SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩ જુ અત્યંત ઉદ્યમની સાથે હાય છે, તે કાય કરનાર છે. અને ઉદ્યોગ સહિત ઉપયાગની કિસ્મત જ્યારે મનુષ્યને માલમ પડશે ત્યારેજ સમજી શકાશે કે શાસ્ત્રકારાએ અનતી વખત આ જીવને ભવ-ચક્રમાંજ જ્ઞાન મળ્યું છે. તે અનંત વખત મળેલું જ્ઞાન સમ્યગ્રૂપ નહોતુ' એમ કહી શકીએ, પણ ક્ષેત્રપન્ચે પમના અસંખ્યાતમા ભાગના પ્રદેશ જેટલી અસખ્યાતી વખત તે સમ્યક્ત્વ મળેલુ હોવાથી તેની સાથે તે। સભ્યજ્ઞાનની નિયમિતતા છેજ, માટે અસખ્યાત વખત સમ્યક્ત્વ સાથેનું સમ્યજ્ઞાન જીવને મળી ગયું. પણ સૂક્ષ્મષ્ટિએ એ વિચાર કરનારા મનુષ્યે સ્હેજ સમજી શકશે કે અસંખ્યાતભવ સમ્યક્ત્વ અને સમ્યજ્ઞાનવાળા થયા છે, તેમાં તે સમ્યગ્દર્શનાદિ આરાધના ગણી નથી. અર્થાત્ સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાનની પ્રાપ્તિ થયા છતાં તેને આરાધના માર્ગ તરીકે ઉપયેાગી ગણ્યા નથી. પ કાલ અહીં એ પણ સમજવાનું જરૂરી છે કે જે મનુષ્ય સાધન મેળવે ત્યાર પછી ક્રિયાના કાલ ગણવા સાથે સાધક ગણાય. ધાન્ય વાવવાના કાલ લેાજનકાળ ગણાતા નથી, રસાઇને કાલ એ ભેાજનકાલ તરીકે ગણાય નહિં. તેવી રીતે સમ્યગ્દર્શન અને જ્ઞાન એ અને માક્ષની સાધનસામગ્રીના નિશ્ચાયક અને આધક છે, પશુ માક્ષ પ્રાપ્તિના સાધનકાલ નથી. અને આજ માટે ભાષ્યકારશ્રી ઉમાસ્વાતિ વાચકજી મહારાજ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે સમ્યÁનજ્ઞાનાગિનિ મોક્ષમાર્ગ જો કે આ સૂત્રના અર્થમાં સામાન્ય ત્રણ પ્રકારે સમ્યગ્દર્શનાદિ માક્ષમાગ છે એમ કહેવાય, પણ એના અથ એ નથી કે સમ્યજ્ઞાન વિનાનું સમ્યગ્દર્શન કે સમ્યક્ ચારિત્ર હાય અને તે મેાક્ષમાગ અને, જેમ એ માનવા લાયક નથી, તેવીજ રીતે એ પણ સ્પષ્ટજ છે કે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રાપ્ત થયા છતાં સમ્યક્ચારિત્ર પ્રાપ્ત ન થાય તે તે સમ્ય ગ્દર્શન અને સભ્યજ્ઞાનને પણ મેાક્ષમાર્ગ તરીકે તે નજ ગણાય અને તેથીજ ત્રણેમય મેાક્ષમાગ જણાવે છે. કહેા કે ખરી રીતે જ્યાં સુધી સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ નથી થઈ, ત્યાં સુધી આ જીવ
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy