SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૪ થું - ઉત્તર : શ્રી અજીતનાથ ચરિત્ર કે જે કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે રચેલું છે. તેના લેખ પ્રમાણે વર્તમાનકાલની ગણાતી ગંગા તે લવાયેલી ગંગા છે. અને અરબી સમુદ્ર એ સિંધુને ભાગ છે. એમ આદીશ્વર ચરિત્ર ઉપરથી જણાય છે. પ્રશ્ન ૧૪: આજે જણાતા આદેશો સાડી પચીશ જ છે કે ઓછા ? ઉત્તર : સાકેત, કે જેની રાજધાની અધ્યા છે. ત્યાંથી માંડીને ગોદાવરી અને મગધ સુધીને વચલે ભાગ સાડી પચ્ચીસ દેશ તરીકે છે. પ્રશ્ન ૧૫: આજે જણાતા આદેશ શાસ્ત્રમાં જણાવેલ માપના જ છે કે ઓછા વધુ? - ઉત્તર : શાસ્ત્રમાં જણાવેલ આદેશે ક્ષેત્રની અપેક્ષાએ જ કહેલા છે. તેથી તે માપ સહિત જ છે. પછી કાળાન્તરની અપેક્ષાએ દેશનાં નામે અને હકે ફેરફારવાળા થાય તે સ્વાભાવિક છે. આ પ્રશ્ન ૧૬ઃ ત્રણ પ્રકારે આગમ કહેવાય છે. તેના નામ શું? તેની ઓળખ કેવી રીતે? અને તેનાથી થતા લાભમાં તારતમ્યતા શી? ઉત્તર : તે આગમના આત્માગમ, અનંતરાગમ અને પરંપરાગમ એ ત્રણ નામ છે. (૧) તીર્થકર ભગવતે અર્થથી દેશના આપવાની પ્રથમ શરુઆત કરે છે. તેથી તીર્થકર ભગવંતેને આમીને તે અર્થથી આત્માગમ કહેવાય અને ગણધર ભગવંતે, તે અર્થ સાંભ-ળીને તે ઉપરથી સૂત્ર રચવાની પ્રથમ શરૂઆત કરે છે તેથી તે ગણધર ભગવંતેને આશ્રીને સૂત્રથી આમાગમ કહેવાય. (૨) અર્થથી જ્ઞાન આપવાની શરૂઆત કરનાર શ્રી તીર્થકર ભગવંતે પાસેથી ગણધર ભગવતે જે અર્થ મેળવે છે તે અર્થરૂપ શ્રત, ગણધર -ભગવંતેને આશ્રીને અર્થથી અનંતરાગમ કહેવાય અને શ્રી ગણધર -ભગવંત પાસેથી તેમના શ્રી જબુસ્વામી પર્યન્તના બધા જ શિષ્ય જે શ્રત મેળવે તે દરેક શિષ્યોને આશ્રીને સૂત્રથી અનંતરાગમ
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy