SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-લું વાસ્તવિક રીતે સ્વતંત્રપણે નથી, પણ માત્ર તે મોક્ષના કારણ તરીકે જ ઉપાદેય છે અને તેથી જ શાસકાર યોજaહ્ય ર” એમ જણાવી સ્પષ્ટપણે ધર્મ જેનું અપર નામ ગ છે તેની ઉપદેયતા મેક્ષના કારણ તરીકે જણાવે છે. એટલે ખુદ ધર્મની ઉપાદેયતા પણ સ્વતંત્રપણે નથી પરંતુ મોક્ષના કારણપણાને અંગે જ છે એટલે કે આત્મીયસુખના કારણે પણ આત્મીયસુખની સાધ્ય દશાને અંગે જ ઉપાદેય થાય છે, પણ સ્વતંત્રપણે ઉપાદેય થતા નથી, તે પછી આત્માના સ્વરૂપને બાધ કરનાર કર્મની જ છરથી જકડનાર અને ચતુર્ગતિના ચક્કરમાં ચૂરનાર એવા બાહ્ય સુખ અને તેના સાધને તે ઉપાદેય તરીકે ગણાય જ શી રીતે? જે બહાસુખે અને તેના સાથને કોઈ પણ અંશે શાસ્ત્રકારે ઉપાદેય તરીકે ગણતા હતા તે “સવારો મેTગો વેરમ” કહી પાંચ પ્રકારના વિષયના ઉપભેગો રૂ૫ બાહાસુખને જવાનું જણાવત નહિ તેમજ તે બાઘસુખને કરનારા વિષયના સાધન તરીકે રહેલા ગ્રહણ કરવા અને ધારણ કરવા લાયક પદાર્થોને પણ ત્યાગ કરવા માટે “સવાય રિમો વેરમ” અર્થાત્ સચિત્ત, અચિત્ત કે મિશ્ર એવા ગ્રહણ કરવા લાયક કે ધારણ કરવા લાયક પદાર્થોનું ગ્રહણ અને મમત્વરૂપ પરિગ્રહથી વિરમવાનું કહેત નહિ . જે અર્થ અને કામને જૈન શાસ્ત્રકારની અપેક્ષાએ હેય તરીકે ન માનતાં, ઉપાદેય તરીકે માનવામાં આવે તો તે જૈનશાસ્ત્ર પરસ્પર વિરૂદ્ધ અર્થને કથન કરનારૂં થાય, પણ જેનશાસનની એ ખુબી છે, કે તેમાં પરસ્પર વિરૂદ્ધ અર્થનું કથન હેતું નથી, અને તેથી ૫ આ. ભગવાન હેમચંદ્રસૂરિજીએ શાસનની સ્તુતિ કરતાં હેતુ તરીકે જણાવ્યું છે કે “પૂર્વાપરાર્થે વિરોfસ : ' એટલે આગળપાછળના પદાર્થોમાં વિરોધ રહિતપણું હોવાથી ભગવાન જિનેશ્વરનું શાસન પ્રમાણભૂત છે. એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગ પાડવામાં આવ્યા છે તે માત્ર વર્ગીકરણના હીસાબે છે, પણ ઉપાદેયતાના હીસાબે નથી.
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy