SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ આગમત યુગલિયાઓને નાભિ મહારાજ પાસે મોકલ્યા. પણ નાભિ મહારાજે તે માંગણથી આવી પડેલી મુશ્કેલીને ઋષભદેવજીને જ તમે રાજા તરીકે થાપે એમ જણાવી અંત આણ્ય. પ્રભુ ઋષભદેવના રાજાપણાની અને ખી રીત: આ રીતે યુગલિયાઓએ સ્વયં રાજાની માંગણી નાભિકુળકર મહારાજા પાસે કરી અને તેઓએ પ્રભુ ઋષભદેવને રાજા તરીકે સ્વીકારી એવી વાત રજુ કરીને યુગલિઆએને સ્વેચ્છાથી રાજાના અનુશાસનમાં રહેવાની વાત જણાવી. આ ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે સત્તા જમાવવાના કોડ પૂરા કરવા જેમ બીજા રાજાઓ રાજગાદી ગ્રહણ કરે છે અને પિતાને રાજા તરીકે થાપવાની પ્રજાજને પર ફરજ પાડે છે, તેવી રીતે ભગવાન ઋષભદેવજીના વિષયમાં બન્યું નથી. રાજાની પ્રજા કે પ્રજાને રાજા : વર્તમાન યુગમાં ગીધડાઓની માફક ફેલી ખાવામાં કુશળતા ધરાવનારા રાજ તરફથી એવી કબુલાત તે જાહેર કરવામાં આવે જે પ્રજા રાજાને રાજા તરીકે કબુલ કરવાને તૈયાર ન હોય તે પ્રજા ઉપર તે રાજાએ રાજ્ય કરવું તે એક ઈશ્વરી અપરાધ હેવા સાથે સદાની અશાંતિને સમુદ્ર મથવા જેવું જ ગણાય પણ આવી ડાહી વાત કરનારા પણ માત્ર આ ડાહી વાતેનો ઉપગ બીજા રાજા અને બીજી પ્રજાને ભારે ઉશ્કેરણીમાં કારણ ઉભું કરવા માટે જ કરે છે. પિતાને ન્યાયી સુધરેલ ગણાવનાર કોઈ પણ રાજ્યની સરકારે પિતાના તાબાના લેકએ રાજા તરીકે મંજુર કરવા ના પાડી હોય તે તેના ઉપરથી પિતાની સત્તાની ધુંસરી ખસેડી દેવા તૈયાર થએલી નથી. એટલું જ નહિ પણ તેવે વખતે તેવા સંકલ જનસમુદાયને બળવાર અને બેવફા તરીકે જાહેર કરી માર્શલ–લેના અમલ કરવા સુધી પણ પાછી પાની કરવાની કોઈ પણ સરકારે પ્રવૃત્તિ કરી નથી, અર્થાત્ કહેવું જોઈએ કે–“પ્રજાજનને ગમે તેવા જ રાજાએ
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy