાત નક્કી કરવાની કે જાતિના ભેદ જન્મથી કે કર્મથી આર્યોમાં હોય અને અનાર્યમાં પણ અન્ય અન્ય કારણેએ જાતિના ભેદે તે હોય છે જ. અને તે પ્રમાણે જાતિભેદે માનવા પણ પડે જ છે.”
Page #83
--------------------------------------------------------------------------
________________
આગમત
આર્યોમાં જાતિભેદને કમ:
જાતિભેદને કવીકાર કરનારાઓએ એકસરખી રીતે એ તે કબુલ
આ વર્તમાન જાતિભેદ થવા પહેલાં મનુષ્યમાં એક જ જાતિ હતી. આ જગ્યા પર વિચાર કરવાની જરૂર છે કે સત્ય સનાતનવાદીઓના કહેવા પ્રમાણે ભગવાન યુગાદિદેવની વખતે એકલા યુગાદિદેવ જ પુરૂષ હતા અને તેમનાં માતાપિતા અને બીજા મનુષ્ય નહતા એમ નહતું. તેથી અનેક મનુષ્ય જાતિભેદ સિવાયના હવાથી પહેલી મનુષ્યની એક જાતિ હતી એમ કહેવું વ્યાજબી જ કરે અને પછી તે શ્રી યુગાદિદેવને અંગે થએલી કે શ્રી યુગાદિદેવે કરેલી વ્યવસ્થાને અંગે પાછળથી જુદી જુદી જાતિ બને, પણ જેઓ કૃત્રિમવાદીઓ થઈ બ્રહ્માથી ચારે વણ ઉત્પન્ન થયાનું માને છે, તેઓને માટે તે ચાર વર્ણ થયા પહેલાં ઘણા મનુષ્ય નહતા તે પછી મનુષ્યની એક જ જાતિની વ્યવસ્થા થવા પૂર્વે હતી એમ કહેવાને હક્ક જ ક્યાં છે?
તેઓને તે એમ જ બલવું પડે છે કે પહેલાં કોઈ જાતિ જ નહોતી. માત્ર એકલા જ બ્રહ્મા જ હતા. પણ તે કૃત્રિમવાદીઓ એ પ્રમાણે બોલતા નથી અને સ્પષ્ટ શબ્દોથી કહે છે કે પહેલાં સર્વ એક જ મનુષ્ય જાતિ હતી. આ તેઓનું કથન જ આડકતરી રીતે સ્પષ્ટ ઈકરાર કરાવે છે કે બ્રહ્માએ બ્રાહ્મણદિની જાતિ કરી. એવું જે કહીએ છીએ તે એક માત્ર આલંકારિક છે. બાકી તે બ્રાહ્મણાદિ જાતિની સ્થાપના કરવા પૂર્વે પણ એકલા બ્રહ્માજ મનુષ્ય તરીકે હતા એમ નહિં, પણ અન્ય મનુષ્ય પણ ઘણા હતા, તેથી તે બ્રાહ્મણાદિ જાતિની સ્થાપનાની પૂર્વે એક માત્ર મનુષ્ય જાતિ જ હતી.
કૃત્રિમ સૃષ્ટિવાદીઓએ જાનવર અસુર અને સુરઆદિની પણ ઉત્પત્તિ જેડી કાઢી તે એટલા માટે કે યુગાદિદેવને બ્રહ્મા ઠરાવી તેની પહેલા કોઈ મનુષ્ય નહેતા એ આલંકારિક ઉત્પત્તિવાદનાં પાંખડાં અધુરાં રહેતાં હતાં.
વાસ્તવિક રીતે વિચારીએ તે સ્પષ્ટ માલમ પડશે કે શ્રી યુગાદિદેવે મનુષ્યની એક જ જાતિ હતી, તેમાં જુદી જુદી વ્યવસ્થા કરી
Page #84
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું જદી જુદી જાતિઓની સ્થાપના કરી અને અસુર સુર જાનવર અને પંખી આદિની જાતિઓ પહેલેથી હતી અને તેથી જ આલંકારિક ભાષાએ બ્રહ્માથી વણે એટલે જાતેની ઉત્પત્તિ વગેરે જણાવતાં માત્ર મુખથી બ્રાહ્મણની ઉત્પત્તિ વગેરે જણાવી મુખ, ભુજા, ઉદર અને પદ એ બધા મુખ્ય મુખ્ય અવયવે બ્રાહણે આદિની ઉત્પત્તિના હેતુ તરીકે જણાવ્યા, પણ દેવ, દાનવ, જાનવર, પક્ષી વગેરે માટે એક અંગે જણાવ્યું નહોતું.
બુદ્ધિશાળી પુરુષ આ બધું વિચારતાં સ્પષ્ટપણે સમજી શકશે કે શ્રી યુગાદિદેવે કરેલી કમેથી જે જાતિ વ્યવસ્થા હતી તેને આલંકારિક રીતિમાં ગોઠવવા ગયા અને તે રીતિને પૂરી કરતાં દેવદાનવાદિની ઉત્પત્તિ પણ કલ્પી કાઢી આવી રીતે બ્રાહ્મણાદિ જાતિઓની ઉત્પત્તિ અસત્ય રીતિએ કલ્પીને દેવદાનવાદિની ઉત્પત્તિ ક૯પવી પડી અને અંતમાં બ્રહ્મા અને સકલ બ્રહમાંડની ઉત્પત્તિ કલપવી એ કૃત્રિમ કત્તાવાદીઓની અનિવાર્ય ફરજ થઈ પડી. એટલે કહેવું જોઈએ એક જાતિવાદની ગોઠવણી કરતાં બધી કલિપત શેઠવણ એ કૃત્રિમ વાદીઓને કરવી પડી.
જાતિવાદના ભેદે અને તેને ક્રમ :
કૃત્રિમવાદીએ બ્રામણાદિ જાતિઓની બ્રહ્માના મુખ આદિથી ઉત્પત્તિ માની જાતિવાદને મનાવે છે. પણ તેઓએ જણાવેલ જાતિને ઉત્પત્તિ ક્રમ હેતુપૂર્વક નથી, તેમ વ્યવસ્થાપૂવકને પણ નથી.
મુખથી બ્રહ્માએ બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા વગેરે કહેવાયું પણ પહેલા મુખથી બ્રાહ્મણને ઉત્પન્ન કર્યા કે પછી કર્યા તેને કઈ ક્રમ અથવા હેતુ નથી. એકની ઉત્પત્તિ થયા પછી કર્યું નવું કારણ નવા વર્ણને ઉત્પન્ન કરવામાં થયું? તે પણ સ્પષ્ટ જણાવાયું નથી જ.
વળી બ્રહાણાદિક જાતિના મનુષ્ય મનુષ્યપણું નવેસર હોવાથી જેવી રીતે સત્ય સનાતનવાદીઓને મનુષ્યના બચાવ જીવન રક્ષા અને ધર્મ આદિને માટે મનુષ્યની જાતિ વ્યવસ્થા કરવાની જરૂર જણાઈ તેવી જરૂર આ કૃત્રિમવાદીઓ કહી શકે તેમ નથી, કારણ કે તે કૃત્રિમવાદીઓના મત પ્રમાણે તે બ્રાહ્મણદિ જાતિને બનાવવા પહેલાં
Page #85
--------------------------------------------------------------------------
________________
આગમત કોઈ મનુષ્ય કે જાતિ કઈ હતું જ નહિ. તે પછી કેના બચાવ અગર જ્ઞાન માટે બ્રહ્માને જાતિની રચનાની જરૂર જણાય.
આ વાત ધ્યાનમાં લેવાથી સુજ્ઞપુરૂષ સ્પષ્ટપણે સમજી શકશે કે ઈશ્વર સૃષ્ટિ બનાવી એને અંગે કૃત્રિમ સૃષ્ટિવાદીઓને જ્યારે ઈશ્વરે શા માટે સૃષ્ટિ રચી? એવા પુછવામાં આવતા સવાલના જવાબમાં તે કૃત્રિમવાદીઓ કઈ પણ હેતુ કે કમ જાતિવાદની જેમ જણાવી શકતા નથી, તેમ આખા સૃષ્ટિવાદમાં કંઈ પણ હેત કે કેમ ન જણાવી શકવાથી એક બાળકની કોટીમાં ઈશ્વરને મૂકી દઈ તે ઈશ્વરની કીડા ઈચ્છા એવા એવા ઉત્તરો કેવા કેમ પડે છે ? તે સમજાશે.
સનાતનવાદીઓએ એ જાતિક્રમ હેતુ અને કમસર જણાવેલ છે? તે કે અને સત્ય છે? તે હવે તપાસીયે.
સત્ય સનાતનવાદીઓએ સ્વીકારેલ જાતિભેદને કમ અને હેતુઓ:
અત્યાર સુધીની ભગવાન ઋષભદેવજીની હકીકતને જાણનારે મનુષ્ય સારી રીતે સમજી શકે તેમ છે કે –
ભગવાન શ્રી ઋષભદેવજીને રાજ્યાભિષેક નહતો થયે ત્યાં સુધી પ્રજામાં કોઈ પણ જાતિભેદ જેવી ચીજ નહતી.
જો કે કુલકરેએ પરંપરાથી હાકારઆદિ નીતિ દ્વારા એ નીતિને ઉલ્લંઘન કરનારી પ્રજાનું શિક્ષણ શરૂ કરેલું હતું. અને તેથી ભગ વાન શ્રી ઋષભદેવજી કરતાં પણ ઘણું કાલથી અર્થાત્ અસંખ્યાતા કાલ થવા પહેલાંથી પ્રજા વર્ગના સામાન્ય રીતે બે વિભાગ તે પડી ગયા જ હતા. તે બે વર્ગમાં એક શિક્ષક વર્ગ જેને આપણે કુલકર તરીકે ગણીએ છીએ અને બીજે શિક્ષણીય વગ કે જે તે તે કલકરની નીતિઓથી શિક્ષણીય થતું હતું. તે બીજે વગર એક જ હતે જેને આપણે સામાન્ય જીગલિયા તરીકે કહી શકીએ છીએ.
સામાન્ય દષ્ટિવાળો મનુષ્ય આ વાત તે સહેજે સમજી શકે તેમ છે કે ચાહે તે જમાને, ચાહે તેવી જાતિ કે ચાહે તેવી અવસ્થા લેવામાં આવે તે પણ જીવનનિર્વાહનાં સાધને સિવાય કંઈપણ મનુષ્ય વ્યક્તિ જીવી શકે નહિ. તેમાં પણ જેમ ભાગ્યશાળી મનુષ્યને
Page #86
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું જેમ માતાપિતા અને સગાં-સંબંધીઓ અનુકૂળતાવાળા હોય છે અને તેથી તેવા અનુકૂળ સંગવાળાને જીવનનિર્વાહ ઘણું જ સહેલાઈથી અને સુખેથી થાય છે.
તેવી રીતે અથવા જેમ ભાગ્યવાળા બાળકને ગર્ભમાં આવી તે જન્મ પામવાની પહેલાંથી માતાના સ્તનમાં દુગ્ધ પરિણમી જાય તેવી રીતે તે યુગ્મીઓના વખતમાં સકલ જીવનનિર્વાહના સાધને કલ્પવૃક્ષ દ્વારા થતાં હતાં.
પણ એટલી વાત જરૂર છે કે ઘણે ભાગે સંગ્રહવૃત્તિ અને સંકોચશીલતા એ બને ગુણ ગણે કે અવગુણ ગણે પણ તેને જન્મ વસ્તુની ગ્ય પ્રાપ્તિના અભાવને જ આભારી હોય છે. તેથી દુષમ અવસર્પિણીકાળને લીધે તે યુગ્મીઓને પુણ્યની ખામીને લીધે પ્રાપ્તિની ઓછાશ થઈ અને તેથી સંગ્રહશીલતા અને સંકુચિતવૃત્તિ જન્મે એ સમજી શકાય તેમ છે.
નીતિની જરૂરીયાત અને તેથી જાતિભેદ :
સામાન્ય દષ્ટિવાળે પણ સમજી શકે તેમ છે કે સંગ્રહશીલતા અને સંકુચિતવૃત્તિ જ્યારે આત્મામાં જન્મે છે ત્યારે માત્ર યથાન્યાયે મળેલી જ વસ્તુથી સંતોષ માનવાને રહેતા નથી. અથવા તે રહે અસંભવિત છે. તેથી યથાન્યાયે મળતી વસ્તુઓથી સંતેષ ન થાય ત્યારે અથવા અન્યાયથી પણ વસ્તુ મેળવવા મનુષ્યનું માનસ મંથન કરે અને તેવી રીતે અથવા ન્યાય મેળવવા મથતું માનસ પ્રસંગ આવ્યાથી અથવા ન્યાયની પ્રવૃત્તિને આદરવા અને વધારવા તૈયાર થાય છતાં એવે વખતે યથાન્યાયે વસ્તુ પ્રાપ્ત કરનારાઓને પણ પિતાની વસ્તુઓનો બચાવ કરવા માટે કંઈક ન રસ્તે શોધ પડે, અને જ્યારે એવી રીતે રસ્તાના બચાવ માટે શોધ કરાતી હોય ત્યારે વધુ અક્કલવાળો મનુષ્ય તેવા અધમવૃતિવાળાથી બચવા માટે હરેક તરીકે ઝખે તે સ્વાભાવિક છે. અને તેથી ભગવાન શ્રી ઋષભદેવજી મહારાજના કરતાં પહેલાના વખતમાં પણ આવસર્પિણના હલાથી બચાવ માટે કુલકરોરૂપી શિક્ષક દ્વારા વ્યવસ્થા શરૂ થઈ ગઈ હતી. પણ એમ જણાય છે કે એ હાકાર આદિથી ગુન્હેગારને શિક્ષા કરવાની પદ્ધતિ હતી.
Page #87
--------------------------------------------------------------------------
________________
-
આગમત જેમ જગતમાં નિન્દનીય કાર્ય કરવાથી તે નિન્દનીય કાર્ય કરે નારા પણ શિક્ષા ખમવા માટે તૈયાર હેત નથી, પણ નીતિ તરફ ધ્યાન રાખનારે તેવા અનીતિવાળાને શિક્ષણીય ગણે છે. એવી રીતે વિમલવાહન કુલકરના વખતથી વાચિક શિક્ષણ ચાલતું હતું. પણ ભગવાન શ્રી ઋષભદેવજી ભગવાનના રાજ્યકાલથી તે શિક્ષણીએ જાહેર રીતિએ અભિનયપૂર્વક કબુલ કરેલ શિક્ષકની શિક્ષા કબુલ કરી હતી. અને તેથી જ પ્રથમ જે કે શિક્ષક અને શિક્ષણ એ વર્ગ હતા જ છતાં ત્યાં કાયિક દમનને પ્રચાર ન હોવાથી મદદગારોની કોઈપણ પ્રકારે શિક્ષકને જરૂર ન હતી અને તે શિક્ષકને વર્ગ નહોતો કરે પડ્યો. તેથી જાતિભેદને અવકાશ નહોતો પણ ભાગવાન શ્રી કષભદેવજીના રાજ્યત્વકાળથી તે શિક્ષકવર્ગને કાયિક દમન કરવાનું હોવાથી શિક્ષકવર્ગ તરીકે થવું પડયું અને તેથી ત્યાંથી જાતિ વિભાગ થયે.
અર્થાત્ જગતના જુના ઈતિહાસને જે અકલમંદીથી તપાસવામાં આવશે તે સ્પષ્ટ સમજાશે કે મુખથી બ્રહ્માએ બાહાણેને ઉત્પન્ન કર્યા એ હકીકત કેવળ અસંભવિત અને હસી કાઢવા જેવી લાગશે.
જ્યારે આ ઉપર જણાવ્યા પ્રમાણે શિક્ષક અને શિક્ષણીય તરીકેના બે વિભાગ પ્રજામાં પડે અને તેથી પ્રથમ શિક્ષા કરનારી જાતને જ પ્રાદુર્ભાવ જગતની આદિમાં થાય તે જ સ્વાભાવિક છે. આદિમાં બ્રાહ્મણ જાતિની ઉત્પત્તિ કેમ નહિ?
અન્ય મતવાળાઓ પહેલાં મનુષ્યની એક જ જાતને માને છે. અને પાછળથી જ જાતિને ભેદ થયેલે માને છે. તેમાં પણ પહેલાં બ્રાહ્મણ જાતિની ઉત્પત્તિ માને છે, પણ એટલું વિચારવું જરૂરી છે કે જે બ્રહ્મચર્યને લીધે બ્રાહ્મણવર્ગની ઉત્પત્તિ માનવી હોય તે તે બ્રહ્મચર્યને જે વ્રત તરીકે માનતા હોય તે તે જ્ઞાનમય એવા ધર્મની ઉત્પત્તિ થયા પછી જ થાય અને જ્ઞાનમય ધર્મની ઉત્પત્તિ તે તપશ્ચરણ પછી જ્ઞાનત્પત્તિ જ્યારે થાય ત્યારે જ થઈ શકે. અને તપશ્ચરણની સ્થિતિ તે રાજ્યધર્મની ઉત્પત્તિ થઈ બધી વ્યવસ્થા થયા પછી જ બની શકે.
વળી કદાચ આત્મજ્ઞાનને લીધે બ્રાહ્મણ કહેવા હોય અને તેની
Page #88
--------------------------------------------------------------------------
________________
૨૫
પુસ્તક ૧-લું ઉત્પત્તિ આઘમાં કહેવી હોય તે તે પણ વ્યાજબી ગણાય તેમ નથી. કારણકે આત્મજ્ઞાનને વખત જગતની વ્યવસ્થા ગોઠવાયા પછી જ થઈ શકે.
વળી કાળનું અવસર્પિણ પણું જે તેઓને કૃતયુગાદિને કાળ તેઓએ માનેલ હોવાથી માન્ય છે તે પછી તેઓએ માનવું જ જોઈએ કે પ્રથમમાં પવિત્રતા હોવી જ જોઈએ અને પાછળથી અપવિત્રતા થવી અને વધવી જોઈએ. માટે તે અપવિત્રતાના નિવારણ માટે કાયિક દમનના નિયમનથી અનિયમિત રહેનારને નિયમિત કરવા માટે કાયિકદમનના માર્ગથી જ નિયંત્રિત કરવા જ પડે છે અને જે એ વાત મંજુર હોય તે કહેવું જ જોઈએ કે પ્રથમ શિક્ષકવર્ગની ઉત્પત્તિ થવી જરૂરી છે અને તેથી રાજ્યાભિષેક થવાથી જ પ્રથમ જાતિભેદ થયો એ માનવું જ વધારે યુક્તિસંગત છે.
કદાચ કહેવામાં આવે કે તે કાયિ કદમન કે વાચિકદમનના માર્ગોનું જ્ઞાન મળ્યા વિના તે કાયિક દમન આદિની ઉત્પત્તિ કે પ્રવૃત્તિ થઈ શકે નહિ. માટે પ્રથમ તે કાયિક દંડ કે વાચિક દંડની રીતિને બતાવવાની જરૂર છે. માટે તે દમનની રીતિને બતાવનાર વર્ગ જ બ્રાહ્મણ ગણાય અને તેથી સર્વ વર્ણોમાં પ્રથમ બ્રાહ્મણ વર્ણની ઉત્પત્તિ કહેવી એ જ વ્યાજબી છે. પણ આ કથન એગ્ય નથી. કારણ કે તે કાયિક કે વાચિક દમનના માર્ગને બ્રાહ્મણ સ્વયં જાણુ શકશે એમ માનવા કરતાં શિક્ષામાં પ્રવર્તનાર મનુષ્ય જ સ્વયં જાતિસ્મરણદિકથી જાણે એ જ વ્યાજબી ઠરશે. ક્ષત્રિયોની પ્રથમ ઉત્પત્તિનું રહસ્ય :
વળી એ વાત પણ સહેજે સગજવી જરૂરી છે કે શિક્ષા આપ. નારા વર્ગ કરતાં શિક્ષાને નિર્દેશ કરનાર વર્ગ નીતિના પ્રારંભમાં હોઈ શકે નહિ અને તેઓ નિર્દેશ કરનાર વર્ગના કહેવા પ્રમાણે શિક્ષકને ચાલવાનું હોય તે પ્રારંભની એકસરખી નિયમિતતા જળવાય નહિ. માટે શિક્ષા કરનારે વર્ગ જ સ્વતંત્ર હોય તે જ પ્રવૃત્તિ થઈ શકે અને એમ માનવાથી પ્રથમ બ્રાહ્મણવર્ણની ઉત્પત્તિ જુદી નિર્દેશ કરનાર તરીકે માનવી જરૂરી નથી.
વળી એ પણ વિચારવું જરૂરી છે કે નિર્દેશ કરીને દમન કરાવનાર વર્ગ પણ ત્યારે જ ઉપયોગી થાય જ્યારે પ્રથમથી તેણે
Page #89
--------------------------------------------------------------------------
________________
આગમત નિર્દેશ કરેલ દમનનીતિને કોઈ અમલ કરનાર વગ તૈયાર હોય અને જ્યારે અમલ કરનારો વર્ગ પહેલે જ તૈયાર થયેલો માનીએ તે પછી ચક્કસ થયું કે નીતિને અમલમાં મેલનારા વગની જ પહેલાં ઉત્પત્તિ કરવી જોઈએ અને તેથી પ્રથમમાં પ્રથમ દમન કરનાર વર્ગની જ ઉત્પત્તિ માનવી પડે, અને જો એમ માનવું પડે તે પછી સ્પષ્ટ થયું કે જગમાં જાતિભેદ પ્રથમમાં થતાં પ્રથમ કોઈ પણ જાતની ઉત્પત્તિ થઈ હોઈ તે માત્ર કાયિક દમનની દંડનીતિને ચલાવનાર વિની જ થઈ. જાતિપ્રથાની હિતાકારિતા
આ વાત લગાર ઠંડા મગજે વિચારવાથી જેઓ જાતિના બંધારણને જુલમની જ નીતિ માને છે, તેઓ જાનવરની નીતિ ઉપર પણ લગાર ધ્યાન આપશે તે સ્પષ્ટ સમજાશે કે એક શેરીમાં કે વનમાં રહેતાં જાનવરોમાં પણ કંઈક અકકલવાળી અને જોરદાર જે વ્યક્તિ હોય છે તે બીજી વ્યક્તિઓને દોરનારી બને છે. અને તેથી તે દેરાનાર વ્યક્તિઓનું ભલું જ થાય છે. અને નુકશાન થતું નથી. જુઓ કીડીઓમાં દેરનાર નાયક, માંખીઓમાં દેરનાર નાયક, હંસોમાં દેરનાર નાયક એવી રીતે મનુષ્યને સ્વયં અનીતિથી બચવાનું ન થાય ત્યારે તેને અનીતિથી બચાવી નીતિને રસ્તે દોરનાર નાયક જોઈએ એમાં કેઈથી ના પાડી શકાય જ નહિ. અનીતિથી બચાવ કયારે?
, અનીતિથી બચવાનું બે પ્રકારે બને. એક તે તેવા પ્રકારના અગ્ય લાભ થાય કે પરાઈ વસ્તુ લઈ લેવાનું મન થાય એવા કમનો ઉદય જ ન હોય અથવા પૂર્વે બાંધેલા તેવા કમને ઉદય થાય છતાં મનુષ્ય સમ્યગ્દર્શન યુક્ત કે સમ્યગ્દર્શનથી રહિત હોય છતાં અન્યાયવાળા લેભ અને લેભથી થતા અન્યાયોથી આ લેક અને પરલેક સંબંધી તથા આત્મા કે પુદ્ગલ સંબંધી થતાં નુકસાનને ખ્યાલ આવે તે મનુષ્ય અનીતિથી બચી શકે.
જો કે અનીતિ એકલા લેભને લીધે જ થાય છે એમ નથી, બીજા બીજા કોધ, માન, માયા હાસ્યાદિ અને વેદાદિથી પણ થાય છે. પણ તે અવસર્પિણી કાલના પ્રતાપે આવશ્યકીય અને ક્રમે ક્રમે ઓછા થવાથી જીવનનિર્વાહના સાધનની દુર્લભતા કરવાવાળો કાળ ગણ લેભને મુખ્ય ભાગ ગયે અને તેથી અનીતિના મૂલ તરીકે
Page #90
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું અહિં લેભને ગણી લીધે. પણ તેવા લેભથી થતી અનીતિને કઈ પણ પ્રકારે યુગલીયાઓ રોકી શકે તેમ નહોતું.
તે યુગલીયાને તેના કર્મના ઉદયના અભાવને લીધે રોકાવાનું અવસર્પિણીના પ્રભાવે ન રહ્યું અને તેવા લોભના ઉદયથી અનીતિ થવા લાગી અને તે પ્રકારના કર્મોદયને રોકવાને સમર્થ થાય તેવું જ્ઞાન પણ તેઓને નોતું આવા વખતે એટલે સ્વયં કર્મના ઉદયનો અભાવ ન હોય અને તેવા પ્રકારના જ્ઞાનથી થયેલા તે ઉદયને રોકે તેમ સામર્થ્ય ન હોય તેથી અન્ય જીવના હિતને માટે અનીતિથી તેઓને રોકવા માટે જરૂર અન્યસત્તાની જરૂર રહે. પ્રદેશ અને વિપાક બે જાતના ઉદયની વ્યવસ્થા :
કેટલાક વાચકને આ સ્થાને જરૂર શંકા થશે કે પૂર્વભવે બાંધેલા કર્મો આપોઆપ પિતાને આબાધાકાલ પૂરો થતાં ઉદયમાં આવે એ સ્વાભાવિક છે, તે પછી તે ઉદપ આવતા કર્મોને રોકાય જ કેમ? આવી શંકા થાય તે સમજવું જોઈએ કે પ્રથમ તે કર્મઉદય બે પ્રકારે થાય છે. એક પ્રદેશથી કર્મને ઉદય થાય અને બીજો રસ એટલે અનુભાગથી કર્મનો ઉદય થાય. એમાં પ્રદેશથી થતે કર્મને ઉદય આત્માના ગુણેને તે હણનાર થતા નથી, તેમ પિતાના તેવા વિકારને પ્રગટ કરનાર પણ થતું નથી અને અનુભાગ એટલે રસથી ભેગવાતું કર્મ આત્માના ગુણોને ઘાત કરવા સાથે બહાર પણ વિકારોને પોતપોતાના સ્વભાય પ્રમાણે જણાવે છે.
આ પ્રદેશદય અને અનુભાગના ઉદયને સમજવા માટે એક દષ્ટાંત લઈ વિચાર કરીએ, જેમ કે કોઈ મનુષ્ય કેળાં કે કેરી વધારે ખાધાં અને તે કેળાં કે કેરી ખાવાની વખતે તે નહિ, પણ તે કેળાં અને કેરીનો જઠરમાં પરિપાક થવા લાગે ત્યારે તેને પેટમાં દુખવું વગેરે અજીર્ણન વિકાર પ્રકટે છે, તેવે વખતે જે તેને વિદ્ય મળે છે, તે તે વધારે કેળાં ખાનારને એલચી અને વધારે કેરી ખાનારને સુંઠ ખવડાવે. હવે તે એલચી કે સુંઠ જે ખાવામાં આવ્યા તે કંઈ પેટમાં ગયેલાં કેળાં કે કેરીના પદાર્થને પેટમાંથી ઉડાડી મૂકતા નથી, પણ તે કેળાં અને કેરીના વિકારને તે એલચી અને સુંઠ તેડી નાખે છે અને તેથી પેટનું દરદ તેનાથી મટી જાય છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
આગમત એવી જ રીતે કર્મને અંગે પણ જ્યારે જીવ મિથ્યાત્વાદિ કે ચારિત્રમેહનીચના કર્મના વિકારોને વેદત હોય છે, ત્યારે તેને તે તે કર્મોથી રોકાતા સમ્યકત્વાદિ ગુણેને અનુભવ થતો નથી, પણ જ્યારે જ્યારે તે મિથ્યાત્વાદિ કર્મોના વિકારે આત્માના શુભ પરિણામ આદિથી તેડી નાખવામાં આવ્યા હોય ત્યારે તે કર્મોના માત્ર પ્રદેશદય હોય, ત્યારેજ અને તે પ્રદેશને વેદનાર જીવના સમ્યક્ત્વઆદિ ગુણે રોકાતા નથી.
આવી રીતે કર્મને ઉદય બે પ્રકારને હવાથી જ શાસ્ત્રકારે જણાવે છે કે જે કમ જેવી રીતે બાંધ્યું હોય તેવી જ રીતે ભેગવાય એ નિયમ નથી. અર્થાત જેમ અન્યત્ર સ્યાદ્વાદષ્ટિએ વિચારણ થાય છે, તેવી રીતે અહીં પણ બાંધેલ કર્મો બાંધ્યા પ્રમાણે ભેળવાય અને ન પણ ભગવાય એ સ્યાદ્વાદ સહેજે સમજાય તેમ છે. કર્મો તપસ્યાથી પણ ક્ષીણ થાય : આજ કારણથી જયારે અન્ય મતવાળા
कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि ।
अवश्यमेव भोक्तव्यं, कृत कर्म शुभाशुभम् ।। १ ।। એમ કહી કરેલા કર્મને ભોગવ્યા સિવાય ક્ષય થવાની ના જ પાડે છે, ત્યારે શ્રી જૈન શાસકારે TM —ાળ મોવવું થિ એમ કહી કરેલા કર્મોને છુટવાની જ માત્ર મનાઈ કરે છે અને સાથે એ પણ સ્પષ્ટપણે જ જણાવે છે કે સત્તા તવ વા ફત્તા એટલે કે જેમ ભેગવવાથી કમરનો ક્ષય થાય છે, તેવી જ રીતે તપસ્યાથી પણ કર્મને લેપ એટલે ક્ષય થાય છે.
ધ્યાન રાખવું કે શુભ પરિણામ અને શારીરિક કાયકલેશ પણ તપ તરીકે જ ગણાય છે. જે એ પ્રમાણે બાંધેલા કર્મોને તપસ્યાથી ક્ષય ન માનવામાં આવે તે કઈને ગુણની પ્રાપ્તિ અને યાવત મોક્ષની પ્રાપ્તિ પણ થઈ શકે જ નહિ. કેમકે અનાદિથી આ જીવા અજ્ઞાની અને અવિરતિવાળો હોઈ જે તે વખતે પાપના ઉદયવાળે હાય અને તે પાપને ઉદય જે બાંધ્યા પ્રમાણે રસ સાથે જ ભેગવાય તે પછી તેવાને તેવા જ પાપ કર્મ ફરી ફરી બાંધતો જાય અને તેથી પાપકર્મથી હલકો થાય જ નહિં. તે પછી ગુણની પ્રાપ્તિ થાય જ નહિ અર્થાત્ પાપી પાપ પુનઃ પવી એ જ ન્યાય રહે. અને
Page #92
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
૬૯
કોઈ કાળે પણ તે હલુકી થાય જ નહિ, અર્થાત્ હલુ થઈ ગુણને જ પ્રાપ્ત ન કરી શકે તેા પછી સર્વોત્કૃષ્ટ ગુણથી પ્રાપ્ત થનારા અને સવ' ઉત્કૃષ્ટ ગુણમય મેક્ષ તા મળે જ કાંથી ? અને એ હિસાબે કાઈ પણ જીવે ધમ પ્રાપ્ત કરી શકાય જ નહિ પણ જો બાંધેલા કર્મોના ભાગવટામાં સ્યાદ્વાદ રાખીએ તે જ જીવને ધમની પ્રાપ્તિ થઈ શકે અને અનુક્રમે મેક્ષ પણ થઈ શકે. અને ગુણની પ્રાપ્તિ તા છેવટે જ્ઞાન આદિ ગુણ્ણાની પ્રાપ્તિના તેા અનુભવ સિદ્ધ હાવાથી ના પાડી શકાય નહિ. તેથી ક્રમના પ્રદેશથી ભાગવટા નિયમિત માનવા કે જેથી માંધેલા ક્રમના લેાગવટા સિવાય ક્ષય થતા નથી, એમ સામાન્ય રીતિએ માન્યા છતાં ધમની પ્રાપ્તિ અને સફળતા માટે અનુભાગ નામના બંધના ક્ષય માની શકાય. શાસ્ત્રોમાં અને લેાકામાં જે ક`ના ક્ષય કહેવાય છે તે આ અનુભાગક્ષયની અપેક્ષાએ જ સમજવું.
પ્રદેશાય રાકવાની જરૂર :
આ આધારે જ શાસ્ત્રકારા સાધુધમ ને બતાવતાં ક્રોધાદ્ધિના ઉદય નહિ આવવા દેવા તથા આવેલા ક્રોધાદિના ઉદયને રાકવા તેને ક્ષમાધિમ' કહે છે. કદાચ કહેવામાં આવે કે પ્રદેશેાદયથી શું થાય ? તેના સમાધાનમાં સમજવાનુ કે જ્યારે અનુભાગના ઉદય હ્રાય ત્યારે તે ગુણના સવથા નાશ કરે. પણ પ્રદેશેાય હાય ત્યારે શંકાદિને સ્થાન મળે. અને આ કારણથી શ્રી ભગવતીજીમાં માર્ગોતર આદિ કારણેાથી શ્રમણ નિત્ર થાને કાંક્ષા માહનીયના ઉદય હેાવાનુ જણાવે છે. તે કાંક્ષા માહનીયને પણ રોકવા માટે તે શાસ્ત્રકારોએ વ સન્ન ઇત્યાદિ ઉપાચા બતાવ્યા છે. અર્થાત્ માહના પ્રદેશદયથી થયેલી શકાને આવી રીતે નિવારવી કે જેથી અનુભાગના ઉદયના પ્રસંગ ન આવી જાય.
નીતિપ્રવનની મહત્તા :
આ બધી હકીકતનું તત્ત્વ એટલું જ કે અનીતિના કારણભૂત કર્મના ઉદય થયા હાય તે પણ શુદ્ધ સ્વભાવ આદિના જ્ઞાનથી રાકી શકાય પણ યુગલીયાએને તે તે પણ નહેતું. અર્થાત્ સ્વાભાવિક રીતે અનીતિના અભાવ નહાતા અને અનીતિના કારણભૂત કર્માંના ઉદય પણ તેવા જ્ઞાનના અભાવે રાકી શકે તેમ નહાતુ, તેથી તે ચુગલી. યાઓ માટે નીતિ પ્રવકની અત્યંત જરૂરી હતી અને તેથી જ ભગવાન્ ઋષભદેવજીને નીતિ પ્રવર્તાવવા અને અનીતિ રાકવા માટે
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૦.
આગમત રાજ્યાભિષેકના સ્વીકારની અને તેને લીધે ઉગ્રાદિ જાતિની વ્યવસ્થા કરવાની આવશ્યકતા હતી એમાં શું કહેવું? જાતિભેદને શાસ્ત્રીય ક્રમ :
અહીં એક બીજી વાત ધ્યાન રાખવાની જરૂર છે કે–પશુ પંખી. એમાં દેખાતો મનુષ્યની માફક જે જાતિભેદ છે. તે સ્વાભાવિક એટલે કોઈ કારણસર ઉત્પન્ન થયેલ નથી. પણ પશુ પંખીઓમાં જાતિભેદ જરૂર છે અને તેથી તે મનુષ્ય, કુતરા અને કાગડા આદિ જાતિની ઉપમાથી ક્રોધાયમાન થાય છે. તેમજ હંસ કે હાથી અથવા વૃષભ આદિની ઉપમાથી વર્ણવતાં સ્તુતિ થઈ માને છે અને વર્ણન કરનાર ઉપર તુષ્ટમાન થઈ જાય છે.
જગતમાં સમજુ ગણાતા કે સમજણ ધરાવનાર કંઈ પણ મનુષ્ય એ નહિ નીકળે જે કાગડા આદિની ઉપમાથી રોષાયમાન અથવા હંસઆદિની ઉપમાથી તુષ્ટમાન ન થતો હોય. કહેવું જોઈએ કે જાનવર અને પંખીમાં તે જાતિભેદ દરેકના હૃદયથી કબુલ જ થયેલ છે. તો પછી તે જ પ્રમાણે મનુષ્યજાતિમાં પણ ઉત્તમ અને અધમ મન હોય અને તેની ઉપમાંથી મનુષ્ય તુષ્ટમાન અને ક્રોધાયમાન થાય તેમાં કાંઈ પણ નવાઈ જેવું નથી.
ધ્યાન રાખવાની જરૂર છે કે હાથીઓમાં પણ જાતિએ ઉત્તમતા છતાં અધમ ગુણવાળા હાથીઓ નથી હોતા એમ નથી, તેમજ કુત રાની જાતિ અધમ ગણાતાં છતાં તે કુતરાઓમાં પણ નિમકહલાલ અને વફાદાર કુતરાઓ નથી હતા એમ નથી, છતાં હાથી આદિની ઉપમાને ઉત્તમ ગણીએ છીએ અને કુતરાઆદિની ઉપમાને અધમ ગણીયે છીએ, તે ગુણની દરકાર કર્યા વિના કેવલ તે તે જાતિની ઉત્તમતા અને અધમતાને જ આભારી છે. એવી રીતે મનુષ્યોમાં કેઈ અધમ જાતિવાળે પણ સારા ગુણવાળ હોય અને ઉત્તમ જાતિવાળે છતાં પણ ગુણથી હીન કે અધમગુણવાળો હોય તેની કેઈથી ના પાડી શકાય જ નહિ છતાં તે ગુણ કે અવગુણની વિવક્ષા ન કરીયે ત્યાં પણ સામાન્યથી પશુ અને પંખીની માફક માત્ર જાતિ થીજ ઉત્તમ અને અધમ જાતિને વ્યવહાર કરાય છે અને તે વ્યવહારને આધારે જ ઉત્તમ જાતિ જે ક્ષત્રિયાદિ તેની ઉપમા અપાય તે ખુશ
Page #94
--------------------------------------------------------------------------
________________
૭૧.
પુસ્તક ૧-લું કરનારી થાય છે અને વહવાઈયાની જાતિની ઉપમા અપાય તે નાખુશી ઉત્પન્ન કરનારી થાય છે. માટે મનુષ્યમાં જાતિભેદ ગુણ અને ક્રિયાથી નિરપેક્ષપણે ચાલુ છે. અને સર્વને તે માન્ય છે એમાં બે મત થઈ શકે જ તેમ નથી, માટે તે જાતિભેદને યુક્તિસર અને પ્રામાણિક ક્રમ રજુ કરવાની જરૂર છે.
આચારાંગ નિર્યુક્તિકાર ભગવાન ભદ્રબાહસ્વામીજી પણ સ્પષ્ટ જણાવે છે કે પૂર્વ મસળાર્ડ અર્થાત ભગવાન શ્રી ઋષભદેવજીના જન્મ પહેલાં કે તેમના રાજ્યકાલ પહેલાં એક જ મનુષ્ય જાતિ હતી. અન્ય દર્શનીઓની માન્યતા અલગ જ છે :
જે કે જાતિભેદને માનવાવાળા સર્વ દર્શને આ વાતમાં એક જ મત છે કે પહેલાં એક જ મનુષ્ય જાતિ હતી. બ્રહ્માદિથી ચારે પ્રકારના વર્ષોની ઉપત્તિ માનનારા મતે તે પહેલા જગત પરમેશ્વર મનાયેલા બ્રહ્મા જ હતા અને બ્રહ્માને તેવી રીતે વર્ણોત્પત્તિ માન નારા મનુષ્ય રૂપે માનતા નથી માટે તેવી વત્પત્તિ માનનારાઓના મતે વર્ણોત્પત્તિની પહેલાં મનુષ્ય જ હતા નહિ, તે પછી ચાર વર્ણોની ઉત્પત્તિ થવા પહેલાં એક જ મનુષ્ય જાતિ હતી એમ માનવું પિતાના સિદ્ધાંતથી વિરૂદ્ધ હોવા સાથે ગામ વિના સીમાડાની હયાતી જેવું છે. ચાહે તેમ છે, પણ પ્રથમ મનુષ્યની એક જ જાતિ હતી, એમ તે કબુલ બધાને છે, પણ મનુષ્યજાત એક જ હતી. તેવું તેઓ જ માની શકે કે જેઓ બ્રહ્માના મુખઆદિથી બ્રાહ્મણદિની ઉત્પત્તિ ન માનતાં જુદા જુદા વર્ગોની ઉત્પત્તિથી પ્રથમ ઘણુ મનુષ્યો વિદ્યમાન હતા અને તેમાં જાતિભેદ નહેાતે એમ માનતા હોય.
વળી બ્રહ્માના મુખઆદિથી ચાર વર્ણની અસંભવિત એવી પણ ઉત્પત્તિ માનનારાઓને જીવવું સર્વ એવું કહેવાને હકક રહેતું જ નથી. જેમ એકજ હોય તે ચેષ્ટ, મધ્યમ કે કનિષ્ટ પણાને વ્યપદેશ મુશ્કેલ પડે તેમ એક જ પરમેશ્વર હોય પછી આ સર્વ એક વર્ણનું પ્રથમ હતું એમ કહી શકાય જ નહિ.
વાંચકોને ઉપરના લખાણથી સાફ જણાયું હશે કે જૈન શાસ્ત્રના નિયમ પ્રમાણે ભગવાન શ્રી ઋષભદેવજીને રાજ્યાભિષેક નહોતે થયે ત્યાં સુધી સર્વ મનુષ્યની એકજ જાતિ હતી. પણ ભગવાન શ્રી ઋષભદેવજીના રાજ્યારોહણ પછી જ મનુષ્યમાં બે જાતિ થઈ. એક શિક્ષણીય વર્ગ, અને બીજે શિક્ષક વગે.
Page #95
--------------------------------------------------------------------------
________________
-
૭૨
આગમત કાયિકશિક્ષાના આધારે જાતિની ઉત્પત્તિ : - જો કે આગળ જણાવ્યા પ્રમાણે શ્રી વિમલવાહન જે પ્રથમ કુલકર હતા. તેઓના કાલથી જ શિક્ષણીય અને શિક્ષક એવા બે વિભાગ તે થયેલા જ હતા. પણ તે શિક્ષા માત્ર વાચિક હોવાને લીધે શિક્ષકને પોતાના સમુદાયની જરૂર હતી. અને એક વખતે એકજ કુલકર થતા હતા. તેથી જાતિભેદને અવકાશ હેતે, પણ ભગવાન શ્રી ઋષભદેવજીના રાજ્યાભિષેકના કાલથી કાયિક શિક્ષા અમલમાં મેલવાને વખત આવ્યે તેથી બીજી જાતિની ઉત્પત્તિ થઈ એમ માનવું પડ્યું.
નિર્યુક્તિકાર મહારાજ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે રજનુષ્પી તો ક્યા ઉસમે અર્થાતુ ભગવાન શ્રી ઋષભદેવજીની રાજ્યની ઉત્પત્તિથી ભગવાન શ્રી ઋષભદેવજીના હાથે બે જાતિ થઈ
ટુંકા શબ્દોમાં એમ કહી શકીએ કે એક રાજ્ય કરનારો વર્ગ અને બીજે તે સિવાયને વર્ગ એમ મનુષ્યજાતના બે વર્ગો થયા. - આ શ્રી નિતિકારના વચનથી એ પણ સ્પષ્ટ થઈ ગયું કે ભગવાન શ્રી ઋષભદેવજીને એકલાને જ રાજ્યાભિષેક થયે એ ખરું પણ એ એકલાને જ અંગે જાતિભેદ મનાયે ન હો; કેમકે એમના એકલાને અંગે જાતિ જુદી પડી એમ કહી શકાય જ નહિ, અર્થાત્ એક રાજા અને શેષ પ્રજાવર્ગ એમ બે ભાગ થઈને જ જાતિભેદ થયે હતે એમ નહિ પણ રાજ્ય કરનારો આખો વર્ગ અને બાકીને બીજે વર્ગ, એ બે પ્રકારના ભેદથી બે જાતિઓ થઈ હતી અને આજ કારણથી શ્રી ચૂર્ણિકાર મહારાજ જાતિભેદના અધિકારમાં જે રાજા એમ શબ્દ ન વાપરતાં ને રાયખાસિયા એમ સ્પષ્ટ શબ્દ વાપરી રાજાને એક તરીકે નહિં ગણતા રાજા અને તેને આશ્રિત રહેલાને જ વગ થઈ જાતિભેદ થયે એમ સપષ્ટપણે જણાવે છે.
જાતિભેદ કરવાની ફરજ પડી છતાં પહેલી કઈ જાતિ થઈ ?
ઉપર જઈ ગયા તે પ્રમાણે જાતિભેદ થવાની આવશ્યકતા થઈ અને તેથી જાતિભેદ કરે પડયે પણ તે પ્રથમ કઈ જાતિ જુદી થઈ? તેને વિચાર કરવાની જરૂર છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
૭૩ અન્ય મતના જણાવવા પ્રમાણે જાતિભેદની શરૂઆત થતાં જે જાતિ પ્રથમ ઉત્પન્ન કરવામાં આવી તે એક બ્રાહ્મણ જાતિ જ હતી. અર્થાત તેઓના કહેવા પ્રમાણે પહેલવહેલા જ્યારે બ્રાહ્મણેને બ્રહ્માએ મહેઢાથી ઉત્પન્ન કર્યા, ત્યારે તેઓનાજ કહેવા પ્રમાણે કેઈ બીજા મનુષ્યો જ નહોતા, અને જ્યારે તે પ્રમાણે પહેલા બ્રાહ્મણે જ ઉત્પન્ન થયા, તે તે પ્રમાણે તે વખતે પણ એક વર્ણનું જ જગત કહેવાય, અર્થાત વાસ્તવિક રીતિએ જાતિભેદ જ બ્રાહ્મણની ઉત્પત્તિથી જ થયે છે, એમ કહી શકાય નહિ, પણ સનાતન ધમીએ તરફથી કહેવાય છે તે પ્રમાણે અને ઉપર જણાવેલ રીતિએ શિક્ષક વર્ગની સ્થાપના કરવાની જરૂર પડી. અને સ્થાપના કરી એમ માનીએ તે પણ વર્ગ અથવા જાતિ કઈ હતી? અથવા હોવી જોઈએ ? એ વિચારીએ.
યાદ રાખવાની જરૂર છે કે જેમ હાલ પણ એકાદ મનુષ્યના અપરાધથી અથવા એકાદ વખતના અપરાધથી કાયદે કરવાનું હેતું નથી અને થતું પણ નથી. તેવી જ રીતે તે વખતે પણ ન બને. પણ વર્તમાનમાં પણ જેમ ઘણુ મનુષ્ય અને ઘણું વખત અપરાધે થાય છે, ત્યારે જ કાયદે કરવાની જરૂર પડે છે, તેમ ભગવાન્ ઋષભદેવજીની વખતે પણ ઘણા મનુષ્ય અને ઘણે સ્થાને અપરાધ કરવા લાગ્યા, અને તે એટલે સુધી કે પ્રજાને સમુદાય પણ તે વચન કંઈપણ નીતિરીતિથી તે અપરાધે રોકી શકાયા નહિ, ત્યારે જ પ્રજાજનને શાસન કરનારની માગણી ભગવાન શ્રી ઋષભદેવજી પાસે કરવી પડી, અને તેને પ્રસંગે જ ભગવાન શ્રી ઋષભદેવજીને રાજ્યાભિષેક થવાને પ્રસંગ આવે.
આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે ભગવાન શ્રી ઋષભદેવને રાજ્યાભિષેક થયે, એટલે તેને જ સમગ્ર પ્રજાના રક્ષણની જવા બદારી ઉઠાવવી જ પડે, અને ભગવાને તે જવાબદારીને અદા કરી, પણ ચાહે તેવી સમર્થ વ્યક્તિ જ્ઞાનવાળી કે બળવાળી હોય પણ તે એકલી વ્યક્તિ અનેક સ્થાને અનેક અપરાધ કરનારી અનેક વ્યક્તિઓને પહોંચી શકે જ નહિં. રાજ્ય શાસન માટે પરિસ્થિતિને સંગ:
વળી ભગવાન શ્રી ઋષભદેવજીના રાજ્ય પહેલાં યુગલીયાઓની
Page #97
--------------------------------------------------------------------------
________________
७४
આગમત અવગાહના ઘણી મોટી હેવાથી પ્રસૂતિ ઘણી ઓછી હતી. વળી સુનંદા નામની યુગલિયાને પુરૂષ અકાળે તાડવૃક્ષના ફળના પડવાથી મરી ગયે. તે પૂર્વે કઈ પણ યુગલીયાનું અકાળ મૃત્યુ થયું જ નહોતું. તે પહેલાં તે બધું નિયમિત રીતે કોડાક્રોડ સાગરોપમ સુધી ચાલ્યું હતું, કોઈ પણ યુગલીયું નિર્વશ જાય જ નહિ. પિતાની જિંદગીના છેલ્લા ભાગમાં એક યુગલીયાને જન્મ આપે જ. તથા કઈ પણ યુગલીયાને સાંસારિક સુખ અસંખ્ય કાળ સુધી પણ ભેગવવાનું થાય. જે કે તેઓ પાતળા રાગવાળા હોવાથી તેમ બને નહિ. છતાં યુગલીયાના પ્રસવના કાળને આખરી જિંદગીને છેલ્લો ભાગ નિયમિત છે, તેવી રીતે વિષયસુખને કાળ એ અ૯૫ નિયમનવાળો ન હોવાથી અસંખ્ય કાળ માની લઈએ તે પણ એક યુગલીયાથી એક જ યુગલીયાને જન્મ થાય.
આ પ્રમાણે વિચારતાં શ્રી વિમલવાહન આદિ કુલકરની વખતે મનુષ્ય એટલે યુગલીયાઓની સંખ્યા ઘણું જ ઓછી હતી, પણ ભગવાન શ્રી ઋષભદેવજીના વખતે તે ખુદ ભગવાન ઋષભદેવજીને જ સો પુત્ર અને બે પુત્રીઓ થવાથી પહેલું પગથીયે છપ્પન ગણે વધારે થવાથી અનુક્રમે અનેક જનેને અનેક ગુણાં સંતાન થવાથી વસતિની ઘણુ જ વૃદ્ધિ થઈ ગઈ હતી.
વર્ગ વ્યવસ્થા અને કાયિક દમન કેમ?
ઉપરની હકીકત સમજનાર રહેજે સમજી શકશે કે વિમલવાહન આદિ કુલકરના વખતે મનુષ્યની જ સંખ્યા અલ્પ હતી. ત્યાં વિરલ વસ્તી હોવાના કારણે અપરાધને રોકવા ખેળવા અને સજા કરવાના પ્રસંગે ઘણા ઓછા અને ઘણે વખતે હોવાથી માત્ર વાચિક દમન જે હાકાર આદિના ઉચ્ચારણ રૂપે હતું, તે ચાલી શકતું હતું અને કાયિક દમન ન હોવાથી એક જ વ્યક્તિ અપરાધની શિક્ષા કરવાને સમર્થ થતી હતી. પણ હવે એ વાચિક દમનની અને એક વ્યક્તિની અસર ન થાય એ સ્વાભાવિક હતું, અને તેથી ભગવાન શ્રી ઋષભદેવજીના વખતે અનેક સ્થાને અનેક જાતના અપરાધ કરનારી મનુષ્યની ટેળીઓ પણ હોય, એટલે કાયિક દમનની જરૂરીઆત જેટલી ગણાય તેટલી જ જરૂરી છે દમન કરનારા વર્ગની ગણાય, અને એવી રીતે
Page #98
--------------------------------------------------------------------------
________________
૭૫
પુસ્તક ૧-લું આખા શિક્ષકવર્ગની ઉત્પત્તિ થાય અથવા કરવી પડે તે અવાભાવિક નથી. ક્ષત્રિય વર્ણ આદિમાં કેમ?
આ વાંચતાં વાચકવૃદને સહેજે સમજાશે કે ભગવાન શ્રી ઋષભદેવજીના વખતમાં લોકોને અપરાધને સામને કરે અશકય થઈ ગયે હતે. અને તે લેકને અપરાધોના ઘા રૂઝવવાને કઈ રસ્તે નહોતે, તેથી જ તેઓ પિતાના ઘા રૂઝવવા માટે શ્રી ઋષભદેવજી પાસે આવ્યા હતા.
આ ઉપરથી ખુલ્લું સમજી શકાય તેમ છે કે તે જુગલીયાએ અનીતિકારકના જુલમથી એવા ત્રાસી ગયા હતા કે તે અનીતિકારકનાં કરેલાં સ્ત્રી અને સાધનના અપહાર સંબંધી તેઓને ઘા સમાન જ લાગતાં હતાં. સ્ત્રી–અપહાર થાય કે ઓછા સાધનેમાંથી પણ સાધનની કઈ ચોરી કરી જાય તે ઘા જેવું લાગે, એ હકીકત સમજવા મજુરણના બે ચાર પૈસા રાખેલા કઈ લઈ જાય તે વખતે તે મજુરણને કે કારમો ઘા લાગે છે? તે તેના તે વખતના રે-કકળાટને જોનારાથી અજાણ્યા નહિ રહે. એવી રીતે યુગલીયાઓને પણ થતું હતું. અને તે યુગલીયાઓની તેવી દશાને ખ્યાલમાં લઈને શાસ્ત્રકારોએ તે વખતની તેવી સામાન્ય સ્થિતિમાં થનારી અનીતિને ઘા એટલે ક્ષત તરીકે ગણી છે અને તેથી જ સર્વ શાસ્ત્રકારોએ ક્ષતથી રક્ષણ કરનારી મનુષ્ય જાતિને ક્ષત્રિય તરીકે ઓળખાવવાનું રાખ્યું છે.
આ સ્થાને જરૂર યાદ રાખવાનું છે કે તે વખતે જે વિશ્વની ઉત્પત્તિ થઈ હોત તો તે યુગલીયાઓને હરાઈ ગયેલાં પણ જીવન નિર્વાહનાં સાધને ફરી મહેનત કરીને પણ મેળવવાનું રહેતા અને તેથી વેપારીને થતા નુકસાનની માફક તે સાધનના અપહારથી તેઓને તે ઘા વાગત નહીં.
વળી તેના કરતાં પણ જે જ્ઞાન દેવાવાળે કે બ્રાહ્મણ ધર્મની ઉત્પત્તિથી જ્ઞાનને પ્રચાર કરનાર પણ જે વર્ગ તે વખતે ઉત્પન્ન થયેલ હતા તે જ્ઞાનવાન અને વૈરાગ્યનિષ્ઠને પિતાના સવસવનો નાશ થાય અથવા થવા આવે, તો પણ અંશે અફસ ન થાય ને તેથી જે તે બ્રાહ્મણ જાતિ પણ ઉત્પન્ન થઈ હતી તે પણ ચુગલીયાઓને તેટલે કારમો ઘા ન થાત.
Page #99
--------------------------------------------------------------------------
________________
७६
આગમત
અર્થાત્ કહેવું જોઈએ કે સકલ સમુદાયની દશા તે વખતે એવી હતી કે અનીતિના કૃત્યો સર્વને ઘા જેવા જ લાગતાં હતાં, અને તેથી પિતે બચી શકતા ન હોવાથી ભગવાન ઋષભદેવજીને તે ઘાથી બચાવવા માટે અરજ કરી અને ભગવાન શ્રી ઋષભદેવજીએ જે વર્ગની વ્યવસ્થા સમુદાયને આવી પડતા આર્થિક કૌટુંબિક કે શારીરિક ઘાને બચાવ કરવા કરી, તે વર્ગ ક્ષત્રિય કહેવાય.
આ વસ્તુ સ્પષ્ટ કરે છે કે જગતમાં વર્ણવ્યવસ્થા થતાં પહેલવહેલી વર્ણવ્યવસ્થા કે જાતિભેદ ક્ષત એટલે ઘાથી ત્ર એટલે રક્ષણ કરનાર, એવા યથાયોગ્ય નામવાળી ક્ષત્રિય જાતિની ઉત્પત્તિ થઈ
આ સ્થળે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે જેમ કેઈ પણ રાજ્ય, દેશ, ગ્રામ, જ્ઞાતિ કે કુટુંબમાં સર્વ મનુષ્ય સ્વાવલંબી કે
સ્વરક્ષણના સામર્થ્યવાળા હાય નહિ, હવે જ્યારે અસ્ત્ર શસ્ત્ર આદિ વિદ્યાને ઉંચી ટોચે પહોંચેલે પ્રચાર જે વખતમાં થયેલું છે, ત્યારે પણ સર્વ દેશ આદિના સર્વ મનુષ્ય સ્વરક્ષણનું સામર્થ્ય અને સાધન ન ધરાવે તે પછી રક્ષણની નીતિની જે વખતે માત્ર શરૂઆત જ હતી. તે વખતે સર્વ મનુષ્ય સ્વરક્ષણમાં સમર્થ હોય, એમ ન બને એ સ્વાભાવિક છે. તે પછી પરરક્ષણમાં સર્વ મનુષ્ય સમર્થ બને, એ તે કલ્પી પણ શકાય તેમ નથી,
આ વસ્તુ વિચારવાથી સ્પષ્ટ થઈ જશે કે ભગવાન શ્રી ઋષભદેવજીએ જે યુગળીયાએની રક્ષાને ભાર ઉપાડ્યો તેમાં પ્રજાજનમાંથી એ કેટલાક વર્ગ તેઓને રાખવો જ પડ્યો હશે કે જે વર્ગ પ્રજા રક્ષણમાં આદ્યપાન્ય ઉપયેગી થઈ શકે, તેવા વર્ગને ક્ષત્રિય કહેવાય તેમાં આશ્ચર્ય નથી અને તે ક્ષત્રિયને વર્ગ રાજાને આશ્રિત થાય, તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી.
આ જ કારણથી ચૂર્ણિકાર ભગવાન જણાવે છે કે તા ને તે રાથસિગા તે સ્વત્તિયા નાયા અર્થાત્ પહેલે જાતિભેદ અનીતિથી બચાવવા માટે થયે હતું અને તે બચાવનારો વર્ગ ક્ષત્રિય કહેવાયા હતા, તેમજ તે ક્ષત્રિયને વર્ગ રાજાને અશ્રિત થયે. રાજાને આશ્રય કે રાજ્યને આશ્રય?
સામાન્ય રીતે જે પુરૂષે રાજ્યગાદીને લાયક છતાં રાજ્યગાદીને
Page #100
--------------------------------------------------------------------------
________________
૭૭
પુસ્તક ૧-લું ન મેળવી શક્યા હોય, છતાં તેવા ભાગ્યશાળીઓને રાજ્ય પ્રાપ્ત થવા પહેલાં પણ તેને સદ્ભાગ્યથી આકર્ષાયેલ અનેક જનસેવા કરનાર અને રાજ્યગાદીની પ્રાપ્તિમાં મદદ કરનાર મળી રહે છે. અને રાજ્યગાદી પ્રાપ્ત થયા પહેલાં સામાન્ય રીતે તે પૂર્વ અવસ્થામાં રહેલ રાજાને આશ્રિત વર્ગ કે રાજ્યગાદી મેળવવામાં આશ્રિત થયેલ વર્ગ મુખ્યતાએ રાજાને વફાદારીથી વળગી રહે છે.
રાજાને આશ્રિત થઈને રહેવાવાળો આ વર્ગ તે ભાગ્યશાળી રાજાને ભાગ્યને રાજ્ય મળ્યા છતાં કેક અશુભ કર્મ કે અંતરાયના ઉદયે કદાચ રાજ્યગાદી છેડી દેવાનું કે છુટી જવાને પ્રસંગ આવે અને કદાચ તે રાજા તરીકે ગણાયેલા પુરૂષને રાજ્યની બહાર અન્ય દેશમાં કે યાવત્ જંગલમાં પણ ભટકવું પડે છે, તે પણ તે રાજાને અંગે આશ્રિત થયેલ વર્ગ રાજાની સેવાને છોડતું નથી.
આ વર્ગ સામાન્ય રીતે નિજ કુટુંબને કે શ્વસુર પક્ષને હોય છે, એમ નહીં પણ રાજ્યકાલમાં રાજ્યની કારકીદી પ્રમાણે અનેક પુરૂષ તે ગાદીપતિ રાજાની સેવામાં હાજર થઈ રાજાને આશ્રિત થાય છે. પણ આવા રાજ્યારોહણ પછી આશ્રિત થયેલ વર્ગમાં ઘણે મોટે ભાગે તે માત્ર નિર્વાહની પ્રાપ્તિ અને વૃદ્ધિના લક્ષ્યવાળે હાઈ તે કેવલ રાજ્યઆશ્રિત જ ઘણી વખત થાય છે.
હવે આ ક્ષત્રિયેના વિચારમાં ભગવાન શ્રી ઋષભદેવજીના રાજ્યકાલ પહેલાં કુટુંબ કે શ્વસુરપક્ષ જેવું તે હતું જ નહિ. એમ કહીએ તો ચાલે તેમ છે, અને રાજ્યકાલ પહેલાં યુગલીયાપણાને લીધે તેમ જ રાજ્યાભિષેકથી આવી પડેલી જવાબદારી તે વખતે નહિ હોવાને લીધે રાજાને આશ્રિત થનારા વર્ગને અભાવજ હતા, એમ કહી શકાય અને રાજ્યાભિષેકથી રાજ્યગાદી મળી અને રાજ્ય વ્યવસ્થામાં જેઓ સામેલ થયા તેઓ ઘણા ભાગે રાજાને આશ્રિત નહાય પણ રાજ્યને જ ઘણે ભાગે આશ્રિત થતા હોય, તો તે અસંભવિત તે નથી જ! પણ ઘણું જ સંભવિત છે.
પણ ધ્યાન રાખવાની જરૂર છે કે અચિત્ય પુણ્યના સમુદાયને ધારણ કરનારા જ મહાપુરૂષો તીર્થકર તરીકે જન્મે છે અને તેથી તેમનું જીવન યેગીના વચન અને જ્ઞાનથી અગમ્ય એવું હોય તેથી તે મહાપુરૂષના અચિત્ય પુણ્યના પ્રભાવે ગર્ભ અને
Page #101
--------------------------------------------------------------------------
________________
७८
આગમત જન્મથી જ્યાં ઈદ્રો અને દેવદેવીઓ પણ સતત સેવાની ચાહના કરે, તે પછી સામાન્ય રીતે ગણતે મનુષ્યવર્ગ એવા મહાપુરુષની સેવા મળી હોય તેને લાભ લેવા કેમ ચૂકે? અને જ્યારે એવા અચિત્યપુણ્યશાળી મહારાજની સેવામાં કોઈ પણ કારણસર મનુષ્યને હાજર થવાનું થાય, તે પછી તે વગ તે વખતે પોતે આલંબન તરીકે ગણેલ સાધનપ્રાપ્તિના મુદ્દાને મુખ્યતાની સ્થિતિ માંથી ખસેડી નાંખી કેવળ મહાપુરૂષની સેવાના જ મુખ્ય મુદ્દાથી તે મહાપુરૂષની સેવા કરે, તેમાં આશ્ચર્ય જ નથી! શિક્ષકવર્ગનું મહત્વ
આપણે આગળ જોઈ ગયા કે પહેલાં મનુષ્યની એક જ જાતિ હતી અને પછી કાળની વિષમતાને લીધે શિક્ષણીય વગ ઉત્પન્ન થયે ને તેથી શિક્ષકવર્ગની ઉત્પત્તિ થવાની જરૂર ઉભી થઈ.
જો કે એ તે ચાખું જ છે કે શિક્ષક અને શિક્ષણીય એ વર્ગ બને પરસ્પરનાં અપેક્ષાવાળા છે. પણ શિક્ષણીય વર્ગો કાંઈ શિક્ષક વર્ગને ઉભો કર્યો નથી. તેમ શિક્ષકગે કાંઈ શિક્ષણીય વર્ગને ઉભે કર્યો નથી. જેમ શિક્ષણીયે શિક્ષકને અને શિક્ષકે શિક્ષણયવર્ગને ઉભે કર્યો નથી. તેમ કેઈ ત્રીજે મનુષ્ય કે કે ત્રીજા વર્ષે પણ તે બે વર્ગોમાંથી કેઈ પણ વર્ગને ઉભે કરેલ નથી.
વસ્તુતાએ જે કે શિક્ષણીયવર્ગ જ શિક્ષકવર્ગને ઉભે કર્યો છે અથવા શિક્ષણીય વેગે જ શિક્ષકને શિક્ષક તરીકે માંગી લીધું છે અને સ્વીકાર્યો છે. પણ એની અસંગતિ લાગે તે તે નિવારવાનું એ જ સ્થાન છે કે દરેક મનુષ્ય પિતાને નુકસાન કરનારને શિક્ષા કરાવવા માગે છે. અર્થાત્ એક વખતને જે પિતાના ગુનહેગારોને સજા કરાવનાર થાય તે જ અન્ય વખતે પિતે બીજાના ગુન્હા કરે અને તેથી તે શિક્ષણીય થાય.
પરંતુ શિક્ષણીય પિતે પિતાની મેળે અપરાધોને જાણી અપ રાધના અવગુણે જે ભવિષ્યમાં થનારા છે, તેને સમજી તે ભવિષ્યના અવગુણોથી પિતાના આત્માના બચાવ માટે શિક્ષા લેવા માટે જ શિક્ષકને મુરબ્બી ગણી લેતા આત્માથી અણગાર સાધુની પેઠે આ વ્યાવહારિક શિક્ષણીય લેકો પોતાને શિક્ષા કરાવવા શિક્ષક અને શિક્ષાની માગણી કરતા નથી.
Page #102
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
७८ પણ કાળક્રમે શિક્ષણીય થનાર મનુષ્ય જ પિતાના ગુન્હેગારોને શિક્ષા કરાવવા માગે છે અને જે અત્યારે શિક્ષા કરાવવા માગે છે તે જ કાળક્રમે શિક્ષણય થાય છે, એટલે એમ જ કહેવું પડે કે શિક્ષણીય વગેજ શિક્ષકવર્ગને માગી લીધો છે અને ઉત્પન્ન કર્યો છે. શિક્ષણયને પ્રાયશ્ચિત સુધારે કે શિક્ષા સુધારે?
લેકેસર અને લૌકિક અને માર્ગમાં શિક્ષણીયને શિક્ષા કરવાને કે લઈને ખમવાને તે પ્રસંગ હોય છે જ, પણ તે શિક્ષણય સત્તા દ્વારા શિક્ષા પામે કે અમે તેમાં અને શાણપણ દ્વારા એ શિક્ષા ખમે કે પામે તેમાં ઘણો ફરક છે.
કેમકે સત્તા દ્વારા કરાતી કે ખમાતી શિક્ષામાં મેટે અવગુણ એ હેય છે કે સાચે ડર તેમાં શિક્ષાને હોય છે, અને તે શિક્ષાના ડરથી ગુન્હાને ડર થાય છે, અને તેથી સત્તા દ્વારા થતા ન્યાયમાં કદાચ ગુન્હો ન્હાને હોય અને સજા મેટી હોય તે ને ન્હાના ગુન્હાથી જેવું શિક્ષણીય વર્ગને ડરવાનું થાય છે, તેવું હાની સજા જે ગુન્હાને અંગે થતી હોય તે ભયંકર ગુન્હ હોય તે પણ તે ભયંકર ગુન્હાથી તેટલે ડર સજા ઓછી હોવાને લીધે થતું નથી. અથવા તે જે બાબત અધમાધમ છતાં સજાના વિષયમાં જ ન લેવાઈ હોય તે કંઈ પણ જાતને ડર થતા નથી.
એ બધાનું કારણ એ જ છે કે ગુન્હાની અધમતાને લીધે ગુન્હ કરતાં ડરવાનું થતું નથી, પણ સજાને લીધે ગુન્હાથી ડરવાનું થાય છે, અને આજ કારણથી જગતમાં ગુન્હેગારોના ગુન્હાના એક જવલે જ હોય છે એટલું જ નહિ, પણ તે ગુન્હાઓને છુપાવવા માટે અનેક પ્રકારની મહેનત કરે છે અને તેથી જ કેર્ટોના ધંધાને જન્મ થયો છે, પણ ગુન્હેગારોએ સજાની મહત્તાને બદલે અવશ્ય કર્તવ્યતા સમજવી જોઈએ અને ખરી મહત્તા ગુન્હાહિતદશાની સમજવી જોઈએ.
જેમ ધાર્મિકવૃત્તિના મનુષ્ય પિતાના લાગેલા દેને જ દુષ્ટ ગણે છે, અને તે મનુષ્યને દેની દુષ્ટતા સમજતે હેવાથી દેનું નિવારણ કરનારા પ્રાયશ્ચિતેને અંગીકાર કરે છે, એટલું જ નહિ પણ દેના પ્રાયશ્ચિત આપનારાઓને તારક માને છે અને અનેક જાતની તેઓની ભક્તિ કરે છે, તેવું શિક્ષણીય વર્ગમાં આપમેળે
Page #103
--------------------------------------------------------------------------
________________
૮૦
આગમત દેની સજા ખમવાની તૈયારી નથી હોતી તેથી જ શિક્ષક વર્ગની ખાસ જરૂર છે.
વળી જ્યારે સજાથી ગુન્હાને ડર થાય છે, ત્યારે સજા ન થઈ હોય ત્યાં સુધી સજાથી ગુન્હાને ડર રહે છે. પણ એકાદ બે વખત સજાના સંગે થઈ જાય છે, પછી સજાને ડર ગુન્હેગારના હૃદયમાં રહેતા નથી, અને તેથી જ કેદની તરફ દષ્ટિ કરતા જે ઘણું મહેટી સંખ્યામાં સજા ખમનારા પ્રાયે જુના સજા પામેલા જ જણાય છે, તેને ખુલાસો થશે કેટલીક વખત તે સજા ખમનાર એવી સ્થિતિમાં આવી જાય છે કે તે ગુન્હાને બદલે કરાતી સજા તેને ગુન્હેગારીને બદલે છે, એવા રૂપે અસર ન કરતાં તે સજાનું સ્થાન જ છે, તે તરફ ખેંચનાર થાય છે
આ બધી સ્થિતિ સજાના ભયથી ગુન્હાની દુષ્ટતા ગણવાને લીધે થાય છે. પણ ગુન્હાની સ્વયં દુષ્ટતા સમજાવવામાં આવે તે આ સ્થિતિ થતી નથી. ગુહા રેકવા શિક્ષાની જરૂર
આ ઉપર જણાવેલી અપેક્ષાએ કાયદમનવાળી શિક્ષકવર્ગની થએલી ઉત્પત્તિ અગ્ય કેમ ન ગણાય? એમ કહેનારને કહી શકીએ કે ગુન્હાની દુષ્ટતા સમજી ગુન્હ ન કરે એ સર્વથા ઈષ્ટ જ છે, અને સજાની દુષ્ટતાથી ગુન્હાઓ ટાળવાની રીતિ એટલી બધી સારી નથી. પણ જગતમાં જ્યારે હાકાર આદિ નીતિથી પણ ગુન્હાઓનું નિવારણ કરતાં ગુન્હાઓની દુષ્ટતા સમજ્યા છતાં પણ કષાય, ઇન્દ્રિય, સંગ, સ્વાર્થ પ્રાધાન્ય અને દ્વેષની લાગણીઓથી દેરવાઈ જાય અને તે એટલે સુધી કે વાચિક દમનના માર્ગને પણ ગણકારે નહિ તેવા વખતે તે ગુન્હાઓની પ્રવૃત્તિને રોકવા માટે કાયિક દંડના માર્ગની પ્રવૃત્તિ સિવાય બીજો કોઈ રસ્તે જ રહેતું નથી. માટે તેને વખતે શિક્ષકવર્ગની ઉત્પત્તિ કર્યા સિવાય પ્રજાના હિતૈષીને ચાલતું જ નથી. એવે વખતે જે કે ગુન્હાના ડરથી ગુન્હાની અટકાયત તેવી ઉત્તમ પ્રકારની હોવા છતાં ગુન્હાઓની ઉત્પત્તિ અટકાવવા માટે સજાનું સર્જન કરવું જ પડે છે.
આ કારણથી ભગવાન શ્રી ઋષભદેવજીને સજાની ભીતિ દ્વારા ગુન્હાઓની અટકાયત કરવાની જરૂર જણાઈ. જેમ નાના બાળકો સમજણને યે હેતાં નથી અને તેથી તેઓને હલકી એવી પણ
Page #104
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
૮૧ કાયિક શિક્ષણ દ્વારા એ જ ગુન્હાથી રોકી શકાય છે. તેવી રીતે જ્યાં સુધી છે તેવી જ્ઞાનદશા મેળવે નહિ કે મેળવવાને લાયક થાય નહિ, ત્યાં સુધી ગુન્હાના દુષ્ટપણને સ્વભાવથી સમજી શકે જ નહિ. વળી સમજણના સંયોગે પણ ગુન્હાથી થતી સજા ભયંકર છે, એમ જાણ્યા છતાં લાગણીવશ થયેલા મનુષ્ય જ્યારે ગુન્હાથી દૂર રહેવાને માટે શક્તિમાન થતા નથી, ત્યારે તે વખતે સજાને ભય જ તેવાઓને ગુહાની ઉત્પત્તિથી બચાવી શકે છે. સર્વ મનુષે સમજણવાળા અને તેવી લાગણીને દબાવવાવાળા હોય જ નહિ અને તેથી સમજણવાળા કે અસમજણવાળા બધાને માટે કાયિક દમનવાળી સજા ગુન્હાને રોકવા માટે નિયત કરવી જરૂરી જ છે.
ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જગતને ઘણે નાને ભાગ જ્ઞાનવાળો હોય છે અને ઘણે મોટે ભાગે તે માત્ર અજ્ઞાની કે સામાન્ય સમજણવાળો જ હોય છે. માટે મોટાભાગના બચાવને માટે કાયિક દમનવાળી શિક્ષાજ ગુન્હાઓની ઉત્પત્તિને રોકવા માટે જરૂરી છે. વળી જેઓ સારી સમજણવાળા છે અને ગુન્હાની દુષ્ટતા સમજી શિક્ષાના ભય વિના પણ ગુન્હાથી દૂર રહેવાવાળા છે, તેઓને અંગે ગુન્હાઓને અંગે કાયિકદમનવાળી સજા શરૂ થાય, તેમાં કઈ જાતનું નુકસાન નથી, અર્થાત્ અણસમજવાળાઓ ગુન્હાઓ કરતાં અટકે અને સમજણવાળાને કઈ જાતનું નુકસાન ન હોય તે પછી તે ગુન્હાની ઉત્પત્તિ રોકવા માટે કાયિક દમન શરૂ થાય તેમાં કેઈપણ પ્રકારે અહિત કાર્ય થયું કહેવાય નહિ.
ધ્યાન રાખવાની જરૂર છે કે જેઓ દેની દુષ્ટતા સમજ્યા છે, અને તે દેને પ્રતિકાર ન કરવાથી આ ભવ અને ભવાંતરમાં અનર્થની પરંપરા થાય છે એમ જાણે અને માને છે, તેવી સમજણવાળા મનુષ્યોને પણ દોષોની દુષ્ટતા નિવારવા તથા દેની ઉત્પત્તિને રિકવા માટે કાયિક દમનની જરૂર પડે છે.
જેમકે આત્મીય દોષના નિવારણ માટે તથા થએલા દેના અપરાધને નિવારવા માટે વાચિક આલેચન અને પ્રતિક્રમણ એ બે પૃથક પૃથક પ્રાયશ્ચિત્ત કર્યા છતાં શુદ્ધિ ન થાય તેવામાં તે બન્ને શિક્ષાઓ એટલે પ્રાયશ્ચિત્ત અર્થાત્ આલેચન અને પ્રતિક્રમણ એને
Page #105
--------------------------------------------------------------------------
________________
८२
આગમત એકી સાથે અમલ કર્યા છતાં જ્યારે શુદ્ધિ નથી થતી. ત્યારે તે દેના કારણભૂત વસ્તુઓને ત્યાગ કરે કે તે દેશમાં પ્રવર્તાવાવાળા કાયાને વ્યાપાર અટકાવી દે, એમ કરીને પણ સામાન્ય રીતે કાયિકદમનની જ શરૂઆત કરાય છે.
આત્મીય કાર્યમાં પ્રવતેલાને પણ માત્ર એટલું વિવેક અને વ્યુત્સ જેવું જ કાયિક દમન કરવાથી સર્વ દેની નિવૃત્તિ થતી માની નથી. પણ વિશેષપણે અને સજજડ કાયિક દમનરૂપ તપશ્ચર્યામાં પણ તેઓને જવું પડે છે. અર્થાત્ આત્માર્થીને પણ કાયિકદમનથી આત્માના દેને દૂર કરવાનું ધારે છે અને તેથી અશનાદિ આહારના ત્યાગરૂપ તપશ્ચર્યાને પાપને કિનાર કે પાપને નાશ કરનાર તરીકે ગણે છે.
વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે રાજકીય દમનના નિયમમાં જ્યારે કાયાના સાંસારિક વ્યાપાર રોકવાની કે કાયિક મહેનત કરવાની ફરજ પાડવામાં આવેલી હોય છે, પણ આહાર ઉપરને ત્યાં પણ કાબુ મેલવામાં આવતું નથી, પણ આત્મીય દેના દમનના માર્ગમાં પ્રવવાવાળા મહાત્માઓ તે ખુદ હાજત તરીકે ગણાતા અને જીવનરૂપ એવા આહારદિના રથની શિક્ષાને પણ પ્રવર્તાવે છે અને આચરે છે, અને તે પણ એટલે સુધી કે જે જે કાલે જે જે તપસ્યા જ્યાં સુધી ઉત્કૃષ્ટ ગણાતી હોય ત્યાં સુધી તે તે કાલના ગુન્હાઓની સજામાં પરમ કાષ્ટા રાખે છે.
ભગવાન શ્રી ઋષભદેવજીના કાલે બાર માસની સ્થિતિ ભૂખ સહન કરવા માટે નક્કી કરાઈ હતી અને અજિતાદિ બાવીસ જિનેશ્વરના શાસનમાં આઠ માસની અને ભગવાન મહાવીર મહા. રાજનાં શાસનમાં છ માસ સુધીની તપસ્યા જે રાખી છે, તે વિચારવાથી સ્પષ્ટ થશે કે આત્માર્થીઓ પણ આત્માના દેને પણ રોકવા કાયિક દમનની જરૂરીઆત ગણે છે, તે પછી જગતને પ્રવાહ કે જેમાં ઘણે હેટ ભાગ અણસમજવાળે છે, તેને કાયિક દમન સિવાય દમી શકાય જ નહિ.
આ વાત ન સમજી શકાય તેમ નથી કે કાયિક દમનનાં ભયંકર કેરડા ફરવા છતાં જે જગત પ્રવાહ અનીતિને રસ્તેથી વાળી
Page #106
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું નીતિને રસ્તે લઈ જઈ શકાય નથી કે લઈ જઈ શકાતું નથી, તે જગતના પ્રવાહને કાયિકદમન વિના નીતિને રસ્તે ચલાવવું એ અશકય જ છે.
વળી આપણે પ્રત્યક્ષ અનુભવથી જોઈ શકીએ છીએ કે કરોડો નિશાળે, કરોડો માસ્તરે અને કરોડે પુસ્તક અનીતિ રોકવાનું શિક્ષણ પામવા માટે યોજાયેલાં છે, છતાં તે નિશાળો વગેરેની હયાતીમાં કરોડો મનુષ્ય ને શિક્ષા, શિક્ષક અને શિક્ષણીયની ભણતરની રીતિને નહિ ગણકારતાં અનીતિને રસ્તે જાય છે. તે આવા શાન્ત પ્રચારથી જે અનીતિને છેડે નહિ, અને અનીતિને આદરે ત્યારે તેઓને કાયિક દમનની શિક્ષા કરી તે દ્વારા દમન કરવા પડે તે સ્વાભાવિક જ છે.
આ જગપર એકવાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે ભગવાન શ્રી ઋષભદેવજી જેમ પ્રજાપાલક રાજા માત્ર અનીતિને દૂર કરવા ઉપરજ મુખ્ય ધ્યેય રાખે છે, તેમ અનીતિના નિવારણ ઉપર જ
યવાળા છે. કેટલાક લોકો જેમ અનીતિને નિવારવામાં દંડની જ મુખ્યતા ગણે માત્ર દંડને રાજ્યનું તેજ ગણાવે છે, તેમ ભગવાનનું ધ્યેય દંડ ઉપર હતું નહિ તેમજ દંડને એક રાજ્યતેજ તરીકે ગણાવનાર કે ગણનાર નહોતા, અને તેથી આગળ જણાવ્યા પ્રમાણે શિક્ષકવર્ગમાં પણ તેઓએ વિભાગે કરેલા છે. શિક્ષકવર્ગના વિભાગોને કમ અને વિભાગની સંખ્યા
આપણે ઉપર જોઈ ગયા છીએ કે ભગવાન શ્રી ઋષભદેવજીને રાજ્યાભિષેકથી રાજ્યગાદી ઇન્દ્રમહારાજ અને તે વખતના સર્વ યુગલિક મનુષ્ય તરફથી મળવાથી તેઓને અનીતિના નિવારણ માટે તથા નીતિની પ્રવૃત્તિ કરવા માટે શિક્ષકવર્ગ કહે કે શિક્ષકજાતિ કહે પણ એને ઉત્પન્ન કરવાની જરૂર જણાઈ, ભગવાન શ્રી
ઋષભદેવજીએ પિતે શિક્ષકવર્ગ જે ઉત્પન્ન કર્યો તે માત્ર તેમની જ નિશ્રાવાળો હતો, અને તેથી તે શિક્ષકવર્ગ જે પ્રજાના હૃદયમાં આવી પડતા અનીતિકારોના તેને રૂઝવનારો હોવાથી ક્ષત્રિય કહેવાય અને પહેલવહેલે જુદી જાતિરૂપે ઓળખાયે.
Page #107
--------------------------------------------------------------------------
________________
આગમત શાસ્ત્રકાર એટલા માટે બે વાત સ્પષ્ટપણે કહે છે એક તે પહેલે જાતિભેદ ક્ષત્રિયને થયે અને તેથી રાજ્યની ઉત્પત્તિ કે પ્રવૃત્તિના કાળથી બે જાતિઓ થઈ.
બીજી વાત એ કે એ આખી શિક્ષકવર્ગની ક્ષત્રિય જાતિ તે સ્વતંત્ર ન હતી પણ ભગવાન શ્રી ઋષભદેવજીને આશ્રિત હતી એટલે પાંચસે સુભટના ટેળાની માફક નાયક વિનાની કે પરસ્પર સંબંધ વિનાની તે ક્ષત્રિય જાતિ ન હતી.
આવી રીતે ઉત્પન્ન થયેલ ક્ષત્રિય જાતિરૂપ શિક્ષકવર્ગમાં પણ સર્વ ક્ષત્રિયે એક પ્રકારના હતા એમ તું અને હેય પણ નહિ. તે ક્ષત્રિયવર્ગની જાતિમાં પણ પેટા જાતિઓ તે વખતે ઉત્પન્ન થયેલી હતી અર્થાત જેમ કેટલાક મનુષ્યનું ધારવું છે કે પ્રથમ સનાતન સત્યવાદીઓની અપેક્ષાએ તે ક્ષત્રિય જાતિ અને કૃત્રિમ સુષ્ટિવાદીઓના મંતવ્ય પ્રમાણે આઘમાં બ્રાહ્મણ જાતિ ઉત્પન્ન થઈ હેય, પણ તે એક ક્ષત્રિય કે બ્રાહ્મણ જાતિને મુખ્ય જાતિભેદ થયા પછી ઘણે કાળે તે ક્ષત્રિય કે બ્રાહ્મણ જાતિના પટાભેદરૂપ અવાંતર , જાતિઓ થઈ, એમ સનાતન સત્યવાદીઓના હિસાબે નથી.
સનાતન સત્યવાદીઓના હિસાબે તે ક્ષત્રિય જાતિને મુખ્ય ભેદ સ્થાપન કે ઉત્પન્ન કરાય તે જ વખતે તે ક્ષત્રિય જાતિની પેટા જાતિઓના ભેદ ઉત્પન્ન થયા કે કરાયા. તે ક્ષત્રિય જાતિના પેટા ભેદે ચાર કરાયા હતા તે ચાર ભેદે આ પ્રમાણે ૧. ઉગ્ર, ૨. ભેગ, ૩. રાજન્ય અને ૪. ક્ષત્રિય. આવી રીતે ક્ષત્રિય જાતિના ચાર પેટા ભેદ ઉત્પન્ન થયા.
ક્ષત્રિનું આધિપત્ય કે બ્રાહ્મણનું?
ઉપરની હકીકત વાંચનાર અને વિચારનાર સહેજે સમજી શકશે કે જગતનું કહો કે સમગ્ર દેશનું કહે, ચાહે તેનું કહો, પણ પ્રથમ આધિપત્ય જે કેઈને પણ સંપાયું હોય કે કેઈને પણ મળ્યું હોય તે તે માત્ર ક્ષત્રિય જાતિને આધિપત્ય મળેલું છે, એમ માનવું પડશે.
Page #108
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
૮૫ જો કે કેટલાક આદિમાં બ્રાહ્મણ જાતિનો ભેદ ઉત્પન્ન થયે માને છે, પણ તેઓ તેઓના મતે માત્ર જ્ઞાન દેવાવાળા હોવાથી આચાર્યના કે શિક્ષકના સ્થાનમાં આવે, પણ શિક્ષા કરનાર એ શિક્ષક વગર બ્રાહ્મણને હતું એમ કહી શકાય નહિ.
એટલે બ્રાહ્મણની જાતિ પ્રથમ ઉત્પન્ન થયેલી માનીએ, તે પણ જગતનું આધિપત્ય તે તે જાતિને મળી શકે નહિ.
વળી એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે બ્રાહ્મણ જાતિની આદિમાં ઉત્પત્તિ માનનાર પ્રથમ ક્ષત્રિય વૈશ્ય કે શૂદ્રની હયાતી માની નથી ત્યારે ભગવાન શ્રી ઋષભદેવજીના રાજ્યકાલથી થયેલી વર્ણવ્યવસ્થામાં સર્વ વર્ણોના મનુષ્યની હાજરી તે ક્ષત્રિની ઉત્પત્તિની વખતે માનવામાં આવી છે. એકલા તે તે વર્ણના મનુષ્યની હયાતી હતી એમ નહિ, પણ તે બધા લેક તે બધા કાર્યો કરવાવાળા હતા પણ માત્ર તેને જાતિભેદ નહોતો, જેમકે ભગવાને અન્નના અજીર્ણને લીધે ખેરાકની વ્યવસ્થા માટે કુંભકાર શિલ્પ બતાવ્યું, તે વખતે કુંભકારની કારીગરી ઉત્પન્ન થઈ, પણ તે કુંભારની ક્રિયા તે સર્વને કરવી પડતી હતી સર્વ મનુષ્ય પિતાને માટે જોઈતા ભાજને ઉત્પન્ન કરી લેતા. અર્થાત્ વૈશ્ય, બ્રાહ્મણ કે શુદ્ધ જેવી કેઈ જાતના વર્ણભેદે આ ક્ષત્રિયેની જાતિની ઉત્પત્તિ થવા પહેલાં થયેલા ન હતા.
આ ઉપરથી જેઓ કહે છે કે બ્રહ્માએ આખું જગત અથવા જગતની સર્વ વસ્તુઓ ઉત્પન્ન કરી બ્રાહ્મણોને આપી હતી. આ તેઓનું કથન ફક્ત પારકાનું લઈને બ્રાહ્મણ ખાઈ જાય, પારકાનું પહેરી લે, તથા અન્યનું લઈને અન્યને આપી પણ દે તો બ્રાહ્મણને દેષ નથી, એમ જણાવી બ્રાહ્મણેનાં અધમતમ કૃત્યને ઢાંકવા માટે છે. આથી બ્રાહ્મણની ઉત્પત્તિ બ્રહ્માના મુખથી માનેલી હોવાથી બ્રાહ્મણ કેઈપણ ગુન્હામાં આવે તે એ મારવા લાયક નહિ. વગેરે જેમ એક સવવર્ણની અગ્ય રીતિએ ઉત્તમત્તા ઠસા વવા તેઓ તરફથી કહેવામાં આવે છે, તેવી રીતે વર્ણની ઉત્પત્તિમાં પણ તેમને કહેલે તે મુદ્દાને લેવાથી કોઈપણ પ્રકાર શ્રદ્ધેય નથી.
Page #109
--------------------------------------------------------------------------
________________
આગમત વળી આ પણ સમજાય તેવી હકીકત છે કે આધિપત્ય તેઓ કરી શકે કે જેઓમાં રક્ષણનું સામર્થ્ય અપ્રતિમ હેય. વળી ઉત્પત્તિ કરનાર કેઈપણ હોય પણ તે ઉત્પન્ન થયેલ ચીજને ઉત્પન્ન કરનાર પણ માલિક ત્યારેજ રહી શકે કે જ્યારે સામર્થ્યવાળાને સંતેષ હોય, વળી એ પણ સાથે સમજવા જેવું છે કે રક્ષણના પ્રયત્નમાં સામાન્ય કાયિક પ્રયત્નો કદાચ કાર્ય કરે, પણ અન્ય તરફથી ઉત્પન્ન કરાયેલી કે રખાયેલી ચીજને લઈ લેવા ઉડાવી જવા અથવા ઉઠાવી લેવા જ્યારે પ્રયત્નો થાય, ત્યારે તે રક્ષણ કરનારના પ્રયત્નની તીવ્રતાની હદ ઘણી વધી જાય છે.
આ દષ્ટિએ વિચાર કરતાં જે આગળ જવામાં આવશે તે સ્પષ્ટ થશે કે શારીરિક બળને ખીલવવાવાળાઓ મુખ્યતાએ રક્ષણના કાર્યમાં ઉપગી નીવડે છે અને જે લેકો જ્ઞાન તરફ અને વિચાર પરંપરા તરફ આગળ વધે છે તે તે શારીરિક તીવ્ર પ્રયત્નવાળા કાર્યોને કરવા માટે ઘણું એાછા લાયક નીવડે છે.
એટલે કહેવું જોઈએ કે શારીરિક બળની ઉચ્ચ કેટિએ પહોંચેલ વર્ગ આધિપત્ય ધરાવી શકે અને આધિપત્ય ધરાવતા થઈને રક્ષણ પણ કરી શકે. વર્તમાનકાળમાં કે શાસ્ત્રોમાં પણ આધિપત્ય ધરાવનાર રાજા મહારાજાઓને પ્રજાપાલ, ભૂપાલ, નરપતિ અને નુપ જેવાં જે નામો છે તે રક્ષણ દ્વારા અધિપતિપણું મળ્યાને સૂચવનાર છે.
એટલે સ્પષ્ટ થશે કે આ જગતની આદિકાળથી માલિકી ક્ષત્રિયની હતી અને ક્ષત્રિય જગતના રક્ષણના કાર્યમાં મશગુલ થઈ અધિપતિ થઈ શકે છે અને થઈ શકયા છે.
ઉગ્ર જાતના ક્ષત્રિયની સ્થાપના:
પ્રજાના અન્યાયના પકારને લીધે ભગવાનને રાજ્યગાદી સ્વીકારવી પડી, એ વાત લક્ષમાં લેવાથી માલુમ પડયું હશે કે તે વખતે પ્રજામાં અન્યાય કરનારાઓ તરફથી ત્રાસ વતી રહ્યો હતો. સામાન્ય અક્કલથી પણ વિચારી શકીશું કે ન્યાય કરવાવાળાને પિતાનું
Page #110
--------------------------------------------------------------------------
________________
૮૭
પુસ્તક ૧-લુ મગજ ચાહે તેવું હોય, તે પણ શિક્ષા નિયત કરતી વખતે મગજને સમતોલ રાખ્યા વિના ચાલે નહિ.
મગજનું સમતલપણું ગુમાવનારો મનુષ્ય સજાની સ્થિતિને સમજી શકે નહિ. છતાં કદાચિત હંમેશાના અભ્યાસને લીધે સમજી શકે, તે પણ મગજનું સમતલપણું ગુમાવવાથી યથા અપરાધ દંડની સજા ન કરતાં પોતાના મગજની પ્રવૃત્તિ પ્રમાણે દંડની સજા કરી નાંખે, અને તેથી ગુન્હાની તુલના ન થતાં માત્ર મગજની તુલનાએ દંડ થાય, અને એમ થાય કે તે દંડ અપરાધની માત્રા કરતાં ન્યાયાધીશના મગજની માત્રાને આભારી ગણાય. માટે ન્યાયની ખાતર તેમજ ત્રિલેકનાથ ભગવાન ઋષભદેવજી ત્રણ જ્ઞાનવાળા હવાથી ચાહે તેવા અપરાધમાં પણ તેઓ મગજને સમતલ રાખી શકે એ અસ્વાભાવિક નહતું.
આ સમજવાથી એ પણ હવે સમજાઈ જશે કે ન્યાયની શરૂઆત કરનાર જે આ ત્રણ જ્ઞાનવાળા ભગવાન ના હેત તે ન્યાયની સ્થિતિ અપરાધ પ્રમાણે જ દંડ થવાની રહેત નહિ. આવી રીતે ભગવાને અપરાધ પ્રમાણે દંડની પ્રવૃત્તિ કરેલી હોવાથી ભગવાનને પિતાને તે ઉગ્ર થવું પડે નહિ, પણ વાચકે સમજી શકે તેમ છે કે મનુષ્ય પોતાના ગુન્હાને વિચારવા કરતાં પિતાને થયેલ દંડ વ્યાજબી હોય તે પણ તેને બહુ માટે માની લેવા તૈયાર થાય છે અને તેમ માની લેવાથી અથવા સામાન્ય રીતે દંડની અપ્રિયતા સ્વાભાવિક હેઈ શિક્ષાને ગુન્હેગારે અનિષ્ટતમ ગણે તેમાં નવાઈ નથી.
હવે જ્યારે ગુન્હેગાર થઈને ન્યાયના રસ્તાથી ખસી ગયેલ મનુષ્ય યથાર્થ રીતે થયેલ શિક્ષાને પણ અનિષ્ટતમ ગણે ત્યારે તે તેવી અનિષ્ટ શિક્ષાથી બચવા માટે દરેક જાતના પ્રયત્ન કરે. વળી અનિષ્ટ શિક્ષા થયેલી સાંભળવામાં આવે તે વખત અન્યાયકારને પણ જે અનિષ્ટતા લાગે તેના કરતાં પણ તે અનિષ્ટ શિક્ષાને અનુભવ જ્યારે લાંબી કે ટૂંકી મુદત સુધી કરે પડે, ત્યારે તે ન્યાયથી ચૂકી ગયેલા મનુષ્યની શી સ્થિતિ થાય? તે ન કલ્પી શકાય તેમ નથી, આ હકીકત ધ્યાનમાં લઈશું તે ન્યાયથી ચૂકેલા અને
Page #111
--------------------------------------------------------------------------
________________
૮૮
આગમત શિક્ષાને અનિષ્ટ ગણનારા મનુષ્ય અનિષ્ટતમ એવી શિક્ષાને અનુભવ કરતાં તે અનુભવ કરાવનારથી છુટવા માટે તે ગુન્હેગાર મનુષ્ય કયા ક્યા પ્રયત્ન કરે ? એ સમજી શકાય તેમ છે.
તેથી જ સમજી શકાશે કે એ પણ એક વર્ગ ઊભો કરે પડ્યો, કે ઊભો થઈ ગયો કે જે પિતાનામાં અત્યંત એવી ઉગ્રતા ધારણ કરનાર હોય કે જે ઉગ્રતાથી તે ગુન્હેગાર સજા ભગવતી વખત પણ ગુન્હેગારોએ કરેલા અથવા કરવા માટે કરાતા અન્ય અન્યાયપૂર્ણ પ્રયત્નોને પણ જે વર્ગ બરાબર દબાવી શકે. આવી રીતે શિક્ષાને અમલ કરાવે, નવા ઉત્પાત ન થવા દે અને અન્યાય કરનારાઓને પણ કબજામાં રાખે, ઈત્યાદિ કાર્યોને માટે એક વર્ગ એ નિયત કરે પડે કે જેથી ન્યાયને રસ્તો ચલાવે સુગમ થઈ પડે.
એ જે વર્ગ ભગવાને સ્થાપે તે જ વસ્તતાએ આરક્ષક છતાં જગતમાં ઉગ્ર તરીકે ગણાયે, અને તે ઉગ્ર નામને વગ રાજ્યસત્તા ચલાવવા અંગે ભગવાનને નિયત કરે પડ્યો.
અર્થાત ક્ષત્રિમાં પેટા ભેદ તરીકે પ્રથમ ઉઝ નામને વર્ગ ઉત્પન્ન થયે, હવે બીજા ભાગ રાજન્ય અને સામાન્ય ક્ષત્રિય કેમ થાપ્યા? અથવા કેમ ઉત્પન્ન થયા? તેને વિચાર કરીએ.
(ક્રમશઃ)
6
Page #112
--------------------------------------------------------------------------
________________
RIO)
धम्मे खु
વિરનિ, સં.
૨૪૯૭ વિ. સં. ૨૦૨૭ છે. આગમો, સં. ૨૧ ટે
पुरिसत्थे मुक्खफले
૬ વર્ષ : ૬
પુસ્તક-૨ છે વૈશાખ
? ધર્મ જ ખરો પુરૂષાર્થ છે.
Carminrannarnaval સામાન્ય રીતે જગતના છ બે પ્રકારમાં વહેંચાયેલા હોય છે.
કેટલાક છે એવી ઉત્તમદશાને પહોંચેલા હોય છે કે જેઓ કેવલ આત્માના સ્વાભાવિક અનુપમ સુખને પામેલા હોય છે, અગર તેવા સુખને પામવાના ધ્યેયથી તેવા સુખને મેળવવાના સાધનમાં પ્રવર્તેલા હોય છે.
એટલે આત્માના સંપૂર્ણ સુખની જે પ્રાપ્તિ તેનું જ નામ મોક્ષ અને તેવા સુખની પ્રાપ્તિનાં જે જે સાધને તેનું નામ ધર્મ કહેવામાં આવે છે, એટલે આત્મીય સુખને અનુભવ જે સંપૂર્ણ દશામાં હોય તેને મિક્ષ કહેવાય અને તેને મેળવવાનાં સાધનેમાં વર્તવું તે ધર્મ કહેવાય છે.
આ બે વસ્તુને જેને શાસ્ત્રકાર વાસ્તવિક રીતિએ પુરૂષાર્થ તરીકે ગણે છે, અને તે એટલે સુધી કે જેઓને આ મોક્ષ અને ધર્મ. પુરૂષાર્થની માન્યતા થઈ હોય તેઓને પિતાના પગથીયે ચઢેલા ગણે
Page #113
--------------------------------------------------------------------------
________________
આગમત છે, અને જે જીવ ભવિષ્યમાં તેવા સુખને પામવાને લાયક હોય અગર તેવા સુખનાં સાધનેને મેળવવાવાળો થવાનું હોય, તે પણ
જ્યાં સુધી તેવા સુખેને મેળવવા માગે નહિ અગર તેવા સુખને મેળવવાનાં સાધનને ઉપગ તેવા અખંડ સુખને મેળવવા માટે કરવો જોઈએ એમ માને નહિ, ત્યાં સુધી તે જીવ શ્રીજિનશાસનને પગથીએ ચઢેલ નથી એમ મનાય છે.
આ કારણથી ભવિષ્યમાં સંપૂર્ણ સુખરૂપી મોક્ષને મેળવવા માટે લાયક થનાર છને પણ જ્યાં સુધી આવા ઉપર જણાવેલા પગથીએ આવવાનું ન થાય, ત્યાં સુધી તે જીવન સમસ્ત ભવકાલને શાસ્ત્રોમાં બાલ્યકાળ તરીકે ગણવામાં આવે છે.
આવી રીતે જેનશાસનમાં જણાવેલી વસ્તુઓ સમજનાર મહાનુભાવ તે ભવના બાલ્યકાળને છોડીને જરૂર જૈનશાસનને પગથીયે ચલે હાય છે. આ ભવને બાલ્યકાળ છોડ્યા પછી જે કંઈ પ્રવૃત્તિ કે અનુષ્ઠાન થાય છે તે સર્વ આદિ–મધ્ય અને અન્તિમ એ ત્રણે અવસ્થામાં કલ્યાણને દેવાવાળાં અને સુખમય જ થાય છે.
આ જ કારણથી ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી ધર્મના સ્વરૂપને બતાવતાં લક્ષણ તરીકે જણાવે છે કે રાહમણાતા –અર્થાત જે અનુષ્ઠાન આદિ, મધ્ય અને અન્તભાગમાં કલ્યાણરૂપ હોય તે જ અનુષ્ઠાન કે પ્રવૃત્તિને ધર્મ તરીકે ગણી શકાય, અર્થાત્ આ અનુકાનમાં આત્માને શરૂઆતમાં કે અનુષ્ઠાન કરતી વખતે અથવા તે અનુષ્ઠાનના પરિણામમાં કલ્યાણની બુદ્ધિ અને કલ્યાણની જ પ્રાપ્તિ હોય છે.
જૈનશાસનના પગથીયે યથાસ્થિતપણે ચઢેલાઓની જ્યારે આ સ્થિતિ હોય છે ત્યારે જૈનશાસનના પગથીયાથી બહાર રહેલા
એટલે ભવ-બાલ્યકાળમાં રહેલા બની અગર તે પગથીયા ઉપર સંપૂર્ણપણે નહિ આવેલા ઓની સ્થિતિ કંઈક વિચિત્ર જ હોય છે.
તે જ પિતાના આત્માને સ્વાભાવિક સુખને જાણતા અને માનતા હોય અગર ન હોય તે પણ આત્માથી પર એવા અને આત્માથી સર્વથા જુદા સ્વભાવવાળા એવા પુદ્ગલો મેળવવા માટે મથે
Page #114
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ છે, અને તેવા પુદ્ગલ દ્વારા થતા શબ્દ-રૂપ-રસ ગંધ અને સ્પર્શ આદિ સુખને પામવામાં પિતાની કૃતાર્થતા ગણે છે.
આવી રીતે ભવબાલ્યકાળમાં રહેલા જીની પ્રવૃત્તિ જે થાય છે તેમજ તે બાહ્ય સાધનો મેળવવાની પ્રવૃત્તિમાં જ્યારે હોય ત્યારે તે અર્થ પુરુષાર્થ તરીકે ગણાય છે, તેમજ જ્યારે તે સાધનેથી કાલ્પનિક સુખને જે અનુભવ કરે છે, તે કામ પુરુષાર્થ તરીકે ગણાય છે.
આ અર્થ અને કામ એ બનેને ભવબાલ્યકાળવાળે જીવ પુરુષાર્થ તરીકે ગણે છે, પરંતુ વાસ્તવિક રીતિએ એ એક પુરુષાર્થ નથી, પરંતુ પુદ્ગલાર્થ જ છે, એટલું જ નહિ, પરંતુ પુરુષ એટલે મનુષ્ય ગણાય; તે સિવાયના જીવ પણ બાહ્ય સુખના સાધન તરીકે પુદગલોને મેળવવા માગે જ છે, અને તેથી પુદ્ગલો મેળવીને તે મેળવવા દ્વારા જે બાસુખ મળે તે પણ અનુભવે જ છે.
એટલે જેનશાસ્ત્રકારો જે અર્થ અને કામને પુરુષાર્થ તરીકે નથી માનતા તેનું કારણ તેનું પુદ્ગલાર્થપણું જ છે.
વળી આ અર્થ અને કામ એ બે પુરુષાર્થ આદિમાં લાભ વિગેરે દેથી ઘેરાયેલા છે, મધ્યદશામાં અતૃપ્તિ તથા ઈર્ષ્યાદિ દેથી ઘેરાયેલા છે તથા અન્તમાં શોક અને આકદન વિગેરેથી ઘેરાયેલા હોઈને તે અર્થ અને કામને કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ વાસ્તવિક રીતિએ અનર્થ તરીકે જ ગણાવે છે. - વળી તે અર્થ અને કામ વર્તમાન જીવનમાં ઉપર જણાવ્યા પ્રમાણે અનર્થદાયી થાય છે એટલું જ નહિ, પરંતુ ભવાંતરમાં પણ તે અર્થ અને કામ લાલસાને લીધે દુગદગતિમાં દેડ કરવી પડે છે.
આ જીવ અર્થ અને કામ પુરુષાર્થથી જે કઈ પણ પ્રકારે શ્રેયઃ મેળવી શક્યો હોત તે અનાદિકાળથી અર્થ અને કામપુરુષાર્થ એટલે પુદ્ગલ રૂપ સાધને મેળવવા અને તે પુદ્ગલે મેળવીને
Page #115
--------------------------------------------------------------------------
________________
આગમત તેના સુખે અનુભવવાં એવી ધારણાવાળે સર્વકાળે હોય જ છે, અને એ અનાદિકાળથી છે તે પછી તેને આ દુઃખહેતુક દુઃખરૂપ અને દુઃખના ફલવાળા સંસારચક્રમાં રખડવાનું હોય જ નહિ,
આ વસ્તુ વિચારનારો સુજ્ઞ મનુષ્ય સહેજે સમજી શકશે કે ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ ભવભાવના અને પુપમાલામાં જે અર્થ અને કામના ઉપદેશને દેવાવાળાઓ છે, તેઓને પડ્યા ઉપર પાટુ દેનારા ગણે છે, સંસારસમુદ્રમાંથી ઉદ્ધરનાર તે તેઓને જ ગણેલા છે કે જેઓ ધર્મ અને મોક્ષ એ પુરુષાર્થને ઉપદેશ આપી જગતને ઉદ્ધાર કરનાર છે.
ભાષ્યકાર શ્રી ઉમાસ્વાતિષાચકજી પણ એ જ જણાવે છે કે– नर्ते च मोक्षमार्गाद् हितोपदेशोऽस्ति
जगति कृत्स्नेऽस्मिन् । અર્થાત્ આ આખા જગતમાં મોક્ષમાર્ગના ઉપદેશ સિવાયને કોઈપણ ઉપદેશ હેય તે હિતને ઉપદેશ કહેવાય જ નહિ.
આવી સ્થિતિ છતાં પણ જ્યારે કેટલાક ભવન બાલ્યકાળમાં રહેલા છ નિરિછકપણે કે નિસ્પૃહપણે ધર્મની પ્રવૃત્તિ કરી શકે નહિ, ત્યારે તે જીને તેમની અર્થ અને કામની ઈચ્છા પૂરી કરવાના સાધન તરીકે પણ ધર્મ કરવાને ઉપદેશ તેઓ જ આપે કે જેઓ ભવબાલ્યકાળથી નીકળીને ભવના યૌવનકાળમાં આવેલા હાય,
પર્યુષણનાં વ્યાખ્યાન સાંભળનાર શ્રાવકોને સાફ સાફ માલમ છે કે પંચશિલમાં ઉત્પન્ન થનાર વિદ્યુમાલીદેવ કે જે પહેલા ભવમાં પાંચસે સ્ત્રીઓથી પણ સંતોષ નહિ પામતાં હાસા-મહાસાને માટે અગ્નિમાં બળી મર્યો હતે, તેવા તે વિઘન્માલીને નાગિલ નામને શ્રાવક કે જે તે વખતે અચુત દેવતાની સ્થિતિમાં છે અને તે વિદ્યુમ્માલીના પૂર્વ ભવના વર્તનથી આ અમ્રુતદેવતાને જીવે વૈરાગ્ય પામીને દીક્ષા ગ્રહણ કરી હતી, તે જ નાગિલશ્રાવક વિદ્યુમ્ભાલીને જણાવે છે કે નાપવાસનું ફળ તક્ષ मित्तण भणिओ -
Page #116
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જું
धम्पं चिअ कामत्थीवि हु कुणसु भद्द !।
અર્થાત જિનપ્રવચનમાં કુશલ એવા નાગિલ નામના તેના મિત્ર વિદ્યુમ્માલિને કહ્યું કે તું કામની ઈચ્છાવાળે છતાં પણ હે ભદ્ર! ધમને જ કર. અર્થાત્ અર્થ અને કામને પ્રાપ્ત કરાવનાર પણ ધર્મ જ છે, તેથી અર્થ અને કામની ઈચ્છામાં વર્તવાવાળાએ પણ ધર્મ જ કરે જોઈએ.
ભગવાન હરિભદ્રસૂરિજી પણ એ જ જણાવે છે કેધન ધનાર્થના ઘર્મ, જામિનાં સર્વામ: (મ: સર્વIfમના) धर्म एवापवर्गस्य (स्वर्गापवर्गयोधर्म:) पारंपर्येण साधकः ।।१।।
અર્થાત ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી ફરમાવે છે કે ધનની ઈચ્છાવાળાઓએ પણ ધમ આદર, કારણ કે આ ધર્મ એવે છે. કે ધનની ઈચ્છાવાળાઓને ધન આપે છે.
હું વળી જેઓને ઈષ્ટ વિષય વિગેરે સુખેની ઈચ્છા હોય તેવા કામના અથી પુરુષોએ પણ ધમ જ કરે, કારણ કે આ ધર્મ જ એ છે કે કામ( એટલે બાહ્ય સુખ)ની ઇચ્છાવાળાઓને કામ એટલે બાહ્યસુખ આપે છે, અને આ જ ધર્મ પરંપરાએ મેક્ષ (સ્વર્ગ અને મક્ષ)ને આપવાવાળો છે.
આ વસ્તુ સમજનાર મનુષ્ય અર્થ કે કામની અપેક્ષાએ થતી ધમની આરાધનાને કેઈપણ પ્રકારે રોકવા લાયક ગણી શકે નહિ. ખરી રીતે તે ધર્મની આરાધના આત્માના અખંડ સુખના અનુભવ રૂપ જે મેક્ષ છે તે માટે જ કરવાની છે અને કરવી એમાં જ શ્રેય છે, પરંતુ માર્ગ તરફ વળતા લોકોને અર્થ અને કામની દષ્ટિએ કે અર્થ અને કામના સાધન તરીકે જે ધર્મને ઉપદેશ અપાય કે ધર્મની પ્રવૃત્તિ કરાવાય તે સર્વથા છાંડવા લાયક જ છે એમ જૈન પ્રવચનની કુશળતાવાળે તે કઈ પણ દિવસે બેસી શકે જ નહિ.
તરવથી ધર્મ અને મોક્ષ એ બે જ પુરુષાર્થ છે એ વાત વાંચકએ ધ્યાનમાં રાખવાની છે. :
Page #117
--------------------------------------------------------------------------
________________
આગમત
ઉજમણું અંગે મહત્વની વાત છે
ઉજમણાને અંગે જે ચંદરવા વગેરે ભરાવવામાં આવે છે. તે રીતિ નવી નથી, કેમકે–શ્રાદ્ધવિધિ અને ધર્મ સંગ્રહ આદિ ગ્રંથમાં ચંદ્રોદય આદિ ઉપકરણે દહેરાં વગેરે માટે જણાવવામાં આવે છે. અને વસ્તુતાએ વિચારીએ તે જિનેશ્વર મહારાજની પાછળ ભામંડળ રહેતું જ હતું કે જે ભામંડળનું તેજ સૂર્ય કરતાં તે શું ! પણ બાર સૂર્ય કરતાં અધિક હતું. તે પછી સામાન્ય સેના-રૂપાના કસબથી ભરેલા ચંદરવા ભગવાનની પૂઠે બાંધવાને માટે તૈયાર કરાય તે કોઈપણ પ્રકારે અનુચિત નથી.
ભગવાન ગૌતમસ્વામીજી વગેરે ગણધર પણ જે વખતે ત્રિલેકનાથ તીર્થકર ભગવાન મહાવીર મહારાજ વગેરે જિનેશ્વર ભગવાનની પહેલા પહેરની દેશના દીધા પછી જે બીજા પહેરે દેશના આપે છે તે દેશનાની વખતે આવશ્યક નિયુક્તિકાર મહારાજ વગેરે સ્પષ્ટપણે જણાવે છે કે –
રાજાઓ તે દેશના માટે સિંહાસન લાવે અને તે સિંહાસન ઉપર ગણધર મહારાજાઓ બિરાજમાન થઈ દેશના આપે. જે રાજામહારાજાએ લાખો અને કરોડો સેના અને રૂપિયા ભગવાન જિનેશ્વરની વધામણીમાં આપે તે રાજા-મહારાજાઓ ગણધર મહારાજાઓ માટે જે સિંહાસન લાવે, તે સિંહાસન ચંદ્રોદય આદિ ઉપકરણવાળું હોય તે સ્વાભાવિક છે. અને જે વખતે ગણધર મહારાજની દેશના થાય તે વખતે જે કંઈપણ રાજા-મહારાજા સિંહાસન લાવનારા નથી લેતા તે જિનેશ્વર ભગવાનના પાદપીઠ કે જે રત્નથી જડેલાં હોય છે અને જે પાદપીઠ ઉપર બેસતાં જિનેશ્વર ભગવાનની રત્નજડિત વેદિકા જ પાછળ આવે છે, તે પાપીઠ ઉપર આચાર્ય મહારાજાઓના મૂળ ગણધર મહારાજા બિરાજમાન થતા હોવાથી અન્ય આચાર્યાદિક વ્યાખ્યાતાઓની પાછળ અને ઉપર પુંઠીયા અને ચંદરવા બંધાય તેમાં કેઈપણ પ્રકારે અનુચિત નથી, પણ યોગ્ય ગુરુભક્તિને જ સદ્ભાવ છે.
પૂ. આગામે શ્રી લિખિત “તપ અને ઉદ્યાન”
નવી આવૃત્તિ પા. ૨૮-૨૮૭
Page #118
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
aeroncongraronnen છે ચંદરવા-પુંઠિયાના આલેખ સંબંધી રે છે પૂ. આગમ દ્વારકશ્રીની સિંહગર્જના છે. આજકાલ ચંદરવા અને પુંઠીયામાં પૂજ્ય પદાર્થોના આલેખે કરવામાં આવે છે અને તે આલેખેમાં કેટલાક સમજુ ગણાતા મનુષ્ય સહાયકારક બને છે, પણ તેવા આરાધ્ય-પુરૂના ચંદરવાSઠીયામાં આલેખે કરવા તે કંઈપણ પ્રકાર ઉચિત નથી.
કેમકે ચંદરવા-પુંઠીયા વગેરે ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના અને વર્તમાન સાધુના બહુમાન અને શોભાને માટે ઉપગમાં લેવાના હોય છે. તે તેવા શેભાના સાધનમાં પૂજ્ય અને આરાધ્ય પદાર્થોને ગોઠવવા તે ખરેખર પૂજ્ય અને આરાધ્ય પદાર્થોને રમકડાની કેટડીમાં મેલવા જેવું છે.
તેમાં વળી વર્તમાનકાળમાં સાધુઓની પાછળ તે ચંદરવાપુંઠીયા બાંધવામાં આવે તે વર્તમાનકાલીન સાધુઓએ ખરેખર વિચાર કરે જોઈએ અને તેને સ્પષ્ટ શબ્દોમાં નિષેધ કરે જોઈએ.
ભરત મહારાજ અને બાહુબલીજી મહારાજા સરખા અવ્યાબાધપદને પામનારા તથા વાસ્વામીજી મહારાજ સરખા શાસનના અદ્વિતીય પ્રભાવક પુરૂષે જે ચંદરવા-jઠીઆમાં આલેખાયેલા હોય, તેવા ચંદરવા-પુઠી આ વર્તમાન કાલના ચારિત્રની તદન શિથિલતાવાળા સાધુ મહાત્માઓ પેઠે બાંધવામાં ઉપગ કરી તેવા મહાપુરૂને પુંઠ દઈને બેસે તે એક વિવેકની કણીવાળાને પણ છાજતું નથી.
વળી જિનેશ્વર મહારાજના મંદિરમાં પણ તેવા મહાપુરૂષના આલેખવાળા ચંદરવા-પુઠીઆ ઉપકરણ તરીકે અને સાધન તરીકે રહે તે આરાધ્ય અને આરાધવાના સ્વરૂપને જાણનારાઓ માટે લાયક તે નથી જ.
આરાય પુરૂષના આલેખને ઉપગ સાધન તરીકે, ઉપકરણ તરીકે થાય તે કોઈ પણ પ્રકારે ઉચિત ગણાય નહિ.
કેટલાકની એવી ધારણા હોય છે કે ચંદરવા માથા ઉપર બંધાતા હેવાથી તથા પુઠીઆમાં પણ પુંઠ આવે તેટલે ભાગ કેરી રાખીને
Page #119
--------------------------------------------------------------------------
________________
આગમત બાકીના ભાગમાં પૂજ્ય-પુરૂષનો આલેખ કરવામાં આવે તે તેમાં આશાતનાને સંભવ નથી. આવું કહેનારાઓએ સમજવું જોઈએ કે આરાધ્ય-પુરૂષના આલેખે માથા ઉપર રહેતા ચંદરવામાં કે પુંઠ લાગે તેટલા ભાગ ટાળીને બાકીના પુંઠીઆમાં કરવામાં આવે તો તેમાં jઠ કરવાને દેષ ન લાગે, પણ તે આરાધ્યની આરાધનાને અંગે ઉપકરણપણું થઈ જાય એ એછું શોચનીય નથી.
વાસ્તવિક રીતે તે ચંદરવા-પુંઠીઆની અંદર ઇંદ્ર-સૂર્ય, ચંદ્ર, આઠ પ્રાતિહાર્ય વગેરેના આલેખ થાય અગર વૈરાગ્યદર્શક આલેખ કરવામાં આવે તે જ ઉચિત ગણાય. - ૫૦ પૂ. આગમ દ્વારકશ્રી લિખિત “તપ અને ઉઘાપન” પુસ્તક
નવી આવૃત્તિ પા. ૨૮૯-૯૦
૩ જૈનોની ઈશ્વરની માન્યતા છે.
. જેનેતો ઈશ્વરને ગોપાલ માને છે. અને જેને ગાય જેવા, પશુ જેવા માને છે તે ઈશ્વર દોરે તેમ દેરાવાનું, ઈશ્વર જ પ્રેરક, ઈશ્વર જ કર્તા-હર્તા એવું મંતવ્ય ઇતર દશામાં છે. ત્યાં જીવનું સ્વામિત્વ જ કયાં રહ્યું ? બિચારા ને ભિન્ન-ભિન્ન ચિત્ર-વિચિત્ર ગતિ-સ્થિતિ ઈશ્વરની વિલક્ષણ લીલાને આધીન! . છે. જેને પિતાની સ્થિતિને અંગે પિતાને જવાબદાર-જોખમદાર ગણે છે અને ભવિષ્ય માટે પણ જવાબદારી-જોખમદારી પિતાની જ માને છે. ઈશ્વરને આશ્રય, ઈશ્વરનું શરણ, ઈશ્વરમાં સમર્પણ માર્ગદર્શન માટે આદર્શ પ્રાપ્તિ માટે જેને જરૂર સ્વીકારે છે.
જેને ઈશ્વરને માનતા નથી એમ કહેનારા બિચારા પામર છે. ભીંત ભલેલા છે. ઈશ્વરના સ્વરૂપને વાસ્તવિક રીતિએ જેને જ જાણે છે અને માને છે.
પૂ. આગમોશ્રીની દિવ્ય દેશના
વ્યાખ્યાન-૫, ૫. ૬૭-૬૮
Page #120
--------------------------------------------------------------------------
________________
પઆગમોઢારક શીદ ને andon શાકાતોરાત
[ પૂજ્ય આગમ દ્વારકશ્રીના આગમેના અર્થગંભીર તાત્વિક વ્યાખ્યાને જથ્થાબંધ અનેક ઠેકાણે સ ગૃહિત છે તેમાંથી યથાયોગ્ય રીતે વ્યવસ્થિત રીતે તત્વરૂચિ જનતા સહેલાઈથી સમજી શકે તેવી શૈલીથી રજુ કરવાનો નમ્ર પ્રયત્ન “ આગમ જત” ના બીજા પુસ્તકમાં “પૂ. આગમ દ્વારકશી વ્યાખ્યાન સંગ્રહ” શીર્ષક તળે, પાંચ વર્ષથી ચાલુ છે. શરૂઆતના ત્રણ વર્ષ એકધારા શ્રી સૂત્રકૃતાંગ સૂત્રના વ્યાખ્યાને રજુ કર્યા, પણ તત્વપ્રેમી જનતાની જિજ્ઞાસાપૂર્ણ સૂચનાના આધારે જુદા જુદા વિષયના વ્યાખ્યાન આપવાની શરૂઆત ચોથા વર્ષથી કરેલ. પણ ઊંડાણથી વિચારતાં દર વર્ષે જુદા જુદા વ્યાખ્યાને આપવાથી એકધારા તાત્વિક લખાણના વાંચનથી ઘડાતી તત્વદષ્ટિ આજના કાળે જરૂરી હેઈ ગયા વર્ષે અપાયેલ “વવનાનાઘનયા વઘુ ઘર્મ છેડશકના લેક ઉપરના વ્યાખ્યાન જ આ વર્ષે તત્વદષ્ટિના ઘડતર માટે વધુ ઉપયોગી ધારી રજુ કર્યા છે.
સુજ્ઞ વિવેકી તત્વપ્રેમી વાચકે યોગ્ય વિવેકબુદ્ધિ અને ગીતાર્થ ગુરૂની નિશ્રાએ વ્યાખ્યાનના મર્મને પારખી શાસન અને શાસપ્રતિ આદરવાળા થાય એ જ શુભેચ્છા.
આ વ્યાખ્યાને શાસન પ્રભાવક પૂ. આ. હેમસાગરસૂરીશ્વરજી મત્ર પાસેથી પ્રાપ્ત થયેલ અનેક વ્યાખ્યાનોના સંગ્રહમાંથી વ્યવસ્થિત કરીને આપેલ છે. સં. ]
દદ
ક
Page #121
--------------------------------------------------------------------------
________________
કGet Good
છે વ્યાખ્યાન ૮ ?
ઝ
,
વનરાઇના સં ૨૦૦૨ના ભા. વ. ૫ રવિ તા. ૧૫-૯-૪૬
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીવોના ઉપકારને માટે જોડશક નામના પ્રકરણની રચના કરતા થકાં આગળ સૂચવી ગયા કે આ જીવ અનાદિકાળથી ૨પડી રહ્યો છે.
પણ આ જગે પર રખડનાર કબુલ કરતા નથી કે હું રખડ્યો છું. તેને રખડ્યો છું તેને અનુભવ નથી.
દુનિયામાં અસીલ જેને અંગે બોલવાને નથી તેને અંગે વકીલ બેલે તે શું કામ લાગે ? અસીલના કહ્યા વગર વકીલનું કહેવું કઈ રીતે મનાય? રખડતા જ કબુલ કરતા નથી કે અમે અનાદિના ભટકીએ છીએ. અમે અનાદિકાળથી જન્મમરણ કરીએ છીએ તે કબુલ કરતા નથી. કર્મના આધીન છીએ, ગુલામીમાં છીએ, લુંટાઇ ગયા છીએ તે કઈ કબુલ કરતા નથી. અસીલ કબુલ કરે નહિ ત્યાં વકીલ શાનાં ડફણું મારે છે?
શાસ્ત્રકાર જીવન વકીલ, જીવવતી બેલનારા છે એવા કે એ વાત માનતા નથી, બોલતા નથી, તેની જગે પર આ વકીલ
ક્યાંથી બેલે છે? કે આ અનાદિને રખડનાર, જન્મમરણમાં ગુંથાયેલે, કમકીચડમાં રગડાયેલે ક્યાંથી બેલે? એિટલું જ નહિ કેટલીક વખત અસીલ ન જાણતા હોય, પણ વકીલ કાયદાના પિઈટવાળો હોય તે જે બેલે છતાં અસીલની વિરૂદ્ધની કબુલાત હેય ત્યાં વકીલ શું કરે?
શાસ્ત્રકાર જીને કહે છે કે અરે તમે બહિરાત્મા થયા. આ બધી મોંકાણ બહિરાત્માથી થઈ. જન્મ-મરણમાં સપડાયા, કર્મમાં ગુંથાયા તે બહિરાત્માપણે. શાસ્ત્રકાર અને બહિરાત્માપણું જણાવે છે, ત્યારે જ અસીલ તરીકે તે કબુલ કરવા તૈયાર નથી. નથી
Page #122
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ એ પરમાત્માનું ધ્યેય રાખતે, નથી અંતરદશાને માનતા કે બeતે. પણ બહિરાત્માને જ માને છે, જાણે છે-બેલે છે.
જગતના જ પિતાને બહિરાત્મા તરીકે જાણતા નથી, અંતરાત્મા તરીકે ઓળખતા નથી. પરમાત્મા તરીકે ધ્યેય નથી રાખતા છતાં કહેવું કે બહિરાત્મા! તે શા કામનું ? જ્યાં અસીલ વિરૂદ્ધ બેલે છે, માને છે, વિરૂદ્ધ પુરવાર કરે છે ત્યાં પછી વકીલ શું કરે? કહે–વકીલ નિરૂપાય બને છે. કયે વકીલ નિરૂપાય? અસીલના મુખત્યારવાળે વકીલ નિરૂપાય! પણ સરકારી વકીલ નિરૂપાય નહિ.
અસીલ કબુલ કરે નહિ, વિરૂદ્ધ કહે તે સરકારી વકીલને કઈ પ્રતિબંધ નહિ જે હોય તે અનાથ-મૂછિત, મરી ગયેલા વતી કોણ બોલવાનું ? સગીર વતી બોલનાર કોણ? સરકારી વકીલ ન હેય તે. સરકારી વકીલને જે ઠીક લાગે તે વસ્તુ બોલવાની, જણાવવાની, ને સાબીત કરવાની છૂટ. સગીર શું કહે છે? કે માને છે? તે જોવાનું નહિ તેમ જે મૂછિત થયેલા માંડા થયેલા તેવાને માટે પણ ભલે એનો ફેમીલી ડોકટર હય, વકીલ હોય તે ચાહે જે બેલે તે કેટ માનવા તૈયાર નથી. તેના વાલીને માનવા તૈયાર નથી. તેમાં પણ તપાસે કે એ હિતનું છે કે અહિતનું? એ આધાર ચાલવું તેને ન્યાય ગણાય નહિ.
ન્યાય કેને ગણાય? સરકારે નીમેલે મનુષ્ય ચાહે રીસીવર હોય, એજટ હાય, મેનેજર હોય તે તેનું કહ્યું જ કામ લાગે છે કેમ? તેના હિતને જેવાવાળે તે પોતે નથી, પડખેવાળ પણ નથી તેથી તેના હિતને સરકારે તપાસવું પડે, તેમાં તેને જ બોલ વાને હક સગીર અસીલ ગાંડા થાય જે બેલે તેને રજુઆત કરવાને હક નહિ, પણ સરકારી વકીલ રજુ કરે તે જ રજુ થાય. જેમાં અસીલને લાગતા-વળગતાને ભાન કે જાણ ન હોય તેવી જગ પર સરકારને પિતાને વકીલ રોકીને ન્યાય કરે પડે તેમ આ અસીલ અજ્ઞાનમાં ઘેરાયેલે, કેટલાક દેવાદાર મનુષ્ય બાપ મુવા પછી બમણું કરી, ત્રમણ કરી દેવું કરતા હોય છે. કેમ! તે સાધન નથી. તેવી રીતે આ જીવ એવી તંગીવાળો છે કે માલદાર છતાં પણ તંગીવાળે.
Page #123
--------------------------------------------------------------------------
________________
આગમત બાપની કરોડની મિલકત છતાં પણ ખરચાને માટે પાંચ રૂપીયાની મુશ્કેલી પડતી હોય, તેમ અહિ આગળ આપણું કેવળજ્ઞાન ત્રણે કાળમાં કાલેક સર્વને જાણનારા કોઈની વચમાં ડખેલ નહિ. અતીત, અનાગત, વર્તમાન, રૂપી, અરૂપી, દૂર, નજીક. સર્વ જાતના પદાર્થને જાણનારા આપણે તે કઈ દશામાં?
એક સ્પર્શી જાણ હોય તે ચામડા અને હાડકાની મદદ જોઈએ. ઈન્દ્રિયે ને મનની સાવચેતી વગર સ્પર્શ પણ જાણે શકીએ નહિ. આપણી રૂદ્ધિ કઈ? ને સ્થિતિ કઈ? અફીણની કડવાશ જાણવી હોય તે ચામડી ને મન મદદગાર થાય ત્યારે અફીણની કડવાશ જાણીએ. ક્યાં કેવળજ્ઞાન ને ક્યાં સ્પર્શ જાણવામાં આટલી મદદ મળે ત્યારે. કેવી કડી દશા !
આવી દશામાં રહેલે શું ન કરે. કેટવજને છોકરો હોય પરંત પાસે કેડી ન હોય તે બાપ જીવતા બમણા કરીને દેવું કરે તેમ આ જીવ પોતાના સ્વરૂપને પ્રગટ નથી કરી શક્યો ત્યાં સુધી ઈન્દ્રિએ-હાડકા–ચામડી–માંસને આધીન. તેને અનુકૂળતાએ જેટલું કરવું હોય તે કરી દે.
સ્પર્શ જાણવા માટે આંગળી, રસ માટે જીભ, ગંધ જાણવા માટે નાકને રાજી રાખે તેને માટે દેવું કરે ત્યારે જણાય. કેવળજ્ઞાનનાં કેટલાયે ભાગે સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દનું જ્ઞાન! તેને માટે આની બધી તૈયારી. પાંચે ઈન્દ્રિયને બાંધવી, વધારવી, રક્ષણ કરવું તે કોના માટે સ્પર્શાદિ માટે કેવળજ્ઞાનને માલીક એ આટલા જ્ઞાન માટે ઉપાધિમાં પડે છે.
આવી સ્થિતિને માણસ વ્યવસ્થા કરવાને લાયક નથી. આને માલિક બન્યું નથી. પોતે માલિક બન્યા હેય ને પિતાની જગ્યા માલ વગેરેની વ્યવસ્થા બરોબર ન કરે તે સરકારને મેનેજમેન્ટ મુકવું પડે. તે પછી આ જીવ કહે કે આ કબુલ કરતું નથી. હું નથી માનતે, ગણતા નથી, ને કરાયુ તે કોણ બેલે છે? અજ્ઞાની મનુષ્યનું નાનું બચ્ચું શું બેલે છે તે રીસીવરને જોવાનું ન હોય. તેમ અહિ આગળ આ બીચારા કર્મને આધીન રહેલા, અજ્ઞાનને
Page #124
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ આધીન રહે તેવા પિતે શું બેલે? શું માને? શું ગણે? તે જોવાનું હોય નહિ પણ વસ્તુ સ્વરૂપ જવાનું હોય.
ડુબેલા બેભાન થવાનું અણસમજુ કે ગાંડા મનુષ્યનું હિત ગાંડાના બેભાનના અણસમજના કદ્દા ઉપર ન્યાયાધિશ કે ન્યાયની કોર્ટ હિસાબ રાખતી નથી પણ જે તેને રીસીવર વાલી સરકારી વકીલ કહે તે ઉપર ખ્યાલ કરે. તેમ આ જીવની દશા કઈ? તે આ જીવની દશા પણ તે દારૂડીયા, બેભાન, અજ્ઞાન બાલક, સગીર ઉમરવાળા ધુળમાં આળોટનારના જેવી તેને સમજાવે તે ખરેખર શાસકાર હિતકારી વકીલનું કામ છે.
જિનેશ્વરભગવાને પિતાની કોર્ટમાં એક વકીલને રાખી મુકો. આમ તે અસીલ માને કે ન માને, પણ સરકારી વકીલના કહ્યા પ્રમાણે એને છુટકારો કે કજો થાય તેમ ગાંડા મૂર્ખા, દારૂડીયા માટે પણ સરકારી વકીલના કહ્યા પ્રમાણે કે હુકમ કરે તેમ સર્વજ્ઞ ભગવાનની કોર્ટમાં આ સંસારના છ અજ્ઞાનીમાંના અજ્ઞાન, બેભાનમાંના બેભાન, દારૂડીયામાંના દારૂડીયા જેવા છે. જેમ નાનું બચ્ચું માને પછી એળખે પણ ધાઈ માતાને પહેલાં એળખે.
કેટલીક જગો પર ઘાઈ માતા જેને પાળે પિષે મોટા કરે તે જગે પર તે એ જાણે. તેમ આ જીવ પુદ્ગલને ઓળખે અને આત્માના સ્વરૂપને ઓળખે નહિ. આટલે બધે અજ્ઞાની કુક રૂપિયાને તવથી ધન ગણે પણ પિતાની શક્તિને ધન ન ગણે દેશને અંગે પૈસાને ધન ગણે તે શક્તિને ધન ન ગણે તે નાલાયક કહે પડે. તે શક્તિવાળો હોય તે તે મુરબ્બી થવાવાળે છે. ધન રહિત શક્તિ હોય તે ધાડ પાડના ફેસલાવનારો લુટાર બને. તાકાતવાળે જે હોય તે રૂદ્ધિમાન કે દરિદ્ર હોય તે તેને કેઈ છેડે નહિ.
પૈસા, કુટુંબ, ધન, ઘર, માલ, વાડી ગાડી લાડીને મિલ્કત તરીકે દેખે છે, પણ આત્માની શક્તિ તરફ કઈ દહાડે દેખતે નથી. શક્તિ અને સામર્થ્ય તરફ નજર કરતું નથી. આવી સ્થિતિને આ જીવ પિતાને કેસ પિતે રજુ કરવાને લાયકાત ધરાવતા નથી. કુદરત આગળ તેને કેસ કેણ રજુ કરે ? તે સર્વજ્ઞ ભગવાનના
Page #125
--------------------------------------------------------------------------
________________
આગમત સરકારી વકીલ ગુરુમહારાજ. તે સિવાય હિત જાળવનાર કે અરજી કરનાર નથી.
આપણે આપણી વાતને ભલે નથી જાણતા માનતા કે બેલતા, મંજુર ભલે નથી કરતા, પણ એ બધી આપણું અજ્ઞાન બેભાન મૂદશા! તેમાં આપણને સરમુખત્યારી આપવી તે કઈ દિવસ
ન્યાયને શોભશે ખરી? આત્મનિર્ણયને હક, સરમુખત્યારીને હક સમજનારને અપાય, પણ બીજાને ન અપાય પછી આ કઈ સ્થિતિમાં?
જ્યારે આ તદન અજ્ઞાન બેભાન ગુમામીની સ્થિતિમાં તેને મત દેવાને હક કયાં? કઈ જગો પર રાખો કે જ્યાં પણ મત દીધા પ્રમાણુ ગણાય? બીજાની દખલગીરિ વગરના મત દીધા પ્રમાણ ગણાય. જેને લાભમાં ચાલ્યું હોય તે ભલે રાજી થાય પણ ન્યાય તેળવાવાળે મદદથી થયેલી મતગણત્રીને હિસાબમાં ગણે નહિ. પુદ્ગલ ઇન્દ્રિયની લાગવગમાં દબાયેલે તે પિતાના આત્મનિર્ણયને હક ભેગવે અર્થાત ન ભેગાવી શકે.
જ્યાં સુધી બીજાની દખલગીરી લાગવગ નાશ થાય નહિ ત્યાં સુધી આપેલે મત તે સ્વમત ગણાય નહિ. ઠેષ માયા મેહ અજ્ઞાનને હણીને ઉચે થયે પણ તે સમજનાર ન થાય ત્યાં સુધી કર્મની દખલગીરીમાં મત આપે તે ન્યાયના પગથીયામાં કામ લાગે નહિ, કયારે કામ લાગે ? તે સ્વતંત્ર મતને પણ થયા હોય તે. - પ્રજાસત્તાકમાં કઈ જગો પર મતને ધણું ગણાય તે દખલગીરિ વગર સ્વતંત્ર રીતે ચૂંટણી થયેલી હોય તે જ કામ લાગે છે. હવે આ આત્મા જ્યાં સુધી કર્મના દબાણથી, પુદ્ગલની દખલગીરિમાંથી અજ્ઞાનમાંથી નીકળે નહિ ત્યાં સુધી હું બેલવાને હક છે? તે બેલે તે કામ ન લાગે. જેમાં ન હોય દબાણ-લાગવગ કે દખલ ગીરિ તે મત કામ લાગે.
તેમ આ આત્માને બોલવાને કહેવાને હું આવ્યો છું, ઠીક કર્યું છે તે કહેવાને હક કર્મ પુદ્ગલની ડખલગીરી દબાણ લાગવગમાંથી નીકળી જાય છે. પણ જે નીકળવાનું ન થાય તે તે બેલ વાને હકદાર નથી. તેમાં પણ મત આપે કેણ? ગુલામીની ધુંસરીમાં
Page #126
--------------------------------------------------------------------------
________________
પુરતક ૨-જી બંધાઈ રહ્યા હોય, પરાધીનતાના પથરામાં ચગદાઈ ગયા હોય, રાગ શ્રેષમાં બંધાયેલા હોય ત્યાં સુધી આપ મતથી મત આપી શકે નહિ. જ્યારે દબાણમાંથી બંધનમાંથી છૂટે નીકળે ધુંસરીમાંથી છૂટા પડે ત્યારે સ્વતંત્ર ડગલું ભરે ને સ્વતંત્ર મત આપી શકે. નહિ તે સ્વતંત્ર મત આપી શકે નહિ.
અર્થાત ગુલામીની ધુંસરીમાંથી છૂટેલે, પુદ્ગલના દબાણથી છુટે,
કષાયના બંધનથી છૂટે થયે હોય તે મત દેવાને લાયક બને તેમ આત્માને અંગે જ્યારે મોહ અને કર્મની ધુંસરીમાંથી છુટે પડયો હોય, પુદ્ગલના દબાણથી કષાયને દેરડાના બંધનથી છુટા પડેલો હોય ત્યારે લાયક થઈ શકે.
થાય શી રીતે ? તે એક જ રસ્તે. જેમ કોઈ પણ દેશ સહારા વગર ગુલામીને ફેંકી દઈ શકતું નથી. દબાણમાંથી નીકળી શકતો નથી, સહાય વગર બંધમાંથી છૂટા પડી શક્તા નથી. જે જે દેશ છુટા થયા, દબાણથી છુટા થયા તે શાને અંગે? તે ચારે બાજુની સહાયને લીધે.
એક આયલેન્ડ ઈગલેંડથી કેવી રીતે છુટી શકયું? સેંકડો વર્ષો સુધી પૂર્વ પશ્ચિમથી સહાય મળી. જે વખતે ના પાડી ત્યારે બ્રિટીશરોએ બધું કર્યું, પણ શાથી કર્યું તે પાણીની મદદથી. બીજા દેશના સહારા વગર સ્વતંત્ર થાય જ શાના?
આ જીવને માટે જગતમાં એક જ સત્તા છે કે જે આ જીવને ધુંસરીમાંથી દબાણમાંથી કાઢે, તે તે કોણ? ફક્ત જિનેશ્વરના વચને, જિનેશ્વરે પ્રવર્તાવેલું શાસન, નિરૂપણ કરેલા આગમે.
તે સત્તા સિવાય જીવને કર્મની, મિહની, પુદ્ગલની ધુંસરી, દબાણ કે બંધનમાંથી કઈ છેડાવનાર નથી. માટે સર્વજ્ઞ ભગવાને વ્યાપક એવું શાસન સ્થાપન કર્યું. આ જગતના જીવોને ધુંસરીમાંથી, દબાણમાંથી, છ ધનથી છોડાવવા માટે આ શાસન સ્થાપ્યું છે.
કેવળજ્ઞાન થાય ત્યારે ભગવાન સિંહાસનથી ન ઉઠે. શ્રી ગૌતમવામીજી પંદરસો તાપસને પ્રતિબંધ કરીને લાવેલા અને કેવળી
Page #127
--------------------------------------------------------------------------
________________
આગમત થયેલાને કેવળીની પર્ષદા આપી પણ ભગવાન ખસ્યા નહિ. ગણધર ભગવંતે બાર અંગની રચના કરે ત્યારે ઉભા થઈને વાસક્ષેપ નાંખે. શાને પ્રભાવ? ગણધર મહારાજા જેવા છદ્મસ્થ બાર અંગ ગુંથે ત્યારે વાસક્ષેપ. ઈન્દ્ર મહારાજ હીરાને થાળ લઈને ઉભા રહે. કેવલજ્ઞાની પંદરસો ને શાસનની સ્થાપના એક. તે પંદરસોને વાસ ક્ષેપ ન કર્યો, ખસ્યા નહિ, અધકચરા ઉભા થયા નહિ. પણે બાર અંગની રચના વખતે વાસક્ષેપ, દેવતાઓએ ફૂલની વૃષ્ટિ કરી કેવલજ્ઞાનમાં કુલની વૃષ્ટિ કરે કે ન કરે તેને નિયમ નહિ પણ શાસનની સ્થાપના વખતે ફુલની વૃષ્ટિ કર્યા વગર ન રહે.
શાસનની સ્થાપનાનું મહત્વ વિચારો ત્યારે આનું મહત્વ સમજાશે. શાસન એટલે શું? શાસ. ગૌતમસ્વામી આદિ ગણધરોની દીક્ષા વખતે ઉઠીને વાસક્ષેપ નહિ, કુલની વૃષ્ટિ નહિ, પણ બાર અંગની રચના પછી બધું. કારણ એક જ-આખા જગતને ઉદ્ધાર કરનાર હોય તે આ એક જ. કેવલી નહિ. કેવલીની કિંમત ઓછી કરવા માટે આ બેલવામાં આવતું નથી. કેવલીઓએ પિતાનું કલયાણ કર્યું, જગતનું નહિ. પણ જગતનું કર્યું હોય તે શા. તેથી જ પૂ. શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણજીએ ફરમાવ્યું છે કે
“સુયTIf મઢિયે શાસનમાં મહદ્ધિક કણ તે શ્રતજ્ઞાન. કેવલજ્ઞાન તે એના પછી. હીરાની કિંમત જ્યાં ઝવેરી પારખનાર હોય ત્યાં. પણ પારખનાર ન હોય ત્યાં હીરાને ઢગલો શા કામને? કેમ શ્રુતજ્ઞાન વગરનું કેવલજ્ઞાન તે શાસન માટે નિરૂપયેગી. શાસન માટે ઉપયોગી શ્રુતજ્ઞાન. પાંચ જ્ઞાનમાં મહદ્ધિક હોય તે શ્રુતજ્ઞાન.
જ્ઞાનાચારની ગાથા રાજ ગણે છોને-“ famg વમળ” તે જ્ઞાનાચારની ગાથા છે. મતિજ્ઞાનીઓ, અવધિજ્ઞાનીએ, મન પર્યવજ્ઞાનીઓ વિગેરેમાં શું કાલ વિનય બહુમાનને વિચાર નથી. ત્યારે કહે કે એ શ્રુતજ્ઞાન સિવાય આઠમાનું એકે ક્યા જ્ઞાનમાં છે. શ્રુતજ્ઞાનને જ્ઞાન ગયું તેથી તેને જ્ઞાનાચાર કહ્યો પણ થતાચાર ન કહો. જ્ઞાનને એક ભાગ શ્રુતજ્ઞાન તેને શ્રુતાચાર કહેવા તેને શાસનમાં
Page #128
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ જ્ઞાન તે શ્રત, ને જે શ્રુત તે જ જ્ઞાન. જ્ઞાન તે જ શાસ, શાસ્ત્ર તે જ્ઞાન જ. તેથી જ્ઞાનાચારને શાસ્ત્રના આચારમાં લીધે; માટે શ્રુતજ્ઞાનની મહદ્ધિકતા છે.
દ્વિીપાંતરે રહેલા સૂર્ય કરતાં ભેંયરામાં રહેલી તે દીવડી કામની આપણને દીવી કામની, પણ દ્વિીપાંતરને સૂર્ય નકામે. આપણા માટે કેવલજ્ઞાન ચાહે તેટલું મહદ્ધિક છતાં નકામું.
આ શ્રુતજ્ઞાન કુદરતી સરકારી વકીલ, સર્વજ્ઞ ભગવાને નીમેલા, આત્માનું સ્વરૂપ જણાવનાર, તે કેવલજ્ઞાન કરતાં મોટું, તેના ઉપર શાસનને ટકાવ, ઉત્પત્તિ અને છેડે. પણ કેવલજ્ઞાન ઉપર નહિ. કેવળજ્ઞાન અંગે તીર્થની સ્થિતિ છેડે ટકાવ તે સંબંધવાળી ચીજ નહિ.
માટે જ જિનેશ્વર ભગવાને જે માટે રીસીવર, વાલી, એજન્ટ નીમેલે કહે છે તે આ વચન માટે વચનના વશ વર્તાવપણામાં હિત રહેલું છે.
માટે વચનની આરાધનામાં ધર્મ છે. તેની આરાધનાવાળાને વચનનું સ્વરૂપ, વિષય ફળ, આરાધના કઈ રીતે કરવી તે જણાવવું જોઈએ. હવે તે સ્વરૂપ કઈ રીતે જણાવશે તે અંગે વર્તમાન.
goopedeoછGopes છે. વ્યાખ્યાન ૯ ક.
वचनाराधनया खलु।
સં. ૨૦૦૨ના ભા. વ. ૬
રવિવાર તા. ૧૬-૯-૪૬ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે ષડશક નામનાં પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે
સંસારમાં આ જીવ અનાદિ કાળથી રખડી રહેલે છે. અર્થાત્ આપણે આ જીવ જગતમાં ભટકતી પ્રજા જે ગણાય અને અત્યારે પણ જે છે તેને જે ઠેકાણું વિનાને છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦
આગમત
વળી ઊંડું વિચારીએ તે આ જીવ ભટકતો નહીં પણ રખડતી પ્રજા જેવું છે. ભટકતી ને રખડતીમાં ફરક શું ? ફરક એ કે ભટકતી પ્રજા ટોપલે ઘર રાખી શકતી હતી; ઘરમાં જે માલ મિલકત હોય તે ટેપલામાં ઘાલીને જાય. અત્યારે જેમ લુવારીયા સ્થાનાંતરે કર્યા કરે છે, તેને સ્થાન જ છોડવાનું હોય પણ મીલ્કત છોડવાની ન હોય. પરંતુ રખડતી પ્રજા તે કે જેને સ્થાન ન હોય, તેમ જ પાસે કંઈ મિલકત પણ ન હોય, સાવ કંગાળ દશામાં અનાથ રૂપે રખડે તે રખડતી પ્રજા. તે રીતે આ જીવ ચાહે જેઓ વિપુલ વૈભવના સ્વામી ગણાતા હોય પણ તેઓ આખરે સંસારમાં રખડવાવાળા; એટલે કે તે બધા રખડતી પ્રજા જેવા છે. સ્થાન ને માલમત્તા પણ છોડવી જ પડે. લુવારીયાને તે સ્થાન છોડવું છે, આને તે સ્થાનની સાથે માલમત્તા છોડીને બીજે જવાનું.
નવા ભવમાં માલમત્તા-સ્થાન બધું નવું ભેગું કરે. માખ મધપુડો બનાવે, વાઘરી ધુમાડો કરીને માને સ્થાનાંતર કરાવે ને તેને માલ પણ લૂંટી લે. પેલી માખીઓ તે બી જાની લૂટે લૂંટાઈ. બીજાએ કરેલ સ્થાનનાં નાશનાં અંગે સ્થાનાંતર કરાઈ ત્યારે આ તે પિતે એવું કરે છે એટલે મુદતી સ્થાન લે છે અમુક મુદત નક્કી કરી લે છે પ્રથમથી જ. દરેક ભવમાં ઉપજે ત્યાં આયુષ્ય પહેલા ભવથી નકકી કરે. પહેલા ભાવથી આયુષ્ય નક્કી કર્યા વગર નીકળતું નથી, પણ નક્કી કરીને વે, ઉપજે છે.
માટે શાસ્ત્રમાં કહ્યું કે નારકમાં કેણ ઉપજે? દેવમાં કણ ઉપજે ? મનુષ્યમાં કેણ ઉપજે ? તીર્થંચમાં કોણ ઉપજે? તે જે નારકી હોય તે જ નરકમાં ઉપજે છે, જે દેવતાનાં આયુષ્યવાળ હોય તે જ દેવમાં ઉપજે છે; જે મનુષ્યનાં આયુષ્યવાળો હોય તે મનુષ્યમાં ઉપજે છે, જે તિર્યંચનાં આયુષ્યવાળે હેય તે તીર્થંચમાં ઉપજે છે.
જે નારકીનાં આયુષ્યવાળો નથી તે કઈ દહાડો નારકીમાં, દેવનાં આયુષ્યવાળો નથી તે કઈ દહાડે દેવમાં, મનુષ્યનાં આયુષ્યવળે નથી તે કોઈ દહાડે મનુષ્યમાં, ને તિયચનાં આયુષ્યવાળે નથી તે કઈ દહાડે તિર્યંચમાં ઉપજે નહિ. જે જે ઉપજે છે તે
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧
પુસ્તક ૨બધા નરકમાં, દેવમાં, મનુષ્યમાં ને તિર્યંચમાં તે તે તેનાં આયુષ્યવાળા જ ઉપજે છે.
આ સાંભળીને સમજનારા વિચાર કરે કે દેવતાને ભવ સ્થિતિ અને કાયસ્થિતિ કાલ એક જ છે. મનુષ્યમાં કાયસ્થિતિ ને ભવસ્થિતિમાં ફરક છે! દેવ, નારકીમાં તે ફરક નથી. દેવ નારકીને તે જે કાયસ્થિતિ તે ભવસ્થિતિ. જે ભવસ્થિતિ તે કાયથિતિ છે. કાયસ્થિતિ અને વ્યવસ્થિતિ પણ જઘન્યથી દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમ. માટે નરક ને દેવની કાયસ્થિતિ ને ભવસ્થિતિ એક જ. તે એક છે તે નારકી નારકમાં, દેવતા દેવામાં ઉપજે એ કેવી રીતે! ઉપલક દષ્ટિથી વિચારતાં જરૂર શંકા થશે. દેવતા મરીને દેવ ને નારકી મારીને નારકીપણે ઉપજતું નથી. ત્યારે અહિ કહો છે કે નારકી નારકમાં, દેવતા દેવમાં ઉપજે તે બંને કેમ મળે? વાત સાચી. પ્રશ્ન કરનારો ભૂલે છે. ખરી રીતે તો “દેવતા મરીને દેવ, કે નારકી મરીને નારકી ન થાય ” અમે એવું ક્યાં કહ્યું કે દેવતા નારકી મારીને દેવ નારક થાય, અહિ મરીને શબ્દ નથી રાખ્યો. દેવતા જ દેવતા, નારકી જ નારકી. મનુષ્ય જ મનુષ્ય, તિર્યંચ જ તિર્યંચ થાય તેમ કહીએ છીએ; પણ મરીને જ થાય તેમ નથી કહેતા.
તેમાં ફરક શો પડ્યો? તે સમજ ન પડી.
દેવતા મરીને દેવ થાય, નારકી મારીને નારક થાય, મનુષ્ય મરીને મનુષ્ય થાય, તિર્યંચ મરીને તિર્યંચ થાય. તે બંને ભાવ નારક દેવ તિર્યંચ મનુષ્યના થાય. એથી વધુ વિચારતાં એમ પણ થાય કે નારકી મારીને નારકી થયે, પા છે નારકી, પાછો નારકી. થશે તેમ દેવમાં પણ લેવું પડશે. જે “મરીને’ શબ્દ ઉમેરીએ તે સંસારનું સંસારપણું ઊડી જાય.
અહીં તે દેવતા જ દેવ, નારકી જ નારક, મનુષ્ય જ મનુષ્ય, તિયચ જ તિર્યંચ થાય. કેમ? તો એમાં સમજવાનું એટલું કે દેવ નારકી મનુષ્ય તિર્યંચ કહેવા કેને? તે તે આયુષ્યને ભેગવતા હોય તે. દેવતા દેવનું, નારકી નરકનું, મનુષ્ય મનુષ્યનું, તિર્યંચ તિર્યંચનું આયુષ્ય ભોગવતા હોય તેનું નામ દેવ, નારકી, મનુષ્ય,
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨
આગમત તિયચ. પછી તે ગતિમાં ગયા છે કે ન ગયા હ. આયુષ્ય માત્ર તે ગતિને અંગે નિયમિત છે.
ગતિ, જાતિ, શરીર તે આયુષ્યની પાછળ. એટલે તેને પૂછડે બધા. ગતિ-જાતિના કર્મો કર્યા હોય, કાયામાં રખડવાના કર્મો કર્યો હોય પણ બધું તે કર્મનું ટેળું ક્યારે નીકળે? જ્યારે આયુષ્ય આવે ત્યારે, ન આવે તે એમને એમ પડી રહે.
ઉપશાંત હે ગયેલાને બધા કર્મો સત્તામાં પડેલ છે. ગતિ. જાતિ, શરીરના કર્મો પડ્યા છે. પરંતુ તે બધા ફળ ક્યારે આપે? તે જ્યારે આયુષ્યને સંબંધ મળે ત્યારે. જે ગતિના આયુષ્યને સંબંધ મળે તે ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ ઉદયમાં આવે, નહિ તે બધા બેસી રહે ચેતના આવે તે બધું શરીર ઈનિદ્ર કામ કરતી થાય, નહિ તે બધી એમને એમ રહે. ચેતનાના ચમકારામાં બધી ઈન્દ્રિયની પ્રવૃત્તિ. તેમ અહીં પણ ગતિને અંગે જાતિ, શરીર, અંગોપાંગ તે બધાને અંગે ચેતનાની માફક હોય તે આયુષ્ય. જે આયુષ્ય ઉદયમાં આવે તેને લાયકની ગતિ જાતિ વગેરે ઉદયમાં આવે. દરેક ગતિના દરેક જાતિના કર્મો દરેક જગે પર પડેલા છે. તેઓ પિતાનું કામ આયુષ્ય આવે ત્યારે કરે.
કર્મોના ઉદયને સેનાપતિ આયુષ્ય છે. કર્મોના બંધને સેનાપતિ જેમ મેહનીય છે, કર્મ બંધાય તેમાં પહેલું મોહનીય. ત્યાર પછી બધા બંધાય. જ્યાં મેહનીય બંધ થાય એટલે બધા બંધ. બંધમાં સુભટ હોય આગેવાન સેનાપતિ હોય તે મેહનીય. પણ ઉદયને સેનાપતિ કેણ? તે આયુષ્ય. આયુષ્ય જે ઉદયમાં આવ્યું તે નામ ગતિ જાતિ આદિ ઉદયમાં આવે. ઉદયમાં સેનાપતિ આયુષ્ય છે. એટલા માટે આયુષ્યને અંગે કહેવું પડયું કે ગતિ જાતિ બધાને આયુષ્ય સાથે સંબંધ છે.
વળી શાસ્ત્રકારને છ પ્રકાર આયુષ્યના પાડવા પડ્યા. કેમકે તેમાં તે ઉદયને માલીક છે. ઉદયમાં બધાને જે માલીક હોય, બધું ખેતરમાંથી લેવાય પણ ટોપલાઓ વગેરે જોઈએ. તે ન હોય તે કંઈન લેવાય. બગીચામાં ફળ-ફૂલે છે, ઈચ્છા છે પણ સાધન વિના માગે
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૩
પુસ્તક ૨-જુ તે લાઈન વગરને. તે કરે શું! તે જે ગમે તે પાછો વળે. તેમ આયુષ્ય વગરના ચાહે જેવા કર્મવાળા હોય તે કંઈ નહિ, માટે ક્ષાયિકની પહેલી નીશાની કઈ! આયુષ્યની સ્થિતિ જન્મથી માંડીને કઈ દહાડો બાંધે નહિ.
ક્ષાયિક સમ્યક્ત્વ મેળવશે, મોહને ક્ષય કરશે, કેવળજ્ઞાન કરશે ત્યારે કરશે પણ પહેલાં એક સીપાઈ તે હાજર જ જોઈએ કે આયુષ્ય બંધાયું ન હોય. પણ આયુષ્યને બંધ થયા હોય તે ભાવ વધારી દે. આયુષ્ય બાંધે તે ક્ષપકશ્રેણિ યથાખ્યાતમાં ન જાય. પણ ભ કયે છુટકો. પણ તે ભવે નહિ. આ કેના પાપે ત્રણ ભાવ કરવા પડે તે આયુષ્ય બાંધ્યાના પાપે. આયુષ્ય બાંધ્યું હોય તે ક્ષાયિકને પણ આડું ને ઊભું રહે.
ક્ષાયિક સમકિતવાળાની જે શક્તિ તે જ શક્તિ ક્ષપબ્રેણિવાળાની, છતાં આયુષ્યને ચોકીદાર આવીને ઊભું રહે. ખબરદાર ત્યાં રોકાવું પડશે! કોણ રોકે? પરિણામ નહિ. સાધન-સામગ્રીની ખામી નથી. સામગ્રી ખૂબ છે. જે વખતે કેવળજ્ઞાન હોય તે કાળમાં ક્ષાયિક સમકિત થાય, સાધન-સામગ્રી હોય છતાં નડે કેણુ? આયુષ્ય બંધને રોકીદાર. ક્ષાયિક પામ્યા પછી આયુષ્યને ચેકીદાર એકદમ રેકી દે. ચારે ગતિ માટે ખરેખર પહેલે હાજર થવાવાળે ચેકીદાર હેય તે તે આયુષ્યને બંધ.
આયુષ્યને ઉદય થયે એટલે તે ગતિને જીવ કહે.
પ્રશ્ન-નારકી દેવતા મનુષ્ય તિર્યંચનાં આયુષ્યને ઉદય થયે એટલે નારક, દેવ, મનુષ્ય, તિર્યંચ કહે કબૂલ, પણ એ તે અહિથી ગયા પછીને ?
સમાધાન–ના. “ઘરમવ-va” આ ભવના જ્યાં સુધી કર્મો હોય ત્યાં સુધી શરીર આદિ છેડવાનાં છે ક્યાં! ઉદય બંધ થાય ત્યારે છેડવાના! પણ ઉદય બંધ કક્યારે જ્યારે કે આવતી ગતિનો ઉદય શરૂ થાય ત્યારે! પરભવના પહેલે સમયે શરીર છોડવાનું. આ ભવના છેલા સમયે તે ભવનો ઉદય છે. ઉદય છતાં કયાં છેડે ? તે તે છોડી શકે નહિ, ઉદય બંધ થાય પછી છેડે, છેલ્લે સમયે ઉદય બંધ થાય એટલે આગળ સમયે છોડવાનુ.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૪
આગમત બાર વાગી જાય પછી એકની શરૂઆત ગણે ભલે એક સેકંડ વધારે થઈ તે પણ સાઈઠમાં એક સેકંડ બાકી છે તે બાર કહો. બારના છેલ્લા સેકંડના સમયમાં એકની શરૂઆત નથી, પણ બારમાના અંત પછી એકની શરૂઆત. જ્યાં સુધી આ ગતિ શરીર અંગોપાંગ ઉદયમાં છે ત્યાં સુધી આ ભવ. ત્યારે આને છોડવાનું કયારે ? તે આના છેડા પછી-ભવના સંપૂર્ણ ભેગવટા પછી. ભવ પછી ક્યારે કહી શકીએ. તે આ ભવના પુરેપુરા સમયે ગવાય તેની ગતિ જાતિ શરીર બધું ભેગવાય ત્યારે કહીએ છીએ.
આ બધું છોડવાનું આગલા ભવના પહેલે સમયે છોડતાની સાથે આગલા ભવનું આયુષ્ય હાજર. આગલા ભવનું આયુષ્ય થયું એટલે દેવતા થઈ ગયે. અહિ છૂટકારા સાથે નારક દેવ થયા ગણાય તે જ જઈને નારક દેવમાં ઉપજનારે થયે. અહિના છૂટવા સાથે જે ન થયે હેય તે ઉપજતું નથી. પહેલા ભવને ત્યાગ કરીને તે આગળ જાય માટે આ વસ્તુ જણાશે કે દેવ દેવપણે, નારકી નારકીપણે, મનુષ્ય મનુષ્યપણે અને તિર્યંચ તિર્થ ચપણે ઉપજે છે.
જેને દેવનું આયુષ્ય, નારકીનું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય, તિર્યંચનું આયુષ્ય ઉદયમાં આવવા માંડયું હોય તેને જ દેવ, નારકી, મનુષ્ય, તિયચમાં ઉપજવાનું થાય. આવું છતાં પણ છેડે ત્યારે કેવું છડે?
દુનિયામાં ક્ષય-ઘસારાને ભય ડગલે ને પગલે રહે છે પણ ભવભવ સર્વથા ક્ષય તેને ડર ક્યારે આવે. હજી ક્ષય-ઘસારાને નિશ્ચય વૈદ દ્વારા થાય, પણ સ્વયં થતું નથી. પરંતુ ક્ષયથી ઘસારાના દઈથી શરીર નબળું પડયું. તે જે નિશ્ચય તે વૈદના આધારે. તેને માટે વૈદના વચનેને નિશ્ચય જોઈએ. પણ આ સર્વથા છોડવામાં કેનો નિશ્ચય જોઈએ? તેમાં વૈદ હકીમ તે કોઈને પૂછવું પડે તેમ નથી. નિશ્ચિત છે એટલું જ નહિ વાધર તૂટે છે એટલું જ નહિ પણ ભેંસે જાય છે. ત્યાં શું થાય? સાધન જાય છે ને તેનાથી મેળ વેલું પણ જાય છે. ત્રણ પાપમમાં મેળવી મેળવી ઢગલે કર્યો, પણ જ્યાં નીકળવાનું થયું ત્યાં બધું છેડી દેવાનું! આવતા ભવથી નવેસર મેળવવાનું. ક્ષેત્ર છેડી દેવું, સાધન મેળવેલું છેડી દેવું.
Page #134
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જું
૧૫ દરેક ભવમાં શું થાય છે? ત્યારે ભટકતી પ્રજાને એકલું ક્ષેત્ર છેડવું પડે છે. મેળવેલ સાધને નથી છોડતે, માત્ર ક્ષેત્ર છેડે છે. ત્યારે આ જીવ ક્ષેત્ર, સાધન સઘળું છોડે.
આખા ભવમાં મહેનત કરીને કંચનાદિ ચાર મેળવ્યા. તેમાં કયું નહીં મેલવું પડે. અત્યંતરની અપેક્ષાએ આહારાદિ છે શક્તિ સાધી તૈયાર કરી, કાર્ય કર્યું, તે તાકાત મેળવેલી. પણ આગળ નીકળે ત્યાં અપર્યાપ્ત અતિન્દ્રિય.
વાટે વહેતાને એકે પર્યાપ્તિ નહિ, વાટે વહેતાને એકે ઈન્દ્રિય નહિ આહાર પચાવવાની, શરીર, શ્વાસોશ્વાસ, ઇન્દ્રિય, મન, ભાષા પરિણાવવાની શક્તિ મેળવી હતી તે નહિ રહેવાની તાકાત જાય અને મેળવેલું પણ જાય, દેરડું જાય અને ભેંસે પણ જાય. અહિ આગળ દરેક જન્મમાં સાધી ઊભું કરીએ તેથી સિદ્ધિ કરીએ. પાછા હતા ત્યાંના ત્યાં.
કાશીમાં કરવત મેલે છે ત્યાં ધાર્યું તે મેળવે. મોચી ગયે. કરવત મેલવાવાળાએ કહ્યું કે, માંગ તું. ત્યારે તેને રાજ્ય માંગવાથી શરૂઆત કરી. રાજા થવું, પ્રધાન થવું. આ થવામાં પંચાત જ વિચારમાં લીધી. સેનાપતિની વાત આવી, શેઠીયાપણું, વેપારીપણું માગ્યું. ત્યાં બધી વાતમાં પંચાત ઊભી થઈ. ત્યારે કહ્યું કે, “મેલ કરવતીયા કરવત અંતે માચડે તે મેચીડે.” તે સિવાય બીજે રસ્તે નહિ. કરવત લીધી ને મોચીને મેચી રહ્યો. આપણે ભવભવ રખડીએ પણ નીકળીએ ત્યારે સાધન સાધેલું તેને મુકીને જવાના. આપણી આ દશા કેવી ગણવી?
ભટકતી ક્ષેત્ર મુકે પણ સાધન સામગ્રી ન મુકે. ત્યારે આ એ કે સાધન અને સાધેલું બેય મુકીને ચાલે છે. એકે જે નહિ. સંતોષ માનવાની એક વાત રહે છે. વેપાર નહોતે, વેપાર કમાણી ન થઈ હોય ત્યાં સુધી ગેદ. થાળે ક્યારે? તે સંતોષ નથી માનતે ત્યારે. તેમ અહિ આગળ સંતોષ માનત કે ચાલે ભવ નહેતે કર્યો. આ ભવનું સાધન સાધેલું જેડે ન રહે તે આ ભવ નહેાતે કર્યો તેમ ધારીશું. નુકશાનવાળા વેપાર વખતે નહેાતે કર્યો
Page #135
--------------------------------------------------------------------------
________________
આગમત તેવું મન વળાતું નથી. પણ ખાવામાં જગલે ને કુટવામાં ભગલે. તે પાછો જોડે-આને સાધન મેલી દીધું. સાધેલું તે કેવું? તે પાછળ રહેલાનું. પાપ બાંધ્યા તે ભેગવવાના તે આપણે દુનિયામાં મુર્માના માટે જમવામાં જગલે અને કુટવામાં ભગલે તે. ત્યારે આ તે તું રાત દહાડો કરે શું ?
મેળવીને મેલી દેવાને, શરતી મેળવવાનું. આ ભવમાં જે મેળવાય તે શરતી. પણ બીન શરતી નહિ. કંચન વગેરે આહાર વગેરે જે છે તે બધું મળે તે શરતી પણ બીનશરતી ન મળે. કેમ? તમે અહિ છે ત્યાં સુધી તમે ઘરજમાઈ, તે રહે ત્યાં સુધી માલીક કહે પણ કરી મરી ગઈ ઘરજમાઈ રદ થયે ત્યારે શું? ઘરજમાઈ તરીકે રહ્યો ત્યારે માલીક ને સંતાન વગર છોકરી મરી ગઈ તે ઘરજમાઈ નહિ.
આ પણ હું માં જ્યાં સુધી તે આ ઘરના જમાઈ રહે ત્યાં સુધી તેને સંબંધ છેડ્યો પછી કંઈ નથી તમારૂં. ઘરજમાઈની સ્વતંત્ર માલીકી કેટલી? આ જીવ ઘરજમાઈ તરીકે રહ્યા છે જ્યાં સુધી છેડી જીવતી છે ત્યાં સુધી. તેમ અહિ કાયાને સંબંધ છેડી દે ત્યાં સુધી. છુટાછેડા કર્યા પછી ઘરજમાઈને હક કેટલે? તેમ અહિ આગળ બધાને સંબંધ આને રાખું ત્યાં સુધી. આનાથી છુટા પડે ત્યારે કંઈ નહિ. ભભવ ઘરજમાઈ તરીકે ચાલ્યા.
બધી પળોજણ વહેરવાની તે આહારાદિ અંગે અને કંચના દિને અંગે છે. કર્મો બાંધ્યા તે કરનારને ભેગવવાનાં. દેહ છૂટવાથી કમને સંબંધ છૂટ નથી, ઘરજમાઈ પણું છોડે ત્યારે માલીકી છૂટે. પણ કોઈ ગુના હોય તે છૂટતા નથી. કોટે વળગેલા છે. તેમ અહિ આગળ આ કાયાને અંગે કમના ઘરજમાઈ તરીકે રહ્યા છીએ. જેટલે લાભ કરીએ તે આને, પણ નીકળતી વખતે જે ગુના કર્યા તે ભેગવવાના.
આપણે ખાવામાં જગલે એટલે જગત ને ભેગવે ભગલે એટલે જ્ઞાન દર્શન ચારિત્રના ભગવાન. તેને ભોગવવાનું.
આ સ્થિતિ અનાદિકાળથી ચાલી પણ દારૂડીયે જમીન ઉપર પડે, ધૂળ નાંખે પણ દારૂને વખત થાય ત્યારે એને એ. દારૂડીયાને
Page #136
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જું દારૂના નુકશાનની વાત રુચે નહિ. તેમ આ પણ મોહની જાળમાં ફસાયેલે છે ભભવ મેહથી હેરાન થયે, રખડ્યો, જન્મ જરાદિ ખેડ્યા, પણ પાછા જ્યાં આરંભાદિને વખત આવે ત્યારે એને એ. તેમાં બચાવનું સાધન એક જ. જગતમાં બીજું કંઈ સાધન નથી. ચાહે સર્વાર્થસિદ્ધમાં જાવ! પણ આરંભાદિથી બચાવનાર સાધન નથી.
આખું જગત નિરાધાર અશરણુ અનાલંબન, પણ તેમાં એક જ આધાર, આલંબન, સથવારે, શરણ તે જિનેશ્વર મહારાજનું વચન; તે સિવાય બીજું કોઈ નથી. - જેમ અત્યંત ગે હેરાન થયેલે વૈદના વચને જેમ બરાબર પ્રવર્તે છે, તેમ અહિ આ જીવ જન્મ જરા મરણ વગેરેની વ્યાધિ મટાડવા માટે જિનેશ્વર ભગવાન રૂપી વેદનું વચન તે પ્રમાણે વર્તે માટે જ કહ્યું કે- વચનની આરાધનામાં ધમ' કહે છે. આવું વચન તેનું સ્વરૂપ, વિષય, ફળ, આરાધના કઈ રીતે કરવી? તે અધિકાર અગ્રે વર્તમાન.
છે વ્યાખ્યાન ૧૦ છે.
वचनाराधनया खलु.
સં. ૨૦૦૨ના ભા. વ. ૭
મંગળવાર તા. ૧૬-૯-૪૬ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે પડશક પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે –
આ સંસારમાં દરેક જીવ પિતાની બુદ્ધિ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. સ્પર્શની, રસની, ગંધની, રૂપની, શબ્દની ચાહના તે બુદ્ધિના અંગે. તેમાં કેટલાકની બુદ્ધિ પશમથી હેય ને કેટલાકની અનુભવ જન્ય હોય. બેયથી આ જીવ અનુભવ કરે છે. ક્ષયોપશમ અને અનુભવથી આ જીવ અનાદિકાળથી પ્રવૃત્તિ કરે છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
આગમત એકેન્દ્રિય પિતાને લાયક આહાર હોય તેને પકડે છે. પાણી સીંચીયે તે ઝાડ પકડે છે. પણ પારો કે શીલાજીત મુક્યાં હેય તે એમને એમ પડી રહે છે. કેમ? તેને વનસ્પતિએ પકડીને શરીરપણે કેમ ન પરિણમા? તાંબાને પીતળનો રસ નાંખે હેય તેને એક કણિયે આહાર તરીકે લેશે? ના!!! આહારને લાયકના, શરીર બનાવવાના લાયકના પુદ્ગલે ગ્રહણ કરે છે. તે સિવાયના એમને એમ પડી રહે. - ઝાડની બખોલમાં ઘાલેલે પત્થર અને ઝાડને છેદીને અંદર ઘાલેલે પત્થર તે એમને એમ પડ્યો રહે. પત્થરનું કંઈ ન થાય. ઈન્દ્રિય શરીરની અનુકૂળતાએ પ્રવૃત્તિ કરે. પાણીને પકડે, પણ પારા-પત્થર તેને ન પકડે. પત્થરને તે વનસ્પતિ પતાપણે પરિણુમાવે નહિ.
ઈન્દ્રિયેના વિષ દૂર હોય તેને પણ જીવ ગ્રહણ કરવા માંગે છે, ને ઇન્દ્રિય, શરીરના લાયકના ન હોય ને નજીકના હેય તે પણ તેને ગ્રહણું નથી કરતો. ખેરાક આટલે પચે પણ લોઢાને ના કકડા પેટમાં જાય તે શું થાય? તે ઈન્દ્રિય-શરીરને અનુકૂળ નહિ. ઉપગે-અનુપગે ક્યા પુદ્ગલો પોતાના કરે છે? તે જેને શરીરપણે કરી શકે તેવાને. તે સિવાયના પગલે ગ્રહણ કરતે નથી. શ્વાસભાષા-મનપણે જેના પરિણામ આવે તેવા પગલે ગ્રહણ કરે.
સંજ્ઞા-અનુભવ દ્વારા સમયે સમયે જીવની પ્રવૃત્તિ અનાદિકાળથી ચાલે છે. કયા ભવમાં શરીર ઈન્દ્રિયો માટે આહારની શ્વાસોશ્વાસની રચનાની તેને માટે પ્રવૃત્તિ નહતી? આ ચાર પ્રવૃત્તિ દરેક ભવમાં ચાલુ છે. ઇન્દ્રિયના આહારદિના વિષયભૂત પદાર્થો તેને લેવા માટે હંમેશાં બુદ્ધિ દોડાવે છે. ચાહે ભવ્ય હાય કે અભવ્ય હાય! ચાહે મિથ્યાત્વી હોય કે સમકિતી હોયચાહે અનંત સંસારી હોય કે તદ્દભવ મેક્ષગામી હોય! તે બધા આહારાદિની અનુકૂળતાવાળા પુદ્ગલે લેવા ને પરિણુમાવવા પ્રવૃત્તિ કરે છે. તેને અંગે બુદ્ધિ હમેશાં ચાલે છે.
આસ્તિક થાય ત્યારે શું થાય? તે એક જ વસ્તુ કે પારકા અનુભવે ચાલનારો થાય. પિતાના આહાર શરીરાદિને અંગે પિતાની
Page #138
--------------------------------------------------------------------------
________________
વાત'.
પુસ્તક ૨-જું બુદ્ધિ પ્રમાણે ચાલનારે જીવ આસ્તિક થાય ત્યારે પિતાના વિચારે ચાલવાની પ્રવૃત્તિ રોકી ન શકાય તે પણ તેને ગૌણ કરે, તે મુખ્ય કોને કરે? તે પારકા અનુભવના આધારે પ્રવર્તવાનું.
પિતાની બુદ્ધિ કેરાણે મુકીને પારકી બુદ્ધિએ ચાલવું તે દુનિયા દારીમાં ચાલે નહિ. એટલું જ નહિ પણ જગતમાં ગુલામી કહેવાય. કેમકે ગુલામી અને સ્વતંત્રતામાં ફરક કળ્યો? એ જ ફરક ક-સ્વતંત્ર તામાં પિતાની બુદ્ધિએ પ્રવર્તવાનું, ગુલામીમાં પારકી બુદ્ધિએ, સત્તાએ, જ્ઞાને પ્રવર્તવાનું. પિતાની બુદ્ધિ, જ્ઞાન, અક્કલ કેરાણે મુકી દેવાની. શાને આધારે પ્રવૃત્તિ વિચાર ઈચ્છા કરવી? ગુલામીમાં ઈચ્છા-વિચારની છૂટ, માત્ર પ્રવૃત્તિને પ્રતિબંધ છે. માલિકની ઈચ્છા પ્રમાણે વર્તવું પડે છે. બોલવું વિચારવું સ્વતંત્ર પણ પ્રવૃત્તિ પરાધીન, થાય કઈ? શેઠ કહે છે. મનમાં વિચાર ભલે બીજે હોય પણ શેઠની મરજી પ્રમાણે ચાલવું પડે તેને આપણે ગુલામી કહીએ છીએ. પ્રવૃત્તિમાં શેઠને માલિકને રાજાને આધીન થવું પડે. એની જગ્યા પર આસ્તિકની સ્થિતિ વિચાર-ઈચ્છા-વચન પ્રવૃત્તિ પણ કરાણે મુકી દેવી પડે. સર્વજ્ઞ ભગવાને કહેલા હોય તે વિચાર-ઈચ્છા વચને ને પ્રવૃત્તિ.
વચને અંગે–બીજા બીજા આસ્તિક પિત પિતાના દેવ ગુરુ, ધમના કહ્યા પ્રમાણે મનથી ચિંતવવું, વચન બોલવું, પ્રવૃત્તિ કરવી ઈચ્છાએ પણ એના વચનના અનુસારે. ગુલામીમાં એકલી કાયા બંધાઈ હતી, ઈચ્છા-મન નહેતા બે ધાયા. આ આસ્તિકને માર્ગ જેમાં ઈચ્છા, મન, વચન, પ્રવૃત્તિ બધું બંધાયેલું. તે કેવું ? પિતાની માન્યતા ઈચ્છા પ્રવૃત્તિથી પ્રતિકૂલ હોય તે પણ
અનાદિ કાળના વિચારે ઈચ્છા-પ્રવૃત્તિથી વિરૂદ્ધ હોય તે પણ તે પ્રમાણે વર્તવાનું. આ તે ગુલામી કરતાં પણ બહુ ખરાબ.
તમે આસ્તિક એટલે પાઠાંતરે ગુલામી, તે સર્વથા ગુલામી. ઈચ્છા મન પ્રવૃત્તિ વચન બીજું ન કરાય. સર્વથા ગુલામી દુનિયામાં કયાંય ગુલામી હતી.
વાત ખરી છે–એક જ પિઈટ ફેરે તે વખતે ગુલામી છે કે હિતનું સાધન કે કર્તવ્ય છે? તે માલમ પડે. જે વખત તમે એ સર્વજ્ઞના
Page #139
--------------------------------------------------------------------------
________________
૨૦
આગમત વચન પ્રમાણે ઈચ્છાનું હિત, મનનું પ્રવતવાવું, વચન પ્રવતવાવું તે હિતનું સાધન સમજે તે વખતે તમને ગુલામી લાગે છે? જે આનું નામ ગુલામી લે, તે વિદ્યાથી-માસ્તર ગુલામ.
દાખલામાંથી સમજાવે કે આમ જ બોલાય તે ગુલામ ને? માસ્તર પિતાના ફાયદા માટે કરતું નથી. ગુલામના સંઘરનાર જે કહે તે ગુલામના ફાયદા માટે નહિ, પણ પિતાના ફાયદા માટે કહે છે. કાયાને માટે વૈદ્ય જે કહે તે બધું ગુલામીમાં નથી ગણતા, તેનું કારણ એક જ કે ફાયદા માટે.
એક તમારે ભાગીએ તે છવ જે હોય તે પિતે એવા તે ભાગીદાર હાજર ન હોય તે નફાનું કામ કે નુકશાનનું કામ તે તેના ભાગમાં. પરંતુ હાજર કે ગેરહાજરમાં પણ ભાગમાં ફરક નહિ પણ સરખે હિસ્સે. ભાગી જાણે કે ન જાણે તે પણ લાભમાં સરખો હિરો. ચાલતાં ચાલતાં વચો પડયો, નોટિસ આવી. લાભ એવી ચીજ કે એ ભાગીયાને પોતાના સાસરાથી દલ્લો આવી ગયે તેથી પેલા ભાગીયાની આંખ ઉઘડી એને મિલકત આવી ગઈ છે. સરખું આપું તે હું નીચો થાઉં ને તે ઉંચે થાય તે ભાગીયાથી ખમાયું નહિ. આડું અવળું થવાથી જુદા થવું પડયું. શાને ભાગી? તેનું નામ કે તેને છુટા થતાં આવડે. શેરીમાં કુતરો પણ મળતાં સમજે છે. મનુષ્ય જુદું કેમ પડવું? તેને સમજે.
બે ભાઈ એકઠા રહે છે. બંને એક એક કરે છે.
નાનો ભાઈ બજારમાંથી શેરડીના બે સાંઠા લઈ ઘેર આવ્યું. બેય છોકરાએ મને આપે તેમ કહીને દેડ્યા.
મેટા ભાઈને છોકો આવે તે બાજુ મેટે અને પિતાને છોકરો આવે તે બાજુ ના હતું. હાથ પલ્ટાવી નાંખ્યો.
મેટા ભાઈએ ઝરૂખાથી દેખ્યું. બીજે દિવસે કહ્યું કે ભાઈ વહેંચી લે. ભેગા નથી રહેવું. પેલે કહે કે શું થયું ? ભેગા એટલે માબાપના, જુદા એટલે
Page #140
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જી
૨૧
જોરૂના. માટે આપણે ભેગા છીએ એટલે માબાપના, જુદા થઈશુ તા જોરૂના થઈ.
માટા કહે કે મારે વહેંચી લેવું. સારી સારી રીતે જુદા પડશુ તા મા-માપનુ' નામ સાચવી શકશું. લડીને જુદા પડ્યા ત્યાં મેય બાપદાદાના નામને મેળનારા થઈશુ.
તેનું કારણુ ખતાવ.
તે હાથ શાથી ફેરન્યા તેમાં એમ થયુ' તેથી. આ માટાના દીકરા આ મારા દીકરા, તારા છેાકરા એ મારા નહિ તે ખરૂ ને ? એ કહેવા માગુ છુ.
જો આ પ્રમાણે ન ચાલે તેા ઘર કેવી રીતે ચાલે ? માટે વહેંચી àા તેમ કહું છું.
આંખ ઊંચી ન થાય તે પહેલાં તુ તારે રસ્તે ને હું મારા રસ્તે. જેથી ખેલવા ચાલવાના વખત જ ન આવે.
તેમ આ એ ભાગીયા ન સમજ્યા હોય અને આગળ વધ્યા, નોટિસખાજી થઇ.
હવે તમારા વકીલ તમને શી સલાહ આપે?
મારી હાજરી સિવાય તેની સાથે તમારે વાતચીત કરવી નહિ. મળવુ' નહિ, તેને ઘેર તમારે જવુ નહિ, તમારે ઘેર તેને આવવા દેવા નહિ.
તા આને તમે ગુલામી ગણેા છે? ના! કેમ નથી ગણતા ? તમારા હિતને માટે છે તેમાં વકીલને કઈ લેવુ' દેવું નથી.
આ વકીલ કજીયાદલાલ નહિ, તેવાની વાત કરૂ' છુ.
વકીલે કજીયાદલાલા ડાય છે. કજીયાદલાલ ન હાય ને તે જે આપણને સલાહ આપે તે પ્રમાણ માનીએ, વીએ, મેલીએ ચાલીએ તેને ગુલામી ગણીએ છીએ ખરા? ના!
શરીરમાં રાગ થયા, ડાકટર વૈદ્યને લાવ્યા ને કહે કે આમ ખેલવુ, જવું, આવવુ, ખાવું, પીવુ વગેરે આમ કરો. તે પ્રમાણે તમે આ
Page #141
--------------------------------------------------------------------------
________________
૨૨
આગમત બધું કરે છે તેને ગુલામી ગણે છે? ના! એને સ્વાર્થ નથી. આપણું ફાયદા માટે કરે છે.
આપણી ઈચ્છા વર્તન પ્રવૃત્તિ વિરૂદ્ધ બધું છતાં આપણે કબૂલ શા માટે કરીએ છીએ? તે આપણા હિતને માટે તે કહે છે, એને કંઈ પણ સ્વાર્થ નથી.
આ માસ્તર, ડૉકટર હિતને માટે કહે છે. તે વખતે એ હિતના કારણભૂત વતુ ઈચ્છા મન વચન પ્રવૃત્તિ વિરૂદ્ધ તે ઉપકાર સાથે સવીકારીએ છીએ, તમે જેમ કાયદાની બાબતમાં ધારાના જ્ઞાનથી દૂર રહેલા છે, શારીરિક બાબતમાં તેને બેધથી દૂર રહેલા છે તેથી તેનું કહેવું કરે, માને, પ્રવર્તે છે તેને ગુલામી માનતા નથી.
તેમ આસ્તિક પરભવને જાણતા નથી, પરભવ સંબંધી આસ્તિકોને કમ સંબંધી, આત્માના ગુણે સંબંધી આસ્તિકને જ્ઞાન નથી. તે આત્માના ગુણેને અંગે કર્મક્ષય પરભવ સુધારવા માટે કેમ વર્તવું? ધારવું? માનવું? તે બધું તે જ્ઞાન ધરાવનારની આજ્ઞાને આધીન.
અહિ પણ આસ્તિકે પરભવના જ્ઞાન કર્મ આત્માના ગુણે જ્ઞાન વગર ખરા માને તે શાને લીધે તે તેના કહેવા પ્રમાણે. તે પ્રમાણે વર્તવું ઈચ્છવું બોલવું ધારવું પડે તેને ખરાબ ગુલામી તરીકે કોણ ગણે? વકીલ કે હકીમ કે માસ્તરના કહ્યા પ્રમાણે ચાલે તેને ગુલામ કેઈ કહે છે? એના ફાયદા માટે એ બધું કરે છે.
આ સર્વજ્ઞ પરમાત્મા તે માત્ર છના આત્માના ફાયદા માટે બધું કરે છે, તેને હિત શીખામણ તરીકે ગુલામી માનવી. આપણા હિત માટે કહેવાતી શિખામણને હિતશિક્ષા કહેવાય તેમ આસ્તિકે પિતાના દેવ ગુરૂ શાસનું વચન માને તે પિતાનું હિત ધારીને, તે કેવું!
જેમ પેલે અસીલ સમજે કે તેને કહેવા પ્રમાણે કરાય તે ફાયદે છે, નહિ તે નુકશાન થશે.
ડોકટરમાં જે હિતકારી હોય તેને અંગે તેના કહ્યા પ્રમાણે કરે પણ લગીરે વિરૂદ્ધ નહિ. રસાયણ પદાર્થ તામ્રભસ્મ આપે છે તે
Page #142
--------------------------------------------------------------------------
________________
પુસ્તક રજુ વખતે તેલને પડછાયે લગીર આવ્યું તે સ્મશાને લાકડા ભેગા વહેલા કરવા પડશે. આપણે તેને ખરાબ ગણીએ છીએ. આપણે હિત માટે ચેતવે છે, તે કંઈ લાકડા-સ્મશાનમાં રાજી નથી. થઈ જાય નહિ તે માટે ચેતવે છે.
આ વાત ખ્યાલમાં રાખીએ તે શાસ્ત્રકાર કહે છે કે –
સર્વાના વચન વિરૂદ્ધ વર્તન વિચારે કે ઈચ્છામાં બુદ્ધિ કરી તે તમે અનંતા સંસારમાં રખડી જશે. ભગવાનને કાલમુખા કેમ ન કહેવા? કેમ તે કહ્યું કાલમુખા જેવું. તમે આવું કરો તે આવા થાવ, તેમ નહિ પણ આવું થશે, માટે ન કરે. અહિ આગળ નરક નિગોદમાં રખડવું પડશે.
છેડે દુનિયાદારીને મૃષાવાદ રૌરવ વગેરેમાં રખડાવનાર થાય તે જિનેશ્વર ભગવાનની વાણીને ખેતી અને વિરૂદ્ધ કહે તે શું થાય? નાસ્તિકે બેલે છે કે-નરક સાતથી આઠમી નથી ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે–સાતમીથી આઠમી નરક નથી, નિગદથી હલકી ગતિ બીજી કોઈ નથી. તે શા માટે બોલે છે? આને કઈ ગતિ મળવાનું કહેવું?
જિનેશ્વરની વાણીને જુઠી અપ્રમાણ અસિદ્ધ કહેનારને સાત નરકમાં તેનું ઠેકાણું કર્યું? તેમ જ નિગેદ વગેરે સ્થાનમાં મને દેખાતું નથી. કેમકે ત્યાંથી આગળ કઈ થાન નથી, તે આના માટે કઈ ગતિ ને સ્થિતિ કહેવી? તે મને સૂઝતું નથી.
જિનેશ્વર જેવા જગતના ઉપકારી ત્રણ લેકને કરનાર એવા મહાનુભાવ સર્વ તેના વચનને છેટું કહે ઉથલાવે તેવાને શું કહેવું? આઠમી નરક નથી, નિર્ગદથી નીચે સ્થાન નથી માટે બેલી શકતો નથી. માટે કોણ જાણે કે કઈ ગતિ થશે!
કહેવાનું છે કે આસ્તિક છે, તેઓ આત્માના હિત ખાતર સર્વજ્ઞના વચનના આધારે મન, ઈચ્છા, વચન કે પ્રવૃત્તિ બધી રાખે. માટે વરનારાધનય–વચનની આરાધના તે જ ધર્મ છે.
આવી રીતે ધર્મ જણાવ્યા છતાં તેવું આ જીવને કઈ વખતે લાગે ! તે તે વચન સમય સ્વરૂપ વિષય ફલ વગેરે શુ ? તે જે જણાવાશે તે અધિકાર અગ્રે વર્તમાન.
Page #143
--------------------------------------------------------------------------
________________
२४
આગમત
Boooooooooooooooo
8 વ્યાખ્યાન–૧૧
वचनाराधनया खलु.
સં. ૨૦૦૨ ના ભાદ. વદ ૮
બુધવાર તા. ૧૭-૯-૪૬
શાસકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરી શ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે છોડશક નામના પ્રકરણને રચતા થકાં આગળ સૂચવી ગયા કે –
આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી સંસારમાં રખડપટ્ટી કર્યા કરે છે. તેની અંદર મનુષ્ય જન્મ પામ તે જ પહેલાં મુશ્કેલ હતો. કારણ કે એકેન્દ્રિયની સૂક્ષ્મ કે બાદર નિમેદની અપેક્ષાએ અનંત ઉત્સર્પિણી અવસર્પિણ કાયસ્થિતિ કરી તે કોના અંગે? બહાર આવેલાને અંગે. અંદર રહેલાને કાયસ્થિતિનું પ્રમાણ નથી. બહાર નીકળવા માટે કાયથિતિ છે.
અર્થાત પાછો પડેલે કેટલું રખડે છે? જે નથી ચડ્યો તે નથી જ ચડ્યો. તેને પડવાનું શું? ચડીને પડેલાને સૂક્ષમનિગેહમાંથી બાદરનિગાદમાંથી અનંતા કાળચક્રો પછી બહાર નિકળવાને વખત મળે. પૃથ્વીકાયાદિમાં અસંખ્યાતા કાળચકો પછી બહાર નિકળવાને વખત મળે નારકી-દેવતામાં તેત્રીશ સાગરોપમ રખડે. આ રીતે મનુષ્ય અંદગી આવવી મુશ્કેલ છે. તેથી શાસ્ત્રકાર મનુષ્ય ભવને દુર્લભ કહે છે.
વળી જેને વ્યવહારરાશિમાં આવે અને તે કાળ થયે તે જીવ અનંતી વખત મનુષ્યપણું પામે છે. એટલું જ નહીં પરંતુ સાધુ પણું અનંતી વખત લીધું છે. તેને અંગે કહેવાય છે કે મેરૂ પર્વત જેટલા ઘા મુહપત્તિ કર્યા.
મનુષ્યપણું પામ્યા, સાધુપણું લીધું ત્યારે અનતી વખત નવ રૈવેયકમાં ઉપજે. પણ આ જીવનું કંઈ વળ્યું નહિ. આ શા માટે
Page #144
--------------------------------------------------------------------------
________________
૨૫
પુસ્તક ૨-જુ કહેવું પડ્યું? તે સમકિત પામવું બહુ દુર્લભ છે. અનંતી વખત મનુષ્યપણું, સાધુપણું, નવ રૈવેયકપણું મળ્યું હતું, પણ સમકિત દુલભ હતું; પણ આ ઉપરથી તેમાંથી ચલાયમાન ન થવું જોઈએ. તેમાંથી ચલાયમાન થવું, તે દુર્લભ વસ્તુને છોડવાનું.
આ બધા કરતાં સમકિત દુર્લભ છે. તે મળેલી ચીજનું અખંડપણે પાલન થવું જોઈએ, રક્ષણ થવું જોઈએ. જે સમકિતનું અખંડપણે પાલન રક્ષણ કરે તે જ ચારિત્રવાળાની માફક આઠ ભવમાં મેક્ષે જાય. આ શાસ્ત્રકારને નિયમ. સમકિતની સ્થિતિ આરાધના કેટલી વખતની હોય તે? તેના જવાબમાં કહેવામાં આવ્યું કે જઘન્ય આરાધના આઠ વખત જ.
પૂ આ. હેમચંદ્રસૂરિજી મહારાજે ગશાસ્ત્રમાં તેમ જ ભગવાન ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિ પ્રકરણમાં તથા શ્રાવક પ્રકરણમાં જણાવ્યું છે કે –“સર્વાંતિ મવાન્તરષ્ટા ... સમકિતની આરાધનામાં આઠ ભવે મોક્ષે જાય. સમકિતની વિરાધના નાશ અપ્રાપ્તિ તે અનંતા ભવો કરાવે. મનુષ્યપણું, સાધુપણું, રૈવેયકપણું મળે તે પણ તે મળે નહિ. આ માટે સમક્તિ દુલભ. તેને માટે આ વાક્ય છે.
ખરી રીતે છેતાએ ત્રણ જાતના હોય છે. પરિણામી, અપરિણામી, અને અતિપરિણમી. જે શાસ્ત્રને અંગે પરિણામી હેય, તે શાસ્ત્રનું વાક્ય જે મુદ્દાથી હોય, તે મુદ્દાથી ધારે, અને તેને અવળું કે હદ બહાર ઉંધુ ધારે તે એ અપરિણામી અને અતિપરિણામી
પરિણામી કોને ગણાય? તે જે મુદ્દાએ શાસ્ત્રકાર વાક્ય ઉચ્ચારણ કર્યું હોય તે મુદ્દાએ વાક્ય ધારે, સમજે ને વિચારે તે પરિણામી એવા વાક્યને જેઓ અપરિણામી તેઓ કહે છે કે, સાધુપણું શું કહે છે? એ મુહપતિ અનંત વખત કર્યા. આ વચનને ઉપગ શા માટે કર્યો? તે સાધુપણાને, વિરતિને, ચારિત્રને રોકવા શાસ્ત્રકારે આ મુદ્દાએ કહ્યું છે.
ઈચ્છકારિ ભગવાન પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાજી! સામાયિક સાધુપણું લેવા આવે તેને શાસ્ત્રકાર એમ કહે કે સામા
Page #145
--------------------------------------------------------------------------
________________
આગમત યિક કેમ કરે છે? તેનું લક્ષ્ય શું? તે ધ્યાનમાં લે! વગેરે. તે તે સામાયિક અટકાવવા નહિ, પણ સમકિતને દઢપણે ગ્રહણ કરવું, પાલન કરવું, આરાધન કરવું એ મુદ્દો છે.
સાધુપણું અનંતી વખત લીધું પણ જોડે સમકિતનું વાવેતર હેતું માટે મોક્ષનું બીજ ન બેઠું. આ વાક્યને ઉપયોગ ક્યાં કર્યો? સાધુપણું લેતે હોય, સામાયિક પ્રતિકમણ કરતો હોય તેને રોકવા? અનંતી વખત સાધુપણું લીધું એ વાક્યને દુરૂપયેગ કરનારને પુછીએ કે મા, બાયડી, છોકરી વગેરે અનંતી વખત મલ્યા તે વધારે કે ચારિત્રનું અનંત વધારે? તારી બાયડી મા ને તારી મા તારી બાયડી કેટલી વખત થઈ તે કહે! આ વિચાર કર્યો કે દહાડે? મારે મમતા છોડવી પડે, માટે આ વાક્ય બેલું શા માટે?
કોઈ કહેતું હોય કે અનંતાનંત વખત મળેલી (ઘામુહપતી) ચીજમાં મમતા શી કરવી? તેને માટે પુછવું કે એઘા-મુહપત્તિ અનંતી વખત કર્યા , છેતીયા, પાઘડી અને બાયડી છેકરા અનંતી વખત કર્યા? તે કહેને! લેવા-દેવાના કાટલાં જુદા રાખવા છે ને? ચારિત્ર માટે અનંત શબ્દ વાપરે છે, પણ બાયડી, છોકરા મા વિગેરે અનંતી વખત થયા તે વિચાર્યું કેઈ વખત? અનંતી વખત મા તે બાયડી, બાયડી તે મા, બાપ છેકરો, છોકરો તે બાપ થયા છે! આ વિચાર્યું કોઈ દહાડે ?
અધ્યાત્મની વાતો કરનારને છોકરાને લાડ લડાવવામાં વાંધે નહિ. પિતે ઘડો થાય ને પીઠ ઉપર તેને બેસાડે છતાં એઘા-મુહપતી તે અનંતી વાર કર્યા એ વાક્ય તો ઉપાશ્રયમાં ધર્મને ધક્કો મારવા જ ઉપયોગ કરવાને ને ? આપણે કરવું નથી, બીજાને કરવા દેવું નથી. માટે અનંતી વખતે ચારિત્ર એઘા-મુહપત્તિ, ચરવલા મહપત્તિ-કટાસણું લીધા, કાંઈ દહાડો ન વળે ! આ વચન શાસ્ત્રકારના નામે બેલે; ચારિત્ર લેતાં રોકવા છે. આમાં જલમ ક્યો બાકી રહ્યો ?
જે વાત બોલે છે તે સાધુપણાને દૂર કરવા માટે બેલે છે, છતાં શાસ્ત્રકારોને નામે બેલે છે. આના જેવાને લુચ્ચે અધમી
Page #146
--------------------------------------------------------------------------
________________
પુસ્તક-૨ જુ
૨૭ કેમ ન ગણ? સમકિતની દઢતા માટે કહેલું વાક્ય તે ચારિત્રની ભ્રષ્ટતા, અંતરાય, વિરતિના નાશ માટે જોડયું. આવા જીવને પરિણામી કઈ રીતે કહી શકાય ?
આ રીતે આ જીવને શા માટે રખડવું પડ્યું? અનંતી વખત મનુષ્યપણું, ચારિત્રપણું, રૈવેયકપણું લીધુ તેમાં મીંડું કેમ ? એક જ કારણ કે જિનવચનની પરિણતિ થઈ નહિ.
જેમ જંગલમાં ભૂલા પડેલામાં ભાગ્યશાળી હોય તેને અજાણતાં પણ સીધે રસ્તો હાથ આવે અહિ પૂ આ. હરિભદ્રસૂરિજી કહે છે કે
ભગવાન જિનેશ્વરનાં વચનની પરિણતિ ઝટ ન થાય. જિનેશ્વર, ગણધરો, કેવલીઓ, શ્રુતકેવલીઓ, દશ પૂર્વધરના મેઢે સાંભળીએ અનંત વખત છતા પરિણતિ ન થાય પરિણતિ ક્યારે થાય? આ જીવની ભવિતવ્યતા છેલ્લા પુદ્ગલ પરાવર્તની હોય ત્યારે.
ચરમાવતમાં આવ્યા સિવાય જિનેશ્વરના વચનની યથાસ્થિત પરિણતિ થતી નથી. શ્રી સીમંધરસ્વામી કેવલી મહારાજને પૂછીએ કે મારા ભવ કેટલા ? તે જવાબ મળે કે મહાનુભાવ! એ તમારા આત્માને જ પૂછોને જેથી તમને ઉત્તર મળે.
આત્માને શું પૂછવું? તે મેં પૂછયું કે આ વચન તને મુદ્દા પ્રમાણે પરિણમ્યું કે નહિ? જે મુદ્દાએ શાસ્ત્રકાર વચન કહે છે તે મુદ્દાએ તે વચન તને પરિણમ્યું કે નહિ! તે આત્માને પૂછે. તેમાં તમારો જીવ હા કહે તે તમે શરમાવત’ સિવાય વધારે રખડવાના નથી. જ્યાં હાથ કંકણ છે ત્યાં ચાટલાની જરૂર શી? (કંકણમાં કાચ રહેતા હતા). હાથકંકણવાળો આરિસ ખળે તે મૂર્ખ કે બીજું કંઈ?
આ તમારું હાથકંકણ આત્મા. કેવલી મહારાજને પૂછવાનું કયું? તે એક પુદગલપરાવતમાં બાકી કેટલું તે પુછવાનું? આત્માને તપાસ-જિનેશ્વરના કહેલા વચને કહ્યા પ્રમાણે પરિણમે છે કે નહિ? તેને અવળે રસ્તે નથી થતું ને?
Page #147
--------------------------------------------------------------------------
________________
૨૮
આગમત શાસના વાક્યમાં આ તે વ્યવહારનું છે. આપણે નિશ્ચયમાં બેઠા છીએ. માટે શાસ્ત્રનું વચન વ્યવહારમાં કે નિશ્ચય એકલામાં! શાસ્ત્રનું વચન જે દુનિયાના વહેવાર તેને નયના નામે જડી દે છે. સીધું કહોને કે–કમના ઉદયથી નથી થતું. આમ સીધું કહી દે ને? જિનેશ્વર ભગવાનનું વચન જે મુદ્દાએ કહ્યું તે મુદ્દાએ આપણને પરિણમ્યું કે નહિ? જે મુદ્દાએ કહ્યું તે મુદ્દાએ હું રાખું છું. ગરબડ તિથિ ને ગરબડ વાર જેવું તે નથી કરતો ને ?
કેઈ ગામમાં એક-બે અક્ષર શીખેલો રહે છે. રોજ બે લાકડા મુકે, ચંદ્ર દેખીને એક લાકડું વધારે મુકે, એવી રીતે વાર માટે પણું લાકડું મુક્ત જાય. કેઈ વખત મનુષે આવ્યા તે વખતે લાકડા ગરબડવાળા થયા. કઈ પુછવા આવ્યા કે આજે કઈ તિથિ અને વાર છે.? ત્યારે તે કહે કે આજે ગરબડ તિથિ અને ગરબડ વાર છે. તેમાંના આપણે છીએ!
દુનિયાના સ્વાર્થ-આરંભાદિનાં કામ કરવા હોય ત્યારે શાસકાર તે નિશ્ચયનું કહે છે. આપણે વ્યવહારમાં બેઠા છીએ તે નહિ કહેતાં પાપમાં બેઠા છીએ, તે કહેને?
- હું નથી જાણતે તેમ કહીને ન્યૂનતા ન દેખાડાય. જાણપણું રાખવા માટે ગરબડ તિથિ ને ગરબડ વાર શબ્દ વાપર્યો એટલું જ તેમ આપણે જિનેશ્વરના વચને શા માટે? તેને વિચાર કઈ દહાડે કર્યો? માટે વિચાર કરો જે તમારા આત્માને પૂછે કે તને જે પ્રમાણે કહે છે તે પ્રમાણે પરિણમ્યું છે કે નહિ? જે વચન જે પ્રમાણે કહ્યું હોય તે પ્રમાણે પરિણમ્યું ન હોય તેને મરડીને બેલવામાં આવે તે કેટલું નુકશાન થાય તે માટે કમલપ્રભાચાર્યનું દ્રષ્ટાંત ધ્યાનમાં રાખશે.
કમલપ્રભાચાયે સાચેસાચું શાસ્ત્ર પ્રમાણે પ્રામાણિક કહ્યું હતું છતાં પણ પરિણતિ જુદાપણે કરવામાં આવી તે બાંધેલું તીર્થકર નામકર્મ તે ચાલ્યું ગયું. આઠ ભવે મોક્ષે જવાના હતા તેને બદલે ચોવીશીઓ રખડી ગયા કેમ? તે બન્યું એવું કે–જે બે જતણીઓને સંઘટ્ટો થયે. તે ઘેલી થઈને દોડતી આવી ને પગે પડી
Page #148
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
२८ જતણી ખસી ગઈ, ગામમાં આવ્યા પ્રસંગ આવ્યા ત્યારે લોકોએ તેમને પૂછયું કે–મહારાજ જતીને સંઘટ્ટ થયે તે વાત ખરી? તેને ખુલાસે શે? મહારું ધ્યાન તે તરફ નહોતું, એકદમ હર્ષઘેલી થઈને આવીને અડકી, મારો ઉપયોગ આવ્યું એટલે ખસી ગયા. તે નહિ દેતાં મારી ન્યૂનતા ન દેખાય માટે કહ્યું કે જેના શાસન સ્યાદુવાદ છે.
જૈન શાસન સ્પાદુવાદ છે કે નહિ? જૈન શાસનમાં સ્વાદુવાદ છે તે વાત સાચી, સાચું મારૂંજ, સાચ સિવાય કંઈ નહિ. એવું વાક્ય, સ્વાદુવાદ શબ્દ કહ્યો ત્યારે શાસ્ત્રકાર કહે છે કે–તીર્થંકર ગોત્ર બાંધેલું નાશ થયું. થોડા ભામાં મોક્ષે જવાના હતા તેના બદલે વીશીએ રખડી ગયા. શાથી? જિનેશ્વરના વચનની પરિણતિ બરાબર ન થઈ માટે !
જિનેશ્વર ભગવાનને સ્પાદુવાદ સાચો તેને પણ ઉપયોગ ક્યાં સંઘટ્ટાના બચાવમાં? પોતાના અનુપયોગ પ્રમાદના બચાવમાં? વિચાર કરજો કે સ્વાદુવાદ શબ્દને ઉપયોગ જે આખા શાસનમાં વ્યાપેલે છે. સાચે, કેવળ સાચે, સાચા સિવાય કંઈ નહિ. છતાં વીશીઓ સુધી સંસાર વળે. કેમકે વચનને અવળે કર્યો તેથી!
હથિયાર પાણીદાર છતાં મુઠે નહિ પકડતાં ધારે પકડયું તે શું થાય? જે તરવાર મુઠે પકડી હોય તે બચાવ કરે ને ધારે પકડે તે બીજાનો બચાવ તે થાય ત્યારે ખરો ! પણ સૌ પ્રથમ પોતાને હાથ કાપે. તેમ જિનેશ્વરનું વચન પણ જે પ્રમાણે જે મુદ્દાએ શાસ્ત્રકારે વચન કર્યું તે મુદ્દાઓ પરિણુમાવીએ, કથન કરીએ તે બરાબર. મુઠીથી હથિયાર પકડવાની જેમ ફાયદો કરનાર થાય. મુદ્દાને કેરાણે મુકીને સાચું તદન સાચું જિનેશ્વરે કહેલું વાકય બીજા રૂપે પરિ ગુમાવાય તો તે વખતે શું થાય ? અવળા પકડેલા હથીયારની માફક નુકશાન જ કરે. આંગળા કોણે કાપ્યા તે અવળા પકડેલા હથિયારે. જિનેશ્વરનું વચન અવળું પરિણમે તે તેની તેના જેવી દશા થાય. આ વાત વિચારીને આગળ ચાલે.
Page #149
--------------------------------------------------------------------------
________________
૩૦
આગમત જેઓ પ્રતિમાના લેપનારા, દયાના લેપનારા કહે કે –“સ નવા જ હૃતવા જ પરિવેત્તવા” આ વાક્ય શાસ્ત્રકારનું શાસ્ત્રનું છે. પરંતુ શાને માટે? જે અન્ય સર્વ જીવ તરીકે માનનારા નથી, દયાને માનનારા નથી. દયા નહિ માનતા ગીતા જેવા પવિત્ર ગ્રંથમાં કહ્યું કે તમે ન મારે તે તે મરવાને નથી? અમરપટ્ટો લાવ્યો છે? અમરપટ્ટાવાળાને કઈ દુનિયામાં મારતું નથી. અમરપટ નથી માટે તે મરવાને છે. “યરન મતે તાર” જે એમ સમજતા હોય કે આ મને મારનાર, આ મારાથી મર્યો તે તે બેય મૂર્ખ છે, કેમ તે આ આત્મા કોઈને હણને નથી ને કોઈથી હણાતું નથી. - હિંસા વસ્તુ ઉડાડી દીધી તેવાને માટે કહેવામાં આવેલું વચન તે જિનેશ્વરની પૂજા વ્રત કે સાધર્મિક ભક્તિમાં દાખલ કર્યું. મારવા જોઈએ એમ કોણ કહે છે તે બોલને ! તવ્ય પ્રત્યય શામાં? જેને નથી તવ્યને પરમાર્થ નથી સમજ, “સ HIM” નો અર્થ નથી સમજ અરિહૃહિં મનવંતેહિં અરિહંત કેને કહે છે. ત્રીશ અતિશયવાળા અરિહંત તેને માનીશ શી રીતે? તે જેને જેવું નથી ! માત્ર ભદ્રિક જીને ભરમાવવા છે. શામાં તવ્ય પ્રત્યય છે? તે શેના ભેદે છે? જોયા વગર આગળ ધરી દીધા. મિથ્યાત્વના પિષણ માટે જોડનારા તેની દશા શી? માટે આત્માને પૂછી લે.
તમારે આત્મા તમને જવાબ દેશે કે હું છેલ્લા પુદ્ગલ પરાવતમાં છું કે નહિ? પૂ. આ. મા. હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે કે
આસ્તિક્તા શામાં? તે વચનની પરિણતિમાં. સમકિત તે છે માટે આસ્તિકપણાને અંગે શાસ્ત્રનું કેટલું મહત્વ જણાવે છે તે માટે ચેકખું જણાવ્યું છે. રસ્ત્રોકવિધી મા વચનં તવતીનિયાર્થથવત (૨ ઘોડા . ૧૨ પૂર્વાર્ધ) જેને નજીકમાં ભવિતવ્યતાને ઉદય થવાને છે, જે વધારે સંસાર રખડવાને નથી. માષતષ જે હોય, બુદ્ધિશાળી છતાં પ્રદેશ રાજાની પહેલી જેવી અવસ્થાવાળો હોય, શ્રદ્ધારૂપી ધન કરીને સહિત હેય તે મનુષ્ય પરલકને અંગે જે વિચાર કરવા તેમાં, ધમને અંગે, આત્માને અંગે, કર્મના અને વિચારે, કમ તેડવામાં વિચારો કરવા તેમાં તેને શાસ્ત્ર સિવાય બીજી દરકારજ હોય નહિ.
Page #150
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
આ બધી વાત કહી તે ખરી પણ જોડે પલ છે તે નથી બેસતા કેમ? પ્રાય: ઘણે ભાગે ઘણે ભાગ શબ્દ કોના માટે? જન્મથી અવધિજ્ઞાનવાળ હેય જાતિ મરણવાળા હોય તેવાને પિતાના જ્ઞાનથી પરભવને નિશ્ચય થાય પણ તેવાને શાસ્ત્રને ઉપગ ન હોય! શાસ્ત્રની જરૂર શી ? પિતાને સારું લાગે તે કરી લેવું. “૩ા વિના ધર્મરાત્રિત ” પોતાની મેળે સારું લાગવાનું જેમાં બંને, સુખના સાધનો અને સુખ. આ બેમાં કોઈના ઉપદેશની જરૂર નહિ. પરંતુ છોકરું ધાવણું હોય તેને ગળી ગોળી હોય તે ગળી જાય, કડવી હોય તે મમરાવીને કાઢી નાખે. તેમ સુખના સાધનો પ્રત્યે, સુખ ભોગવવાને અંગે આ જીવ સ્વતંત્ર ઉપદેશની દરકાર કરતો નથી, પરંતુ ધર્મ એક જ અનુભવને વિષય નથી; ઈન્દ્રિ
ને વિષય નથી; વ્યવહારને વિષય નથી. માત્ર કેને વિષય? તે શાસ્ત્રનો. શાસ્ત્ર સિવાય કોઈને વિષય નથી. ધર્મ તે કઈ દિવસ ઉપદેશ વચન શાસ્ત્ર વગર આવી શક્તો નથી. માટે જ મનુષ્ય હિતવાળો હેય; ભવિષ્યમાં, વર્તમાનમાં હિત થવાનું હોય તેને શાસ્ત્રમાં આદર થાય.
બીજી બાજુ સુખ અને સુખના સાધને અંગે પ્રયત્ન ન કરીએ તે ન મળે ને નહિ કરવામાં ઈષ્ટની સિદ્ધિ ન થાય. ધર્મ કરો તે ઈષ્ટની સિદ્ધિ ન કરે તે અનિષ્ટ, ધર્મ ન કરે તે કંઈ ફિકર નહિ, પણ ધર્મદષ્ટિ કરવામાં ન આવે, અનર્થ કરવામાં આવે તે અર્થસિદ્ધિ. જેમ રસાયણની ચરી પાળે તે ફાયદે, ચરી પાળો નહિ તે રસાયણમાં ગયુ શું તે કહી શકો? ધર્મ એવી ચીજ કરે તો ઈષ્ટસિદ્ધિ, ન કરે તે અનિષ્ટ ! માટે ધર્મ ઉપદેશ મેળવવા માટે શાસ્ત્રમાં આદર ને મહત્વ છે.
શાસ્ત્રમાં વચનનું મહત્વ શા માટે? આ જગતમાં જીવ આરંભ પરિગ્રહ વિગેરેમાં પાપ બાંધે છે, તેનું વારણ કંઈ રાખ્યું? પાપનું આવાગમન હંમેશા. પણ વારણ કયું ? તે જગતમાં પાપનું વારણ શાસ્ત્ર સિવાય છે નહિ. માટે પાપરૂપી રોગને દૂર કરનાર હોય તે કેવલ શાસ્ત્ર. એકલું પાપ દૂર કરે તેમ નહિ પણ પુણ્યનું કારણ હોય તે તે પણ શાસ્ત્રા. એટલું જ નહિ, પણ શાસ્ત્ર જેની દ્રષ્ટિમાં નથી તે દેખતે છતાં આંધળે છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
૩૨
ગમતા શાય સર્વત્ર ચક્ષુ જેવું કે જેથી સર્વાર્થસિદ્ધિ સિદ્ધશિલાને વિચાર કરી શકીએ શાથી? તે શાસથી. કાલેકને જણાવનાર, ઉર્વ અધો તીર્થો નારકી મનુષ્ય વગેરેની સ્થિતિ જણાવનાર આંખ હોય તે શારા.
માટે છેવટે સર્વ ઈષ્ટ પદાર્થ સાધનારા હોય તે તે માત્ર શાસ્ત્ર. બાકી પેટીમાં શાસ્ત્ર ગોઠવવા અને તે ઉપર કાચનું ઢાંકણું મુકવું ને જોયા કરવું એમ નહીં પણ અંતરંગ આદર થી જોઈએ.
માટે કહેવું જોઈએ કે આ શાસ્ત્રને મેળવ્યા છતાં, જાણ્યા છતાં, સાંભળ્યા છતાં જેને એ શાસ્ત્ર તરફ ભક્તિ-આદર-પ્રીતિ ન જાગે તે? તેને માટે કહે છે- તેની બધી ક્રિયા તે કેવી? તે આંધળા આગળ આખું નાટક થાય શું પરિણામ? તે કાંઈ નહિ, તેમ જેને શાસ્ત્રમાં ભક્તિ નથી તેવાની બધી ક્રિયા આંધળાને નાટક જેવી.
ક્રિયા કરનાર માત્ર હેવાથી ધર્મક્રિયા ફલદાયી ન થાય? પણ પહેલાં તે શાસ્ત્રની શ્રદ્ધાવાળો જોઈએ, તેની સાથે એ જ શાસ્ત્રને નિરૂપણ કરનાર, સમજાવનાર, ખુલાસે કરનાર બધા માન્ય પુરૂષને સન્માનથી જેના હે ઈએ. પણું ન હોય એ જ શાને કહેનાર, સમજાવનાર, ખુલાસો કરનારને માની શકે. પણ અહંકારની અંધારી આંખવાળા તે ન માને. શાસ્ત્રને કહેનારને મેઢે બેઈમાન જે કહે, નિરૂપણ કરનારને ન માને તેની ધમ ક્રિયા નકામી ! માનવા લાયકને સન્માન કરે, શ્રદ્ધાવાળો હોય, તે જરૂર ગુણ ઉપર રાગ ધરનારો હોયને તેની ધર્મક્રિયા સફલ ગણાય.
શાસ્ત્રમાં જેને આદર નથી, હા કહેવાવાળા જેઓ અનાદર શાસ્ત્રને અંગે ભલે કરે કે શ્રદ્ધા ભક્તિવાળે હાય. ગાંડે શણગાર સજીને નીકળે છે તેની કેટલી અક્કલ? દુકાન ઉપર થડે બેઠે હોય, છતાં ગાંડે છે માટે તેને પ્રમાણિક નથી ગણતા. ચાહે જેટલા વો ઘરેણાં ગાંઠ હોય તે પણ તેની કિંમત કેડીની થતી નથી.
જે મનુષ્યને શાસ્ત્રમાં આદર ન હોય તે તેની ચાહે તેવી ધર્મ ક્રિયાની કિંમત નથી ગણાતી. દુનિયામાં લુગડાને મેલ સાબુ સિવાય ધેવાય જ નહિ. તેમ અન્ત:કરણ ચિંતામણિ રત્ન સમાન,
Page #152
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
૩૩ હીરા સમાન. તેને શોધનાર કોઈ હોય તો શાસ્ત્ર સિવાય અંતઃકરણને શોધનાર નથી. રાત્રે મgિ:” તે જ ઉંચામાં ઉંચી મેળવવાની જે મુક્તિ તેનું કારણ પણ તે શાસ્ત્રની ભક્તિ.
માટે છેવટે કહે છે કે બીજા લેકોએ માન્યું માટે શાસ્ત્રમાં ભક્તિ કરવી તે અત્યંત ગ્યા છે. જેને શાસ્ત્રમાં ભક્તિ તેને મોક્ષની નિકટતા. માટે શાસ્ત્રની ભક્તિ તે મોક્ષની કુંચી, તેથી નજીકમાં મોક્ષ મળવાને. માટે વચનની આરાધનામાં ધમ છે. હવે વચન કર્યું સ્વરૂપ વિષય ફલ વગેરે બતાવશે તે અંગે વર્તમાન.
gooooooooooooo હું વ્યાખ્યાન-૧ર वचनाराधनया खलु.
સં. ૨૦૦૨ના ભા. વદ ૯
ગુરૂવાર તા. ૧૮-૯-૪૬ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરિ શ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે છેડશક નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે
આ સંસારમાં આ જીવ અનાદિકાળથી જન્મ-મરણ જન્મમરણ કયે જ જાય છે, તે જન્મ-મરણ કરતાં કરતાં જેમ ધુણાક્ષર ન્યાયે ઝાડમાં ધુણા જીવડા થાય તે નિશાળે પડ્યા નથી, “ક” “ખ” કેવા થાય તે માલમ નથી, પણ કરતાં કરતાં કઈ જગપર અક્ષર પડે ત્યારે તેને ધુણાક્ષર ન્યાય કહે છે. તેમ આ જીવને બાદરપણું, વિકસેન્દ્રિયપણું શું છે? પંચેન્દ્રિય મનુષ્યપણું શું છે? તેને ખ્યાલ હેતો નથી. પૃથ્યાદિમાં ઉપજેલાને કંઈ ખ્યાલ નથી તે પણ અકામ નિજ રા થાય તે દ્વારા જેમ કેઈ ધુણના જેવી પ્રવૃત્તિ થાય એટલે અક્ષર પડી જાય, ધુણ ધાર્યો અક્ષર પાડતું નથી પણ થઈ જાય. જેમ ધુણની પ્રવૃત્તિ કેઈ દહાડો અક્ષરને અનુકૂળ થઈ જાય. લાકડા ઘણું ધુણે પિલા કરે છે, બધે અક્ષરો હોતા નથી, તેમ આ જીવને દુઃખ વેઠતાં વેઠતાં કોઈક વખત એ આવે જેમાં બંધાય અને ઘણું તેડે ત્યારે તે બાદરમાં આવે.
Page #153
--------------------------------------------------------------------------
________________
३४
આગમત તેમ ચાલતાં ચાલતાં મનુષ્યપણાનો વિચાર કરીએ. જાનવર પણમાં હતા ત્યારે મનુષ્યપણું આવું સારું છે. આ કારણે છે હું મેળવું? તેમાંથી શું હતું? તે કહો કે કંઈ નહિ. શ્રોતાની અપે. ક્ષાએ પ્રકૃતિથી પાતળા કષાય દાનરૂચી મધ્યસ્થ ગુણે એ મનુષ્ય પણના કારણે સમજાવ્યા. શાસ્ત્રકારે છેવટે જણાવ્યું કે મનુષ્યપણું આટલેથી મળી શકશે. તિર્યંચમાં કયું સાંભળ્યું હતું ? કયું સમજ્યા હતા? કયું ધારીને કર્યું હતું? છતાં પણ મનુષ્યપણામાં આવ્યા; તે પણ ધુણાક્ષર ન્યાય માટે લાકડામાં ધુણે કરેલો અક્ષર તે અક્ષર તરીકે રહે છે. આ મનુષ્યપણું તે મળેલું રહે છે તેમ નથી પણ પાછે ઉથલે ખાય છે. મનુષ્યપણું મળ્યા છતાં તિર્યંચ વિકસેન્દ્રિય એકેન્દ્રિયમાં ઉતરી જાય.
અગીયારમા ગુણઠાણે ગયેલાને માટે નિગોદના દ્વાર ખુલ્લાં છે, ચૌદપૂર્વ આહારક શરીરવાળાને પણ દ્વાર બંધ નથી. ચોથું જ્ઞાન ઋજુમતિ મનઃ પર્યાયવાળો હોય તેને માટે બંધ નથી. કયા સિદ્ધા જવાના. જે ભવમાં ઉપશાંત મેહ થયે, ચૌદ પૂવ થયા, આહારક શરીરવાળો થયો, અજુમતિ મન:પર્યાયવાળો થયે તેના બીજે ભવે નિગદમાં ઉતરી જાય. તે પછી બીજા મનુષ્યને માટે તે શું કહેવું?
એ દ્વાર બંધ નથી એટલું જ નહિ પણ એકે ગતિ એકી સાથે અનંતા સંસારના સદાવાળી નથી. અનંત સંસારના સોદાવાળી હોય તે મનુષ્યગતિ.
કદાચ એમ કહેશે કે કેઈપણ કર્મ પ્રકૃતિ અનતી નથી. વધારેમાં વધારે સીતેર કાડાઝાડ સાગરોપમથી વધારે સ્થિતિ નથી. તે અનંત સંસાર બંધાયે શી રીતે? વાત ખરી, પરંતુ એ સીત્તેર વેદતી વખતે શું થાય ! એ સીત્તેર વેદ્યાં, સીત્તેર બંધાતી જાય. જેમ જેમ વેદે તેમ તેમ બંધાતી જાય. ક્યાં છેડે આવે ! સીત્તેર બંધાય તેમાં ચસકી શકો નહિ. તેનાથી સીત્તેર બંધાય તેમ અનંતા કાલ સુધી ચાલે. તેમાંથી સીત્તેરના બંધમાંથી આ જીવ ચસકી શકે નહિ.
તેટલું કરી શકે તે કેવળ મનુષ્ય. તે સિવાય કોઈ ગતિમાં એ. સ્થિતિ નથી.
Page #154
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
૩૫ ચાહે નરક લે! દેવ લે કે તિર્યંચ ગતિ લે. આ ત્રણમાં કઈ દિવસ એવી સ્થિતિ થતી નથી. સીત્તેર ચીકણ બાંધે, આગળ ચશકી શકે નહિ તેવું બાંધવાનું નહિ. પણ આવું બાંધવાનું હોય તો કેવળ મનુષ્યપણામાં
પ્રજ્ઞાપના-ઉપદેશ કથન તે મનુષ્યભવને વહેવાર છે. આ વહેવાર તિર્યંચ નારક દેવના ભવમાં છે? તે ના. એ મનુષ્યભવમાં આવ્ય, વ્યવહારમાં આવ્યું તેને દુરૂપયોગ કરે છે. તે વ્યવહારને દુરૂપગ ઉપદેશ પ્રજ્ઞાપના પ્રરૂપણાને દુરૂપયોગ કરનારે જીવ એવું મિથ્યાત્વ બાંધે કે સીત્તેર બાંધે ને ભેગવતાં ચશકવાનું ન બને ને સીત્તેર બંધાતી જાય. આવી રીતે તેને અનંતે કાલ જાય, ફક્ત એકલા મનુષ્યભવમાં, બીજામાં નહિ
મનુષ્યભવના વહેવારમાં જે ઉપદેશને અંગે ઉસૂત્ર બોલાયું તે તે એક વખત બેલાયું હોય તે તે અનંતા સંસારને બંધાવી દે. માટે શાસકારે જણાવ્યું કે
उस्सुत्तं भासमाणो पण्णवमाणो य आयरे ।
तस्स अनंतो संसारो होइ परिणाम बाहुल्लां ॥ જેઓ ઉસૂત્ર બોલનારા છે તે પિતાનું ડહાપણ ભલે કેળવતા હોય, કેટલાક શાસ્ત્રને ન જાણે ને ડહાપણ કેળવે તેમાં દ્રષ્ટાંત ખ્યાલમાં લે.
એક આચાર્ય છે. તે ચાલાક છે. લેકરંજનનો ગુણ છે, બેધ નથી. વિહાર કરતાં કઈ જગ પર ગયા. આચાર્યની નામના જબરી, અન્ય મતવાળાને ખબર પડી. આપણી મશ્કરી કરશે. તે લેકે એ વિચાર કર્યો કે તપાસ કરો. કોઈક સામાન્ય જૈન ધર્મના પરિચય વાળે તેમાં કોઈક હશે. કાળમુખા દરેક જગે પર હેય. જેન હોય છતાં કાળમુખો હશે ત્યારે વિરુદ્ધ થયા હશે. દરેક કાળમાં હોય. પછી તેને મોકલ્યા. તે આચાર્ય પાસે આવ્યા. ભક્તિ કરે. કેટલાક દિવસ જવા દઈ મહારાજ પરમાણુની ગતિ શક્તિ કેટલી ? લેકના નીચલા છેડેથી ઉપલા છેડા સુધી એક જ સમયમાં જાય તેટલી શક્તિ. પૂર્વ છેડાથી ઉત્તર છેડા સુધી જાય તેટલી શક્તિ. શક્તિની વૃદ્ધિ
Page #155
--------------------------------------------------------------------------
________________
આગમત તે ઈન્દ્રિયની વૃદ્ધિ, ઉપર જાય તે તેને ઈન્દ્રિય કેટલી? જવાબ મળે કે પાંચ ઈન્દ્રિય. તે પામી ગયો ને વખત થયે ત્યારે ચાલી ગયે. ચાલાકી છે, બીજું કંઈ નથી.
આવા કેટલાક સૂત્રને કરાણે મુકીને માત્ર મનસ્વી બોલનારા શાસનના નામે બેલે. તમારી દુનિયામાં એકલા નામની સહી બીજે કરી આવે તે કઈ સ્થિતિમાં ગણાય? પિતે હોય કેળી ને બીજો શાહુકાર હોય તે સહી કરે તે કઈ સ્થિતિમાં ગણાય? દુનિયાદારીમાં દુનિયાદારીને જોખમદાર ગણાવે તે સળીયા પાછળ રહેવાવાળો ગણાય. તેમ સૂત્રથી વિરુદ્ધ સૂત્રના નામે બોલનારે શું કરે તે તે જિનેશ્વરની જોખમદારીને જોખમ લગાડનારો.
તે પ્રમાણે અહિ આગળ જિનેશ્વરની જોખમદારીને જોખમ લગાડનાર થાય તેનું શું થાય? માટે ઉત્સુત્ર બેલનારા જેઓ હેય તેને પહેલાં સમકિતને પહેલે નાશ, શંકાવાળાને અડધું રહે, પરંતુ આ જે જોખમદારીને જોખમ લગાડનારે તેને મુદલ રહે નહિ, પછી બધું માનતે હોય ભલે. બધી સહીઓ સાચી હોય ને એક સહી ખેતી કરી હોય તે સળીથા પાછળ જાયને ? ત્યાં બચાવ થાય છે? સે સાચી હતી ને એક પેટી થઈ તેમાં શું થાય? તે બચાવ ચાલે નહિ,
એક વસ્તુ જિનેશ્વરની જોખમદારીને જોખમમાં નાંખનારી હોય તે તે સ્થિતિ ઉસૂત્ર ભાષણ કરનારાથી થાય. તેથી તેના બેધિને નાશ થાય. તેને નાશ એક ઉત્સવથી થાય તેમ નથી પણ ભાવફેરીને લીધે પણ બોધિને નાશ થાય છે.
ક્ષાપશમિક હેય તે ચાલ્યું જાય. જેણે સમકિત નથી આરાયું તેને પરભવ જતાં મિથ્યાત્વ. જેણે અહિ ક્ષાપશમિક સમકિત આરાધ્યું તે અહિથી નીકળે ને પડે. અહિથી નીકળે ત્યારે મિથ્યાત્વ. આ બેમાં ફરક શો? એમ નેમચંદભાઈ જેવા કહે તે જણાવવાનું કે
મહાનુભાવ! ભણેલા ને મૂર્ખ બેય સુવે છે. તેમાં ઉંઘમાં શે ફરક? તે કંઈ નહિ. પરંતુ ક્યાં સુધી ફરક નથી, તે આંખ મીંચા
Page #156
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ યેલી રહે ત્યાં સુધી. પણ આંખ ઉઘડે ત્યારે પંડિત તે પંડિત, મૂખ તે મૂર્ખ.
જેને ક્ષાપશમિકની આરાધના, સમતિ આરાધ્યું હોય તેને લગીર આલંબન મળે તો જે હતું તે થાય. વાસ્વામીમાં સાંભળીએ છીએ તેને ઊંડો વિચાર કરવા જેવો છે. અનાદરમાં આવેલ દીક્ષા શબ્દ બીજું કંઈ નહિ. સાધુને આચાર રતિ કંઈ નહિ. તે પણ દીક્ષા શબ્દ અનાદરમાં બેલાયેલે છે.
ધનગિરિએ દીક્ષા લીધી તે વખતે સુનંદા સગર્ભા છે. નવ મહિને છોકરે જન્મે છે ત્યારે સારવાર કરનાર કેઈ નહિ. પાડોશણે સારવાર કરે છે, તે બેલતાં બોલતાં કહે છે કે–તેના બાપે દીક્ષા લીધી. તે હેત તે મહત્સવ કરત.
આ શબ્દ શામાં બેલાય? તે અનાદરમાં. જેમ પાડોશણે આવીને બેલી ધિક્કારમાં-અનાદરમાં. એના બાપે દીક્ષા લીધી તેથી વધામણાં, સગવડ નથી તે અનાદરમાં બોલાયેલે દીક્ષા શબ્દ જેના કાને પડ્યો, તે દીક્ષા શબ્દ યાવત ભવને વૈરાગ્ય ઉત્પન્ન કર્યો, ને મારે દીક્ષા લેવી તે નિશ્ચય કરાવ્યું. આ શાને પ્રભાવી લાપશમિકભાવે આરાધના કરી હોય તેને પ્રભાવ.
જેને ક્ષાપશમિક સમ્યક્ત્વ પહેલા ભવનું હોય તે જે કર્યું તે તે વિરતિ સિવાય હાય જ નહિ, નિયમિત વિરતિ હેય જ. જેમ ક્ષાયિક સમકિત તે બીજા ભવમાં વિરતિ લાવ્યા વિના રહે નહિ, તેમ ક્ષાપશમિક સમકિત બીજા ભવમાં વિરતિ લાવ્યા વિના રહે નહિ.
માટે ચોથા ગુણઠાણાની સ્થિતિ તેત્રીશથી અધિક માની પણ ક્ષાપશમિક ક્ષાયિક સમકિતની સ્થિતિ છાસઠ સાગરોપમથી અધિક માની. કારણ વિરતિ લે લે ને લે. પહેલા ભવથી સમકિત લઈને આવેલ જીવ ચાયે ક્ષાપશમિક કે ક્ષાયિક લઈને આવેલો હોય તે વિરતિ લે. પરંતુ જેનું ક્ષાપશમિક સમકિત ભવાંતરને લીધે ચાલ્યું ગયું હોય, લાપશમિક છાસઠના હોતા નથી. ભવના છેડે છેડાવાળ પણ ક્ષાપશમિક હોય તે ચાલ્યું જાય પણ છતાં
Page #157
--------------------------------------------------------------------------
________________
આગમત સમકિતના સંસ્કારથી સમકિત પામતાં વાર કેટલી? તિરસ્કાર માટે કહેવામાં આવેલ દીક્ષા શબ્દ જેને દીક્ષા પમાડનાર થયે. તમારા બચામાં થયે કઈ છોકરાને ? ના કહો તે દહેરે લઈ જવાનું કહે. એને ક્યાં ત્યાં આવક જાવકનો હિસાબ. જે છેક પગે પડે, નમસ્કાર કરે છે, જે સહેજે ધર્મમાં જોડાય તેને શું મળી જાય છે ? એક તે તમને ફરજ પાડે છે; બીજે કરવા જાવ છો તે તે રૂવે છે તે ભાગે છે. આમાં કારણ શું? જેને પહેલા ભવમાં કંઈ પણ મેહનીયની મંદતા, આરાધનાના સંસ્કાર હોય તે અજાણપણે અહિ આવે છે.
ધ્યાન રાખજો કે બાળક શું સમજે દહેર, ઉપાશ્રય, પૂજા, પ્રતિકમણ, પૌષધમાં. તમારે ઘેર છોકરે જપે, તે કહે કે બાપ કરે. છેક મા-બાપમાં શું સમજતા હતા? ત્યવહાર કેમ માન્ય માને બાપને, છોકરે કેમ ગયે ? એ શું સમજે તેમ કહી દે. કેમ નથી કહેતા, એ જવા દે.
નાતમાં આટલાં મનુષ્ય લા હોય છતાં અમુકને અમુક જોડે સંબંધ જોડાય છે. કોણ સમજવા બેઠું છે. ભાઈ બેન સમજવા બેઠા છે. ક્યા સંબંધે જોડાઉં છું? કહે પૂર્વ કર્મના અનુસાર વગર ધાર્યું પણ એગ્ય બને. તેમ અહીં પણ પહેલાના સંસ્કાર પ્રમાણે ધારણા ન હોય તે પણ તેમ જ બને.
ખરાબ સંસ્કારે પૂર્વ ભવને શત્રુ હેય. પહેલવહેલે મળે તે વખતે દેખીને રોષ થાય. પૂર્વભવના મિત્ર ઉપર આપ્યા–લીધા વગર પ્રેમ થાય. માટે શાસ્ત્રકારે કહ્યું કે, પિતે જાતિસ્મરણવાળે ન હોય પણ તેની આંખ જાતિસ્મરણવાળી હોય છે. જે જીવ ઉપર પહેલાં પ્રીતિ હોય તેને બીજે ભવે દેખે તે પ્રીતિ, ને અપ્રીતિવાળાને દેખે તે અપ્રીતિવાળો થાય છે. શાથી? આંખ જાતિસ્મરણની
સ્વતંત્રતાવાળી છે. આંખ પહેલા ભવના પ્રેમ ઉપર પ્રેમ, દ્વેષ ઉપર છેષ કરાવે તેમ જે આજે પ્રવૃત્તિ તે પહેલા ભવના સંસ્કારથી થાય છે તે માનવામાં નવાઈ શી?
ક્ષાપશમિક આવીને ચાલ્યું ગયું હોય તે. ઘીના ઘડામાંથી ઘી તપાવીને કાવ્યું હોય છતાં ઘીની ગંધ જાય નહિ, આંગળીએ
Page #158
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
૩૯ લુગડે ન આવે તે પણ ગંધ જતી નથી. તેમ આ જીવને પણ જે જે પ્રવૃત્તિ સંસ્કારો જે તેમાં ખ્યાલ ન હોય તે પણ પહેલા ભવના હિસાબે ચાલ્યા કરે છે.
તેમ ઉસૂત્ર બેલનારાને એવા સંસ્કારો અને અવળી કમપ્રકૃતિ ચૅટે તેથી અને તે સંસાર. બીજે ભવે સાક્ષાત્ તીર્થકરને જોગ મજે હોય તે પણ છાર ઉપર લીંપણ. પણ બેધિ વગરનાં જે છવો છે તેને અનંત સંસાર નથી.
મિથ્યાત્વવાળા માટે પહેલા ગુણઠાણથી ચૌદમાં ગુણઠાણાની વચમાં ધર્મતત્વનું આંતરું કાચી બે ઘડી. મિથ્યાત્વને મોક્ષ એટલે નથી નડતે તેટલે ઉસૂત્ર ભાષણકારને જે મિથ્યાત્વમાં ગયો હોય તેને નડે છે. તેવાને અમુક સાગરોપમ ૨૫મમાં મોક્ષને નિયમ નહિ, વખત જ નહિ. બીજા મિથ્યાત્વીને અંતમુહૂર્તમાં મેક્ષની પ્રાપ્તિને સંભવ, પણ આને નહિ. તેમ સમકિતમાં અંતમુહૂર્ત માત્ર આંતરું. જિનેશ્વરની જોખમદારીને જોખમમાં નાંખનારાને અનંતા કાલે પણ સમકિત પામવાને વખત નહિ આવવાને, માટે સમકિ. તને નાશ તે પણ અંતમુહૂર્ત હોય તે ઉસૂત્ર માટે નહિ પણ અનંત સંસાર રખડે પડે.
આ બે વસ્તુને જેનારો જેને શું કહે? પિતાના ગુણ ચાલ્યા જાવ, પ્રાણુને નાશ થાવ, મરણના પ્રસંગને વહોરી લે, યાવત્ મરણને વહોરી લે. જેઓ ચુસ્ત જેનો હોય, સાચા જેન નામ ધરાવનારા હોય તે મરણ વહેરી લે પણ ઉત્સુત્ર બોલે નહિ.
ગરબડીયું બેલ્યા પિતાથી સાધુપણું નથી પળાયું, પરિવ્રાજકપણું રાખ્યું છે. તેમની સાથે વિચારે છે. જે પૂછવા આવે તે બધાને સાધુને ઉપદેશ આપે છે, અને તેમને દીક્ષા અપાવે છે. હવે માંદા પડ્યા કોઈક પ્રસંગે, તે વખતે કોઈ સાધુએ ખબર ન લીધી. ત્યાં તેના મનમાં થયું કે અવસ્થા છે, મનુષ્ય છે, પરિચિત છે. પણ સાજો થાઉં તે કઈક ટેકે તૈયાર કરું. સાજા થયા પછી પ્રતિબંધ કરીને સાધુ પાસે મોકલવા માંડ્યા. કપિલ નામના રાજકુંવરને પ્રતિબંધ થયેમરિચિએ સાધુ પાસે મોકલ્યું, ત્યાં ગયે ને પાછો
Page #159
--------------------------------------------------------------------------
________________
૪૦
આગમત આવ્યો. ફરી તેને મોકલ્ય, પાછો આવ્યો. ત્યારે મરિચિએ તેને કહ્યું કે, હું આવું છું, તે આવા છે, તેમ કહીને મેક, પાછો આવ્યો, પાછો મોકલ્યો. ત્રણ વખત કપિલને મોકલ્ય, છેવટે કપિલ ચિડાયે. તેથી કહે કે, તમારામાં કઈ ધર્મ છે કે નહિ તે કહેને? ત્યારે મરિચિ કહે છે કે પુરો ધર્મ ત્યાં છે, અહિં તે કંઈક, માત્ર આટલું જ બોલાયું.
વિચાર કરજે. સીધે વિચાર કરીએ તે પુરો ધર્મ ત્યાં છે, અહિ તે કંઈક છે. પેલે કહે કે, થેડે તે છેડે પણ મારે દીક્ષા તમારી પાસે લેવી એમ કપિલ કહે છે. ત્યારે પેલી વાત ઝળકી કે ટેકો મળી ગયે. ઠક ઠકકા પકડ, કેઈની બાયડી મરી કોઈને ભાયડો મર્યો, વિવાહ થયા હોય ત્યારે બેયને જોઈતું થયું.
આટલું કહ્યું તેમાં ક્રોડાક્રોડ સાગરોપમને સંસાર થયે. મારામાં ધર્મ નથી તેથી શું કહે છે. હું તે પ્રતિજ્ઞા લઈને ખસ્ય છું. તે ન બોલાયું, પણ મારામાં કિંચિત છે કહેવામાં કડાક્રોડ સાગરોપમ રખડવાનું થયું. આટલા ગોટાળામાં આટલું બધું કર્યા છતાં તેટલે ગોટાળે જ્યારે ક્રોડાકોડ સાગરોપમ સંસારને વધારનાર તે બીજાનું શું કહેવું?
ઉસૂત્ર બોલનારો તેના સમકિતને એ નાશ થાય, અનંત સંસાર રખડે તે પણ સમકિત પામવાને વખત ન આવે. માટે જે પૈઈવાળો સમજુ જૈન હેય તે પ્રાણ આયુષ્ય જતું કરે પણ ઉત્સવ બેલે નહિ.
આ કહેવાનું તત્વ એ કે આ સંજોગે ભવિષ્યમાં બેધિને નાશ, સમકિતને નાશ તે કેવળ મનુષ્યપણમાં શાથી? તે જિનેશ્વર ભગવાનના વચનથી વિરૂદ્ધ વર્તવાથી. માટે કહ્યું કે–વચનની આરાધનાથી ધર્મ છે. વચન કેવું ? વરૂપ કેવું? વિષય કરે? તે અધિકાર અગ્રે વર્તમાન.
Page #160
--------------------------------------------------------------------------
________________
પુસ્તક રજુ
૪૧
-
૬ વ્યાખ્યાન ૧૩ ૨
સં. ૨૦૦૨ના ભાદરવા વ. ૧૦ શુક્રવાર તા. ૧૯-૯-૪૬
वचनाराधनया खलु. શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે હશક પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે
આ સંસારમાં આ જીવ અનાદિકાળથી રખડપટ્ટી કરે છે. તે અનાદિકાળથી રખડપટ્ટીમાં એકજ ધ્યેય હતું. જન્મના સાધન સમજવા, મેળવવા ને અનુભવવા.
ઠેઠ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીમાં કયું યેય?તે ભવના સાધને મેળવવા સમજવા ને અનુભવવા. પણ આગળ દ્રષ્ટિ નહોતી પહે ચાડી. બુરી દ્રષ્ટિવાળે તેને આગળ જેમ ધબ હોય તેમ મનુષ્ય સિવાયની બધી ગતિમાં આગળ ધબ. નારકી તીય ચ દેવતામાં આગળ ધબ.
તમે જરૂર શક કરી શકશે કે–એકેન્દ્રિયથી યાવત્ પંચેન્દ્રિય તિર્યંચમાં ધબ છે તેમાં પણ સમકિત દેશવિરતિવાળા, જે નારક દેવામાં સમકિતવાળા છે તેને ધમ કેમ કહેવાય ! વાત બધી સાચી, નારકીમાં દેવમાં ચેાથે ગુણઠાણું છે, તિર્યંચમાં ચેથું ને પાંચમું બને છે. તેમાં કોને આગલી દ્રષ્ટિ ધબમાં નથી. પણ મેક્ષ સુધી પહેલી છે. ઉપદેશથી કે પોતાના સ્વાભાવિક દ્રષ્ટિથી પહેચો. પણ મોક્ષ સુધી પહોંચવાની દ્રષ્ટિ સિવાય સમકિત છે નહિ.
શાસ્ત્રકારે નવ કહ્યા તે બેટા નથી. પણ અમે એકમાં અત્યારે માનીએ છીએ. તમે શાસ્ત્રકાર કરતાં ડાહ્યા! કેમ? તે તવાર્થકારે–
ત-વાર્ધશ્રદ્ધાનં સભ્યને” આમ કહીને નવતની શ્રદ્ધા કરવી તે સમકિત અને મોક્ષનું ધ્યેય તે સમકિત આમાં ખોટું નથી. પણ સોળ આની કહે ને એક રૂપિયે કહે તે બેમાં સાચું કેણ અને
Page #161
--------------------------------------------------------------------------
________________
૪૨
આગમત જુઠું કોણ? તે બેય સાચા કેમ? કંઈક ધ્યેય દ્રષ્ટિથી વાત ચાલે છે. દ્રષ્ટિ કેવલ મેક્ષની.
શાસ્ત્રકારે આશ્રવ જણાવ્યા શા માટે? વાદીને વકીલ પ્રતિ વાદીની દલીલ જણાવે પણ તે કબુલાત ન હોય પણ તે છણાવટ માટે ને તેડવા માટે, બેટી ઠરાવવા માટે. તેથી મારે કેસ નબળો પડતો નથી, પણ તે ખોટા છે. મારો કેસ સાથે છે. તેમાં પ્રતિવાદીની દલીલે પુરાવા બેસે તે ન્યાયને પિતા તરફ ખેંચવા માટે.
તેમ અહીં પણ શાસ્ત્રકારે નવત કહ્યા તે વાત ખરી. કેટલાક તો તે પ્રતિવાદીની દલીલ તરીકેના છે. કેટલાક તે તેડવાના. જે બાધક છે તેને દૂર કરવા માટે. આશ્રવ બંધ પાપ તે કયા રૂપે કહા? પ્રતિવાદીના પુરાવા વાદીને વકીલ રજુ કરે તે તેડવા માટે, તેમ જિનેશ્વર ભગવંતે આશ્રવ બંધ પાપને નવમાં દાખલ કર્યા તે શા માટે? તે પિતાના કેસને મજબૂત બનાવવા માટે. પ્રતિવાદીને પુરાવા દલીલ તેડે નહિ તે વાદી પિતાનો કેસ મજબૂત કરી શકે નહિ. તેમ જિનેશ્વર ભગવંતે કહેલા આશ્રવાદિ ત્રણને રજુ કરવામાં ન આવે તે તેડવાનું બને નહિ, માટે આ ત્રણને દાખલ કર્યા તે તેડવા માટે.
અજીવ તવ શા માટે? તે પર સ્વભાવ જણાવવા માટે. વાદીના ઘરમાં ફુટેલે હોય, પ્રતિવાદીની સાક્ષીમાં આવે તે તેને માટે સાક્ષી પુરાવા રજુ કરવા પડે. તે અમારા કુળનો છે પણ તે અમારો વિરોધી છે. તેમ અહિ અજીવને દાખલ કર્યો તે અનાદિકાળથી જોડે રહેવાવાળે, કામ લેવું પડયું, કામ લઉં છું પણ તે મારા હિતમાં નથી. ઓરમાન માએ માન્ય હોય પણ જ્યારે કામ પડે ત્યારે મારી માતા જેવું પાલન કર્યું છે પણ મને ભરોસો નથી. તેને છોકરાની વાત આવે ત્યારે શું કરશે તે કહી શકે છે? તેમ આ અજીવ પદાર્થ ક્ષણે ક્ષણે જીવ જોડે મદદગારવાળે છે. એક ક્ષણ પણ જીવ અજીવ વગર રહ્યો છે? તો ના, પણ એ તે પરજાતને છે, મારા કુટુંબને નથી. રખાતના રાજકુંવરને ગાદીને હક ન હોય. ભલે જેડે ઉછર્યો હોય, રહે છે, જાય છે, આવે છે, છતાં હીન કુળવાળે ગણાય.
Page #162
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
૪૩ તેમ આ અજીવ પદાર્થ દુઃખ-સુખમાં, આ ભવ, પરભવમાં, ગત્યંતર બધામાં જોડે, ક્ષણવાર જુદે નહિ પણ છે અંતે હલકા કુળને, કુળવાળો નથી કે મારો ભાગી થાય. તેમ આ જેઓ આ ગ, જાય છે, સુખ-દુઃખ વગેરેમાં જોડે છતાં તે કજાત છે, જાત જડની છે, ચેતનની જાત નહિ. જડની જાતને મારે લાગતું વળગતું નથી. તે સાબીત કરવું પડે. તેની સાથે તે વર્તાવ કરે જઈએ. રાજ મુદ્રામાં તેનું નામ ઘલાય નહિ. સાક્ષીમાં એ નહિ. બીજા કુટુંબીઓ સાક્ષીમાં જોઈએ, રખાતને છોકરો સાક્ષીમાં જોઈએ નહિ. તેમ આ જિનેશ્વર ભગવાન જણાવે છે કે
આ અજીવ એ જગતના સ્વભાવ તરીકે, રખાતના છોકરા તરીકે વળગાડેલ વળગેલે છે, માટે તેનાથી સાવચેત રહેવું જોઈએ. બહારવાળાના સાવચેત કરતાં રખાતવાળાથી વધારે સાવચેતી રાખવી પડે. તેમ આ અજીવ તે રખાતના છોકરા જેવું છે. છતાં વધારે હકદાર થવા માંગે છે. જીવને હક પછી જડને હક પહેલે. જડ છે માટે તારામાં જેટલો દાખલ કરશે તેટલો તને નુકશાનકારક છે. જેમ રાજકુંવર રખાતના છોકરાને ભાગીઓ, ભાગીદાર ગણે તે નડે કુંવરને. તેમ તું ધ્યાન રાખજે કે આ રખાતને છે માટે તેને કેઈ દહાડે પણ હકદાર કે વારસદારૂમાં ભેળવીશ નહિ. માટે અજીવ તવ જણાવવાની જરૂર પડી.
અજીવ પાપ આશ્રવ બંધની સ્થિતિ આ થઈ. હવે આગળ વિચારીએ!
વાદીને વકીલ પ્રતિવાદીની દલીલ પુરાવા રજુ કરે તે તેડવા માટે, તેમ વાદી જે સાક્ષીઓ રજુ કરે તે હુકમનામામાં ભાગ આપવા માટે નહિ. સાક્ષી કેઈ દિવસ હુકમનામામાં હક્કદાર નહિ. સાક્ષી કેસને મજબૂત કરે છે છતાં હકદાર નથી. તેમ આ સંવર પુણ્ય નિજ રા તે બધા આપણુ મોક્ષ સાધવાના સાક્ષી. હુકમનામું થયા પછી સાક્ષીને સંબંધ કોઈ દહાડો નહિ. બજવણીમાં સાક્ષીને કઈ લઈ જતો નથી. હુકમનામા વસુલાત વખતે વકીલ શાક્ષી તેના ઘરે બેસે. સ્વતંત્ર પતે હકદાર. ન્યાયાધીશને હક નહિ.
તેમ અહિ કોઈ વસ્તુ જેમાં સંવર નિર્ભર પુણ્યને હક નહિ.
Page #163
--------------------------------------------------------------------------
________________
૪૪
ગમત સધાય તેને આધારે સાધ્યું. તેના આધારે મનુષ્યપણું, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, જાતિ વગેરે પામ્યા તે તેના અંગે. કર્મો હલે કરતા હતા તેને સંવર લશ્કરે ઠેકાણે પાડ્યા. છતાં અંદરને બખેડ-પ્રત્યક્ષ શત્રુના આક્રમણને ટાળવા જેટલા મુશ્કેલ નથી તેટલે અંદરને બખેડે ટાળવે તે મુશ્કેલ છે.
નિજેરાએ આત્મામાં–સત્તામાં રહેલા, છુપાઈ રહેલા, નાસતા ભાગતા બધાને ખેળીને નાશ કર્યા. તત્વ કયું? એક કેવળ જીવ. જીવ સિવાય તત્વ કયું? ભાગીદાર હકદાર તરીકે કામમાં રહે નહિ. અજીવ, આશ્રવ, પુષ્ય, પાપ, બંધ, સંવર, નિર્જરા એકે નહિ. છેલ્લું હુકમનામું કેણ? તે મેક્ષ. આ કેસ લડીયે તેમાં તત્વ શું? કેસ કરે ત્યારે લડ્યો વકીલ, સાક્ષી, ન્યાયધીશ લડ્યો? તે શેના માટે લડ્યો તે માત્ર રકમ વસુલ કરવા માટે લડ્યો તેમ આ જીવ જૈનશાસનને પામીને જે પ્રવૃત્તિ કરે કેવલ મોક્ષને અંગે. પુણ્ય, સંવર, અજીવ, નિજ રા તે વકીલ સાક્ષીદાર, આશ્રવ, બંધ, પાપ તે પ્રતિવાદી. નવ તત્તવમાં કયું રહ્યું? શાસ્ત્રકારે જાણવાની અપેક્ષાએ નવ કહ્યા, આદરવાની અપેક્ષાએ એક જ મોક્ષ તત્તવ કહેવામાં આવ્યું. સંવર પુણ્ય નિજર તે સાક્ષી ન્યાયાધીશ તરીકે તેને ભાગ આપ નહિ હુકમનામુ વાદીનું, એ કર્યું ? તે તવમાં ઠેઠ સુધી રાખવાનું કેવલ મેક્ષ.
મેક્ષમાં સંવર, નિરા, પુણ્ય કેટલું? તે કંઈ નહિ. સિદ્ધના જ વિરતિવાળા કે અવિરતિવાળા? ત્યારે શાસ્ત્રકાર મહારાજા કહે કે વિરતિ કે અવિરતિવાળા નહિ. અવિરતિ કહીએ તે કર્મબંધવાળા માનવા પડે; વિરતિવાળા કહીએ તે કર્મને રોકવાના છે. ચકવર્તીને હલ્લાને ને બખેડાને ભય નહિ. તેમ સંવર નિજ નહિ, તે દેશ નિ જરા કે સર્વ નિર્જરાવાળા તે એકે નહિ, એના આધારે બધું બન્યું. તમે મુંબઈથી અહીં આવ્યા ગાડીથી, પણ તમારા ઘરમાં રેલગાડી આવી ? માટે સાધન લાવવા તરીકે ઉપયોગી હતી. વહાણ, મોટર તે બધા સાધન તરીકે ઉપગી પણ ઘરના આંગણાના મકાનમાં ઘાલતા ન હેય. તેમ સંવર નિર્જરા પુણ્ય તે મોક્ષ લાવવા માટે સાધન તરીકે, પણ સિદ્ધ થયા પછી તેને સંબંધ નહિ, ઘરમાં ચૂલા આગળ લાવે છે ? તે ના. તેમ મોક્ષ
Page #164
--------------------------------------------------------------------------
________________
'પુસ્તક ૨
૪૫ જે વખતે મળે તે વખતે સંવર નિર્જરા પુણ્ય છે કે નહિ? તે ના. ત્રણ હતા શા માટે? તે અંગે કે અંગોપાંગ તરીકે નહોતા, પણ સાધન તરીકે હતા. તેમ પુણ્ય સંવર નિજધા તે સાધન તરીકે છે, અંગ તરીકે નહિ; પણ અંગ તરીકે કેવલ મેક્ષ
નવ તત્તવમાં મેક્ષ સિવાય અંગ તવ તરીકે કઈ નહિ, જીવ છે તેને અંગ તરીકે મોક્ષ છે. અછવાદિમાં કેઈને પ્રતિવાદી સાક્ષી સાધન તરીકે ખસેડવા પડ્યા; તેથી જીવ મોક્ષ તત્વ તરીકે કહેવા પડશે. વાત સાચી, પરંતુ દુનિયામાં ચોકસી કયા સેનાને સંઘર? ટંકશાળમાં ખોટા રૂપીઆ આપે, સો ટચથી ઓછું આવે તે ફેંકી દે. પહેલાના કાળના રૂપીયા ને આજના રૂપીયામાં ફરક. આ પહે. લાના રૂપીઆમાં કૂખી ચાંદી અને અત્યારના સિક્કામાં ભેળસેળીયા છે. શુકનમાં તે કામ ન લાગે; લાવીને મુકીએ તે તે ધ્યાનમાં લે કે ચાખી ચાંદી છે તેને અંગે તેને શુકનીયાળ ગણુએ છીએ. જીવ તે અનંતાનંત છે તેમાં ચેખા ક્યા? ટંકશાળમાં ચોકખાની વાત હોય તેમ અહીં આગળ જીવને તત્વ તરીકે કઈ રીતે ગણીએ? બધા ભેળસેળીયા છે માટે. જીવ માત્રને તવ ગણવા તૈયાર નથી. શુદ્ધ જીવને તત્ત્વ માનવા તૈયાર છીએ, તે તે ક્યો? તે મેક્ષ મેળવેલ છે તે જ, ચૌદરાજકમાં શુદ્ધ છે. સગી અગી કેવલી તે કેવલી છતાં પુદ્ગલના પાંજરામાં પુરાયેલા છે, તેને પણ ચાખે માનવા તૈયાર નથી.
માટે ભેગના ત્રણ ભેદે કહ્યા તે ધ્યાનમાં લે. ક્યા તે– (૧) ઈછાગ (૨) શાસ્ત્રાગ (૩) સામથ્થગ તે નામે કહ્યો. ઈચ્છા, શાસ્ત્ર ને સામર્થ્યમાં શું વધારે? સારાની ઈચ્છા રહે, કર્મના ઉદયે સારું કરવા માંગે છતાં તેને રસ્તો નિષ્કટક ચાલે નહિ તેવા બધાને શું ગણવું? તે ઈચ્છાગ. ઈચ્છા સારી સંપૂર્ણ, ઈછા માત્ર તે મેક્ષ સાધનને વેગ છે. તેનાથી આગળ વધે તે ક્ષણ લવ પણ શાસ્ત્ર સિવાય લગીર તન મન વચનની પ્રવૃત્તિ હોય જ નહિ. તન મન વચનની પ્રવૃત્તિ તે શાસ્ત્રથી નિરપેક્ષ નહિ. ત્રણે કંઈ પણ પ્રવૃત્તિ કરે તે શાસ્ત્રનું ધ્યાન રાખીને કરે. આવી સ્થિતિ જેની હોય તે ક્રિયા પ્રવૃત્તિ સ્થિતિ, તેનું નામ શાસ્ત્રગ.
Page #165
--------------------------------------------------------------------------
________________
આગમત તેમાં બધું આવી ગયું. સામર્થ્ય ચોગ કઈ ચીજ છે? તે તે જદી જ ચીજ. સમકિત પામનારને અષ્ટપ્રવચન માતાનું જ્ઞાન પ્રસ છે. આ જીવ અનંતી વખત કંઈક ન્યૂન દશપૂર્વ સુધી ભણી ગયા છતાં સમકિત કેમ ન થયું જે આલંબને પ્રતિક્રમણ પૂજા સામાયિક આવશ્યક દાનાદિ બધું કરીએ તે મોક્ષના સાધન શાસ પ્રમાણે કરીએ છીએ, છતાં તાકાત જે ફલ જમાવવાની તે હજુ આવી નથી. અપ્રમત્તપણાને કાળ કેટલે? તે દેશના કોડ પૂર્વને તે ન્યૂનતા સામર્થ્યગથી. કંઈક ન્યૂન દશ પૂર્વ ભણ્યા પણ જે સમકિત પાંચ સમિતિ ત્રણ ગુણિજ્ઞાનથી થવાવાળું તે ન થયું. મેક્ષ સર્વવિરતિ, સર્વવિરતિ પણ દેશના કોડપૂર્વ વર્ષ સુધી પાળ્યું. શાસ્ત્રના આધારે, છતાં મોક્ષ ન થયે. સામવેગના સાધને ચડ્યા નહિ.
ગણધર મહારાજા અને કેવલી મહારાજા તે શાસગમાં સંપૂર્ણ છે. તે સામર્થ માં છે શું? બધા ગણધર ચૌદપૂર્વ રચે છતાં તત્કાલ કેવલજ્ઞાન પામે નહિ, શાસયેગ આવ્યા છતાં સામર્થ્યની વાત છેલ્લી છે. જે કેવલીઓ લેકાલેક અતીત અનાગત જાણ્યું છતાં મેક્ષ કેમ તે વખતે નહિ? મિક્ષ અળખામણું લાગે છે? તે ના. પણ મેક્ષના લાયકને સામર્થ્યાગ તે ક્યાં ? સર્વને જાણ્યા છતાં તે રોગ આવતું નથી. તે અગીના અંતે વેગ આવે છે.
ઈચ્છોગ. તેનાથી આગળ ચડીએ તે શાગ. તેનાથી આગળ ચડીએ તે સામર્થ્યવેગ થાય. સમકિત મોહના નાશને મોક્ષ પામવાના કાર્યો થાય છે, માટે સામર્થ્યોગ તે લાવનાર; શાસ્ત્રગ લાવનાર માટે સમ્યકત્વમાં ક્રિયારુચિને ભેદ પાડીએ છીએ.
પહેલા મિથ્યાત્વી હોય તે ક્રિયા ભણતો હેય, કરતે હોય તે સમકિત આવે. સાંભળીએ, વાંચીએ, તેમ હતાં કેઈ વખત ક્ષપશમ જાગે છે. કેના અંગે જોર? તે આ શાસ્ત્રના અંગે.
દહેરામાં વર્ષો થયા છતાં દર્શન કરીએ છીએ પણ બે ચાર દહાડા જ ભાવના તેવી થાય છે. તે આવે છે કેને? જે ઘેર બેઠા તેને ભાવ આવ્યો? તે ના. સામગ, શાસ્ત્રોગવાળાને થવાને.
Page #166
--------------------------------------------------------------------------
________________
४७
પુસ્તક-રજુ કાર્ય કરનાર સામર્થગ. તેને વિચાર કરીએ તે માલમ પડે. જીવની સ્થિતિ સામર્થ્યગ, તે સ્થિતિને પ્રાપ્ત કરાવનાર તે ચેક જીવ.
ટંકશાળની ચાંદી સેનું. આવા મોક્ષને અંગે નરક દેવકમાં રહેલાં સમકિતિ છે જેવા રહેલા છે. પછી દષ્ટિ નથી કેમ કહે છે? વાત સાચી.
નારક દેવ તીર્થંચમાં સમકિત જીવ છે, પરંતુ સે હાથ ઊંડે ક હોય તેની છાયા સે હાથની દેઢસો હાથની પડે તે કામની કેને? કુવાની છાયા. મીલના ભુંગળા ઉંચા પણ છાયા કામ કોની તે બહાર પડે. પણ આ તે જમીનને કુવો હોય તેની છાયા ક્યાં? કુવાની છાયા કુવામાં સમાણી, તેમ નારકી દેવ તીર્થંચની, મેક્ષની ઈચ્છા છે છતાં તે કુવાની છાયા તરીકે કુવામાં સમાણ, બહાર નહિ, છાયા કામ લાગે જમીન ઉપર. ઉંચે પદાર્થ હોય તેની છાયા કામ લાગે.
મને રથ હોય તે મનુષ્યભવના સફળ થાય. નારકી દેવના હોય તે સફળ ન થાય. એક અણુ પાપ છોડવાની સફળતા નહિ. તીય. ચમાં સર્વવિરતિનું ઠેકાણું નહિ. મેક્ષમાં પગલું ભરવું નથી તેને ગણવા શા કામના ? દેશની આઝાદી, આબાદી પોકારે, પણ નથી સહન કરવા તૈયાર, વધારવા પણ તૈયાર નથી. આ આઝાદી આબાદી કયાંથી મેળવવાના? તે વાત કરે તેટલું જ. જેઓને સંવરનું નામ નિશાન નથી, તેમજ સંવર નિજારામાં વધે નહિ તેવા મે ક્ષની વાત કરે તે કેટલી કામ લાગે ?
કેવળ મનુષ્યભવમાં સફળતા. મેક્ષ ત્યાં મેળવી શકાય છે માટે. ઘેર ધમ નથી થતો. તીયંચગતિમાં મોક્ષ થાય છે ને? ત્યારે કહો ચારિત્ર નથી માટે. ચારિત્ર ન હોય ત્યાં મેક્ષ છે નહિ, સાચે ધમ ચારિત્ર છે. માટે શાસ્ત્રકારે ધર્મ સર્વવિરતિવાળાને, ને દેશવિરતિવાળાને ધર્માધમ, અવિરતિને સમકિતિ હોય તે ય અધમી ગણ્યા છે. જે આ સમજનાર કઈ રીતે બોલે છે કે ગૃહસ્થમાં ધર્મ નથી. ધર્મ બેલવાને હક કો? જે મરિચી ચક્રવર્તીની રુદ્ધિને લાત
Page #167
--------------------------------------------------------------------------
________________
૪૮
આગમત મારીને ઉભેલ છે. છતાં લેકોને પ્રતિબંધ કરીને દીક્ષા અપાવે છે. જોડે જ જાય અને રહે. કંઈક છે તેટલું છે તેમાં શું થયું? ત્રણ વખત મોકલેલે પાછો આવ્યું. તેને આપણે પાછો પાડવા માટે બોલીએ છીએ. તેને ક્રોડાકોડ સાગરોપમ સંસાર રખડે પડે. તે આપણે ઘેર ધર્મ નથી થતે તેનું શું થાય! તે વિચારો.
ધ્યાન રાખજો કે શબ્દ હેજે સંભળાય કેટલે જુલમ કરે છે. તે ધ્યાનમાં રહેશે તે હવે મરિચિનું વચન વિચારીએ. ત્રણ વખત પિતાની પાસેથી તગડ્યો. ત્યાં, અહિ નહિ. એ પ્રમાણે તગલે પાછો આવેલ છે. અહિં આવવા માંગે છે તેને કહ્યું કે કંઈક છે! તેમાં ક્રોડાકોડ સાગરોપમ વધાર્યો. ભગવાન મહાવીરના જીવને ઘરે કયાં ધમ થતું નથી. તેને અર્થ શો ? આગળ જનારને રોકવા માટે તગડે આવ્યો તે બોલે તેનું આ પરિણામ. તે રોકવા માટે બેલે તેનું શું થાય? તે વિચારે. ચીડાઈને આવે તે કહે છે કે તમારામાં કંઈક છે કે નહિ? તે કહે છે કે કંઈક છે. તેમાં ક્રોડાકોડ સાગરોપમ વધારનારા થયે. તે આપણું શું થાય.
માટે નારકીદેવની ગતિમાં સમકિત છે મેક્ષ ચહાય છે, તીર્થંચમાં સમકિત છે, મેક્ષ ચહાય છે પણ કુવાની છાયાવાળા. મોક્ષના રસ્તામાં તીર્થકરના વચન પ્રમાણે વતી શકે. જે વર્તી શકે નહિ તે ભલે ક્ષાયિક સમકિતવાળા હોય છતાં ધર્મની કેટીમાં નહિ. માટે વચનની આરાધનાએ ધર્મ તેનું સ્વરૂપ વિષય વગેરે તે કેવળ ગણધર મહારાજની સાક્ષી! તે કઈ? વગેરે જણાવવામાં આવશે, તે અગ્રે વર્તમાન :
goooooooooooo ૬ વ્યાખ્યાન–૧૪ છે.
સં. ૨૦૦૨ના ભા. વ. ૧૧ શનિવાર તા. ૨૦-ક-૪૬ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે પડશક નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે—
Page #168
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
૪૯ આ સંસારમાં જેમ આ જીવ અનાદિથી રખડતે રખડતે મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, જાતિ, સંપૂર્ણ પંચેન્દ્રિયપણું, લાંબુ આયુષ્ય, દેવ ગુરૂ ધર્મની જોગવાઈ આ બધું એક એકથી મુશ્કેલીથી મળે છે.
આર્યક્ષેત્ર વગેરે બધી ચીજે દશ દ્રષ્ટતે દુર્લભ છે. જેમ દશે દ્રષ્ટાંતમાં પ્રયત્નને એટલે બધે અવકાશ નથી એટલે ભાવિને અવકાશ છે. ભેજનના દ્રષ્ટાંતમાં આખા જગતમાં ભમીને ચક્રવતીના ઘરે આવવું તે ઉદ્યમથી સાધ્ય નથી, પણ દેવતાની સહાય હાય તે જ બને, તેમ પાસકને અંગે દેવતાએ દીધેલા પાસાવાળાની જીત મેળવવી તે પ્રયત્નથી થાય ખરી? ચાણક્યને દેવતાએ પાસા વરદાનમાં આપ્યા તેથી તું હારીશ નહિ. જુગારખાનુ ખેલ્યુ, પિતે ધનથી ભરેલી થાળી મુકી અને સામાને રૂપિયો મુકવાને કહ્યો. આ દાવ ખેલવામાં કંઈ પાછો રહે ? દેવતાએ દીધેલા પાસા તેમાં કોઈની પાસે સીધે પડે નહિ. તે સીધે પડે કેટલે મુશ્કેલ! તે ભવિતવ્યતા કે નસીબના આધારે, તે સિવાય ઉદ્યમ વગેરેને આધાર નહિ. દેવતા કરતાં ભાગ્ય ભવિતવ્યતા હોય તે છતાય. તે ભવિતવ્યતા કેવળ નસીબના આધારે. તેમાં ઉદ્યમ, વિચાર, ધારણા, બુદ્ધિને અવકાશ જ નથી. તેમ આ જીવને પણ મનુષ્યપણું, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, ઉત્તમ અતિ, સંપૂર્ણ પંચેન્દ્રિયપણું, દેવ-ગુરૂ-ધર્મની જોગવાઈ આ બધું બુદ્ધિ, વિચાર, ઉદ્યમને આધીન નથી. કેવળ નસીબને ભવિતવ્યતાને આધિન છે.
જેમ દશ દ્રષ્ટાંતે ઉદ્યમ બુદ્ધિ ધારણાથી બહાર કેવળ નસીબ ભવિતવ્યતામાં આધાર રાખનારા. તેમ અહિ મનુષ્યપણું વગર પામ્યા છતાં પણ શુદ્ધ ઉપદેશકની જોગવાઈ મળવી તે નથી, વિચાર બુદ્ધિ ઉદ્યમને આધીન બધા શુભ ગુરુ ધારીને મેળવવા માંગે છે. પરંતુ શુભ ગુરુ કેને મળે? જેના ભાવિમાં નશીબમાં સારાપણું હોય તેને જ શુભ ગુરુની જોગવાઈ મળે. તેના માટે ઉદ્યમ ધર્મ કામ લાગે નહિ.
ઉદ્યમે ધારણાએ સારા ગુરુ મળતા નથી. ઉદ્યમે સારા ગુરુ કથા ગણીએ ? આપણા ધારેલાને સારા ગણાવીએ છીએ. સારા મળવા
Page #169
--------------------------------------------------------------------------
________________
૫૦.
આગમત સારા ધારવા તે ઉદ્યમ બુદ્ધિ કે ચતુરાઈને આધીન નથી. કેવળ ભવિતવ્યતા પાકી હોય તેવા ભાગ્યને ઉદય થવાને હોય તે તેવા ગર મળે. તે મળ્યા છતાં દર્દીઓ તે દવાખાનામાં દસ કબાટ બધી દવાવાળા છે. શાસ્ત્રકાર કહે છે કે આપણે જે દવાને લાયક હેઈએ તે દેવાનું મન ગુરૂને થાય. તે ક્યારે? વૈદ ડાકટરના ત્યાં બધા દવાના સીસા પડ્યા છે. આપણે ભાગ્ય ઉદય હેય તે પ્રમાણે તેને દેવાની બુદ્ધિ થાય.
આપણે શાતાને ઉદય ન હોય તે જે દવાથી મટવાને હેય તે દવાનું મન થાય નહિ. ડૉકટર પાસે દવા વગેરે માટે ગયા છીએ પણ ભાગ્યને ઉદય હોય ત્યારે તે રોગની જે દવા શાંતિ માટે ઉપયોગી થવાની હોય તે દેવાની સૂઝે. ર્ડોકટર કહે છે કે, અજમાયશ કરું. તેમ ગુરૂઓ પણ બાટલા બધા રાખે છે. ક્યા દર્દીને ક્યો બાટલે દેવે તેને ઉપાય નથી. અઢાર પા૫સ્થાનકના ઓસડો છે. બધા આશ્રવ બંધના કારોને તેડવાના ઓસડો છે. પણ આપણે જે દ્વારાએ બંધ તૂટવાને તે એસડ આપવાનું.
આજ કાલ આપણુ આત્માનું સિદ્ધપદના આરાધનથી સિદ્ધ થવાનું હશે તે પછી અરિહંત સિદ્ધાદિ કે આચાર્ય ઉપાધ્યાય સાધુપદથી કલ્યાણ થવાનું હશે તે કહો? જ્યાં સુધી ચોક્કસ દવા જણાય નહિ ત્યાં સુધી તે દઈની બધી દવા અમલમાં એકમેક મેલવી પડે, તેમ આ નવે પદ. પાંચ પરમેષ્ઠિ, એક એક એવી તાકાત ધરાવે છે કે સર્વ પાપને નાશ કરે, અને મેક્ષને પ્રાપ્ત કરી શકે. છતાં હજુ આપણને એ સ્થિતિમાં આવવાનું થતું નથી; કેમકે એક પદે ચાલી શકીએ.
જેમ આરાધનાના અંગે અમુક પદની આરાધનાથી આ આત્મા પાર પામવાને છે, તે નક્કી ન હોય ત્યાં સુધી બધા પદેનું આરા. ધન ચાલુ રાખવું પડે. બધા ઔષધ છેડે થેડે ફાયદો કરે, જડમૂળથી ન કાઢે, કેઈક જ જડમૂળથી કાઢનાર હોય. અહિ આગળ પાંચે પરમેષ્ટિ ને નવે પદ થડા થોડા કર્મના ક્ષયને કરનાર છે. કેવી રીતે આરાધન કરીને કર્મને ક્ષય કરશે તે નિશ્ચય નથી, પણ કર્મના ક્ષયનું ઔષધ છે. તે પાપ પર કામ લાગવાના છે તે
Page #170
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨
૫૧
ધ્યાનમાં ન આવે તે રેચ જલાબ આપે પણ જડ કાઢવી મળની તે કેમ નીકળે? કર્મની જડ કાઢનારી આરાધના જ્યારે આવે ત્યારે ખરી.
આ બધી આરાધના કર્મના મળને તેડનારી છે. મૂળથી ભલે ન કાઢે. દરેક ધર્મના કાર્યો–આચરણે કર્મને કાઢનારા છે બધાની આરાધના કરનારો કયા પદ ઉપર આરાધનાવાળો દઢ નિશ્ચયવાળો થશે તેને નિયમ નહિ. હથિયારો હોય તેમાં કયું હથિયાર કર્યો વખતે કામ લાગશે? પણ તેની તાલીમ લેવી પડશે. બધા અનુષ્ઠાને કર્મનો ક્ષય કરનાર છે માટે આદરવાના રહે છે, પણ કમને નાશ ક્યા અનુષ્ઠાનથી થશે? તે કેવલી સિવાય નિશ્ચય નહિ.
આ વાત વિચારીશું કે સિદ્ધાચલજીને મહિમા ઘણે છે. કાંકરે કાંકરે મેક્ષે અનંતા ગયા, જેઓ તીર્થને નહિ માનનારા તેની મહત્તા યાત્રા આરાધનાને નહિ ખમનારાને પણ કહે છે કે-આ પુદુગલ ઉપર કેટલાં મેક્ષે ગયા, ઘણા. અઢી દ્વીપમાં વાળને અગ્રભાગ નથી, જ્યાં અનંતા મોક્ષે નથી ગયા તે ભાવ નથી. તમારા તીર્થને મહિમા શું? તેની ના કણ કહે છે. અહિ કેટલા ગયા? અનંતાનંત ઉત્સર્પિણ, અવસર્પિણી કાલ માનો એક કાલે એક મેક્ષે જાય તે અનંતા થાય. વાત સાચી છે, તેમ બીજી વાત મેલે. આટલી બધી પવિત્રતા હોત તો એક તીર્થકર મેક્ષે ન જાય? એ કે તીર્થકર વશમાંથી મોક્ષે જાતને? તેઓ અનશન અહિ કરતને? નથી તીથ કરે મોક્ષે ગયા. અનંતા માનો તો દરેક જગ્યા પર અનંતા મોક્ષે ગયા છે; આવા કહેનારા મળે તેને પુછીએ કે
નાવડીએ અને વગર નાવડીએ કેટલા પાર ગયા. નાવડી વગર પાર ગયેલા ગણત્રી બહાર ગયા. નાવડીથી પણ ગણત્રી બહાર ગયા. માટે નાવડી નકામીને ? નાવડીથી કરાય છે, ને તે વગર પણ તરાય છે. ત્યારે કહો કે, નાવડી વગર તરવાવાળા તે સ્વભુજાના બળે, નાવડીથી તરવાવાળા તે નાવડીના બળે. બેય પાર ઉતર્યા તે ચોકકસ. જેને જેને ભુજાબળ ન હોય તે નદીકાંઠે નાવડીની તપાસ કરે. કંઈક નાવડી વગર તર્યા છે તે હાલને આપણે કરીએ તો શું પરિણામ આવે? તે ડૂબવાનું થાય. જેમાં ભુજાબળ તરવા લાયકનું આવ્યું નથી તે મનુષ્ય નાવડીની બેદરકારી કરે તે જીવનમાંથી જાય છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
પર
આગમત મોક્ષે ગયા તેમાં બીજેથી અનંતા ક્ષે ગયા, સિદ્ધાચલજીમાં અનંતા મોક્ષે ગયા તેમાં ના નથી. અહિ ગયા તે આપબળે. આપણા આત્માને કહો કે આપબળવાળે છું? આપબળની વાત કરવી છે, ઉથાપક થવું છે તે વિચારને અવકાશ આપે કયાંથી? જેને ઉથાપક ન થવું હોય તે વિચારને અવકાશ આપે. જેને મરવું તેને વગર આપબળે ઝંપલાવવાનું સૂઝે. જેને આયુષ્ય પ્રબળ હોય તેને સૂઝે નહિ. જેને આરાધનાની ભવિતવ્યતા હોય. જ્યાં સુધી આપબળ નથી ત્યાં સુધી ક્ષેત્રબળ લેવાનું સૂઝે. જેને ભવિષ્ય તરવા લાયકનું નથી પણ રખડવાનું છે તેવાને સ્વબળ ન હોય તે સૂઝે, પરબળ મળતું હોય તો તે લેવાનું ન સૂઝે નાવડીનું આલંબન ન લીધું પણ નાવડી નકામી એમ ન બેલે. ભુજાએ તરનારે. ભુજાએ તરનારનું એ વચન કયાં નીકળે. નાવડી નકામી, ચાલ્યા એટલે પાર, એ ક્યાં સૂઝે કહેવાનું, જેને બીચારાને ભવિતવ્યતા આયુષ્ય આદિ રહેલું હોય તેવાની આગળ કહેવાનું સૂઝે ને રુચે પણ તેવાને. ઘણા હેડી વગર તણાઈ ગયા પણ તે તે શંકા વગર પગ દે નહિ. જેને ભવિતવ્યતા સીધી છે, સંસારમાં રખડવાનું નથી તેવાનું વચન સાંભળે નહિ. તેવા આગળ વચન નીકળે નહિ, કહે નહિ. તેવા મળે, કહે છતાં ગળે ઉતરે કેને? જેનું ભવિષ્ય ખરાબ હોય તેને. બાપદાદાએ ખર્ચ કરીને કોથળીઓ ખાલી કરી ને છોકરી વગેરેને જાત્રા કરાવી. મિચ્છા મિ દુક્કડં દેવા તૈયાર થાય તે દશા કઈ! ભું ભવિતવ્યતા. તે ભૂંડી ભવિતવ્યતા વગરનાને ખેદ ન હોય.
જેને આપબળે સ્વબળે તરવું નથી ને કાંઠે બેઠા બેઠા બરાડા પાડવા છે કે નાવડીની જરૂર નથી, નાવડીથી તરતું નથી, નાવડીને અડતો નહિ, નાવડી વગર જાવ તેવું કહેનારા દુર્ભાગીને સાંભળનારો દુર્ભાગી મળે તેવા, તેવું વર્તન કરે તેની દશા કઈ? કાંકરે કાંકરે અનંતા ક્ષે ગયા. વાળના અગ્રભાગ જેટલું સ્થાન ખાલી નથી. તે બધા કઈ રીતે ગયા? આપબળે યા ક્ષેત્રબળે ત્રિપુષ્ટ વાસુદેવે રથ હથિયાર છેડી દીધું સિંહ વખતે, તેય જાનવર સામું હથિયાર છોડે તેને માલુમ પડે. વગર હથિયારે સિંહને માર્યો કે નહિ? છોડને હથિયાર. આવા મનુષ્યો વાઘ મેઢા સામે આવે ત્યારે હથિયાર વગરની વાત કરે. તેમ તીર્થની આરાધનાએ જેને
Page #172
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
૫૩ મેક્ષે જવાનું છે તેમાં તીર્થની મહત્તા ન ગણે તે કઈ દશા થાય? કહેનાર ને સાંભળનાર કે ગણાય? તે મૂર્ખા. કહેનારે દીવાને ગાંડ હતું પણ તે એ સાંભળ્યું શું જોઈએ?
તેમ અહિ આગળ જેઓ પરાલંબને અને સ્વાલંબને તરતા નથી, તેવા મનુષ્ય આલંબન તીર્થને શું કરવું તે સાંભળનાર ડાહ્યો હોય અને સાંભળે કે ગાંડ. તેવા દ્રષ્ટાંત કથા દે? સાધુના. સાધુને સંયમયાત્રા કહી તેની ના કણ કહે, તેથી તીર્થયાત્રા ગઈ! સાધુને બાલ વૃદ્ધ તપસ્વીની વૈયાવચ્ચ કરવાનું કહ્યું. પછી કુટુંબનું પિષણ કેમ કરે છે?
સાધુના દ્રષ્ટાંત અને શબ્દને લાવીને ગૃહસ્થમાં મુકે છે તે ક્યાં તે ધર્મના બહાને. એ જ ઉપર આ દ્રષ્ટાંત ચાલે છે. ભગવાન ઋષભદેવજી સિદ્ધાચલ ઉપર આવ્યા, દેશના દીધી. પિતે વિહાર કરવા તૈયાર થયા. પુંડરીક સ્વામી પણ વિહાર કરવાને તૈયાર થયા ત્યારે ભગવાને કહ્યું કે તમે વિહાર ન કર, અહિ રેકાઈ જાવ. પિતાના ગુરુ મહારાજ છુટા પાડે ત્યારે શું થાય. મને કેમ છુટ પાડો છે? આટલા પૂર્વના ભાગે સુધી મને રોક્યો નથી. ત્યારે રોકવાનું કારણ એક જ કે હે પુંડરીક! તને અને તારા પરિવારને આ ક્ષેત્રના પ્રભાવથી કેવળજ્ઞાન થવાનું છે માટે તેને રોકું છું. ક્ષેત્રને પ્રભાવ કઈ સ્થિતિને? તે જ વાત પુંડરીક સ્વામીજીના હિસાબે સ્પષ્ટ શબ્દોમાં કહી ક્ષેત્રને પ્રભાવ કેટલે? તે વિચારે.
તીર્થકર મહારાજ હયાત છતાં પણ સિદ્ધાચલજી ઉપર અણુશણ કર્યા તે શાસ્ત્રમાં છે કે નહિ? તે કર્યા તેથી તીર્થકરની કિંમત ઓછીને? તીર્થકરની અધ્યક્ષતામાંથી જવું તે તારા મૂળ સૂત્રમાં તે છે ને? તેને તું શું કરીશ? જે સિદ્ધાચલ અણસણ કરવા ગયા તે આજ્ઞાએ કે આજ્ઞા વગર? આજ્ઞાએ તે તીર્થકર તમારા હિસાબે મૂખ કેમ? તે તીર્થકરે આજ્ઞા અણુશણ કરવાની આપી, પોતે હયાત છે છતાં ત્યાં કેમ જાવ છે તેમ કેમ ન કહ્યું? તીર્થકર તીથને અધિક ગણે છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
૫૪
આગમત નેમનાથ મલ્લિનાથને નથી જાણતા? તેમને છોડીને ગયા. જવા દીધા કેમ? જવાની ઈચ્છા કેમ થઈ? તે મોક્ષ પામ્યા કેમ? જેઓ ઘુવડની દ્રષ્ટિવાળા તેવાને સૂર્ય ઉગેલે નકામો, એમના માનેલા સૂત્રોમાં તીર્થકરને છોડીને સિદ્ધાચલજીમાં મોક્ષે ગયા તે સૂઝતું. નથી. તેમણે આજ્ઞા માંગી કેમ? આપી કેમ? તે માંગી તે આરાધના છે કે વિરાધના? મોક્ષ થયે તે આરાધનાથી કે વિરાધનાથી તે બેલને! જેને એક સૂત્રના વચનનું ને વર્તનનું બંધન નહિ. બળદમાં શીંગડે ખાંડે, પૂછડે બાંડે હોય, પણ આ તે એકે અંગે બડે નહિ. શાસ્ત્રયુક્તિ, વચન વગેરેને પ્રતિબંધ નહિ. લેહાને ગેળે પકડવાને કામ નહિ, પણ રાખવાના કામને, ગબડાવવાના કામને તેમાંયના લેઢાના ગેળા જેવા.
મૂળ વાતમાં-પુંડરિક સ્વામીજી મહારાજ સિદ્ધાચલજીના એ વખતના સંગે આરાધના કેવળજ્ઞાન થવાનું છતાં સર્વકાળ આરાધના ચલાવી. રોગને વેગ બંધ કરવા દે. રોગ સર્વથા જાય ત્યારે જાય. તેમ આ ધર્મના બધાં કાર્યો તે કર્મને ઉછાળાના વેગને રેકે છે. સર્વથા કર્મ કયા આલંબને જશે? તે ભવિતવ્યતા ઉપર આધાર રહે છે. પણ ઉપદેશ દેવાવાળા માટે ઔષધ દ્રષ્ટાંત કમ નથી.
ધર્મ પામીને અનુષ્ઠાન કરવાવાળા માટે બધા ઔષધે કામના. પણ ઉપદેશ દેવાવાળાએ તો જેમ વૈદ દર્દીને પારખીને અકસીર દવા આપે તેમ આપવો જોઈએ. જે જે શ્રેતા જેવી જેવી લાયકાતવાળા હોય તે ઉપદેશ કરવો જોઈએ.
ધર્મમાં નથી પ્રત્યે તેવાને બાહ્ય ઉપદેશ નવકાર ગણે, પચ્ચકખાણ કરે છે. બાહ્ય અનુષ્ઠાનમાં જોડાય ત્યારે જયણાને ઉપદેશ તેમાં બરાબર પરિણતી થઈ ગઈ. બાહા આચાર વિચારમાં પ્રવૃત્તિ થઈ, એ પ્રવૃત્તિ થયા પછી પરીક્ષા નીસરણી. તે નીસરણી ક્યારે ? આચાર આંગણું ને વિચારની પરશાળ ઓળંગે ત્યારે પરીક્ષાની નીસરણી.
તેટલા માટે કહ્યું કે બાળકને આચારની દેશના, મધ્યમબુદ્ધિને વિચારની દેશના, પરીક્ષાની દેશના કેને દેવી? તે બુધ
Page #174
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
૫૫ વિદ્વાન અને સમજુને. દેશના દેવાવાળા ઉપર તમારે અંકુશ, ધર્મના વ્યવહારને અપકાર કરનારા ઉપર અંકુશ પણ જે પરોપકાર વાળાને માથે અંકુશ. દુનિયામાં રક્ષણવાળાને અંકુશ ન હોય અહિ આગળ જે ઉપદેશ દેનારા છે ભવ્યનું રક્ષણ કરનારા તેના ઉપર તમે અંકુશ શાને મેલો છે? તે અંકુશ એટલે બધે. દુનિયામાં ગુનેગાર અવળો ગયેલે નુકશાન નહિ કરે તેનાં કરતાં રક્ષણ કરનાર અવળે પડ્યો તે તે વધારે નુકશાન કરશે. કેટવાલ ચોરીના ધંધામાં ઉતરે તે પ્રજાની નુકશાની વધારે. તેમ અહિ આગળ પણ ઉપદેશ કરનાર જે દુનિયામાં અવળું કરે છે તે સિવાય બીજું કઈ કરતુ નથી. અવળા ઉપદેશ દેનારા ન નીકળે તે દુનિયા અવળા રસ્તે જવાને તૈયાર નથી. દુનિયા પોતાની મેળે અવળે રસ્તે ગઈ હોય તેને ચમકી આપતાં કેટલી વાર ! જે ઉપદેશથી અવળી અસર હોય તેને જુગાજુગ જાય તે ઠેકાણે ન આવે. અહિ પણ એ આભિગ્રહિક આભિનિવેશીક મિથ્યાત્વને પ્રતિબંધ પામતાં વાર લાગે તેટલી અનાહિક મિથ્યાત્વને પ્રતિબંધ પામતાં વાર નથી લાગતી. આભિગ્રહિક આભિનિવેશિકને તીર્થકરોના ઉપદેશ કાર્ય કરનારા થાયે ખરા ને ન થાયે ખરા. કારણ શું? તેમાં આટલી બધી અધમની કટીની સ્થિતિ. તે ખરાબ ઉપદેશ કેને અંગે?
શાસ્ત્રકાર કહે છે કે – "यद् भाषितं मुनींद्र वत् खलु देशना परस्थाने" (षोड० १, श्लोक १४)
દેશના દે જીવની લાયકાત જોયા વગર. બાહા આચારવાળાને વિચારને પરીક્ષામાં ઉતારી દે. વિચારવાળાને વિચાર છોડાવી દે, પરીક્ષાવાળાને પરીક્ષા છેડાવે. તેવા ઉપદેશકની દેશના કેવળ પાપમય જ ગણાય. જે શાસ્ત્રને અનુસરતે છતાં “નિયમનિયમથતુર્થ મનને વશ વર્તતે ચહ્ય” જેનુ મન વશ છે તેને યમ નીયમે કરીને શું? વાત શાસ્ત્રની છે. તે કેને માટે? તે જે યમ નિયમમાં કેળવાઈ ગયેલે હેય ને મન વશ નથી કરતે તેને માટે! પણ યમ નિયમ કેળવ્યા નથી તે કહે કે મન વશ વગર યમ નિયમ શા કામના? અનંતી વખત એઘા મુહપત્તિ લીધા તે સમકિતની મહત્તા માટે. ત્યારે તેને ઉપદેશ ચારિત્ર હટાવવા નાશ દૂર કરવા માટે.
Page #175
--------------------------------------------------------------------------
________________
આગમત
માટે કહ્યું કે, શાનું વચન અાગ્ય સ્થાને અગ્ય રીતે બોલવામાં આવે તે તે પાપરૂપ જ છે. મન ચંગા તે કથરોટમાં ગંગા કે છોકરા મુતરે ગંગા. મનમાં ચંગા રાખવાની વાત હતી તેને ઠેકાણે ગંગા છેડવાની વાત. મેરુ જેટલા એવા કર્યા તે સમકિત દઢ કરાવવા માટે તેની જગ્યા પર ચારિત્રને છોડાવવુ. વાત શાસ્ત્રની તે પણ અયોગ્યરૂપ, અગ્ય છેતાને કરી, અગ્ય રસ્તે ઉતારનારી કરી તે ધર્મ દેશના કે પાપ દેશના.
ઉન્માર્ગે લઈ જનારી દેશના તીર્થકરના નામે કરવામાં આવી હેય તે તે પાપદેશના; પણ વચનનાં વેગે દેશના દે તે તે ધર્મ દેશના. ધર્મની દેશનામાં વચનના આધારે ચાલે તે તે ધર્મદેશના ગણાય. વચનને છેડીને વિપરિત જાય તે તે પાપદેશના ગણાય. પેલાએ પાપ સાંભળ્યું ગણાય. માટે વચનની આરાધના તે જ ધર્મ. વચન જે રૂપે હોય તે રૂપે કહે, માને, પ્રરૂપ તે જ ધર્મ નહિ તે ધર્મ નહિમાટે આરાધના વચનાનુસારેણ નથી ન કહેતા, પણ વરનારાથના' કહે છે તેમાં ફરક શ? તે ફરક સમજાવવાનો છે. માટે મેક્ષે જવા અંગે વચનની જરૂર, સ્વરૂપ વિષયે આરાધનાનું ફલ વિગેરે બતાવશે તે અધિકાર અગે વર્તમાન.
Page #176
--------------------------------------------------------------------------
________________
વીર નિ. સં. ૬
૨૪૯૭ વિ. સં. ૨૦૨૭
વર્ષ-૬
મોક્ષમાર્ગ રૂપ રત્નત્રયીનું રહસ્ય સભ્ય વર્શન – જ્ઞાન - { चारित्राणि मोक्षमार्गः
આગમેદ્ધારક સં. ૨૨ શ્રાવણ પુસ્તક-૩
મેક્ષની સાધ્યતાને નિશ્ચય
જૈનદર્શનને જાણનારે અને માનનારો વર્ગ સ્પષ્ટ રીતે સમજે
સમ્યગ્દર્શનની જ્યારથી જીવને પ્રાપ્તિ થાય ત્યારથી તેની દષ્ટિમાં પારમાર્થિકફલ તરીકે શાશ્વત સુખમય અને જન્મ-જરા આદિ આબાધાથી રહિત અવ્યાબાધ પદરૂપ મેક્ષનું જ સાધ્ય હોય છે.
જે કે અનન્તરપણે દેવલોકની ઉત્પત્તિ અને તે દેવભવની પૂર્ણતા પછી સારું કુટુંબ આદિ દશ પ્રકારના સુખસાધનોએ સહિત એવા મનુષ્યભવમાં અવતરવા રૂપ પ્રત્યાયાતિ આનુષંગિક એવા અસ્પૃદયરૂપ હેવાથી એકાંત પરિહાર્ય નથી, પણ તે અભ્યદયધર્મના પ્રભાવેજ
Page #177
--------------------------------------------------------------------------
________________
આગમ ચેત
પ્રાપ્ત થવાવાળે છતાં કૃષિક્રિયાના પ્રયત્નમાં મળી આવતા ઘાસ અને પરાળની માફક છે, પણ પારમાર્થિક અને એકાતિક તથા આત્યંતિક ફલરૂપે કઈ પણ સાધ્ય હેય તે તે કેવલ મેક્ષ જ છે. દેવકાદિની આનુષંગિક્તા
આ કારણથી જેમ ખેતી કરનારે ખેડુત જે ખેતીનું ફળ પરાળ જ છે, એમ ધારે તે પરાળનું અપરિહાર્યપણું છતાં પણ પરાળને માટે ખેતી કરનાર ખેડુત અજાણ ગણાય, તેમ અહિં પણ દેવલોક અને સુકુલમાં પ્રત્યાયાતિ એ બન્ને મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ધર્મને પ્રભાવે જરૂર થવાવાળા જ છે. છતાં તે દેવલેક અને સુકુલની પ્રત્યાયાતિને ઉદ્દેશીને જ અર્થાત અવ્યાબાધ મોક્ષના ધ્યેયને ચુકી તે દેવકાદિનું ધ્યેય રાખીને જ જેઓ ધર્મનું આચરણ કરે છે, તેઓને તત્વથી જેનશાસનમાં સમ્યગ્દષ્ટિમણે સ્થાન નથી, એથી એ નક્કી થયું કે અવ્યાબાધ પદરૂપ મેક્ષની પ્રાપ્તિ જ સમ્યગ્દષ્ટિનું લક્ષ્ય હેય. સમ્યગ્દષ્ટિને જ ધર્મ કે સમ્યગ્દષ્ટિને ધર્મજ
આ ધર્મ સમ્યગ્દષ્ટિને જ હેય અને સમ્યગ્દષ્ટિને આ ધર્મ જ હેય એવા વાકયેને જેઓ સૂક્ષમબુદ્ધિવાળા હેઈને ફરક સમજશે તેઓ જ ભાવધર્મ અને દ્રવ્ય ધર્મના અધિકારી કે કેણ? એ વગેરે હકીકત સમજી શકશે. આ હકીકતને સમજનારા મનુષ્ય પૂર્વભવના મિત્ર આદિરૂપ દેવતા કે જેઓ સામાન્ય છે. પણ અન્યમતના પ્રવર્તકે માનેલા નથી. માત્ર સામાન્યદેવ કુદેવ તરીકે જ છે, તેમનું આ લેકના ભાઈની પ્રાપ્તિ કે દહલાની પૂર્તિરૂપ અર્થને માટે અમ અને પૌષધ કરનાર મહારાજા શ્રી કૃષ્ણ અને શ્રી અભયકુમાર આદિને મિથ્યાત્વી કરાવવા નહિ જાય.
કેમકે મોક્ષપદ માટેને ભાવઘર્મ સમ્યગ્દષ્ટિને જ હોય એ નિર્ણય કરાય છે. અને સમ્યગ્દષ્ટિને ભાવધર્મ જ હેય એ નિર્ણય કરવામાં આવ્યું નથી.
Page #178
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જું
સમ્યગ્દર્શનાદિ ભાવલિંગ
ઉપર જણાવ્યા પ્રમાણે જ્યારે સમ્યગ્દષ્ટિનું અવ્યાબાધ સ્વરૂપ એવું મોક્ષપદ જ સાધ્ય છે તે.
એ વાત હવે જણાવવાની રહી જ નહિં કે મોક્ષના સાધનમાં સમ્યગ્દષ્ટિની જ સુંદર પ્રવૃત્તિ હય, અને મોક્ષના સાધનોનો વિચાર કરીએ તે જરૂર માલમ પડશે, કે સમ્યમ્ દર્શન જ્ઞાન અને ચારિત્ર શિવાય મોક્ષની સાધના થઈ શકતી જ નથી.
તેથી ભાષ્યકાર મહારાજ મેક્ષ પ્રાપ્તિને અંગે તે સમ્યગ્દર્શન આદિ ત્રણને ભાવલિંગ માને છે. અને તે ભાવલિંગને અવ્યભિચારી એટલે તે સમ્યગ્દર્શનાદિ ત્રણ શિવાય મોક્ષ થાય જ નહિં, એમ માને છે. દ્રવ્યલિગની ભજનાનું રહસ્ય
પ્રાણાતિપાતાદિની નિવૃત્તિરૂપ જે ત્યાગ તે દ્રવ્યલિંગ છે. અને તે દ્રલિંગ મેક્ષની સિદ્ધિ માટે વિકલ્પવાળું છે, એમ ભાષ્યકાર મહારાજ વગેરે જણાવે છે. પણ તે દ્રવ્યલિંગની ભજના માત્ર આકરિમક સંગે ઉત્પન્ન થતી ભાવનાએ પ્રાણાતિપાતઆદિને છેડવારૂપ દ્રવ્યત્યાગની પરિણતિ થતાંની સાથે લઘુકમ પણાથી થતા ઘાતી કે અઘાતી બન્ને પ્રકારના કર્મને ક્ષયને આભારી છે. અને અન્યલિંગે કે ગૃહલિંગે કહેવાતે અને થતે મેક્ષ પણ તેવા સંગને જ આભારી છે. - અથત પ્રાણાતિપાતઆદિના ત્યાગ કરવાના પરિણામ રૂપ અને તે દ્રવ્યત્યાગને ઉપાદેય માનવાના શુદ્ધપરિણામ શિવાય ભાવલિંગ આવતું નથી. અને તે આવ્યા વિના મોક્ષ થતું જ નથી.
જે દ્રવ્યત્યાગની જરૂરીયાત ન માનીએ તે નરક દેવ અને તિયચની ગતિમાં પણ મોક્ષની પ્રાપ્તિ થાય એમ માનવું પડે. કારણ કેતે નરકાદિ ત્રણે ગતિઓમાં સમ્યગ્દર્શનાદિની તે યોગ્યતા રહેલી જ છે. મનુષ્યગતિમાં જ મોક્ષ પ્રાપ્ત થાય છે, એમ શાસ્ત્રકારોએ જે જણા
Page #179
--------------------------------------------------------------------------
________________
આગમ જેત
વેલ છે, તેને માનનાર મનુષ્ય તે દ્રવ્યત્યાગ થયો હોય કે ન પણ થયો હય, છતાં તે દ્રવ્યત્યાગના પ્રભાવથી જ મોક્ષ છે એમ માન્યા શિવાય રહી શકે જ નહિ. અર્થાત્ દ્રવ્યત્યાગની જે વૈકલ્પિકતા ભાષ્યકારાદિકેએ બતાવી છે તે આકસ્મિક સંગે દ્રવ્યત્યાગની ભાવનાવાળાને તે ત્યાગના થયેલા વિકલ્પને આભારી છે. દ્રવ્યત્યાગની મેક્ષકારણુતા
જે એમ ન માનીએ તે સર્વ શાસ્ત્રકારોએ પ્રવજ્યારૂપ ચારિત્ર કે જે આરંભ પરિગ્રહના ત્યાગરૂપ છે અને જે પ્રવજ્યા તે મેક્ષ પ્રતિ લઈ જનાર જ છે, એમ જણાવી દ્રવ્યત્યાગરૂપ પ્રવજ્યાને મોક્ષના કારણ તરીકે જણાવી છે તે સત્ય કરી શકે નહિ. જેમ કોઈ જ પર દંડ શિવાય હાથથી ચકને ફેરવીને કઈ કુંભાર ઘડે કરી પણ લે, છતાં તેવા કેઈક બનાવથી ઘડાના કાર્યને અંગે દંડને અસિદ્ધ ગણાતું નથી. તેમ કોઈક તેવા જીવને દ્રવ્યત્યાગને પરિણામ છતાં આકસ્મિક સંગે તેને તેવા ઉત્કૃષ્ટતર પરિણામ આવી જવાથી કદાચ દ્રવ્યત્યાગ થવા પહેલાં જ કેવલજ્ઞાન કે સિદ્ધિ થઈ જાય, પણ તેથી દ્રવ્યત્યાગનું મોક્ષકારણપણું ઉડી જતું નથી. સ્વલિંગ એટલે?
આ કારણથી શાસ્ત્રકારમહારાજાએ તે પ્રાણાતિપાતાદિની નિવૃત્તિ રૂપ દ્રવ્યત્યાગને સ્વલિંગ એટલે મોક્ષનું લિંગ કહે છે. અર્થાત દ્રવ્યત્યાગ જે મેક્ષનું કારણ ન હોય તે તે દ્રવ્યત્યાગને સ્વલિંગ તરીકે કહેવાનું રહે નહિં, આ સ્વલિંગના અર્થને સમજનાર અને વિચારનાર મનુષ્ય કઈ દિવસ પણ દ્રવ્યત્યાગને જરૂરી માન્યા શિવાય અને મોક્ષના કારણ તરીકે માન્યા શિવાય રહી શકશે નહિં.
વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે શાસ્ત્રકારોએ દ્રવ્યત્યાગને સ્વલિંગ માન્યું છે ત્યારે તે પ્રાણાતિપાદિની નિવૃત્તિ કરવા રૂપ દ્રવ્યત્યાગમાં નહિ રહેલાને ગૃહિલિંગ અને અન્યલિંગવાળા માનેલા છે. રજોહરણ અને ત્યાગના લિંગને સ્વ એવું વિશેષણ લગાડયું છે. ત્યારે ગૃહસ્થ અને અન્યમતની પ્રવૃત્તિને ગૃહી અને અન્ય
Page #180
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨ જુ
એવાં વિશેષણે લગાડયાં છે. આ હકીકત સમજનારે સુજ્ઞ સહેજે કબુલ કરશે કે અપવાદ શિવાય તે મેક્ષનો રસ્તે સાધુપણું જે રહરણાદિના અંગીકાર અને પ્રાણાતિપાતાદિની નિવૃત્તિ રૂપ છે તે જ છે.
આ સ્થલે એમ કહી શકાય કે અન્યલિંગ અને ગૃહિલિંગથી સિદ્ધ થવાની વાત અપવાદરૂપ અથવા અન્ય અપેક્ષાવાળી છે. અને અપવાદ તથા અન્યાપેક્ષાની પ્રરૂપણા મુખ્ય કાયદારૂપે ગણાય જ નહિ. સ્વલિંગની ઉપાદેયતાનું મહત્વ
વળી એ વાત પણ ધ્યાનમાં રાખવી કે પ્રાણાતિપાતઆદિની નિવૃત્તિ કે રજોહરણઆદિન અંગીકારરૂપ દ્રવ્યચારિત્ર શિવાય મોક્ષની પ્રાપ્તિ કથંચિત્ થઈ શકે. પણ પ્રાણાતિપાતઆદિની નિવૃત્તિરૂપ કે અરજોહરણઆદિ અંગીકારરૂપ દ્રવ્યચારિત્રની જરૂર નથી એવી રીતે દ્રવ્યત્યાગ કે દ્રવ્યચારિત્રની અનાવશ્યકતા ગણનારો તે કોઈપણ ભવે કે કોઈપણ કાલે મોક્ષે ગયે નથી, જતું નથી અને જાય પણ નહિ. માટે પણ દ્રવ્યત્યાગ ગ્રહણ દ્વારા નહિ તે ઉપાદેયતાની બુદ્ધિદ્વારા દ્રવ્યત્યાગ મેક્ષનું કારણ બને છે. અર્થાત્ દ્રવ્યત્યાગની એટલે સ્વલિંગની ઉપેક્ષા બુદ્ધિવાળે ગૃહિલિંગ કે અન્યલિંગ કેવલ કે મેક્ષ મેળવી શકતું જ નથી. તે પછી રજોહરણાદિના સ્વીકાર રૂપ કે પ્રાણાતિપાતાદિની નિવૃત્તિરૂપ દ્રવ્યલિંગને જેઓ અનાવશ્યક ગણતા હોય અથવા હેય ગણતા હોય તેવાઓને કેવલ કે મોક્ષ થવા તે દૂર રહ્યા, પણ સમ્યફવિ પણ હેવાને સંભવ નથી. તેવા દ્રવ્યલિંગને અનાદર કરનાર અને અનાવશ્યકતા જણાવનાર ભાવસમ્યક્ત્વ વગરના ગણાય એટલું જ નહિ પણ દ્રવ્યસમ્યકત્વ પણ તેઓને હેય જ નહિં, એમ નક્કી સમજાય તેમ છે.
વળી એ વાત પણ બરાબર ધ્યાનમાં રાખવા જેવી છે કે કેવલીપણું છતાં જે ભવસ્થદશામાં અંતમુહૂર્તથી વધારે વખત રહેવાનું હોય છે, તે કેવલીમહારાજ પણ દ્રવ્યલિંગ એટલે હિંસાદિના ત્યાગને જરૂર અંગીકાર કરે છે. અર્થાત આકસ્મિક સંગે દ્રવ્યલિંગ વિના
Page #181
--------------------------------------------------------------------------
________________
આગમ
ત
મેક્ષ કે કેવલજ્ઞાનની ઉત્પત્તિ દેખીને દ્રવ્યલિંગની જરૂરીયાત ઓછી કરવામાં આવે છે તેના કરતાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગયા છતાં, પણ જેઓએ હિંસાદિને પરિહાર નથી કર્યો તે તેઓ હિંસાદિના પરિહારરૂપ વ્યલિંગને ગ્રહણ કરે છે, એ હકીકત સમજીને કેવલી. મહારાજને પણ ગ્રહણ કરવા લાયક લાગતું દ્રવ્યચારિત્ર સજીને મેક્ષની ઈચ્છા હોય તે આવશ્યક છે, એમ કેમ લાગતું નથી ? કેવલીમહારાજ સરખાને જે વસ્તુ ગ્રહણ કરવાની જરૂર પડે છે તે વસ્તુને અનાવશ્યક ઉપેક્ષણીય કે હેય તરીકે ગણાવનાર મનુષ્ય કેવલીમહારાજની પણ ઘોરતમ આશાતને કરે છે, એમ કેમ ન કહેવું ? છતાં ઉપર જણાવ્યા મુજબ કદાચ કોઈ અપેક્ષાએ બાહ્ય લિંગ જે ત્યાગની પ્રતિજ્ઞાવડે રજોહરણઆદિના વીકારરૂપ કહેવાય તેની મેક્ષની પ્રાપ્તિ માટે અનિયમિતતા કહી શકાય. દ્રયલિંગની અનિયતતા કયાં?
વાચકદે ધ્યાન રાખવું જરૂરી છે કે ઉપર્યુક્ત દ્રવ્યલિંગની અનિયમિતતા મોક્ષપ્રાપ્તિ માટે છે, છતાં મેક્ષ સાધક માટે તે તે દ્રવ્યલિંગની અનિયમિતતા છે નહિ અને હેઈ શકે પણ નહિ, અને તેટલા માટે જ રિલેકનાથ તીર્થકર ભગવાન વગેરે મોક્ષને મેળવવા તૈયાર થાય છે, ત્યારે જરૂર બહાલિંગ સ્વીકારે છે. વ્રતપશ્ચઉખાણના વિરોધીઓ તરફથી કહેવાય છે તેમ જે મેક્ષને સાધના
એને અંગે દ્રવ્યત્યાગ વગેરેની જે અનિયમિતતા હતા તે તે મેક્ષની પ્રાપ્તિ માટે તૈયાર થયેલા મહાનુભાવોએ દ્રવ્યલિંગ બાહ્યત્યાગરૂપે કે રજોહરણાદિરૂપે અંગીકાર કર્યું તે અણુવિચાર્યું અથવા વ્યર્થ કર્યું એમજ કહેવું પડે, અને સાથે સાથે એમ પણ કહેવું પડે કે તે ત્રિલેકનાથ તીર્થકરભગવાન્ વગેરે પ્રેક્ષાપૂર્વક કરનારા હેતા અને મહાપુરૂષે રહેતા અને શાસ્ત્રકારોએ પણ શાસ્ત્રમાં જે તેઓનું ઇસિમિતિ આદિ સહિતપણાને લીધે જે અનગારદશાનું વર્ણન કર્યું છે તે વ્યર્થ જ થાય. ભગવાન્ જિનેશ્વરમહારાજની દીક્ષા જે દ્રવ્યત્યાગરૂપ છે તે કુદરતે કલ્યાણરૂપ હોઈ ત્રણજગતના આન
Page #182
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જું
-કને કરનાર હેઈ કલ્યાણક તરીકે જગતમાં જાહેર કર્યું, તે બંધુ -વ્યર્થ અને અનુમોદનાલાયક નહિ એમ જ કહેવું પડે. અન્યલિંગ સિદ્ધિ આદિનું રહસ્ય
ધ્યાન રાખવાની જરૂર છે કે અન્યલિંગે અને ગૃહિલિંગે જે સિદ્ધ થવાનું જણાવેલ છે તે સ્વલિંગરૂપ કારણની અનિયમિતતા કે અન્યથાસિદ્ધતાને માટે નથી. પણ જૈનશાસન અને તેના શુધનોની ભાવઅપેક્ષાની પ્રબલતા જણાવી દ્રવ્યની અનૈકાન્તિકતા અને અનાત્યંતિકતા માત્ર જણાવવા માટે જ છે. અર્થાત્ દ્રવ્યશબ્દ જ કારણવાચી હેવાથી વ્યલિંગજ ભાવલિંગનું કારણ છે એમ સ્પષ્ટ છતાં માત્ર ભાવલિંગની એક્ષસાધક માટે તેમજ મોક્ષની પ્રાપ્તિ માટે એકાઅતિકતાના હિસાબે જ માત્ર દ્રવ્યલિંગ જે સ્વલિંગરૂપે છે તેની અનિચતતા ગણાવી છે. - હવે આ દ્રવ્યલિંગની વાત ટુંકી કરી ભાવલિંગના વિચાર ઉપર આવીયે. ભાવલિંગની મહત્તા
આ વાત તે સર્વ સજજન નગણને માન્યજ છે કે કર્થચિત કવચિત્ પણે દ્રવ્યલિંગની અનેકાન્તિકતા મનાય તો પણ ભાવલિંગને માટે તે એકાંતિકતાજ છે. અર્થાત્ કેઈપણ કાલે કેઈપણ જીવ ભાવલિંગને મેળવ્યા શિવાય તે મોક્ષ પામી શકતું જ નથી. કદાચ એમ કહેવાય આવે કે અનેકાન્તવાદની જડ ઉપર રચાયેલ જૈનમતમાં દ્રવ્યલિંગનું કેઈક અપેક્ષાએ પણ જે અનેકાતિક અને અનાત્યંતિકપણું બતાવાય છે, તે પણ ઈષ્ટ તે ગણાય જ નહિં. છતાં કદાચ તેને તેમ કહી શકાય કે ગણી શકાય પણ આ ભાવલિંગને ઐકાન્તિક ગણવું તે તે ઈષ્ટ ગણાય જ નહિ, કહી શકાય કે જે ભાવલિંગને અનેકાતિક ગણે તે જ સ્યાદ્વાદ ટકેલો ગણાય, પણ જે ભાવલિંગને એકાતિક ગણવામાં આવે તે સ્પષ્ટ કહેવું જોઈએ કે તે કથન સ્યાદ્વાદસિદ્ધાંતની સર્વથા વિરૂદ્ધ છે. અર્થાત સ્યાદ્વાદ માનવે - હેય તે ભાવલિંગને ઐકાન્તિક ન માનવું અને ભાવલિંગને જે
Page #183
--------------------------------------------------------------------------
________________
આગમ
ત
એકાતિક માનવું હોય તે પછી સ્યાદ્વાદનો સિદ્ધાન્ત સર્વવ્યાપક છે એમ નહિં કહેવું.
એમ નહિં કહેવાનું કારણ એ છે કે પ્રથમ ભાવલિંગથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર એ અર્થ લેવાને છે અને શ્રી જૈનદર્શનની અપેક્ષાએ સર્વ વસ્તુ ચતુષ્યસ્વરૂપ હોવાથી નામ, સ્થાપના અને દ્રવ્યરૂપે જે સમ્યગ્દર્શનાદિ હેય તે મેક્ષનાં એકાંતિક સાધને બનતાં નથી. પણ જે ભાવથી સમ્યગ્દર્શનાદિ છે તે જ મોક્ષનું સાધન બને છે, એ અપેક્ષાએ ભાવલિંગને પણ મેક્ષના અનેકાંતિક સાધન તરીકે ગણી શકાય,
વળી તે સમ્યગ્દર્શનાદિ ત્રણે પદાર્થો વપણે કહીયે તે સત્ છે. અને પરપણે અસત છે અને તેવી રીતે ભાવસમ્યગ્દર્શનાદિ ત્રણે સાત ભાંગે છે, તેમાં મેક્ષના સાધન તરીકેના અધિકારમાં એ સ્વભાવ સમ્યગ્દર્શનાદિકનું સત્પણે મેક્ષસાધનપણું છે, પણ તે જ ભાવસગ્યદર્શનાદિનું અસદાદિકપણે મોક્ષના સાધનપણું નથી. સ્યાદ્વાદ દષ્ટિનું રહસ્ય
આટલા માટે તે ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી શ્રીષેડશકપ્રકરણમાં આગમતત્વને જણાવતાં કહે છે કે આત્માનું અસ્તિત્વ, પરિણામિપણુ, બદ્ધપણું, વિદ્યમાન અનેક વિચિત્ર કર્મથી બદ્ધપણું તે કર્મના વિગોથી આત્માનું મુક્તપણું, તે આત્માને કર્મ બંધાવવામાં હિંસાદિકનું કારણુપણું અને કર્મના વિયેગમાં અહિંસાદિનું સાધનપણું એ આગમતત્વ છે, અને એ આગમના ઔદંપર્યની શુદ્ધિ છે, અર્થાત આત્મ વગેરે પદાર્થો સદાદિ સાતભાંગે નિરૂપણ કરતાં પણ પર્યવસાન આત્માના નાસ્તિત્વઆદિ એકમાં કે નાસ્તિવાદિના સમુદાયમાં લાવી, વિપરીત કે સંદિગ્ધપણામાં આત્માદિની સંદિગ્ધતા ઉભી ન કરવી. થાવત જે આશ્રવના કારણે છે તે નિરાના કારણે અને જે નિજ રાનાં કારણે છે તે આશ્રવનાં કારણે છે એમ કહી આઠવાદિના. હેયપણામાં અને નિર્જરાદિના ઉપાદેયપણામાં અપ્રતીતિ કરી દઈ તેને હેય-ઉપાદેયપણુએ ઉડાવી દેવાં નહિં.
Page #184
--------------------------------------------------------------------------
________________
FUTEISHCHYCIU
S
[ આ વિભાગમાં પરમ પૂજ્ય, આગમ સમ્રાટ, આગમોના માર્મિક વ્યાખ્યાતા, બહુશ્રુત, સૂરિપુરંદર, ધ્યાનસ્વર્ગત ૫. આગમ દ્વારકશ્રીના માર્મિક ટુંકા નિબંધ-વ્યાખ્યાન વગેરેને ચુંટેલે સંગ્રહ આપવાના રાબેતા મુજબ આ વખતે કેટલાક અપ્રસિદ્ધ અને કેટલાક પ્રસિદ્ધ લેખોનિબંધ-વ્યાખ્યાને રેચક સંગ્રહ આપે છે.
વાચકોની સમજણ શક્તિની સીમા સાથે સુસંવાદિતા મેળવવાની ધારણે યોગ્ય વ્યવસ્થિત ભાષાકીય સુધારા-વધારા કરીને આ સંગ્રહ રજુ કર્યો છે.
તત્ત્વપ્રેમી વાચક પુણ્યાત્માઓ જરૂર આ સંગ્રહથી તવદષ્ટિ કેળવી રોગ્ય રીતે જ્ઞાનીઓના વચનોને સમજવા પ્રયત્ન કરશે એવી આશા છે.
ખાસ મુદ્દાની વાત એ છે કે આ સંગ્રહમાં અપાયેલ સામગ્રી ગીતા—જ્ઞાની ગુરૂભગવંતના ચરણે બેસીને વાંચવાથી વધુ રહસ્ય મળશે. માટે આપમતિએ આ સામગ્રીનો ઉપયોગ ન કરવા નમ્ર વિજ્ઞપ્તિ છે. હું !
Page #185
--------------------------------------------------------------------------
________________
E | ધર્મ એટલે શું? | E
( ૧ )
(પૂ આગમહારક, બહુશ્રત, ગીતાર્થ ધુરંધર, ધ્યાનસ્થ સ્વગત આચાર્ય દેવશ્રીએ ગેડીઝના ચાતુર્માસમાં તા. ૨૫-૬-૪૪ રવિવારે જાહેર વ્યાખ્યાનમાં ધમના માર્મિક સ્વરૂપની ખૂબ સરસ છણાવટ કરેલ.
જેની હસ્તલિખિત નકલ શાસન પ્રભાવક પૂર આ૦ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ પાસેથી આવેલ વ્યાખ્યાન સંગ્રહના છૂટક અનેક વ્યાખ્યાનની નેંધ ભેગી મળી આવી, તે વ્યવસ્થિત કરી અહીં રજૂ કરી છે. હું ). શ્રોતાઓ શું સાંભળવાને ઇચ્છે છે?
શાસકાર મહારાજા આ. શ્રી હરિભદ્રસુરિજી મહારાજા ભવ્ય જીવોના ઉપકારને માટે ધર્મોપદેશ કરતા થકા આગળ સૂચવી ગયા છે કે આ સંસારમાં આર્ય પ્રજા માત્ર ધર્મની ઈચ્છાવાળી છે. આર્ય પ્રજામાં ધર્મ કરવા લાયક છે એ ઉપદેશ કરે પડતું જ નથી. કારણ? કારણ એ જ છે કે આર્યપ્રજા જન્મથી ધર્મના સંસ્કારવાળી હોય છે.
શાસ્ત્રકાર જે વચન કહે તે કેવું હોવું જોઈએ? સાર્થક શાસ્ત્રકારનું વચન નિરર્થક ન લેવું જોઈએ. સાર્થક કહેવાય કેને? તે કે જે જાણવાથી આત્મિક લાભ થતું હોય, દુનિયાના વ્યવહારથી જે વાતે પર હોય અને જે સાચું માર્ગદર્શન કરાવતા હોય તે જ શાસ્ત્રોને સાર્થક વચને તરીકે ઓળખી શકાય. શ્રોતાઓ પોતે જે વસ્તુ જાણતા ન હય, સાંભળેળ ન હોય એવી જ વસ્તુઓ શાસ્ત્ર દ્વારા સાંભળવા માગે છે. જે વસ્તુઓ છેદા વ્યવહારની હોય, સાંભળેળ હેય અને આચરણમાં આવતી હોય તે વસ્તુ સાંભળવા ભાંગતા જ નથી. કેવળ વ્યવહારને જ કહેવાવાળું શાસ્ત્ર સફળ કહેવાતું જ નથી. વ્યવહારને ઉપદેશ તે સ્વયંસિદ્ધ છે. એવા ઉપદેશની
Page #186
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જુ
૧૧
દરકાર નથી, જરૂર પણ નથી. ભૂખ્યો ભેજન માગે છે, તરસ્યા પાણ માગે છે, એવી વ્યવહારની વાત જાણવામાં હેય, વ્યવહારમાં હેય અને પ્રવૃત્તિમાં હોય તે કહેવી સાર્થક ગણાય નહિ. ધર્મ જ માત્ર એક આલંબન :
આ દુનિયામાં કોઈપણ પિતાને અધર્મી તરીકે જાહેર કરવા માગતું નથી. પિતે અધમી હોવા છતાં પિતાને ધમપણું ઈષ્ટ છે, પિતે ધર્મને રાગી, છે એવી નીતિના તે દેખાવવાળો હેય. આર્ય પ્રજાની અંદર ધર્મની ઈષ્ટતા, ઉત્તમપણાની તેમ જ ભવાંતરને અંગે પણ જે વખતે આપણે નિરાધાર થઇશું તે વખતે કેઈપણ આધાર, આલંબન હેય તે તે માત્ર ધર્મ જ છે, તે વાત આર્ય પ્રજાને નવી સમજાવવી પડે તેમ નથી. આય અને અનાર્યની વ્યાખ્યાઃ
જેમ બાવાજીએ નદીમાં એક ઢગલી કરી તેમાં પિતાને લોટો દાટી નદીએ ન્હાવા ગયા અને પાછળથી એના જ જેવી બીજી સેંકડો ઢગલીઓ થઈ જતાં બાવાજી પોતાની ઢગલી ઓળખી શક્યા નહિ, તેથી પિતાને લેટે ખેાઈ બેઠા. તેવી જ રીતે આર્ય પ્રજામાં બધા જ ધર્મની ઇચ્છાવાળા અને તેમાં કોઈપણ ધર્મની ઈચ્છા વગરને નહિ. આમાં આર્ય કોણ અને અનાર્ય કે એને ઘટસ્ફોટ કરવા માટે પ્રાચીન શાસકારોએ આર્ય—અનાર્યનું લક્ષણ જણાવ્યું. કહ્યું કે-ધર્મ જેવા અક્ષરો જેના સ્વમામાં પણ ન હોય તે અનાય.
આર્ય પ્રજાને ધર્મ કેટલો હાલે ? ધર્મને માટે આર્ય પ્રજા પ્રાણુ કેટલા પાથરે? કેઈપણ ક્ષેત્રની, કુળની કે જાતની કઈ વરત લીધી નહિ, પણ માત્ર એટલું જ લીધું કે- “જેને સ્વને પણ ધર્મ જેવા અક્ષરે ન હોય તે અનાર્ય.” આ રીતે આર્ય-અનાર્યની વ્યાખ્યા કરી. શ્રી ભદ્રબાહુવામી જેવા શ્રુતકેવળી વિચરતા હતા તે વખતે પણ લેક વ્યવહારથી અનાર્ય તેને જ ગણવામાં આવતા કે ધર્મ જેવી વસ્તુ જેને સ્વપ્ન પણ યાદ ન આવતી હોય. એ ઉપરથી
સેંકડે ઢગલીના ગયા અને પા કરી તેમાં પિતા
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૨
આગમ ચેત
આપણે નિશ્ચિત કરી શકીએ છીએ કે ધર્મ આર્ય પ્રજાથી અજાણ હોય જ નહિ. જૈનની માન્યતા કેવી હોય?
આર્ય પ્રજામાં ધર્મની વ્યાપકતા અને તેની સાથે ભવાંતર માટે પણ તેની કેટલી કિંમત છે? એવી માન્યતા રૂઢ થયેલી હોય છે. મનુષ્યપણું-દેવપણું મળવું તે કોને આધીન છે? આ જ વસ્તુને જૈન-જૈનેતર વર્ગમાં પણ ભેદ છે. જીવની જવાબદારી-ખમદારી માનનારો હેય તે જૈન, જીવની ગુલામી માનનારે, જીવને ઢોર જે માનનારે હેય તે અન. આ સાંભળીને “મહારાજ જેનોને વખાણે છે અને જેનોને ઉતારી પાડે છે” એવું માનશો નહિ, શબ્દ સાંભળીને ચમકશે નહિ.
જૈનની માન્યતા એ છે કે– પિતે કરેલાં કર્મોને તેિજ ભેગવવા પડે છે. અનીની માન્યતા એ હેય છે કે– પોતે કરેલાં કર્મોને ભેગવવાની સત્તા પિતાને નહિ, પરમેશ્વર ભેગવાવે. સુખ અને દુ:ખ દેવાને સ્વભાવ કર્મને જ હોય છે. સાકર ખાધી તે મીઠાશ કેઈ બીજાએ આપી? મરચાં ખાધાં તે તીખાશ કે બળતરા બીજા કેઈ કરી દે? જેમ સાકરનો સ્વભાવ મીઠાશ આપવાનું છે, મરચાને સ્વભાવ બળતરા કરવાને છે, તેવી જ રીતે કર્મયુગલને સ્વભાવ સુખ અગર દુખ કરવાનું છે, એવું માનવાને અડચણ શું? હે પાણીમાં પડે અને શરદી ભગવાને કરી? પરમેશ્વરે પીડા કરી અને ઑકટરે પીડા હણી? તાવ કેણ લાવ્યું? ઝાડા કોણે કરાવ્યાં? માથુ કેણે દુખાવું? દવા લાગુ કયારે પડે?
આ જગો પર જૈનને અંગે કહે છે કે– કમેથી જે માથું દુખાયું હોય તે દવાથી શમ્યું કેમ? કર્મ કરતાં વેદ્ય બલવાન? ના! ના! તેમ નથી કર્મની પણ અમુક હદ હોય છે અને તેને અંત થાય તેજ વખતે દવા લાગુ પડે છે. ડકટર તમારા દેત હોય અને
Page #188
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જુ
૧૩
માથાના દુખાવાની દવા પચાસ હોય, પણ જયાં સુધી તમારા અશુભને ‘ઉદય પુરે થાય નહિ, ત્યાં સુધી દવા લાગુ થાય નહિ અને જ્યારે કમનું હલકાપણું થવાનું હોય ત્યારેજ દવા-ઉપચાર વિગેરે લાગુ પડે છે. ડૉકટર કે વૈદ્યને પણ એજ કાયદો લાગુ પડે છે. ત્યારે હવે વિચારે કે કર્યું કે આ માટે કર્મની દશા વિચારે. કર્મને - ઉદય જ્યારે તૂટી જવાને કે બંધ થવાને હેય એજ વખતે પેલું સાધન મળે અને એ જ વખતે અનુકુળ દવા લેવાનું પણ સૂઝે. કમની થીયેરીમાં દવાને, ડૉકટરને, સાધનને કર્મના અંતે અનુકૂળ થવાનું માની લેવામાં અડચણ નથી. એવું કર્મવાદીઓને સમજાવવું પડે તેમ નથી. બાળક ગુન્હેગાર ક્યારે ગણાય?
ઇશ્વરની થીયેરીમાં એથી ઉલ્યું છે. દુઃખ કરે પરમેશ્વર અને મટાડે વૈદ્ય! એટલું જ નહિ, પણ દુનિયાના ઘાતકીમાં ઘાતકી રાજે પણ બાળકના ગુન્હાની સજા કરવાને તૈયાર નથી. બાળક કેટલા વર્ષ સુધી ગણ શકાય? આપણા શાસ્ત્રની અપેક્ષાએ ૮ વર્ષ ગર્ભાછમે ૭ જાય. સાતની અંદર બાળક ગણાય. સાતથી ચૌદ વર્ષની
અંદર માજીસ્ટ્રેટને પરીક્ષાનું સ્થાન, બુદ્ધિવાળો પણ સાતની અંદર નિર્દોષ ગણાય અને પછી ચૌદ સુધી પરીક્ષા લઈ ગુન્હેગાર બનાવી શકાય. પણ ચૌદ પછી તે ગુન્હેગાર ઠરાવી સજા પણ કરી શકાય. એમાં ઉમરને લાભ ન મળે. આપણે આઠને સમજણુ વાળા માન્યા, જ્યારે કાયદાએ સાત વર્ષને સમજણના માન્યા. ઈશ્વર ઉપર આરોપ :
જંગલીમાં જંગલી રાજા કે રાજ્યને કઈ પણ અધિકારી સાતની અંદરના બાળકની ઉપર આરોપ મૂકી, ગુનહેગાર ગણું શિક્ષા કરવા તૈયાર નથી. ત્યારે ઈશ્વર બાળકને પેટમાં ગર્ભસ્થાનમાં રહે ત્યારથી સજા કરવાને માટે તૈયાર એમને ? ગર્ભમાં દશા થાય છે, તે ઈશ્વરને માથે ને ? જન્મતા બાળકો બધાજ નિરોગી હોય છે?
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૪
આગમ
ત
બધા જ સારા નિવડે છે? કોણે સજા કરી? ઈશ્વરે? જગતમાં બાળકે વધારે પ્રમાણમાં મરે છે તે કેણ મારે છે? પરમેશ્વર મારે છે? તે શું પરમેશ્વર દયાળુ કહેવાય કે નિય? આ માન્યતા કેની ? અજેનની. પણ જેનની નહિ, કર્મસત્તાની પ્રબળતાઃ
પિતે કરેલા કર્મોનું ફળ પરમેશ્વર આપે એમ? કર્મની સત્તાને સવતંત્ર ફળ દેવા વાળી માન્યતા જૈનની હેય. કર્મ કરવામાં–ભેગવવામાં જીવ સ્વતંત્ર છે. જયારે અને કર્મ જે કઈ પદાર્થ માનતા નથી. ખાટકીએ બકરીને મારી તેનું ફળ ઈશ્વરને કે ખાટકીને તેમાં ગુન્હેગાર કેણ? કોર્ટના હુકમથી જલ્લાદ ફાંસી આપે, મચ્છીમારે માછલાને મારે, ઘાતકી લોક જાનવરોને મારે એ બધાને ગુન્હેગાર કેણ? જૈનને આ બધી પંચાત નહિ. જૈનને તે કમની સત્તા માનવાની હોય છે. મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિ કર્મબન્ધ ન કરે તે જોગવતી વખતે અશુભને બંધ ન પડે. સ્વર્ગ કે નર્કમાં કેણ મોકલે છે? :
અજેનોને અંગે મારી નાખે, જીવાડે એ બધું કેણ કરાવે પરમેશ્વર અજૈન માટે કર્મ બંધાવવાનું-જોગવવાનું સ્થાન આ હિસાબે રહેતું જ નથી. તેમની એ માન્યતા હોય છે કે ઈશ્વર સ્વર્ગમાં કે નરકમાં મોકલે છે. આ બધું અજૈનની અપેક્ષાએ છે. ધર્મ જેવી ચીજ ઈશ્વરની ઈચ્છા વગરની કે ઈશ્વરની ઈચ્છાવાળી? ઇશ્વરની ઈચ્છાએ જે ધર્મ થતું હોય તે ધર્મ કરવાની સ્થિતિ અજેનોને ત્યાં થતી નથી. એ તેને જ ત્યાં થઈ શકે કે ધર્મ જેવી વસ્તુ પિતાના કરેલ કર્મોને ભેળવવામાં સ્વતંત્ર છે, તેમાં બીજા કેઈની ડખલગીરી નથી, એવું જે માનનારે હોય. જીવ પોતે જ સ્વતંત્ર છે :
ત્યારે હવે વિચાર કરે ઈશ્વરને કરાયેલ ધર્મ ઈશ્વરને અળ ખામણે લાગે? કે ચેડાની પાસેજ કરાવે? જેઓ જીવને કર્મ કરવાની
Page #190
--------------------------------------------------------------------------
________________
પુસ્તક 8 જુ
૧૫ વતંત્ર સત્તાવાળે નથી માનતા, કર્મ ભેગવવાની સત્તાવાળે નથી માનતા, પરંતુ જીવને ગુલામ તરીકે ગણે છે. ઢેર જે ગણે છે -એમને કર્મ જેવી વસ્તુને વાસ્તવિક ખ્યાલ નથી. જીવ દરેક પ્રકારે કામ કરવામાં સવતંત્ર છે, એવી માન્યતા કરવામાં કંઈ પણ અડચણ આવતી નથી. જીવ કર્મ કરવામાં સ્વતંત્ર છે, તે આખું જગત ધર્મ કેમ કરતું નથી ? કોઈની આડખીલી વચમાં નથી એમ ? ડખલગીરી નથી પણ વતંત્ર છે. દરેક જીવે સુખને ઈચ્છે છે તે પછી ધર્મ કેમ કરતા નથી ? કેઈ પણ જીવ અધર્મ કરનાર થી જ ન જોઈએ? પરંતુ તેમ નથી. ઈશ્વર કર્મ કરવાવાળે નથી, તેમ ભેગવવાવાળો નથી. પણ જીવ પિતે જ છે. સર્વ જી સુખના સાધનામાં કેમ નથી પ્રવર્તતા ? પાપમાં ઘણા અને પુણ્યમાં છેડા એનું કારણ શું? ધર્મ કરવામાં આત્માને સ્વતંત્ર માનીએ તે ઈશ્વર ઉપર આવતે અધર્મના રાગને આપ નીકળી જાય. રસના ઈદ્રિયનું તોફાન :
આપણને ઊધરસ થાય છે, ત્યારે દવા દેતાં વૈદ્ય તેલ-મરચાંની ના પાડે છે. આપણે કબુલ કરીએ છીએ કે નહિ ખાઉં. આપણું કુટુંબ આપણું માટે દાળ-શાક જુદું રાખી મૂકે છે. છતાં પણ ખાધા શિવાય રહી શકાતું નથી. કેમકે આ દલાલ ભટકે છે ત્યાં શું થાય? હાથ લે અને પેટ પટારામાં મૂકે. જીભ તે ફક્ત હાથમાંથી લઈ પેટમાં ઉતારવાનું એટલે કે- દલાલી જેવું કામકાજ કરે છે. તેની જ ખટપટને કારણે વૈદ્યનું વચન, આપણું ડહાપણ, કટુંબની કાળજી એ બધું ધૂળમાં? શાથી? ફક્ત જીભને ખાતર ? ત્યારે હવે વિચારો કે-એક રસના ઈદ્રિય આટલું તેફાન મચાવે તે પછી પાંચે ઈદ્રિયો વિફરે તે શું ન કરે? મળેલી સ્વતંત્રતાને સદુપયોગ કરો : - જીવ કર્મ કરવામાં સ્વતંત્ર હોવા છતાં ઇન્દ્રિયની આધીનતાના કારણે આપણે એને ડુબાડીએ છીએ. મળેલી સ્વતંત્રતાને સદુપયોગ કરતા આપણે શીખ્યા નથી. આ જવાબ દેશને અંગે પણ સમજી લે.
Page #191
--------------------------------------------------------------------------
________________
આગમ ચેત
દાખલા તરીકે મ્યુનીસીપાલીટીના વેટ દેવાને હક્ક જેને મળ્યો છે. તે વોટ આપતી વેળાએ તે દેશનું કે સમાજનું હિત કરનાર છે કે નહિ તેને વિચાર કરે છે ખરે? વેડનું હિત ધારીને વેટ દેવાવાળા કેટલા? અહીં આગળ રાજ્યની, દેશની કે શહેરની બાબતે. સાથે મારે સંબંધ નથી. મારે તે પ્રયત્ન તમને ધર્મ સમજાવવાને. છે. વેડના કે ઘરના હિતને માટે તમારા વેટને ઉપયોગ કરે છે? કે લાગવગ, શરમ, દબાણ, લાંચ, રૂશ્વતને અંગે તમારી સ્વતંત્રતાને. તમે ગીરવી મૂકી છે? તમારું તમે જાણે. બાકી હું તે તમને સુધારવાને ઈરછું છું. લેકલ બેડની સ્વતંત્રતા નથી જાળવી શકતા તે પછી દેશની સ્વતંત્રતા કેમ જાળવી શકશો? ટુંકમાં મળ્યું છે. તેને સદુપયોગ કરતાં શીખે. હવે ચાલે મૂળ મુદ્દા ઉપર આવીએભયંકર શત્રુઓ :
તેવીજ રીતે આ આત્મા ખાવામાં સ્વતંત્ર હતે. જીભના જોરે વધે ના પાડવા છતાં તેલ-મરચાનું ખાવા લાગ્યો. આવી રીતે રસનાને તે વશ થઈ ખરી અવતંત્રતાને ગુમાવી બેસે છે. જીવ સુખની. ઈચ્છા રાખે છે અને તેને માટે પુણ્ય કરતા રહે છે, છતાં ઇદ્રિનું દબાણ થાય ત્યાં શું થાય? એટલું જ નહિ પણ ચાર પ્રકારના કષાયે ક્રોધ, માન, માયા અને લેભ કર્મરાજાની કતાર આપ
ને જ્યાં ચલાવે ત્યાં ચાલવું પડે ત્યાં શું થાય? ત્યારે હવે કહે કે જીવ કર્મ કરવામાં સ્વતંત્ર છે પણ પિતાની પાંચ ઇદ્રિ અને ચાર કષા જેમ દેરે તેમ દેરાવું પડતું હોવાથી પાપ બંધાય છે. શું જૈને પરમેશ્વરને નથી માનતા?
આપણે ઈશ્વરને દૂષિત કરવા માટે તૈયાર નથી. જે લેકે નથી સમજતા તેઓ ડગલે ને પગલે ઈશ્વરને દેશ આપે છે. કેઈ મરે ત્યારે જેને માને કે આયુષ્ય હતું ત્યાં સુધી રહ્યો, જ્યારે અને ભગવાન પર મરનારને આરોપ મૂકે છે. જન્મ આપવામાં જેરૂ, પરણાવવામાં નિરધારવામાં પડ (અમે) અને કાંઈક નવા-જુની થાય.
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭
એટલે કહે કે- ઈશ્વરને ગમ્યું તે ખરૂ! આવી માન્યતા જેનની હોય? બીજાઓ કહે છે કે- અમે પરમેશ્વરને માનીએ છીએ અને
નો પરમેશ્વરને નથી માનતા! એમ? જે જેનો પરમેશ્વરને ન માનતા હતા તે આ બધા તીર્થો કેમ? જેનોએ પરમેશ્વરને શા માટે માન્યા? જેનામાં અને જૈનેતરમાં પરમેશ્વરને માનવામાં ફરક કેટલે? અન્નેની માન્યતામાં ફરક માત્ર “ત” અને “ન” ને છે. જેને ઇશ્વરને બનાવનાર તરીકે માને છે, જ્યારે જૈનો પરમેશ્વરને બતાવનાર તરીકે માને છે. બતાવનાર કેવી રીતે? તે કેપુષ-પાપનું સ્વરૂપ, સંસારનું સ્વરૂપ તેમજ મેક્ષનું સ્વરૂપ બતાવ્યું. જેમ સૂર્ય ઉદય થયા, અજવાળું થયું અને વસ્તુ દેખાણી. પરમેશ્વર ફક્ત માર્ગદર્શક :
કહેવાનું તત્વ એ છે કે- રીખવદેવ ભગવાન થયા પછી જ હિંસા-જુઠ-ચારી વિગેરેમાં પાપ થતું, તે પહેલાં નહતું, એમ નહિં ! એવી જ રીતે ભગવાન શ્રી તીર્થંકરદેવ થયા પછી જ દયા--સત્ય-નીતિમાં ધર્મ થવા માંડ્યો, એમ નહિ, પરમેશ્વરે આપણને બતાવ્યું પણ તેમણે બનાવ્યું નથી. એમના પછીજ ઉત્પન્ન થયું, એમ નહિ! જૈન ઈશ્વરને બતાવનાર તરીકે માને છે, જ્યારે આજન ઈશ્વરને બનાવનાર તરીકે માને છે. જીવની જવાબદારી છે, કર્મ કરવામાં જીવ સ્વતંત્ર છે, અને ભેળવવામાં પણ જીવ સ્વતંત્ર છે. મુનિમ ગોટાળો કરે તે તેને સેપેલ સત્તા પુરતી જવાબદારી ! બાકી તે જવાબદાર શેઠ જ ગણાય. ચાંલ્લાની જોખમદારી .
જેમ ચાલે કરવાથી જેનપણું આવી જતું નથી. અગર તે ચાંલ્લો ન હોય તે પણ જૈનપણું ચાલ્યું જતું નથી. ચાંલ્લાની જોખમદારી સમજી ચાંદલો કરે જોઈએ. જીવને જવાબદાર– જોખમદાર માને તે જૈન અને ન માને તે અજૈન. જીવની જવાબદારી નહિ માની શકે ત્યાં સુધી આવતા ભવને
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮
આગમ જ્યોત
સુધારવાની ઈચ્છા સફળ નહિ થઈ શકે! જયાં પિતાની સ્વતંત્રતા નથી, ત્યાં સ્વતંત્ર વિચાર શું કામ આવે? એવી રીતે જીવને માટે ધર્મ કરવાને સ્વતંત્ર, નહિ કરે એ પણ સ્વતંત્ર અને અધર્મ કરે એ પણ સવતંત્ર. એમાં કોઈની પણ ડખલગીરી નહી, જેના બચ્ચાને અથથી ઇતિ સુધી આ ત્રણે રહેલાં છે.
ધમની પણ પરીક્ષા કરે ?
આજે ધર્મના સેંકડે ફટા થઈ ગયેલા હોવાથી ધમની પરીક્ષાની જરૂર છે. અને એને માટે જ ધર્મનું લક્ષણ કેવું હોય તે કહેવાની પૂત્ર શ્રી હરિભદ્રસૂરિજીને ફરજ પડી છે. દુનિયામાં વિવિધ વાદોની ખબર પડે તેવી રીતે ધર્મ-સ્વતંત્રતાની ચીજ પણ સમજાય તેમાં કમની ડખલગીરી હેવાથી આપણે રસ્તે ચૂકી જઈએ. ધર્મનું નામ ઘણાએ ધારણ કર્યું. ધર્મના ફાંટા ઘણા પડયા. તેમાં આર્ય પ્રજા ધર્મને નામે ભૂલી પડે, તે માટે માર્ગ દર્શાવવા લક્ષણ બતાવવું પડે. હવે ધર્મના ત્રણ વિભાગે પાડવામાં આવ્યા છે. સવરૂપધર્મ, અનુષ્ઠાન ધર્મ અને વિચારક્ષમ અને તેના ક્યા કયા લક્ષણે છે તે હવે પછી બતાવાશે.
જ આગદ્ધારક વાણું જ જેઓ જિનેશ્વર પ્રભુના વચનેને જાણતા નથી-છવાદિ ઇવેની સમજણ નથી અને પાપપ્રવૃત્તિમાં મળી રહે છે, તેઓ તે દયાને પાત્ર છે. પણ! જેઓ જિનવચનને જાણે છે, સમજે છે, પણ સંસ્કારોની ગુલામી ખંખેરી શકતા નથી તેઓ તે ખૂબ જ શોચનીય સ્થિતિમાં છે.”
Page #194
--------------------------------------------------------------------------
________________
ગ્રંથના આરભે મંગલાચરણ શા માટે ?
માર્મિક વિચારણા ( ૨ )
[ક્રાઇપણ ગ્રંથના પ્રારંભે મંગલાચરણ હોય છે જ! ન્યાય દર્શનમાં તા મંગળ મહત્વના વિષય છે, લૌકિક અને શાસ્ત્રીય દૃષ્ટિએ મંગળનુ રહસ્ય સમજાવનાર આ લઘુ નિબંધ સિદ્ધચક્ર (વર્ષાં ૧૧ અ. ૧૧) માંથી અહીં તત્વપ્રેમી જિજ્ઞાસુએના હિતાથે રજૂ કર્યાં છે. સં]
મોંગલાચરણની આવશ્યકતા :
વિદ્વાનાના નિયમ છે કે કાઈ પણ ઈષ્ટ વસ્તુની સિદ્ધિ મટે પ્રયત્ન કરાતા હેાય ત્યારે ઇષ્ટ દેવતાની સ્તુતિ કરીને જ પ્રવતવું. એને જ શાસ્ત્રકારો શાસ્ત્રની પરિભાષામાં મંગલાચરણુ ' કહે છે. મગલાચરણને માટે કેટલાકા વિવાદ કરે છે. તેઓનું કહેવું એવું છે કે મર્જીંગલાચરણ કરવાથી કંઇ પણ વિશેષ ફૂલ જોવામાં આવતું નથી તા તે નિરક મ'ગલાચરણ કરવાની જરૂર શી ?.
'
કદાચ જણાવવામાં આવે કે ગ્રંથની સમાપ્તિનું કારણ મંગલાચરણ જ છે. જે મનુષ્યને જે કાર્યની સિદ્ધિ કરવી હાય તેણે તેના કારણા જરૂર મેળવવા જોઈએ. આથી ગ્રંથની સપૂર્ણતા કરવાની ઇચ્છાવાળાઓએ મંગલાચરણ જરૂર કરવું જોઇએ, તે સિવાય વિઘ્નાના નાશ નહિં થાય અને વિધ નાશ ન થાય તા વિઘ્નાથી મારેલું સમાપ્તિરૂપ કામ પણ થાય નહિ.
Page #195
--------------------------------------------------------------------------
________________
૨૦
આગમ
ત
પણ આ વાત પાયા વિનાની છે. કારણ કે કારણ તે તે જ કહેવાય કે કાર્યની ઉત્પત્તિ થવામાં તેની ઉપયોગિતા જરૂરી હોય અને તે ન હોય તે કદાપિ કાર્ય બને નહિં. આ સ્થળે તેમ નથી, કેમકે નાસ્તિકના ગ્રંથમાં મંગલાચરણ નથી છતાં પણ સમાપ્તિ થએલી દેખાય છે, ને કાદંબરી આદિમાં મંગલાચરણ છતાં પણું સમાપ્તિ થએલ નથી. માટે સમાપ્તિનું કારણ મંગલાચણ નથી ને તેથી તે નકામું છે ને તેને કરવાની જરૂર નથી.
આવી રીતે જ્યારે કેટલાકે મંગલાચરણને માટે શંકા કરે છે, ત્યારે સૈદ્ધાતિકેનું માનવું એમ છે કે “શાંતિ વઘુવિર મવત્તિ માતાજ” અર્થાત્ મેટા પુરૂષને પણ કલ્યાણકારી કામો ઘણાં વિદનેવાળાજ હેય છે. કઈ પણ ગ્રંથકાર પિતાને ગ્રંથ લોકેના ઉપકારને માટે કરતે હોય ને તે ઉપકાર માટે બનાવવામાં આવતા ગ્રંથ કલ્યાણકારી કામ તરીકે છે, એથી વિજો જરૂર સંભવે છે ને તેને નાશ કરવા જરૂર પ્રયત્ન કરે જોઈએ. તે પ્રયનનું નામ મંગલાચરણ” છે. કેટલીક જગો પર મંગલાચરણ નહિ છતાં જે સમાપ્તિ દેખવામાં આવે છે ને મંગલાચરણ છતાં સમાપ્તિ નથી દેખાતી તે તેમાં મંગલાચરણનું કારણ પણે ચાલ્યું જતું નથી. કેમકે જે જગે પર વિદને ઘણાંજ શેડાં હોય તે તે મંગલાચરણ વિના પણ ભેગવવા આદિથી નાશ પામે ને જે ઘણા હોય તે થોડા મંગલાચરણથી તેને નાશ ન થાય જેમકે અનિને એકાદ નાને તણ પિતાની મેળે નાશ પામે ને વિશેષ અગ્નિને થોડા પાણીથી નાશ ન થાય તે તેથી અગ્નિને પાણી નાશ કરતું નથી તેમ કહે વાય નહિ. જેમ અગ્નિ અને પાણીને નાશ્યનાશકપણે વિરોધ છે તેમ મંગલાચરણ પણ વિદોની સાથે નાસ્થનાશકપણે વિરોધી છે. માટે દરેક ગ્રંથકાર ગ્રંથની શરૂઆતમાં મંગલાચરણ કરે છે ને તે કરવું જ જોઈએ.
આ રીતે મંગળાચરણ કરવું જોઈએ તે વાત નક્કી થઈ છતાં તે લખવાની શી જરૂર? એમ કદાચ કહેવામાં આવે તે તેના
Page #196
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩, જુ
ઉત્તરમાં એટલું જ કહેવાનું કે સાંભળનાર તથા વાંચનારને પણ તે ગ્રંથ માંગલિક છે, એમ જરૂર લાગવું જોઈએ અને તે મંગલાચરણ -જોઈને શિષ્ય વગેરે પણ ગ્રંથ કરતાં તેવી રીતે જ પ્રવૃત્તિ કરશે. મંગલ કરવાથી જ ગ્રંથકાર કયા મતને અંગીકાર કરીને ચાલે છે? તે તથા અમુક સિદ્ધાંત તેને પ્રતિતંત્ર સિદ્ધાંત છે તે પણ તે ઉપરથી માલુમ પડે છે. ને તેથીજ શ્રીગણધર મહારાજ વગેરેને મંગલ કરવાની જરૂર હેતી નથી, કારણ કે તેઓને વિાની સંભાવના નથી. તેમજ તેઓ શાચરચનામાં સવતંત્ર છે. ફક્ત તીર્થકર મહારાજે જણાવેલી ત્રિપદી (૩૦ ટુવા, વિરમે ૬ વા, પુરૂ વા૪) ઉપરથી આગમની રચના છે. એમ જણાવવા તેઓ શ્રી તીર્થકર મહારાજના ગુણ જણાવે છે કે તેમણે (શ્રીતીર્થકર મહારાજે) કહ્યું તે પ્રમાણે પિતાની વક્તવ્યતા જણાવે છે, કે જેથી માત્ર કેવલીઓથી જ દેખી શકાય તેવા પદાર્થોનું કરાનું વિવેચન પણ માન્ય થઈ શકે.
મંગલને માટે ઈષ્ટ દેવને નમસ્કાર કરવાથી શુદ્ધ શ્રદ્ધાવાળાએને તે ગ્રંથ માન્ય કરવા લાયક થાય, કેમકે સ્વમતિથી કરેલું વિવેચન કઈ પણ પ્રકારે શુદ્ધ શ્રદ્ધાવાળાઓને માન્ય કરવા લાયક થતું નથી. અતીન્દ્રિય પદાર્થો (જીવ, ધર્મ, સંવર, મોક્ષ આદિ) ના જ્ઞાન વિના તે સંબંધી કરેલું વિવેચન કેઈ પણ શાણે મનુષ્ય માની શકે નહીં ને તેટલાજ માટે શ્રી કેવલી મહારાજે કહે ધર્મ પ્રમાણ તરીકે માન્ય થવા સાથે મંગલ, લકત્તમને શરણ કરવા લાયક ગણાય છે. આ ઉપરથી ગુરુપર્વદમ નામના સંબંધની સુસંગતતા જણાઈ આવશે.
વિગમ' શબ્દથી ધર્મ લીધે અને “ધ્રુવ’ શબ્દથી ધર્મી લીધો છતાં ઉg શબ્દને બદલે ૩qણ કેમ ન લીધું? સામાન્ય રીતે ઉત્પન્ન થયેલ પદાર્થ વ્યવહારનો વિષય છે, તેથી આવા ભેદ પાડયા હોય એમ જણાય છે. નિત્યત્વ વસ્તુરૂપે છે, છતાં એ વ્યવહારને વિષય નથી..વિગમ એટલે અભાવ કે જે ભાવથી ભિન્ન નથી, છતાંએ એમાં મુખ્યતા અભાવની છે.
Page #197
--------------------------------------------------------------------------
________________
આગમ જ્યોત
કૃતજ્ઞતા :
મંગલ કહેવાથી ગ્રંથકારને કૃતજ્ઞ ગણી શકાય છે, કારણ કે જે મનુષ્યને જે દ્વારા ઉપકાર થયે હેય તેને ઉપકારી તરીકે માનીને દરેક કાર્યમાં યાદ કરે, નમસ્કાર કરે, ગુણસ્તુતિ કરે તેજ તે કૃતજ્ઞની પંકિતમાં આવે. દરેક મનુષ્યને શ્રી જિનેશ્વર મહારાજના શાસનપ્રવર્તનના પ્રયત્નથી જ ઉપકાર થયેલ છે. તે દરેક કાર્યમાં તેમની (શ્રીજિનેશ્વરની) સ્તુતિ કરવી યોગ્ય હેવાથી મંગલાચરણ કે જે તેઓની સ્તુતિમય હેય છે, તે કરવું તથા બીજાએને જણાવવા લખવું, તે યોગ્ય જ કહેવાય. ગુણકીર્તન :
મંગલ કરવાથી શ્રોતાને ઉત્તમ પુરુષનું ગુણકીર્તન થાય છે, ને તેથી આત્માની શુદ્ધિ થવા સાથે તેઓ સાવધાન થઈ પરમલાસથી સાંભળે છે અને તેની ઉપર આદરબુદ્ધિની તીવ્રતા થાય છે. એટલાજ માટે શાસકારે કહે છે કે શિષ્યની બુદ્ધિમાં મંગલતા ઉત્પન્ન કરવા માટે મંગલ કરવું જ જોઈએ. ઇષ્ટ અને અધિકૃત દેવતા :
મંગલ કરતાં ઉત્તમ પુરુષોના જણાવેલા ગુણે સાંભળી શ્રોતાઓને સાધ્યબિંદુને નિશ્ચય કરવાનો મુદ્દો મળે છે, ને તેથીજ જેવા પ્રકારનું શાસ હોય છે તેની આદિમાં તેના અધિષ્ઠાતાને નમસ્કાર કરવારૂપ મંગલ કરવામાં આવે છે. આ અધિકૃત દેવતા સ્તુતિરૂપ મંગલ કહેવાય છે. જૈન શાસ્ત્રમાં તે ઈષ્ટ અને અધિકૃત બને પ્રકારના દેવતા શ્રીજિનેશ્વર મહારાજ હોય છે, કારણ કે તેઓના ગુણોનું કીર્તન કરવા સાથે તેને જ સકલ વિદ્યાના મૂલ માનવામાં આવે છે, સહસ્રોગમે હસ્તિપ્રમાણ મણીથી ન લખી શકાય અને સર્વ વિદ્યા આદિનું નિધાન ચતુર્દશ પૂર્વની રચના તેઓનાં વચન ને જ્ઞાનને આભારી છે. કેઈ પણ એવું સવાય દુનિઆમાં નથી કે જે શ્રીદ્વાદશાંગીમાં ન હોય.
Page #198
--------------------------------------------------------------------------
________________
પુસ્તક 8 જુ
૨૩
આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે શ્રી-જિનેશ્વર મહારાજના ગુણ અનુકરણ કરવા લાયક છે ને તેઓ જ સકલવિદ્યાની આદિના મૂળભૂત છે. તે તેઓને નમસ્કાર કર્યા વિના કેઈ શ્રેયસ્કર ઈષ્ટની સિદ્ધિ થઈ શકતી નથી. આજ કારણને ઉદ્દેશીને જૈનાચાર્યો કોઈ પણ વ્યાકરણ, છંદ, કાવ્ય, ન્યાય કે ધર્મશાસ્ત્રના ગ્રંથમાં શ્રીજિનેશ્વર મહારાજને નમસ્કાર કરીને મંગલાચરણ કરે છે. ઉપર જણાવેલા મુદ્દાથી જણાશે કે કેટલીક જગો પર દેવ અને ગુરુ બન્નેને પણ નમસ્કાર કરવામાં આવે છે, તે પણ ઈષ્ટ અને અધિકૃત દેવતારૂપે ધારીને છે.
આદિ-અધ્ય અને અંતિમ મંગલાચરણના ફલ :
ઉપર જે મંગલાચરણ કરવાની જરૂર બતાવી છે, તેને માટે વિચાર કરીએ તે શાસ્ત્રકારો સમાપ્તિ, વિદનવંસ, વિદનપ્રાગભાવ શિષ્ટાચારપરિપાલન અને કૃતજ્ઞતા આદિ જુદા જુદા ઉદ્દેશથી કરે છે. ને એક મંગલથી બધાં ફળ મળે છે તેમાં આશ્ચર્ય પામવા -જેવું નથી, કેમકે કેટલીક ક્રિયાઓ ચારિત્ર અગર તપની માફક એવી શક્તિવાળી હોય છે કે જેથી અનેક ફલની પ્રાપ્તિ પણ થઈ શકે. આ ઉપર જણાવેલા ફલે પણ અમુક હદ સુધીનાજ સમજવા કે જેથી ગ્રંથની આદિ-મધ્ય અને અંતમાં કરાતા મંગલેના જુદા જુદા ફની પ્રાપ્તિ માટે કોઈ જાતની શંકા ઉદ્દભવવાને વખત આવશે નહિ.
તેથી જ શાસ્ત્રકાર આદિ મંગલનું વિઘવંસપૂર્વક સમાપ્તિ, મધ્ય મંગલનું ગ્રંથાર્થર્ય અને અંતિમ મંગલનું શિષ્ય પરંપરા -હારાએ શાસ્ત્રીને અવિચ્છેદરૂપી ફલ માને છે. આદિમાં શ્રોતાને પરમ પુરુષના ગુણ સાંભળવાથી થએલે આહ્લાદ વિધ્રને નાશ કરીને સમાપ્તિ કરાવનાર, મધ્યમાં શારહસ્યના જ્ઞાનથી થએલે આહલાદ તેના પ્રણેતાના તીવ્ર બહુમાનને અને તેના વચનની પરિવર્તના કરવામાં પરિણામની દૃઢતા અને અંત્યમાં શાસ્ત્રાર્થ સમાપ્તિને લીધે દેવગુરુના બહુમાનથી અંતઃકરણમાં થએલો અપૂર્વ આહલાદ તેઓની
Page #199
--------------------------------------------------------------------------
________________
૨૪.
'આગમ ચેત
કૃતાર્થતાને ઉપકારીપણાનું સ્મરણ થવાથી જગતને જીની ઉપર પડતી અદ્વિતીય છાપથી જુદાં જુદાં ફલે પ્રાપ્ત થાય, તેમાં કાંઇ પણ નવાઈ જેવું લાગશે નહિં.
મંગલનું ફલ માત્ર વિનવંસ છે, અને એ સમાપ્તિ તે બુદ્ધિપ્રતિભા આદિ કારણથી થાય છે. જે વિદ્યાર્વિશ ન થાય તે સમાપ્તિ ન થાય એમ છે. છતાં વિનર્વસવાળાને પણ બુદ્ધિ આદિ ન હોય તે સમાપ્તિ થાય નહિ. આટલા માટેજ ગ્રંથકાર મહારાજાએ નિવિદન સમાપ્તિ રૂપી મંગલનું ફલ કહે છે. અર્થાત તાત્પર્ય તપાસતાં વિનને નાશ કરે એજ ફલ રહે છે. ને તે માટે શાસકારે “સત્યથાવિષપારામબાગ બિરિંટું” (વિસાવય ભાસ ગા. ૧૩) આ વાકયથી વિનવાસ જ ફલ જણાવે છે. જો કે તમામ સ્થાને સમાપિત લેવામાં આવે છે છતાં “વિધિ પ્રતિષધો at વિશેષ પ્રતિ હંમરે” એ ન્યાયથી વિદન વંસરૂપી વિશેષણમાં વિધાન સમજવું. આવી રીતિએ જ્યારે કેટલાકે મંગલનું વિતવંસજ ફલ માને છે. ત્યારે કેટલાક શાસ્ત્રકારો “સમાપ્તિનો મંછ. માત” આ રીતના અનુમાન પ્રમાણથી જણાતી યુતિથી મંગલનું સમાપ્તિલક્ષણ ફલ માને છે. અને જે જે જગ પર નિવિન શબ્દથી વિનર્વસ” લેવામાં આવે છે, તે સર્વસ્થાનકે તેઓ વિધ્રધ્વસને સમાપ્તિ રૂપી કાર્યનું દ્વાર જણાવે છે.
મંગલ એ કારણ છે અને સમાપ્તિ એ કાર્ય છે. મંગલથી. સીધી સમાપ્તિ થતી નથી, પણ મંગલથી વિક્ટ્રધ્વંસ થાય છે ને. તેનાથી સમાપ્તિ થાય છે. તેથી વિશર્વસ એ દ્વારા કહેવાય છે. જો કે બુદ્ધિ-પ્રતિભાદિ કારણેની સમાપ્તિ કરવામાં જરૂર પડે છે, તે પણ તે (બુદ્ધિ આદિ) જ્ઞાનવભાવ આત્માના જ્ઞાનાવરણીય કર્મરૂપી પ્રતિબંધક દૂર થવાથી સવતંત્ર બહાર આવે છે. આ સ્થલે જેઓ “રિલિતનિબંનિધ્રાધાજી મંઢ” કહેતા હતા તેઓને પરંપરાએ પ્રતિબંધકપણું લેવું પડતું હતું, કારણ કે જ્ઞાન, આરોગ્યતા આદિ પ્રાિિસતમાં પરંપરાએ સાધન છે, પણ જેઓ
Page #200
--------------------------------------------------------------------------
________________
૨૫
પુસ્તક ૩ જુ પ્રાપિશ્વિત વિશેષણ ન લેતાં કેવલ પ્રતિબંધક-નિવૃત્તિને લેતા હતા, તેઓને તે પરંપરા સુધી દેડવાની જરૂર જ નથી.
આ સ્થલે એટલે વિચાર કરવાની જરૂર છે કે પ્રારિખ્રિત વિશેષણ ન લગાડીએ તે સંવર અને નિર્જરાના સર્વ કારણે મંગલ થઈ જાય, પણ તેની હરકત નથી, કારણ કે જ્ઞાન આદિને પણ “મંગલ માની લેવા સાથે તેને નિર્દેશ માત્ર પણ “મંગલ” તરીકે માનવામાં આવે છે. તેથી શાસ્ત્રોમાં “સુચં” એવું સાંભળવાના અર્થવાળું પદ પણ કૃતજ્ઞાનવાચક લઈને “મંગલ” તરીકે ગણાવાયું છે. વળી કેટલીક જગો પર “સમ્યક તથા કેટલીક જગો પર “ધમ આદિ શબ્દોને પણ “મંગલ” તરીકે ગણવામાં આવેલા છે.
તત્વ એ કે સંવરને નિર્જરાના કારણેને “મંગલ' તરીકે લઈ તેનાથી થતી પ્રતિબંધકની નિવૃત્તિ ફલ તરીકે માનવામાં આવે છે. આ પક્ષથી એક ફાયદો એ થાય છે કે વતઃ વિનાભાવવાળાને પણ મંગલાચરણ કરવામાં હરકત આવતી નથી, કેમકે તૃતીય ઔષધ માફક આ મંગલ પ્રારિપિસતના પ્રતિબંધકની હયાતીમાં તેને દૂર કરે છે, નહિંતર આત્માના શુભ અધ્યવસાયની પુષ્ટિ કરી નવા આવતા પ્રતિબંધકોનું કાણુ અગર આવેલાને નાશ કરી અધિક નિર્મલતા કરી જ્ઞાનેદય કરે છે કે જેથી બીજા ગ્રંથમાં પણ તેને સરલતા થવા સાથે શીધ્ર સમાપ્તિને વખત આવે છે.
આ વાત તે અનુભવસિદ્ધ છે કે દરેક ગ્રંથકારને આગળ ઉપર કરવામાં આવતા ગ્રંથમાં અલ્પ વખત લાગવા સાથે ચમત્કારને વધારો થાય છે. જો કે બીજા અભ્યાસને તેનું (શીવ્રતા અને ચમત્કારનું) કારણ જણાવે, છતાં તે અભ્યાસ તેનું સાક્ષાત્ કારણ બનતું નથી. પણ તેના ક્ષપશમરૂપ કારણનું કારણ થાય છે. ને તેથી શાપશમને હેતુ તરીકે તે વધારે સારો છે. ઉપર જણાવ્યા પ્રમાણે જે ક્ષોપશમ હેતુ માનીએ ને તેને માટે મંગલાચરણની જરૂર માનીએ તે અતીન્દ્રિયજ્ઞાનીઓ અને ગણધર મહારાજે
Page #201
--------------------------------------------------------------------------
________________
૨૬
સાગમ જ્યાત
આદિને વિશેષ મ`ગલાચરણની જરૂર નહિ પણ રહે. ને તેથીજ મૂહ ગ્રંથામાં નમસ્કારાદિ રૂપે મગલાચરણા હોતાં નથી.
6
બીજું નાસ્તિક આદિના ગ્રંથામાં મંગલાચરણ નહિં હાવા છતાં પણ અન્ય કારણેાથી તેના તેવા ક્ષયે પશમ થવાથી તેઓના ગ્રંથાની સમાપ્તિ થઇ શકશે. ક્ષયે।પશમના અનેક કારણેા છતાં નિયમિત ઈષ્ટ દેવતા સ્તુતિ આદિ મંગલાચરણ કરવાનુ કારણ એજ કે તેઓને (મહાપુરુષોને) ઉદ્દેશીને તેની પ્રાપ્તિ થઈ શકી છે, થાય છે, અને થશે. કેટલાક આચા શાસ્ત્રમાત્રને મ`ગલ' માને છે, કેમકે તે પણ ક્ષયાપશમનું કારણ છે, છતાં જેએ પ્રથમથી પ્રવૃત્તિ કરનાર શિષ્યાની બુદ્ધિને પ્રફુર્ત્તિત કરવા મંગલ કરવા જણાવે છે ને સાથે જણાવે છે કે યદ્યપિ શાસ્ત્ર સ્વત: મંગલભૂત છે, તે પણુ તેને મંગલ બુદ્ધિએ ગ્રહણ કરવામાં આવે તાજ ‘મ’ગલ' તરીકે કામ લાગે, પણ જો ખીજી રીતે ગ્રહણુ કરવામાં આવે તે તે ‘મ’ગલ' તરીકે કામ લાગે નહિં, જેમ સાધુને શુદ્ધ બુદ્ધિએ ગ્રહણ કરનાર સારૂં' ફલ પામે છે. પણ અપશુકન બુદ્ધિએ ગ્રહણ કરે તે અપશુકનનું થાય છે, તેમ આ મગલને માટે પણ સમજવું. તેથી મંગલભૂત શાસ્રની શરૂઆતમાં મંગલ કરવાની જરૂર છે. તેવી રીતે મંગલ કરવાથી શાસ્ત્ર માંગલશૂન્ય છે કે કેમ ? એવી શંકા રહેતી નથી. વળી સ્પષ્ટ પ્રણિધાન વગેરેથી શિષ્યને મંગલ બુદ્ધિ થઈ જવાથી ખીજા' મંગલે કરવાની પણ જરૂર નથી. કેટલાક તે કહે છે કે શાસ્ત્ર સ્વત: મંગલભૂત છે, પણ તે (શાસ્ત્ર) વિદ્યા અને અને મત્રરૂપ હેાવાથી તેના પ્રણેતા આચાર્યોને નમસ્કાર કરીએ તેજ યથાવસ્થિત સિદ્ધિ મેળવી આપે. (આવસય શુશ્રુત્તિના ગા. ૧૧૦૮માં કહ્યું છે કે “ચિળમુશર્રળ વિજ્ઞાન મંતો ય સિતિ” અર્થાત્ આચાર્યના નમસ્કાર કરીને વિદ્યા અને મત્રો સિદ્ધ થાય છે. જે ૫૨માચાય ને નમસ્કાર કરવા તેજ મંગલાચરણુ છે, ને તેથી મંગલાચરણુ શાસ્રની સમાપ્તિ કરનાર · થાય તેમાં આશ્ચય નથી.
Page #202
--------------------------------------------------------------------------
________________
જીવ માત્ર ને શું ગમે છે? .
( ૩ )
(પૂ. આગમહારક આચાર્ય ભગવંતે બાલકો સમજી શકે, તેવી શલિથા મોક્ષની ઉપાદેયતા આ વ્યાખ્યાનમાં સમજાવી છે.
સ્વ. પૂ. બાલમુનિ શ્રી મહેન્દ્રસાગરજી મહારાજે આ વ્યાખ્યાન લખીને તૈયાર કરેલ, તે વ્યવસ્થિત રૂપે અહિં રજૂ થાય છે. સં.)
ઈષ્ટનું બહુમાન શાથી?
શાસકાર મહારાજા આચાર્ય સેમમપ્રભસૂરિ ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ દેતા થકાં સૂચવી ગયા કે-આ સંસારમાં દરેક વિવેકી જનને ધર્મ ઈષ્ટ છે. કારણ જગતમાં સામાન્ય નિયમ છે કે જે વસ્તુ ઈષ્ટ હેય તેના જુઠા શબ્દો પણ સારા લાગે. અનિષ્ટના જુઠા શબ્દો પણ ખરાબ લાગે. ધનાદિ ઈષ્ટ છે તેથી કોઈ આશીવદ દે કે તું ચિરંજીવી, કુટુંબ, ધનવાળો થા! તે તેથી સંતોષ માને છે. કહેનારાના કહેવાથી થવાનું નથી. “ધનાઢય થા!” તેથી ધનાઢય થઈ જતો નથી. પણ તે વખત આંખ લાલ થતી નથી. આ શબ્દો પર તત્વ નથી. અમર થા! કહે તેયે એ શબ્દોમાં સત્યતા નથી. એના કહેવાથી ચિરંજીવી કે અમર થવાના નથી. તેમ કેરિધ્વજ થવાનું કહ્યું, તે કહેવાથી થઈ જવાતું નથી છતાં આંખમાં મીઠાશ કયાંથી આણું? ઈષ્ટ વસ્તુના જુઠા શબ્દો સાંભળવાથી અનિષ્ટ લાગે છે. કઈ ગાળ દે કે નખોદ જાય. તે વખત આંખ લાલ કેમ થાય છે? અનિષ્ટ વસ્તુના જુઠા શબ્દો ઇતરાજ કરે છે. આ વાત લઈને ધર્મમાં આવીએ.
Page #203
--------------------------------------------------------------------------
________________
૨૮
આગમ
ત
ધર્મ ઈ જ છે, એમ કેમ ગણુ?
ધર્મ આખા જગતને ઈષ્ટ છે. ધમી હોય કે ન હોય પણ ધમી કહે તે કલેજે ઠંડક વળે છે. “અપસરિયો દુ ઘો” ધર્મ આત્માની સાક્ષીએ છે. બીજે ધર્મ થયેલે જાણે કે ન જાણે તેની જરૂર હોતી નથી. ધર્મ એ આત્માની સાક્ષીવાળી ચીજ છે. ચકવતી નરકે જ જાય? એ વાતને પરમાર્થ :
ચક્રવતી સરખે નરકને દૂત કેમકે બીજાને અંગે નરકને નિયમ નહિં, પણ ચક્રવતી અને વાસુદેવ નિયમા નરકે જાય.
શંકા–ભારત-સનત કુમાર વિગેરે સદ્ગતિએ ગયા છે. નરકે તે ફક્ત બે જ ચક્રીએ ગયા છે. સુભમ અને બ્રહ્મદત્ત. ૧૦ ચક્રવ. તમાં કેટલાક દેવકે અને કેટલાક મોક્ષે ગયા છે તે આ નિયમ કેમ બાંધે છે કે નરકે જાય,
સમાધાન–અક્કલથી વિચારીએ તે માલમ પડે કે બે વચનમાંથી એક ખાટું દેવું જોઈએ. અક્કલને ઉપયોગ કરીએ તો માલમ પડે. ચક્રવતી કેને ગણીએ? ચક્રથી જે વર્તે તે, ચક્રવર્તીપણું છેડી દીધું. પછી ચક્રવર્તી કયાં રહ્યો? કઈકે ૨૫-૫૦ વરસ લગી વિષયાદિકમાં પ્રવૃત્તિ કરી, પછી ત્યાગી થઈ દેવક ગયે, તે તે ફળ શાનું? વિષયાદિકનું કે ત્યારપણાનું? તેનું કારણ?
મુખ્યતાએ બાળપણમાં ત્યાગી થાય તે નિલેપ. આથમ્યા પછી અસુરૂં શું? લૂંટાયા પછી શ? તેમ નહ પાછળ પણ એટલી અવસ્થામાં પણ જેને એ વિવેક જાગે કે આ છોડવા લાયક છે, અને છેડે તે તે પણ ભાગ્યશાળી ગણાય! પાઘડી અને બેતાણું તેમાં ફરક કેટલે? કહે કે જેને કસબી છેલ્લે ભાગ પાઘડી આખું સુતર કસબ પાંચ છ આંગળમાં પણ જે પાઘડીએ કસબ ન હોય તે બેતાણું, તેમ અહીં જીંદગીમાં છેલ્લા લાગે જે ધર્મની આરાધના કરી શક્ય તે સદ્ગતિ મેળવી. આખા દસ્તાવેજમાં સહી નથી, તે
Page #204
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જુ
૨૯
-દસ્તાવેજ નહિ. તેમ છેવટ સુધી આરંભાદિકમાં રહ્યા તે નરકના દસ્તાવેજમાં સહી થઈ ગઈ. છેવટને ભાગ સુધારી લીધે તે સદ્દગતિ મેળવી શકે છે. ધર્મને મહિમા :
બાર વરસ સુધી ઘોર યુદ્ધ કરનારા રાજ સાત સાત આદમી મારનારા અજુન માળી અને રોજ ચાર હત્યા કરનારા, એવા પણ તય શાથી? રોગને સદ્દભાવ ઔષધને મનાઈ કરનાર ગણાય ખરે? ઘણા - વરસના રોગોનું એસડ સાવચેતીથી કરવું એ વાત લેવાય કે એસિડ લેવું નહીં એ અર્થ લેવાય? જેને પિતાની જીંદગીમાં વિષયાદિકમાં વધારે પ્રવૃત્તિ કરી હોય તેને પવિત્ર થવાને ધર્મની વધારે જરૂર! ધર્મ એ એક અપૂર્વ ચીજ છે કે આપણે અહીં તે અમુક વર્ષોની વાત - છે, પણ લાયકાત ક્રેડ પૂર્વના આયુષ્યવાળાની પણ છે. ગાળો કરવા માત્રથી ધર્મને અંગે નાલાયકી ગણી લઈએ તે ધર્મની શક્તિ કઈ? ધર્મની શકિત એટલી માનવી છે કે લાખ ભાના કર્મોને મથી નાંખે. ગયા ભવમાં સહી સિકકા થઈને સીલ થએલા આ ભવને અંગે -રસ્તે લઈ શકીએ. જેને અંગે ક્રોધ કર્યો હોય તેની માફી માંગીએ તે આ ભવને અંગે સહી સિક્કા થયાં નથી, પણ પહેલાના ભવના વેર વિરે ચેરી ક્રોધે તે સીલ થઈ ગયા છે. આ ભવનું પાપ -કૃત્ય સીલ વગરનું છુટું છે. ગયા ભવના પાપો સીલ થઈ ગયાં છે. પણ ધર્મના પ્રભાવથી આ ભવના પાપ તેડે એમાં નવાઈ નથી. પણ લાખો ભવના સીલ શિક્કાવાળા પાપ તોડવાની તાકાત ધર્મમાં છે. એક દિવસના પણ સંયમનું મહત્વ :
" एगदिवसंपि जीवो पवज्जमुवागओ अणण्णमणो।
जइ गवि पावइ मुक्खं अवस्स वेमाणिओ होइ ॥" . એક દિવસ (એટલે વધારે ન કરવું એમ નહીં) પણ આચરેલે “ધમ આટલી તાકાતવાળો છે, એમ જણાવે છે. “ચા” શબ્દને અર્થ એ જ કે એક દિવસને પણ યતિ દુર્ગતિને રોકનાર છે ધર્મ.
Page #205
--------------------------------------------------------------------------
________________
૩૦:
આગમ ચેત
ગૃહસ્થને ધર્મ કે? ખાળે ડૂચા અને દરવાજા ખુલી ગૃહસ્થ બાર વ્રતધારી પણ તે કીડીની વિરાધના ન કરે. મકડા સરખાની વિરાધના ટાળવા કુમારપાળ મહારાજા સરખા ચામડી કાપી નાખે. તેજ વ્યક્તિ બાયડી છોકરાના કેસ વખતે બચાવવા જાય કે શિક્ષા થવા દે? પતે માત્ર કાયાથી દયા પાળી, પણ આખા સંબંધીઓને અંગે પિતે બેટે બચાવ કરવા તૈયાર છે. પિતે પાંચસેનું નુકશાન હેય તે જુઠું ન બેલે, પણ કરે છેટી રકમમાં પકડાયે તે. બચાવવા ઉભેજ છે. બેટી સાક્ષીમાં ભાઈભાંડુ સપડાયા હેય, તે બચાવવા ઉ રહે. માત્ર પિતાના શરીરે પોતે ન કરવું. સંસારમાં
જ્યાં સુધી રહેવાને ત્યાં સુધી એ ફરજ આવી પડવાની. અઢાર પાપ સ્થાનકનું રાજીનામું તેનાથી બનતું નથી. પોતાની કાયાથી પિતે જ ન કરે તે માત્ર જાળવે. પિતાને બ્રહ્મચર્ય હેય, છોકરાએ સાક્ષાત્ કાર્ય કર્યું પિલીસે પકડે તે કેમ બચાવું? અધિકારીને ફિડું, સાક્ષીઓ કરૂં. સંસારની જાળમાં રહેલે પાપસ્થાનક છેડે તે ખાળે ડુચા તરીકે છે. તે નકામા નથી. કારણ તેને થાય છે કે
આ ખોટું થાય છે. મેહને લીધે કરૂં છું. છોકરાએ અપકૃત્ય કર્યું છે, પણ કુટુંબની આબરૂને અંગે આ કરવું પડે છે.” અંદરની જડ કપાએલી રહે છે. તે ધર્મ સમજે તેને રહે છે. એ માટે જ્યાં સુધી સંસારની કમિટીમાંથી રાજીનામું આપ્યું નથી, ત્યાં સુધી તેને અંગે જવાબદાર છે. પેઢી ખોલી તેમાં ફાયદા નુકશાનના જવાબદાર-જોખમદાર તમે છે, તેમ અઢાર પાપસ્થાનક કંપનીના ભાગીદાર છે. તેમાંથી રાજીનામું ન આપે ત્યાં સુધી ભાગીદાર છે. “અriાગો શારિત્ર્ય ઘal” ઘરથી નીકળવું, નીકળીને સાધુપણું લેવું બે વાત કહેવી પડે છે.
શંકા-અણગારીપણું લીધું એટલે ઘર છેડયું આવી ગયું, છતાં અહીં બે વાત શા માટે કહેવી પડી? પહેલાં રાજીનામું દે અને પછી નવી કંપનીમાં દાખલ થાય. જ્ઞાન દર્શન ચારિત્ર અગીકાર કરવાના અને સાવદ્ય ગ ત્યાગ કરવાના બે પચ્ચકખાણ
Page #206
--------------------------------------------------------------------------
________________
૩૧
પુરતક કે શું રાખીએ છીએ. ઘરથી નીકળી દીક્ષા અંગીકાર કરે. તીર્થકરમાં બે વાત જણાવવી પડી. એમ સમજી અઢાર પાપસ્થાનકમાંથી નીકળી એક દિવસ પણ તે કંપનીમાંથી નીકળ્યો, વળી જેનું મન અનન્ય હોય, ચારિત્રમાં કઈ બુદ્ધિ રહેવી જોઈએ?
અભવ્ય જીવે મિથ્યાદષ્ટિ જ દ્રવ્ય ચારિત્રના ફળ તરીકે નવ રૈવેયક સુધી મેળવી શકે છે, ત્યાં કર્મક્ષયની બુદ્ધિ નથી. પૂજાની માનતાની દેવલોકાદિકની ઈચ્છાએજ સાધુપણું લે, તેવા સાધુપણાથી તે જીવ નવ રૈવેયક સુધી પહોંચી શકે છે. લાંબે પ્રવજ્યાપર્યાય હેય અજ્ઞાને કરેલું પાપ, અન્ય ઈચ્છાએ કરેલું પાપ. અણસમજથી વિરૂલ ઈરછાએ કરેલું પાપ પણ જીવને ભેગવવું પડે છે. વગર ઈચ્છાએ બળાત્કારે કરેલું અણજાણપણે કરેલ અબ્રહ્મ વ્રતને નાશ ને દુર્ગતિ દે છે. તેથી સત્ પુરૂષને જીવનના ભેગે બ્રહ્મચર્ય પાળવું છે. બીજે ફોસલાવી પતિત કરી નાખે તે પતિતપણું ન થયું તેમ નહીં. અગર પાપ બળાત્કારે અજ્ઞાનતાથી કે લાલચથી થાય તે પાપ લાગે છે. ને તેનું ફળ ભેગવવું પડે છે. પણ પાપને પરિહાર અન્ય ઇચછાએ પણ કર્યો હોય તે પણ તે આત્માને ફાયદો કરે છે. અભવ્ય મિસ્યાદ્રષ્ટિ ચારિત્રપાલન કરે પણ પૂજા, માનતા, રિદ્ધિ-સમૃદ્ધિની ઈચ્છાથી, મહાવ્રતની અપેક્ષાએ એ વિરૂદ્ધ ઇચ્છાએ કરેલે પાપને ત્યાગ નવ ગ્રેવેયકની સ્થિતિ આપે છે. જીભ ચાવીને પણ અબ્રહ્મને વખત આવે તે મરવું. અને તેમ મરીને અનંતા મેક્ષ ગયા. કારણ? બળાત્કારે થતા અબ્રહ્મમાં આટલે દેષ માન્ય, ત્યારે આવું વિધાન કર્યું ને ? અભય ચારિત્ર પાલન કરે, પણ ઈચ્છા અન્ય છે. તેની મેક્ષની-કર્મક્ષયની, કે ચઢતા ગુણસ્થાનની ઈચ્છા નથી. એકજ ઈચ્છા છે. બાળકને “દવા પી જાય તે લાડ આપું” એ વખતે તેનું મન એસડમાં નથી. એસડમાં ક્રિયા છે, તેમ અભવ્ય જાણે કે ક્રિયામાં ગડબડ થઈ તે દેવલોક નહીં મળે, વિરૂદ્ધ ઈચ્છાએ કરે તે નવ રૈવેયક મળે. અનિચ્છામાં અકામ નિર્જરા, એ દેવપણાનું કારણ શું? સરાગ સંયમ.
Page #207
--------------------------------------------------------------------------
________________
આગમ
ત.
દેવાયુબંધને હેતુ શે?
આ દેવતાના આયુષ્ય બાંધવાના કારણોમાં “મારાં કર્મ ક્ષય, થાય, એ બુદ્ધિ ન હોય, એટલુજ નહીં પણ વિરૂદ્ધ ઈચ્છા મને ખાવાનું મલે. શૂલપાણે યક્ષનું દ્રષ્ટાંત લે, ત્યાં બળદ શું ધારી રહ્યા છે? આ ખાવાનું આપશે, આ પાણી આપશે. અહીં ભૂખ તરસ સહન કરે છે પણ મન કયાં છે? આ મને ઘાસ નાંખશે ને આ. પાણી પાશે આવી રીતની સહન શકિતથી અકામ નિર્જરા થાય ને દેવલોક થાય, આપણે નિગોદથી નીકળ્યા તે શાથી? અકામ નિર્જરાના પ્રતાપે. બાદરમાંથી ત્રસમાં આવ્યા, મનુષ્યમાં આવ્યા તે. મુખ્યતાએ અકામ નિજાના પ્રતાપથી. અકામ નિરા શુભ ન કરી હેત છે કે મનુષ્યમાં આવી શકતે નહીં. કેવળ અકામ નિર્જરાથી ઉંચા આવે છે. જેને પરિણામ ખરાબ ગણીએ તે ઉંચે. આવતે નહીં. અકામ નિર્જરાએ જે મેળવીએ કેડી, એટલુંજ જે સકામ નિરાએ કરીએ તે કેડ, પણ વાત જમેની છે, ઉધારની. નહીં હૈ? આથી ફલિતાર્થ એ થયો કે વિરૂદ્ધ ઇચ્છા કે વગર ઈચ્છાએ બનેથી પણ કરેલે પાપને પરિવાર તે પણ ફાયદે
અજ્ઞાને કરેલા પાપ પણ દુર્ગતિમાં શાથી નાંખે છે!
હવે અજ્ઞાનમાં આવીએ. અજ્ઞાને પણ પાપન થાય તે કર્મ ન થાય, અને કર્મ ન થાય તે કર્મરાજાની તાકાત નથી કે તમને દુર્ગતિમાં મેકલી દે. એકેદ્રિય કે વિકપ્રિય નરકમાં જાય ખરા? કેમ નહીં? ન જવાનું કારણ શું? શું જ્ઞાન થયું છે? મહારંભ. પરિગ્રહ છોડ્યા છે? તેની શક્તિ નથી, જ્ઞાન નથી પણ ન કરે તેથી ન જાય. “રાજનાં તેવુ અમાવાત” એકત્રિય વિકસેંદ્રિયમાં નરકના કારણે નથી. પાપ ન કર્યું તે દુર્ગતિ રોકાઈ, અજ્ઞાન અશક્તિથી પાપ નથી કર્યું, તેથી આપણે તે જ્ઞાન દશા કયાં કામ કરનારી છે. મોહનીયની સીત્તેર કડાકડીની સ્થિતિ તેમાં જ્ઞાન દશા એક છેડાછેડની અંદર કામ કરે, ગણેસીત્તેર કડાકેડી
Page #208
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જુ
સ્થિતિ અજ્ઞાન દશા તૈડે. યથાપ્રવૃત્તિ એટલે અજ્ઞાનપ્રવૃત્તિ, મેક્ષ છે, તે મેળવે છે, તે વિચાર કે જ્ઞાન હેતું નથી. કર્મ, જીવ, મેક્ષનું સ્વરૂપ એ સંબંધી જ્ઞાન એગણેસીત્તેરમાં હેતું નથી. તેથી યથાપ્રવૃત્તિને અનુપગ અનાગકરણ માનીએ છીએ. ૬૯ કડાકેડી તુટી તે અજ્ઞાને પણ કર્મના કારણેથી દુર રહ્યો. અજ્ઞાને પણ ધર્મના કારણેમાં પ્રવર્ચે. તે યથાપ્રવૃત્તિ કરણ કરે તે કારણથી ૬૯ કડાકોડ તેડી નાખે, જીવ, તેનું સ્વરૂપ, કર્મ, મોક્ષ તેના સવરૂપને ઉપયોગ નથી. તે ઉપયોગ થયે તે આગળ થયે. જ્ઞાન એ તે સડક ઉપરનો દીવો છે. અજવાળું કરે, અમુંગણ ઓછી કરે. જગલમાં વગર દીવે ભટકીને આવેલ સડક ઉપરના દીવાની કિમત કેટલી કરે? એ માટે શંકા કેમ છે?
શંકા અનુપગે ૬૯ તુટી ગયાં તે એક રહ્યું છે, તે તુટી જશે. આટલી ભાંજગડ શી ? અપૂર્વકરણ, અનિવૃતિકરણ, સમ્યગદર્શન દેશવિરતિ, સર્વવિરતિ, તપસ્યા, વિનય, વૈયાવચ્ચ વિગેરે લફરા શું કામ ઘાલે છે ?
સમાધાન : તમારી વાત ખરી પણ મહાનુભાવ! રાત્રિના આઠ વાગ્યાથી અંધારૂ ખસવા માંડયું. સાડા પાંચ સુધી ખસ્યું હવે સૂર્યોદયને પા કલાક છે. પણ અનુક્રમે અજ્ઞાન પ્રવૃત્તિથી, ૬૯ તૂટી, પણ તે વખત આપે આપ સમ્યકતવને વખત; સમ્યકત્વ થયું એટલે જ્ઞાન થયું, એ બે થયા તે ચારિત્ર તરત મળે. રાતનું અંધારૂં જવાથી અજીર્ણોદય, તે થયે એટલે સૂર્યોદય. સૂર્યોદય પહેલાં અરુણદય જરૂર હોય તેમ કેવળ અગર ક્ષાયિક ગુણ થવા પહેલાં બીજા જ્ઞાન અને ગુણે જરૂર થાય. તેની જરૂર એમ માની છે કે પાછળના કર્મ ખસેડવા બહુ મુશ્કેલ છે, ૬૯ ખસેડવા સહેલા છે તે અનંતી વખત ખસ્યા અને આવ્યા પણ એક ક્રેડાડમાંથી કંઈ ખસે તે પછી આવવાને વખત નથી. એ ખસેડવા માટે ગ્રંથી ભેદ શબ્દ છે. તે ચીજ શી? ગ્રંથિભેદ ત્યારેજ સમ્યકત્વ તે બધા જાણે છે. ગ્રંથિભેદ ચીજ એજ કે દુનિયાદારીની આખી બાજી પલટા તે જ ગ્રંથિ ભેદ.
Page #209
--------------------------------------------------------------------------
________________
આગમ જ્યોત
અનાદિથી આ જીવ વિષયમાં પિલ્ગલિક સુખોમાં લીન તેમાં સુખ બુદ્ધિ તેને વિયેગમાં દુઃખ બુદ્ધિ આ બધું પલટી જાય. સમ્યકૃત્વ થવાની વખત થયા પછી વિશ્રામનું સ્થાન ઈચ્છવા લાયક-આરાધવા લાયક ફકત દેવ ગુરૂ અને ધર્મ અંત:કરણથી સુખનું કારણ દેવાદિકનું આરાધન. હવે દુનિયા વેઠ તરીકે ગણે જેને અનાદિથી તવ ગણે–તેને વેઠ ગણે આ સ્થિતિએ ગ્રંથિભેદ દેવાદિકને તત્વ ગણે. આ પરમપદ સિવાય એક પેય નહીં તેથી તેનેજ સાધ્ય ગણે. મૂળ વાતમાં આવીએ.
એવું સમ્યકત્વ ૬૯ તુટી તે અજ્ઞાનમાં તુટી સમજે શું? તેને સવાલ કયાં છે ? ગામડીયા કાયદામાં શું સમજે? તેથી કાયદા વિરૂદ્ધ ન વર્તે તે શિક્ષા કરે ખરા? ગુન્ડા રહિત કાર્યોથી દુર રહે તે સજાથી બચી જાય. વકીલે, બેરીસ્ટર ગુન્હાથી બચે તે નહીં સમજનારા ગુન્હાથી બચે તેને શિક્ષા થતી નથી. તે ઝવેરી સીવાય બીજા પાસે ઝવેરાત હેય તે ફેંકાવી દેવું? એ ઝવેરાતમાં શું સમજે? સમજવાથી ફાયદે છે. તેમાં ના નહીં પણ અણસમજનો અર્થ એ નથી કે પાપને પરિહાર નકામે છે. પાપના પરિહારથી ફાયદે જ છે.
શાલિભદ્રને જીવ-જ્યવાજીને જીવ બાળક છે. ઢોર ચારનાર એણે શાલીભદ્રપણું શામાં મેળવ્યું? દેવતાને ચાકરી રવી પડે. શ્રેણિકને રિદ્ધીથી આશ્ચર્ય થવું પડયું શાથી? આપણે પુણ્ય મેળવીએ તેમાં કર્મની વર્ગણ કેટલી જાણી ? અજ્ઞાનતાને અર્થ એ નથી કે હું છેડાતું હોય તે નહીં છોડવા દેવું જ્ઞાન મેળવવાની જરૂર પણ જ્ઞાન જોઈએ એનો અર્થ એ નથી કે જ્ઞાન વગર પુણ્યનું કાર્ય ન કરવું તેમ નહીં. અજ્ઞાનપણે કર્મના કાર્યમાં પ્રવૃત્તિ થઈ હોય તે લાભ જરૂર છે.
હવે વિરૂદ્ધ ઈચ્છા ઉપર આવીએ. વિરૂદ્ધ ઈચ્છાએ કરેલું ધર્મ કાર્ય સદગતિ આપે છે. શ્રીયકને દાખલો લઈએ. લભદ્રના નાના ભાઈને. સંવત્સરીને દહાડે છે. યક્ષા મેટી બહેન છે. ભાઈ આજ નવકારશી કર. પરાણે પુરી કરી. હમણે દહેરે જઈ આવીએ પારસી થઈ જશે. હવે સાંજનો વખત થયો. આમ કરી ખેં ઉપવાસ. પ્રાણ ગયા. શ્રીયક તેજ રાત્રીએ મરી ગયે. એક જ ઉપવાસની વાત છે. એને કરવાનો વિચાર નથી, યક્ષાએ કરાવ્યું છે. પેતે પ્રાયશ્ચિત
Page #210
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જું
૩૫
લેવા જાય છે તેથી સાધ્વીને માનવું પડયું કે મેં કષિ હત્યા કરી છે. શ્રી સીમંધરસ્વામીએ ઋષિ હત્યા નથી કહી. જે અંત્ય અવસ્થા જેવું દેખે તેજ ખાવા આપવાનું. અહીં સુધારવા માંગીએ છીએ કે માટે છેલી અવસ્થાએ રજુ કરવું નહીં તે નિર્ધામણા કરાવનાર સાધુ રાખવા. ગોચરી મોકલવા અજ્ઞાનપણે અનિચ્છાએ વિરૂદ્ધ ઈચ્છાએ કરેલે પાપને ત્યાગ દુર્ગતિથી બચાવે છે. બળાત્કારે પણ કરેલું ધર્મનું કાર્ય સદ્દગતિ મેળવી આપે છે. તેથી વગર મને કરેલી દિક્ષા વિમાનિક આપે છે. અનન્ય મને કેમ કહ્યું? દીર્ઘકાળ પાપને પરિહાર ધર્મને સંચય તે વગર ઈચ્છાદિકને હોય તે સદ્દગતિ મેળવી આપે, પણ એક દિવસમાં જ પાપને પરિહાર અનન્ય મનવાળો હેય તેજ સદગતિ મેળવી આપે. દીક્ષા સિવાય બીજી બાજુ મન નહીં.
અહીં ગાથામાં મુખ્ય પક્ષે મેક્ષે ગૌણ પક્ષે વૈમાનિકપણું લેવું છે. મોક્ષ એવી ચીજ જરૂર છે કે અન્ય મનમાં મળે જ નહીં. ઉત્સર્ગ પક્ષમાં વિધાન કરવા માટે અનન્ય મન મૂકવું પડયું. બે ઘડી પણ પ્રવ્રજ્યાને પામ્યો છે તે મોક્ષ પામે અગર વિમાનિક જરૂર થાય. ભાવતવથી અન્તર્મુહૂર્તમાં મેક્ષ છે, પણ અપવાદ પદમાં સામાન્ય દેવતાપણું નથી લેવું, પણ વૈમાનિકપણું લેવું છે.
અનન્ય પદ મોક્ષ માટે અને એક દિવસ વૈમાનિક માટે છે. સંભાવના કરીએ કે મેક્ષ ન પામે તે વૈમાનિક જરૂર થાય. આથી એક દિવસની દીક્ષા અંદગીના પાપના પિટલાને પલાયન કરાવી દે તે ચક્રવર્તી ચક્રવર્તીપણું છેડી દિક્ષા લે તે પાપના પિટલાને પલાયન કરાવે તેમાં નવાઈ શું? ચક્રવર્તી કહેવાય નરકને દૂત, પણ તે પણ જ્યાં નિખાલસ થયે. પુદગલને દુખમય અનિત્ય માનવા લાગ્યું. તે વખત ધર્મવૃક્ષ આત્મામાં ઉભું થયું. ધર્મ એ આત્મસાક્ષી. બીજે ધમ કહે તેથી આપણે ધમ બની જતા નથી. પણ બીજે ધર્મિષ્ઠ કહે તે આંખે તે નીચી જાય. અને પુરેપુરે ધર્મ કરતા હોઈએ ને બીજો અધમ કહે તે પણ આંખે લાલ થઈ જાય છે. ઈષ્ટ લાગેલી વસ્તુના જુઠા શબ્દ ઈષ્ટ લાગે છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
આગમ જ્યોત
આ સિદ્ધાંતથી તપાસીએ તે બધાને ધર્મ ઈષ્ટ છે તો ધર્મના રસ્તે જતા કેમ નથી ? મન મંદરાચલ દેડયું છે, પણ પગ થાકેલા છે, તેમ અહીં દરેક જીવને ધર્મની ઇચ્છા. પાપથી ડરનારો ધર્મ કરવા માંગે છે પણ તેમાં ટાંટીયા ભરાઈ જાય છે. આ પાંચ ઈન્દ્રિય વચમાં નડે છે, પાંચ ઇંદ્રિયથી નિરપેક્ષ હોય તે લગીર પણ મેક્ષ મેળવવામાં અડચણ આવે નહીં.
નીતિમાં એક પણ ઈદ્રિયને આધીન પડે તે નીતિ ઘેર ગઈ. અપકૃત્ય લાગે. ખરાબ નહીં કરવા લાયક માને. જ્યાં પાંચ ઇન્દ્રિયની ગુલામીમાં ઉતર્યો તેને વિવેક બધો સારો લાગે. વિવેકથી ઈચ્છા રહે, જયાં સુધી ઇન્દ્રિયના વિષમાં રાચે નહિ હોય ત્યાં સુધી તપની નિષ્ઠા, પ્રતિષ્ઠા, અપકૃત્ય કરવા લાગ્યા. બધું છતાં વિપ્રદાને આપે. આ સંસારમાં દુઃખો ભગવ્યા. ભોગવે છે, અગર ભેગવશે તે તેનું કારણ પાંચ ઇંદ્રિયે છે. આથી સેમપ્રમ આચાર્ય કહે છે કે જગતમાં દેનું સ્થાન હેય તે ઈન્દિને સમુદાય છે. અગ્નિને દૂર રાખ્યા ન પાલવે, ખેળામાં રાખ્યા ન પાલવે પરંતુ તેને સગડીમાં રાખી પાલવે તેમ ઈન્દ્રિયે વગર તમે રહેવાના નથી. તે તમારા વગર રહેતી નથી, પણ ઇન્દ્રિયે જરૂર રહેવાની, તમારે એના વગર નહીં ચાલે પણ તારે આધીન કર. તારી ઈચછાએ ઈન્દ્રિય પ્રવર્તે, તું ઈન્દ્રિયને આધીન ન થા. મારું મન આમ થયું છે એ બધું ગુલામીપણુ છે. અને તું આધીન કર. આ સમજી પાંચ ઇન્દ્રિયને જે આધીન કરશે તે આ ભવ પરભવ કલ્યાણક મંગળિક માળા પહેરી મોક્ષ સુખને વિષે વિરાજમાન થશે.
US અજ્ઞાનતાથી વિરુદ્ધ ઇચ્છાએ બળાત્કારથી પણ પાપને પરિહાર દુર્ગતિથી બચાવે
છે અને સદગતિ આપે છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
eeeee
૦૦ ૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦
કર્મ શી રીતે બંધાય ? કિયાએ કર્મ – પરિણામે બંધનું
અદ્દભુત રહસ્ય
Geeeee
( જિનશાસનની ગુમગમ્ય અભુત શિલિને ખ્યાલ શબ્દજ્ઞાનની વિકતાથી ન આવે, તેથી ઘણીવાર જિનશાસનના સૂક્ષ્મ બુદ્ધિગમ્ય ટૂંકાક્ષરી માર્મિક સૂત્રોને દુરૂપયોગ બુદ્ધિવાદ અને એકાંગી નિશ્ચયના ગજગ્રાહથી વર્તમાનકાળે થઈ રહ્યો છે.
તેવા “ક્રિયા એ કર્મ પરિણામે બંધ” એ સ્વર્ણાક્ષરી સૂત્રનું યથાર્થ રહસ્ય સમજવું. આજના ટાણે ચોમાસામાં પ્રકટતા અલસિયાની જેમ અધ્યાત્મીઓની દેખાતી વણજારના મમીને પારખવા માટે જરૂરી છે.
તેથી આ વ્યાખ્યાન ખૂબ જ મહત્વનું ધારી અહીં વ્યવસ્થિત રૂપે તા. ૩-૮-૩૬ના સિદ્ધચક્રમાંથી ઉધત કરી રજૂ કર્યું છે.)
કિયાએ કર્મ પરિણામે બંધ
જ એ વાકયને મર્મ જા જીવતત્વ પહેલાં કેમ?
શાસ્ત્રકાર મહારાજ શ્રીમાન યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ ભવ્ય જીના ઉપકાર માટે જ્ઞાનસાર પ્રકરણનામક ગ્રંથ રચી ગયા
Page #213
--------------------------------------------------------------------------
________________
૩૮
આગમ જ્યોત
છે. એ ગ્રંથમાં તેઓશ્રી આગળ સૂચવી ગયા છે કે દરેક ધર્મોથી જીએ, આત્માના ઉત્પન્ન થએલા ગુણે અવ્યાબાધ અનંતકાળ સ્થિર રાખવાની ઈચ્છાવાળાઓએ પિતાની સ્થિતિ અંગે વગેરેને ચક્કસ વિચાર કરે જોઈએ, જેને કાર્ય કરવાની ઈચ્છા છે, તે કાર્ય કરવાની ઇચ્છાવાળો જે વસ્તુસ્થિતિ અને પિતાના સ્વભાવને વિચાર ન કરે તે તે કઈ પણ પ્રકારે સાધક બની શકે નહિ. મૂળ વસ્તુને તેના સ્વરૂપ-સ્થિતિ-સંગોને આધારે થતા ફેરફારને વિચારતા નથી, તે કેઈપણ કાળે કાર્યની સિદ્ધિ કરી શકતા જ નથી. અહીં સાત તવ અથવા નવ તત્વમાં જીવ પહેલામાં પહેલા મુખ્ય તવ તરીકે લઈએ છીએ. બધા તમાં જીવ એ તત્વ મુખ્ય છે તેના કરતાં કે વધારે મેટું કે વધારે શ્રેષ્ઠ બીજું તત્વજ નથી. એકલે જીવ પાંગળ છે.
સાત તમાં કાર્યસાધક તત્વે હેય તે તે આ જીવતત્વ છે. જેઓ દુનિયાદારી તરફ ધ્યાન રાખે છે તેવા ઈન્દ્રિયારંભી અને પુદ્ગલાનંદીઓની વિચારણા પ્રમાણે તે આ જીવ એક પાંગળો જ છે, તેમની માન્યતા પ્રમાણે આ એકલા જીવમાં કઈ પણ પ્રકારની સત્તા નથી. એકલા જીવમાં આહાર લેવાની, શરીર બાંધવાની, ઈન્દ્રિયો ઉભી કરવાની કે વિષય મેળવવાની કશી જ તાકાત નથી. એટલું જ નહિ પણ આહાર, શરીર, ઈન્દ્રિ, વિષયે તેના સાધને એ પણ પુદગલ છે પણ આહારમાં અમુક જ પ્રકારને આહાર હોય છે એમ બનતું નથી. આહારમાં સચિત્ત આહાર હોય છે. અચિત્ત આહાર પણ હેય છે અને બંને પ્રકારેથી મિશ્ર એ પણ આહાર હોય છે. એકંદરે સચિત્ત અને મિશ્ર એવા ત્રણ પ્રકારને આહાર હોય છે. અચિત્ત સચિત્તઃ
શરીર અને શરીરની બધી ઈન્દ્રિયે એ જીવની નિશ્રાએ જ રહેલી હેય છે, તે જ પ્રમાણે એ વરતુ પણ યાદ રાખવાની છે કે
Page #214
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જુ
વિષયે અચેતન ન હોય એ પણ કાંઈ નિયમજ નથી, જેમ વિષયો અચેતન જ હોય તે નિયમ નથી, તેજ પ્રમાણે વિષયના સાધને પણ અચેતન જ હોય એ નિયમ નથી. વિષય અને વિષયના સાધન જે અચેતન જ હોય છે, એ નિયમ નથી તે પછી એવું ઠરતું જ નથી કે એકલું પુગલજ આહાર બને છે. આહાર લેનાર પણ જીવ છે અને શરીર બનાવનારે પણ જીવ છે તે પછી આહાર એકલા પુદ્દગલ રૂપે જ છે એમ કેઈપણ રીતે કહી શકાતું જ નથી. અચિત્ત સચિત્ત અને મિશ્ર એવા ત્રણ પ્રકારના આહાર છે. ફળફૂલ ઈત્યાદિ વનસ્પતિના ભાગે છે. વનસ્પતિના એ ભાગે જે અચિત્ત થયા વગર જ આપણે આહારમાં લઈએ તે તે આહાર એ સચિત્ત આહાર કહેવાય છે. આ આહાર લે એ કોઈપણ પ્રકારે ઈચ્છવા ગ્ય નથી.
જીવભક્ષક પાપીજ છે.
જેની જીવતત્વમાં શ્રદ્ધા બંધાઈ છે, જે જીવ છે એમ જાણે છે, તેઓ તે સચિત્ત આહાર લેવાનું કેઈ પણ પ્રકારે ઈષ્ટ માનતા નથી. જીવતત્વમાં સાચી શ્રદ્ધા રાખવાવાળો તે સારી પેઠે સમજે છે કે કેઈપણ જીવને કરડી ખાવાને મને કાંઈ પણ હક નથી. કોઈપણ જીવને ગળી જવાને મને હક નથી અથવા તે કેઈપણ જીવને નાશ કરવાને મને હક નથી. જે એક માણસ બીજા જીવને કરડીને ખાઈ જાય, તેને ગળીને ખાઈ જાય અથવા તે જીવને નાશ કરીને તેને સ્વાહા કરી જાય અને તેને આપણે પાપી, નીચ કે અધમ ન માનીએ તો પછી અન્યાયથી, પાપથી કે બુરાકામથી જેઓ પિતાનું ધન વધારવાનીજ પ્રવૃત્તિ લઈ બેઠા છે તેને પણ આપણે તેમના પાપ કયે મેઢે બતાવી શકવાના હતા? એક માણસ જેમ ભુડા કાર્યોથી ધન મેળવે છે, દુરાચારોથી પૈસે પેદા કરે છે અને અપકૃત્યથી પિતાને વૈભવ વધારે છે, એ આત્મા જે પાપી છે, તેજ પ્રમાણે પારકા જીને વાત કરીને તે દ્વારા પિતાના
Page #215
--------------------------------------------------------------------------
________________
૪૦
આગમ જ્યોત
શરીરનું પિષણ કરનારે, પિતાના શરીરને પુષ્ટ કરનારે પિતાની દેહને ટકાવી રાખનારે પણ પાપી છે. સમ્યકત્વને મમ:
અયોગ્યરીતે ઘન મેળવવું એ જેમ ગેરવ્યાજબી માર્ગ છે, તેજ પ્રમાણે બીજા છે પછી ભલે તે એક ઈન્દ્રિયવાળા હોય કે તેથી વધારે ઇન્દ્રિયવાળા હોય તેમને ખાઈ જઈને શરીર પુષ્ટ કરવું એ પણ ગેરવ્યાજબી છે. આવી ધારણાથી જીવની સાચી શ્રદ્ધાવાળે આત્મા તે ફક્ત જે અચિત્ત આહાર છે તેજ આહાર લઈ શકે છે તે સિવાય બીજા કેઈ પણ પ્રકારને આહાર તે લઈ શકતું નથી. સાધુ માટે તેણે અચેતન ફાસુક આહારજ લેવું જોઈએ એ નિયમ છે. પરંતુ શ્રાવકો માટે તેમણે અચેતન ફાસુક આહારજ લેવું જોઈએ એ નિયમ નથી. આ વસ્તુને કેઈએ એ અર્થ કરવાનું નથી શ્રાવઠે સચેતન આહાર લે કે અફાસુક આહાર લે તે સઘળાને તેમને કાંઈ દેષ લાગતું નથી. જેને સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિ થઈ છે, સમ્યકત્વને મર્મ જે સમળે છે તે આત્મા આવા શબ્દો કેઈપણ કાળે નજ ઉચ્ચારી શકે કે ચેતન આહાર લેવાથી અથવા તે અફાસુક આહાર લેવાથી એ આહાર લેવા માટે શ્રાવકને કાંઈ પણ દોષ લાગતું જ નથી.
ઉત્કૃષ્ટ શ્રાવક
અલબત્ત તમે સમ્યકત્વવાળા એવું કહી શકે છે ખરા કે સચેતન આહાર તથા અફાસુક આહાર વર્જવાની અમારી ઈચ્છા થાય છે, અને તેવું મન થાય છે. પરંતુ તે છતાં એ આહાર અમે વજી શકતા નથી! સમ્યગ્દષ્ટિ આ પ્રમાણે કહી શકે છે, પરંતુ તે એવું કહી શકતું નથી કે સચેતન અને ફાસુક આહાર લેવામાં સાધુને દોષ લાગે છે, પરંતુ તેથી અમને શ્રાવકોને દેષ લાગતું નથી. જે શ્રાવક આવા શબ્દો ઉચ્ચારે તે કહેવું પડે કે તેના એ શબ્દ મિથ્યાત્વને માર્ગ તરફજ ઝુકનારા છે, અને તેથી
Page #216
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જું
૪૧
તેના તે વિચારોને ત્યાગ આવશ્યક છે. શાસ્ત્રકારે ઉત્કૃષ્ટ શ્રાવક કોને કહે છે? એ વાત આ તબકકે વિચારવા જેવી છે. જે શ્રાવક ફાસુક એષણ પદાર્થોથી પિતાને નિભાવ કરે છે, તેવાજ શ્રાવકને શાસ્ત્રકારોએ ઉત્કૃષ્ટ શ્રાવક કહ્યા છે. ઘણી વાર ઘણા શ્રાવકે પિતાને ઉત્કૃષ્ટ મનાવવા તૈયાર થાય છે, પરંતુ ઉકૃષ્ટપદ ક્યારે પ્રાપ્ત થાય? તે આપણે વિચારવું ઘટે. ઉત્કૃષ્ટપણું માગ્યું ન મળે:
સારાપણું સર્વને ગમે છે. સારાપણું જણાવવાની સઘળાની તૈયારી હોય છે. સારાપણાને કેઈને પણ તિરસ્કાર નથી આવતે, પરંતુ સારાપણું કેવી રીતે મેળવી શકાય છે તે જોવાની કોઈ તન્દી લેતું નથી. આપણે સારાપણાની ખેંચતાણ કરીશું, તેથી કાંઈ સારા પણાની આપણને પ્રાપ્તિ થઈ જવાની નથી. સારાપણાની ખેંચતાણ કરવાથીજ અથવા તે આપણું મેળેજ સારા તરીકે આપણને ઓળખાવવાથીજ જે સારાપણું આવી જતું હેત તે આ દુનિયામાં બધા સારા થઈ જાત અને નરસા પણાને કેાઈ સંગ્રહી પણ ન જ રાખત ! પરંતુ ઉત્કૃષ્ટપણું એ કાંઈ સરળ ચીજ નથી. શાસ્ત્રકાર મહારાજાઓ ફરમાવે છે, કે સારા વિચાર, સારા ઉચ્ચાર અને સારા આચારથીજ સારાપણું મેળવી શકાય છે. જે આ ત્રણ વસ્તુ ન હોય, ત્યાં કોઈના કહેવાથી ઉત્કૃષ્ટપણાની પ્રાપ્તિ થતી નથી અને જ્યાં આ ત્રણ વસ્તુ છે, ત્યાં કેઈના લાખો પ્રયત્નથી પણ ઉત્કૃષ્ટપણું ટાળી શકાતું નથી. બધે ભાર કર્મ ઉપર જ છે
જ્યાં આ ત્રણ વસ્તુઓ ન હોય, સારા વિચાર, સારા ઉચ્ચાર અને સારા આચાર એ ત્રણ વસ્તુ ન હોય અને કેઈ મનમાં એમ ધારી લે કે હું ઉત્કૃષ્ટ છું, તે એથી ઉત્કૃષ્ટપણાની પ્રાપ્તિ થઈ જતી નથી, અને એવું મનમાં માની લીધેલું ઉત્કૃષ્ટપણું એ કાંઈ કામ પણ લાગતું નથી. જે પિતે ધારી લેવાથીજ ઉકૃષ્ટપણાની પ્રાપ્તિ થઈ
Page #217
--------------------------------------------------------------------------
________________
આગમ જ્યોત
જતી હોય, તે સઘળાજ પિતાની મેળે ઉત્કૃષ્ઠ શ્રાવક બનીજ જાય! દરેક માણસ પોતાના મનથી પિતાને મૂર્ણો ધારતું નથી. તે તે પિતાને અક્કલવાળો અને હોંશિયાર માને છે, પરંતુ તે પિતાને હોંશિયાર માને તેથી કાંઈ તેનામાં હેશિયારીને આવિર્ભાવ થવાને નથી. પિતે પિતાનું સારૂ ધાર્યું હોય, તેનું કાંઈ સારૂં થઈ જતું નથી અને પોતે પિતાનું ખરાબ થવાનું ન ધાયું હોય, તેથી કાંઈ ખરાબ થવાનું મટી જતું નથી. સારૂં અથવા નરસું જે થવાનું છે તે તે એક માત્ર કર્મ ઉપર જ અવલંબે છે.
વિચાર માત્રથી અંધાપે ટળતું નથી ?
જો આપણે ખરાબ આચાર વિચાર અને ઉચ્ચાર જાળવી રાખીએ, તે તેને પરિણામે કેઈપણ કાળે ખરાબી થયા વિના રહેતી નથી. એક માણસ આંખે આંધળો હોય છતાં તે મનમાં એવીજ કલ્પના કર્યા કરે કે અહે હું તે દેખતે હું, મારી આંખો ખુલે છે અને મને આ ઝાડપાન કેવા લીલાંછમ દેખાય છે? આ પક્ષીઓ ઉડતાં હું જોઈ શકું છું અને તેમની પાંખો ફફડતી મને દેખાયા જ કરે છે. આવા વિચારે કેઈ આંધળે સેવ્યા કરે તેથી તે કાંઈ આંધળે મટીને દેખતે થઈ જતું નથી અને છતાં જે તે પિતાને દેખતે માનીને ચાલવા જાય તે તે જરૂર કુવામાંજ પડે છે. જે પિતે માત્ર ધારી લેવાથીજ આંધળાઓ દેખતા થઈ જાત તો બધા જ આંધળાઓ એમ ધારી લેત કે અમે દેખતા જ છીએ અને પછી કે આંધળાજ ન રહેત! તે જ પ્રમાણે બધાજ બહેરાઓ પણ એમ માનતા થઈ જાત કે અમે સાંભળતા જ છીએ અને પછી કેઈ બહેશ પણ ન રહેત !
આંધળે માણસ પિતે ધારી લે કે હું દેખતે છું તેથી કાંઈ તેનું આંધળાપણું ચાલી જતું નથી, તેજ પ્રમાણે આપણે સારા આચાર, સારા વિચાર અને સારા ઉચ્ચાર ન આદરીએ અને આપણે ધારીએ કે હું સારા આચારવાળે છું ! હું ઉત્કૃષ્ટ છું ! કે હું માનું છું. તે
Page #218
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩
૪૩
આપણે એ વિચાર માત્રથી મહાન બની જતા નથી! જે આખેવાળે છે, જેનામાં દેખતાપણું છે, તે પિતે પિતાનું દેખતાપણું ધારી લે કે ન ધારી લે તે પણ તેનું દેખતાપણું કાયમ જ છે. તેના દેખતાપણાને કોઈ પણ રીતે નાશ થવાને નથી, તેજ પ્રમાણે આપણા આત્મામાં પણ વિચાર હોય અને સારે આચાર હોય અને સારા ઉચ્ચારનું સેવન હોય તે આપણે ન ધારીએ તે છતાં આપણામાંથી ઉત્કૃષ્ટતાને નાશ થતું નથી, માત્ર મારામાં ઉત્કૃષ્ટતા છે, મારામાં શ્રેષતા છે, એવું માની લઈએ તેટલા માત્રથીજ આપણામાં સદાચાર સારાપણું આવે અને એવી માન્યતાથીજ ખરાબ આચાર, ખરાબ વિચાર અને ખરાબ ઉચ્ચાર નીકળી જાય છે, એમ કઈ પણ રીતે કહી શકાતું જ નથી. જગત્ સ્થળ દષ્ટિવાળું છે !
અહીં કેઈ એવી દલીલ કરશે કે જગત્ અર્થાત કે જગતને વ્યવહાર એ પરિણામને જોવાવાળે નથી. એ તે માત્ર વસ્તુનેજ જેવા વાળે છે. કેઈ માણસને લાખ રૂપિયાની મિલ્કત મળે અને તે લાખ રૂપિયાના પરિણામ રૂપ સદ્દગુણેને ધારક બને છે, તેજ સદગુણે તે બીજી વ્યકિતમાં લાખ રૂપિયા મળ્યા વિના આવિર્ભાવ થાય, તેથી કાંઈ પેલા બીજા માણસને લેકે લખપતિ કહેવા તૈયાર થઈ જતા નથી ! ત્યારે લાખ રૂપિયા મળ્યા છતાં લાખ રૂપિયાની પ્રાપ્તિથી આવવી જોઈતી ખાનદાની અને સભ્યતા ન આવ્યા હોય, પરંતુ તે છતાં જે લાખ રૂપિયા મળી જાય તે એ લાખ રૂપિયા મેળવનારને આ જગત લખપતિ કહી દે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ જગત તે વસ્તુનેજ દેખવાવાળું છે, પરંતુ તે વસ્તુના પરિણામોને દેખવાવાળું નથી, અર્થાત્ જગત માત્ર બાહ્યતાજ જુએ છે, તે આત્માને જોતું જ નથી. લૌકિક દષ્ટિને આધાર શું?
એ વાત સાચી છે કે લૌકિક દષ્ટિ આત્માને જેવાવાળી તે નથી જ ! તે તે માત્ર બાહ્ય પુદ્ગલેને જ જુએ છે, અને બાહ્ય પુદ્ગલે મળી
Page #219
--------------------------------------------------------------------------
________________
આગમ ચેત
ગયા એટલે તેને વ્યવહારમાં પૂર્ણ ગણી લે છે, પરંતુ આ સાથે અહીં એ વાત પણ યાદ રાખવાની છે કે લૌકિકદષ્ટિ ખોટું જુએ છે, તે પણ તે ખોટું જ પ્રમાણ છે, એવું માનવું તે પણ અયોગ્ય છે. લકત્તર દષ્ટિ લૌકિક દષ્ટિ કરતાં હંમેશાં જુદી છે. લૌકિક દષ્ટિ પુદગલગો પર આધાર રાખે છે, ત્યારે કેત્તર દષ્ટિ એ પુદ્દગલગો ઉપર આધાર રાખનારી નથી. કેત્તર દષ્ટિ તે આત્માના પરિણામ ઉપરજ આધાર રાખનારી છે, અર્થાત્ જેને લાખના પરિણામ છે તેને તે લકત્તર દષ્ટિવાળાએ દારિદ્રયવાળે ન ગણતા લખપતિજ ગણે છે. તે આ હિસાબે કે ત્તર દષ્ટિવાળાએ લાખ ન મળ્યા હોય તેને પણ લખપતિ માની લે છે, અને લૌકિક દષ્ટિ. વાળાએ લાખ હેય તેનેજ લખપતિ કહે છે, આ બે વસ્તુને મેળ શી રીતે મળી શકે?
લાખ મળે તે લખપતિ ખરે કે?
અહીં તમે લાંબે વિચાર કરશે તે સમજી શકશો કે લૌકિક દષ્ટિએ જેને લાખ મળે છે, તેને તમે લખપતિ કહે છે એ વાત વાસ્તવિક છે, પરંતુ તેમાંએ અમુક પ્રકારને ભેદ તે અવશ્ય રહે. લેજ છે. ધારો કે એક તિજોરીમાં કરોડ રૂપીયા મૂક્યા છે, તેમાં લાખનું ઝવેરાત છે અને હજારે હીરા ભરેલા છે, પરંતુ આ સઘળી સમૃદ્ધિને લીધે તમે એ તિજોરીનેજ એટલે કે લોખંડની એ પેટીનેજ કરેડાધિપતિ કે ઝવેરી કહી દેતા નથી! હવે વિચાર કરો કે જેની પાસે લાખ છે તેને જ તમે લખપતિ કહે છે, તે પછી એ તિજોરીમાં તે કરે છે, તે છતાં એ તિજોરીને જ તમે શા માટે કરોડપતિ કહેતા નથી, અથવા તે તેમાં હજારેનું ઝવેરાત પણ વિદ્યમાન છે, તે પછી તમે એજ તિજોરીને કેમ નાણાવટી કે ઝવેરી કહીને નથી સંબોધતા વારૂ? તમે ઉંડો વિચાર કરશે તે માલમ પડી આવશે કે-એમ ન કરવાનું તમારી પાસે લૌકિક દૃષ્ટિએ જ વ્યાજબી અને વાસ્તવિક કારણ છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જુ
૪૫
કોડપતિ વ્યક્તિ કેમ? તિજોરી કેમ નહીં?
તિજોરીમાં લાખે છે, કરોડો રૂપિયા છે, હીરા છે, મોતી છે, ઝવેરાત છે, આટલું બધું હોવા છતાં પણ એ સઘળા પૈસાની માલિકી તિજોરી પાસે નથી. એ સઘળા ધનનો સ્વામિત્વાધિકાર તિજોરી પાસે નથી. ટૂંકમાં કહીએ તે તિજોરીની ચારે બાજુ વચ્ચે લાખે ભરેલા છે. પરંતુ એ લાખનું ધણીપણું-એ લાખની માલિકી તિજોરીની નથી અને તેથી જ કે એ તિજોરીને લક્ષાધિપતિ અથવા કરેડાધિપતિ કહીને તેને ઓવારણા લેવા માંડતું જ નથી! કોડાધિપતિ ફરવા જાય, પિતાના ઈષ્ટ મિત્રોને ત્યાં જાય, ત્યાં બધે કાંઈ તે પિતાની સાથે કરેડની કેથળી બાંધીને લઈ જતે નથી, છતાં તેનું માનસન્માન બજારમાં રહે છે, તેની આબરૂ વેપારીઓ રાખે છે, તેના એક બેલ ઉપર લાખને માલ મળે છે, લાખની ધીરધાર થાય છે અને તેને લોકે અપૂર્વ માન આપે છે, તથા કરેડાધિપતિ તરીકેને તેને પુરો દરજજો સચવાય છે.
તિજોરી લક્ષાધિપતિ કેમ નથી?
બીજી બાજુએ તમે કરોડો રૂપિઆના દાગીના કે રોકડ રકમ તમો તિજોરીમાંથી કાઢી લેશે અને પછી તે ખાલી તિજોરીને તમે વેચવા જશે તે તમને એ તિજોરીની કિંમત ઉપરાંત તિજોરીની અંદર કરોડો રૂપિયા હતા એ આબરૂપેટે કઈ પૈસએ આપવાનું નથી! તિજોરી પાસે લાખો હતા, કડો હતા, છતાં તે લાખે અને કરડેની પ્રતિષ્ઠાના પ્રતિમૂલ્ય તરીકે કોઈ પૈસે પણ નથી પરતું, કારણ કે જે પિસે હતું તેની માલીકી તિજોરીની ન હતી. તિજોરી પાસે એ પૈસાની માલિકી ન હતી, અથવા તે એ પૈસાની વ્યવસ્થા કરવાને પણ તેને હક ન હતું, એટલે જ તેની કિંમત તેનાં મૂલ્ય કરતાં વધારે ન હતી. હવે તમે એમ કહેશો કે લાખના પરિણામે થવાથી વ્યવહાર કેઈને લખપતિ કે લખેશ્રી કહેવાને તૈયારજ નથી. તે તે લાખને સંગ થાય અને લાખ પ્રત્યક્ષ રીતે મળે તેજ
Page #221
--------------------------------------------------------------------------
________________
આગમ જ્યોત
લખપતિ કહેવા તૈયાર છે, તે પછી તિજોરીને પ્રત્યક્ષ લાખ મળવા છતાં અને તેને લાખોને સંયોગ થયો હોવા છતાં શા માટે વ્યવહારથી તમે એ તિજોરીને લક્ષાધીશ કહેતા નથી? અને શા માટે લક્ષાધીશપણાના પ્રતિમૂલ્ય તરીકે તિજોરીની સ્થલ કિંમત ઉપરાંત તેની વધારે કિંમત આપતા નથી?
માલીકી હક કેવી રીતે મળે?
પ્રત્યક્ષ લાખના સોગથીજ લાખના પરિણામ થયા વિના વ્યવહાર લખપતિ કહેવા તૈયાર હોય તે તે તદ્દન સીધી વાત છે કે તમારે એ તિજોરીના પણ લાખોના મૂલ્ય આંકવા જ રહ્યા ! પરંતુ તેવું નથી બનતું, કારણ કે એ લાખ અને કરડે તિજોરીને મળ્યા છતાં એ લાખો અને કરોડોના સ્વામિત્વાધિકાર તિજોરીની પાસે નથી ! જે તિજોરી જડ હોવાથી તે માલિકીવાળી નથી, તે પછી આ જીવ માલિકીવાળો કેમ અને કેવી રીતે બન્યું છે? તે વિચારજો ! લક્ષાધિપતિપણું એ માલિકીને અંગે છે, અને જીવ માલીક હોવાથી એ લક્ષાધિપતિ કહેવાય છે, તે વિચાર કરે કે એ માલિકીહક જીવને કેણે મેળવી આપે છે? કરો અને લાખનો એ માલિકીહક જીવને તેને પૂર્વના શુભ પરિણામો મેળવી આપે છે. પહેલા ભવના શુભ પરિણામેજ પાછળના ભાગમાં લાખો અને કરેડને માલિકીહક અથવા તે સુખ મેળવી આપે છે. તે સિવાય બીજી કેઈપણ રીતે એ વસ્તુઓની પ્રાપ્તિ થઈ શકતી નથી.
ફલનું કારણ કેણુ?
જે આત્મા પહેલા ભવને લાભાંતરાયવાળો છે, તે આત્મા બીજા ભવમાં કરડે કે લાખો પામી શકતું નથી. તમે એમ કહેશે કે એ શા ઉપરથી માનવામાં આવે કે આ ભવમાં જે કાંઈ મેળવ્યું છે તે પહેલાં ભવના શુભ પરિણામોને લીધે છે? તમારી શંકાને જવાબ તમેજ બહુ સહેલાઈથી મેળવી શકે એમ છે, ધારે કે
Page #222
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જું
૪૭
રરતે જતા તમારી દષ્ટિ એક આંબા ઉપર જાય, તમે એ આંબાને જુએ છે, તેના થડને જુએ છે, તેની સુંદર ડાળીઓને જુએ છે, ચારે બાજુએ લચી પડતા ઘેરાવાને જુએ છે, તેના મઘમઘ મહેંકી રહેલી મેરની મંજરીઓને જુએ છે અને છેવટે આંબાની મધુર કેરીઓ તમને દેખાય છે. આ સઘળું તમે જોઈ શકે છે ખરા ! પરંતુ આંબાનું મૂળ તમે જોઈ શકતા નથી ? તે શું વૃક્ષોના સ્વરૂપને જાણનારા તમે એમ કહી દેશે કે આ આંબે મૂળીયાં વગરજ ઉગેલે છે અને તેણે વગર મૂળીયે ઉગીને પણ ફળફળાદિને ધારણ કરેલાં છે?
પુણ્યપ્રકૃતિની જડ શું?
આંબાના મૂળને ન દેખવા છતાં આંબાની ફળફલાદિરૂપ સમૃદ્ધિને દેખનારા તમે કદાપિ પણ એમ ન કહી શકે કે આ સઘળી સમૃદ્ધિ મૂળિયા વિનાજ ઉત્પન્ન થએલી છે ! એજ પ્રમાણે જગત બાહ્યસમૃદ્ધિને દેખે અને મૂળને ન દેખે તેટલા માત્રથી વસ્તુ સ્વરૂપને સમજનાર માણસ તે કદાપિ પણ કારણરૂપ વસ્તુ અથવા તે મૂળને ઈન્કાર નહિ જ કરી શકે, દુનિયાએ આંબાનું થડ, છાલ, ડાળી, પાંદડા બધું જોયું છે તેટલાં માત્રથી પણ તેને આંબાનું મૂળ છે જ! એ વાત સ્વીકારવી પડે છે. તે જ પ્રમાણે જગત આહાર, ઈન્દ્રિ, શરીર, તેના વિષયે ઈત્યાદિ દેખે છે. એટલાથીએ તેને એ બધાના કારણરૂપ મૂળને સ્વીકારવું જ પડે છે. આ આ ભવમાં મળેલા સુખ અને વૈભવની જડ જોઈએ તે તે પુણ્ય પ્રકૃતિ જ છે, પરંતુ એ પુણ્યપ્રકૃતિની પણ જડ જોવા જઈએ તે માલમ પડે છે કે તે ગતકાળમાં થયેલા શુભ પરિણામે જ છે. લખેથીપણાની જડ શું?
હવે તમે બારીકીથી વિચાર કરશે તે તમને માલમ પડશે કે તમે લાખ મેળવ્યા હતા તેથી જ લખેશ્રી હતા, અને લાખ
Page #223
--------------------------------------------------------------------------
________________
૪૮
આગમ જ્યોત
રૂપિયા એ જ તમારા લખેશ્રીપણાની જડ હતી, કે તમને ગયા જન્મમાં ભવાંતરમાં થયેલા શુભ પરિણામે એ તમારા લખેશ્રીપણાની જડ હતી? તમે તિજોરીને લક્ષાધિપતિ નથી કહેતા, પરંતુ એ લાખ જેના ભાગ્યમે મળ્યા હોય છે તેને જ લક્ષાધિપતિ કહે છે, તે જ પ્રમાણે પૈસે અને વૈભવ એનું માલિકીપણું પણ આત્માને ભાગે નહિ પરંતુ પેલા શુભ પરિણામેને ભાગે જ જાય છે! લૌકિક દૃષ્ટિને તત્વમાં ઉતાર્યા વિના છુટકે જ નથી અને તત્વમાં ઉતરવું હોય તે પરિણામમાં આવ્યે જ છૂટકે છે. તે જ દષ્ટિએ તમારે આ ભવના સુખ વૈભવનું મૂળ શોધવા માટે પણ પરિણામ તરફ નજર નાખવી જ પડે છે. આ વિચારસરણિને સ્વીકારી લઈએ છીએ એટલે જીવ અને કર્મના સંબંધમાં જેનર્લિસેલ્ફી માટે નાસ્તિકે જે શંકા કરે છે, તે શંકા પણ દૂર થશે.
આ તફાવત કેમ?
નાસ્તિકની સાથે આપણે વાત કરીને તેને પહેલાં જીવ છે એ મનાવીએ છીએ. તેણે જીવ માની લીધે એટલે પછી આપણે તેને કર્મ મનાવવા જઈએ છીએ. કમ મનાવવા માટે આપણે દલીલ એ છે કે, આ જગતમાં દરેક જીવ સરખી સ્થિતિમાં નથી, એક મનુષ્ય ગરીબ છે, તે બીજે લખપતિ છે, એક રોગી છે, તે બીજે નીરોગી છે. એક બુદ્ધિશાળી છે તે બીજે મૂખ છે. એક રાજા છે તે બીજે રક છે. પશુઓમાં જોશો તે આર્યજાતિમાં પાળવામાં આવેલા ગાય, બળદ, ઘેડા, ઘાસ-પાણી ખાઈ પી મજા કરે છે અને એકાદ મિયાંને કારણે બધાએલી ગાયને ગળે ચકચકતી છરી મૂકાય છે? પક્ષીઓમાં પણ એવું જ જશે. એક પક્ષી કુદરતી રીતે એને મેતે મરે છે ત્યારે બીજું પક્ષી શિકારને ભેગા થઈ તરફડીને નીચે પડે છે. કીડી મંકેડીને પણ એજ હાલ! એક કીડી મારવાડીને ત્યાં સાકરની ગુણમાં ભરાઈને આનંદ કરે છે, ત્યારે
Page #224
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જું
બીજી કીડી ચુલામાં ગબડી પડી સેકાઈ જાય છે. એક માછલું દરિયામાં સ્વદે વિહરે છે અને બીજું ફાંસામાં કપાઈ જઈને ચુલે ચઢે છે. અરે જીવતા છાની વાતે જવાદે અને વનસ્પતિ તરફ જુએ તે ત્યાં પણ એના એ જ હાલ છે. કડવા લીંબડાને કાઈ છેડતું ય નથી પણ વેદે એના જ પાંદડાં-જીવતાં-લીલા પાંદડાં લઈને તે ચૂલે ચઢાવી બાફીને તેનો કવાથ કરે છે.
આમ આખી દુનિયામાં ચેતનાવાળી દરેક ચીજો છે પરંતુ તેમાં એક બીજાની વચ્ચે મહદંતર માલમ પડે છે એથી નિશ્ચય થાય છે કે એ સ્થિતિની આવી અસમાનતા આપનારૂં કાંઈ પણ કારણ હેવું જ જોઈએ અને એ કારણે તેજ “ર્મ” છે. જે કમ ન હોય તે આ અસમાનતા પણ ન હોઈ શકે પરંતુ અસમાનતા છે તેથી કર્મ છે, એવું માનવાને કારણ મળે છે.
અજબ અસમાનતાઃ
ચેતનવંતા પદાર્થોની આ દશા આપણે જોઈએ છીએ, તેની અસમાનતાને અનુભવીએ છીએ, પરંતુ એ અસમાનતા માત્ર ચેતનવંતા પદાર્થોમાં જ નથી, પરંતુ જગતના જડ પદાર્થોમાં પણ એવી જ અસમાનતા છે! પત્થર તે જડ છે, એક જ આરસના પત્થરને બે કકડા કરે છે તેમાંનાજ એક કકડાનું પગથીયું બને છે, કે જેના ઉપર સેંકડો માણસે પગ મૂકીને ચઢે ઉતરે છે, અને બીજા કટકાની પ્રતિમા બને છે, કે જેના ઉપર સેંકડો અને હજારો ફલે ચઢે છે અને જેને કરોડો માથા નમે છે! હવે વિચારવાની વાત એ છે, કે એક પત્થર ઉપર છત્ર ચામર ધરાય છે, તેના ઉપર સુગંધીવાળી વસ્તુઓ ચઢે છે અને બીજા પથરા પર પગ દેવાય છે અને તેની દુર્દશા થાય છે. આ સઘળું શાથી બને છે? પત્થર એ શું ગુન્હ કર્યો હતો કે જેથી એકના ઉપર પગ ધોવાય છે અને બીજાએ શું કર્યું હતું કે તેના ઉપર પુષ્પ ચઢે છે અને છત્ર તથા ચામર ઢળે છે !
Page #225
--------------------------------------------------------------------------
________________
આગમ જ્યાત
૫૦
એ તે થઇ ગયું તે થઈ ગયું :
નાસ્તિકા એવી દલીલ કરશે કે પત્થરના ટુકડાએમાંથી એક પર કુલા ચઢે છે અને બીજા પર પગ ધાવાય છે. એમાં પાપપુણ્યને કાંઇ અવકાશ જ નથી. એ તા કારીગરની મરજીથી જ એમ બની ગયુ' છે. અર્થાત્ અનુકૂળ સચૈાગા મળી ગયા એ પુણ્ય છે અને પ્રતિકૂળ સ'ચાગા મળી ગયા એ પાપ છે. એજ રીતે પત્થરના એક ટુકડાને અનુકૂળ સંચાગે મળ્યા તેથી તેની પ્રતિમા બની અને જાને પ્રતિકૂળ સચાગા મળ્યા તેથી તેનું પગથીયું બન્યું. એમાં પાપપુણ્ય અને સુકૃત્યદુષ્કૃત્યને સંબધ જ નથી. નાસ્તિકા ક વાદ્યને અમાન્ય કરવા માટે આવી દલીલ કરે છે, એ દલીલના આપણી પાસે શું જવાબ છે? તે હવે આપણે તપાસવાનું છે. અનુકૂળ સચાગા જ કારણભૂત છે :
પહેલી વાત તે એ છે કે જે અનુકૂળ સાધના એ જ સુખનુ કારણ હાય અને સુખને માટે બીજુ કાંઈ કારણ જ ન હોય તા પત્થરને જે અનુકૂળ સાધના મળે છે, તેમાં કાંઇ ફેરફર યા તફાવત છે કે નહિ ? પત્થરનું અને માણસનુ સન્માન થાય ત્યાં માત્ર અનુકુળ સંચાગેાજ કારણભૂત છે, એ વાત તમે કબુલ રાખા છે!! નહિ જ ! પત્થરના એક ટુકડાની મૂર્તિ અને બીજા ટૂકડાના પગથીયાં અને છે, એમાં માત્ર અનુકૂળ સયાગેા કારણભૂત છે, એમ તમે કહે છે, પરંતુ પત્થરને અને માણસને બંનેને જે સન્માન મળે છે તે બંનેમાં અનુકૂળ સૂયેાગેાજ કારણભૂત છે, એ વાત તમે સ્વીકારતા નથી ? ધારા કે એક કસાઇ પેાતાની સામે એક માણુસને, એક બકરાને અને એક પત્થરને ગેાઠવે છે, અને પછી તેની સામે તઘ્વાર ઉગામે, તા એ વખતે પેલા ત્રણેની શી દશા થાય, તે તપાસેા! છરીના ભય કેમ લાગે છે?
પેલેા કસાઈ બધાને કાપી નાખવાની વાત કરે છે, તેથી પેલે પત્થર ચમકતા કે આઘે ખસતા નથી, પરંતુ માણુમ્ર અને અકરા
Page #226
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જુ. બને ચમકે છે અને તે ચમકીને આઘા ખસે છે. કસાઈએ હજી તે છ હાથમાં જ લીધો છે, માર્યો નથી, પરંતુ માત્ર ઉગામવાની જ વાત કરી છે, પરંતુ એટલામાં પેલે પત્થરો તથા બકરો ચમકતા નથી, પણ માણસ ચમકે છે અને કસાઈ જ્યારે ખરેખર છરી ઉગામે છે, ત્યારે મનુષ્ય અને બકરો બને ચમકે છે. આથી સ્પષ્ટ થાય છે કે અનિષ્ટને સોગ થવાની વાત સાંભળ્યા માત્રથી મનુષ્યનું શરીર કપે છે! અનિષ્ટ શબ્દ, રૂપ, રસ, ગંધ કેઈને પણ સંગ થવાની વાત સાંભળ્યા માત્રથી માણસને અત્યંત ચમકારે આવે છે. તેનું કારણ એ છે કે માણસમાં લાગણ રહેલી છે, એ જ રીતે અનિટ સવેગોને સ્પર્શ થવાને છે, એવાં લક્ષણે જ્યારે પશુઓ દેખે છે, ત્યારે પશુઓ પણ કંપવા લાગે છે, પત્થર નથી કંપતે !
પુણ્યને ઉદય હેવો જ જોઈએ ?
પત્થરને અનિષ્ટસંગે મળવાની વાતે યા દેખાવ સાંભળવા કે જેવાથી કંપ થવા પામતું નથી. એનું કારણ એ છે કે પથરમાં લાગણી રહેતી નથી. પત્થર એ લાગણુ વગરની ચીજ છે, અને મનુષ્ય એ લાગણીવાળી ચીજ છે. લાગણીવાળી ચીજમાં પુણ્ય પાપને વિચાર કરાય, પરંતુ લાગણી વગરની ચીજમાં પુણ્ય પાપને વિચાર શી રીતે કરી શકાય? પત્થરને સુખ, દુઃખ થવા પામતું નથી એજ પ્રમાણે મનુષ્યને પણ સુખ, દુખ ન થાય તે મનુષ્યની સમાનતામાં પત્થરનું દષ્ટાંત દઈ શકાય. પત્થર ઉપર આઘાત કરીએ, તેપણ તેથી પત્થર ડરતે નથી અથવા તેને ભય લાગતું નથી, પરંતુ મનુષ્યને કહીએ કે તને કાપી નાખવે છે, તે તેને જરૂર કંપ થાય છે. મનુષ્ય લાગણીવાળી ચીજ છે. તેને અનુકૂળ સાધન મળે, ત્યાં પુણ્યને ઉદય હેજ જોઈએ અને જે તેને પ્રતિકૂળ સગો મળે તે એમ સ્પષ્ટ થાય છે કે ત્યાં પાપને ઉદય હે જોઈએ. પાપ કે પુણ્યના ઉદય સિવાય તે શુભ કે અશુભ સંગે મળી શકતા જ નથી.
Page #227
--------------------------------------------------------------------------
________________
પર
આગમ જ્યોત
કિયાએ કર્મ પરિણામે બંધ
તિજોરીમાં લાખ કે કરડે હોય તેથી કાંઈ તિજોરીને લાગણી , થવા પામતી નથી. જ્યારે મનુષ્યને લાખ કે કોડ મળે છે તેથી તેને લાગણી થવા પામે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે લાખને આધારેજ લક્ષાધિપતિની ગણના થવા પામતી નથી. પરંતુ લાગણીને આધારે જ લક્ષાધિપતિપણાની કિંમત છે. આ ઉપરથી કબુલ કરી શકાશે કે લૌકિક દષ્ટિ એ તત્ત્વ વિનાનીજ ચીજ છે જ્યારે લોકેત્તર દષ્ટિ એ મૂળતત્વને પકડનારી ચીજ છે.
આથી એ વાત સ્વીકારી શકાશે કે, “પરિણામ બંધ આપનાર છે,” પણ ક્રિયાએ કર્મ અને પરિણામ બંધ આપનાર છે” આ વાક્યમાં કેટલાક ભવ્ય જીવો પણ અજ્ઞાનતાને લીધે માર્ગ ચૂકી જાય છે.
આ વાક્યના સંબંધમાં માર્ગ ચૂકનારાએ એ અર્થ લે છે. કે ક્રિયા ગમે તેવી થાય તેની ફિકર નથી. પરિણામ સુંદર જોઈએ, કારણ કે બંધ એ તે પરિણામ ઉપર આધાર રાખનારી ચીજ છે. આ રીતે કહીને જેઓ માર્ગભ્રષ્ટ થાય છે, તેમણે શાસ્ત્રજ્ઞાને મર્મ સમજવાની જરૂર છે. શાસ્ત્રકારને ઉપલું વાકય શા માટે કહેવું પડયું છે? તે વિચારે
ન્યાયાધીશની પાસે કઈ ન મુકામે આવે છે અને તે જ્યારે તેને ન્યાય આપે છે, ત્યારે વાદિપ્રતિવાદી બને ન્યાયાધીશની પાસે ન્યાય લેવા બેઠેલા હોય છે. વાદિપ્રતિવાદી જે ન્યાયાધીશના કબજામાં ન હોય, તે ન્યાયાધીશની સત્તાથી બહાર હય, તે ન્યાયાધીશ પિતે ચૂકાદે આપતા નથી. એજન્યાયે ન્યાયાધીશરૂપી બંધની આગળ અથવા શાસ્ત્રકારની આગળ પરિણામ અને ક્રિયા એ બંને ચુકાદ લેવાને માટે ગયા છે, ત્યારે શાસ્ત્રકારને તેમને ચૂકાદે આપતાં ઉપરનું વાક્ય કહેવું પડ્યું છે. ક્રિયા અને પરિણામ એ બંનેને શાસ્ત્રકાર પાસે ચૂકાદ લેવા આવવું પડે છે, તે એવું અનુમાન કરવું સહજ છે કે એ બેને કોઈ સંબંધ છે જ જોઈએ. વાદી કેટે જાય છે, તે પણ પ્રતિવાદીના સંબંધને અંગે જ કેટે જાય છે. પ્રતિવારી
Page #228
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જુ
૫૩
સાથે સંબંધ જ ન હોય તે વાદીને કેટે જવાપણાને અવકાશ જ નથી. -વાદિપ્રતિવાદીને સંબંધ : - વાદી અને પ્રતિવાદીને સંબંધ જ જોઈએ એ પહેલી વાત. બીજી વાત એ કે તેમના સંબંધમાં કાંઈ બગાડો થએલો હોવો -જોઈએ. આ બન્ને વસ્તુ હોય તે જ પ્રતિવાદીની સામે વાદીને ન્યાયાલયમાં જવાપણું રહે છે. અર્થાત્ અહીં ક્રિયા અને પરિણામ એ બેને સંબંધ છે, એમ આપણે માનવું પડે છે. જે ક્રિયા અને પરિ. ણામ એ બેને સંબંધ જ ન જડશે તે તે એ બંનેના સંબંધમાં -પાય માગવાને અધિકાર ઉભે થવા પામતે નથી. ક્રિયા અને પરિણામને જે સંબંધ ન જેડીએ, તે આગળ વધી શકાય નહી.
જે માણસ અમેરિકામાં રહે છે અને તે હિંદુસ્થાનમાં કદી આવ્યું નથી એવા માણસ ઉપર હિંદુસ્થાનને કઈ વેપારી એવું જણાવીને દા માંડે કે આ ગૃહસ્થ મારા હાથમાંથી હજાર રૂપીઆને હીરાને હાર ઝુંટવી લીધું છે, તે તેની ફરિયાદમાં તેને કાંઈ દહાડે વળતું નથી, પણ જે પેલે પણ સામે ફરિયાદ માંડે તો એ જવાબ આપતાં ઉધે થઈ જાય છે. એ જ રીતે આપણે ક્રિયા અને પરિણામ સંબંધ વિનાના લઈએ તો તે પછી એ વિચાર -સરણીને આધારે કેઈ અધમ યા પાપી ડરતું જ નથી! જાતને મિયો “હેય અને ગાય કાપે, તે પણ તે એમજ સમજે કે આ મારો ધર્મ ! -અકરીકા, બકરો કાપી નાખે તેમાં પણ તે એમ જ સમજે કે આ મારે ધર્મ ! બાકડામારૂ હજારો બાકડા હેમી દે, તે છતાં તે એમજ સમજે છે કે આ મારો ધર્મ. પૂર્વે વૈદિકની એક શાખાના તાંત્રિક કાશીમાં જઈને કરવત મૂકાવતા હતા, છતાં એમ જ ધારતા હતા કે આ પણ ધર્મ છે, કઢાઈ ગળાં કાપવામાં પણ ધર્મ માને છે અને ખેડુત હળ ચલાવવામાં પણ ધર્મ રહે છે એમજ ધારી લે છે, આ સઘળાના કાર્યો તદન ખોટાં, દયા અને સદાચારની દષ્ટિએ નિંદાપાત્ર છે, છતાં તેઓ બધા એમાં ધમ માનેજ છે !! એક જ માર્ગ નકામે છેઃ - પરિણામે બધાજ ધર્મવાળા છે અને જેઓ પાપ કરે છે તે
Page #229
--------------------------------------------------------------------------
________________
૫૪
આગમ જ્યોત
પણ ધર્મ કરું છું, એવા ઈરાદાથી પાપ કરે છે. હવે જે ક્રિયા માત્ર બેટી છે અને પરિણામ શુભ જોઈએ એ એકલે જ માર્ગ પકડીએ. તે તેનું પરિણામ એ આવે છે કે ધર્મ વર્ગ ઘણા જ મોટા પ્રમાણમાં વધી જાય છે અને માત્ર નાસ્તિકો જ અધર્મની કક્ષામાં બાકી રહેવા. પામે છે! પરિણામે બધા જ ધર્મ માનનારા છે અને પરિણામ. ધર્મના છે, તે એવાઓએ જે ક્રિયા આદરેલી હેય, તે ધર્મ ગણું. શકાય જ નહિ! શાસ્ત્રકારની કોર્ટમાં બનેની અરજી દાખલ થઈ છે. એ બેની અરજી દાખલ થઈ છે, તે ઉપથી સ્પષ્ટ માની લેવાનું છે કે બંનેને સંબંધ છે. હવે જ્યાં જેને જેને સંબંધ છે. ત્યાં ત્યાં દાવાઓ થવા જોઈએ એમ માની શકાય જ નહિ.' સંબંધ તે ધણી-ધણઆણી, મા-દીકરી, બાપ-દીકરો એ બધાની વચ્ચે હોય છે, પરંતુ તેમની વચ્ચે સંબંધ હોય છે, તેટલા જ માત્રથી તેમને કેટે જવાપણું નથી રહેતું. છેલ્લે નિર્ણય - સંબંધ થયા પછી તેમને કેટે જવાપણું થાય છે, તેને અર્થ એ છે કે એ બંનેમાં વાંધો પડ્યો છે. ક્રિયા અને પરિણામ એ બંનેમાં સંબંધ હતું. તેમને એ સંબંધ બગડ્યો, એટલે તેઓ ન્યાય લેવા માટે ગયા! એટલે શાસકાર મહારાજાએ એ ન્યાય આપી દીધું કે કિયાએ કર્મ અને પરિણામે બંધ! ક્રિયા અને પરિણામ બંને મળીને કાર્ય શરૂ કરે છે. તેમાં આકસ્મિક સંગે આવીને ઉભા રહે એટલે ક્રિયા પલટી જાય છે, પરંતુ પરિણામ પલટાતા નથી! હવે વિચારવાની વાત છે કે એ સંગોમાં બંધને આધાર કેની ઉપર રહે છે? ક્રિયા અને પરિણામને સંબંધ જેડીયે. પછી તે આધારે શુભ ક્રિયા અને પરિણામને આરંભ શરૂ થાય છે. તેમાં આકસ્મિક સંગે પરિણામ અશુભ પલટી શુભ થયા અને આકરિમક સંગે જ ક્રિયા શુભ હતી તે પલટીને અશુભ થઈ ગઈ. અશુભ ક્રિયા તે શુભ થઈ જાય છે એ સંયોગોમાં આત્માને કર્મનું બંધન કેને આધારે થવા પામશે? તે વિચારણીય છે!
Page #230
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જું
૫૫
વધુ સમજવાને માટે એક સ્પષ્ટ ઉદાહરણ લઈએ. ધારો કે -એક વ્યક્તિ ઉપાશ્રયે જવા માટે અને ત્યાં જઈ સામાયિક કરવા
માટે ઘેરથી નીકળે છે. આ માણસના પરિણામ અને ક્રિયા એ બને -સામાયિકના છે, એમાં તે સંશય જ નથી, પરંતુ માર્ગમાં જતાં પ્રમાદથી તેના પગ નીચે કઈ જીવ આવે છે અને તે મરી જાય છે. અહીં આરંભમાં ક્રિયા અને પરિણામ (ભાવ) એ બંને સામાયિકનાજ હતા, પરંતુ એવામાં પગ નીચે આકસ્મિક એક જીવ -આવે છે અને તે માર્યો જાય છે. જીવ પગ નીચે મરી જાય છે. એ ક્રિયા સામાયિકથી ઉલટી જ થાય છે! ક્રિયા કે ઉલટી થાય છે, પરંતુ પેલી વ્યક્તિના પરિણામ-તેને ભાવ તે સામાયિકને જ છે! તો આ પ્રસંગે સામયિકની ભાવનાને લાભ થાય તે વધારે છે? કે પેલે જીવ અકસ્માત પગ નીચે આવીને મરી ગયે, તેની વિરાધના થઇ અને તેથી જે ગેરલાભ થાય તે વધારે છે?
જો તમે એમ કહેશે કે ક્રિયા એ પરિણામ કરતાં વધારે છે -અને તે દષ્ટિએ સામાયિકના પુણ્ય કરતાં કીડી મરી ગયાનું પાપ જ વધારે છે, તે એને અર્થ તે એજ થવાને કે તમારે સામાયિક માટે ઉપાશ્રયે પણ જવુંજ નહિ, અને તે જ ન્યાયે સાધુ મહારાજાઓની પધરામણી થાય તે તે એના સામૈયામાં, સંઘ પધારતે હેય તે તેના સત્કાર ધાર્મિક વડામાં અને જિનબિંબ પૂજા માટે દહેર પણ જવુંજ નહિ, કારણ કે એ પ્રત્યેક સમયે પગ નીચે કાચું પાણી, જીવતી વનસ્પતિ, જી વિગેરે આવે છે અને તેમની વિરાધના જ થાય છે!! ક્રિયાનું કથંચિત્ પલટવું થાય છે, તેટલામાં જે બંધ માનીએ તો ઉપર પ્રમાણેની સ્થિતિ થવા પામે છે. ક્રિયા એની એ શુભ પ્રકારની રહે અને પરિણામ શુભ રહે તે તે લાભ જ મળે -અને ક્રિયા પલટે પણ પરિણામ ન પલટે તે તેથી પણ લાભની જ પ્રાપ્તિ થાય છે, હવે ક્રિયા બરાબર રહે, ક્રિયામાં પલટો ન થાય પરંતુ પરિણામ પલટી જાય તે શું સ્થિતિ આવે? તે વિચારીએ.
Page #231
--------------------------------------------------------------------------
________________
૫૬
આગમ
ત
શુભ ક્રિયા અને અશુભ પરિણામ - બીજું એક ઉદાહરણ છે. એક માણસ સામાયિક કરવા આવે છે, પરંતુ તેને એ વિચાર થાય કે સામાયિક કરવા આવે છે. પરંતુ શાકભાજીને મેડું થશે તે અહીં ક્રિયા સામાયિકની છે. પરંતુ પરિણામ શાકભાજીના છે. આ સ્થાન ઉપર વિચાર કરજો કે ક્રિયા કર્મને અંગે જરૂરી થશે કે પરિણામ કર્મને અંગે જરૂરી થશે? અહીં તમારે એ જ ઉત્તર આપવું પડશે કે પરિણામ થાય છે, તે જ ક્રિયાને અંગે જરૂરી છે. જ્યાં ક્રિયા અને પરિણામ સાથે શરૂ થાય છે અને પછી સગવશાત્ ક્રિયા પલટી જાય છે તે પણ કમને અંગે તે પરિણામે જ જરૂરી ગણાય છે. આ વસ્તુ વધારે સ્પષ્ટ રીતે સમજવા માટે શ્રી પાર્શ્વનાથ અને કમઠને પ્રસંગ જેવો જરૂરી છે. શ્રી પાર્શ્વનાથ ભગવાન અને કમઠઃ
કમઠ એક મોટે મિથ્યાષ્ટિ તપસ્વી હતું, તેના મિથ્યાતપની જગતમાં ભારે નામના થઈ હતી અને તપની સત્યાસત્યતા નહિ જાણનારા પામર માણસે કમઠ ઉગ્રતપ તપી રહ્યો હતું તે જોઈને તેને એક મેટે તાપસ માનવા લાગ્યા હતા. એ કમઠ એક સમયે કાશીએ ગયે અને ત્યાં જઈને પણ તેણે પિતાની ચારે બાજુએ પ્રચંડ પંચાગિન ધૂણી ધખાવી જબરી તપસ્યા આરંભી. કમઠની આ ઉગ્રતપસ્યા સાંભળીને સઘળા લકે તેના તપથી મુગ્ધ બની, ગયા અને તેને જોવા માટે આવવા લાગ્યા. પાકુમાર પણ આ તાપસને જોવા માટે આવ્યા હતા. તેણે પેલા તાપસને કહ્યું, “અરે તાપસ ! તારૂં આ તપ મિથ્યા છે અને તેમાં કેટલાય જીની હાનિ થાય છે. જે લાકડાં તું સળગાવી રહ્યો છે, તેમાં એક પ્રચંડ નાગ મા જાય છે. પાશ્વકુમારે એ બાળવાનાં લાકડાં ચીરાવી નાંખ્યાં, તે તેની બખેલમાંથી ભયંકર સર્પ નીકળ્યો અને કમઠની પિલ ખુલી ગઈ. ભગવાન પાર્શ્વનાથ ઉપર કમઠને આ રીતે પૂર્વભવનું વેર તાજું થયું.
Page #232
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જુ
ભભ કમઠ નથી
કમઠે ભગવાનને ઉપસર્ગ એકજ ભવે નહેતે કર્યો, પરંતુ આગલા ભવના કમઠના જીવે ભગવાનને દશ ભવ સુધી મરણાંત ઉપસર્ગો આપ્યા હતા. આ પ્રસંગમાં ભગવાન પાર્શ્વનાથજી અને કમઠ એમને ઉભય પક્ષી વર ન હતાં, ભગવાન સામે વેર વાળવા માંગતા ન હતા માત્ર વેર વાળવાની વૃત્તિ તે કમઠમાં જ વિદ્યમાન હતી. કમઠ ગુન્હેગાર હતું. તેણે ભગવાનને ઉપસર્ગો આપ્યા હતા અને તેને જ ભગવાન ઉપર વૈર હતું. પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રમાં પહેલા ભાવથીજ કમઠે કાળાં કૃત્ય કર્યા હતાં. કાળાં કૃત્ય કરનાર પાર્શ્વનાથજીનો આત્મા ન હતે. ભગવાન પાર્શ્વનાથજીના જીવે તે સહનશીલતાની પરાકાષ્ઠા જ દર્શાવી હતી.
પાર્શ્વનાથજીને આત્મા અને કમઠને આત્મા એક ભવમાં સગાભાઈ તરીકે હતા. આ સગાભાઈએ પાર્શ્વનાથજીના પૂર્વભવની સ્ત્રી સાથે એક ઘાલમેલ કરી હતી. એક તિય"ચની વાત લે તે તેનાથી પણ પિતાની સ્ત્રીને પરાભવ નથી સહન થતું, પરંતુ ભગવાન પાર્શ્વનાથજીના જીવે પિતાની પત્નીનું અપમાન પણ સહન કરી લીધું હતું. વિચાર કરજે કે ભગવાનની આ કેટલી બધી સહનશીલતા હતી ? ભગવાનની સહનશીલતાની અહીં અવધિ હતી. હવે કમઠના જીવને માલમ પડયું કે મારા ભાઈએ પિતાની પત્નીના અપમાનની ઘટના મહારાજાને કહી હશે અને તેથી રાજા પિતાને સજા કરશે, એમ ધારીને કમઠને જીવ તાપસ બન્યો હતે. અપ્રતિમ સહનશીલતા
રાજ્યની દષ્ટિએ, શાસ્ત્રની દષ્ટિએ, રાજકુટુંબની દષ્ટિએ રાજકુમારની પત્નીનું અપમાન એ ગુને મહાભયંકર છે, છતાં ભગવાન્ પાર્શ્વનાથજીને જીવ દૈધ નથી કરતા. તેઓ વિચાર કરે છે કે પેલો કમઠ ઉગ્ર તપ તપે છે, તેને જઈને ખમાવી લઉં, હવે અહીં ભગવાનના જીવની સહનશીલતા કેટલી છે? તે ધ્યાનમાં લેજે. ગુને કરનાર
Page #233
--------------------------------------------------------------------------
________________
૫૮
આગમ ચેત
ભગવાન નથી, દુખ આપનાર તેઓ નથી, તેઓ દુઃ ખમનાર છે. છતાં દુખે આપનારને તેઓ ખમાવવા જાય છે.
આ તરફ પેલો કમઠ હાથમાં શિલા ધરીને ઉગ્ર તપ તપે છે. જે પાર્શ્વનાથને જીવ સામે આવે છે, તે જ પેલે શિલા ધરીને તપ તપતે કમઠ એ શિલા પાર્શ્વનાથજી ઉપર ફેકે છે. અહીં ભગવાનના જીવને ક્રોધ આવતું નથી. જે તેમને પણ ક્રોધ આવ્યે હેત તે અહીં બે પક્ષે વેર શરૂ થાત, પરંતુ તેમ થતું નથી. એકજ ભવમાં કમઠ પાર્શ્વનાથજીના જીવને સંકટ આપતું નથી, પરંતુ તેને ભવે ભવે સંકટ આપે છે. મરણાંત ઉપસર્ગો કરે છે, છતાં ભગવાને અપ્રતિમ સહનશીલતા દાખવી, તે સઘળું ગળી જાય છે. પ્રચંડ વરસાદ વરસ્યો !
આ ભવભવના સઘળા સંકટ ઓછાં હેય, તેમ છેવટે મેઘમાળી દેવ થયેલ એ તાપસ ભગવાનને નાશ કરવા પ્રચંડ જળ વરસાવે છે. કમઠ શ્રી પાર્શ્વનાથ પાસે આવે છે, ત્યારે તેની ક્રિયા કે પરિણામ એકે શુભ નથી જેનું ભવભવનું વેર છે, જેણે ભગવાનના આત્માને ભવભવ મરણાંત ઉપસર્ગો કર્યા છે. ભગવાનનો જીવ સામે ખમાવવા આવે, તે તે સમયે જેણે તેમના ઉપર શિલા કી છે, એ અધમ આત્મા, તેના પરિણામે કેવા હશે ? ભગવાનને ડુબાવી દેવાના આશયથી તે પ્રચંડ વરસાદ વરસાવે છે. પરંતુ આટલા સંકટ છતાં દયામતિ પાર્શ્વનાથજીના હૃદયમાંથી દયા હઠતી નથી, એ જોઈને કમઠની સાન ઠેકાણે આવે છે. તેને પિતાના દુરાચારે સમજાય છે. ભગવાનના આત્માની મહત્તા તે સમજે છે, અને છેવટે એ શરણે આવે છે. પરિણામે આ પ્રચંડ પાપાત્મા બ્રાહ્મણ કમઠ તે પણ ભગવાનના આત્માની દિવ્યતા નિહાળી સમ્યકત્વ પામે છે. આ ક્ષમા લોકોત્તર દષ્ટિએ નથી :
આ ઉદાહરણમાં ભગવાન શ્રી પાર્શ્વનાથજીએ જે ક્ષમા દર્શાવી છે એ ક્ષમા કેત્તર દષ્ટિએ આવી નથી. આત્માને કર્યું લાગે છે
Page #234
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જું
પર એ દષ્ટિ પણ ત્યાં નથી. વળી બીજી બાજુએ કમઠનું લૌકિકદષ્ટિએ પ્રવર્તન હેવાથી તે ધર્મમાર્ગમાં પણ આવ્યું નથી. કમઠની બુદ્ધિ કેવી છે? તે વિચારજે. કમઠની બુદ્ધિ તે ભગવાન શ્રી પાર્શ્વનાથજીને કષ્ટ આપવાની છે અને પિતાના તે આશયને પાર પાડવાને માટે ભગવાનના નાક સુધી પાણી આવી જાય તેટલો વરસાદ તે કમઠ વરસાવે છે. આવી સ્થિતિમાં કમઠના પરિણામ અને ક્રિયા જોઈએ તે તે બંને ખરાબ છે, તેમાંથી એક પણ સારૂં નથી. ચેરમાં ચતુરાઈ હોય છે, જુલ્મીઓ અને દગાબાજોને મોહની જાળ પાથતાં આવડે છે, તેઓ વિવિધ પ્રકારના પ્રપંચે રચી શકે છે, એ સઘળાનું કારણ તેમના અજ્ઞાનાંતરાય કર્મ તુટયાં છે, તેથી આઠ કર્મ જુદાં માન્યાં છે. ક્રિયા અને કર્મ બંને અગ્ય છતાં સમ્યકત્વની પ્રાપ્તિઃ
કમઠની ક્રિયા અને ભાવ (પરિણામ) બંને અયોગ્ય છે, અરે! મહાપાપકારક છે. એના જેવા બીજા મહાભયાનક પાપ નથી, તે છતાં ભગવાન્ શ્રી પાર્શ્વનાથના વિનાશને ઈચ્છતો અને વિનાશની ક્રિયા કરતો જ્યાં તેમની પાસે આવે છે, ત્યાં તેમની શાંતિ દેખી તે શાંત થાય છે, અને સમ્યકત્વ પામે છે. હવે અહીં ખૂબ દયાન રાખીને આ પ્રશ્ન વિચારજે ! કમઠની જે ક્રિયા થાય છે, તે પણ ભગવાન શ્રી પાર્શ્વનાથજીને મારી નાખવાની છે. તેની ભાવના કે પરિણામ છે, તે પણ ભગવાનને પરિતાપ પમાડવાના છે, છતાં તે સમ્યકત્વ પામે છે! હવે અહીં તમને એવી શંકા થશે કે જેના ક્રિયા અને પરિફામ બને ખરાબ છે, અને તે પણ સાધારણ વાત માટે નથી, પરંતુ જેની સતત પ્રવૃત્તિ તીર્થકર ભગવાનના નાશની છે, તે પણ સમ્યકત્વ શી રીતે મેળવી શકે?
II
સમજવા જેવું !!! કષાયોની કારમી ભીંસમાં સપડાયેલ આત્માને છોડાવવાની
ફરજનું પાલન ધર્મની આરાધના રૂપે થાય છે !!
Page #235
--------------------------------------------------------------------------
________________
ધર્મીને હાથે અધમ કામ થાય છે? આપણે કહીએ છીએ કે -
" भक्खणे देवदव्वस्स, परइत्थीणं तु संगमे ।
सत्तमं गरयं जंति, सत्तवारा उ गोयमा ! ॥१॥" ઠીક, જે આત્માઓ ધર્મના રાહ પર આવેલા છે, ધર્મને માર્ગે વિચારતા થયા છે, તેવાઓને હાથે જે ધર્મ વિરેાધી કામ થાય અથવા તેઓ તેવું કાર્ય કરવા બેસે તે આપણે માનવું જ પડે કે તેમના અંતરમાં અજબ કાળાશ ઉત્પન્ન થએલી હેવી જ જોઈએ. ધારો કે બે ભાઈઓ હેય. નાનપણમાં કેઈ કર્મસંગે જુદા પડયા હેય. એક બીજાને ભૂલી ગયા હોય! પતે ભાઈઓ છે, એ ખ્યાલ પણ ન રહ્યો હોય! એમાંને એક ઝવેરાતને વેપારી થાય અને બીજો ચાર થાય ! ચેરને ધંધો ચેરીને છે. ધાડને છે, લૂંટફાટને છે. આ ચિર પિતાને ભાઈ કે જે ઝવેરી છે, તેને ત્યાં જ ચેરી માટે પ્રવેશ
જ્ઞાની કોણ? ज्ञानी क्रियावान् स पंडितः। જ્ઞાની તે જે કે અવિરતિના સકંજામાં ફસાએલ આત્માને
છોડાવવા મથે ! ज्ञानस्य फलं विरतिः ।
વિશાળ વિશાળd mult શિયાવિશ હારિક
Page #236
--------------------------------------------------------------------------
________________
પુસ્તક શું
કરે છે. તેના ઘરની સમૃદ્ધિ જુએ છે, અને લૂંટવાને તથા પેલા ઝવેરીનું ખૂન કરવાનો વિચાર કરે છે. હવે એની મને વૃત્તિ કેવી -નીચ અને પાપી છે? તેને ખ્યાલ કરજે, પરંતુ એજ સમયે તેને તેને બાપ ત્યાં આવીને એના ભાઈને ઓળખાવે ! એના ભાઈને સંબંધ ખુલ્લો પાડે! તમે બે એક લેહીના છે! એ વસ્તુ યાદ દેવાડે અને તે છતાં પણ પેલે ધાડપાડુ તલવાર ઉંચી કરીને મારવા જાય તે એની મને દશા કેટલી નીચ હશે ? તે વિચારવા જેવું છે!
ધમી પાપ કરે છે?
પિતાના ભાઈને ઓળખ્યા વિના મારવા જનારાના કરતાં તેને ઓળખ્યા પછી પણ મારવા જનારાની મદશા વધારે નીચ અને ભયંકર છે, એમાં જરાય શંકા નથી ! એ જ પ્રમાણે જે આત્માઓ ધર્મ સમજેલા નથી તેઓના હાથે પાપના કામો થતા તેમના હૃદયમાં જેટલી કાળાશ હોય, તેના કરતાં વધારે કાળાશ પેલાના હૃદયમાં હેવી જ જોઈએ કે જેઓ ધર્મ શું છે? એ સમજ્યા પછી એ સમજ્યા - છતાં પણ અધર્મને આદરે છે ! જે ધમને જ નથી સમજે તે બિચારે અધર્મને ટાળી શકતું નથી, જે દેવદ્રવ્યનું કેડી જેટલું પણ ભક્ષણ કરે છે, તેની ઉપેક્ષા કરે છે, તેવા આત્માઓ સમ્યકત્વથી રહિત થાય છે. જે ધર્મમાં જોડાયેલા ન હોય તેવા આત્માએ પાપાચાર સેવે, અધમ કરે, તે ધર્મ જાણનારાઓ પણ તેને ધર્મ કહીને ધમને ઉપદેશ આપી શકે, પરંતુ ધર્મને જાણનારા જ પાપ કરવા મંડી પડે તે પછી ધર્મને ઉપદેશ કોણ આપવા નીકળવાનું હતું? એ પ્રસંગે તે ધર્મને અંત આવે કે બીજું કાંઈ ? એમાં વધારે મૂર્ખ કેશુ?
ધર્મના કરતાં જે દ્રવ્યની કિંમત વધારે ગણતા હોય તેવા પાપાત્માઓ ધર્મને ભૂલીને દેવદ્રવ્યભક્ષણરૂપ અધર્મમાં જઈ શકે. ધર્મને ન જાણનારે અધર્મ આચરે તે એટલે બુર છે, તેના કરતાં
Page #237
--------------------------------------------------------------------------
________________
આગમ ચેત
૬૨
ધર્મને જાણનારે અધર્મ આચરે તે વધારે બુરે છે. ઝવેરી ચળકતે. પત્થર લેવાને માટે પથરા પેટે રત્ન આપી દે, તે તમે તેને વધારે મૂર્ખ કહેશે કે રબારી પત્થરા પેટે રત્ન આપે તે તેને ખરેખર મૂખ કહેશે? પેલે રબારી ભલે મૂ ગણાય, પરંતુ ખરેખર મૂ. તે પિલે ઝવેરી છે. રબારી રત્નની કિંમત સમજતું નથી, જ્યારે ઝવેરી તે રત્નની કિંમત સમજે છે અને હવે જ્યારે ઝવેરી પેલું રત્ન તેનું મૂલ્ય જાણ્યા છતાં તેને પત્થર પેટે આપે છે, ત્યારે તેને મહામૂર્ખા કહેશો કે બીજું કાંઈ ? એ દષ્ટિએ ધર્મનું મૂલ્ય સમજેલા પણ ધર્મ ચૂકી જાય તે સમજી લેવાનું છે કે તેમના અંતઃકરણમાં ધર્મના કરતાં સંસારની કિંમત વધારે મનાએલી છે ? તે સિવાય ધર્મને જાણનારાઓ અધર્મમાં પ્રવૃત્તિ ન કરે. કમઠનું ઉદાહરણ વિચારે
કમઠનું ઉદાહરણ તમારે આ વિચારસરણિએ આ કસેટી પર તેળી જોવાનું છે. તે ધર્મ જાણતું નથી, તીર્થકરનું મૂલ્ય કે તેમનું મહત્વ તેના ખ્યાલમાં પણ નથી, તે તે ભગવાન શ્રી પાર્શ્વનાથજીને નાશ કરવાના વિચારને જ સેવે છે અને સત્યાસત્ય જાણતું નથી. અર્થાત્ તેના બધાં કામે અજ્ઞાનતાથી ભરેલાં જ છે અને તેથી જ તે જ્યારે ભગવાનની મહત્તા અને પવિત્રતાને ઓળખે છે, ત્યારે તેને શરણે આવી સમ્યકત્વને પામી જાય છે, પરંતુ જે સમ્યફળ પામેલા છે, સત્યને જાણનારા છે, દેવગુરુને ઓળખનારા છે, તેઓ પણ જે. દેવદ્રવ્યને ચાટી ખાવાની વાત કરે તે પામેલા સમ્યક્ત્વને પણ તેઓ વમી નાખે છે, અથાત તેમનું સમ્યકત્વ “શૂન્ય” માંજ મળી જાય છે. આ સઘળા ઉપરથી તમારે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે ધર્મને ન જાણનારા ભલે અધર્મ કે પાપ કરી શકે, પરંતુ ધર્મને જાણનારા આપણે તે અધર્મને પંથે એક પગલું પણ ન જ ધરી શકીયે. તમે રાજી થાઓ :
તમારે છેક તદ્દન અજ્ઞાન હોય, તેને કાંઈ પણ આવડતું ન હોય અને તે છોકરે બેળા કાગળ પર એકડાને નામે લીટાં.
Page #238
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જું
ખેંચે તે તે લીટાં જેઈને પણ તમે ખુશી થઈ જાઓ છે ! પણ મેટ્રિક થએલે ચોપડા લખવા બેસે અને ચેપડો છેકી નાખે છે તે તમે તેને એમ નથી કહેતા કે મૂખ! ભણેલું પાણીમાં ગયું ! તમે ભણેલાનું બેટું કામ જોઈ તેને ઠપકો આપે છે અને વગર ભણેલાનું ખેટું કામ જોઈ તેને ઠપકે નથી આપતા, તે જ પ્રમાણે ધર્માધર્મનું પણ સમજવાનું છે. ધર્મ કરનાર-ધર્મ જાણનારે પાપાચાર આદરે તે તેને ડુબી મરવાનું છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે કેમકે ભગવાન શ્રી પાર્શ્વનાથજીને મરણાંત ઉપસર્ગો કર્યા હતા, પરંતુ તે સઘળા અજ્ઞાન વશ થઈને કરેલા હેવાથી અને તેને સત્ય જણાયું. ત્યારે તે ભગવાનને શરણે આવેલ હોવાથી તે સમ્યકત્વ પામી ગયે, તે યોગ્ય જ હોય તેમાં શંકા કરવાનું યા શંકા લાવવાનું કાંઈ કારણ જ નથી. એ ભયજનક ઉપસર્ગો :
કમઠે ભગવાન્ શ્રી પાર્શ્વનાથજીને ભારે ઉપસર્ગો કર્યા હતા. વળી ભગવાનને નાશ કરવાની ઈચ્છાએ તેણે જે વરસાદ વરસાવ્યું હતું તે તેણે અટકાવ્યો ન હતે. પૂરના પાણી તેણે ઓસરાવ્યા ન હતા અથવા ભગવાનને તેણે પાણીમાંથી ઉચે પણ લીધા ન હતા. પોતે જે સંકટ ઉભાં કર્યાં હતાં તે તેણે ટાળ્યાં નથી. તેણે બચાવને કઈ રસ્તે શેો નથી અને એની એ ક્રિયા ચાલુ છે. છતાં ત્યાં કમઠ સમ્યકત્વ પામે છે. કમઠના કૂર કમેં જળપ્રવાહના પૂર ચઢયા છે, નાક સુધી પાણું આવ્યું છે, છતાં ભગવાન્ પાર્શ્વનાથના શરીરનું એક રૂવાડું પણ હાલતું નથી. આ ભવ્ય દશ્ય જોઈને કમઠની ખાતરી થાય છે કે આજ મહાપુરુષ મારી શકે અને તારી શકે એવા છે, બીજા નહિ. આ મહાપુરુષે આત્માની જ કિંમત સમજેલા છે. તેમણે આત્માને જ પ્રમાણ ગણે છે. શરીરની કિંમત તેઓ સમજેલા નથી. જો તેઓ આત્માની કિંમત ન સમજ્યા હતા અને શરીરની કિંમત સમજ્યા હતા તે તે આ ઉપસર્ગોમાંથી બચવા નાશભાગ કરી મૂકત.
Page #239
--------------------------------------------------------------------------
________________
આગમ
ત
તે ધર્મતત્વને સમજેલા છે?
કમઠ વિચારે છે કે મરણને એક તસુ દુર જેવા છતાં પણ જેઓ દેઢ છે તેઓ સાચા ધર્મતત્વને સમજેલા છે, અને એવા ધર્મવીરને ધન્યવાદ આપ એ જ માનવતા છે. મારે એ મહાપુરુષને ધન્યવાદ આપ રહ્યો. પહેલાં કમઠનો એ વિચાર હતું કે જ્યારે હું પરાક્રમ કરૂં અને એને ચગદી મારૂં? હવે તે વિચાર કરી જાય છે અને ધન્યવાદ આપવાને તૈયાર થાય છે. હીરે એવાઈ જવાથી જેટલી ખોટ આવે છે, હીરે જડવાથી તેટલે લાભ પણ થાય છે. એ દષ્ટિએ પહેલાં શ્રીજિનેશ્વર ભગવાનને ઉપદ્રવ કરવાથી જેટલી અને જેવી દુર્ગતિ બંધાતી હતી, તે રીતે ભગવાન શ્રીજિનેશ્વદેવના જ્ઞાન, શ્રદ્ધા, આત્માનું ખમીરપણું એ સઘળાની અનુમોદના થવા આવી તે સમયે તેટલો લાભ પણ થયે એ વાત સ્પષ્ટ છે. દાવાનળમાં કમળ ઉછ્યું :
દાવાનળમાં કમળ ઉગવું એ ખરેખરૂં મુશ્કેલ છે, પણ તે અહીં બને છે. જે ભક્તિ કરનારા છે, તેવાઓને પણ શ્રીજિનેશ્વર ભગવાનની આત્મદશા સમતાબુદ્ધિ પવિત્ર ધારણાઓએ બધું લક્ષમાં આવવું મુશ્કેલ થઈ પડે છે. પૂજા–ધ્યાન એ બધું કરવા છતાં ભગવાનની આત્મદશા લક્ષમાં આવવી મુશ્કેલ પડે છે. પૂજા, ધ્યાન, ભક્તિ એ ધર્મને બગીચે છે, અને સમ્યફ એ પવિત્ર બગીચામાં ઉગતું કમળ છે. બીજી બાજુએ ભગવાનને દ્વેષ તેમના નાશની ઇચ્છા તેમના વિનાશની પ્રવૃત્તિ એ શ્રેષને દાવાનળ છે. ભગવાનની જે નિત્ય પૂજા કરે છે, આરાધના આદરે છે તેમને પણ ભગવાનના સમતા જ્ઞાન શ્રદ્ધા રૂંવાડે રૂંવાડે રમવી મુશ્કેલ છે તે બીજી બાજુએ કમઠમાં તે દ્વેષને દાવાનળ પ્રકટેલો છે. વર સિવાય ત્યાં બીજુ કાંઈ નથી, શ્રીતીર્થકરના નાશના વિચાર સિવાય ત્યાં બીજે વિચાર નથી, ત્યાંથી પણ પ્રશંસા થાય તે તે પ્રસંગ કેટલે દુષ્કર હે જોઈએ? તે તમે જ વિચારી લે !
Page #240
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જું કિયા એ કર્મ પરિણુ બંધઃ
શ્રેષના દાવાનળમાંથી દયાને ઝરે છૂટે છે. ઠેષની ધીખતી ધુણી જેવા કમઠના હૈયામાંથી ભગવાનની પ્રશંસા પ્રકટ થાય છે અને તે પ્રભુની મહત્તા કબુલે છે, એ વસ્તુ કેટલી મુશ્કેલ છે ! અહીં જે ભગવાન શ્રીતીર્થંકરદેવની સમતા ન હોત તે કાંઈપણ કાર્ય ન થાત ! કોઈ કહેશે કે ભવિતવ્યતા અહીં પણ કારણભૂત છે, તે તેને જવાબ એ છે કે ભવિતવ્યતાની જરૂર છે, એ વાત તે એરી, પરંતુ એકલી ભવિતવ્યતાથી દહાડો વળતું નથી, તે સાથે અહીં બીજા કારણેની પણ જરૂર છે. કમઠની ક્રિયા અને પરિણામ અને અધમ હતા. આગળ જતાં એમ થાય છે કે પરિણામ પલટી જાય છે અને ક્રિયા ચાલુ રહે છે. પરંતુ ત્યાં એ ક્રિયા કરનારે પિતાનું કામ કાઢી લીધું છે. - આથી સ્પષ્ટ થાય છે કે ક્રિયા એ કર્મ અને પરિણામે બંધ એ વાક્ય તદ્દન સાચું છે. પણ એ વાકથના અંતરંગમાં રહેલો તેને અર્થ અને એ અર્થનું શું મહત્વ છે? તે વિચારવાનું બાકી છે. ક્રિયા અને પરિણામ :
ક્રિયાએ કર્મ અને પરિણામે બંધ અને અર્થ એ છે કે આકસ્મિક રીતે શુભ પરિણામને પલટે થાય તે ક્રિયાનું શુભપણું રહેતું નથી, તેમ અશુભ પરિણામે અશુભ ક્રિયા શરૂ થઈ તેમાં પણ પરિણામને આધારે બંધ થાય છે. ક્રિયા અને પરિણામ બનેએ મળીને કરેલા કાર્યમાં આકસ્મિક સંગે પલટે થાય તેથી ત્યાં ફેરફાર થાય છે. પરંતુ તેથી એમ નથી સમજવાનું કે અજ્ઞાનીઓ ખરાબ ક્રિયાઓ કરે છે. તેઓ પણ કમઠના ઉદાહરણને માર્ગે લાભ મેળવી શકે છે. ઉપલું વાકય માત્ર શાસ્ત્રનુઢારી ક્રિયા શરૂ થાય ને તેમાં ફેરફાર થાય તે વખતના વિવાદને માટે તે પુરતું જ સમજવાનું છે, અન્યથા નહી, આ સઘળી ચર્ચા ઉપરથી એક વસ્તુ એ સ્પષ્ટ થઈ ગઈ કે લેકોત્તર દષ્ટિ પરિણામ ઉપર આધાર રાખે
Page #241
--------------------------------------------------------------------------
________________
આગમ ન્યાત છે, ત્યારે લૌકિક દષ્ટિ બાદ્યસંગે ઉપર આધાર રાખે છે, પરંતુ એનેય છેટે પરિણામ ઉપર આધાર રાખવો જ પડે છે. હવે આ મુખ્ય સિદ્ધાંત સાબિત કરી લીધા પછી આપણે આપણી મૂળ વાત ઉપર આવીએ. ફાસુક અને અચિત્ત
શ્રાવકે એ વિચાર કરે જોઈએ કે “અચિત્ત એષણાય” એટલે હું નિજીવ અને શુદ્ધ ખાવાવાળો થાઉં, જે આ રીતે વર્તે છે, તે ઉત્કૃષ્ટ શ્રાવક છે, ફાસુ-એષણીય આહારવાળા થવું, તે ઉત્તમ છે, પરંતુ ફાસુ-એષણય એ બધા જ ન લઈ શકે. બધા જ એ આહાર લે એવું બનવું જ અશકય છે માટે જ ફાસુ એષણાયની અશકયતાએ તે ન હોય તે પણ અચિત્ત હેય એ ગ્રાહ્ય છે, એ શાસ્ત્રકારોને દઢ મત છે. અચિત્ત સર્વોત્તમ છે, એની તે કોઈ ના પાડી શકે એવું છે નહિ, પરંતુ અચિત્ત સ્વાભાવિક શુદ્ધ ન બને તે એકલું ફાસુ કરેલું પણ અચિત્ત જ લેવાને શાસ્ત્રાધાર છે, હવે તમે કઈ એ પ્રશ્ન કરશે કે ગૃહસ્થ અચિત્ત આહાર પિતાને હાથે બનાવીને તે ખાય છે, તે પછી તે જ ગૃહસ્થ સચિત્ત વસ્તુઓને આહાર લે તે તેમાં ખોટું શું પાણી સચિત્ત પીએ તે માત્ર અપકાયની વિરાધના થાય છે, અને એજ પાણી અચિત્ત કરવા જઈએ તે તેથી છએ કાયની વિરાધના થાય છે, તે છએ કાયની વિરાધના કરી અચિત્ત પાણી પીવું તેના કરતાં માત્ર એકલા અપૂકાયની જ વિરાધના થવા દઈને સચિત્ત પાણી પીવું તેમાં ખોટું શું? જે શંકાવાદીએ આવી શંકા ઉઠાવે છે તે નિ:સંશય શાસ્ત્રશ્રદ્ધા વિનાના જ છે. અપેલ દુપોલ ઔષધિ :
જેઓ શાની શ્રદ્ધાવાળા છે, તેઓ ઉપર પ્રમાણેની શંકા કદી પણ કરી શકવાના જ નથી. વંદિતાસૂત્રમાં સાતમું વત ગપગ પરિમાણ છે, તેના પ્રકરણમાં અતિચારને વિષય જણાવતા કહ્યું છે કે,
Page #242
--------------------------------------------------------------------------
________________
પિસ્તક નું અપિલ એટલે નહિં રાંધેલી વસ્તુ અને ફુલ એટલે અધકચરી વાધેલી વસ્તુ, એ અપેલ અને પાલ એ અતિચાર છે. પકાવતાં બાહી આરંભ છેએ કાયને થાય. તેના પાપ કરતાં સચિત્તના ભક્ષણનું પાપ બહુ વધારે છે, અને સચિત્તનું ભક્ષણ અધમમાં અધમ છે. સચિત્તના લક્ષણને જે અધમમાં અમિન ગણી શકે તે પછી અપલદુષ્પલને પણ અતિચાર ગણી શકશે નહિ. આથી શાસ્ત્રને એ નિર્ણય સ્પષ્ટ થાય છે કે છએકાયના બાહારંભ કરતાં સચિત્ત આહાર અત્યંત અધમ છે, અચિત્ત આહાર પર આ શાસ્ત્રનો નિયમ થ. હવે આપણે શાસ્ત્રદષ્ટિને દૂર રાખીને હેતુ-યુકિતપૂર્વક એ વાત તપાસી જેવાને પ્રયત્ન કરીશું કે છએ કાયના બાહ્યારંભ કરતાં સંચિત આહાર અધિક પ્રમાણમાં અધમ છે કિંવા નથી?
સચિત્ત કોણ ખાઈ શકે? - પ્રથમ એ વાતને વિચાર કરે કે જેઓ એવી ધારણા રાખે છે કે અચિત્ત હોય છે તે જ ખાવું. તેવાએ શી ધારણાવાળા હોય છે? મારા શરીરે ભક્ષણદ્વારા કોઈપણ જીવની વિરાધના ન જ થવી જોઈએ, એવા વિચારવાળાઓ ઉપર વિચાર સેવનારા હોય છે, ત્યારે સચિત્તને આહાર તેઓ જ કરી શકે છે કે જેઓ સચિત્ત ખાવામાં ફીકર નથી એવા પરિણામવાળો હોય છે, અચિત્ત ખાવા. વાળાને છકાયની હિંસાના પરિણામ હોતા નથી. માત્ર મારૂં પિંડ સચિત્ત અને વધ કરી વધારવું નહિ, આ બુદ્ધિથી તેઓ અચિત્ત આહાર વાપરે છે, સચિત્ત કે અચિત્ત આહાર લેવાય છે, તેમાં એક ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે એમાં સઘળું પુદગલની દ્રષ્ટિએ જોવાય છે, પરંતુ જીવની અપેક્ષાએ કઈ ઈન્દ્રિયે તેના વિષયો, તેના સાધન ઈત્યાદિને દેખાતું જ નથી. માત્ર પુદગલની અપેક્ષાએ આહાર આદિ બધું જોવાય છે.
આહાર આદિ જે સુખના કારણ તરીકે મનાય છે તે સઘળા પગલની દષ્ટિએ જ મનાય છે, આથી સિદ્ધ થાય છે કે આહાર
Page #243
--------------------------------------------------------------------------
________________
આગમ જ્યોત
શરીરાદિ એ બધા પુદગલની દષ્ટિએ જ છે. જે આહાર અને શરીરાદિ બધા પુદગલની દષ્ટિએ જ છે, તે પછી શરીર અને પુદગલમાં જ રમનારે તે આત્મા, તે આત્મા નહિ પણ સ્પષ્ટ રીતે ભાવાભિની જ છે. આ સઘળામાં આપણે જીવનું સ્વરૂપ કઈ જગો પર તપાસ્યું છે? તેને વિચાર કરો. વિચાર કરતાં માલમ પડી જશે કે આપણે જીવનું સ્વરૂપ તે તપાસ્યું જ નથી. માત્ર મુદ્દગલની દષ્ટિએજ સઘળું જોયું છે. અને આત્માની ખરી ફરજ તે જીવનું સ્વરૂપ તપાસવાની છે, માટે જ શાસકાર મહારાજાએ કહે છે કે પહેલા જીવનું સ્વરૂપ સમજે, પરંતુ એ જીવનું સ્વરૂપ સમજવું શી રીતે? એ જીવનું વરૂપ સમજય, તે જ માટે શાસ્ત્રકારોએ ત્રણ વસ્તુ ગળથુથીમાં જ આપવા કહ્યું છે. આ જીવ અનાદિને છે, ભવ અનાદિને છે. અને કર્મસાગ પણ અનાદિને છે, એ ત્રણ વસ્તુ જે તમે તમારા બાળકોમાં તેમજ તમારા પિતાનામાં પણ કરાવી શકશે તે તમે તમારે માનવજન્મ સફળ બનાવી શકશે.
Page #244
--------------------------------------------------------------------------
________________
>>> > > >><= 3Gી શ્રાવક કુળની મહત્તા શી?
[ભૌતિકવાદના ધૂમ પ્રચાર, વિદેશી શાસનની કૂટનીતિ, દૂષિત શિક્ષણપ્રથા આદિથી આજે ભક્યાભર્યા કે ન્યાય-નીતિ આદિના રૂઢિગત સંસ્કાર ક્ષીણ પ્રાય થઈ રહ્યા છે.
પરિણામે શ્રાવકકુળમાં જન્મેલાઓ પણ જિનશાસનની માર્મિકતાની ઓળખાણ વિના સ્વછંદ વિહાર અને અબંધારણીય જીવનના પથે આગે - ધપી રહ્યા છે.
તે પ્રસંગે ખૂબ જ મનનીય અને ઉબેધક પૂ. આગમહારથીનું વ્યાખ્યાન ૧૯૭૬ના જુલાઈના “સિહચ” માંથી વ્યવસ્થિત રીતે અહીં રજૂ કરવામાં આવે છે. સં]
સાધક કેણુ થાય?
શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમાનું યશેવિજય ઉપાધ્યાયજી મહારાજ ભવ્યજીના ઉપકારને માટે જ્ઞાનસાર પ્રકરણ નામક ગ્રંથ રચી ગયા છે, તેમાં તેઓશ્રીએ પ્રથમ તે એ વાત જણાવી છે કે - જે ધર્મનિષ છે, જે આત્મકલ્યાણની ઈચ્છાવાળો છે, જે મોક્ષ માતના છે, જે મોક્ષ મેળવવા માગે છે, જે આત્મકલ્યાણ ચાલવાવાળા છે, અને આત્માના ગુણેને સ્થિર કરવાની ઈવાળે છે -તેણે એ વાતને વિચાર કરવાની જરૂર છે કે હું કોણ છું? મારી સ્થિતિ શી છે? મારું સ્વરૂપ શું છે? મારી દશા કેવી છે? ગાશ સગો ક્યા છે? ને મારું સાપ્ય શું છે? સાધક પર
Page #245
--------------------------------------------------------------------------
________________
આગમ જ્યોત
પિતાની દશા, સ્થિતિ, સંગે, સાધ્ય એને સમજાતું નથી, ત્યાં સુધી તે સાધક બની શકતું નથી. જેને માત્ર સંસારમાં જ રહેવું છે, બીજી ત્રીજી વાતને વિચાર જ નથી કરે અને માત્ર દુન્યવી વસ્તુઓ મેળવીને તે પરજ રાચવું છે તેને પણ પિતાની દશાસ્થિતિ, સંયોગો અને સાધ્ય તે વિચારવા જ પડે છે. ચાર બાબતે વિચારે
સંસારમાં જ રહેવાવાળાને પણ જેમ જેમ આ ચાર બાબતે વિચારવી પડે છે તે જ પ્રમાણે મેક્ષ મેળવવાની ઈચ્છાવાળાએ પણ આ ચાર બાબતે ધ્યાનપૂર્વક જેવી જ પડે છે અને એ ચાસ બાબતે જે ધ્યાનપૂર્વક જુએ છે તે જ મેક્ષ મેળવવાની પિતાની ધારણામાં ફાવી શકે છે. જે આત્મા આ ચાર બાબતે વિચારતે. નથી તે કદાપિ પણ પિતાની મોક્ષ મેળવવાની ધારણામાં પણ ફાવતે જ નથી! વૈશેષિકદર્શનને અનુયાયી હોય તે પણ જીવ છે. માને જ છે, નિયાયિક હેય તે પણ જીવ માને છે, સાંખ્યવાદી હેય તે પણ જીવ માને છે અને મીમાંસાવાદીઓ હોય તે પણ જીવ તે માને છે, અરે વૈશેષિકે, નાયિક, સાંખ્યું અને મીમાંસકે જ જીવ માને છે, એટલું જ નહિ પરંતુ નાસ્તિકે પણ જીવ માને છે. આ બધા જીવને માને છે અને પ્રભુપ્રવચનને ચુસ્ત અનુયાયી હોય તે. પણ જીવ માને છે, તે પછી સમ્યગ્દષ્ટિ જીવ માને છે તેમાં અધિકતા. શું છે? તે વિચારવાની જરૂર છે. હીરે શબ્દ તે બધા બેલેઃ “ તમે જાણે છે કે અવેરી હેય તે પણ પિતે હીરે શબ્દ બોલે છે, અને અજ્ઞાન બાળક છે, તે પણ હીરે શબ્દ બેલે છે અને. કેળીનાળીના છોકરાઓ હોય તે પણ હીરે શ૦ બેલે છે! બધાના હીર શબ્દને બોલવામાં કાંઈ ફરક નથી, બધા હીરા શબ્દ એક સરખે જ બેસે છે. હીરો શબ્દ ગમે તે વ્યક્તિ બેલે, પરંતુ તેથી હવામાં એક સરખાં જ આંદલને ઉઠે છે, અને કાનને એક
Page #246
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જુ ચરખું જ જ્ઞાન થાય છે, પરંતુ તે છતાં ત્રણે જણ જે વસ્તુ પર એ શબ્દ બેલે છે તેમાં આસમાન-જમીનનું અંતર છે. કેળીનાળીને છોકરો કાચને પહેલ પાડેલો ટુકડે હોય તેને જ હીરે કહી દેશે. એ બિચારાને હીરે કે હોય છે? તે કયાંથી આવે છે? તેને કેવી રીતે પારખી શકાય છે? તેનું તેજ કેવું છે? તેનું મૂલ્ય શું છે?વગેરે બાબતેનું જરા પણ જ્ઞાન હોતું જ નથી ! તે જ પ્રમાણેની સ્થિતિ -ઝવેરીના બાળકની પણ સમજી લેવાની છે. ઝવેરીને બાળક કાચને -હીરે નથી કહેતે, પરંતુ સાચા હીરાને જ હીરે કહે છે, એનું શું કારણ? તે વિચારો. હીરાને ઝવેરીજ ઓળખી શકે :
ઝવેરીને બાળક પિતાના ભાગ્યના યોગથી સારા ઉંચા ખાનદાન કુળમાં જન્મેલો છે, તેથી જ તે દેખાદેખીના ચગે કાચના કટકાને હીરોના કહી દેતાં ખરી વસ્તુને-ખ હીરાને હીરે કહે છે, પરંતુ હીરાનું તેલ, માપ ઈત્યાદિ તે તે પણ કાંઈ જાણતું જ નથી. માત્ર એક ઝવેરી જ એવે છે કે જે હીરાને જોઈને તેને પારખીને તેના સ્વરૂપ, તેલ માપ, જાત આદિને જાણીને હીરાને હીરે કહે છે. કોળીનાળીનું, -ઝવેરીના બાળકનું અને ઝવેરીનું ઉદાહરણ બરાબર અહિ લાગુ પાડવાનું છે. કેળીનાની જેમ કાચ એ હીરે ન હોવા છતાં કાચને જ નહીરે કહી દે છે, તે જ પ્રમાણે નાસ્તિકે પંચમહાભૂતથી નવી થતી
ચેતના માનીને તેને જીવ કહી દે છે. ખરી રીતે જોઈએ તે પાંચમહા-ભૂતથી થતી ચેતના એ જીવ નથી. પાંચમહાભૂતથી જીવનામક ચેતનાવાળી ચીજ ઉપજતી નથી, છતાં કેળીકાછીયાઓ અજ્ઞાનતાથી કાચને હીરે કહી દે છે, તે જ પ્રમાણે નાસ્તિકે પણ એમ કહી દે છે કે પંચભૂતના સાગથી ચેતના ઉત્પન્ન થાય છે અને એ ચેતના તે જ જીવ છે. -બધા શું કહે છે?
એથી આગળ વધીએ અને નાસ્તિકને છોડી દઈને પછી સાંખ્યા, મીમાંસક, વૈશેષિકે, શે વિષ્ણુ, માસ્તે, બૌદ્ધો અને બીજા
Page #247
--------------------------------------------------------------------------
________________
આગમ ચેત સંપ્રદાયવાદીઓ તરફ જોઈએ તે તેઓ પેલા ઝવેરીના છોકરાની માફક વર્તતા માલમ પડે છે. ઝવેરીને છેક હીરાના તેલમાપ, જાણતું નથી, હીરાની મહત્તા સમજતું નથી, પરંતુ તે ભાગ્યયોગથી સારા કુટુંબમાં જન્મેલો હોવાથી કાચના કટકાને હીરે ન કહેતાં સાચા હીરાને જ હીરે કહે છે, તે જ પ્રમાણે શૈવ, વૈષ્ણવ વગેરે પણ ભાગ્યમે આ દેશમાં જન્મેલા હેવાથી જીવનું મહત્વ, તેનું કવરૂપ, તેના લક્ષણ વગેરે કાંઈ પણ જાણ્યાં વિના સાચા જીવને જીવ કહી દે છે. એથી આગળ આ લોકોનું પગલું પડી શકતું નથી. નાતિકે જડ પદાર્થથી જીવની ઉત્પત્તિ માને છે. ભૂતત એ બધા જડ પદાર્થો છે, પરંતુ એ જડ પદાર્થદ્વારા-જડ પદાર્થોને પરસ્પર સોગ થાય છે, તે દ્વારા તેઓ ચેતનરૂપ જીવ પદાર્થ થયે હોવાનું માને છે. જીવના સ્વરૂપને જાણ્યું નથી
જડ પદાર્થમાંથી ચેતન પદાર્થની ઉત્પત્તિ જ થઈ શકતી નથી, છતાં નાતિક જડપદાર્થમાંથી જીવ થયેલો માને છે. શિવ, વૈષ્ણ. આવી રીતે જડપદાર્થોને જીવને પિતા માનતા નથી, પરંતુ તેઓ બાળકની માફક જીવના સ્વરૂપ, જીવના ગુણ પર્યાય દ્રવ્યત્વ વગેરેને જાણતા નથી અને તેઓ જીવને જીવ કહી દે છે. જીવના ગુણ વગેરે ઓળખવાની કેઈએ તસ્દી લીધી જ નથી, કારણ કે ત્યાં સુધી તેમની બુદ્ધિ જ ચાલી શકી નથી.
હવે સમકિત દષ્ટિવાળા જીવને જીવ કેવી રીતે માને છે? તે વિચારે. સમકિત દષ્ટિવાળાએ આખી દુનિયા કરતાં જુદા જ
સ્વરૂપે, જુદી જ રીતે જીવને જીવ માને છે. આ વસ્તુના આટલા વિવેચન પછી જરાક વિચારશે તે પણ તમારા ખ્યાલમાં સહેજે આવી જવા પામશે. ઝવેરીનો બાળક હીરાને હીરે કહે છે, તેના કરતાં સમજુ ઝવેરી હીરાને હીરે કહે છે, તે જુદા જ રૂપે કહે છે, તે જ પ્રમાણે શૈવ વૈષ્ણવાદિ જીવ તત્વને માને છે. સમ્યગ્દષ્ટિ વતત્વ માને છે તેના સંબંધમાં પણ સમજવાનું છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જું
સમકિતદષ્ટિ શું વિચારે છે?
શ અને વૈષ્ણવે જીવતત્વ માને છે અને જીવને જ જીવ કહે છે, તે વાત કરીને બાળક હીરાને તેના ગુણ, રૂપ, લક્ષણ જાણ્યા વિના હીરો કહી દે, તેના જેવી છે. અને સમકિતદષ્ટિ જીવને જીવ કહે છે, તે માટે અને સમજુ ઝવેરી જેમ હીસને જાણ પીછાણીને તેના મૂલ્યાંકન દ્વારા હીરાને હીરો કહે છે, તે પ્રમાણે જીવતત્વને તેના ગુણસ્વરૂપાદિ જાણીને જીવ કહે છે.
ટુંકામાં જોઈએ તે નાસ્તિકને જીવ શું છે? તેની ખબર જ નથી. તેઓ બેટી વસ્તુને જ જીવ કહે છે. સાંખ્ય, મીમાંસકે, વૈશેષિકે, નૈયાયિકે, બાહો, શિવ, વૈષ્ણ, સ્માતેં અને બીજાએ જીવતત્વને સંપૂર્ણ રીતે સમજ્યા વિના અને તેના ગુણ-સ્વરૂપા દિને પીછાણ્યા વિના જીવને જીવ કહે છે, જ્યારે સમકિતદષ્ટિ જીવતત્વને પિછાણું, તેના ગુણધર્મોને જાણું, તેના સ્વરૂપને ઓળખીને જીવને જીવ કહે છે. નાસ્તિક અસમકિતદષ્ટિ, આસ્તિકે અને સમકિતદષ્ટિઓના જીવતત્વવાદમાં આટલો મટે ફરક રહેલો છે. જીવનું અવ્યાબાધારૂપ ઓળખે ?
જીવનું સ્વરૂપ જાણવું, જીવને ગુણ જાણ, પર્યાયે જાણવા, તેને અવ્યાબાધ સ્વરૂપવાળે ઓળખ અને એ રીતે તેને ઓળખીને જીવતત્વને જીવ કહે, એ સમકિતદષ્ટિનું જ કાર્ય છે, અને તેથી જ નાસ્તિક, અસમકિતદષ્ટિ આસ્તિક, અને સમકિતદષ્ટિએ એ ત્રણેમાં સમકિતદષ્ટિનું સ્થાન સર્વોત્તમ છે. નાસ્તિક અને આસ્તિક એ બંનેમાં નારિતક તે સહેજ પાછળ રહી જાય છે.
એક ભીલ કાચના કટકાને હીરે માનીને સંઘરી રાખે, તેને પેટીમાં મૂકી દે, તેને માટે ગમે તેટલે બંદોબસ્ત રાખે, પરંતુ જ્યાં ભીડ પડે અને એ હીરો જ્યારે વેચવા જાય છે, ત્યારે તે રડી ઉઠે છે, અને ત્યાં તેની ખાતરી થાય છે કે પિતે જેને હીરે કહ્યો
૧૦
Page #249
--------------------------------------------------------------------------
________________
આગમ ન્યાત
છે અને હીરે કહીને જેની પાછળ તેણે મહેનત ઉઠાવી છે, તે તે સઘળું નકામું જ ગયું છે, એજ દશા અહીં નાસ્તિકની થાય છે. હવે બીજા આસ્તિક અને સમકિતદષ્ટિ બે બાકી રહે છે. તે બંનેની વચ્ચે શો તફાવત છે? તે જોઈએ. સમકિતદષ્ટિવાળા પણ જીવ માને છે અને સમકિતદષ્ટિ વિનાના પણ જીવ માને છે, તે પછી એકનું સ્થાન આગળ અને બીજાનું પાછળ શા માટે? હીરાની કિંમત કેને હેય?
ઝવેરીને છોકરે કાચને હીરે નથી કહેતે, તે સાચા હીરાને જ હીરે કહે છે, પરંતુ પ્રસંગ આવે કેઈ બરફીને ચેલે લઈ આવે અથવા તે એકાદ સારું રમકડું લઈ આવે તે પેલે ઝવેરીને બાળક પણ ઝટ દઈને પેલે હીરે બરફીના ચેલાના બદલામાં આપી દઈને બરફીને ચેસલો લઈ લેશે! હવે વિચાર કરજે! આપણે એક સાધારણ ઉદાહરણ પરથી પણ ઘણું જાણી શકીએ છીએ, પરંતુ આપણી આંખોની સામેની પ્રત્યક્ષ વસ્તુઓ પણ આપણે જોવાની દરકારજ રાખતા નથી,એક હીરામાંથી તે લા બરફીના ચેલા આવી શકે એમ છે, પરંતુ તેટલું છતાં પેલે ઝવેરીને બાળક એકજ બરફીના ચેલા પેટે પેલે હીરે આપી દે છે. જ્યારે મોટા ઝવેરીનું વર્તન એથી જુદું જ હોય છે ! પૈસાને અભાવે કદાચ તે ભૂખે મરે, ટાઢ, તડકો વેઠે, લોકેના મહેણાં ટેણાં ખાય, પરંતુ જયાં સુધી એ હીરાની પુરેપુરી કિંમત ન આવે ત્યાં સુધી ઝવેરી એ હીરાને વેચવા કદી તૈયાર થવાને નથી જ! ઝવેરી જ હરે જાળવે, બીજે નહિ ?
હીરે પાસે હોવા છતાં ઝવેરી ભૂખનું દુઃખ વેઠે છે, તે વિચાર કરે કે શું એને ભૂખે મરવાનું ગમે છે કે? શું કુટુંબીઓને ભૂખમરે ટાળે એને ગમતું નથી ? ટાઢ તડકે વેઠ એને ગમે છે? શું છેલબટાઉ થઈને ફરવાનું ગમતું નથી ? તેને ય સઘળું ગમે છે, પરંતુ તેની પાસે જે હીરે છે, તે કેટલે મૂલ્યવાન છે? એ વાત તે સારી
Page #250
--------------------------------------------------------------------------
________________
મ
પુસ્તક ૩ જુ પેઠે જાણે છે અને તેથી તે જ્યાં સુધી પિતાના માલની વ્યાજબી કીમત નથી મળતી ત્યાં સુધી પિતાને માલ વેચતે નથી.
એક જણ બરફીના ચોસલાના બદલામાં સાચે હીરે આપી દે છે, બીજે મરી જાય તો પણ સેના સાઠ કરીને હીરે વેચવા તૈયાર નથી. બંનેની પાસે હીરા છે, બંનેના હીરા સાચા છે, પરંતુ બંને જણા તેને જુદી જુદી રીતે ઉપયોગ કરે છે, આથી સ્વાભાવિક રીતેજ એ પ્રશ્ન ઉઠે છે કે આ પ્રમાણે બંનેને વ્યવહાર એક એકથી સર્વથા ઉલટ હેવાનું કારણ શું? જવાબ એ છે કે એક જણ હીરાનું સ્વરૂપ એાળખે છે, ત્યારે બીજે હીરાનું સ્વરૂપ ઓળખતે નથી. જેને જીવને કેવી રીતે માને છે ?
ઝવેરીને બાળક હીરાના તેલ, માપ આદિને જાણતા નથી, તેથી તે બરફીના ચેસલા પેટે હીરે આપી દે છે, જ્યારે ઝવેરી એના તેલ, માપ કિસ્મતને જાણે છે, તેથી તે તેની વાસ્તવિક કિંમત મૂકાવે છે, એજ પ્રમાણે જૈન ધર્મમાં આવેલ, જૈનધર્મને જાણનારે, જેનશાસ્ત્રોની શ્રદ્ધાવાળો મનુષ્ય જે જીવને માને છે, તે જીવના સ્વરૂપ, જીવના ગુણ, જીવના પર્યાયે, તેનું અવ્યાબાધપણું વગેરે જાણીને જીવને જીવ માને છે, ત્યારે વેણ, , સ્માતેં, વેદાંતીઓ, બૌદ્ધો, વૈશેષિકે, નૈયાયિક, સાંખ્યવાદીઓ, બૌદ્ધો એ અને એમના જેવા બીજાઓ જીવના સ્વરૂપ તેના ગુણ, તેના પર્યાયે અને તેની સ્થિતિ આદિને જાણ્યા વિનાજ જીવને જીવ કહી દે છે. અસમકિતદષ્ટિ આસ્તિકે જડને જ જીવ માનતા નથી અથવા તે જડમાંથીજ જીવની ઉત્પત્તિ થયેલી માનતા નથી પરંતુ તેઓ ભગવાન સર્વ જીવને જીવ કહે છે તે સાંભળીને એ નામ માત્ર પોતે જોડી દે છે. આથી સ્પષ્ટ થાય છે કે જીવ શબ્દના પહેલા પ્રવર્તકે જિનેશ્વર વીતરાગ સર્વજ્ઞ ભગવાન જ છે. આ ભાટાઈ નથી !
હવે અહીં કેઈ એવી શંકા કરશે કે ભાઈ આ સર્વજ્ઞ ભગવા
Page #251
--------------------------------------------------------------------------
________________
૭૬
આગમ જ્યોત
નના આગ્રહી હોવાથીજ સર્વજ્ઞ ભગવાનના ગુણ ગાવાનું હાંકે રાખે છે, બાકી એવું કાંઈ નથી, બધું ઠીકઠીક છે! તે આ ઠીકઠીકવાળાને તમે શું જવાબ આપશે. “અરે! એને તે બેલવાની ટેવ પડી છે બેલવા દેને એને ! એનું કેણ સાંભળે છે!” એવું કહીને આગળ ચાલશો કે જવાબ આપવાને ઉભા રહેશે? જવાબ આપવાને ન ઉભા રહે તે તમે જ્ઞાનને છુપો છો, એ તમારા ઉપર આક્ષેપ છે જ!
તમારી ફરજ છે કે જ્યાં આવી રીતનું અજ્ઞાન છે, ત્યાં એ અજ્ઞાન તમારે અવશ્ય ટાળવું જ જોઈએ. જીવનામને આરંભ કર્યો હેય તે તે સર્વજ્ઞ ભગવાને જ કર્યો છે, જ્યારે બીજા બધાએ તે તેનું માત્ર અનુકરણ કર્યું છે, એ વસ્તુ આપણે શા માટે કહીએ છીએ ? તેને આપણી પાસે પૂરતાં કારણ છે. ભગવાનના આપણે આગ્રહી હોવાથી જ આપણે એ વાત કહેતા નથી, પરંતુ એ વાત સત્ય હેવાથી જ આપણે સત્ય તરીકે કહીએ છીએ. આકાશવાણી થઈ ન હતી ?
હવે એ વાતને વિચાર કરે કે હીરે નામ આ જગતમાં શરૂ કર્યું કેણે? પહેલાં “હીર હીરે” એવી આકાશવાણું થઈ અને પછી ઝવેરીએ નીકળી પડ્યા કે “ચાલે રે ભાઈલા! હીરે શોધી કાઢીએ.” એવું કરી બન્યું નથી. હીરે પદાર્થ હતું. આ હીરો પદાર્થ સૌથી પહેલે જે, તેણે પારખો, એના ગુણ-દેષ જાણ્યા તેનું તેલ-માપ જાણ્યું, તેને બરાબર પીછાણે, અને પછી તેમણે કહ્યું કે ભાઈ આનું નામ “હીર” છેકેળી દુબળાને હીરે નામ શરૂ કરવાનું હોતું નથી, ઝવેરી વિના હીરા નામની પ્રવૃત્તિ કરવાનું હેતું નથી. જે વ્યક્તિ હીરાનું તેલ માપ તેજ કિંમત સ્વરૂપ જાણે છે તેને જ હીરા નામની પ્રવૃત્તિ કરવાનો અધિકાર છે. ઝવેરી હીરાને હીરા કહે છે તે સાંભળીને કહે છે. ઝવેરીના બાળ બચ્ચાં પણ હીરાને હીરે કહે છે અને તેમને હીરે નામ બોલતાં સાંભળી કેળી-કાછીયા પણ હીરાને બદલે કાચના કટકાને હીરે કહેતા થઈ જાય છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જુ
માન તે ઝવેરીને જ ઘટે :
આ રીતે બધા હીરા હીરા કહેતા થઈ જાય છે, પરંતુ હીરા નામની પ્રથમ પ્રવૃત્તિ કરવાનું માન તે ઝવેરીને જ ઘટે છે, તે જ પ્રમાણે જીવશબ્દની પણ નાસ્તિકે, મિથ્યાદષ્ટિએ, અસમકિતી આસ્તિકે, સમકિતદષ્ટિવાળાઓ, આસ્તિકે બધાય પ્રવૃત્તિ કરે છે, પરંતુ એ શબ્દની સમજ પૂર્વક પ્રવૃત્તિ કરવાનું માન જેનોને-સર્વજ્ઞભગવાનને જ ફાળે જાય છે, એ ચોકખી અને સ્પષ્ટ વાત છે.
ઝવેરીને છોકરે હીરાનું તેલ માપ જાણતું નથી. ભીલ દુબળા વગેરે તે તેનું સ્વરૂપ પણ સમજતા નથી, એટલે તેમને હીરા શબ્દની પ્રવૃત્તિને જ અધિકાર નથી. તે જ પ્રમાણે જૈનોએ જીવને જાણ્યા નથી, જીવના ગુણ જાણ્યા નથી, જીવનું સ્વરૂપ જાણ્યું નથી, તેનું અનાદિપણું જાણ્યું નથી, તેનું અનંતપણું જાણ્યું નથી, તેવાઓને જીવશબ્દ પ્રવર્તાવવાનો પણ અધિકાર જ નથી ! પહેલવહેલી જીવશબ્દની પ્રવૃત્તિ તે જ કરી શકે છે કે જીવના ગુણ,
સ્પરૂપ, તેનું અનાદિપણું, તેનું અનંતપણુ, તેની સ્થિતિ વગેરેને જે પિતે જાણે છે. અલપઝ વિરુદ્ધ સર્વજ્ઞ:
બીજા મતે પ્રમાણે તેમણે અનાદિ જેવી ચીજ માની જ નથી, અનંત જેવી કઈ વસ્તુ તેમના ખ્યાલમાં આવી જ નથી, તેથી જ તેઓ જૈનદર્શનના સર્વજ્ઞ ઉપર શંકા કરે છે, તેઓ એ પ્રકારને વાદ રજુ કરે છે કે જેનોના સર્વને સંપૂર્ણ જ્ઞાન છે કે નહિ? જે જૈનોના સર્વને સંપૂર્ણ અને સર્વ પ્રકારનું તથા સર્વકાળનું જ્ઞાન હોય તે તેમણે જીવનું આદિપણું અર્થાત્ જીવ કયારે ઉત્પન્ન થયે– પહેલવહેલે જીવ કયારે ઉત્પન્ન થયે તે જાણેલું હોવું જ જોઈએ અને જે તેમણે જીવનું આદિત્ય જાણ્યું હોય તે જૈનોને સિદ્ધાંત છે કે
જીવ અનાદિ છે' એ સિદ્ધાંત તેમના જ ચરિત્રનાયકના જ્ઞાન દ્વારા ખોર્ટ કરે છે. જે સર્વજ્ઞોએ જીવનું આદિત્વ ન જાણ્યું હોય તે
Page #253
--------------------------------------------------------------------------
________________
૭૮
આગમ જ્યોત
પછી તેઓ સર્વજ્ઞ છે અને સર્વ પ્રકારના તથા સર્વકાળના જ્ઞાનવાળા છે, એ વાત ખેટી કરે છે અને જૈનતીર્થકર અપજ્ઞ છે, એમ સાબિત થાય છે! અલ્પજ્ઞાનુયાયીઓને આ વાત સામે સર્વજ્ઞાનયાયીઓને નીચે પ્રમાણેને મકકમ જવાબ છે. આવી દલીલ ન હોઈ શકે ?
“જીવને આરંભ સર્વજ્ઞોએ જાણે હેય, તે જીવ અનાદિને નહિ, જીવને આરભ સર્વએ ન જાયે હોય તે સર્વશે તે સર્વ જ નહિ” શંકવાદીઓને આ શંકા શા કારણથી કરવી પડી છે તેને સૌથી પહેલાં વિચાર કરે.
શંકવાદીઓને પિતાને જીવ અનાદિને માન જ નથી. તેમને અનાદિને જીવ માન નથી, એટલે જ તેમણે પિતાની વાત સાચી સાબિત કરવા માટે આવી શંકાનું તૂત ઉભું કર્યું છે. જો તેઓ પણ જીવને અનાદિ માનવાને તૈયાર હેત તે તેમણે એવી શંકા જ ન કરવી પડી હત! એક વસ્તુને જ જે પ્રમાણે માનતે હેય તે જ પ્રમાણે જે તેને વ પણ માનતા હોય તે પછી રને આ આમ કેમ? એ પ્રશ્ન કરવાનો અધિકાર નથી અને કરતે પણ નથી. ૧ અને ૨ બંનેની માન્યતા સમાન હોય તે પછી , ને એમ ન પૂછી શકે કે આમ કેમ થયું? તે જ પ્રમાણે , ને પણ ન પૂછી શકે કે આ આમ કેમ? બંનેની માન્યતા એક સરખી જ હેય તે “મ? એ પ્રશ્નને અવકાશ જ રહેતું નથી. જીવ સાદિ કે અનાદિ?
શંકાવાદીએ તેિ પણ જે જીવને અનાદિને જ માની લેતા હેય તે તે તેમને પણ પ્રશ્નો કરીને આ બાબતને ચર્ચવાને અવકાશ જ નથી, પછી તે એજ વાત બાકી રહે છે કે આ એક વસ્તુ સિદ્ધ થઈ છે. હવે બીજી વસ્તુઓની જ વિચારણાને અવકાશ રહે છે. પરંતુ એવી સીધી વાત ન કરતા તેઓ જ્યારે વિતંડાવાદ ઉપર જ ઉતરી પુછે ત્યારે તેમનું માનસ કેવું છે તે સ્પષ્ટ થાય છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જુ
૭૯.
વિતંડાવાદીઓ કહે છે કે તમે જીવને અનાદિ કહે છે તે તમારી મેળે કહે છે કે તમારા સર્વજ્ઞના કહેવાથી કહે છે ? જે તમે એ જવાબ આપશે કે, ભાઈ ! અમે તે અમારા સર્વ ભગવાનના કહેવાથી જ આ પ્રમાણે કહીએ છીએ, તે તરત તેઓ જવાબ આપી દેશે કે તે પછી તમારા ભગવાને જીવની આદિ જાણ હતી કે નહતી જાણી? જે આપણે એ જવાબ આપીશું કે ભગવાને તે જીવની આદિ પણ જાણી હતી તે વળી તેઓ નવી શંકા કરવાને માટે તૈયાર થઈને ઉભા જ રહેશે? આ વાદવિવાદ કે વિતંડાવાદ?
ભગવાને જીવની આદિ જાણ હતી, એમ કહીશુ તે તેઓ કહેશે કે જીવ તે અનાદિ છે, પછી તેની આદિ તમારા ભગવાને જાણી એમ તેમણે કહ્યું હેય તે તેમણે ખોટું કહ્યું છે, અને તેમણે જે ખોટું કહ્યું હોય તે તેઓ પણ બેટાજ છે! એમ કહીશું કે ભગવાને જ જીવને અનાદિ કહ્યો છે તે તેઓ તરતજ જવાબ આપશે કે; એહ! ત્યારે તે તમારા ભગવાન એટલા જ્ઞાનમાં ઓછા, તેઓ જ્ઞાનમાં અપૂર્ણ હતા, તે જ જીવની આદિ જાણી ન શકયાને ? તેમની કહેવાનો મતલબ એ તરી આવે છે કે કાં તે તમારા ભગવાન બેટા છે! કાં તે તમારા ભગવાન અજ્ઞાની છે ! તેમની પાસે આ બે સિવાય ત્રીજી વાત નથી ! આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે વિતંડાવાદીઓને પિતાને જીવ અનાદિ માન જ નથી, તેથી જ તેઓ આ વિતંડાવાદ રજુ કરે છે. પરંતુ જ્યારે આ વિતંડાવાદને મર્મ તપાસીએ છીએ, ત્યારે તેમની આ વિષય પર રહેલી બાળકબુદ્ધિ અથવા ષવૃત્તિ તરી આવે છે. આરંભ અને અંત શેહે :
લેખંડનું એક અખંડ ચક્ર છે. એક માણસ એ ચક ધરીને તેને ફેરવે છે, તમે લેખંડનું એ ચક્ર હાથ વડે ફેરવવા માંડયું તે જોયું. હવે તમેને કેઈ એ પ્રશ્ન કરશે કે આ લોખંડનું ચક્ર
Page #255
--------------------------------------------------------------------------
________________
આગમ
ત
તમે ફરતું જોયું છે? તે હવે બેલે કે એ ચક્રને આરંભ કયાં છે અને એ ચક્ર ફરવા માંડયું તે સમયે એ ચકાં પહેલ વહેલું કયું બિંદુ ફરવા માંડયું હતું? તમે કહે કે આ પ્રશ્નને તમે શે જવાબ વાળશે? તમે આખી વસ્તુ દેખી છે, એ આખી વસ્તુને તમે ફરતી પણ દેખી છે, પરંતુ જે વસ્તુને તમે દેખે તે છતાં આરંભ અને અંત જ ન હોય તેને તમે આરંભ અને અંત કેવી રીતે કહી શકવાના હતા? આ ઉદાહરણ આપણા પ્રશ્નપર એક હિસે લાગુ પાડવાનું છે; અમુક તત્વને જાણ્યું હોય તેટલા માત્રથી તેને આદિવાળું કહી શકાતું નથી, એવું આથી સ્પષ્ટ થાય છે, આ વસ્તુને સમજવાને માટે જ અહીં આ ગોળનું ઉદાહરણ આપણે
જ્ઞાન સર્વજ્ઞ જ જોઈ શકે?
જેમ જીવ અનાદિ છે તે જ પ્રમાણે કેવળીને કેવળજ્ઞાન છે, તે પણ અનાદિ અને અનંત-યને દેખનારૂં છે, છતી વસ્તુ દેખવાનું કાર્ય સર્વજ્ઞમહારાજોનું જ છે. એટલે જીવનું આદિપણું નથી તે છતાં જે સર્વજ્ઞ જીવનું આદિપણું જુએ-જોઈ શકે તે જ તે સર્વજ્ઞા છે અને જીવનું આદિપણું ન દેખે તે તે અલ્પણ છે એમ કહી શકવાને અવકાશજ સંભવ નથી.
જેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તેઓ પોતાના એ કેવળજ્ઞાનને પ્રતાપે સર્વકાળને પણ જાણે છે અને એ કાળને પણ આદિવ નથી, તેથીજ તેને અનાદિ કહી શકાય છે, તે જ પ્રમાણે જીવનું આદિત્ય ન હેવાથી જીવને સંપૂર્ણ જાણ્યા છતાં તેનું અનાદિપણું જ જાણવાનું છે અને તે જીવનું અનાદિપણું જાણી લઈને જ જીવને અનાદિ અને અનંત કહેવામાં આવ્યું છે, એટલે એ કથનમાં અથવા તે એ કથનકારમાં અજ્ઞાન છે કે જ્ઞાનની ન્યૂનતા છે, એવું કઈ પણ પ્રકારે સિદ્ધ થતું નથી !
આગમ મુમુક્ષુઓ માટે ભાવચક્ષુ છે.
Page #256
--------------------------------------------------------------------------
________________
વિ. સં. ર૦૧૮ શું સજર્જન – જ્ઞાન - હું
હું મેક્ષમાર્ગ રૂપ છું વીર નિ. સં. .
વર્ષ ૬ ૨૪૯૮ છે રત્નત્રયીનું રહસ્ય છું
પુસ્તક-૪ આગમ. સં. રર સ્ટ
हूँ चारित्राणि मोक्षमार्गः १ ( વર્ષ ૬ પુસ્તક ૩ પા. ૮ થી ચાલુ)
કારતક
કારતક
કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિજી પણ શ્રીવીતરાગસ્તેત્રમાં પષ્ટપણે જણાવે છે કે માત્ર સર્વથા દે, કપાસ સંતા તી માહિતી પુષ્ટિ-અન્યથા ગવંજ | ૨. અર્થાત્ આશ્રવ સર્વથા છાંડવા લાયક છે અને સંવર આદરવા લાયક છે, એ જ વસ્તુ
Page #257
--------------------------------------------------------------------------
________________
આગમ ચેત
શ્રી અરિહંત મહારાજના શાસનનું તત્વજ્ઞાન છે. બાકી જે જે વચને છે તે બધા આ તત્વજ્ઞાનને વિસ્તાર છે. આ વાત ખ્યાલમાં રાખીને આ પ્રમાણે સાધ્યની મુખ્યતાવાળી પ્રરૂપણા હેવાથી જે કેટલાક ભદ્રિક મનુષ્ય ચાર નિક્ષેપાની પ્રરૂપણ તથા સાત ભાંગાની પ્રરૂપણ સાંભળી આદરવા અને છાંડવામાં કયો આદર? ને કયા છાંડે? વગેરેની મુંઝવણમાં પડતા હોય તે પણ તેઓને મુંઝવણ ન પડે અને ભાવનિક્ષેપાની તાત્વિકતા સમજવા સાથે આત્માના અસ્તિત્વ આદિમાં જ તેનું પર્યાવસાન આવે, તેથી આશ્રવના ત્યાગ અને સંવરના ગ્રહણ તરફ જ તેને છેડે આવે, જેમ એક છોકરે પિતાની માતાને પિતાની અપેક્ષાએ માતા સમજે છે. તેવી જ રીતે પિતાના પિતાની અપેક્ષા વધૂપણું, પિતૃવ્યાની અપેક્ષાએ ભેજાઈપણું, માતુલની અપેક્ષાએ બહેનપણું, માતામહની અપેક્ષાએ પુત્રીપણું વગેરે અનેક સંબંધ જાણે છે, સમજે છે, અને માને છે. છતાં પર્યવસા ન તે પિતાની અપેક્ષાએ જે માતાપણાને સંબંધ છે, તેને જ વચન અને વર્તનમાં લે છે. તેવી રીતે અહિં પણ આત્મા અસ્તિત્વ અને આશ્રવ સંવરના હેય ઉપાદેયપણામાં જ પર્યવસાન લાવવાનું હેય છે. નિક્ષેપ અને સત્વઆદિ ભાંગાની પ્રરૂપણાથી શ્રોતાઓ ગુચવાય અને હેયે પાદેયને વિભાગ ન કરી શકે એવું ન થાય માટે આટલે ખુલાસે ભાવનિક્ષેપ અને સ્થાતિનામના પહેલાં ભાંગાને અંગે કર્યો છે.
આવીજ રીતે જે કે વર્તમાનમાં મુખ્યતાએ નવિભાગે પ્રરૂપણા કરવાની નથી, છતાં જયારે પણ નથી અનેક પ્રકારની પ્રરૂપણા થતી હતી, ત્યારે પણ પર્યાવસાનમાં ફલિતાર્થ જણાવવામાં આવતેજ હતે. અને તેથી જ શાસકારે જણાવે છે કે –
सवेसिपि णयाणं बहुविहवत्त वयं णिसामित्ता । तं सवणयविसुद्धं जं चरणगुणदिओ साहू ॥ १ ॥
Page #258
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જુ
અર્થાત્ નૈગમાદિ બધા નયપક્ષોની અશુદ્ધઆદિ ભેદોથી અનેક પ્રકારની વકતવ્યતા સાંભળીને એટલામાં જ પર્યવસાન સમજવું કે ચારિત્રગુણમાં સ્થિત હોય તેને સાધુ ગણવે અને કહે, એ. સર્વનયના વિચારોથી શોધેલું વાકય છે.
પણ બધી પ્રરૂપણાનું પર્યવસાન આત્માદિના અસ્તિપણામાં થાવત્ અહિંસાદિના ઉપાદેયપણામાં લાવવું.
આ કારણથી નિર્યુકિતકાર મહારાજ આદિ અનુગરૂપે વ્યાખ્યા કરનાર મહાપુરૂષે નયની વ્યાખ્યાના પર્યાવસાનમાં સરળTળડ્રિગો સાહૂ એમ જણાવી સાધુતાના સ્વરૂપને જણાવતાં સમ્યગ્દર્શનાદિમાં સ્થિતપણું નિશ્ચિત કરે છે.
આવી રીતે નિક્ષેપ અને ભાંગાની અપેક્ષાએ અનૈકાન્તિકતા સમજાય તેમ છે, એટલું જ નહિં પણ ખુદ ભાવ ચમ્યગ્દર્શનાદિકના સત્વની અપેક્ષાએ પણ પ્રાપ્તિમાત્રથી તે સમ્યદર્શનાદિ મોક્ષને દઈ દેતાં નથી. જો એમ હોય તે પાંચમા ગુણઠાણાની શરૂઆતમાં જ છને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય કેમકે ત્યાં સમ્યગ્દર્શનાદિ ત્રણે પ્રાપ્ત થઈ ગયેલાં છે, પણ ઉચ્ચ દરજજાનાં થયાં નથી. વળી ઉચ્ચ દરજજાના પણ સમ્યગ્દર્શનાદિ પ્રાપ્ત થાય, તે પણ તેની સતત આરાધના કરવામાં ઉપયોગી હોવાં જોઈએ. અને સમ્યગ્દર્શ. નાદિ આરાધનાના જઘન્યાદિ વિભાગો એક સરખા હોતા નથી.
જે કે સામાન્યરીતે સમ્યગ્દર્શનાદિ ત્રણેની સર્વપ્રયત્ન મેક્ષમાર્ગ તરીકે આરાધના કરવાની સમસ્ત મેક્ષાર્થીઓને ઈચ્છા હોય છે. પણ તેમાં એક બીજાની આરાધનામાં તારતમ્ય રહે છે.
શાસ્ત્રકારે સમ્યગ્દર્શનાદિની આરાધનામાં ત્રણેની આરાધના જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણે પ્રકારે જણાવે છે, અને તે ત્રણેના આઠ ભવે, ત્રણ ભવે અને તેજ ભવે મુક્તિ થવારૂપ ફલા સ્પષ્ટપણે જણાવે છે. પણ તે આરાધનાના ભાંગાઓ અને તેમાં
Page #259
--------------------------------------------------------------------------
________________
આગમ જોત
આરાધનીયપદાર્થની મુખ્યતા સમજવા માટે તે ભાંગાઓને બારીકીથી અભ્યાસ કરવાની જરૂર છે, આ જ્ઞાનાદિની આરાધનાને વિચાર કરવા પહેલાં એ ત્રણની સ્થિતિ વિચારતાં ચિંતામણિરતન ચિંતિત કરતાં અધિક કંઈ દેતું નથી. તેમજ અપૌગલિક એટલે આત્મીય ફલની અપેક્ષાએ તે તે ચિંતામણિરત્ન સર્વથા નિષ્ફલ જ છે, પણ સમ્યગ્દર્શનઆદિ ત્રણે વસ્તુઓ યાવત જન્મ સુધી કલ્પનામાં પણ નહિં આવેલ એવા અને સર્વકાલસ્થાયી આત્માના સુખને અર્પણ કરનાર હેવાથી તે સમ્યગ્દર્શનાદિને રત્નત્રયી કહેવાય છે.
આ રત્નત્રયીની પ્રાપ્તિ જેમ જેમ મિથ્યાત્વાદિક કર્મોને ક્ષયપસમાદિ થાય તેમ તેમ થાય છે. પણ તે ક્ષયે પશમાદિ આત્માના વીર્ય શિવાય તે થતાં નથી. યથાપ્રવૃત્તિકરણ જે કે અનાભોગથી થાય છે એમ કહેવાય છે, પરંતુ તે પણ કમના ક્ષપશમાદિના ઉપયોગ વિના હોય એ વાતની અપેક્ષાએ સમજવાનું છે, પણ આત્માના વીર્યની કુર્તિ શિવાય યથાપ્રવૃત્ત કરણ થઈ જાય છે એમ માનવાનું નથી. રત્નત્રયીની આદ્યપ્રાપ્તિ જેમ કર્મના ક્ષયે પશમાદિથી થાય છે તેવી રીતે તે રત્નત્રયીની આરાધનામાં વધવાનું પણ કમના ક્ષયપશાદિથી જ થાય છે. પણ તે વધવામાં તે ઉપગ અને ઉદ્યમ બનેની જરૂર રહે છે. અર્થાત ગ્રન્થિને તેડવા પહેલાં પણ ભવિતવ્યતા એકલી ઉપર આધાર રહ્યો હેતે, પરંતુ તે વખતે પણ ઉદ્યમની જરૂર હતી. પણ સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી તે ઉપગ અને ઉદ્યમ બન્નેની ઘણી જરૂર રહે છે.
આ વાત જે મનુષ્ય બરોબર સમજી શકશે તેને મેક્ષને માટે તૈયાર થયેલા મનુષ્યોએ અવશ્ય સમ્યગ્દર્શનાદિની આરાધનાને ઉદ્યમ ઉપયોગ રાખવા સાથે કરવાની જરૂર છે, એ બગર સમજાશે.
ધ્યાન રાખવાની જરૂર છે કે નામાદિનિક્ષેપામાં જે ઉપયોગી ગણાય છે, તેમાં પણ જે આગમથકી ભાવનિક્ષેપ છે કે તે કાર્ય કરનાર નથી કે જે આગમથકી ભાવનિક્ષેપ કે જે ઉપગ અને
Page #260
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જુ
અત્યંત ઉદ્યમની સાથે હાય છે, તે કાય કરનાર છે. અને ઉદ્યોગ સહિત ઉપયાગની કિસ્મત જ્યારે મનુષ્યને માલમ પડશે ત્યારેજ સમજી શકાશે કે શાસ્ત્રકારાએ અનતી વખત આ જીવને ભવ-ચક્રમાંજ જ્ઞાન મળ્યું છે. તે અનંત વખત મળેલું જ્ઞાન સમ્યગ્રૂપ નહોતુ' એમ કહી શકીએ, પણ ક્ષેત્રપન્ચે પમના અસંખ્યાતમા ભાગના પ્રદેશ જેટલી અસખ્યાતી વખત તે સમ્યક્ત્વ મળેલુ હોવાથી તેની સાથે તે। સભ્યજ્ઞાનની નિયમિતતા છેજ, માટે અસખ્યાત વખત સમ્યક્ત્વ સાથેનું સમ્યજ્ઞાન જીવને મળી ગયું. પણ સૂક્ષ્મષ્ટિએ એ વિચાર કરનારા મનુષ્યે સ્હેજ સમજી શકશે કે અસંખ્યાતભવ સમ્યક્ત્વ અને સમ્યજ્ઞાનવાળા થયા છે, તેમાં તે સમ્યગ્દર્શનાદિ આરાધના ગણી નથી. અર્થાત્ સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાનની પ્રાપ્તિ થયા છતાં તેને આરાધના માર્ગ તરીકે ઉપયેાગી ગણ્યા નથી.
પ
કાલ
અહીં એ પણ સમજવાનું જરૂરી છે કે જે મનુષ્ય સાધન મેળવે ત્યાર પછી ક્રિયાના કાલ ગણવા સાથે સાધક ગણાય. ધાન્ય વાવવાના કાલ લેાજનકાળ ગણાતા નથી, રસાઇને કાલ એ ભેાજનકાલ તરીકે ગણાય નહિં. તેવી રીતે સમ્યગ્દર્શન અને જ્ઞાન એ અને માક્ષની સાધનસામગ્રીના નિશ્ચાયક અને આધક છે, પશુ માક્ષ પ્રાપ્તિના સાધનકાલ નથી. અને આજ માટે ભાષ્યકારશ્રી ઉમાસ્વાતિ વાચકજી મહારાજ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે સમ્યÁનજ્ઞાનાગિનિ મોક્ષમાર્ગ જો કે આ સૂત્રના અર્થમાં સામાન્ય ત્રણ પ્રકારે સમ્યગ્દર્શનાદિ માક્ષમાગ છે એમ કહેવાય, પણ એના અથ એ નથી કે સમ્યજ્ઞાન વિનાનું સમ્યગ્દર્શન કે સમ્યક્ ચારિત્ર હાય અને તે મેાક્ષમાગ અને, જેમ એ માનવા લાયક નથી, તેવીજ રીતે એ પણ સ્પષ્ટજ છે કે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રાપ્ત થયા છતાં સમ્યક્ચારિત્ર પ્રાપ્ત ન થાય તે તે સમ્ય ગ્દર્શન અને સભ્યજ્ઞાનને પણ મેાક્ષમાર્ગ તરીકે તે નજ ગણાય અને તેથીજ ત્રણેમય મેાક્ષમાગ જણાવે છે. કહેા કે ખરી રીતે જ્યાં સુધી સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ નથી થઈ, ત્યાં સુધી આ જીવ
Page #261
--------------------------------------------------------------------------
________________
આગમ ચેત
મેક્ષના માર્ગમાં પેઠે જ નથી એમ કહેવાય, અને તેથીજ સમ્યક ચારિત્ર વિનાના સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એ ઉત્તમ છતાં પણ સાધકપણાવાળે તે નથી જ, એટલે એ સમ્યગ્દર્શનાદિ ત્રણે એકઠાં થાય અર્થાત જ્યારે સમ્યફ ચારિત્ર પ્રાપ્ત થાય ત્યારે જ તે સમ્યગ્દનાદિ ત્રણેને સાધક તરીકે ગણીયે, તે વ્યાજબી ગણાય.
આ કારણથી ભાષ્યકાર મહારાજ સ્પષ્ટપણે જણાવે છે કે એ સમ્યદર્શનાદિ ત્રણમાંથી એકને પણ અભાવ હેય તે તે બાકીના બને મોક્ષનાં સાધન નથી, પણ અસાધન જ છે. આ ઉપરથી નક્કી થયું કે આરાધકપણાની સ્થિતિ પણ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનવાળા. છતાં પણ જયારે સમ્મચારિત્રની પ્રાપ્તિ થાય ત્યારે જ ગણી શકાય. એ વાત સમજવાથી હવે જે ભગવતીજી સૂત્રકારે દર્શનની જઘન્ય. આરાધનામાં જે આઠ ભવે મેક્ષની પ્રાપ્તિ જણાવી છે અને ટીકાકારોએ ચારિત્ર સહિતની જ સમ્યગ્દર્શનની જઘન્ય આરાધના લીધી. છે, તેને ખુલાસે સહેજે સમજાશે.
વળી સામાન્યરીતે વિચારનારા અને માત્ર સૂત્રથીજ અર્થ સમજના મનુષ્ય કદાચ એમ ધારે કે જઘન્ય પણ સમ્યગ્દર્શનની આરાધનાથી આઠ ભવે મોક્ષ જરૂર થાય છે, અને સમ્યગ્દર્શનની માફકજ સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રની આરાધનાથી પણ આઠ-- ભવેજ મેક્ષની પ્રાપ્તિ થાય છે, એટલે એમ સમજાય કે એકલા. સમ્યગ્દર્શનની જઘન્ય આરાધના જધન્યપણે ચારિત્ર અને જ્ઞાન. આરાધનાન જેવી ફલ દેનારી છે, અર્થાત ચારિત્રની તેટલી આવશ્યકતા નથી.
વળી ઉત્કૃષ્ટઆરાધનામાં પણ જેવું ફલ સમ્યગ્દર્શનની ઉત્કૃષ્ટ આરાધનામાં છે તેવું જ ફલ ચારિત્રની પણ ઉત્કૃષ્ટ આરાધનાથમાં. છે તે એથી પણ ચારિત્રની નિરર્થકતા નહિં તે અનાવશ્યકતા તે જરૂર છે એમ માને પણ તેનું આ માનવું યોગ્ય નથી. કારણ કે સમ્યફચારિત્રનું વિશેષ ફલ નથી એમ નથી, પણ સમ્યગ્દર્શન આતિની જઘન્ય મધ્યમ કે ઉત્કૃષ્ટ જે આરાધના લીધી છે તે બધી
Page #262
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જું ચારિત્રની પ્રાપ્તિ સાથેની લીધી છે. એટલું જ નહિં, પણ એ ઉપરથી તે એ નક્કી થાય છે કે સમ્યફરિત્ર વિનાની સમ્યગ્દર્શનસમ્યજ્ઞાનની આરાધના ગણી નથી. એટલે એક અંશે પણ એ સૂત્રથી ચારિત્રની અનાવશ્યકતા થવાની નથી ને થતી નથી.
આ વાત જ્યારે ધ્યાનમાં આવશે ત્યારે વાચકોને એ શંકા પણ નહિ રહેવા પામે કે જેમ તત્વાર્થસૂત્રકારે સમ્યગદર્શનઆદિ ત્રણમાં પૂર્વ પૂર્વની પ્રાપ્તિએ ઉત્તર ઉત્તરની ભજનો જણાવી, તેવી રીતે અહિ શ્રી ભગવતીજીસૂત્રમાં આરાધનાના પ્રકરણમાં ભજનાની વ્યાખ્યા કેમ નથી કરી? અર્થાત્ સમ્યગ્દર્શનની આરાધના હોય અને સમ્યજ્ઞાન તથા સમ્મચારિત્રની આરાધના ન પણ હોય, તેમજ સમ્યજ્ઞાનની આરાધના હોવા છતાં પણ સમ્યફચારિત્રની આરાધના હેય પણ ખરી અને ન પણ હોય, એવી રીતે ભજના-વાળું વ્યાખ્યા કેમ ન કરી? આ શંકા નહિં રહેવાનું કારણ એ છે, કે સમ્મચારિત્રની આરાધના સિવાય સમ્યગ્યદર્શનની કે સમ્યજ્ઞાનની આરાધનાને શાસ્ત્રકારે માનતા નથી.
આ કારણથી ટીકાકારે પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે આ -સમ્યગ્દર્શન આદિની કરેલી આરાધના અને તેનાં ફલે જે કહેલાં છે, તે ચારિત્રની આરાધનાની સાથેની હેય તે થાય, આ સર્વ હકીકત સમજવા માટે ભગવતી સૂત્રકારે જે આરાધનાને સંભવે જણાવ્યું છે તે જરૂર સમજવા જેવું છે, શ્રીભગવતીજી સૂત્રકાર સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે કેઈપણ આરાધના કેઈપણ આરાધના વિનાની હેય નહિ, વળી ઉત્કૃષ્ટ આરાધનાને વિચાર કરતાં તે સાફ સાફ બીજી બીજી આરાધનાને નિયમિત ભાવ જણાવે છે. વળી -કેટલીક ઉત્કૃષ્ટ આરાધનાઓમાં તે અન્યની જઘન્યઆરાધના તે ન હોય, પણ મધ્યમ અથવા ઉત્કૃષ્ટ આરાધના હેય. કઈ ઉત્કૃષ્ટ આરાધનામાં કઈ આરાધના કઈ જાતની હોય છે, તે સમજવા માટે શ્રી ભગવતીજીને અનુસાર અપાતે આ કેઠો વિચાર.
Page #263
--------------------------------------------------------------------------
________________
८
રત્નત્રયીની આરાધનાના જઘન્ય આદિ ભેદ સમજવા માટે કાષ્ટક,
૧ દર્શનની
ઉત્કૃષ્ટ આરાધના હોય તે—
જ્ઞાનની અને દનની
જાન્યુ-મધ્યમ-ઉત્કૃષ્ટ
આરાધના હોય.
૪ ચારિત્રની
જાન્ય
મધ્યમ
૩ ચારિત્રની
ઉત્કૃષ્ટ આરાધના હોય તા
જ્ઞાનની
ઉત્કૃષ્ટ
દર્શનની
મધ્યમ-ઉત્કૃષ્ટ
આરાધના હોય.
૨ જ્ઞાનની
ઉત્કૃષ્ટ આરાધના હાય તા
ચારિત્રની
મધ્યમ
આગમ જ્યાત
ઉત્કૃષ્ટ આરાધના હોય.
ઉત્કૃષ્ટ આરાધના હોય તે
આરાધના હોય.
૫ જ્ઞાનની
ઉત્કૃષ્ટ
આરાધના હોય તે.
દર્શનની
મધ્યમ-ઉત્કૃષ્ટ
આરાધના હોય.
Page #264
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪ સ્થુ
આ કાઠા ઉપર ધ્યાન દેવાથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે કે જ્ઞાનની ઉત્કૃષ્ટ આરાધના કરનારા મનુષ્ય હેાય તે ચારિત્રની જધન્ય આરાધનાવાળા ન હોય, અર્થાત્ ઉત્કૃષ્ટ જ્ઞાનારાધનાવાળાને ચારિત્રની મધ્યમ કે ઉત્કૃષ્ટ આરાધના તેા હોવી જોઇએ, તેવી રીતે દર્શનની ઉત્કૃષ્ટ આરાધનાવાળાને ચારિત્રની આરાધના ન હેાય તે ન ચાલે, પણ જઘન્ય મધ્યમ કે ઉત્કૃષ્ટ એ ત્રણમાંથી કાઇ પણ આરાધના તા હોવી જોઈએ.
આ ઉપરથી એકલા ક્ષાયિકસમ્યક્ત્ત્વવાળા ભલે ઉત્કૃષ્ટ ગણાય, પણ તે દર્શનની આરાધનાવાલા તે ન ગણાય, તેવી રીતે ધ્યાન રાખવું જોઈએ કે ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધનાવાળાને જ્ઞાનની અનારાધકતા । ન હોય. આરાધના તેા જરૂર હોય, પછી તે જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ કાઈ પણ પ્રકારની હાય. અર્થાત્ અષ્ટ પ્રવચનમાતા જેટલું પણ જ્ઞાન હોવું જોઈએ. અને ચારિત્રઆરાધનાની ઉત્કૃષ્ટતાવાળાને દનની તા મધ્યમ અને ઉત્કૃષ્ટ આરાધના હાય, અર્થાત્ દર્શનમાં જઘન્ય આરાધનાવાળા ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધનાવાળા ન હાય.
આ સર્વ હકીકત સમજીને સન્યજીવાએ સતત મેાક્ષમાર્ગની અભિલાષાએ ત્રણેની આરાધનામાં જરૂર તત્પર રહેવું જોઇએ.
Page #265
--------------------------------------------------------------------------
________________
છે
SInguilli
?
હૈયાનો ઝંકાર
[ આગમસમ્રાટ, આગમમંદિર સંસ્થાપક, સમર્થ સૂક્ષમતાત્વિક વ્યાખ્યાતા, ધ્યાનસ્થ સ્વ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવતે આજીવન શાસન-મર્યાદા-સામાચારી આધારે શ્રુતજ્ઞાનની ભક્તિ-ઉપાસનાબહુમાન સાથે સૂમદષ્ટિએ ચિંતન-મનન ભર્યા વ્યાખ્યાને આદિ દ્વારા શ્રમણુસંધમાં આમિક પદાર્થોનું રહસ્ય સમજાવવા અગાધ પ્રયત્ન કર્યા છે.
તેમ છતાં સમયના સદુપયોગની દષ્ટિએ વચ્ચે વચ્ચે મળતા સમયે વિવિધ પ્રકારના સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં પ્રૌઢ ગ્રંથ પણ હજારો લે કે પ્રમાણ બનાવ્યા છે.
તેમ જ પ્રકીર્ણક પદ્યો, ગુજરાતી ભાષામાં ચૈત્યવંદન, સ્તવન, સઝા આદિ પણ સેંકડોની સંખ્યામાં બનાવ્યા છે, તેમાંથી ચુંટીને કેટલીક માર્મિક રચનાઓ અહિં પ્રસ્તુત કરી છે.
તવ પ્રેમી સમજુ પુણ્યાત્મા અને સારવાર લઈ જીવનને ધન્યકૃતાર્થ બનાવશે. .]
આગમ આરિવતાં રે,
દૂર દીઠું છે શિવપુર શહેર જે. પૂ૦ ઉ. શ્રી વીરવિજયજી મ. કૃત
બારવ્રતની પૂજા
Page #266
--------------------------------------------------------------------------
________________
.. पू० मागमादा२४, मागमवायनात, शैताए।નરેશપ્રતિબોધક, ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવંતની
સુંદર પદ્ય રચનાઓ
કેશમણે જિનપતિ છે વિમલ જ્ઞાન રમાધિકા, સિહ શાશ્વત સૂરિ જિનમતભાનુ વાચક પાઠક | મુનિરાજ શિવપદ સહાયકારી ચારે યે દિશિપત્રમાં, દર્શનાદિક ચાર વિદિશે સ્તવ શ્રી સિદ્ધચક્રમાં છે
श्री सिद्धचक्र स्तुतिः तीर्थेशा दत्तमार्गाः सततगुणिपदाः सिद्धिसाम्राज्यभाजः, पंचाचारप्रवीणा गणिन इह सदाध्यापका वाचका ये । माहाप्यात् मोक्षसिद्धौ मुनय उदितभा अन्विताः शुद्धदृष्ट्या, ज्ञानेनावद्यमुक्त्या विविधसुतपसा सिद्धचक्रं स्तुवे तत् ॥११॥
यद् देवरनिशं नतं गणभृतो ध्यायन्ति यं सर्वदा, येनाऽऽप्येत गुणावली शिवपदं यस्मै सदा स्पर्धते । यस्मात्तीर्थमलं गुणाश्च निखिलाः यस्याऽस्ति यस्मिन् वृषोऽनन्यः सेव्यपदं हि पातु भविनः श्रीसिद्धचक्रं सदा ॥२॥
अर्हन्तः कर्णिकायाममलिनरमयाढ्याः सदास्थानप्राप्ताः, सिद्धा आचार्यवर्या जिनमतगगनोद्योतकाः सूत्रपाठे । उद्युक्ताः वाचकाः सन्मुनय इह हरिपत्रवृन्दे पवित्राण्यय॑न्ते सगाद्यान्यनुदिशमुदितं सिद्धचक्रं स्तुवे तत् ।।३।।
Page #267
--------------------------------------------------------------------------
________________
આગમ
ત
भो भव्या! निजरूपधाम सचिरं जन्मादिदुःखोज्झितम् , રાયજ્ઞાનકુવાનૂિર્ણમમ શાખતું શિવ મન ! तत् क्षान्त्यादिमुखेऽमधीयिशमे शुद्धं विधत्तोद्यममित्येवं जिनराज आप्तविमलज्ञानो जगौ पर्पदः ॥४॥
ચા-વાધ્યાય-ચા-વિધાનાર્ મિશ્નર્મri | मुनीनां कथया प्रोचैः, प्राप्यते शुद्धिरात्मनः ॥५॥
कर्मघाति तपश्चेन्न, बहुजन्मार्जितैनसः । न देहिनो भवेन्मोक्षो, यथा भोगेन जीवितम् ॥६॥
कर्मणा बध्यन्ते जन्तुः, रागद्वेषरसाकुलः । रागद्वेषौ विनिर्घात्य, हन्त्यंहः किं न सत्तयाः १ ॥
(૧) આદીશ્વર ભગવાન સ્તવન
( રાગ-માઢ ). ભવ ભયહારા સુખ કરનારા, ઋષભજિન ભગવાન; પ્રભુ પારસવલ્લી જિન સુખવલ્લી, આદીશ્વર ભજ ભવ્ય છે. પ્રભુત્ર ૧ જિન ચરણબુજ ભંગ સમા મુજ, ચિત્ત રહે અહનિશ; તારંગા નિજ સેવકકે પ્રભુ, યહ વિશ્વાસ યુગેશ છે. પ્રભુ ૨ અવગુણમય નિજ જીવન દેખત, સતત રહેત ઉદાસ; તુમ સરખે ગુણરત્નાકરકે, પાય ધરૂં ઉલ્લાસ રે. પ્રભુત્ર ૩ કાલ અનાદિસે વનમેં રહતે, પ્રથમ લીયા નર દેહ, દયા તબભી કેવલ માતમું, હમકે ક્યાં સ દેહ રે. પ્રભુ ૪ વર્ષ લગે અભિમાન ધકે, આપણે જે રહે દૂર ભેજકે દુહિતા કેવલ દીન, ફર્યો નહિ હેમકે હજૂર છે. પ્રભુ પા તુમ અર્ચનસે ચિત્ત લગાતે, ચક્રપૂજન ધરે ચિત્ત દીયા જ્ઞાન છોડ જગત ચરણમેં, રહેલ ફેન પવિત્ર છે. પ્રભુ ૬
Page #268
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪ થું
૧ ૩
દીન દયા કર ઠાકર દર્શન, તુજ લહી યાચું એક; આનન્દ દાયક મુજ હદયે પ્રભુ, અવિચલ રહે થિરટેક છે. પ્રભુત્ર ૭
() તારંગા શ્રી અજિતનાથ સ્તવન
( રાગ-પ્રભાતી, બાપલડા રે.) નિશદિન સે સંત સેભાગી, દેવ એ મનને રંગે રે; જે નિજપદ દેવે સેવકને, સાદિ અનંતને અંગે રે. ભેટ્યા ભવજલધિ પરપારા, અજિત જિનંદ તારંગે રે; ૧ મન વચન તન શુદ્ધિ કરીએ, જિન જનને કાલે રે, ભાજન મલિન કરે પયપાકે, સ્વાદ ન લેશે આવે છે. ભેટ ૨ મન ઈલિકા ધરતી ષટપદને, થાવે તસ પદ ભેગી રે; જિનવરચું એક તાન મિલાવી, આતમ ચિદ પદયેગી રે. ભેટ ૩ એહ પૂજા પ્રતિપત્તિ ભાખી, અંગદિક તસ હેતે રે; થય થઈ દુગ એ ઉત્તરાધ્યયને, ભૂલે જડ સંકેત છે. લે. ૪ જિન ગુણ સમરત સાધુ યોગી, નિજપ અથી સાચે રે; મહ મહાકટકે જઈ ઝૂઝે, નાણ રયણ લહે જા રે. લે. ૫ સુર નર કિન્નર સેવિત જિનપદ, નહિ શક્તિ એક નરની રે, રાય દશારણ વાત સુણીને, ભક્તિ આનન્દમય વરણી રે. ભેટ ૬
(૩) સંભવનાથ જિનનું સ્તવન આયા હું પ્રભુ સંભવ ચરણેમેં, શરણે રહા હજૂર; ભવભય ભ્રાંતિ ભય સબ ઘરે, રહે તિમિર જિમ સૂર, દર્શન તુમ લહી પ્રભુ શુભ નરે, વાધે મન મુદ પૂર રે. જિ૧ લહી બુધ સુર મહીહ અંકુર, બાલક પિંડ ખજુર નરપતિ તુરગેશ્વરથી સનર, તિમ પ્રભુ તુમ પદ ભૂર છે. જિ. ૨ ભાગ અસંખ્યાંશુલ તન તેરે, તબ શતમખથલ દૂર જન્મ સુરપતિ નિજ સુર પૂરે, જણાવતા દઈ તુર રે. જિ. ૩
Page #269
--------------------------------------------------------------------------
________________
૧૪
આગમ જ્યોત
વર્ષ પ્રથમ દીક્ષાસે સુરે, દાન દીએ અચૂક કેવલ કમલા લહત પડો, ગાવે ગુણ સુર હર છે. જિ. ૪ કમષ્ટક કરી જિન ચકચૂરે, સંભવ સુખ ભરપૂર કલ્યાણક પંચકર્સે રે, આનન્દ પદ સુપુર રે. જિ. ૫
(૪) સાધારણ જિન સ્તવન (ગઝેર ગયા ને વેર ગયા વળી, કાળા કર ગયા કરનારા ) નમે નમે એ દેવ જિનેશ્વર, ભવિજનને ભવ તારણહાર. એ આંકણી. કાલ અનાદિ ભાવમાં ભટક, નવિ મળી એ દેવ જિનેશ પુગલ ભાવ રમણતા કરતે, અથડા લઈ નાના વેશ, વાનર જાતિ વળી મદિરાના, પાન થકી હેય જિમ મસ્તાન, ઈન્દ્રિય રસ રા આ જંતુ, ઉપદેશક પણ પુદ્ગલ ભાન. નમે૧ પર વનિતા નિજ લવના વિષયે મા જે મહેસુર મૂઢ, પુદગલભાવ પરાયણ થઈને, રાગ શેષ ભરિયે અતિગૂઢ; પરના પ્રાણ વિનાશન હેતે, ધરતા નિજ હાથે હથિયાર, જપ માલા વળી બેધ અભાવે, અડસય સંખ્યાના એ ધાર. નમો ૨ મેહ સકળને નાશ કરીને, આતમભાવ રમણ લહી પૂર્ણ, આતમરૂપ લહી જે કેવલ, કાલક વિકી તુ જન્મ જરા મરણે રૂલતે આ, અશરણ મુજને દેખી ભાણ, નિજ પર ભાવ પ્રગટ સવિ કરતે, ભાખે તત્વમયી ગિર જાણ. નમે. ૩ વર્તન શુદ્ધિ તણા ભંડારી, કેવળના તણું એ સ્થાન, જાણી વાણી સુધારસ પીને, ભવિજન લાવે નિજ નિત ભાન; વચનક્ષમાને વચનક્રિયા વળી, ગશાસને ધરતે જાણ, ધર્મ ક્ષમા નિઃસંગક્રિયાથી, સમરથ વેગ ધરે ગુણખાણ. નમો ૪ ગુણમય પરમ ગુરૂની આણા, આરાધે તરી સંસાર, આલંબન આગમનું તજ, ભવ ભવ ભટકે જીવ ગુમાર; અહનિશ જિનઆણ આરાધી, અવિરત પણ લેશે ભવપાર, આણા વિણ અઘ સત્તર ત્યજતેન લહેનિજ આનંદ લગાર. નમે૫
Page #270
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪ થું
૧૫
(૫) શ્રી સિદ્ધાચલ સ્તવન
( રાગ-કવ્વાલી ) બિન ગિરિરાજ કે નિરખે, મેરા મન દુઃખ લીના હે, ઘુમા બહુ કાલ ભવનમેં, વિકલ નારક કથારી મેં; સેવા ભાગે ન પાવે, સદા સેવે જિનાણ હે. બિ૦ ૧ નિવારી આવ ગણધરકે, આ ઈધર યુગાદિસે; ગયે સહ સાધુ શિવ૫દમેં, મુજે પણ ત્યાંહી જાના હૈ. બિ૦ ૨ દુષમ કાલે મેં જન્મ લીયા, નહિ જ્ઞાની મુનિ મિલિયા, લહે ભવપાર દર્શનશે, પરાતમ ધ્યાન ફરશનસે. બિ૦ ૩ સિદ્ધ અનંત સેવનમેં નહિ તુજ સમ ભુવનમેં; રમે ધ્યાને સુખે આનંદ, ત્રિધા યોગે પીછાણ છે. બિગ ૪
AAKA K૮ ૮૬ ૮૯૪
એ નાથને વંદન નિત્ય મારા !!! સાપેક્ષ સત્યને વિશ્વ વિષે બતાવ્યું, ને ધમનું બીજ સુયે 5 વાગ્યું; વૈરાગ્યને ખૂબ સમજાવનારા, એનાથને વંદન નિત્ય મારા. ૧૫ તાવાર્થને જ્ઞાન વડે પિછાણી, રાગદ્વેષને ક્ષય સદાને આની; સંસારને સત્ય માર્ગો ઉપદેશનારા, એ નાથને વંદન નિત્ય મારા, પારા
૧૯૯૯૯૯૯૯૯
Page #271
--------------------------------------------------------------------------
________________
જયાત છે
તૌ
NI | ત
પા
dir,
ish
છે સમર્થ–આગમવ્યાખ્યાધુરંધર, પ્રૌઢ પાવચનિક છે
આગમવાચનાદાતા, આગમ પરંપરાના પ્રવર સંજીવક, આગમવ્યાખ્યાતા, બહુકૃત, પ્રવચન પ્રભાવક, ધ્યાનસ્થ સ્વર્ગસ્થ પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. રચિત અતિ વૃદ્ધાવસ્થાએ રેગશસ્સામાં પણ શ્રત ચિંતન સ્વાધ્યાય પરાયણતાબળે
સર્જેલ સુંદર મનનીય સુભાષિતે જ शस्यते स भिषग् लोके, सर्वलोक सुखाकरः । यस्तृतीयौषधे दक्षस्त्वं तथा न प्रभो! भवे (किं भवे न हि)।। જે વૈદ્ય ત્રીજા ઔષધ (રોગ હોય તે જાય, પણ ન હોય તે શરીરને પુષ્ટ કરે) માં હોંશિયાર હોય એ રીતે સર્વને સુખ કરનારે વૈદ્ય જગતમાં વખણાય છે. હે પ્રભે! તમે પણ શું તેના જેવા નથી? અર્થાત તમારી ઉપાસના એકાંત હિતકર જ છે. विचार्य विज्ञा! जिनशासनस्य वदन्तु सारं जिनराडुपज्ञम् । आलम्ब्य यं सद्गति भाजनोऽहं भवेयमप्राप्तभवाब्धिदुःखः ।।
હે ચતુર પુરુષો! તીર્થકર દેએ કહેલ જિનશાસનને સાર વિચારીને કહે, જેને કે આલંબીને હું ભવસમુદ્રના દુઃખને ન પામું અને સદગતિને ભજનારે થાઉં! जिनेन्द्र ! पाराय भवाम्बुधेस्त्वं, तीर्थकरं नाम निकाच्य पूर्वम् । दिदेश तीर्थ यदि मां किमेकं, न तारयस्याप्त ! सुदीनवाचम् ? ।।
Page #272
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪ થું
૧૭
હે જિનેન્દ્ર ! તમે પૂર્વભવમાં (જગતના સર્વ જીને) ભવસમુદ્રથી પાર પમાડવા માટે તીર્થંકર નામકર્મની નિકાચના કરી ( છેલ્લા ભવમાં) શાસનની સ્થાપના કરી, તે હવે અત્યંત દીનવાણુંવાળા એક મને કેમ તારતા નથી?
प्रगीयते नाथ ! तवाहिसेवा, सुदुर्लभा सा भविनां शिवाय । याचे ततस्त्वामहमाप्तभाग्यो, भवे भवेऽहं चरणाब्जयोगी ॥
હે નાથ! તમારા ચરણોની સેવા દુર્લભ ગણાય છે, તે સંસારી છના કલ્યાણ માટે છે, માટે સદ્ભાગ્યવાળો હું ભભવ તમારા ચરણકમળના સંયોગવાળો થાઉં તેવું યાચું છું.
જિના-સિદ્ધ-મુનીશ-સુવર્મા, માતુ મે સતતં શિવરાતા | विपुलभावयुता निरद्यार्चना भवति सा शिवकामिनृणां परा ॥
તીર્થકરે, સિદ્ધ, મુનિઓ અને સુધર્મ સંબંધી નિર્મળ એવા વિપુલ ભાવસહિત સતત શિવસુખને આપનારી થાઓ, ખરેખર મોક્ષની ઇચ્છાવાળા મનુષ્યને માટે આ (ચતુશરણુ) લેવા યોગ્ય શ્રેષ્ઠ હોય છે.
शिवा सेवाऽहंदादीनां, लाभोऽस्याः भाग्ययोगतः । गतापां प्रतिपत्तिं तु, लभते कश्चनो नरः॥ ४२७ ॥
અરિહંત આદિની સેવા કલ્યાણ કરનારી છે, આની પ્રાપ્તિ ભાગ્યયોગથી જ થાય. પાપરહિત આ પ્રાપ્તિને કો'ક જ મનુષ્ય પામી શકે છે.
आदौ प्राथ्योऽहं दादीनां, योगः सेवा ततः परम् । प्रतिपत्तिस्ततस्तेषां, पारोऽस्यास्तु गतांहसः ॥ ४२८ ॥ સૌ પ્રથમ અરિહંત આદિને વેગ પ્રાર્થનીય છે, પછી તેઓની સેવા, પછી તેની પ્રતિપત્તિ-આજ્ઞાપાલન ઈચ્છનીય છે. તે પ્રતિપત્તિથી પાપરહિત આત્મા ભવસમુદ્રને પાર પામે છે. -
Page #273
--------------------------------------------------------------------------
________________
૧૮
આગમ જ્યોત
सुखं प्रेप्सुर्जनः सर्व-स्तन्मतं तेऽच्युते पदे । तस्याध्वा सङ्ग आदिष्टः, सोऽयश्चर्वणवत् परम ॥ ४२९ ।। બધા જ સુખની પ્રબળ ઈચ્છાવાળા હોય છે, તે સુખ શાશ્વતપદ મેક્ષમાં રહેલું છે. તેને માર્ગ સંઘ (પ્રવચન-શાશ્વત મર્યાદાના પાલનરૂપે) રૂપે બતાવ્યું છે, પણ તે માર્ગ લેતું ચાવવાની જેમ કઠણ છે. त्वद्योगपीनसद्भाग्यो, लभे पारं भवाम्बुधेः । न चित्रं तब तुत चित्रं यत् , ते वादी (विरोधी ते) शिवंगतः ॥४३०॥
હે પ્રભે! તમારા યોગથી પુષ્ટ ભાગ્યવાળો હું ભવસમુદ્રથી પાર પામું તે કંઈ આશ્ચર્ય નથી! પણ આશ્ચર્ય તે એ છે કે તમારી સામે વાદ કરનાર વિરોધી) પણ મોક્ષમાં ગયા.
કપાળેલા તે, નિનામા
अथैकं मां समुद्धर्तु, कथं नाऽसि भवात् प्रभुः १ ॥४३१॥ હે પ્રભે! આખા જગતને ઉદ્ધાર કરવાની પ્રબળ ઈચ્છાથી તે તમે તીર્થકર નામકર્મ બાંધ્યું, તે હવે એક મને ઉદ્ધારવા માટે તમે કેમ સમર્થ નથી શું?
मा समुद्धर तीर्थेश! दुःखभारसुदुर्गतम् । ફુવાતિશયમ નાના -મુદ્ધાઃ ચાત્ સતાં મતઃ જરૂરી
હે તીર્થેશ! દુખના ભારથી અત્યંત પીડિત મારે ઉદ્ધાર કરે! અત્યંત દુઃખમાં ડૂબેલાને ઉદ્ધાર સજજન પુરૂષને ઈષ્ટ હોય છે.
जिनेन्द्रशासनं लब्धं, दुःखोद्धारक-प्रत्यलम् । परं सन्मार्गगो नाऽह-महो भाग्यविपर्ययः ! ॥४३३॥ હે ભગવન્! દુખેને દૂર કરવા માટે સમર્થ આપનું શાસન મળ્યું, પણ હું સન્માર્ગગામી ન થે. ખરેખર કેવું વિચિત્ર વિપરીત ભાગ્ય છે.?
Page #274
--------------------------------------------------------------------------
________________
પુસ્તક શુ
आन्त्याधिदानेक-नदीष्णं शासनं जिन १ ।
सत्रागारं समारब्धं, समृद्धो नाऽभवं कथम् ||४३४ ||
હે પ્રભુ ! ઠેઠ તીથંકરપણું જેવી સમથ તમારૂં શાસન માટી દાનશાળા જેવું સમૃદ્ધ કેમ ન થયા. ?
ઉત્તમ પદવી આપવા માટે આપે શરૂ કર્યું, છતાં હું
अनर्थिनोऽप्यनेकेऽस्मादुद्धृता जन्तवो भवात् ।
દુ:વિનં ચાસમાનું ૨, f માંનોવ્રુત્તિ મો ? શાકા
હૈ પ્રલેા ! વગર માંગણીએ પણ ઘણા જીવા આપે સ'સારથી પાર પમાડ્યા છે! તેા દુઃખી અને હાર્દિક યાચના કરતા મને કેમ
ઉદ્ધારતા નથી. ?
विशेषेण कृपालुत्वं, सन्मतं दुःखसागरात् ।
परोद्धारे न मां किं त्वं दुःखमग्नं दृशेक्षसे ॥४३६||
માટે
હે ભગવન્ દુઃખના દરીયામાંથી બીજાને ઉદ્ધાર કરવા વિશેષથી કુપાળુપણું સજ્જનાએ જણાવ્યું છે, તે તમે દુ:ખમાં ડૂબેલા મને નજરે કેમ જોતા નથી ?
दुःखलेशस्य ना नवो द्वारादुद्धारको भवेत् ।
तत्त्वं दुःखाब्धिमग्नं मां समुद्धर जिनाधिप ! ||४३७||
૧૯
હે સ્વામિન્! થાડુ' દુઃખ દૂર કરવાથી ઉદ્ધાર કર્યો ન કહેવાય તેથી દુઃખ-સમુદ્રમાં ડૂબેલા મારા હૈ જિનેશ્વર ! ઉદ્ધાર કર!!!
FFER
મેાક્ષના અર્થીનું લક્ષ્ય
FREE
આત્માને સસ્કારાની ગુલામીમાંથી છેડાવવાની તમન્ના મેાક્ષાર્થી જીવના લક્ષ્યરૂપે હાય છે.
FERRE
Page #275
--------------------------------------------------------------------------
________________
[ પૂછ આગમારક દયાનસ્થ સ્વાગત સુરિપુંગવ આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સીએ અનેક આમિક તાવિક બાબતેના દેખીતા વિસંવાદી પ્રશ્નોના ગુંચવાડા આગમાનુસારી પ્રજ્ઞાબળે ઉકેલ્યા છે.
હજારોની સંખ્યામાં આવા પ્રશ્નોત્તરે પૂ આગમ દ્વારકશ્રીએ આપ્યા છે. તેવા કેટલાક માર્મિક પ્રશ્નોત્તર વગેરે આ વિભાગમાં દર વખતે અપાયા છે. જેમાં ખાસ કરીને સંસ્કૃત ભાષામાં ૭૦૦૦ પ્રશ્નોના ખુલાસારૂપ સંરકતની પ્રૌઢ ભાષામાં રચાયેલ “તારિવં પ્રશ્નોત્તરળિ” ગ્રંથના પ્રશ્ન કમશઃ અપાય છે.
ગયા (પાંચમા) વર્ષના ચોથા પુસ્તકમાં ૫૫ પ્રશ્નો થયેલ, હવે બાકીનું અહિં અપાય છે. સં].
Grin Walimith 'I'ના,Nhirth Nirmalai Till TILITIN PrimarILA HIND 8 કail Ullu illno unillioratullairvallium Filiાઇ પાઇling dulu
IHITI ntunull utility ill
வலைபமானவணை
તે તત્વજ્ઞ જિજ્ઞાસુઓ માટે પરમાનના થાળ જેવા છે.
तात्त्विक प्रश्नोत्तराणि ગ્રંથને સરળ
અનુવાદ
પ્રશ્ન ૫૬ : પ્ર. જ્ઞાનાન્તર વગેરે કારણેથી (૧) સમ્યક્ત્વ મલિન થાય (૨) મિથ્યાત્વ થાય કે (૩) સમ્યકત્વ અબાધિત રહે?
Page #276
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪ થું
ઉત્તર : જે તેવા પ્રકારની શંકા ધારણ કરે છે, તે માત્ર સમ્યફત્વને જ મલિન નથી કરતા, પરંતુ મિથ્યાત્વને પામે છે. ફરીથી
જ્યારે માર્ગે આવે ત્યારે જ તેઓ સમ્યકત્વ પામે છે. એવા પ્રકારના છને આશ્રીને શાસ્ત્રમાં સમક્તિના આકર્ષે કહ્યા છે, પરંતુ તેવા પ્રસંગે જેઓ મતિની દુર્બલતા વગેરેને વિચારી “રેવ સત્ય એ પ્રમાણે જે અવધારણ કરે છે, તેઓ અચલ અને અમલિન સમ્યક્ત્વવાળા જાણવા. આ ઉપરથી ઉત્સવપ્રરૂપણા કરવામાં તત્પર એવા મતાંતરીઓને પણ સમ્યફ વીપણું સ્થાપવા માટે જે પ્રયત્ન કરે છે, તેઓ તેનાથી પણ અત્યંત પાપી છે, એ હેતુથી તેઓ તે (ઉત્સવપ્રરૂપક)ની જેમ પણ શાસનથી દૂર કરવા જેવા જ છે.
પ્રશ્ન પ૭ : જે સામાયિક વગેરે આઠ નામ સામાયિકનાં જ છે, તે તે બધા નામોના દષ્ટાન્ત જુદાં જુદાં કેમ? કારણ કે દષ્ટાન્તમાં અભિધેયનું ભિન્નપણું છે.
ઉત્તર: એક જ જિનેશ્વર ભગવાનને રાગ વગેરેના પ્રતિકાર કરવાની ઈચ્છાવાળાઓ જિનપણ વડે કરીને (૧) નીરાગ જ્ઞાનની ઈચ્છાવાળાઓ વડે કેવલીપણે (૨) સર્વ દ્રવ્ય આદિ જ્ઞાનના અર્થીએ વડે સર્વજ્ઞાણે (૩) શાસન વધારવાની ઈચ્છાવાળાઓ અરિહંત પણે (૪) અને મેક્ષની ઈચ્છાવાળાઓ તીર્થંકરપણે (૫) એમ જુદા જુદા અભિપ્રાયવાળાઓ જુદા જુદા નામેથી આરાધે છે, છતાં તેવા તેવા ભાવથી તેની જ પ્રાપ્તિ થાય છે, તે દેખાડવા માટે દાન્તનું જુદાપણું અને અભિધેયનું જુદાપણું છે, આવી રીતે સમ્યગ્દર્શન અને જ્ઞાનના પર્યાયમાં નહિ. કહ્યું હોવા છતાં પણ સમજવું શકય છે.
પ્રશ્ન ૫૮ઃ (૧) જિજ્ઞાસા (૨) સંશય (૩) શંકા (૪) પ્રશ્ન અને (૫) કાંક્ષામાં શું તફાવત છે? અને (૬) જ્ઞાનાન્તર વગે. રેથી કાંક્ષા અતિચારને ઉત્પન્ન કરનાર કાંક્ષા મેહનીય કર્મનું વેદવું કેવી રીતે થાય? વળી તે કાંક્ષા શંકા અતિચાર કેમ નહિ અને (૭) સાંશયિક મિથ્યાત્વ કેમ નહિ?
Page #277
--------------------------------------------------------------------------
________________
ર
આગમ
ત
ઉત્તરઃ (૧) “હું અજ્ઞાની છું તેથી આ વિદ્વાનને પૂછી તેનું કહેલું માનીશ” એ પ્રમાણે થાય તે જિજ્ઞાસા (૨) સાધક-બાધક પ્રમાણને પિતે જાણતું ન હોય અને તેથી બંને પક્ષમાં સાચાપણાની બુદ્ધિને ધારણ કરે તે સંશય (૩) બે માંથી એક પક્ષને નિર્ણય કરવા માટે બંને પક્ષને પૂછવું એમ વિચારે એ શંકા (૪) પદાર્થના સ્વરૂપને જાણનારને તે જાણવા માટેનું વચન તે પ્રશ્ન અને (૫) બેટા માર્ગને પ્રશંસવાની બુદ્ધિ તે કાંક્ષા, આ પ્રમાણે તેઓમાં ભેદ જાણ (૬) જ્ઞાનાન્તરમાં સત્ય-અસત્યને સદ્ભાવ હોવાથી જ્યાં સુધી અપ્રશસ્ત વસ્તુને પ્રશંસીને તેની ઈરછા કરે છે, ત્યાં સુધી તે કાંક્ષા મેહનીય અને (૭) તે પદાર્થમાં રહેલા સત્યને અપલાપ કરે ત્યારે મિથ્યાત્વ આમ બનતું હોવાથી સાધુઓને પણ એક ભવમાં હજાર પૃથફ આકર્ષે હેય છે. આ પ્રમાણે નિશ્ચય કરીને બુદ્ધિશાળીએ આગમમાં સ્થિરતાને ધારણ કરે છે.
પ્રશ્ન ૫૯ : જ્ઞાન ઉભય ભવિક છે. છતાં ચૌદ પૂર્વનું દેવપણામાં સંપૂર્ણપણે સ્મરણ ન હોવાથી શું ઈહભાવિકપણુ જ જાણવું?
ઉત્તર: દેવભવની અપેક્ષાએ સંપૂર્ણ સ્મરણને અભાવ છતાં પણ ફેર મનુષ્યભવમાં આવ્યા પછી તેતલિપુત્રની માફક સંપૂર્ણ સ્મરણ થાય જ, આથી પરભવિકપણું છતાં તેને ઉભય ભવિકપણાને અભાવ નથી.
પ્રશ્ન : સિદ્ધને અસંખ્યાતમે ભાગ દેશવિરતિને સ્પર્શે વિના ફક્ત શુદ્ધ સમ્યકત્વ અને ચારિત્રને સ્પર્શીને સિદ્ધ થયે. છે. એમ સિદ્ધાન્ત છે તે (૧) ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીએ દેશવિરતિસ્વરૂપ શ્રાવક–પ્રતિમાના અનુષ્ઠાનપૂર્વક જ અને લૌકિક આશ્રમના ક્રમના અનુવાદથી દુષમકાળને આલંબીને સર્વવિરતિને સ્વીકાર એગ્ય છે. એમ કહ્યું છે તે અને (૨) ઉપદેશમાલા જેનું બીજું નામ પુષ્પમાલા છે. તેમાં અને બીજે સ્થળે સેણીષ (ટલી) રૂપ છ મહિનાની શૈક્ષતા કહેલી છે, તે કેવી રીતે ઘટે?
Page #278
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪ થું
૨૩
ઉત્તર : શ્રાવકના પુત્ર, પૌત્ર વગેરેને જેમ આઠ વર્ષની પહેલાં પણ નિસર્ગથી (વભાવથી) સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ થાય છે, તે પણ તેવા પ્રકારના જેન સિવાયના કુલવાળાને આશ્રીને આઠમા વર્ષના આરંભમાં કહેવાય છે. તેમ અર્ધી પણ એટલે જૈન સિવાયના કુલવાળાને તેવા પ્રકારના સંસારિક વ્યવહારમાં લેપાયેલા એવા પુરુષોને આશ્રીને તેવા પ્રકારનો ઉપદેશ આપીને દીક્ષામાં પ્રવર્તાવવું તે તેઓને (હરિભદ્રસૂરિજીને) અનુચિત નથી, એટલે યોગ્ય છે. અને એવી જ રીતે ધર્મબિંદુ આદિમાં કહેલ અસત્ય સવપ્નનું કહેવું નિકટ મરણાદિના ભયનું કહેવું) એ વગેરેને વિધિ પણ એવી રીતે જાણ. આઠ વર્ષની અંદરની ઉંમરવાળા માટે જેનો પરાભવ કરતા નથી. પરંતુ જેન ન હોય એવા પરાભવ કરે એ કથન હેતુવાળું છે. એમ જિનેશ્વર ભગવાનની આજ્ઞાને માનનારા પંડિતે એ જાણવું.
પ્રશ્ન : જિનકલ્પી આદિને ગૃહસ્થપર્યાય ઓછામાં એ છે ૨૯ વર્ષને જણાવે છે, તેમાં શું હેતુ છે?
ઉત્તર : તેઓને ગણાદિના આલંબન વગર અને ઉપસર્ગના પ્રસંગમાં પણ અપવાદ રહિત સંયમનું પાલન કરવું, એ આચાર છે. તે આચાર, વિવિધ પ્રસંગમાં પસાર થયેલાઓને સંભવે છે, તે કારણથી ગૃહસ્થપણાના ઓગણત્રીસ વર્ષના પર્યાયમાં તેવાપણું અવશ્ય સંભવે છે.
પ્રશ્ન દર પંચ પરમેષ્ઠી નમસ્કાર જેને એવાને સામાયિક આપવામાં આવે છે. અને સામાયિક ચૌદ પૂર્વેને સંક્ષેપ છે, અને વળી તેની પહેલાં તેને સારભૂત નમસ્કાર છે તે કારણથી આ બેમાંથી એકનું ગ્રહણ કરવું ઉચિત છે?
ઉત્તર : (૧) મરણની અંતિમ અવસ્થાએ શ્રુત કેવલીઓને પણ નમસ્કારથી જ આરાધના છે તેમજ (૨) દુર્ગાનરૂપ વિપત્તિથી ઉદ્ધાર કરનાર હોવાથી સારપણું છે. (૩) તેની જ માફક ચૌદ પૂર્વનું અભિધેય સમ્યગુર્શન આદિ ત્રણ છે. અને હવે તે જ આ
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૪
આગમ જોતા
સામાયિક અધ્યયનને સંક્ષેપ છે. એ પ્રમાણે સામાયિક અધ્યયનના અભિધેયની અપેક્ષાએ સંક્ષેપ છે. માટે બન્નેનું બરાબર યોગ્ય જ કહેવાપણું છે.
પ્રશ્ન ૬૩ઃ સિદ્ધાદિ પરમેષ્ઠીને નિક્ષેપમાં કર્મક્ષયથી થતા ભાવરૂપ સિદ્ધોની અપેક્ષા રાખ્યા વગર નામસિદ્ધ વગેરે કેમ નિક્ષેપ કરાય છે? (કારણ કે) અરિહતેના નિક્ષેપમાં ભાવ અહિતને આશ્રીને જ અરિહંતના નામાદિ દેખાડાય છે. જે માટે અરિ. હતના ચાર નિક્ષેપા આ પ્રમાણે છે. વીસ જિનના નામ તે નામ જિન. જિનની પ્રતિમા તે સ્થાપના જિન, જેઓએ જિન નામકર્મ બાંધેલું અને નિર્ભરેલું હોય તે દ્રવ્ય જિન અને ધર્મદે શના વગેરેથી જિન નામકર્મને વેદતા હોય તે ભાવ જિન, એ પ્રમાણે કહેવાય છે.
ઉત્તર : અરિહંતપણું જ બાંધેલા પ્રશસ્ત જિન નામકર્મથી જ થવાવાળું છે. પરંતુ સિદ્ધત્વાદિ હેતુક નથી (પહેલાં સિદ્ધપણું, બાંધ્યું હોય અને પછી તે અરિહંતાણું થયું હોય તેવું નથી) આથી થયું કે અરિહતપણું ઉદયથી થવાવાળું છે. તે જુદા જુદા પ્રકારથી વઘ નથી. તેથી જ અરિહંતપણાને આશ્રીને જ ચાર નિક્ષેપ છે. આથી જ ભાવશ્રિત ચાર નિક્ષેપાવાળા જ અહિતિને (પરમેષ્ઠીમાં) પ્રથમ નમસ્કાર છે. બાકીના ચાર પરમેષ્ઠીઓને જ નમસ્કાર છે, તે કેવલ સિદ્ધત્વાદિ ભાવવાળાને જ છે.
પ્રશ્ન ૬૪: “મોડા ” એ વાકયથી નામાદિ ચાર ધર્મમય વતનું કહેવાપણું હોવાથી અને નિવિશેષણ પણું હેવાથી નામાદિ જિનને નમસ્કાર અને તેનું ફલ સર્વ પાપનાશ વગેરે જેવી રીતે છે, તેવી રીતે બાકી રહેલા “નમ: સિત્તેર વગેરે ચારમાં નમસ્કાર અને ફળ છે કે નહિ? અને જે નથી, તે કારણ શું?
ઉત્તરઃ અનેક ભેદવાળા સિદ્ધ વગેરેમાં ભાવ-સિદ્ધ અને તેને
Page #280
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪ થું
૨૫
આશ્રિત એટલે અરિહંતને આશ્રિત નામ વગેરે સિદ્ધોમાં નમસ્કાર છે. અને તેની અંદર જ પહેલાં કહ્યા પ્રમાણેનું ફળ છે જે કે “મ ? એમ સ્પષ્ટપણે ઉચ્ચારેલી ષષ્ઠીના અન્તવાળા પદની અનુવૃત્તિથી પ્રાપ્ય છે. આ જ કારણથી અરિહંતાદિની આનુપૂર્વીવાળ (અનુક્રમ વાળે) નામરકાર છે. આગળ પણ પૂર્વ પૂર્વ પદની અનુવૃત્તિના કારણનું આવશ્યકપણું હોવાથી પૂર્વાનુપૂર્વી ઉપયોગી છે. પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી તેનાથી નિરપેક્ષ છે. પશ્ચાનુપૂર્વી ને અનાનુપૂર્વનું પ્રયજન મનની સ્થિરતાને માટે છે. તે સિવાય તેનું પ્રયોજન નથી.
(પ્રશ્ન) પ : જેમાં નિશ્ચય છે એવા કાર્યનું અનંતર કારણ તેમાં પ્રાગભાવ બુદ્ધિ થાય છે, તે પછી તે ઘટ વગેરે કાર્યના અર્થીઓની ઘટાદિ સંબંધી પ્રવૃત્તિ થાય છે. આ પ્રાગભાવનું રહસ્ય છે, એવી રીતે નાશનું કારણ નક્કી છે, એમાં પ્રવંસાભાવ બુદ્ધિ થાય છે. તે પછી કાર્યના અર્થીએાની તેમાં પ્રવૃત્તિ થાય છે. અને તેમ હેવાથી લાંબા કાળના પ્રાગભાવપણામાં અને લાંબા કાળના પ્રવ્ર સાભાવમાં કાર્યના અથઓની પ્રવૃત્તિ થતી નથી.
(પ્રશ્ન) ૬૬: મુનિવરની અનુકંપા તે સમ્યકત્વની પ્રાપ્તિ દ્વારા (નયસારના ભવમાં મુનિની અનુકંપાથી) તરણિ (વદ) વગેરેની જેમ મોક્ષનું સાધન થાય છે. (માત્ર નિ જા રૂ૦૧) તેવી રીતે મુનિવરોની અનુકંપા સિવાયની અનુકંપા પણ મેઘકુમારના જીવ હાથીએ કરેલ સસલાની અનુકંપાની જેમ મોક્ષનું સાધન થાય છે. અનુકશ્યા કરવા લાયક (પાત્ર)ની અપેક્ષાએ ભેગાદિ ઋદ્ધિની પણ પ્રાપ્ત થાય છે. આ દરેક વાત “અનુHISામનિશા” (ર૦ ૧૦ દ, ફૂટ ૨૦) એ વચનથી તેમજ “ઘરામસંવેનિલાનુHI.” (૨૦ શ૦ ૨, ફૂગ ૨ માધ્ય) (ધર્મ કિં. રૂ. ૨૪૦) આ વચનથી કહે. વામાં આવી અભયદાન અને સુપાત્રદાન ને સાક્ષાત્ સંવર-નિર્જરારૂપ છે. (૫૦ સૂત્ર ૭) ઉચિત દાન અને કીર્તિ દાન એ બે દાન પણ જે ધર્મના અંગમાં પ્રવર્તે તે સમ્યકત્વના હેતુરૂપ બનતા
Page #281
--------------------------------------------------------------------------
________________
આગમ જયોત
હોવાથી તે બંને દાન મેક્ષનું કારણ છે. તેથી પાંચ દાનની પ્રરૂપણ કરવામાં સાધુપણાને દોષ લાગતું નથી.
(પ્રશ્ન) ૬૭ : શબ્દાર્થ “ભક્તિથી સુપાત્ર દાન દેતે ક્ષફળને આપનાર થાય છે” એમ કહેવામાં આવ્યું છે તે ભક્તિના મહત્વની અપેક્ષાએ કહેવાયું છે. તેથી સુપાત્રની અપેક્ષાએ તે ભક્તિ વિના પણ સુપાત્ર દાનથી મેક્ષ થાય છે. એમ ન હોય તે બીજા દાન વડે ફળને ક્ષય થઈ જાય. કયવત્તા વગેરેને ભક્તિ વગર સુપાત્ર દાનથી જ સમ્યકત્વને લાભ થયે છે. ભકિત તે નિમંત્રણા છંદન વગેરેની જેમ મેક્ષ આપનારી છે. અહીં સુથારે મુનિને કરેલ દાનમાં હર
નું દષ્ટાંત વિચારવા જેવું છે. એકલી અનુકંપા તે સુખનું જ કારણ છે આવી રીતે મુનિની અનુકંપા અને એકલી અનુકંપામાં મેટે તફાવત છે. અનુકંપાનું પાત્ર અસંયમી હેય અને તેને વિષે પાત્રબુદ્ધિ થાય તે તે પાત્ર બુદ્ધિનું દુષ્ટપણું છે. પણ અનુકંપાનું ભાજન જે સંયમી હોય તે તેને વિષે અનુકંપાબુદ્ધિનું દુષ્ટપણું નથી. આજ કારણથી શgi પલુચારિ ( go રૂ. ૫૦૦ રૂ૩૮) ભગવતીના વચનની સંગતિ થાય છે. અને “સાયણિપુરપાણ” ( શોપરિ મા જ શરૂ૭ ) એ વચનમાં પણ બાધ આવતું નથી. કારણ કે બંને જગ્યાએ સંયમના સાધનની અર્પણ કરવાની બુદ્ધિ છે અને બંને જગ્યાએ સાધુઓના રોગને પ્રતિકાર કરવા માટે જાતા ઉપાયમાં શુદ્ધ-અશુદ્ધને વિવેક હેય છે.
(પ્રશ્ન) ૬૮ : તીર્થ પ્રવર્તાવવાની વિનતિના સ્વીકારથી દિક્ષાના દિવસથી પહેલાં બાર મહિના જે દાન તે શાસનપ્રભાવના માટે છે. તેમાં અનુકંપા પણ આનુષંગિક છે. કારણ કે તે દાન દ્વારા શાસનની ઉન્નતિને સદ્દભાવ છે. પ્રીતિદાન અને વૃત્તિદાન પણ તે જ પ્રમાણે હોય છે અને એમ હોવાથી અનુકંપા દાન શાસનની ઉન્નતિનું મૂલ છે, એમ નક્કી થયું.
પ્રશ્ન ૬૯: પ્ર.. “શનો શનિસરણ ચ” એને અર્થ શું?
Page #282
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪ થું
૨૭ ઉત્તર- ‘દિવસ અને રાત્રિ પૂરા થતા પહેલાં” એ અર્થ છે, તે પ્રમાણે દેવસિકને રાત્રિક પ્રતિક્રમણ છે. પાક્ષિક વગેરે પણ દિવસની અંદર જ થાય છે. પરંતુ તેને અધિકાર અહિં નથી. દેવસિક આદિ પ્રતિક્રમણે દિવસ આદિ સંબંધી અતિચારેને શેનારાં છે. (આથી દિવસ અને રાત્રિ કયાંથી કયાં સુધી ગણાય? તે નક્કી કરવું જોઈએ) આ પ્રમાણે દિવસના મધ્યાન્હ સુધી ત્રિક અને અર્ધ શત્રિ સુધી દેવસિક આમ લેવાથી પ્રતિક્રમણમાં વિરોધ ન આવે. તત્કાલ પ્રતિક્રમણ કરવાવાળા બાવીશ તીર્થંકરના સાધુઓને વિશેષથી આ મર્યાદા છે. પાક્ષિક આદિ અતિચારને શોધવાવાળા પાક્ષિકાદિ પ્રતિક્રમણે છે. જેથી અહિં પક્ષાદિ અંતે થવાપણું ન્યાયવાળું નથી. આ મુજબ ન લેવામાં આવે તો ચાતુર્માસિકસાંવત્સરિકના અભાવને પ્રસંગ આવે, કારણ કે પક્ષાદિને અંત રાત્રિના અંતથી થતું હોવાથી રાત્રિને અંતે પાક્ષિકાદિના આપાતની આપત્તિ આવે.
(પ્રશ્ન) ૭૦ : દેવસિક પ્રતિક્રમણમાં ( ગત ) રાત્રિના (પ્રતિક્રમણની) ત્રીજા આવશ્યકની મુહપત્તિના પડિલેહણથી આરં. ભીને લાગેલા અતિચારોનું ચિંતવન છે. ત્રિક પ્રતિક્રમણમાં (ગત) દિવસના (પ્રતિક્રમણની) ત્રીજા આવશ્યકની મુહપત્તિના પડિલેહણથી આરંભીને લાગેલા અતિચારોનું ચિંતવન છે. અને પાક્ષિક ચાતુર્મા સિક ને સાંવત્સરિક પ્રતિક્રમણમાં તે પહેલાનાં તે તે પ્રતિક્રમણની મુહપત્તિના પડિલેહણથી આરંભીને લાગેલા અતિચારનું ચિંતવન છે.
(પ્રશ્ન) ૭૧ : અનુઘતા અને વિધેયતામાં વિધેયતા બલવાન છે. છતાં અનુદ્યતા નકામી નથી જ. અનુદ્યતાને નકામી માનીએ તે “ચાચરંપવમવઃ” વગેરેમાં ધનાદિને અભાવ થયે છતે ન્યાય અથવા ન્યાયાશ્ચિતપણાને પણ અસંભવ થાય, આટલા જ કારણથી વિશિષ્ટ આવા પ્રકારના સ્થળે વિધેવતા સ્વીકારાય છે. અને તેમાં ધનાદિની વિધેયતા કરવારૂપ આપત્તિ નથી કારણ કે ન્યાય સંપન્ન વિભવ' એક વાકયમાં કેવળ ધનની વિધેયતાને
Page #283
--------------------------------------------------------------------------
________________
આગમ જ્યોત
અભાવ છે ત્યાં તે ન્યાયસંપન્નરૂપ વિશિષ્ટતામાં તે વિધેયતાનું વિધાન છે.
મલિન વસ્ત્રને ત્યાગ કરે ” એ વાકયમાં પણ મલિનત્વ અથવા મલિન વસ્ત્રને ત્યાગ ઈષ્ટ છે. કેઈ જગાએ તે અનુઘના અભાવે વિધિના વિધાનમાં પણ દુષ્ટતા છે. જેમ “જિÈવમ' એ જગા ઉપર શુચિતા અનુઘ જ છે. પરંતુ અશુચિતામાં દેવાચનનું વિધાન પણ દુષ્ટ જ છે. અશૌચમાં પૂજાને નિષેધ કરે છતે અંતરાય નથી. ઊલટું તથાપણે તેના વિધાનમાં અને તેના ઉપદેશમાં આજ્ઞાભંગ આદિનું કથન છે. આ પ્રમાણે અકાલાદિ વાધ્યાયમાં પણ આજ્ઞાભંગાદિ દોષનું કથન છે.
(પ્રક્ષ) ૭૨ : “પર્વે અનુષ્ઠાન કરવાથી શુભ આયુને બંધ થાય' એમ કહેવામાં પર્વનુષ્ઠાનનું શમને વિષે હેતુ પણું છે. નહિ કે પર્વાનુષ્ઠાનની હેતતા આયુષ્યના બંધને વિષે છે. આયુબંધનું કારણને વર્તમાન ભવના આયુષ્યને ત્રીજે વગેરે ભાગ જ છે. પૂર્વને ઋષિઓએ કહેલું પણ તેમ જ છે. વિશિષ્ટ વાયરૂપ વિશેપણમાં જ વિધિ અને નિષેધ કરવાને જે નિયમ છે, તે પણ એમ જ જણાવે છે. આ પ્રમાણે “પ અનુષ્ઠાન કરવામાં આયુષ્યબંધ હેતુ નથી.” એમ લઈએ તે જ અપર્વને વિષે પણ જે જન્મઆયુબંધ- મરણ વગેરે થતાં જોવામાં આવે છે, તેને વિરોધ ન આવે. આને બદલે પનુષ્ઠાનનું હેતુપણું જે આયુષબંધને વિષે ગણીએ તે પ્રત્યક્ષ આગમને વિરોધ થાય જ.
આમ હોવાથી આચારપદેશમાં યથાર્થ કહેવામાં આવેલ છે કે “આયુરતીમાથા” ઈત્યાદિ અર્થાત્ જણાવ્યું કે “આયુષ્યના ત્રીજે ભાગે રહેલ પુણ્યવાન પાંચ પર્વદિવસેને વિષે સુકત ઉપાર્જતે પિતાનું આયુષ્ય શુભ બાંધે.”
આચારપદેશનું આ વચન પણ બીજ વગેરે આચીણું પતિથિએની આચરણામાં હેતુ માત્ર છે. સૂત્રોકત પ્રભુવચનના અભાવમાં આ વચન સુંદર નથી. કારણ કે શાશ્વત આરાધાતી ૮-૧૪-૧૫-૧) એ ચાર પર્વતિથિઓની આરાધના એવી કઈ હેતુ યુક્તિની અપેક્ષા
Page #284
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪ થું
૨૯ રાખતી નથી. આજ કારણથી “તુuદ રતુથરિ “છvi તિલીબં, એ વગેરે સ્થળે હેતુ બતાવ્યું નથી.
એમ ન કહેવું કે આ આચરણ સાંવત્સરિક પર્વની જેમ પરાવર્તનાવાળી છે. કારણ કે સર્વ પૂર્ણિમા અને અમાવાસ્યાનું સૂત્રકારે અને પ્રકરણકારોએ આરાધ્યપણું કહેલું છે. એ બીજ વગેરેની આરાધનામાં વિરોધવાળી નથી. ].
પ્રશ્ન ૭૩ : “સત્યેવ સભ્યત્વે ચામg. ” (સમ્યકત્વ હોય છતે જ અણુવ્રત વગેરેનું ગ્રહણ વ્યાજબી છે, નહિ તે નહિ) એમ હરિભદ્રસૂરિએ ધર્મબિન્દુ પ્રકરણમાં કહેલ છે. રસ્થ પુળ -રમણોવાસાને (સમ્યકત્ર થયા બાદ શ્રાવક ધર્મ હોય છે, એ - વગેરે આવશ્યક સૂત્રમાં ગણધર ભગવંતે કહેલું છે.
આમ છતાં આ. શ્રી હરિભ્રદ્રસૂરિજીએ શ્રાવક પક્ષપ્રવૃત્તિ - વગેરેમાં ચેથા અણુવ્રતના પરવિવાહકરણના અતિચારના વિવેચનમાં માર્ગ પ્રવેશને માટે યથાભદ્રક એવા મિથ્યાદષ્ટિને પણ વ્રત આપવાનું માન્યું છે. બીજા પણ શાસ્ત્રોમાં ચો “યુદ્ધવા” જે સંસારની અસારતા સમજીને વ્રતના પાલનમાં ધીર હોય, તેને આચાર્યો માર્ગ પ્રવેશ માટે વ્રત આપે છે. એ વચનથી મિથ્યાદષ્ટિને પણ મહાવ્રત આપવાનું ફરમાવે છે, તે પછી તે વચને પરસ્પર વિધવાળાં કેમ ન કહેવાય?
પ્રશ્ન ૭૪ : “નહું ઘમસ્જરત્યે ” રૂારિ ઉપદેશવિધિ કેવા પ્રકારને છે કે જેથી યતિધર્મ, દેશવિરતિ, સમ્યકત્વ અને મઘાદિની વિરતિને સમાવેશ થાય છે. સમાવેશ ન થાય તે કેવી રીતે પૂર્વ-પૂર્વની અશક્તિ જાણ્યા પછી ઉત્તર-ઉત્તર ધર્મને સ્વીકાર થાય?
ઉત્તર. “૧૮ પાપસ્થાનક ન કરવા” એવી રીતે ઉપદેશ આપે તે રાવ ઘટે છે. કારણ કે મુનિને સર્વ પાપથી નિવૃત્તિ-વિરમવું છે, શ્રાવકને દેશથી નિવૃત્તિ, સમ્યગ્દષ્ટિને શ્રદ્ધા અને બીજાને માંસાદિક જે
Page #285
--------------------------------------------------------------------------
________________
આગમ ચેત
વિરૂદ્ધ પ્રવૃત્તિ છે તેને ત્યાગ છે, એથી બધું જ એક જ ઉપદેશમાં સંભવે છે.
પ્રશ્ન ૭૫ : હિંસાદિક ૧૮ પાપસ્થાનકનું સમાન છતાં પહેલા. પાંચની જ વિરતિ કેમ ? તેમ જ મહાવ્રત, આણુવ્રત અને અગ્રત એ પાંચ કેમ બોલાય?
ઉત્તર. ઠીક છે. કેધ માન વગેરે બાકીના ૧૩ પાપસ્થાનક. કારણરૂપ છે. અને હિંસા વગેરે પ્રથમનાં પાંચ પાપસ્થાનકે તે તેનાં કાર્યસ્વરૂપ છે. તે માટે હિંસાદિક પાંચ વિષયક મહાવ્રત વગેરે છે. એટલે કે હિંસા વગેરેની વિતિ અને અવિરતિરૂપ મહાવ્રત દેશવિરતિ અને અવ્રત એ પાંચ પાંચ છે. ૧૮ પાપસ્થાનકને વિષે હથિયારરૂપ પણ જો કોઈ હોય તે આ પાંચ જ છે.
પ્રશ્ન ૭૬: જે કે મનુષ્ય અને તિયાને અંત્ય અવસ્થા કાળે ૧૮ પાપસ્થાનકનાં પચ્ચકખાણ શાસ્ત્રમાં સંભળાય છે અને કરાય પણ છે, પણ ત્યાં આજે પણ તે હિંસા વગેરેની વિરતિનું જ કરવામાં આવે છે તેમાં શું હેતુ છે?
ઉત્તર. સત્ય છે કે હિંસાદિક ૧૮ પાપસ્થાનક પચ્ચખાણ કરવાને ગ્યા છે, તે પણ હિંસાદિક પાંચની જ વિરતિનું આરોપણ બાહ્ય સ્થૂલ પ્રવૃતિરૂપ હેવાથી શકય છે અને ક્રેધ વગેરે તે વિપરીત રૂપ હોવાથી વિવેક કરવા લાયક છે. અને તેથી જ શાસ્ત્રોમાં
વિવેળ” વગેરે પાઠ કહેવામાં આવે છે. અથવા “અસ્થિ નીવા' ઈત્યાદિ શ્રી ઉવવાઈ સૂત્ર (પૂ૦ ૧૪૮) માં આરાધના અને આરાધના ક્રમે કરીને દેશના કરવી એમ કહ્યું છે, તેમાં કાંઈ કહેવા જેવું નથી.
પ્રશ્ન ૭૭ ૪ મહાવ્રત-અણુવ્રતના સ્વીકાર આદિ સ્થળે “સત્યે” વગેરે અને “રૂથ ૩' ઈત્યાદિ કહેવાય છે. પણ પાપસ્થાનકની ગણતરી વગેરેમાં તે મિથ્યાત્વ શલ્યને ત્યાગ છેવટમાં કહેવાય છે, તેમાં શું કારણ?
Page #286
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪ થું
ઉત્તર. વ્રતના અંગીકારમાં છ જવનિકાયની શ્રદ્ધારૂપ સમ્યકત્વની પ્રધાનતા હોવાથી તે સમ્યકત્વ આદિમાં જ પ્રારંભમાં જ કહેવાય છે. તે છ કાયના જીવની શ્રદ્ધા વગર શાય વગેરેની શિક્ષાદિકની માફક -ત્રમ-થાવરના વધની સર્વવિરતિ, દેશવિરતિ અને અવિરતિરૂપ મહાવ્રત વગેરેનું અવાસ્તવિકપણું થાય.
પરિગણનામાં એટલે ૧૮ પાપસ્થાનકની ગણતરીમાં તે હિંસા - વગેરે ના છેડે તે પણ “તે પાપસ્થાનેનું છેવટે હિંસા વગેરે પાપનાં કારણે છે તે રૂપ અધ્યવસાય તે રૂપ સમ્યકત્વનું ત્યાં વિવક્ષાપણુ કહેવા ધારેલું હોવાથી અઢારમું પાપસ્થાનક જે મિથ્યાત્વ -શલ્ય છે તે છેલ્લે મૂકેલું છે. શોમાં માયા-નિયાણ-મિથ્યાત્વ -શલ્ય એ ત્રણ શલ્ય અનુક્રમે અલ્પ-અલ્પ સંભવિ છે. ઉત્તરોત્તર અ૯૫, અલ્પતર, અલ્પતમ છે, માટે છેવટે મિથ્યાત્વશલ્ય કહેલું છે શ્રી આપપાતિક સૂત્રમાં કહેલી શ્રી વીર ભગવાનની દેશનામાં પણ પાપ અને પાપવિરતિને આ જ ક્રમ છે.
માંસાહાર વગેરે નરકના આયુનું કારણ છે એમ દેખાવાથી માંસ વગેરેની સ્થિતિ સુકર જ છે-સહેલી છે. જો કે) દેશનાનું -ગ્રહણ ઉભયની અપેક્ષા એ છે. છતાં પણ વસ્તુ સ્વરૂપ સમજવામાં ચતુર એવા અન્યમૂથિકેને આશ્રીને સમ્યકત્વ વગેરે ક્રમે દેશના છે. એટલે કે પ્રથમ સમ્યકત્વ પછી પ્રાણાતિપાતની દેશ કે સર્વવિરતિ, -એ ક્રમ હોય છે એટલા માટે જ અતિચારની વ્યાખ્યામાં સમ્યકત્વના
અતિચારેનું ઉપાસકદશાંગ આદિમાં પહેલાં કથન છે. પરિણતિરૂપ -ગુણસ્થાનકની અપેક્ષાએ તે પહેલાં જ સમ્યકત્વ હોય છે. કારણ કે
ત્યાં તે) દર્શનસમકને જ પહેલાં ક્ષપશમ વગેરે હોય છે.
[ તરિવર પ્રશ્નોત્તળ ગ્રંથના ૭૭ પ્રશ્નો સમાપ્ત. ]
Page #287
--------------------------------------------------------------------------
________________
આગમ જતા
5:
A
સંપાદકીય નેંધ
તાત્વિક પ્રશ્નોત્તરના વિશાલ સંગ્રહમાંથી ૭૭ પ્રશ્નો વિવેચન. સાથે સુરતમાં પૂઆગદ્ધારકશ્રીએ વિ. સં. ૨૦૦૪ના મહા વદ ૭ થી ૧૨૫ જેટલા સાધુ-સાધ્વીઓને વાચના રૂપે સમજાવેલ, તેને સંગ્રહ પુસ્તકાકારે આગમ દ્વારક સંગ્રહ ભા. ૧ તરીકે શ્રી જૈન પુસ્તક પ્રચારક સંસ્થા સુરત તરફથી વિ. સં ૨૦૦૫ માં પ્રકટ થયેલ. તેમાંથી પ્રશ્નો શબ્દાર્થ સાથે અહીં આપવા શરૂ કરેલ, તે આ વખતે પૂર્ણ થાય છે.
આમાં પ્રશ્ન ૬૫, ૬૬, ૬૭, ૬૮, ૭૦, ૭૧, ૭૨, ૭૩, પ્રશ્નો સામાન્ય વર્ણન રૂપ છે. પ્રશ્નોત્તર રૂપે નથી છતાં અહીં પ્રશ્નોના ચાલુ કમાંકમાં તેને સ્થાન મળ્યું છે. મૂળ સંસ્કૃત પ્રત જોતાં તેમાં પણ આ રીતે જ છે. કયા કારણે પ્રશ્નોત્તર રૂપ ન હોવા છતાં આ રીતે ક્રમાંક લખાયા હશે, તે વાત ગીતાર્થ ભગવતેના ચરણમાં બેસી વિવેકીએાએ એ સમજવા પ્રયત્ન કર.
હવે પછી તારિત્ર પ્રશ્નોત્તitળ સંસ્કૃત ગ્રંથમાંથી પ્રશ્નોને સરળ. ભાષામાં અનુવાદ આપવામાં આવશે.
પૂ. આગમેઢાકીએ આજીવન મનન કરેલ આગમિક સાહિત્યના અપાર સમુદ્રમાંથી જેવા ગૂઢાર્થ ભર્યા આ પ્રશ્નોત્તરે ખૂબ જ તટસ્થતા, આગમભક્તિ અને જ્ઞાનીની નિશ્રાએ નમ્રતાપૂર્વક રહેવાની વૃત્તિ આદિ ગુણસંપદા કેળવી સમજવા પ્રયત્ન કરે જરૂરી છે.
આગમપંથ કહ્યા વિના રઝલ્યા હું સંસાર !!
Page #288
--------------------------------------------------------------------------
________________
******* ***** ******** * પૂ. આગમ દ્વારકશ્રી પ્રસાદીક્ત તત્ત્વજ્ઞાન ભર્યા છે
ગહન-શાસ્ત્રીય-માર્મિક Uક પ્રશ્નો ત્તરો
(આગમસમ્રાટ આગમોના પ્રૌઢ વ્યાખ્યાતા પૂ૦ દયાનસ્થ સ્વ. આગમદ્વારકશ્રી ખરેખર આગમિક તાત્વિક બાબતના અખૂટ ખજાના સમા હતા. તેઓશ્રી પાસેથી ઘણું મહાનુભાવોએ સમયે સમયે રૂબરૂ ખુલાસા મેળવ્યા છે. જેમાંથી ઘણું “સાગર સમાધાન ભા. ૧-૨” આદિ રૂપે બહાર પડેલ છે, પણુ અપ્રકાશિત આવા બહાળા સંગ્રહમાંથી અહિં શાસન પ્રભાવક પૂ. મ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. પાસેથી ૯૧ થી ૧૧૮ પ્રશ્નોના ખુલાસારૂપ લખાણુ અપૂર્ણ અવસ્થામાં જેવું મળ્યું તેવું વ્યવસ્થિત કરી પ્રકટ કર્યું છે. સુજ્ઞ વાયકે ગુરૂગમથી આ રહસ્યને સમજવા પ્રયત્ન કરે. સં.)
પ્રશ્ન ઉર : અરિહંત ભગવાનના નામ વગેરે નિક્ષેપ ભાવ અરિહંતપણાને અનુલક્ષીને જ કરાય છે, તે હિરણ્ય-અધવધ, અશ્વવધ, અશ્વતાડન વગેરેને દ્રવ્યહવ અને એકેશ વગેરેને ભાવઅર્ધવ કેમ કહેવાય છે?
ઉત્તર : સ્તુત્ય અર્થમાં જ અહ ધાતુથી તૃશ પ્રત્યય આવે છે. તે જ અહંત શબદથી “તસ્તોત્ત” એ સૂત્રથી રૂચ પ્રત્યય અને અહંત શબ્દના તને થવાથી આહંન્યવાળા અરિહતેના તે પ્રમાણે (ભાવને જ ઉદ્દેશીને) નિક્ષેપ છે. પરંતુ સ્તુત્ય અર્થ ન હોય તે જ પ્રત્યય કરીને સ્ત્ર પ્રત્યય કરે છતે બત્ર શબ્દ થયા પછી તેના નિક્ષેપાસ્યાં હિરણ્યાદિ ઉદાહરણ અગ્ય નથી કિંતુ યોગ્ય જ છે.)
Page #289
--------------------------------------------------------------------------
________________
૩૪
આગમ જ્યોત
પ્રશ્ન ૯૩ : સંવરના ભેદમાં પરિષહજ ગણવામાં આવ્યા છે. સુધા વગેરેનું સહન નિજાને માટે કહેવાય છે, તે તે કેવી રીતે? એટલે કે પરિષહજયથી સંવર અને નિર્જરા કેવી રીતે.)
ઉત્તર : અફાસુ અનેષણીય આહારદિન નહિ ગ્રહણ કરવા રૂપ આશ્રવને રાધ થવાથી સંવર અને સુધાદિનું સહન કરવાથી નિરા એમ બુદ્ધિમાનેએ વિચારવું. જે જે તપને અંશ છે તે તે નિર્જરા રૂપ થાય જ, જેના માટે વાચકજીનું વચન છે–સંરક્ષરં તપોવર્ટ (પ્રશમરતિ ગા. ૭૩) તપના નિરા ર (તત્વાર્થ અ. ૯, સૂ૦ ૪)
પ્રશ્ન ૯૪ : ચાર પ્રકારની બુદ્ધિને અભિપ્રાય કેમ કહે છે? જે કારણથી અભિપ્રાય સિદ્ધમાં ઉદારણ સહિત ચાર પ્રકારની બુદ્ધિ કહેવાય છે?
ઉત્તર : તે (બુદ્ધિ) અશ્રુત નિશ્ચિત છે તેથી તે અભિપ્રાય માત્ર સવરૂપ છે.
વળી અભિપ્રાયના ચાર પ્રકાર હોવાથી જ બુદ્ધિના ચાર પ્રકાર છે, આથા અભિપ્રાય શબ્દથી બુદ્ધિ કહેવાય છે.
પ્રશ્ન ૯૫ : પારિણામિકી બુદ્ધિ વયના પરિપાકથી જન્ય કહેવાય છે, તેમાં ઉદાહરણ અપાતા વાહવામી વગેરે વયપરિપાકથી થવાવાળી બુદ્ધિવાળા નથી, તે તે પરિણામિકી બુદ્ધિમાં કેવી રીતે ઘટે?
ઉત્તરઃ પરિણામ શબ્દથી વય અને મનને પરિપાક લે, જેથી સુસંગત થશે.
પ્રશ્ન ૯૬ ઃ બદ્ધ, અથવા પૃષ્ઠ આઠ કર્મને નાશ કરવામાં વિકારું અને સવાર એમ બે વિશેષણ શા માટે?
ઉત્તર : અહીં રજા જર્મ એમ કહેવા વડે વર્તમાન કાલિક કમ ગ્રહણ કરાય (વર્તમાન કાલીન કમ તે બષ્યમાન આવવાનું) બષ્યમાન કમને કોઈ વખત ક્ષય થતું જ નથી. પરંતુ તે બધા ભાવવાળી અગી દશાને વનિત કરતું સોગી કેવલીદશામાં થવા
Page #290
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪ થું
૫
વાળી એક સામાયિક સ્થિતિ ધારણ કરીને ક્ષપબ્રેણિ આદિ કમને જ્ઞાપન કરે છે અને તેનાથી પહેલાં તે ભૂતકાલીન આઠ પ્રકારનું કર્મ આવશ્યક છે.
પ્રશ્ન હ૭ : લિષ્ટ-બહનિધત્ત-નિકાચિત એ બધા કર્મના ક્ષયે સિદ્ધત્વ થાય છે, તે પછી પિચ પદથી ક્લિષ્ટ કમ કેમ ગ્રહણ કર્યું?
ઉત્તર ઃ તે જ સિદ્ધિભાફ થાય છે કે જે બંધ વગેરે અવસ્થાને ઉલંઘીને સમય માત્ર સ્થિતિવાળી શ્લેષ દશાને (સ્કૃષ્ટદશાને ) પામીને તે દશાનું પણ અતિક્રમણ કરીને કેટલોક કાળ અગિપણાને અનુભવે છે.
આ માટે જ વર્તમાનકાલીન કર્મ ગ્રહણ કરે છે પણ થિ એ જગા ઉપર ભૂતકાલીન પ્રત્યય છે.
પ્રશ્ન ૯૮ઃ (અહીં લખાણ જડયું નથી, એટલે નંબર જ માત્ર લખે છે, મૂળ લખાણ અસ્તવ્યસ્ત થયું લાગે છે. સં.)
પ્રશ્ન ૯ : સિહનું જ સિદ્ધપણું થાય છે એ કેવી રીતે? સર્વથા પ્રકારે કર્મના ક્ષય રૂપ સિદ્ધત્વથી પહેલાં સિદ્ધનું સિદ્ધપણું નથી?
ઉત્તર યોગ્યતા રૂપ ભવ્યત્વ ભાવ વડે જેને સિદ્ધત્વની યોગ્યતા છે, તે જ સિદ્ધપદ પામે છે તે જણાવવા માટે તે પ્રમાણે કથન છે.
સિદ્ધાન્તમાં ભવ્ય સિદ્ધ થશે એ પ્રમાણે કહેવાય છે.
વળી જેમ શેર ઔદયિક ભાવેને તે વખતે ક્ષય થાય તેમ ભવ્યત્વ ભાવને પણ ક્ષય થાય છે. તેથી “માચત્તાગમાવો” એ સૂત્રથી ભવ્યત્વનું જુદુ ગ્રહણ છે. ભવ્યત્વ કાર્યરૂપે પરિણમેલ છે. પરંતુ કમની માફક બંધાભાવ નિર્જરાથી નષ્ટ થયેલું નથી. - આ હેતુથી સિહનું સિદ્ધપણું એ ઉક્તિ છે. કર્મ બીજને દાહ થવાથી સિતોને ફરી જન્માદિ નથી એ જ પ્રયજન છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
૩૬
આગમ જેતા
સિલો અનાદિક નથી, કારણ કે બદ્ધને દાહ થવાથી સિદ્ધો થાય છે. અનાદિપણું તે પ્રવાહથી કહેવાય છે, વ્યક્તિની અપેક્ષાએ નહિ. આ પ્રશ્ન ૧૦૦ : જૈન શાસનમાં ગુણે પૂજ્યતાનું કારણ છે (તે) સિદ્ધોના ગુણે અરિહતેથી અધિકતર છે, તે પછી (અરિહ. તેને જ) આદિમાં નમસ્કાર કેમ?
ઉત્તર : અરિહંતના ઉપદેશેલા માર્ગને આરાધનથી જ સિદ્ધ છે. મેક્ષ માર્ગના દેશકપણાથી અરિહંતનું પ્રામાણ્ય છે. તેમના જ પ્રામાથથી જ સ્વરૂપ સહિત સિદ્ધોનું પ્રામાણ્ય હેવાથી આદિમાં અરિહંતને નમસ્કાર કરે છે.
પ્રશ્ન ૧૦૧ એગ નિધે કરીને અગિપણું પામ્યા પછી સાતા કે અસાતામાંથી કઈ પણ વેદનયને સદભાવ હેવાથી તે વેદનીયના અનુભવ માટે પુદ્ગલેનું ગ્રહણ હેય કે નહિ? કારણ કે વેદનીય કર્મ પુદગલકૃત વિપાકવાળું છે, આથી જ વેદના અને અનુ. ભવમાં તફાવત છે.
ઉત્તર : સગીને અન્ત સમયે જ છેલ્લા પુગલ સ્કંધનું ગ્રહણ છે. આ હેતુથી અગીપણામાં પુગલનું ગ્રહણ નથી, પરંતુ અને ગીના અંત સમય સુધી પુગલને સંગ હેવાથી અસંગ નથી.
પ્રશ્ન ૧૦૨ : કેવલી ભગવાન જ્યારે લોક વ્યાપક થાય ત્યારે આઠ રૂચક પ્રદેશો લેક રૂચક સ્થાને હોય છે. પરંતુ પ્રથમ સમયે તે કયાં હોય છે? (આવશ્યક ચૂણિ પા. ૫૭૧ પં. ૪)
ઉત્તર : દંડ સમયે જ તે લેકરૂચક પ્રદેશમાં રિથતિ કરે છે, ત્યાં પણ તે જ રૂચકના આકારે જ જોડાએલા હેય છે.
પ્રશ્ન ૧૩: કેટલું બાકી રહેલ આયુષ્યવાળા કેવલી સમુદ્દઘાત કરે? કેટલ કેવલી પર્યાય હેય? અને તેમાં કારણ શું?
ઉત્તર : અન્તમુહૂર્ત આયુષ્ય બાકી હોય તેવા કેવલી સમુદઘાત કરે, કારણ એ કે શ્રેણીની રચના અંતમુહૂર્ત કાળની હેય
Page #292
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪ થું
૩૭
છે. અંતમુહૂર્તકાલની શ્રેણી રચનાથી વધારે કર્મો તે સમુદઘાતથી ખપાવવામાં આવે છે. અન્તમુહૂર્તથી અધિક કંઈ જૂન છ મહિનાના કેવલી પર્યાયવાળા કેવલી નિયમથી જ સમુઘાત કરે છે, તેથી અધિક કેવલી પર્યાયવાળાને સમુદ્દઘાતની ભજના-કારણ એ કે પહેલા ઉપાર્જન કરેલા વેદનીય વગેરે કર્મોને વેદનકાલ શેડો અનુમાન થાય છે. કેવલજ્ઞાન પામ્યા પહેલાં પણ બંધાતા બધા કર્મોમાં વેદનીયને માટે ભાગ છે. કેવલીપણામાં તે બંધાતા બધા કર્મ પુદગલો વેદનીયના ભાગે જ જાય છે. તેથી થેડા આયુષ્યવાળા કેવલી ભગવંતને સમુદ્દઘાતની આવશ્યકતા છે એમ જણાય છે.
જે “gvમાધિryદ” (ગુણસ્થાનક ક્રમારેહમાં) એ (વચન) છે ત્યાં મારમાયુ એ પ્રમાણે હોય તે સુંદર,
પ્રશ્ન ૧૦૪ : કેવલી પરમાત્મા કેટલા આત્મપ્રદેશ વડે દંડકપાટ વગેરે કરે છે? લકવ્યાપી બને ત્યાં સુધી કેટલે ભાગ શરી૨માં રહેલો જ હોય ?
ઉત્તર : દંડ સમયે આમ પ્રદેશના અસંખ્યય ભાગો નિકળે છે. એક અસંખ્યય ભાગ શરીરમાં રહે છે. કપાટ વગેરે સમયમાં પ્રત્યેક સમયે અસંખ્યય ભાગે નિકળે છે. એક અસંમેય ભાગ રહે છે. લેકવ્યાપી સમયે જેટલું આકાશ પ્રદેશનું પ્રમાણુ શરીરમાં હોય તેટલા આત્મ પ્રદેશ રહે છે. દંડ વગેરેને કરવાવાળા (આત્મપ્રદેશ) પણ તે તે અવગાહન કરેલા આકાશ પ્રદેશ પ્રમાણ જ છે.
આ પ્રમાણે દંડાદિપણે સ્થાપેલા આત્મપ્રદેશોની સમુહુઘાત સુધી તે તે અવસ્થા છે એ પ્રમાણે જણાય છે. સ્થિતિમાં પણ ત્રણ પત્યોપમના અસંખ્યાતા ભાગને સમયે સમયે અને અનુભાગના અનન્તા ભાગો (ખપાવે છે) પાછા ફરતાં સ્થિતિના સંખ્યાતા ભાગે અને અનુભાગનું કંડક (ખપાવે છે.)
પ્રશ્ન ૧૦૫ : કેવલી ભગવાનને સાતાને બંધ એક સમયને હોય છે. ઉદય તે અસાતાને પણ હોય છે તે) અનુભવ કેવા પ્રકારને?
Page #293
--------------------------------------------------------------------------
________________
આગમ જ્યોત
ઉત્તર : બંધાતી સાતાના પ્રદેશ અને અનુભાગ તેવા પ્રકારનાં હોય છે. જેમાં (બધ્યમાન સાતામાં) અસાતાને ઉદય દુધના ઘડામાં લીંબડાના રસના બિન્દુની જેમ પૃથફ પિતાને પ્રભાવ દેખાડવા માટે સમર્થ નથી.
પ્રશ્ન ૧૦૬: સિદ્ધ થતા છને છેવા ભવની અવગાહનાથી ત્રીજે ભાગે ન્યૂન અવગાહના છે, તે સદ્રવ્યવીર્યથી કે બીજાથી છે? અગિપણમાં સદ્રવ્ય વીર્યનો અભાવ છે.
ઉત્તર : અગિપણની પ્રાપ્તિ પહેલાં શ્વાસોચ્છવાસને રેકે છે, ત્યાર પછી ત્રીજે ભાગે ન્યૂન અવગાહ સગિપણમાં જ થાય છે અને અગિપણામાં પણ તે જ પ્રકારે છે, પણ સમુઘાતની જેમ પરાવર્તન નથી.
પ્રશ્ન ૧૦૭ : બાર પ્રકારને ઉપગ કહેવાય છે. તેમાં છા સ્થિક દશામાં ઉપયોગમાં) મેલવવાની ઈચ્છપણાએ કરીને ઉપયોગ કરણ હેવાથી ઉપગ હોય, પરંતુ કેવલજ્ઞાન, કેવલદર્શનવાળાને તેને મેળવવાની ઇરછુપણાથી ઉપયોગ કરણને) અભાવ હવે છતે ઉપયોગ કેવી રીતે?
ઉત્તર : તેને (ઉપરોક્ત ઉપયોગ કરણને અભાવ છતાં અર્થ જ્ઞાનના સામ્યથી મતિજ્ઞાનાદિની જેમ ઉપગ છે. જેમ એકાગ્રત્વને અને ચિતા નિધને અભાવ છતે કર્મક્ષયપણાનું સામ્ય હેવાથી
શું શુલ ધ્યાન છે તેવી જ રીતે અહ (ઉપગ) છે. એકાગ્રત્વ વગેરેનો અભાવ છતે પૂર્વ પ્રાગથી અહીં ધ્યાન એ પ્રમાણે છે.
પ્રશ્ન ૧૦૮ સામાયિક સૂત્રમાં બીજા ગમે છે? (સરખા બીજા પાઠ છે?)
ઉત્તર : છે જેમ નમો અરિહંતા એ જગા ઉપર હંતા કહેવાનું છે તેમ અહીં (સામાયિક સૂત્રમાં) “મિ ભંતે સામાइयं तिविहं सव्वं सावन जोगं तिविहं पञ्चक्खामि " तथा करेमि भंते
Page #294
--------------------------------------------------------------------------
________________
૩
પુસ્તક થું सामाइयं जावज्जीवाए सव्वं सावज्जं जोग पञ्चक्खामि जावज्जीवाए એ વગેરે છે.
અહીં સામાયિકના ત્રણ પ્રકાર સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપે છે. સાવધના ત્રણ પ્રકાર મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિના ભેદથી છે, દરેક જગો ઉપર મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિનું સાવદ્યપણે કથન છે, તે છેદેપસ્થાનીયમાં (ચારિત્રમાં) ઉચારણ કરતા વતે, હિંસાદિ અત્રત વિશેષના પ્રત્યાખ્યાન રૂપ છે.
છકાય જીવની પરીક્ષાથી શ્રદ્ધા આદિને નિશ્ચય થવાથી, ઉપવેગ સહિત ગવહન પૃથફ છ જવનિકાયના અધ્યયનથી સમ્યગ દર્શન અને જ્ઞાનનું ગતાર્થપણું હોવાથી છે.
પ્રશ્ન ૧૦૯ : સામાયિક સૂત્રમાં “રેમિ ભંતે” એ વગેરેથી ભવિષ્યનું પચ્ચકખાણ થયું “વિવિ૬” એ વગેરેથી વર્તમાન સાવઘને સંવર થયો “તરણ” એ વગેરેથી થઈ ગયેલ સાવધને પ્રતિ કાર થયા પછી “નિમિ” વગેરે પ્રાયશ્ચિત રૂપ હોવાથી ગ્ય છે. પરંતુ “અવqાળ વણિરાજ” એ કેવી રીતે યોગ્ય છે?
ઉત્તર : નિંદા ગહ આદિથી શેધી ન શકાય એવું સાવદ્ય જાણે તે તપ છેદ વગેરે પ્રાયશ્ચિત સ્વીકારવું જોઈએ, તે પ્રાયશ્ચિત નિજમાં મમતાવાળાને દુષ્કર છે, તેથી નિજમાં મમતા વર્જવા માટે “Gi વોલિમિ” એ પાઠ છે, નહિ તે સમ્યગદર્શન વગેરે રહિત અવસ્થાવાળા આત્માને અવસ્થા વિશેષનું વર્જન પહેલાં પણ છે જ.
પ્રશ્ન ૧૧૦ : ઈન્દ્રિયે પગલિક હેવાથી તેને (ઈન્દ્રિયોને) કર્મ પુદ્ગલ ગ્રહણ રૂપ આશ્રવ ઘટે છે, પરંતુ મિથ્યાત્વ વગેરે આત્મ પરિણતિ સ્વરૂપ હેવાથી તેને (મિધ્યાત્વ વગેરેને) કમ પુદગલને બંધ કેવી રીતે ઘટે?
ઉત્તર : મિથ્યાત્વ વગેરે પરિણતિથી તે જ વિકાર થાય છે અને તે વિકૃત તેજસથી લોઢાના પિંડની જેમ કમને બંધ છે (ઘટે છે)
Page #295
--------------------------------------------------------------------------
________________
४०
આગમ ચેત
તેથી કાશ્મણ સંઘાતનું કારણ તૈજસ છે. બીજાઓ તે શરીરની ઉષ્ણતાને અથવા તેજસ લબ્ધિને તેજસ કહે છે.
પ્રશ્ન ૧૧૧ ક્ષેત્ર શબ્દથી સૈદ્ધાન્તિક પરિભાષાએ બધાના નિવાસ હેવાથી આકાશ કહેવાય છે. તે ક્ષેત્રકરણ વગેરેમાં ઈસુક્ષેત્ર વગેરે કેમ ગ્રહણ કરાય છે?
ઉત્તર : નિક્ષેપા પ્રસ્તુતના અધિકારને માટે ઈતરના નિવારણ કરાય છે, તે પણ વ્યુત્પન્ન થવાને માટે છે. રૂઢિને અનુસરેલા અત્યત્પન્ન (લે) ઈશ્રુક્ષેત્ર આદિને ક્ષેત્રપણે જાણે છે તેથી ત્યાં નિક્ષેપની રોજના છે એ પ્રમાણે કાલમાં પણ બંધ આદિમાં રૂઢીથી ચેજના છે.
પ્રશ્ન ૧૧૨ જીવ અજીવનાં પ્રયોગ કરણે કેવી રીતે? કારણ કે જીવ અનાદિ અનંત છે. અ ને યોગને (મન વચનાદિન) અભાવ છે.
ઉત્તર : કરણ (કરવું) તે અજીવનું જ હોય છે પરંતુ જીવ સંબદ્ધ અજીવ પુદ્ગલનું પ્રગથી કરણ હેવાથી જીવ કરતા છે. બીજાની ( અજીવ સંબદ્ધ ન હોય તેની) અજીવ કરતા છે.
પશ્ન ૧૧૩ : નિશીથકરણ અધ્યયન હોવાથી તેમાં શબ્દકરણ છે જ, તે શબ્દકારણથી તે ભિન્ન છે?
ઉત્તર : નિશીથકરણમાં શબ્દકરણ શબ્દ પગટ અર્થવાળો છે. નિશીથ તે અંગાદાન વિગેરે સંકેતિત શોને નિર્દેશ કરવાવાળું છે. (તેથી) નિશીથ પરિણત આત્માએ વાંચવું એગ્ય છે. કેવળ પર્યાયવાળાઓએ નહિ.
પ્રશ્ન ૧૧૪ ઈહ લેકાદિ સાત ભયમાં શીતાદિ વેદના અને રાગ આતંક વગેરેને ભયને કયાં સમાવેશ કરે?
ઉત્તર : મનુષ્ય દેવ વગેરેએ કરેલ હોય તે ઈહલોક ભય, પરલેક ભયમાં અને તે સિવાય થએલો ભય હેય તે અકસ્માત
Page #296
--------------------------------------------------------------------------
________________
આગમ જ્યંત
૪૧
લયમાં સમાવેશ કરવા કારણ કે તેમાં (અકસ્માત્ ભયમાં) નિયત કર્તા કારણના અભાવ છે.
પ્રશ્ન ૧૧૫: કરેમિ ભતેમાં મંતે શબ્દના ભદન્ત, ભ્રાન્ત, ભવાન્ત, શયાન્ત એ અર્થો કરાય છે તે તેમાં કેાઈ પર્યાય ભેદ છે ?
ઉત્તર : છે, એમ જણાય છે કારણકે મન્ન્ત શબ્દથી પરમાત્મા દશાના સુખના અનુભવ ભવાન્ત શબ્દથી ફ્રી જન્મવું નહિ. ભયાન્ત શબ્દથી જીવવાની આશાથી મરણુ ભયરહિતપણુ, બ્રાંત શબ્દને સ ંખાધનપણે પ્રયાગ કરીએ તે પરાધીનને સ્વતંત્રતાનું સર્જન એ ભ્રાન્ત શબ્દને પ્રથમા વિભક્તિ અન્ત લઇએ તેા ખેાલનારના સ'વેગ વૈરાગ્ય છે. ( આ પ્રમાણે તે તે શબ્દોથી અથમાં ફરક છે.) ભવ વગેરેના અન્તની પ્રાપ્તિ ન હેાય છતાં તેના સ`પૂર્ણ હેતુ સિદ્ધ થયેલા હાવાથી સ ંખેાધનમાં પણ અસંગતિ નથી.
""
પ્રશ્ન ૧૧૬ : “ સબ્વે મસિદ્ધિયા શિાિસ્કૃતિ ” ( સર્વ ભવ્યે સિદ્ધ થશે) આ વાક્યમાં સર્વ શબ્દથી ક્યા સનું ગ્રહણ કરવું ? નિવશેષ સવ લઈએ તેા ભવ્યના ઉચ્છેદ થઇ જાય.
ઉત્તર ઃ તે પાઠમાં સર્વ શબ્દથી આદેશ સર્વ લેવું તે ( આદેશ સવ) પણ બહુ વિષયક ન લેવું પરંતુ ખધું ગામ જમ્યું તેની માફક પ્રધાન વિષયક આદેશ સર્વ લેવું.
વ્યવહાર રાશિ અને અવ્યવહાર રાશિમાં રહેલા અનન્ત અપરિ મિત અને અનન્તાકાલથી વ્યવહાર રાશિમાં આવેલા ભચૈામાં ચરમ શરીર ઉત્તમ છે તે સિદ્ધ પામેલા છે, પામે છે, પામશે અને તે જ સન્યામાં પ્રધાન છે.
પ્રશ્ન ૧૧૭ : સાવધ પ્રત્યાખ્યાન સહિત સામાયિક હાય છે તેમાં અવધ શું? અને કાને તેનુ પ્રત્યાખ્યાન હોય ?
૬
Page #297
--------------------------------------------------------------------------
________________
પુસ્તક શું ઉત્તર : અવધ શબ્દનો ગઈ અર્થ લઈએ તો મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિથી વિરમેલાઓને દશમા ગુણસ્થાન સુધી ગહનું પચ્ચખાણ હોય છે. અવદ્ય શબ્દને કષાય અર્થ લઈએ તે યથાખ્યાત ચાસ્ત્રિવાળાને કષાયનું પચ્ચકખાણ હોય છે. કર્મ અર્થ લઈએ તે અયોગીને ક્રિયાનું પચ્ચકખાણ હોય છે.
પ્રશ્ન ૧૧૮ : સામાયિક કરીને પછી સાવઘનું પચ્ચખાણ શા માટે? કારણ કે સામયિક જ નિરવઘ છે તે સામાયિકમાં આખુ પ્રવચન કેવી રીતે સમાયેલું છે?
ઉત્તર : સામાયિકથી સમ્યગદર્શન આદિ ત્રણની પ્રતિજ્ઞા હવે છતે પાંચ સમિતિ આવી ગયેલી છે. કારણ કે ચારિત્ર સમિતિરૂપ જ છે. સમિતિવાળે મુસિવાળે હોય જ તેથી તેના પછી સાવવાનું પચ્ચખાણ છે. ગુપ્તને સમિતિપણામાં ભજના હેવાથી પહેલાં સમિતિરૂપ સામાયિક જૈન શાસન નિગ્રંથ છે, તેથી પ્રવચનનું મૂલ માતૃક ગણાય છે. તે અષ્ટપ્રવચન માતાને સ્વીકાર કર્યા પછી જ ચૌદ પૂર્વેની ગણધર ભગવાને રચના કરેલી છે તેથી જ આ સામાયિક ચૌદ પૂર્વનું મૂલ છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
) મનનીય છે | ક ખ શ્રો રો જો
(પૂ આગમહારક ધ્યાનસ્થ રવ. આચાર્યદેવશ્રીએ તાત્વિકદષ્ટિ અને આગમોના ઉંડા ચિંતનના આધારે ઘણુ માર્મિક આગમ સંબંધી લેખીત ખુલાસા પ્રશ્નોત્તરે દ્વારા પ્રકટ કર્યા છે. અહીં આપવામાં આવતા પ્રશ્નોત્તર શાસન સુધાકર (વર્ષ ૮ મં. ૧૯) માંથી સાભાર ઉદ્દત કરીને જિજ્ઞાસુઓના લાભાથે અહીં પુનઃ પ્રકાશિત કરાવાય છે. સં. )
પ્રશ્ન ૧ : ચૈત્ર માસમાં શુદ ૧૦ થી શુદ ૧૫ સુધીમાં અચિત્ત ૨જ ઉઠ્ઠાવણને ત્રણ દિવસ ઉપરા ઉપર કાઉસગ કરાય છે, પરંતુ તે કાઉસગ કરે ભૂલી જવાય છે તે તેનું શું? અને તે કયાં સુધી?
ઉત્તર : આવશ્યક, હારિભદ્રીય, આવશ્યક ચૂર્ણિ (અવાધ્યાય નિયુક્તિના વિવરણમાં) અને પ્રવચન સારોદ્ધારમાં (અવાધ્યાય દ્વારમાં) રજ ઉડે ત્યારે તે કાઉસગ ભૂલા હેય તે એક વર્ષ સુધી સ્વાધ્યાય ન થાય એમ જણાવેલ છે. સેનપ્રશ્નના ત્રીજા ઉલ્લાસમાં એક વર્ષ સુધી કાળ ગ્રહણ લેવું, દાંડીથર થવું અને નવા જોગ કરવા તે ન કપે એમ જણાવેલ છે.
પ્રશ્ન ૨ : લેચ વખતે સચિત્ત અચિત્તરજ ઉઠ્ઠાવણીને ચાર લેગસ્સને “સાગરવર ગંભીર’ સુધી કાઉસગ્ગ કરાય છે તેને હતુ શું?
ઉત્તર : વાળમાં રહેલ પૃથ્વીકાયની સચિત્ત અને અચિત્તરંજની જયણાને માટે તે કાઉસગ હોવાનો સંભવ છે.
પ્રશ્ન ૩ઃ પયુંષણમાં સાધુના અભાવે સાધ્વીજી મ. કલ્પસૂત્ર વાંચે? તેનું ભાષાંતર વાંચે? કે શું વાંચે? તેમ જ જે વાંચે તે આવક-શ્રાવિકા બંનેની સામે વાંચે કે એકલા શ્રાવકગણની સામે વાંચે
Page #299
--------------------------------------------------------------------------
________________
૪૪
આગમ ચેત
ઉત્તર : આવશ્યક ચૂર્ણ અને ધર્મરનવૃત્તિમાં સાધ્વીઓને નિશીથ આદિ છેદસૂત્રની વાચનાને નિષેધ છે એટલે સાધવીએથી કલ્પસૂત્ર વંચાય નહિ. ખરતર ગચ્છના સમાચાર શતક વિગેરે ગ્રંથમાં પણ સાધ્વીઓને કલ્પસૂત્ર વાંચવાને નિષેધ છે અને જણાવે છે કે-સાધુના અભાવે સાદવીઓ પટ્ટાવલી અને કાલિકાચાર્યની કથા પર્યુષણમાં વાંચે, પરંતુ તેમાં સામે તે શ્રાવિકાની પર્ષદા હેવી જોઈએ.
પ્રશ્ન : દયપૂર્વી અને ચૌદપૂર્વી થયા હોવાની વાત શાસામાં જેમ સ્થળે સ્થળે આવે છે તેમ કઈ અગીઆર પૂર્વી, બારપૂર્વ તેર પૂર્વી થયાની વાત કોઈ સ્થળે છે?
ઉત્તર : અગીઆ, બાર અને “તેર” પૂવ કેઈ ન થાય તે નિયમ નથી, પરંતુ અવસર્પિણીમાં શ્રી સ્થૂલભદ્રસૂરિજીથી ચૌદ પૂર્વમાંના “દસ” પછીના “ચાર” પૂર્વો સાથે બંધ થયા છે. કારણ ક-શ્રી ભદ્રબાહુસ્વામીજીએ શ્રી સ્થૂલભદ્રજીને શ્રી સાધુ સંઘના આગ્રહથી “બીજા કોઈને એ ચાર પૂર્વો ન આપવા.” એ શરતે છેલ્લાં ચાર પૂર્વે આપ્યાં હતાં અને તેથી શ્રી થુલભદ્રજી પછી કઈ કૃત કેવલી થયા પણ નથી.
પ્રશ્ન ૫ : વર્તમાન કાળે વિદ્યમાન અગીઆર અંગે પૂરાં છે?
ઉત્તર : શ્રી ઔદિવસૂરિજીએ અનુગની વ્યવસ્થા કરી અને શ્રી દેવદ્ધિગણુ ક્ષમાશમણુજીએ શાસે પુસ્તકારૂઢ કર્યા, એ વાત વિચારીએ તે માલુમ પડશે કે, એ મહાપુરુષોએ અંગેને જરૂર સંક્ષેપમાં સંક્ષેપ કરેલો હવે જોઈએ માટે અઢાર હજાર પદ આદિ પરિમાણને નિયમ રહ્યો નથી. " નેટ–શાસ્ત્રમાં આવતાં મહાવીર મહારાજ આદિનાં ચરિત્ર ઘણાં જ સંક્ષેપમાં છે. સાંગોપાંગ નથી તે વિગેરે આપણે જે શકીએ છીએ.
પ્રશ્ન : સ્થવિર કપી મુનિ, કપડાં, કાંબલ આદિ ધર્મોપકરણે વધારે કેટલી કિંમતના રાખી શકે?
Page #300
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪ થું
ઉત્તર : તે વખતના ચલણની અને કિંમતની અપેક્ષાએ અઢાર રૂપીઆમાં મળતી ચીજ લેવાને વ્યવહાર હતું. પરંતુ આજથી
ડાં જ વર્ષો પહેલાં લેકેને ત્રણ પૈસામાં નિર્વાહ ગણાતું હતું તે વાત ધ્યાનમાં રાખીને કોઈ માણસ, માણસને તે પ્રમાણે જ ખરચે બાંધે તે? એ પ્રમાણે જ માણસે ખરચે કરે જોઈએ. એમ કહે તે? એમ જ વર્તમાન કાળની કિંમતની અપેક્ષાએ મુનિના ઉપકરણ માટે સમજવું રહે.
પ્રશ્ન : શાશ્વત નદી-કુવા વગેરે કયા અંગુલ પ્રમાણે જાણવા - ઉત્તર : જનની અપેક્ષાએ વિષ્ણુભને માપે લેવા એટલે કે-હસે અઢી આંગળ વિખ્યુંભ (પહેલું) અને ચારસે અંગુલ આયામ (લાંબુ) હેય. તેને એક પ્રમાણમુલ કહેવાય છે. તેમાંથી વિષ્ણુભના જે અઢી (પ્રમાણ) આંગળ છે, તે માપથી શાશ્વત નદી-કુવા વિગેરેનું માપ સમજવું, એટલે આપણે અઢી જન પ્રમાણને તે એક જન ગણુ. પ્રશ્ન : જાતિ ભવ્યજી નિગોદમાંથી કદિ નીકળે કે નહિ? ઉત્તર : ન જ નીકળે. પ્રશ્ન ૯ઃ ગણપતિ શંકરના પુત્ર છે કે કેમ?
ઉત્તર : વિશાલા નગરીમાંથી ચેટકવંશીઓને ઉઠાવીને નંદીએ માહષ્મતી વસાવી. એ નંદી સત્યકી વિદ્યાધરને પુત્ર છે. તેને લોકે ગણપતિ કહેતા હોય તે જુદી વાત છે.
પ્રશ્ન ૧૦: નવપદની ઓળીના દિવસને નવરાત્રિ કહેવાય કે નહિ?
ઉત્તર : આપણે ત્યાં રાત્રિ કે દિવસને અંગે એાળીને મહિમા છે જ નહિ. માટે રાત્રિના મહિમાને અંગે જે નવરાત્રી કહેવાય છે તે શબ્દ એળીને લાગુ પડાય જ નહિ. વળી નવપદજીના તથા નવરાત્રિના દિવસે, તિથિએ અને આરંભ સમાપ્તિ વિગેરે જુદાં જ છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
૪૬
આગમ જ્યોત
પ્રશ્ન ૧૧ : તદ્દન સુકાં ન હોય તેવાં નરમ જણાતાં મિષ્ટાન્નેમાં
તરી વળ” પાઠ મુજબ નીલ કુલ સંભવ ખરો કે નહિ? અને જે તે સંભવ છે તે તેવાં મિષ્ટાને સાધુને વહેરવાં કપેજ
ઉત્તર : અશસ્ત્રો પહત પદાર્થોને માટે ખર્ચ = એ નિયમ. ખરે. વળી એ પાઠથી જ્યાં જલ છે ત્યાં વિરાધના થાય તેવી વનસ્પતિ છે જ એ નિયમ હેત તે-નદી ઉતરનાર મુનિને એકલા પાણીની જ વિરાધનાનું પ્રાયશ્ચિત ન જણાવ્યું હેત, જલની સાથે. જલમાં રહેલ વનસ્પતિની વિરાધનાનું પ્રાયશ્ચિત પણ જુદું જ જણાવ્યું હેત! કારણ એક જ કે-વ્યવહાર વનસ્પતિની વિરાધનાને આશ્રીને પ્રાયશ્ચિત્ત છે. અવ્યવહારમાં રહેલ વનસ્પતિનું પ્રાયશ્ચિત્ત ગણત્રીમાં લીધું નથી. જેઓ “નW =તલ્થ વળે' એમ કહીને જલની સાથે વનસ્પતિ અવશ્ય માને છે. તેઓએ ઉત્તરાધ્યયન ચૂર્ણિકાર કે જેઓ કુંભારને ઘેર જલની વિરાધનામાં વનસ્પતિની વિરાધના માટે પાણીમાં રહેલ વનસ્પતિની નહિ પરંતુ વ્યવહારમાં રહેલ વનસ્પતિ) બીજની વિરાધના જુદી ગણાવે છે.” તે ધ્યાનમાં લેવું જોઈએ. વનસ્પતિ કાયની ઉત્પત્તિનું સ્થાન જલ વિના બીજું ન હોય એ માનવામાં તે. કોઈ ને વાંધો હોય જ નહિ.
પ્રશ્ન ૧૨ : “જલધરા જેમ શિવસુત વાહન દાય જે” એ વાકયમાં શિવના પુત્રનું વાહન મેર જણાવ્યું છે. જ્યારે શિવના પુત્ર ગણપતિનું વાહન તે પિઠીએ છે તે “શિવ સુત વાહન”ને અર્થ શું સમજે? વળી તે વાકયમાં જે “દાય” શબ્દ છે. તેને અર્થ શું લે?
ઉત્તર ઃ શિવના બીજા પુત્ર કાર્તિકસ્વામી છે. તેનું વાહન મોર છે. “દાય” શબ્દને અર્થઘટતું, માફક, સરખું, ભાગ વિગેરે થાય છે. અહિ દાયને અર્થ માફક લે ઠીક છે.
પ્રશ્ન ૧૩: વર્તમાનમાં જણાતી ગંગા અને સિંધુ શાસ્ત્રોમાં જણાવી છે તે છે કે બીજી
Page #302
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪ થું - ઉત્તર : શ્રી અજીતનાથ ચરિત્ર કે જે કલિકાલ સર્વજ્ઞ ભગવાન
શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે રચેલું છે. તેના લેખ પ્રમાણે વર્તમાનકાલની ગણાતી ગંગા તે લવાયેલી ગંગા છે. અને અરબી સમુદ્ર એ સિંધુને ભાગ છે. એમ આદીશ્વર ચરિત્ર ઉપરથી જણાય છે.
પ્રશ્ન ૧૪: આજે જણાતા આદેશો સાડી પચીશ જ છે કે ઓછા ?
ઉત્તર : સાકેત, કે જેની રાજધાની અધ્યા છે. ત્યાંથી માંડીને ગોદાવરી અને મગધ સુધીને વચલે ભાગ સાડી પચ્ચીસ દેશ તરીકે છે.
પ્રશ્ન ૧૫: આજે જણાતા આદેશ શાસ્ત્રમાં જણાવેલ માપના જ છે કે ઓછા વધુ? - ઉત્તર : શાસ્ત્રમાં જણાવેલ આદેશે ક્ષેત્રની અપેક્ષાએ જ કહેલા છે. તેથી તે માપ સહિત જ છે. પછી કાળાન્તરની અપેક્ષાએ દેશનાં નામે અને હકે ફેરફારવાળા થાય તે સ્વાભાવિક છે. આ પ્રશ્ન ૧૬ઃ ત્રણ પ્રકારે આગમ કહેવાય છે. તેના નામ શું? તેની ઓળખ કેવી રીતે? અને તેનાથી થતા લાભમાં તારતમ્યતા શી?
ઉત્તર : તે આગમના આત્માગમ, અનંતરાગમ અને પરંપરાગમ એ ત્રણ નામ છે. (૧) તીર્થકર ભગવતે અર્થથી દેશના આપવાની પ્રથમ શરુઆત કરે છે. તેથી તીર્થકર ભગવંતેને આમીને તે અર્થથી આત્માગમ કહેવાય અને ગણધર ભગવંતે, તે અર્થ સાંભ-ળીને તે ઉપરથી સૂત્ર રચવાની પ્રથમ શરૂઆત કરે છે તેથી તે ગણધર ભગવંતેને આશ્રીને સૂત્રથી આમાગમ કહેવાય. (૨) અર્થથી જ્ઞાન આપવાની શરૂઆત કરનાર શ્રી તીર્થકર ભગવંતે પાસેથી ગણધર ભગવતે જે અર્થ મેળવે છે તે અર્થરૂપ શ્રત, ગણધર -ભગવંતેને આશ્રીને અર્થથી અનંતરાગમ કહેવાય અને શ્રી ગણધર -ભગવંત પાસેથી તેમના શ્રી જબુસ્વામી પર્યન્તના બધા જ શિષ્ય જે શ્રત મેળવે તે દરેક શિષ્યોને આશ્રીને સૂત્રથી અનંતરાગમ
Page #303
--------------------------------------------------------------------------
________________
૪૮
આગમ
કહેવાય (૩) “જ્ઞાનની શરૂઆત કરનાર અને જ્ઞાનની શરૂઆત કરનારની પાસેથી જ્ઞાન મેળવનાર” એ બે સિવાયના શ્રી પ્રભવસ્વામીથી. લઈને આજ સુધીના સર્વ આચાર્ય આદિને ગુવદિકની પારપરંપરાના. અનુક્રમે જે જ્ઞાન તે ગુર્નાદિક પાસેથી) મળેલું હેય પાટપરંપરાના અનુક્રમે આવેલું હોય તે જ્ઞાન, શ્રી પ્રભવસવામીથી લઈને આજ સુધી સર્વેને પરંપરાગમ કહેવાય (અનુ. ૪૦ ટl . ૨૨૬) આ પ્રકારે ત્રણ આગમની ઓળખ છે. આ લાભમાં- આત્માગમ, અર્થથી શ્રી તીર્થકરોની અને સૂત્રથી.
શ્રી ગણધર દેવેની હયાતી સુધી જ હોય અનંતરાગમ, અર્થથી. ગણધરદેવેની અને સૂત્રથી જ બૂસ્વામિની હયાતી સુધી જ હેય જ્યારે પરંપરાગમ એક જ એવું અપૂર્વ આગમ છે કે-જે શાસનના છેડા સુધી હયાત હોય છે અને જેને લાભ આ શાસન સર્વ જીવો પામી. શકે છે. ત્રણે આગમના લાભમાં આ તારતમ્યતા છે. આજે આખું શાસન પરંપરાગમ ઉપર જ નિર્ભર છે.
પ્રશ્ન ૧૭ : પરંપરામાં ચાલી આવેલી આચરણા વર્તમાનમાં. વિદ્યમાન હોય, પરંતુ તે માટે શાસ્ત્રમાં દસ્કત ન હોય તેથી તે પરંપરાગત વસ્તુને કંઈ લેકમાં અવાસ્તવિક ગણાવે, તેમ જ શાસ્ત્રમાં કહેલ, વચને કરતાં પરંપરા વિપરીત જોઈને તે પરંપરાગત વસ્તુને. કોઈ અવાસ્તવિક ગણાવે છે તેમાં તે વક્તા દેષિત ખરે? -
ઉત્તર : શાસ્ત્ર કરતાં પણ શિષ્ટ પુરુષોએ આચરેલી અને કઈ સુજ્ઞ મહાપુરુષેએ નહિ નિષેધેલી એવી અવિચ્છિન્ન પરંપરા બળવાન છે. આવી શુદ્ધ પરંપરાને શાસ્ત્રના દસ્કોને બહાને જે કંઈ અવાસ્તવિક ગણાવવા મથે તેમણે પ્રથમ તે ચાલુ પરંપરાને બેટી જણાવનારા દસ્કતે શાસ્ત્રમાંથી બતાવવાની ફરજ છે. તે ફરજ બજાવ્યા સહાહુ તે દ્ધ પરંપરા પતિ દુ િપ કિ જવાય તે વક્તાનું વછંદપણું છે. પરંપરાની માફક શાસ સદા હા હેતાં નથી. તેથી પરંપરાગત વસ્તુ સૂચક દરક વર્તમાન.
Page #304
--------------------------------------------------------------------------
________________
પુસ્તક કયું
૪૯
શાસ્ત્રમાં ન પણ હોય, એ વસ્તુ જાણવા છતાં જે વ્યકિત અવિચ્છિન્ન પરંપરા પ્રતિ જનતાને બુઝાહિત કરે તે વક્તા, મિથ્યાત્વ નામના ભયંકર દુષથી ગ્રસિત છે એમ ગણાય.
વળી “સૂત્રે ભણ્ય પણ અન્યથા, જુદુ જ બહુગુણ જાણ; સંવિજ્ઞ, વિબુધે આચર્યું, કાંઈ દીજે કાલાદિ પ્રમાણે ઈત્યાદિ વચનેથી શાસકાર શાસ્ત્રનાં વચનેથી પરંપરા વિપરીત હોય તે પણ પર પરાને જ પ્રમાણિક માનવાનું કહે છે, એ જોતાં શાસ્ત્રનાં વચનને આગળ કરીને પણ જે કઈ વક્તા શુદ્ધ પરંપરાને હેલે-અવગણે તે તેમાં પણ વક્તા તેવા દોષથી દુષિત છે. સર્વ કથનને સાર એ છે કે શુદ્ધ પરંપરાને વફાદાર રહીને જ વસ્તુ ઉચરે કે-સમજવા તલસે તેજ માત્મા સમ્યગૃષ્ટિ ગણાય અન્યથા વતે તે તે નિઃશંક મિથ્યાદષ્ટિ છે.
પ્રશ્ન ૧૮ : ચૈત્ર અને આસોની ની શાશ્વતી છે. તે અંગે પંચાંગી આગમ કે ભગવાન હેમચંદ્રાચાર્યજી જેવા ટીકાકારોના
ધમાં કઈ ઉલેખ છે? ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત્રમાં વાંચવામાં આવેલ નથી. - ઉત્તર ઃ શ્રી દેવેન્દ્રસૂરિજી તેરમાં સૈકામાં થયા છે. તેઓ સ્વરચિત શ્રી સંઘાચાર ભાષ્ય મુદ્રિત પાના ૧૭૪ ઉપર ચૈત્ર અને આસેની એાળીને શાશ્વતી જણાવવા “from ૩ મહિમા ફુofસ રશ્મા =” એમ કહીને તે વચન ઉપર વસુદેવ હિંદી નમના અતિપુરાણ પ્રામાણિક અને પ્રસિદ્ધ ગ્રંથના “ત્તિ મહિમા ૩ મા તે હૃત્તેિ શાસ્ત્ર
મંતિ” વચનની સાક્ષી આપે છે અને તદુપરાંત તે જ સ્થળે તે સાય વત્તા તત્યેજ દેારૂ નિત્તમામિ.” એ બે ગાથાઓ ઉત્તરા. યયન સૂત્રની વૃત્તિની છે. એમ જણાવ્યા પૂર્વક તે બે ગાથાઓની પણ સાક્ષી આપે છે. શ્રી સેમિપ્રભસૂરિજી (શ્રી હેમચંદ્રાચાર્યજી મના સમકાલીન) સં. ૧૨૧માં રચેલાં કુમારપાળ પ્રતિબોધ (ગાય. કવાડ સીરીઝ) પાના ૧૭૪ ઉપર “રૂચ સંઘરુ બારિવં શિવાજીમાં हेमसूरि पहु पासे । राया कुमारपालो तहेव कारवइ रहजत्तं xxx सासय
ટ્રાફિયા મણિમં ૪૪ દૃમ રિક્ષ વિત્ત પુfoળમા” વિગેરે વાક્ય વડે ચેત્રની ઓળીને આ. શ્રી હેમચંદ્રસૂરીના વચન દ્વારા સાફ
Page #305
--------------------------------------------------------------------------
________________
૫૦
આગમ ચેત
શાશ્વત જણાવે છે. શ્રી જિનમંડનસૂરિજી સં. ૧૪૯૧માં સવરચિત કુમારપાલ પ્રબંધ મુદ્રિતના પા. ૧૦૬ની પેલી પુઠી ઉપર ચૈત્રી અષ્ટાદિકા રથયાત્રાને “ સાચવત્તા, કત્તાકથન સૂત્રકૃત્તી’ એ વાક્ય વડે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની સાક્ષી આપીને શાશ્વતી કહે છે. એટલું જ નહિ પરંતુ એળીની તે શાશ્વતતાને વધુ દઢ બતાવવા “ઉપર જણાવેલ કુમારપાળ પ્રતિબોધ ગ્રંથના પાના ૧૭૪ ઉપરની gય સંપર્ xxx સાચ બહિરાહિમ ગાથાઓની પણ ત્યાં નેધેલ છે. શતપદી, ઉપદેશમાળા વિગેરે તે બે અઠ્ઠાઈઓને ડાંડી પીટીને શાશ્વતી કહે છે કે ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યજી મ. પણ “ત્રિકફાસ્ત્રાપુરૂષત્રિ ” માં શાંતિનાથચરિત્ર પર્વ પ, સર્ગ ૧, પૃ ૧૧૬ ઉપર “તત્ર જિન્ને રાષિને રાષ્ટહિ મહિનોત્સવ મહિમાનં તૃતીયં તુ સીમા તાવશાશ્વતમ્' કહીને ચૈત્ર અને આસોની ઓળીને શાશ્વત કહે છે. પંદરમાં સૈકામાં રચાયેલ “ધર્મ સંગ્રહ પાનું ૨૩૯ ઉપર પણ “ગધ્રાહિમામ પૈત્રાધિનાઝાહિદે શાશ્વત્ય” કહીને તે બંને એાળીને શ્રી માનવિજયજી મહારાજ શાશ્વતી કહે છે. રશેખરસૂરીશ્વરજી મ. સં. ૧૫૦૬માં રચેલ શ્રાદ્ધવિધિ મુદ્રિત પાના ૧૫ર ઉપર “ગધ્રાપ્તિ રત્રશ્વિનાષ્ટહિ રાવ” કહીને તે બંને એળીને શાશ્વતી કહે છે.
પ્રશ્ન ૧૯ : વીશ તીર્થંકરાએ શાશ્વતી નવપદજીની ઓળી, તેને મહિમા કરવાનું અને તે પ્રસંગે આયંબિલ કરવાનું વિ. જણાવ્યું હવાના પાઠે મળશે?
ઉત્તરઃ “અરિહંત-સિદ્ધ-આચાર્ય–ઉપાધ્યાય-સાધુ-દર્શન, ચરિત્ર અને તપ? આ નવપદની ઓળી-પંક્તિ-શ્રેણી શાશ્વતી છે. એ વાત તે ચૌદ પૂર્વના સારરૂપ ગણાતે મહામંત્ર નવકાર જ કહી આપે છે. કર્મકલંકથી રહિત આત્મા પિતે જ નવપદમહા અને આત્માની માફક શાશ્વત હેઈને તેનું ધ્યાન પ્રધાનપણે કરવા લાયક છે. એમ તીર્થકરેએ કહયું છે. એમ શાસ્ત્રકાર “તવિહુ નવાચક્ષાબં, સુજલ્લાળે વિનિત ના કુળો” ઈત્યાદિ વચને વડે સ્પષ્ટ જણાવે છે કે શ્રી નવપદજીની આ એાળીને એક સાથે આરાધીને આરાધક આત્માએ એકદમ નવપદમય બની જવું એ અતિદુષ્કર છે. જે
Page #306
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪ થું
તે શાશ્વત નવેય પદે આરાધકને તદ્રુપે પૃથક પૃથક લક્ષમાં આવે અને તે પણ ચિત્ર અને આની શાશ્વતી અઠ્ઠાઈના સર્વોતમ દિવસમાં એ રીતે છ છ માસે પૃથક–પૃથક લક્ષમાં આવે તો તે નવપદનું તન્મયપણે દયાન કરતે આરાધક ઇયળ ભમરી'ના ન્યાયે સત્વર નવપદમય બની જાય છે. આવા અનેક શુભ હેતુસૂચક છે નવેયપદની અષ્ટકમલદલરૂપ શ્રી સિદ્ધચક્રની રચના મુકરર છે અને “ભગવાન્ શ્રી સિદ્ધસેન દિવાકરજી “પૂતય નિર્મર વા મિ
થર્ અક્ષય સંમવિ પરું નr wવાયા:” કહે છે. તેમ પવિત્ર અને નિર્મલ કાન્તિવાળા પરમાત્મા બીજ સ્વરૂપ તે અરિહંત ભગવંતનું તે કમળની કર્ણિકામાં સ્થાન પણ નિયત છે. આ પ્રકારની શ્રી સિહ-ચકયંત્રની રચના “તે નવપદજીમાં પાંચ ગુણ છે- ચાર ગુણ છે. પાંચ પૂજ્ય અને આરાધ્ય છે. છેલ્લાં ચાર પદે કેવળ આરાધ્ય છે. પ્રથમના બે દેવપદ છે. પછીના ત્રણ ગુરુપદ છે અને અંતિમ ચાર ધર્મપદ છે. એ વિગેરે વિવિધ પ્રકારે આરાધકને જ્ઞાન અને ધ્યાનદાયક નીવડીને સત્વર કલ્યાણપ્રદ બને છે. આથી જ તે નવપદને મહિમા શ્રી તીર્થકરોએ, એ અને બીજી પણ અનેક રીતે અનેક રીતે અનેક સ્થળે વર્ણવેલ હોવાના શાસ્ત્રો ભર્યા છે તેમાંથી પાઠો કેટલા આપવા? તે શાશ્વતપદોની તેવી ઉત્તમ આરાધના બને માટે -તે બે અઠ્ઠાઈનો મહિમા કરવાનું ઉત્તરાધ્યયન સૂત્રવૃત્તિકાર પણ “રાતચાત્તાશો.” કહીને કહે છે તે જીનેશ્વર મહારાજાએ જ કહે છે. આ વસ્તુ વિજયલક્ષમીસૂરિજી કૃત અષ્ટાલિંકાના વ્યાખ્યાનમાં પણ પ્રસિદ્ધ છે.
શ્રી નવપદ આરાધના માટેના એ ઉત્તમ દિવસે માં શ્રી નવપદજીનું આરાધન તન્મયપણે બને માટે ઈન્દ્રિયોને વિકાર કરનારા માદક પદાર્થો પર પ્રતિબંધ અને નિરસ આહાર સ્વરૂપ આયંબિલ તપની યોજના શ્રી મુનિચંદ્રસૂરિજીએ આગમમાંથી જ ઉદ્ધરીને શ્રી શ્રીપાલ મહારાજા તેમ જ શ્રીમતી મયણાસુંદરીને બતાવી દેવાનું પ્રસિદ્ધ છે. તે શાસ્ત્રો વર્તમાનમાં વિદ્યમાન ન પણ હોય એ નહિ બનવા -ગ નથી.
Page #307
--------------------------------------------------------------------------
________________
આગમ ના થાયી પ્રકાશન માટે તત્ત્વરૂચિ છે. જ્ઞાનપિપાસુ આગમભક્ત મહાનુભાવો તરફથી શ્રદ્ધા-ભક્તિરૂપે ચાલુ કરાવેલ સ્થાયી કેશની : યોજનામાં ભાગ લેનારા પુણ્યાત્માઓની
ના મા વ લી
સ્થાયિ ફડની નામાવલી (ગયા વર્ષના ચેથા પુસ્તકમાં યાદી આવેલી ત્યાર
પછીના નામની નોંધ અહીં આપી છે. સં.) ૩૫ર) શાસન પ્રભાવક પૂજય આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસાગર– - સૂરિજી મહારાજ સાહેબના સદુપદેશથી ૩૦૯) ઉનાવા ( ઉંઝા) ઉપધાન તપના આરાધકો તરફથી પૂબ
સાવીશ્રી સદ્દગુણાશ્રીજી મના ઉપદેશથી અને સુગુણ
શ્રીજીની પ્રેરણાથી. ૨૫૧) તપાગચ્છ જૈન સંઘ પેઢી–રાજકોટ ૨૫૧) સાગરગચ્છ જૈન ઉપાશ્રય જ્ઞાન ખાતામાંથી પૂજ્ય મુનિરાજશ્રી
પુણ્યવિજયજી મહારાજના ઉપદેશથી-પાટણ. ૨૫) પ્રતાપગઢ ઉપધાન તપ આરાધક તરફથી–પ્રતાપગઢ.
૫૦ ઉપાધ્યાય મહારાજ શ્રી ધર્મસાગરજી મહારાજશ્રીની
નિશ્રામાં પૂ. અશેકસાગરજી મહારાજની પ્રેરણાથી. ૧૫૦) વ્રજલાલ હરિભાઈ જૈન ઉપાશ્રય દલાલવાડા-કપડવંજ
હ. કમલાબહેન પૂ. સા. શ્રી વિચક્ષણાશ્રીજી મ. ના ઉપદેશથી ત્યા ૫. સા. શ્રી વિપુલયશાશ્રીજીની પ્રેરણાથી
Page #308
--------------------------------------------------------------------------
________________
૫૭
પુસ્તક ૪ થું ૧૩૩) માંડવગઢ તીર્થ ઉપધાન તપ આરાધકો તરફ઼થી
પૂ ઉપાધ્યાય મહારાજ શ્રી ધર્મસાગરજી મહારાજશ્રીની
નિશ્રામાં પૂર મુનિ શ્રી નિરૂપમસાગરજીની પ્રેરણાથી. ૧૦૧) બિપિનચંદ્ર જેઠાલાલ શાહ ૧૧૪ B ચંદ્રલોક, મુંબઈ-૬ ૧૦૧) છલિયાપા જૈન શ્રાવિકા સંઘ લીંબડી પૂ૦ કનકપ્રભાશ્રીજી
જામનગર વાળા ના ઉપદેશથી અને સુતારા શ્રીજીની પ્રેરણાથી. ૧૦૧) મહેતા કસ્તુરચંદ નિહાલચંદ મોરબીવાળા હ. જયા બહેન
હાલ બેરમો વાળા તરફથી, પૂ. કનકપ્રભાશ્રીજી જામનગરવાળાના ઉપદેશથી ત્થા તેમના સુવિનીત શિખ્યા સુતારા
શ્રીજીની પ્રેરણાથી. ૧૦૧) ધોરાજી જૈન શ્રાવિકા સંઘના જ્ઞાનખાતામાંથી–-ધારા
૫ સાધ્વીજી શ્રી તિલકશ્રીજીના ઉપદેશથી થા તેમના વિનીત
શિષ્યા તીર્થયશાશ્રીજીની પ્રેરણાથી. ૧૦૧) શ્રી પાર્શ્વનાથ જૈન પેઢી–નવસારી ૧૦૧) શ્રી તુલસીદાસ હુકમચંદ–હરખપુર
શાસન પ્રભાવિકા પૂ. સા. શ્રી ગુણદયાશ્રીજીના ઉપદેશથી ત્યા તેમના શિષ્યા તપસ્વિની શ્રી ક૯૫લતાશ્રીજીની પ્રેરણાથી
૧૦૧) મનસુખલાલ કંચનલાલ–ગૌતમપૂરા
પૂ. સા. શ્રી ઇન્દુશ્રીજીની–પ્રેરણાથી
૧૦૧) શ્રી માંછલાલ છેટાલાલ–દેપાલપુરા
પૂ૦ સા. શ્રી ઈદુશ્રીજીની પ્રેરણાથી ૧૦૧) શા. શાન્તિલાલ ડાહ્યાલાલ–અમદાવાદ તરફથી. ૧૦૧) એક સદગૃહસ્થ તરફથી–અમદાવાદ
૫. સાધ્વી શ્રી સરસ્વતી શ્રીજી મ. ના ઉપદેશથી.
Page #309
--------------------------------------------------------------------------
________________
૫૪
આગમ જયોત
૧૦૧) મહાકરબેન નાથજીભાઈ મુ. લુણાવાડા. પૂ૦ ગણું યશોભદ્ર
સાગરજીની પ્રેરણાથી. ૧૦૧) શાહ વિમળાબહેન જયંતિલાલ વાડીલાલ. પૂ૦ ગણીશ્રી
લબ્ધિસાગરજી મહારાજની પ્રેરણાથી. ૧૦૧) શેઠશ્રી નરોતમદાસ આંબેગામ (પૂના) તરફથી. સુશ્રાવિકા
શ્રી કમળાબહેનના ઉપધાન નિમિત્તે. ૧૦૧) શેઠશ્રી છોટાલાલ સુરચંદ વેરા ઉંઝા સુશ્રાવિકાશ્રી
કાંતાબહેનના ઉપધાન નિમિત્તે.
on
તો
મિત્રો lli, AntDal આ ' . આગમ જાતના પ્રકાશન અંગે યથાશક્તિ
છૂટક લાભ લેનાર મહાનુભાવોના
નામેની યાદી.
૬૦૦) વિ. સં. ૨૦૨૭ ની સાલમાં–લુણાવાડા
મળે પર્યુષણ પર્વની આરાધના કરનાર શ્રાવક શ્રાવિકાઓ
તરફથી
પૂ. બાલમુનિ શ્રી સિદ્ધસેનસાગરજીએ પહેલવહેલા અઠ્ઠમ
તપથી આદરેલા પરાધનના ઉદ્યાપનમાં. ૨૫૧) શ્રી બાલાશિનેર જેન સંઘ–બાલાશીનર.
પૂ૦ ગણિવર્ય શ્રી કંચનસાગરજી મહારાજ સાહેબના
સદુપદેશથી. ૧૦) શ્રી જેન વે. મુ. જેન પેઢી–વલસાડ તરફથી. ૧૦૧) નેમુભાઈની વાડી જૈન ઉપાશ્રય ગોપીપુરા–સુરત
પૂ૦ ગણિવર્ય શ્રી વિમલસાગરજી મહારાજના સદુપદેશથી તથા પૂ. મુનિ શ્રી કેવલ્પસાગરજી મહારાજની પ્રેરણાથી.
Page #310
--------------------------------------------------------------------------
________________
૫૫
પુસ્તક ૪ થું ૭૯) શાહ છેટાલાલ ખેમચં–અમદાવાદ દ્વારા.
પૂ. મુનિ શ્રી અમીસાગરજી મહારાજના સદુપદેશથી. પ૧) શ્રી જૈન શ્રાવિકા સંઘ-ગોધરા.
પૂ. સા. શ્રી નિત્યાનંદશ્રીજી મહારાજના ઉપદેશથી. પ૧) શ્રી જૈન શ્રાવિકાસંઘ–વેજલપુર (પંચમહાલ).
પૂતપસ્વિની સા. શ્રી જિતેન્દ્રશ્રીજી મહારાજની પ્રેરણાથી. ૫૧) શ્રી તીર્થ રંજન જૈન શ્રાવિકા ઉપાશ્રયના જ્ઞાનખાતામાંથી
અમદાવાદ,
પૂ૦ સુવિનીતા સા. શ્રી નિરંજનાશ્રીજીના ઉપદેશથી પ૧) શ્રી ચાંદમલજી ચંપાલાલ–તખતગઢવાળા તરફથી. ૫૧) શ્રી શાંતાબહેન પિપટલાલ. પૂ. સાધ્વીશ્રી કનકપ્રભાશ્રીજી જામનગરવાલાની શિષ્યા સા. શ્રી સુતારાશ્રીજીના ઉપદેશથી
- ભાવનગર ૨૫) એક સગ્ગહાથ–મણીનગર-અમદાવાદ.
પૂસા. શ્રી પ્રશંજનાશ્રીજીના ઉપદેશથી. ૨૫) ધનકવાડા જૈન સંઘ. ૨૫) શ્રી શાહ ખાતે ચાણસ્માવાળાના ૨૧) દાદાસાહેબ જૈન ઉપાશ્રય સુશ્રાવિકા જ્ઞાન ખાતામાંથી.
પૂર્વ સા. શ્રી સુતારાશ્રીજીના ઉપદેશથી. ભાવનગર ૧૦) વિદિશા જૈન સંઘ. પૂ. સા. શ્રી સુજ્ઞાનશ્રીજીના ઉપદેશથી
Page #311
--------------------------------------------------------------------------
________________
* હાર્દિક ક્ષમાપના જ.
ચતુર્વિધ શ્રી સંઘની સેવામાં પરમ પુનિત સુગ્રહિત નામધેય તાઠવર્ય પૂ આગમારક ધ્યાનસ્થ સ્વ. આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજીના હદયંગમ તાત્ત્વિક વ્યાખ્યા આદિને સંગ્રહ રૂપ આગમ જાતનું સંપાદન દેવ-ગુરુ કૃપાએ પૂ. ગચ્છાધિપતિના મંગળ આશીર્વાદ અને પૂત્ર તારકવર્થ ગુરુદેવશ્રીની વઇ કૃપા તથા મહામના સૌજન્યનિધિ વડિલેના હાર્દિકે શુભ ભાવના આદિના બળે યથાશક્તિ-યથામતિ કર્યું છે. છતાં કદાચ પશમની મંદતાથી કદાચ પૂ૦ નાગદ્વારકશ્રીના આશયથી વિરૂદ્ધ અગર શાસ્ત્રીય મયથી વિપરીત કંઈક લખાયું હોય તે, તે બદલ ચતુર્વિધ શ્રી સંઘ સમક્ષ હાર્દિક નિખાલસતા પૂર્વક.
મિ. ચ્છા ... મિ.... દુ ક ... હું
'IST
Page #312
--------------------------------------------------------------------------
________________
* નમ્ર વિજ્ઞપ્તિ
આ પ્રકાશન ચતુવિધ શ્રી સંઘના હિતાર્થે તાત્વિક દષ્ટિના લક્ષ્યથી કરવામાં આવ્યું છે. જે પુણ્યાત્માને સંજોગવશ આની ઉપયોગિતા ન જણાય તે આગમિક વસ્તુથી ભરપૂર આ પ્રકાશનની આશાતનાથી બચવા માટે ગ્ય અધિકારી સાધુસાધ્વી કે વિવેકી ગૃહસ્થને અથવા ગ્ય જિનાલય ઉપાશ્રય જ્ઞાનમંદિર કે પુસ્તકાલયને આ પ્રકાશન ભેટ આપી સુરક્ષિતપણે જળવાઈ રહે તે પ્રબંધ કર.
છેવટે કાર્યાલયને પરત મોકલવામાં આવે તે પિટ ખર્ચ અને ઇનામ આપવામાં આવશે.
કોઈ સંજોગોમાં આ પુસ્તક કચરાપટ્ટી કે રદી તરીકે પડી રહી અવહેલના ન પામે તેનું પુરતું ધ્યાન રાખવા નમ્ર વિજ્ઞપ્તિ છે.
Ricacaonenengnonconcoronarono છે. આનું પ્રકાશન દર વર્ષની આસે સુદ પૂર્ણિમાએ થાય છે
છે. ચતુર્વિધ સંઘના હિતાર્થે આનું પ્રકાશન પૂ સાધુ છે 2 સાધવીજી, જ્ઞાન ભંડારો તથા તવરૂચિ ગૃહસ્થ આદિને હું
વિના મૂલ્ય મોકલાય છે. ધર્મપ્રેમીઓને સ્થાયી કેશમાં ૧૦૧ લખાવી છે સ્થાયી બ્રાહક થવા ભલામણ છે. Baranaraqrarararaanuar
છક
[આર્થિક લાભ લેવાનું સરનામું
શ્રી આગમ. ગ્રંથમાળા રમણલાલ જેચંદભાઈ શાહ કાપડ બજાર પિટ કપડવંજ (જિ. ખેડા )
પ્રાપ્તિસ્થાન : “આગમ ત” કાર્યાલય કીર્તિકુમાર એફ. શાહ દિલીપ નેવેલ્ટી સ્ટાર પોસ્ટ મહેસાણું [ઉ. ગુ. ]
Page #313
--------------------------------------------------------------------------
Page #314
--------------------------------------------------------------------------
________________ * સંસારના ઝંઝાવાતથી ગભરામણ તેને થાય જેના હૈયામાં શ્રી વીતરાગ પ્રભુની વાણીના પ્રકાશ બળે સંસારનું યથાર્થ સ્વરૂપ અંકિત ન હોય ! * બીજાના દુઃખને જોઈને જેના હૈયામાં કરૂણા ન જાગે તેણે ખરેખર આત્મતત્વને પરિચય નથી મેળવે એમ કહી શકાય; માટે સમ્યક્ત્વના લિંગ તરીકે કરૂણાભાવને પણ સ્થાન છે. Kક ઉન્માદ અને અવિવેક તે સંસારની ખાસીયત છે, નમ્રતા અને વિવેક ધર્મ પરિણમ્યાની ખાસીયત છે. * આત્માને ઓળખવાની વાત કરવા છતાં પણ કમ સત્તાની વિટંબણાઓનું યથાર્થ મૌલિક સ્વરૂપ ધ્યાનમાં આવ્યા વિના આત્મા એાળખાતું નથી. ધમની ક્રિયા પર અરૂચિ એટલે આત્માને સંસારમાં રીબાવ નાર કર્મોને પંપાળવાની અણસમજ ભરી વૃત્તિ છે. * જેના હૈયામાં વીતરાગની આજ્ઞા તેને મોક્ષ હથેલી માં છે ! સાધના મુદ્રણાલય : દાણાપીઠ, ભાવનગર