SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત આર્યોમાં જાતિભેદને કમ: જાતિભેદને કવીકાર કરનારાઓએ એકસરખી રીતે એ તે કબુલ આ વર્તમાન જાતિભેદ થવા પહેલાં મનુષ્યમાં એક જ જાતિ હતી. આ જગ્યા પર વિચાર કરવાની જરૂર છે કે સત્ય સનાતનવાદીઓના કહેવા પ્રમાણે ભગવાન યુગાદિદેવની વખતે એકલા યુગાદિદેવ જ પુરૂષ હતા અને તેમનાં માતાપિતા અને બીજા મનુષ્ય નહતા એમ નહતું. તેથી અનેક મનુષ્ય જાતિભેદ સિવાયના હવાથી પહેલી મનુષ્યની એક જાતિ હતી એમ કહેવું વ્યાજબી જ કરે અને પછી તે શ્રી યુગાદિદેવને અંગે થએલી કે શ્રી યુગાદિદેવે કરેલી વ્યવસ્થાને અંગે પાછળથી જુદી જુદી જાતિ બને, પણ જેઓ કૃત્રિમવાદીઓ થઈ બ્રહ્માથી ચારે વણ ઉત્પન્ન થયાનું માને છે, તેઓને માટે તે ચાર વર્ણ થયા પહેલાં ઘણા મનુષ્ય નહતા તે પછી મનુષ્યની એક જ જાતિની વ્યવસ્થા થવા પૂર્વે હતી એમ કહેવાને હક્ક જ ક્યાં છે? તેઓને તે એમ જ બલવું પડે છે કે પહેલાં કોઈ જાતિ જ નહોતી. માત્ર એકલા જ બ્રહ્મા જ હતા. પણ તે કૃત્રિમવાદીઓ એ પ્રમાણે બોલતા નથી અને સ્પષ્ટ શબ્દોથી કહે છે કે પહેલાં સર્વ એક જ મનુષ્ય જાતિ હતી. આ તેઓનું કથન જ આડકતરી રીતે સ્પષ્ટ ઈકરાર કરાવે છે કે બ્રહ્માએ બ્રાહ્મણદિની જાતિ કરી. એવું જે કહીએ છીએ તે એક માત્ર આલંકારિક છે. બાકી તે બ્રાહ્મણાદિ જાતિની સ્થાપના કરવા પૂર્વે પણ એકલા બ્રહ્માજ મનુષ્ય તરીકે હતા એમ નહિં, પણ અન્ય મનુષ્ય પણ ઘણા હતા, તેથી તે બ્રાહ્મણાદિ જાતિની સ્થાપનાની પૂર્વે એક માત્ર મનુષ્ય જાતિ જ હતી. કૃત્રિમ સૃષ્ટિવાદીઓએ જાનવર અસુર અને સુરઆદિની પણ ઉત્પત્તિ જેડી કાઢી તે એટલા માટે કે યુગાદિદેવને બ્રહ્મા ઠરાવી તેની પહેલા કોઈ મનુષ્ય નહેતા એ આલંકારિક ઉત્પત્તિવાદનાં પાંખડાં અધુરાં રહેતાં હતાં. વાસ્તવિક રીતે વિચારીએ તે સ્પષ્ટ માલમ પડશે કે શ્રી યુગાદિદેવે મનુષ્યની એક જ જાતિ હતી, તેમાં જુદી જુદી વ્યવસ્થા કરી
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy