SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩ ૪૩ આપણે એ વિચાર માત્રથી મહાન બની જતા નથી! જે આખેવાળે છે, જેનામાં દેખતાપણું છે, તે પિતે પિતાનું દેખતાપણું ધારી લે કે ન ધારી લે તે પણ તેનું દેખતાપણું કાયમ જ છે. તેના દેખતાપણાને કોઈ પણ રીતે નાશ થવાને નથી, તેજ પ્રમાણે આપણા આત્મામાં પણ વિચાર હોય અને સારે આચાર હોય અને સારા ઉચ્ચારનું સેવન હોય તે આપણે ન ધારીએ તે છતાં આપણામાંથી ઉત્કૃષ્ટતાને નાશ થતું નથી, માત્ર મારામાં ઉત્કૃષ્ટતા છે, મારામાં શ્રેષતા છે, એવું માની લઈએ તેટલા માત્રથીજ આપણામાં સદાચાર સારાપણું આવે અને એવી માન્યતાથીજ ખરાબ આચાર, ખરાબ વિચાર અને ખરાબ ઉચ્ચાર નીકળી જાય છે, એમ કઈ પણ રીતે કહી શકાતું જ નથી. જગત્ સ્થળ દષ્ટિવાળું છે ! અહીં કેઈ એવી દલીલ કરશે કે જગત્ અર્થાત કે જગતને વ્યવહાર એ પરિણામને જોવાવાળે નથી. એ તે માત્ર વસ્તુનેજ જેવા વાળે છે. કેઈ માણસને લાખ રૂપિયાની મિલ્કત મળે અને તે લાખ રૂપિયાના પરિણામ રૂપ સદ્દગુણેને ધારક બને છે, તેજ સદગુણે તે બીજી વ્યકિતમાં લાખ રૂપિયા મળ્યા વિના આવિર્ભાવ થાય, તેથી કાંઈ પેલા બીજા માણસને લેકે લખપતિ કહેવા તૈયાર થઈ જતા નથી ! ત્યારે લાખ રૂપિયા મળ્યા છતાં લાખ રૂપિયાની પ્રાપ્તિથી આવવી જોઈતી ખાનદાની અને સભ્યતા ન આવ્યા હોય, પરંતુ તે છતાં જે લાખ રૂપિયા મળી જાય તે એ લાખ રૂપિયા મેળવનારને આ જગત લખપતિ કહી દે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ જગત તે વસ્તુનેજ દેખવાવાળું છે, પરંતુ તે વસ્તુના પરિણામોને દેખવાવાળું નથી, અર્થાત્ જગત માત્ર બાહ્યતાજ જુએ છે, તે આત્માને જોતું જ નથી. લૌકિક દષ્ટિને આધાર શું? એ વાત સાચી છે કે લૌકિક દષ્ટિ આત્માને જેવાવાળી તે નથી જ ! તે તે માત્ર બાહ્ય પુદ્ગલેને જ જુએ છે, અને બાહ્ય પુદ્ગલે મળી
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy