SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત નિર્દેશ કરેલ દમનનીતિને કોઈ અમલ કરનાર વગ તૈયાર હોય અને જ્યારે અમલ કરનારો વર્ગ પહેલે જ તૈયાર થયેલો માનીએ તે પછી ચક્કસ થયું કે નીતિને અમલમાં મેલનારા વગની જ પહેલાં ઉત્પત્તિ કરવી જોઈએ અને તેથી પ્રથમમાં પ્રથમ દમન કરનાર વર્ગની જ ઉત્પત્તિ માનવી પડે, અને જો એમ માનવું પડે તે પછી સ્પષ્ટ થયું કે જગમાં જાતિભેદ પ્રથમમાં થતાં પ્રથમ કોઈ પણ જાતની ઉત્પત્તિ થઈ હોઈ તે માત્ર કાયિક દમનની દંડનીતિને ચલાવનાર વિની જ થઈ. જાતિપ્રથાની હિતાકારિતા આ વાત લગાર ઠંડા મગજે વિચારવાથી જેઓ જાતિના બંધારણને જુલમની જ નીતિ માને છે, તેઓ જાનવરની નીતિ ઉપર પણ લગાર ધ્યાન આપશે તે સ્પષ્ટ સમજાશે કે એક શેરીમાં કે વનમાં રહેતાં જાનવરોમાં પણ કંઈક અકકલવાળી અને જોરદાર જે વ્યક્તિ હોય છે તે બીજી વ્યક્તિઓને દોરનારી બને છે. અને તેથી તે દેરાનાર વ્યક્તિઓનું ભલું જ થાય છે. અને નુકશાન થતું નથી. જુઓ કીડીઓમાં દેરનાર નાયક, માંખીઓમાં દેરનાર નાયક, હંસોમાં દેરનાર નાયક એવી રીતે મનુષ્યને સ્વયં અનીતિથી બચવાનું ન થાય ત્યારે તેને અનીતિથી બચાવી નીતિને રસ્તે દોરનાર નાયક જોઈએ એમાં કેઈથી ના પાડી શકાય જ નહિ. અનીતિથી બચાવ કયારે? , અનીતિથી બચવાનું બે પ્રકારે બને. એક તે તેવા પ્રકારના અગ્ય લાભ થાય કે પરાઈ વસ્તુ લઈ લેવાનું મન થાય એવા કમનો ઉદય જ ન હોય અથવા પૂર્વે બાંધેલા તેવા કમને ઉદય થાય છતાં મનુષ્ય સમ્યગ્દર્શન યુક્ત કે સમ્યગ્દર્શનથી રહિત હોય છતાં અન્યાયવાળા લેભ અને લેભથી થતા અન્યાયોથી આ લેક અને પરલેક સંબંધી તથા આત્મા કે પુદ્ગલ સંબંધી થતાં નુકસાનને ખ્યાલ આવે તે મનુષ્ય અનીતિથી બચી શકે. જો કે અનીતિ એકલા લેભને લીધે જ થાય છે એમ નથી, બીજા બીજા કોધ, માન, માયા હાસ્યાદિ અને વેદાદિથી પણ થાય છે. પણ તે અવસર્પિણી કાલના પ્રતાપે આવશ્યકીય અને ક્રમે ક્રમે ઓછા થવાથી જીવનનિર્વાહના સાધનની દુર્લભતા કરવાવાળો કાળ ગણ લેભને મુખ્ય ભાગ ગયે અને તેથી અનીતિના મૂલ તરીકે
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy